Monthly Archives: મે 2015

તમાકુ ખાનારાને જાહેરમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવતો

DSCN0165

ये है जूलियस सीज़रकी साली  . बहुतसे  नखरे करने वाली
अकेली रातको रहने वाली   ,छोटी ककड़ी खाने वाली
फिरभी  पेट है उसका खाली  , पिलाती आबे  इशरत प्याली
सबका तोबा तोड़ने वाली  , बातों  है उसकी निराली
तिरछी आँख लड़ाने वाली   . मुझसे शादी करने वाली
आताइने  गले लगाली  ,येहै जूलियस सीज़रकी साली   .

તમાકુ
ખાનારાને જાહેરમાં
ગધેડા પર બેસાડી
ફેરવવામાં આવતો
મોગલ
બાદશાહ જહાંગીરના
રાજમાં
આજે
તમાકુ આવક રળી આપતી
હોવાથી કાયદા અને
નિયમોમાં છીંડા
રાખવામાં આવે છે
તમાકુના
સેવનથી દુનિયામાં દર ૬
સેકન્ડે એક માણસ
મુત્યું પામે છે

અમદાવાદ, તા.૩૦

આજે ૩૧ મે વિશ્વ તમાકુ
વિરોધ્ધી દિવસ તરીકે
ઉજવાય છે. સરકારી રાહે
તમાકુનો ઉપર છલ્લો
વિરોધ્ધ કરવા માટે
કાયદાઓ અને નિયમો ઘડીને
તેમાં છીંડા
રાખવામાં આવે છે કારણ
કે તમાકુ એ મોટી આવક રળી
આપે છે, પરંતુ ભારતમાં
પોર્ટુગિઝો દ્વારા
લાવવામાં આવેલી
તમાકુના સેવન પર મોગલ
બાદશાહ જહાંગીરે
ઇસ ૧૬૧૭માં પ્રતિબંધ
મુકયો હતો. એટલું જ નહી
તમાકુ ખાનારાઓનું મોં
કાળું
કરીને ગધેડા પર
બેસાડીને નગરમાં
ફેરવવામાં આવતો હતો. આ
પ્રતિબંધ ડેકકન
પ્રદેશ, ગુજરાત અને
ઉત્તરભારતમાં એક સરખો
લાગુ પડતો હતો જો કે ઘણા
ઇતિહાસકારો માને છે કે
જહાંગીરને શરાબની ટેવ
હતી પરંતુ રાજપાટ
સંભાળ્યા પછી
તમાકુ અને શરાબ બાબતે
સખ્ત વલણ અપનાવ્યું
હતું. જહાંગીરના
જમાનામાં ભારત
આવનારા અંગ્રેજ યાત્રી
એડવર્ડ ચેરીના મત મુજબ
ભારતમાં એકાંતમાં
મદિરાપાન પર
પ્રતિબંધ હતો.

ભારતમાં ૨૫ કરોડ લોકો
બેરોક ટોક તમાકુનું
વ્યસન ધરાવે છે

આજે ચીન અને અમેરિકા
પછી તમાકુના
ઉત્પાદનમાં ભારત
દુનિયામાં ત્રીજા
ક્રમે છે. વર્ષે તમાકુ
ઉધોગ ૪૦ હજાર કરોડનો
બિઝનેસ ધરાવે છે.
ભારતમાં આજે
૨૫ કરોડ લોકો બેરોકટોક
રોજ તમાકુનું વ્યસન
ધરાવે છે, જયારે દર
વર્ષે ૮ લાખ
લોકો તમાકુના સેવનથી
મરે છે. આમ જોવા જઇએ તો
ભારતમાં મોગલવંશ પહેલા
તમાકુ
ખવાતી હોય એવો કોઇ જ
ઉલ્લેખ મળતો નથી. જો કે
વ્હાઇટલો આઇન્સ્લીએ
લખેલા
પુસ્તક મેટેરિયા
ઇન્ડિકામાં ભારત તથા
યુરોપમાં વૈદો તમાકુનો
ઔષધ કરીકે પણ
ઉપયોગ થતો હોવાનો
ઉલ્લેખ મળે છે.

