Monthly Archives: ઓક્ટોબર 2012

એરિઝોનાનો અઘોરી ભૂતનાથ

હેપી હેલોવીન , આતા !

 

અને આ રહ્યા ભૂતનાથ … ભૂતની હારે !

કાઠિયાવાડી કાકા – કચ્છી ભત્રીજાની હારે !

હિમ્મતલાલ જોશી અને હિતેશ દેસાઈ – ફિનિક્સ , એરિઝોના

ભૂત રુવે ભેંકાર જેને લોચનીએ લોય જરે

बगैर ,दस आदमीके ભૂત, પ્રેત, જિન્નાત,ચૂડેલ .વગેરેમાં એકલા ભારતના લોકો માને છે .એવું નથી .દુનિયાના ઘણા દેશોના લોકો ભૂત યોનીમાં મને છે.મારા પોત્રની અમેરિકન ગ્રાન્ડ મધર બહુ માને છે .હું ઘણા એવા અમેરિકનોને ઓળખું છું કે જેઓ ભૂત પીશાચમાં માને છે .ફ્લોરીડા (અમેરિકા)માં એક સ્થળ ભૂતની ટેકરી તરીકે ગુજરાતી લોકો ઓળખે છે આ સ્થળનો મને જાત અનુભવ છે જે હું આપને કહું છું .અહી એક ભૂતને લગતી વાતનું બોર્ડ માર્યું  છે .અને સફેદ કપડાની આકૃતિ લટકાળી છે.  ખૂબી એ છેકે નજીકથી નાનકડી ટેકરી ઉપરથી એક રોડ પસાર થાય છે .આ ટેકરી ઉપરથી કાર નીચે ઉતરે ત્યાં એક સફેદ પટો મારેલો છે ત્યાં તમે કાર ઉભી રાખો .ગેસ આપવો બંધ કરો કારને ન્યુટન માં મુકી ઉભી રાખો એટલે કાર એની મેળે  રિવર્સમાં ટેકરી ઉપર ચડી જશે .મારા ગ્રાન્ડ સનની નાની ચેલેસ્તિ અબ્દાલાને મેં ભૂત ટેકરીની વાત કરી અને તુને જોવા લઈ જવી છે. એમ વાત કરી,એણે ત્યાં જવાની ખુશી દર્શાવી પણ પોતાની કાર લઈ જવાની સખત ના એવું કહીને પાડી કે ભૂત કદાચ મારી કાર ભાંગી નાખે .

આપ વાચક ભાઈઓ પોતાના ભૂત અનુભવની   વાતો કોમેન્ટમાં મૂકી શકવા હું સૌ ને ભાવ ભીનું આમંત્રણ આપું છું.એક વયોવૃદ્ધ વડિલની વાત હું લખું છું .તેઓ મને વાત્ કરતા હતા કે એક વખત હું (આ વાત અમેરિકાની છે.)બસની વાટ જોતો બાંકડા ઉપર બેઠો હતો .એટલામાં એક  યુવતી  આવી અને મને ભેટી પડી અને બોલી અંકલ તમે અહી ક્યાંથી ?દાદા કહે હું તો હેબતાઈ ગયો .અને કીધું દિકરી તારી સમજ ફેર થાય છે .હું તારો કાકો નથી .હુતો ભારતનો પંજાબનો છું .

ઘણું સમજાવ્યા પછી છોકરી મહામુશીબતે માની કે હું એનો કાકો નથી .પછી એને મેં પૂછ્યું તારો કાકો ક્યાં રહે છે . તોતે કહે એતો  મરી ગયા છે.જીવિત નથી .દાદાએ મને કિધુકે છોકરી કહે તમારામાં મને મારા પ્રેમાળ કાકાનાં દર્શન થયા છે.હવે મને તમે તમારી ભત્રીજી તરીકે  ગણી લો અને મને પ્રેમ ભૂખીને તમારો  પ્રેમ આપતા રહો એવું બોલી એણે પોતાનું નામ ,ઠામ ,સરનામું ફોન # ઈમેલ એડ્રેસ વગેરે આપ્યું .અને એવી રીતે મેં પણ મારું ઠામ ઠેકાણું આપ્યું .એક વખત એણે મને પોતાની બર્થડે પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું તે વોશીન્ગ્ટન સ્ટેટમાં રહે છે.ત્યાંથી મને પ્લેનની ટીકીટ મોકલી .મને ત્રણ અઠવાડિયાં પોતાને ઘરે રાખ્યો .મારું ખુબ સ્વાગત કર્યું. દાદા કહે હું દાઢી મુછ રાખું છું .મેં દાઢી મુછ કદી કપાવી નથી અને કપાવવા માંગતો પણ નથી મને ઘણા લોકોએ કીધું કે ઈરાકમાં  લડાઈ ચાલે છે મોકો મળ્યે અરબો અમેરિકન સોલ્જરોને મારી નાખે છે .એટલે અમેરિકનોને આરબો ઉપર બહુ દાઝ છે.એટલે તમે આરબ જેવા લાગો છો .માટે તમે તમારી દાઢી મુછ  કઢાવી  નાખો નહીતર તમને લોકો મારી નાખશે આવું કહીને મને લગભગ દસેક માણસોએ ડરાવ્યો .હું મક્કમ રહ્યો મેં મારી દાઢી મુછ કઢાવી  નહિ .એક વખત મારે હોસ્પીટલમાં જવું પડ્યું .ડોક્ટરોએ મને દાઢી મુછ કાઢવાની જરૂર છે .એવું  કીધું .મેં ડોકટરોને કીધું સાહેબ હું ભલે મારી જાઉં પણ  દાઢી મુછ નહિ  કઢાવું .આવખતે મારો પોત્ર મારી પાસે હતો તે મારી અમેરિકન દત્તક ભત્રીજીને ઓળખતો હતો .તેણે છોકરીને ફોન કર્યો અને વાત કરીકે તારો કાકો હોસ્પીટલમાં છે .એને દાઢી કઢાવી નાખવી જરૂરી છે એવું ડોકટરો કહે છે ઓલા કાંઠાનો તારો કાકો દાઢી નથી કઢાવવા દેતો .છોકરીએ કીધું કાકાને ફોન આપ મને ફોન આપ્યો અને છોકરીએ મને હુકમ કર્યો કે દાઢી  કઢાવી નાખો ફક્ત એટલું બોલી ફોન મૂકી દીધો .પછી દાદા કહે મેં ડોકટરોને કીધું કે  સાહેબ મારી દાઢી કાઢી નાખો મારી વાત સાંભળી ડોકટરો અને નર્સો હેરત થઈ ગયા .અને પછી દાઢી નાખી કાઢી .હું હોસ્પીટલમાં હતો ,અને છોકરીએ મારી ખબર પૂછવા  ફોન  કર્યો પોત્રે જવાબ આપ્યો કે ઓપરેશન સફળતા પૂર્વક થઈ ગયું છેકાકા હોસ્પીટલમાં છે.અઠવાડિયામાં ઘરે આવી જશે .છોકરીએ પોત્રને કીધુકે  મેં ફોન કર્યો છે .એવું દાદાને નો કેતો .દાદાને આવી પરી સ્થિતિમાં  છોકરી યાદ આવતી હતી .છોકરીએ હોસ્પીટલનું મારું થમ ઠેકાણું લઇ લીધું .અને એક દિવસ ઓચિંતાની છોકરી અને એની બેનપણી બંને જણી આવી પહોંચી .છોકરીઓને જોઈ દાદાકે હું એટલો  તો ખુશી  થયો કે કહેવાની વાત નહિ .હુંતો ખાટલામાં બેઠો થઇ ગયો .  ==જેની જોતાં વાટ ઈ વણ કીધે આવી ચડે તો ઉઘડે હૈયાનાં હાટ ઈને કુંચી ન જોયે કામની દાદા પણ આતા જેવા કવિ હતા તેને લખ્યું કેदस आदमीके कहनेसे दाढ़ी न निकाला लड्किका मान कहना  हमने निकल डाला .લોકો દાદાને ભડકાવવા લાગ્યાકે દાદા તમને આ છોકરીઓ ફોસલાવીને તમારી મિલકત પડાવી લેશે .એ લોકોને એ  ખબર  નથી કે છોકરીઓ દાદાને અવાર નવાર પૈસા મોકલે છે.જયારે છોકરિયું  દાદાને હોસ્પીટલમાં અચાનક મળવા આવીઓ  ત્યારે  એમણે  કીધું કે હવે દાઢી મુછ ઉગવા દેજો દાઢી વગરનું મોઢું સારું નથી લાગતું .એટલે દાદાએ ફરી દાઢી ઉગવા દીધી .