ચીનમાં કિંગવંશના
માચુંઓ પણ તમાકુ
-ધુમ્રપાનના વિરોધ્ધી
હતા

તમાકુના સેવનને કોઇ પણ
શાસને પ્રાચિન સમયમાં
પણ સર્મથન આપ્યું નથી.
તેમ
છતાં તેનો આટલો બધો
ફેલાવો કેવી રીતે થયો
તે નવાઇ લાગે તેવી વાત
છે. જેમ કે
એ સમયે તુર્કીમાં જે
ધુમ્રપાન કરે તેના હોઠ
કાપી નાખવામાં આવતા
હતા.
ઇરાનના સમ્રાટો પણ
તમાકુનો ભારે વિરોધ્ધ
કરતા હતા. ચીની સમ્રાટ
ઝોંગઝેને
દેશમાં તમાકુ પર
પ્રતિબંધ લાદયો હતો.
એટલું જ નહી કિંગવંશના
માંચુઓએ પણ
ધુમ્રપ્રાનના વિરોધી
હતા. છેલ્લે જર્મનીમાં
નાઝીઓ એ તો તમાકુ
વિરોધ્ધી
ઝુંબેશ ચલાવી હતી.

તમાકુના ઝેરી તત્વનું
નામ નિકોટીન શા માટે
પડયું ?

પોર્ટુગલમાં
ફ્રાંસિસી રાજદૂત જોહન
નિકોટે પોતાની રાણીને
તમાકુના બીજ
ફ્રાંસ મોકલ્યા હતા. આ
બીજ દ્વારા તમાકુ
વાયા ફ્રાંસ,ઇગ્લેન્ડ
થઇને
યુરોપમાં ફેલાઇ હતી.
બીજ મોકલનાર નિકોટેના
નામને જોડીને
તમાકુનું
વૈજ્ઞાાનિક નામ
નિકોશિયા પડયું છે.
જયારે તેમાં રહેલું
ઝેરનું નામ પણ નિકોટ
પરથી જ નિકોટીન
રાખવામાં આવ્યું છે.
આજે આ નિકોટીનના સેવનથી
દુનિયામાં દર ૬
સેકન્ડે એક માણસ
મુત્યું પામે છે.
ઉપરાંત દુનિયામાં એક
અબજથી વધુ લોકો
ધુમ્રપાન કરે છે.

ભારે સોનુને હુંતો નાજુકડી નાર કેમ કરી બજારે નીકળાય રે લુંટારા પીટીયા મને લુંટી લ્યે રે લોલ

Golden Bride[2]

પ્રિય સ્નેહીઓ   બહેનો અને ભાઈઓ
હું એક કવિતા( રાસડો ) કાલે  “આતાવાણી” માં મુકવાનો  છું  . એની જાણ હું હમણાં લખીને કરી દઉં છું   .થોડી વાર પહેલાં એક જાતની  બી ની બ્રેસલેટ બનાવી અને નવરો પડ્યો એટલે આ રાસડો લખું છું  . એમાં  સોનાના દાગીનાથી  ભરેલી  કેરળ ની યુવતીનો ફોટો મુકીશ  .
ભારે સોનુને હું તો નાજુકડી નાર
કેમ કરી બજારે નીકળાય રે  લુંટારા પિટીયા  મને લુંટી લ્યેરે લોલ 
પાણીણાં  ભરવા  હુંતો સાબરમતી ગઈતી
 વાંઢાએ  વિસલું વગાડી રે। …લુંટારા
પાણી ભરીને હુંતો  ઘેર જ્ટ આવી
વાળાએ હેલ ઉતરાવીરે। …લુંટારા
શીરો પૂરીને મેંતો ભજીયાં બનાવ્યાં
વાલમને  હેતથી  જમાડ્યો રે। …લુંટારા
વાળું કરી વાલામીયે પથારીયું  પાથરી
ઊંધાણાંસોણલાં  સાથ રે। ..લુંટારા
 બોલ્યા  કૂકડ  બોલ્યા કાગડા રે  લોલ
નિંદરડી  તોય નવ ઉડીરે। …લુંટારા
“આતા બાપુ” એ  મને આશીર્વાદ  આપીયા
હુંતો ઇના પગે પડી જાઉં રે   ….લુંટારા 
દુનિયામાં  સોનું ખરીદનાર તરીકે  ભારતનો નમ્બર બીજો છે પહેલો નંબર  મલેશિયા કે એવા કોઈક બીજા દેશનો છે  .આ સોનાના ઘરેણા એના બાપે કરિયાવરમાં લઈ  દીધાં  છે  ભારતમાં તામિલ વગેરે ના સ્ટેટ માં  દીકરીને  ઘરેણા આપવાનો જબરો રીવાજ છે  . એડ લોકોમાં જમણ વારનો બહુ રીવાજ નથી।  મરીમાં મારી બેનને ઘરે તામિલ નાદુમાં ગઈ તી ત્યારે એક લગ્નમાં ગઈ તી તે કહેતી હતી કે આ લોકો લગ્નમાં  દીવાની વાટ પલળે  એટલું પણ ઘી ન વાપરે પણ દીકરીને સોનું ખુબ આપે  .કાહેરો ઈજીપ્ત નાં એક જાતના ક્રીશ્ચીયનોમાં એવો રીવાજ છે કે દીકરીની સગાઈ વહેલી કરી લ્યે પણ જમાઈ પાસે રહેવા માટે પોતાનું ઘર ખાઈપીએ એટલી કમાણી અને અમુક વજનનું  સોનું હોય તોજ  વરરાજો  લાડડી  ભેગો થાય  .રાવણ  ખુબ સોના પ્રેમી હતો   .  આખી લંકાને સોનાની બનાવી નાખેલી  . રામ સાથેના યુદ્ધમાં   રાવણ હાર્યો લંકા રામની થઇ ગએલી  એટલે  લક્ષ્મણે  રામને કીધું ભાઈ    હવે આપણે અહીંજ રહી જઈએ  તે વખતે  રામ બોલ્યા
यद्यपि  सुवर्ण मयी लंका  नाम लक्षमण रोचते
जननी जन्म भूमिश्च  स्वर्गादपि  गरियसि