ये इश्क़ इश्क़ है इश्क़ जोशीसे हो गया इश्क़

મારા  આગળના “અમેરિકન  વહુની ભારતીય  સાસુ “લેખ નું આ અનુસંધાન  છે .એટલે એ લેખ ઉપર જરાક દૃષ્ટિ ફેરવી જવા કૃપા કરશો.

પ્રભાશંકર સાથે એલીઝાબેથની  ગાઢ  મિત્રતા થયા પછી એક બીજાના વિચારોની આપલે થઈ .મતભેદ પડ્યા સમાધાન થયાં .એલીઝાબેથ માંસાહારી હતી .એનો વિરોધ પ્રભા શંકરે ન કર્યો,અને એલિઝાબેથે એને માંસાહાર કરવાનો આગ્રહ ન કર્યો .મારી મા અમેરિકામાં આવ્યા પછી ધીમે  ધીમે એલિઝાબેથે માંસ ખાવું છોડી દીધું .તે એટલી હદે કે કોઈ એને   માંસ કે પ્રાણી હિંસાની વાત કરેતો તુરત એને વાત કરતો અટકાવી દ્યે ,એલિઝાબેથને ગીતો ગાવાનો શોખ છે,મારા ભાઈ પાસેથી શીખ્યા પછી એ ગુજરાતી ગીતો પણ ગાય  છે .”ઓ નીલ ગગનના પંખેરુ મને તારી યાદ સતાવે “એ ગીત એનું પ્રિય ગીત છે .પ્રાણી પ્રત્યેતો એને પ્રેમ છે.પણ ઝાડવાં પ્રત્યે પણ એટલીજ લાગણી ધરાવે છે.પણ એમાં અપવાદ છે.અહીના ઠંડા પ્રદેશમાં એક પોઈઝન આઈવી નામની વેલ થાય છે .એ જે ઝાડ ઉપર ચડે તેનો રસ ચૂસી લ્યે છે.છેવટે એ ઝાડ મરણને શરણ થાય છે.આ પોઈઝન આઈ વી ને એલીઝાબેથ જુવે તો એને કાપી નાખ્યા પછી જંપે ,પોઈઝન આઈવી નો સ્પર્શ માણસને થાય તો એનું શરીર તતડી જાય છે .એ સુકાઈ ગઈ હોય .તોપણ તેનો સ્પર્શ થાય તો શરીરે નાની નાની ફોડકીયો  થઈ જાય છે .જોકે કોઈને પોઈઝન આઈવીની  વધુ ઓછા પ્રમાણમાં થતી હોય છે.કોઈને એની અસર બિલકુલ થતી પણ નથી .અરે એને બાળી નાખો .અને એનો ધુમાડો જો અડીજાય તો પણ શરીરે ફોડ્કીયું થઈ જાય છે. મેં એનું એક આપ જોડિયું બનાવ્યું છે.”આડી કરડે ઉભી કરડે કરડે કાપી નાખી ,બાળી નાખો તોય કરડે એવી આઈવી કાકી “એલિઝાબેથને બોલીને ફરી જવું બહુ ફાવતું નથી ,એવીરીતે ખોટુ  બોલવા બાબત ,જોકે મને જે અમેરિકન લોકોનો અનુભવ થયો છે. એ બધા એવા લાગ્યા છે ,

હુપણ ભારતમાંજ જન્મ્યો છું જિંદગીનો મોટો ભાગ મેં ભારતમાંજ કાઢ્યો છે .હું કઈ અમેરિકન નથી ,કે અમેરિકાની પ્રશંશા અને ભારતની  નિંદા કરું છું .અને મેં જો વધુ બોલાવવા માગતા હો તો હું ચાલીસ કરતાં વધુ વરસથી અમેરિકામાં રહું છું .પણ હું અમેરિકન સિટીજન નથી થયો .મને ઘણા આપણા દેશી ભાઈઓએ કહેલુકે તમે જો અમેરિકન સિટીજન નહિ હો તો તમને સો,સિ ના પૈસા અને બીજા લાભો નહિ મળે .હું એવા  હિતેચ્છુ ,મિત્રોને નમૃતાથી જવાબ આપતો કે મારે સિટીજન નથી થવું એટલે નથી થવું .

એલીઝાબેથ મારું બહુ માન જાળવે . મારા માટે એણે એક કવિતા (ઇંગ્લીશમાં )બનાવી છે.જે મેં મારા કમ્પ્યુટરમાં મૂકી રાખી છે.મારા ભીની એ બહુ સેવા કરે છે.કોઈ એને એવું કહે કે હવે પ્રભાશંકરને નર્સીંગ હોમમાં મુકવા જોઈએ જો એ  નર્સિંગ હોમમાં હોય તો તારે થોડી ઓછી તકલીફ રહે ,તો તે જવાબ આપેકે મને કોઈ તકલીફ નથી પડતી બલકે  પ્રભાશંકર ઘરે હોયતો મારો સમય  આનંદ થી પસાર થાય .મારી 98 વરસની ઉમરના નર્સિંગ હોમમાં મુકવાનો વિરોધ કરેલો .માં ઘરેજ મૃત્યુ પામ્યા .ઘણા લોકો પોતાના માબાપને  ભારે ના પડતાં  હોય  પોતાની જાતે પાણી પેશાબ કરી આવતાં હોય સ્નાન પણ જાતે કરી લેતા હોય છતા નર્સિંગ હોમમાં મુકી દેતા હોય છે.મેં એક ભજન બનાવ્યું છે તેની એક કડી લખું છું .

બાળક સાચવવા માને તેડાવે માતા થોડા દિવસ હરખાશે બાળક  મોટાં થયાં ગરજ નથી માતા પાંજરા પોળ માં જાશે (નર્સિંગ હોમ ) લાંબુ લખાણ વાંચવા

આપવા બદલ ક્ષમા કરજો.

અમેરિકન વહુની ભારતીય સાસુ

વાત મારા કુટુંબની છે .પણ આપને એમાં ઘણું જાણવા ,શિખવા ,સરખામણી ,કરવાનું મળશે .એટલા માટે હું લખું છું .

મારો નાનો ભાઈ પ્રભાશંકર કોલેજમાં ભણવા આવ્યો, ત્યારે એ મારી સાથે માધુપુરા પોલીસ લાઈનમાં રહેતો .એક બલદેવસિંહ કરીને પોલીસમેન હતો .તે પોલીસને પોલીસ્ લાઈનમાં રહેવા માટે રૂમ મળેલી પણ તે તેમાં રહેતો નહિ પણ તે ખાનગી મકાનમાં રહેતો ,આ મકાન મારો ભાઈ વાપરતો. મારા ભાઈએ કોલેજ ડિગ્રી મેળવી લીધા પછી તે અમેરિકા વધુ અભ્યાસ અર્થે  આવ્યો,અહિં તે ભણવાની સાથોસાથ નોકરી પણ કરતો .અહિં એને એક એલીઝાબેથ નામની યુવતિ સાથે મિત્રતા થઇ.એલિઝાબેથના વડવાઓ આયાર્લેન્ડ થી અમેરિકા આવેલા ,એલિઝાબેથના બાપ અમેરિકાની કોર્નેલ યુનિ .માંથી ઇલેક્ટ્રિક એન્જી.ની ડિગ્રી મેળવેલી વ્યક્તિ હતા .અને પ્રભાશંકરના બાપ નિશાળમાં કદી ભણવા ગએલા નહિ .પણ ગુજરાતી લખવા વાંચવાનું જ્ઞાન ધરાવતા ,અને પોતાના જન્મ સ્થળના ગામ  દેશીંગામાં પોલીસ પટેલ તરીકે માસિક રૂપિયા 12ના પગારથી નોકરી કરતા ,જયારે એલીઝાબેથના બાપ અમેરિકાની મોટી કંપનીમાં  ઉચ્ચ હોદ્દા ઉપર રહી સારો પગાર મેળવતા .

પ્રભાશંકર અને એલીઝાબેથ વચ્ચે  ગાઢ મિત્રતા થયા પછી એક દિવસ એલીઝાબેથ પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો .આ વખતે એલીઝાબેથ શાકાહારી નોતી. ,જયારે પ્રભાશંકર ચૂસ્ત શાકાહારી હતો .જયારે હું પ્રભાશકર નો ભાઈ એટલો બધો માંસથી કે લોહી જોઇને કે પ્રાણીને છરીથી કપાતું જોઈ મને મારામાં ઉપર કોઈ અસર થતી નહીં .અને હજુપણ થતી નથી .પણ હું માંસાહારી નથી .એક દૃષ્ટાંત આપુંછું એક રામકૃષ્ણ મિશનના બંગાળી સાધુ મારા મહેમાન બન્યા .આ સાધુ અમારા આખા ઘરના માનીતા હતા .સુરેશજાની જેમ મારા દીકરા થઇ ગયા છે. એમ આ સાધુ મારા માબાપના દિકરા થઇ ગએલા .આ સાધુને માછલી ખાવાની ઈચ્છા થઈ અને મેં લાવી આપી મારા ઘરમાંજ રાંધવાની હતી .આ દિવસે પ્રભાશંકર આખો દિવસ ઘરમાં નહિ આવેલો .