ek bhajn aapki khdmatme pesh krtaa hu एक भजन आपकी खिदमतमे पेश करता हु। जिसके बोल है “सुभान तेरी “

OmOmये भजन मेने  ब्लॉगमें लिखा है मगर  फिरसे  थोड़ा फेरफार करके लिखता हुँ આ ભજન જુના લોક કવી દાસી જીવણ નાં ભજન “કર મન ભજનનો વેપારજી ” એ ઢાળથી ગઈ શકાશે   . सुभान तेरी क़ुदरत पे क़ुरबानजी  क़ुदरतपे क़ुर्बान  देखि मैंने  सबमे तेरी शान  …सुभान तेरी   १ अजब गजबका देख तमाशा  होगया में हैरानजी अनसरका बना खिलौना  रामने फूंकी जान।   सुभान  तेरी  २ इस दुनियामे जब तू आया भूल गया भगवानजी कुस कपटसे माया बनाके हो गया तू धनवान। …. सुभान  तेरी  ३ रामको बाँदा जब तू भुला सरपे चढ़ा शैतानजी खरा बातो में जा जा करके  हो गया तू हैरान। …सुभन तेरी  ४ बूढ़ा हुवा कमज़ोर हुवा तब सहने पड़े  अपमानजी क़ज़ा आके लेजाएगी जब पड़ा रहा सामान। …सुभन तेरी   ५ पत्नी द्वारा सुत्ने छोड़ा छोड़ चला तेरा प्रान जी रिश्तेदारोंे फिर तुझको भेज दिया श्मशान। ।सुभन तेरी ६ कर साहबकी बंदगी प्यारे  छोड़ तेरा अभिमानजी आला ख्याल रख्खो तुम अपना  करो स्त्रीओका सनमान  …सुभान  तेरी ७ “आताश्री ” ने ये  भजन बनाकर  मनका  किया सनमानजी निजानन्दमे  जीवन बिताया  शुक्र  तेरा भगवान  …।सुभन तेरी  ८

હવે ભાગ#4અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધુંવધારે અને અમેરિકા દેવની આરતી