જયારે એલિઝાબેથે મારા ભાઈ સાથે લગ્ન કરવાની વાત કરી ,ત્યારે મારા ભાઈએ શરત મુકીકે દેશમાં મારા ભાઈ ભાભી અને મારી મા ,એને ઈંગ્લીશ આવડતું નથી.તેઓને હું અમેરિકા તેડાવવા માંગું છું.અને તેઓને આપણી સાથે રાખવા માગું છું .બીજું તું જે મારું લાંબુ નામ (પ્રભાશંકર )બદલવા માગે છે એ શક્ય નથી .અને મને  માંસાહારી થવા બાબત આગ્રહ કરવો નહિ .તું માંસાહાર કરે એનો મને વિરોધ નથી.તેમજ હું તુને   શાકાહારી થવા બાબત દબાણ કરવાનો નથી .અને પછી મહારાષ્ટ્રીયન બ્રાહ્મણે લગ્ન કરાવી આપ્યાં .ભારત ફરવા આવ્યા .દેશીંગા માં અને બીજાં ગામડાઓમાં મેં ફેરવ્યા ભેસ ઉપર ઊંટ ઉપર બળદ ગાડામાં ઘોડા ગાડીમાં સફર કરાવી .એ સમયે ગામડાઓમાં શોચાલય નહિ ઉકરડે પાણી પેશાબ કરવા જવું પડે .જેમ જનક રાજાની દિકરી સીતા રામની પાછળ પાછળ વનમાં ભટકી .એમ એલિઝાબેથે  પ્રભાશંકર ની પાછળ પાછળ  સાડા ચાર માસ નો ભારતવાસ ભોગવ્યો .અને ભારતની તે વખતની અગવડતાનો સાડા ચાર માસ સામનો કર્યો અમારા ગામડિયા માણસોના પ્રેમનો અનુભવ કર્યો .હું મારા પત્ની ,મારા મા .અમેરિકા  આવ્યાં  એમની સાથે રહ્યાં માની એને બહુ કાળજી લીધી .અમે જયારે એમને ઘરેથી અહી એરિઝોના રહેવા આવ્યાં ત્યારે મારા ભાઈ કરતાં વધુ વિયોગના આંસુ એલિઝાબેથને આવેલાં .મને નોકરી ઉપર ઘણી વખત એલીઝાબેથ મુકવા આવે એનો દિકરો વિક્રમ ઘણો નાનો મારી નોકરી સવારે સાત વાગ્યે ચાલુ થાય .મને નોકરી ઉપર મુકવા આવવું હોય નાનકડા વિક્રમને ભર ઊંઘમાંથી ઉઠાડે પોતાની સાથે લ્યે .અને મને નોકરી ઉપર મૂકી જાય એલીઝાબેથ  મારા   ભાઈ ને

ભૈર ભૈર બહુચર માતકી જય

જુના વખતમાં ગામડાઓમાં  ભવાયાઓ આવતા ,તેઓ  સમીસાંજથી રમવાનું ચાલુંકરે  ઠેઠ દિ ઉગ્યાસુધી ,દર વરસે રમવા આવે ,દર વરસે એનો એ ડિંગ ડફો હોય ,સૌ પ્રથમ  ભૂંગળ વગાડે એટલે લોકો જોવા માટે આવે ,હું આ વાત દેશીંગાની કરું છું .ભવાયા ,વ્યાસ તરગાળા ,નાયક વગેરે નામોથી ઓળખાય દેશીંગામાં  બેચર નારણ રહેતા હતા .તેઓ ભવાયાની ટોળીમાં રમવા જતા .જે ગામનો ભવાયો ટોળીમાં હોય એ ટોળી એના ગામમાં રમવા આવે ,એટલે તે મોટા મોટા આગળ પડતા માણસો હોય .એને ઘરે જઈને ભવાઈ જોવા બોલાવી લાવે કેમકે આવા લોકો વધારે પૈસા આપતા હોય છે.ભવાયાનો ખેલ જોવાની ટિકિટ હોતી નથી .લોકો પોતાના મોભા પ્રમાણે પૈસા આપતા હોય છે .ભવાયાઓ એ  રમતાં પહેલાં ગામના આગેવાન મુખી જેવાની પરવાનગી લેવી જરુરી હોય છે .દેશીંગામાં  રમવા આવે  ત્યારે દરબારની પરવાનગી લ્યે .મોટા દરબાર મુજ્ફ્ફરખા ભવાયા જોવા પણ નો જાય અને એની પરવાનગીની જરૂર નહિ ,એમના દિકરા નવરંગખાં  ભવાયા જોવા બહુ ઠાઠથી જાય ,અને રમવાની પરવાનગી પણ ખુશી થઈને આપે .ભવાયા રમવા આવે ત્યારે પટેલોને ઘરે અકેક ભવાયો જાય અને પોતે આજે તમારે ત્યાં જમવા આવશે એવું કહી આવે .પછી બાપુને કહે કે બાપુ મુજરો જોવા પધારજો .એટલે કે રાતના મુખ્ય રમત કરતાં પહેલાં સૂર્યાસ્ત થતાં પહેલાં બાપુના બગીચામાં કે કોઈ ખેડૂતની વાડીએ નાનકડો તમાશો કરે .ટોળીમાં એક વિદુષક જેવું કામ કરતો હોય એને ડાગલો કહેવાય .ડાગલો આખે શરીરે રાખ ચોપડી .ભીંડીના રેસાની જટા બનાવી લંગોટી વાળી મુજરા વાળી જગ્યાએ પલાંઠી વાળી બેસે બાપુ અને બીજા બે ચાર માણસો જોવા આવ્યા હોય .ટોળીનો એક માણસ સાધુ વેશધારી ડાગલા પાસે આવે અને ભાંગેલી હિન્દીમાં બોલે ,બાપુ એક માજી  આઈ હૈ ઉસકો ઉસ્કે બેતેને ઘરસે નિકાલ દિ હૈ .બિચારી ચલ નહીં સકતી બહરી ઓર અંધી ભી હૈ .ગામ લોક ઉસ્કા ખર્ચ ભુગત લેંગે .સિર્ફ ઉસકો આશરાકી જરૂર હૈ ,આપ યહાં રખલો .   બાવો કહે બેટે મેરી પાસ જગા કહાં હૈ,યે તુલસી છોડ એ ભગવાનકી મુર્તિયા  મેરી પુસ્તકે .મેરે બરતન એ સબ કહા રખું .તો વો  ડોસીકે લીએ મેરે પાસ જગા નહીં હૈ .થોડીવારે એક બીજો માણસ આવે અને કહે ,બાપુ એક કવારી લડકી માબાપકા ઘર છોડકે  ભાગ નીકલી હૈ ,એ અઠારા સાલકી લડકીકો આશરાકી જરૂર હૈ , વો બિચારી કહાં જાય ,એટલે બો બોલે અરે બીચારીકો યહાં લે આવો ત્યારે ઓલો માનસ બોલે બાપુ યહાં આપકે પાસ જગા કહા હૈ ? અરે બેટે ઉસકે લીએ  મૈ જગા કરુંગા એ તુલસી છોડ  પતેલકી બાડીમે જયગા એ મુર્તિયા  ગાંવ કે  મંદરમેં  ભેજ દુંગા ઓર દૂસરી ચીજે મેં ઇધર ઉધર કરકે જગ્યા કર ડાલુંગા .

પછી વાળુ પાણી કરીને ખેલ ચાલુ થાય ,એક માણસ હાથમાં દિવો લઈને ખોટે ખોટા મંત્ર બોલીને રમવાના સ્થળે ચક્કર લગાવે .અને કહે કે હવે અમારા ઉપર કોઈનો જાદુ નહીં ચાલે પછી તબલાં વાળો તબલાં વગાડે . ડાગલો  કહે આ અવાજમાં  તબલાં “ઘેલ સફા  ઘેલસફા “એમ કહે છે.પછી સિતાર વાળો સિતાર વગાડે “કુન કુન ” પછી આરતી વાળો બોલે “આ આ આ આ “પછી  ડાગલો  કહે આબધા ઘેલ સફા છે જે અમારો ખેલ જોવા આવ્યા છે.એ અને એક માણસ જોનારાઓ વચ્ચે ફરતો હોય ,અને લોકોને ફુલાવી ફુલાવીને ,પૈસા કઢાવતો હોય .અને કોઈ પૈસા આપે એટલે મોટા અવાજે બોલે આ  તાતીયા  ટોપે બાપુના પાંચ રૂપિયા ,હેઈ ખરાં .ભૈર ભૈર બહુચર માતકી જે

દેશીંગામાં   ભવાયા  રમતાતા  ત્યારે હરિશંકર  ભાઈ જોવા નોતા  ગયા એ કોઈ દિવસ ભવાયા જોવા જાય નહીં કેમકે પોતે વહીવટદાર એટલે પૈસા વધારે આપવા પડે .અમારા ગામનો બેચર નારણ, હરિશંકર ભાઈ   એની ઓફિસમાં ઉંઘતા હતા ત્યાં આવ્યો અને ખાટલાની પાંગત ઉપર બેસી ઉઠાડવા  માંડયો .ભાઈ ,ભાઈ , જોવા પધારો  શું શું ખેલ ચાલુ છે ઝંડા ઝૂલણના,  પુરબીયાના ,બરાબર ખેલની જમાવટ છે.હરિ શંકર ભાઈને ખબર પડી  ગઈ કે બેચર મને ઉઠાડી રહ્યો છે. એટલે ખોટે ખોટાં નાખોડાં  જોરથી બોલાવવા લાગ્યા .એટલે બેચરે હરિ શંકર ભાઈના પગનો અંગુઠો દબાવ્યો .હરિશંકર ભાઈને થયું કે આ લપ મને ઉંઘવા નહીં દ્યે .એટલે હરિશંકર ભાઈ ઝડપથી બેઠા થઇ જોરથી એક થપ્પડ બેચરને મારી અને બેચરને ખાટલાથી નીચે પાડી દિધો .નીચે પડ્યો પડ્યો બેચર ભાઈ હું બેચર અરે બેચરભાઈ તમે ?હરિશંકર ભાઈ કહે મને એવું ભયંકર સ્વપ્નું હતું કે મને એમ થયું કે મને ભૂત વળગ્યું છે એટલે મારાથી તમાચો મારી ગયો .પણ બાપુ એવો જોરથી વાગ્યો કે મારા ત્રણ ગામના મોરલા બોલી ગ્યા .

વરસાદ ગાજે કે બંધુક ફૂટે તેનો અવાજ સાંભળી મોરલા બોલતા હોય છે .પણ બેચારને થપ્પડ વાગી એનો અવાજ ત્રણ ગામના મોરલાઓએ  સાંભળીયો.

હવે એવા  ભવાઈના વેષ કરનારા જતા રહ્યા .ભવાયા જોક પણ કહે ગીતો ,પણ ગાઈ જાતિ ઓની મશ્કરી પણ કરે ,છતાં કોઈ દુઃખ નો લગાડે .કેટલાક નમુના હું આપને કહું છું .વાગડ સગું ન ધારીએ દેખાવે  વિકરાળ .આપણ જાએ એક બે ઈ આવે દસ બાર .===ગરાસીયા રાણા કેમ કેવાણા આગળ ઓટા પાઘડ બાંધે સૌ થી મોટા પણ મનના ખોટા . ડાગલા ને કહે આયા કણે દરબારુના બેસણા છે .પટેલ બાપા હોકો ગડગડાવતા બેઠા છે .કંઈ વગર વિચાર્યું નો બોલતો .ડાગલો કહે નહિ બોલું .પછી એવું બોલેકે જુવાન ઘાલે ઉભાં ઉભાં  ઘરડો ઘાલે બેસી બે આંગળીએ પોળી કરે તો ઝટ જાય પેસી .એલા આ ભૂંડું નથી  .જુવાન માણસ જોડા પહેરેતો ઉભો ઉભોજ જોડામાં પગ ઘાલીને પહેરી લ્યે પણ ઘરડો માણસ નીચે બેસી બે આંગળીઓ વતી જોડો પહોળો કરીને પગ જોડામાં ઘાલે , ઉભાં ઉભાં ઘમ ઘમાવી પછી વાળી વાંકી રસ કસ કાઢી લીધો પછી દિધી ઢાંકિ   આ છાશ  વલોણાં ની ઉક્તી .સોરાષ્ટ્રમાં બેનો છાશ ઉભાં ઉભાં ફેરવે છે.જયારે પંજાબમાં બેનો બેઠા બેઠાં  છાશ વલોવતી હોય છે .ડાગલો કોઈ વખત ઉર્દુ શેર પણ કહેતો હોય છે

एक माहे ज़बीं को ज़ख्म हुवा मरहम लगाने हम गए   वोतो अच्छी हो गई लेकिन मर   हम  गए

रकिबके साथ शादी करने वालि माशूक़का दर्दे दिल आशिक़

तुझे सफाई की चीठ्ठीकी ज़रूरत ,मुझे भी सफाई की चिठ्ठीकी ज़रूरत

निकाह और जनाज़ा

शादी और जनाज़ेका  फरक

फ़रक सिर्फ इतनासा था तेरी डोली उठी मेरी मैयत उठी .फूल तुझ परभी बरसे फूल मुझ पर भी बरसे

फर्क सिर्फ इतनासा था .तु सज गई मुझे सजाया गया. तुभी घरसे चली मै भी घरसे चला

फ़र्क सिर्फ  इतनासा था तू उठ के गई मुझे उठाया गया .मेहफिल वहां भी थी लोग यहाँ भी थे