usa-mapShri-symbol.svgamba

અમેરિકાના મોહમાં  ઘણાં છોકરા  -છોકરીઓ લગ્ન મોડાં કરતાં હોય છે  .જેનું પરિણામ પાછળથી  ભોગવવાનો આરો આવે છે  .દેશમાં જઈને  લગ્ન  કરી આવેલાં છોકરા છોકરીઓને   તેમના પાત્રને અહિ આવતાં પાંચથી છ વર્ષનો  સમય નીકળી જાય છે  . એકતો લગ્ન મોડાં કરે  અને પછી અહીં આવવામાં  પાંચ સાત વરસ બગડે   .પાંત્રીસ છત્રીસ  વરસની ઉમર સુધી તમે પતી –  પત્ની  , હોવા છતાંય  સંસારિક  જીવન  ના શકતા હોય  ,અને જવાનીનો  પોણો  ભાગ  એકલા એકલા વિતાવવો પડે તેથી વધારે યુવાનો  માટે દુ :ખ કયું ?પ્રભુ કૃપાએ જ્યારે આ દેશમાં  બન્ને ભેગાં થાય   તે પછી પણ  સંતાન પ્રાપ્તિ માટે  મોટો સવાલ ઉભો કરે છે  . અહી પતી -પત્ની બન્નેને  નોકરી કર્યા વગર છૂટકો નથી   .  કારણ  કે  એક   જણાનાં  પગાર માંથી અહીના બધા ખર્ચા  નીકળી શકે એવી શક્યતા  બહુ ઓછી છે  . વળી અહી નોકરીઓ  કાયમી ધોરણે  હોતી નથી  ,તેથી આજે હોય  અને કાલે નાં પણ હોય  તેથી બન્ને  જણાં સારી જોબ ન કરતાં હોય  અને ઇન્સ્યુરન્સ  ના કે બીજા કોઈ ફાયદા વાળી જોબ  નાં હોય ત્યાં  સુધી સંતાન  માટે વિચારી શકતા નથી  .સંતાનની પ્રાપ્તિ જેટલી મોદી થાય  તેનાથી તેને  ભણાવવાની  ,પરણાવવાની  કે ઠેકાણે  પાડવાની જવાબદારી  પાછલી ઉમરે ઘણી અઘરી પડે છે  . ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 29 થી 25  વરસની ઉમરની વચ્ચે  તમારા લગ્ન થઇ ગયા હોય તો પચાસથી એકાવન વરસની ઉમરે  તમારું સંતાન  વ્યવસ્થિત રીતે  ઠેકાણે પડી ગયું હોય અને પ્રભુ કૃપાએ  તમે દાદા પણ બની ગયા હોય  સાઈઠ વરસની ઉમરે વીસ વરસના સંતાનના બાપ હોવું  તે સારું  કે પછી એકાવન વરસની ઉમરે  દાદા બની  જવું સારું ?  અમેરિકાએ એક ડોલરના પાંત્રીસ (હવે 65 )રૂપિયા તમને આપીને તમારી પાસેથી ઘણું બધું  છીનવી લીધું છે   . જે અત્યારે તમને નથી દેખાતું  પણ  પાછલી ઉમરે  તમને તમારી જન્મ ભૂમિ  જરૂર યાદ આવશે  આવશે એમાં શંકાને સ્થાન નથી   .
આ દેશની પોતાની સંસ્કૃતિ કે વિચાર ધારા જેવું   કંઈ છેજ નહી  . દુનિયાના દરેક દેશના  દરેક ક્ષેત્રનાં  હોશિયાર અને બુધ્ધિશાળી  માણસોને  ડોલરની લાલચ આપીને  અહી ભેગા કર્યા છે  .અને તેમની હોશિયારી અને આવડત  દ્વારા દુનિયાની મહા સત્તા બનીને બેઠું છે  . અહી વસ્તી ઓછી અને વિસ્તાર  વધારે છે  . તેથી તેની સમૃધ્ધિ  નજરમાં આવે છે  .કોઈ ગુજરાતી બચ્ચો અહીની  આ કુદરતી સંપતિ જોવા નથી  આવ્યો તેનેતો અહી ડોલરના પાંત્રીસ (હવે  પાંસઠ ) દેખાય છે  .