फर्क सिर्फ इतनासा था उनका हसना वहां इनका रोना यहाँ क़ाज़ी उधरभी था मोलवी इधरभी था

फर्क सिर्फ इतनासा था दोबोल तेरे पढ़े दो बोल मेरे पढ़े  तेरा निकाह पढ़ा मेरा नमाजे जनाज़ा पढ़ा

फर्क सिर्फ इतनासा था तुझे अपनाया गया मुझे छोड़ा गया

सुनाने वाले सबको सुनाना चाहते है ,अगर ना मिला कोई गधेको सुनाते है

અમેરિકાના ફિનિક્ષ શહેરમાં એક જુવાનનો બાપ ભારત્તથી ઘણી વખત પોતાના દિકરાને મળવા આવે .તેને ગાવાનો શોખ હતો .અને પોતે કવિ છે ,એવું પણ લોકોને તે કહેતો ફરે ,ફિનિક્ષમાં ભારતના લોકોની માલિકીનો એક વિશાળ હોલ છે .હપ્તામાં એક વખત વડીલો (ભાઈઓ અને બહેનો) ભેગાં થાય ,વાતો ચિતો કરે ગીતો વગેરે ગાય અને આનંદ કરે.અહિ ઓલા ભારત વાળા ભાઈ આવે એણે સૌ સિનિયરોને વાત કરીકે હું ભજનો,ગીતો ગાઉ છું .અને હું કવિ છું એટલે કવિતાઓ બનાવી પણ જાણું છું .એક વખત એક વડિલે ગીત ગાયું તેનો અવાજ ઘેરો અને બુલંદ હતો .ભારત વાળા  ભાઈનું નામ હું ભુલી ગયો છું .એટલે આપણે એને પુંજા ભાઈ કહીશું . પુંજા ભાઈનો અવાજ ઝીણો હતો .બુલંદ અવાજ વાળો  ગાઈ ત્યારે જોરદાર  તાળીયુ પડે .પુંજા ભાઈ ગાઈ ત્યારે લોકો બહુ ધ્યાન નો આપે અને તાળીયુ પણ બહુ નો પાડે ,પુંજાભાઈને થયું કે આ માણસ જોરથી ગાઈ છે .માટે એ અવાજ પહાડી છે ,એવું વિચારી પુંજાભાઈએ જોર જોરથી ગાવાની પ્રેક્ટીસ ચાલુ કરી .કોઈકે તેમને સમજાવ્યા કે પુંજાભાઈ  અવાજ,,ઉંચાઇ પહોળાઈ  રૂપ રંગ , એ બધું ભગવાનની ભેટ છે .લતા મંગેશકરનો  અવાજ મન મોહક છે .આવો સરસ અવાજ શિખવા માટે એ કોઈ કોલેજમાં ભણવા નથી ગઈ. એનો અવાજ એ કુદરતી બક્ષીસ છે .   પણ પુંજા ભાઈને એ શાણા માણસની વાત ગળે ઉતરી નહિ .એમણે તો જોર જોરથી ગાવાની પ્રેક્ટીસ ચાલુજ રાખી.પછીતો એ ચિત્તભ્રમ થઈ ગયા ,જે કોઈ માણસ એમને ઉભા રાખી ગાવાનું  સંભળાવ વાનું ચાલુ કરી દ્યે .એક દિવસ અમદાવાદના લો ગાર્ડન પાસે સુરેશ દાની જેવા સજ્જન ને અચાનક   મળી ગયા .સુરેશદાનીને  અને પુંજાભાઈને  વરશો જુની ઓળખાણ પુંજાભાઈ તો સુરેશદાનીને જોઈ નાચવા માંડ્યા .અને બોલ્યા .એલા સુરેશ ઉભો રહે તુને હું એક ભજન સંભળાવું .બળિયાબાપજી નું છે .હમણાજ તાજેતરમાંજ રચ્યું છે .સુરેશદાની બહુ ઉતાવળમાં હતા પણ જુના મિત્રનું માન રાખી ઉભારહ્યા .સુરેશ કહે ટૂંકમાં પતાવજો મારે એક ભાઈની સ્મશાન યાત્રામાં જાવાનું છે .પુંજા ભાઈએ પુછ્યું શું બિમારી હતી સુરેશ કહે આમતો તેને ખાસ કોઈ રોગ નોતો પણ તેમને મોટેથી ગાવાની ટેવ હતી .ડોકટરે નિદાન કરેલું અને  કિધેલું કે એના ફેફસાં થાકી ગયાં હતાં .એની વાત સાંભળી પુંજા ભાઈએ તો રાગડા તાણીને ગાવાનું શરુ કર્યું .સુરેશે પુંજાભાઈને કીધું ટૂંકમાં પતાવજો ,કેમકે મારે પછી મોડું થઈ જશે પુંજા ભાઈ કહે બહુ લાંબુ નથી .ફક્ત વીસજ કડીયુંનું  છે.કોઈ સજ્જને કહ્યું કે ભાઈ તમે લો ગાર્ડનની અંદર બાંકડા ઉપર બેસીને ગાઓ તમારો કર્કશ સાંભળવાને લીધે લોકો મોટરના હોર્ન નથી સાંભળી શકતા એટલે કદાચ એક્સીડેન્ટ થઈ જશે .પછી પુંજાભાઈ અને સુરેશભાઈ બંને જણા લોગાર્ડન  ની અંદર ગયા .અને પુંજાભાઈએ લલકાર્યું ,થોડે દુર એક પ્રેમી યુગલ બેઠું હતું તે ઉઠીને હાલતું થયું .પુંજાભાઈ કહે કેમ જાઓછો .આ ભજન પુરું થશે એટલે હું તમારા માટે ખાસ આશિક માશૂકની ગજલ સંભળાવિશ બહુ લાંબી નથી સત્તરજ કડીની છે.આમ વાતો થતી હતી .એટલામાં એક ભાઈ આવ્યો અને સુરેશભાઈને કહે ચાલો ઉઠો સ્મશાન યાત્રામાં જવા માટે બધા તમારી વાટ જોઈ રહ્યા છે .સુરેશભાઈએ પુંજા ભાઈની રજા લીધી અને જવા રવાના થયા.એટલે પુંજાભાઈ કહે આ ભાઈ જે તમને બોલાવવા આવ્યા છે .એને પણ કહો કે તે પણ ભજન ભલે સાંભળે બહુ સરસ ભજન છે .ભાઈ અમારાથી તમારું ભજન સાંભળવા  નહિ રોકાવાય એમ કહી સુરેશભાઈ અને તેમને બોલવ વા આવેલો માણસ ચાલવા માંડ્યા .તો તેની પાછળ જઈને પુંજાભાઈએ ગાવાનું ચાલુ એટલે સુરેશભાઈ અને તેને બોલવવા આવેલો માણસ દોડવા માંડ્યા .એટલામાં પુંજાએક બિમાર ગધેડાને ઉભેલો જોયો તેને પુંજા  ભાઈએ પૂછ્યું .ભાઈ તું મારું ભજન સાંભળીશ .?ગધેડાએ માખી ઉડાડવા માથું નીચું .  કર્યું .અને પુંજાભાઈએ ગાવાનું શરુ કર્યું .પુંજા ભાઈને થયું કે માણસો કરતાં પશુને મારા ગીતની વધુ કદર છે ,પુંજાભાઈએ ગીત ગાવાનું શરુ કર્યું .અને  ગધેડો ભડકીને ભાગ્યો .પુંજા ભાઈને થયું કે મારા ભજનમાં બિમારને સારા કરવાની શક્તિ છે.सुनाने वाले सबको सुनाना चाहते है .अगर न मिला कोई गध्धेको  सुनाते है .खुदा हाफिज

કવિઓના ભેજાની નિપજ

આજે હું કવિશ્વરોના  ભેજાં  લોકોના  ભેજાં માં કેવું કેવું  ઘુસાડી દ્યે છે .એની વાત કહીશ .એક ભજન છે .એમાં બધા  ગપ્પાંજ છે .”શક્કર ખોરનું સાકર જીવન ખરનાં પ્રાણ જ  હરે “પરમેશ્વરે પ્રાણીઓનું સર્જન કર્યું .એના માટે ખોરાક પણ પરમેશ્વરેજ બનાવ્યો છે.(હવે હું થોડું હિન્દી લખું છું .શીખ્વામાટે )हिंदी लखु छू આનો અર્થ એ થયોકે સક્કરખોર પ્રાણીનું સર્જન  માણસેજ કર્યું છે.બીજું સિહણનું દૂધ હોય તે સિહણનાં બચ્ચાં નેજ પચી શકે ,અને સિહણ ને દોવા માટે સોનાંનું  વાસણ જોઈએ ,બીજી ધાતુના વાસણમાં દુવો તો દૂધ વાસણ ફોડીને બહાર નીકળી જાય ,હવે ક્યા કવિએ સિહણને દોઈને એનાં છોકરાંને   પીવડાવીને ખાતરી કરી હશે એતો રામ જાણે .રાવણને દસ  મસ્તક હતા અને વીસ હાથ હતા .આખું શહેર લંકા સોનાનું હતું ,મને લાગેછેકે એણે લંકા લોઢાની બનાવી હશે .અને પછી પારસમણી અડાડ્યો હશે.તોય સવાલ એ થાય કે આટલું બધું લોઢું તે ક્યાંથી લાવ્યો હશે.બીજી વાત એકે રાવણે નવ ગ્રહોને આકાશમાંથી ઉપાડી લાવીને પોતાને  પલંગ સાથે બાંધી દીધેલા ,રાવણ ઈન્દ્ર દેવને કહે એટલે રાવણ કહે ઈ ઠેકાણે વરસવું પડે ,એક વખત મેં અશોક મોઢ વાડિયાને એક દુહો લખ્યો કે અને એ દુહો પાછો મેં કબીર સાહેબના નામે ચડાવી દીધો .દુહો આ પ્રમાણે હતો . સાંઢયો   આંકડો ખાય નઈ મીંદડી ખાય નહીં ખીર સોરઠિયો ગાળ્યુ ખાય નઈ  ઈં કેતો  ગો કબીર ,અશોકે મારા ઉપર ભરોસો નો કર્યો ,કેમકે ઈને ખબર છેકે  આતા ભલે  આછા પાતરાપણ  કવિ તો છેજ . એટલે એણે  જાતે મીંદડી ને  ખીર ખવડાવી જોઈ મીંદડી એક ટોપડી (તપેલું )ખીર ખાઈ ગઈ ,કંઈ ઉલટી થઇ નહીં એતો ઓડકાર ખાયને ઇના બોગન વેલીયાને   છાંયે આરામ કરવા જતી રહી  ..

નાગને માથે  મણી  હોય  આ મણી જેની પાસે હોય એને સમુદ્ર પણ પોતાની અંદર જવા માટે રસ્તો કરી આપે .રાજા નંદ પાસે મણી હતો ,આ પૃથ્વીને શેષ નાગે પોતાના માથા ઉપર ધરી  રાખી છે .ભાવનગર શહેર વસાવવા માટે જમીનમાં ખીલ્લો  ખોડયો .ભાવસિંહ મહારાજના  કુલ્ગુરુએ   કીધું કે બાપુ ખીલો બરાબર શેષનાગના  માથા ઉપર ગયો છે.બાપુ એ કીધું કે શેષનાગના  માથા ઉપર ગયો છે .એની ખાતરી શી ?ગોરબાપાએ કીધું કે ખીલો ખેંચીને જોઈ જુવો ખીલો ખેચી જોયો તો એ  લોહી વાળો હતો .આવીજ બરાબર આવીજ વાત જામનગર વસાવવા બાબતની છે.શિવના મસ્તક ઉપર ચંદ્ર રહે છે.એ ચંદ્ર આ ચન્દ્ર છે જે આકાશમાં દેખાય છે કે પછી કોઈ બીજો એની માસીનો દીકરો છે.?પાછા કવિઓ એવું કહે છેકે આખો ચંદ્ર અમૃતથી છલોછલ ભરેલો છે.નાગને સંગીત બહુ પ્રિય છે.મોરલી નાદે નાગ ડોલવા લાગે ,દેશીંગામાં  હું નાનો હતો ત્યારે એક  વાદી આવેલો,   મારા ગામના એક પટેલ મને કહેતા  હતા કે આ વાદી લોકો મોરલી વગાડે એટલે એનો અવાજ સાંભળી નાગ જ્યાં હોય ત્યાંથી આવી જાય .પછી આ વાડી લોકો મંત્ર મારે એટલે નાગ કાબુમાં આવીજાય પછી એ એને પકડીને એને કન્દીયાસ્માં પૂરી દ્યે મેં એ પટેલને કીધું કે આ વાદી નાગને છુટ્ટો મૂકી દ્યે અને પછી મોરલી વગાડે .અને જો એ નાગ મોરલી સાંભળીને નજીક આવે તો હું એને સો રૂપિયા આપું .અને ન આવે તો ગયો ઈ ગયો ઈને પકડવો નહિ . વાદી કહે   બાપુ મોરલી નાદને અને નાગને કઈ લેવા દેવા નથી .પટેલ  વાદીને કહે તું છુટ્ટો મુકીતો જો  હેમત ભાઈને ખાતરી થઇ જાય .  વાદીને   મેં કીધુકે નાગને છુટ્ટો મુક્યા પછી તું એને પકડતો નહિ .પટેલનું  માન  રાખી  નાગને છુટ્ટો  મુક્યો અને મેં વાદીને પાછો લેવા નો દીધો .અને મેં સહુ જુવે એમ પકડીને ધુધવી (નદી)ને કાંઠે મૂકી આવ્યો .એક નાગનો દુહો —-