એમાંજ બધું સુખ છે કાલે જો ડોલરના રૂપિયા પાંચ થઇ જાય  તો ગુજ્જુ ભાઈ  માતૃભુમી તરફ તુર્તજ રવાના થઇ જાય  ,અહીના ડોલર તથા ભોતિક  સુખોજ  જીવનમાં બધું સુખ આપશે  એમ માનતા હોયતો  ભૂલી જજો   આપણી  માતૃભૂમિના  તહેવારો અને ઉત્સવો  જીવનમાં એક આનંદ  આપે છે  . જ્યારે અહીં  આનંદ ક્યાંથી  મળશે  એ શોધવા  જવું પડે છે  .અહીની મુક્ત  સ્વાતંત્રતાની સામે  માંસ ગુલામ બની ગયો છે  . અહીં પંદર વર્ષનો છોકરો  પોતાના  મા – બાપ સામે  પોલીસમાં ફરિયાદ કરી શકે અહીં તેર વર્ષની બાલિકા   માતા બની શકે  , અહી પાંચ પાંચ  પતિઓને  છુટ્ટા છેડા આપીને  સ્ત્રી છઠ્ઠા પતિની  શોધ કરી શકે  ,અહી બોય ફ્રેન્ડ નાહોય  કે ગર્લ ફ્રેન્ડ નાં હોય  તો પોતાના સંતાનમાં  કૈંક ખામી છે  . એવું માનવામાં આવતું હોય  .તો આ બધી પરિસ્થિતિઓમાંથી
આજે નહીતો  કાલે  તમારે તમારી પત્નીને અને તમારા સંતાનોને  આ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનુંજ છે  . જેવું અન્ન તેવો ઓડકાર અને જેવો દેશ એવો વેશની   અસર   ભલે તમારા ઉપર ન થાય પણ તમારા પછીની કે તે પછીની  પેઢી ઉપર થવાનીજ અને પછી તમે જે  સુખની શોધમાં અહી આવ્યા હતા  તેજ સુખ  તમારા  દુ :ખનું મોટામાં મોટું  કારણ બની જશે  .
મનની શાંતિ અને આધ્યાત્મિક સુખ  એજ જીવનની મોટામાં મોટી મૂડી છે  , જે તમો અહી નહિ મેળવી શકો   . કારણ કે તમારી પાસે  તે સુખ મેળવવા  માટે અહી સમય નથી  . ડોલરની દોડમ  દોડમાં   અને ભોતિક  સુખોના સાધનોની પ્રાપ્તિ  કરવા  તમે થાકી જશો  .પણ જે સુખ અને શાંતિ  મેળવવાની જરૂર છે  તેની તમને  પરવા ચિંતા કશુંજ  નથી  .
મારો દેશ મારી જન્મ ભૂમિ  ભલે ગરીબ   પછાત અને દુ:ખી  છે પણ ત્યાં  મા -બાપ અને સંતાનો  વચ્ચે લાગણી  પ્રેમનું ઝરણું  અને દુ :ખી  તથા પશુ પંખી ઉપર  દયાનો સાગર જે રીતે વહે છે  .એમાંનું  એક બિંદુ પણ અહીં જોવા મળતું નથી  . વધારે પડતી સમૃદ્ધી  હમેંશા  વિનાશ નોતરતી હોય છે  . માટે મારી દૃષ્ટિએ
અમેરિકાએ  ડોલરના પાંત્રીસ (હવે 65 ) આપીને આપણી  પાસેથી  ઘણું બધું    છીનવી લીધું હોય એમ લાગે છે  .આ મારા મોલિક વિચારો છે   . એમ  દિલીપ પરીખ નું માનવું છે  . અને હવે “આતા ” સ્વતંત્રતાની દેવી  જે હડસન નદીના ટાપુમાં  એક હાથમાં  સળગતી મશાલ અને એક હાથમાં  ગ્રંથ લઈને ઉભી છે  . તેની આરતી  ઉતારે છે એ વાંચો  .
आनंद मंगल  करू आरती  जय यु इस इ देवा  भाई जय अमरीकी देवा  आनंद मंगल करू आरती
कोई ठिकाने   गर्मी  ज्यादा  कोई   ठिकाने  ठंडी ज्यादा  तपन सूरज देवा। आनंद  मंगल  करू आरती  १
नदी सरोवर ज़रने ज्यादा  झा देखो   बस  पानी ही पानी    मगर वो पानी मैला   …आनन्द  २
ऐपल सस्ते अनियन महंगा  मुर्गी सस्ती सब्जी महंगा  सस्ता सुखा मेवा          आनंद  ३