નાગડા નીહરને બાર રાફડીએ કીં રૂંધાઇ રહ્યો ,તુને મારશું મોરાલીયુંના માર  તો તારી નાડ્યું તૂટશે  નાગડા

હાલી હાલીને મારા પગડા તરવાણા જો

એક લોક ગીત છે .એ કદાચ આપે  સાંભળીયું હશે.પણ એ કરુણ  લોકગીતની કથા નહીં સાંભળી હોય ,તો ચાલો હું આજ આપને એ કથા કહું છું .

કચ્છનો જાડેજા ગરાસિયો ભાઈઓના કંકાસથી અને ભાભીઓના મેણાં ટોણાં થી કંટાળી ,કુટુંબ ,ગામ ,અને વહાલા વતન કચ્છડાને છોડી ભાગી નીકળ્યો .અને કચ્છનું રણ વટાવી ગુજરાતમાં ઉતરી આવ્યો .પેટનો ખાડો પુરવા શું કરવું એ માટે એની પાસે કોઈ કસબ નથી .બસ ખાવું પીવું અને પનિહારી નિરખતા  રખડવું .આ સિવાય એણે કંઈ કરેલું નથી ,અને આવડતું પણ નથી .પોતે અલમસ્ત કુંવારો ,ફુટરો જુવાન છે .ગુજરાતના સુખી ખેડૂત  પટેલોને ખેતી કામ માટે મદદગારની  અવાર નવાર જરૂર રહે .પણ વટનો કટકો કચ્છી જાડેજો ,પટેલને પોતાની વસ્તી સમજે એને ત્યાં મરી જાય પણ નોકરી નો કરે ,ઓલી કહેવત  છે કે  “લાંઘણ કરેતો દસકરે ભોજન કરેતો માંસ, ટાંટિયા ઘસી મરી જાય પણ સાવઝ ન ખાય ઘાસ “આખરે મહા મહેનતે કોઈ રાઓલ ચાવડા ગરાસિયાને ત્યાં ખેતી કરવા માટેની તેને નોકરી મળી ગઈ .તેની બોલચાલ  વર્તણુંક ઉપરથી રાઓલને ખબર પડી ગએલી કે આ જુવાન કચ્છી જાડેજો છે.રાઓલને એક ભર જુવાન દિકરી છે.ગરસિયાઓના રિવાજ પ્રમાણે ઘર બહાર બહુ નીકળાતું નથી .નજીકનો માબાપ પક્ષનો કોઈ પુરુષ હોયતો તેની સાથે વાત ચિત કરે પણ મર્યાદામાં રહીને .દિકરીની જાડેજા જુવાન સાથે આંખ મળી ગઈ .ઉર્દુમાં કહેવાયું છેકે जो है परदेमे पिन्हा  चश्मे बिना देख लेती है ,जमानेकी तबीयतका तकाजः देख लेती है  छोकरिनु जाडेजा प्रत्येनु  दिवसे दिवसे आकर्षण  वधतु  चाल्यु .कोई कोई वार रातना सहु उन्घी गया होय त्यारे एकान्तमा मलवा  लाग्या ,प्रेमने जाति, धर्म ,उमरनो भेद ,,रूप रंगनो भेद.कई नाडू नथी .ज्यारे छोकरी जुवानने मले  त्यारे जुवान पोताना कुटुंबनी   डंफआंस  मारे प्रेमांध ,अने अभन छोकरी आ बड़ाई खोर जाडेजा नी बधी वातो साची माने नक्की कर्या मुजब छोकरी आ जड़ेजा साथे हाली निकली जदेजाए एम् किधेलु के कच्छ बहु दूर नथी .सांजे आपने घरे पहोंची  जाई शु .पण बे त्रण रातो विती पण कच्छ आवयो नहीं.पछि छोकरीने  खबर पड़ी गई के आ जदेजो गपोड़ी छे .मने इ छेतरे छे.पछी छोकरिए  गीत ऊपाड्यू  .हवे तमे लोक कविनी   कमाल जुवो .

हाली हालीने  मारा पगड़ा तरवाना जो तोये न आव्यो तारो देशरे गरासिया चेतारिने लाव्योजो ,पछी जुवान आ भोली छोकरिने कहे छे .लालच आपे छे.के आघेरिजो हाल्य तो तूने जुमना घडावी दैउ .छोकरी कहे छे जुमना नि पहेरनार  हु नै गरासिया छेतरिने लाव्यो जो वली जुवान लालच आपे छे के आघेरी जो हाल्य तो तुने पालखी मंगावी दैउ .पालखिनी बेसनार हु नै गरासिया छेतरीने लाव्यो जो     छेवटे  छोकरी थाकिने भूखी तरसी मरी जाय  छे.पछी गरसियो चोधार आँसुए रॉय पड़े छे।के कादवना कटका निर्जल नोखा थ्या पण फट रे मुजा फूटल हैया साजन जाता एकं रह्या ..===कम्पुतरे मने दगो दिधो मने पुरु लखवा नो दिधु इ  माटे  वहाला वाचक मित्रो मने क्षमा करजो