इसी मुल्कमे  “आता ” रहता  भारत जानेका नाम  नही देता  करता कंप्यूटर  सेवा  …आनन्द  ४
इस आरतीको जो कोई गावे  मोटरमे फिरता हो जावे  भूले प्रभुकी सेवा
और करे डलरकी  सेवा  आनंद मंगल  करू आरती  ………।५

અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધું વધારે ભાગ #3

1 23

આતાના જુદા જુદા સમયના ફોટા
અમદાવાદમાં પેલાં  ડુંગર્પુરિયા રામલાઓ   મજુરી કરવા આવે  ,અને પછી જ્યારે  દેશમાં જાય ત્યારે  ગુજરી માંથી સસ્તા ભાવનાં બે   , ચાર જોડી કપડાં  ,ખભા ઉપર    ટ્રાનજિસ્તર   , હાથે  ઘડિયાળ  .આંખે ગોગલ્સ  ,ખીસામાં  સિગરેટનું પાકેટ  , .અને ગામડે જઈને  રૂપિયા જે પ્રમાણેના  વાપરે  તે  જોઇને  ગામડાના ભલા ભોળા અને ગરીબો ઉપર  જે પ્રભાવ પડે  તેવો પ્રભાવ  અહીંથી  અમેરિકાથી  દેશમાં જતા અહીના લોકો દેશ વાસીઓ ઉપર પાડવાનો પ્રયાસ કરે છે  .અને તેથી બિચારા  દેશ વાસીઓ અંજાય જાય છે  .અને અમેરિકા આવવાનો મોહ  વ્ધ્તોજ જાય છે  . લોકો દેવું  કરીને  દસ લાખ રૂપિયા  પણ ખર્ચવા  તૈયાર થતા હોય છે  .અને સાપે છછુંદર ગળ્યા  જેવી પરિસ્થિતિ પણ અનુભવતા હોય છે  . જોબ કરુંછું એવું કહેતા  બધાજ મળશે  પણ શેની જોબ કરો છો અને શું કામ કરો છો  .એવું કોઈના પણ  મોંથી  સંભાળવા  નહી મળે  .અહી કામ  ગમેતે પ્રકારનું  કામ કરવામાં શરમ નથી  . એવું કહેવામાં આવે છે  .પણ ખરેખર  વાસ્તવિકતા  મજબુરી ,અને ડોલરના રૂપિયા  ચાલીસ (હવે 65 )આ બધું કરાવે છે  ,આપણાજ દેશમાં  આપણાજ ખેતરોમાં  આટલી મહેનત કરવા  કોઈ તૈયાર થાય છે  ?
પૂછી જુવો તમારા આત્માને  અહી જે પ્રકારની  મહેનત  અને નિયમિતતાથી  જે કામ કરો છો  તેવું કામ  ખેતરોમાં જઈને  મજૂરો સાથે  કર્યું હોત તો  કાચું સોનું પૈદા કરી શક્યા હોત  એમાં શંકાને સ્થાન નથી  .
અહી ડોલર પાછળના ગાંડપણે  માનવીયો માંથી   માનવતા  છીનવી લીધી છે  . અહી  પ્રેમ દયા  , લાગણી કે  સબંધો   બધાની કિમત ડોલરથી  અંકાય છે  . દિલથી નથી અંકાતી  સંતાનો મા બાપ ને  દેશમાંથી અહી બોલાવીને  જાને તેમના ઉપર  અહેસાન કરતા  હોય  તેવો વર્તાવ  કરે છે  . સંતાનો આગળ માબાપો  બિચારાં એટલાં દબાઈ ગએલા હોય છે કે  ઝૂ માં   જીવતા પ્રાણીઓને  તેનો રખેવાળ  જે આપે તે  ખાવાનું જે આપે તે પીવાનું  અને જે કહે તે પ્રમાણે વર્તવાનું   એટલે સમજ જજોકે  તેમની પરિસ્થિતિ  કેવી છે  . કેટલાક ઘરડાઓ  તો વર્ષો સુધી  બિચારા ચા  , બીડી , કે તમાકુના વ્યાસની બની ગયા હોય છે  . જેઓ અહી આવ્યા પછી  વહુઓ અને દીકરાઓ  પોતાના માબાપની  સેવા કરવા નથી બોલાવતા  તેમનો સ્વાર્થ  જ સમાંએલો હોય છે  . પતિ પત્ની બન્ને  જોબ કરતા હોવાથી  તેમના સંતાનોને  બેબી સીટર  માં મુકવા  ન જવું પડે તેનો ખર્ચ પણ વધારે આવે  ,તેના બદલે  મા બાપ  તેમના સંતાનોને  સાચવે  અને  ઘરડાઓને  સરકાર તરફથી મળતી સહાયના  ડોલર અને કુપનો વાપરે અને જલસા કરે  એટલે ઘરડાઓને  તો બિચારાઓને  સરકાર તરફથી  મળતી સહાય  વાપરવાનો  હક્ક પણ નહિ   સંતાનોને સાચવવાની જવાબ દારી ને   લઈને  જ્યારે  વૃધ્ધોને  અહી આવવાનું થાય છે  . ત્યારે દેશ વાસીઓ  સંતાનોના વખાણ કરે છે  .અને કહે છે કે લો  તમે તો નસીબદાર  કે તમારા છોકરાં  તમને અમેરિકા બોલાવે છે  . તમારું ઘડપણ  સુધરી ગયું   .પણ અહી આવ્યા પછી ખબર પડે છે કે  સ્વાર્થી સંતાનોના અમે  બદ નસીબ મા બાપ  છીએ  . કે વરસો સુધી  શારીરિક અને માનસિક  રીતે સ્વતંત્ર જીવેલાં  અમે  દુનિયાની સૌથી  મોટી લોકશાહી  દેશમાં  અમારાજ લોહીના  ગુલામ બનીને જીવી રહ્યા છીએ   .
અહી અમેરિકામાં  પોતાના સંતાનોને  પરણાવવાના મોહમાં  ગ્રીન કાર્ડ કે  સિટીજન શીપનો ગોલ્ડ મેડલ જોઇને માનસિક  શારીરિક  ,હોશિયારી કે આવડત અથવા  ભણતરના ઘણાં  કજોડા પતી પત્ની  જોવા મળે છે  . અહી ભાઈ  ફેકટરીમાં  સામાન્ય જોબ કરતા હોય  અને દેશમાં જઈને  છાપામાં  જાહેરાત આપે કે  અમેરિકામાં સારું કમાતા અને ગ્રીન કાર્ડ ધરાવતા  ઉચ્ચ ખાનદાન  યુવક માટે  ઉચ્ચ ખાનદાનની  દેખાવડી  કોલેજ ડીગ્રી ધરાવતી  છોકરી જોઈએ છે  .અને બન્ને જના જ્યારે   વાસ્તવિક  સામાજિક જીવનમાં પ્રવેશે  ત્યારે  આ બંને વચ્ચેની  અસમ્તુલતા  દ્વારા માનસિક  તેમજ શારીરિક  રીતે  ટેન્શન ભર્યું  જીવન જીવવાનો વારો આવે છે  . આ કજોડાં ફક્ત  અમેરિકાના મોહમાંથી  જ જોવા મળે છે  .અને તેનું પરિણામ લાંબા ગાળે  સુખદ આવતું નથી  . આપણી સંસ્કૃતિ  ભારતીય   એટલે જલ્દીથી  છુટા  છેડા  લેવાનું વિચારતા નથી  .અને બન્ને જણાં  ખરાબ રસ્તે ચડી જવાના  ઘણા કિસ્સા જોવા મળે છે ,આ માનસિક અને શારીરિક  અસમાનતા માંથી  ઘણા બધા પ્રશ્નો  ઉભા થાય છે  , જેનો નિકાલ લાવવો  ઘણો અઘરો થઇ પડે છે  ,  અને તેમના  કોતુંમ્બીક જીવનમાં  રોજ કજિયા  કંકાસ અને ઝઘડાઓ નિત્ય ક્રમ બની જાય છે  . અને જેનાથી હોશિયાર અને દેખાવડો પુરુષ  બીજી  સ્ત્રીની  શોધમાં  કે પછી  સિગારેટ  દારુ મકે બીજા વ્યાસનો પર ચ્ઝાડી જાય છે  , જ્યારે હોશિયાર સ્ત્રી  બીજા પુરુષનો સાથ  શોધવાનો પ્રયત્ન કરતી થઇ જાય છે  . આ અસમાંન્તામાંથી  ઉત્પન્ન થેલી સંતતિ  પ્રત્યે  પણ ઘણી વખત  લાગણી પ્રેમકે  દયા જેવું રહેતું નથી    , અને આ બધું નાં હોય તો   સંતતિનું દયાન  તો ક્યાંથી રાખી શકાય અને  અમુક ઉમર પછી   મા બાપ  જે રસ્તે ગયા છે  તેજ રસ્તે  સંતાન પણ ચઢી જાય છે  , જેથી ઘણી વખત  અમેરિકાના મોહમાં  કરેલાં લગ્નોથી  પસ્તાવાનો પણ વારો આવે છે  .
હવે વધારે  ભાગ # 4  ઉપર વાંચવા કૃપા કરશો    આભાર

ભાગ #2 અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે

ભોતિક સુખોનાં બે સાધનો લાવીને બાળકોને આપી દીધાં  ,તેથી બાળકો ખુશ છે એમ માનવું એ મોટામાં મોટી ભૂલ છે  .
બાળકો પ્રેમ ,લાગણી  ,અને દયાનાં ભૂખ્યાં છે  ,અહી પ્રેમ કરવાનો  જ્યાં પતિ- પત્ની  પાસે સમય નથી   ત્યાં બાળકોને પ્રેમ ક્યાંથી આપી શકે   ,?પ્રેમ ,લાગણી ,દયા ,એ બધા ભગવાને  માનવ જાતને  બક્ષેલ અનમોલ રત્નોના ખજાનાઓ છે  .જે બજારમાંથી  કે મોટા સ્ટોરમાં જઈને ,સેલ દ્વારા કે  ડિસ્કાઉન્ટ  નિ  કુપન  દ્વારા ખરીદી શકાતા નથી  .
બાળક રડતું હોય તો ભલે રડે પણ કુપન કાપવા પહેલું બેસવું  . મા-બાપે  બાળકો માટે જે કરવું જોઈએ એ કરતા નથી   ,અને જ્યારે કરવા જાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે  .ભોતિક સુખોથી ભરપુર આ ધરતી ઉપર સંપતિ પાછળની  ઘેલછાથી સંતતિ  ગુમાવવાનો વારો  મા – બાપને  આવે તેનાથી વધારે બીજું દુ:ખ  કયું  હોઈ શકે ?
બાળપણ એક એવો છોડ છે  જો તેને સમય સર અને માફકસર ખાતર અને પાણી આપશો  તો જવાનીમાં તેનો એવો સરસ વિકાસ થયો હશે  કે જ્યાં સુંદરતા અને સુગંધ આપનારાં પુષ્પો ખીલી ઉઠ્યા હશે  .જો તેને કદાચ એકલું ખાતર કે એકલું પાણી અથવા ખાતરકે  પાણી કશુંજ નહિ આપો તો એ સુકાઈ ગએલ બાવળીયો બનશે  .જે તમને દુ:ખ અને દર્દ સિવાય  કશુંજ નહી આપે   .
આ દેશની લોકશાહી  અને માનવ અધિકાર એટલો બધો મુક્ત છે કે અહી પતિ તેની પત્નીને અને પતિ પત્ની તેના બાળકોને વઢી કે ઠપકો આપી શકે નહિ  .અહી બાળકોને પ્રેમ કરવાનો સમય નથી  .અને વઢવું કે ઠપકો આપવો  એ કાયદાકીય ગુન્હો થતો હોય  તો આ સ્વતંત્ર દેશમાં આપણા
જેવા  બીજા ગુલામ કોણ ?
અહીની સ્વતંત્રતા સ્વ્છાન્દ્તામાં ફેરવાઈ ગઈ છે. અહીનું વાતાવરણ  ,સંજોગો  ,અને પરિસ્થિતિ  પુખ્ત વયના સંતાનો માટે એટલી બધી ખરાબ છે કે જ્યાં  સેક્ષ  ,ડ્રગ  ,& ડ્રીંક  ભરપુર હોવાથી  .સંતાનો  હાથમાંથી  જતા રહેવાના  ચાન્સીસ  વધારેમાં વધારે રહેલા છે  . જે મા -બાપ  નાં સંતાનો અહીના વાતાવરણમાં  પુખ્ત વયના બની ચુક્યા છે  .તેમના જીવન સાથીની પસંદગી કરવાની જવાબદારી તેમના માથે રહીજ નથી  ,અને તેની જવાબદારી માંથી તેઓ મુક્ત બની ચુક્યા છે  .ઘણાં ભારતીય છોકરા છોકરીઓ આંતર જ્ઞાતિઓ કરતાં એક ડગલું વધારે એટલેકે આંતર  રાષ્ટ્રીય  લગ્ન કરતા થઇ ચુક્યા  છે  .જેનો મનથી કે ક્મનથી સ્વીકાર કર્યા વિના છુટકોજ નથી   .
જે સંતાનના ભવિષ્યનાં સુંદર સ્વપ્નાં  જોવા  તમે  અહિ આવ્યા હતા   .તે સંતાન દ્વારાજ તમારી પેઢીનો અહીં અંત આવી જાય છે  .વૃદ્ધાવસ્થામાં  મૂડીનું વ્યાજ એટલેકે સંતાનોના બાળકો ઘણાં વહાલાં લાગતાં હોય છે  .તેમની સાથે રમવાનું અને તેમને રમાડવાનો આનંદ સ્વર્ગ  હોય છે  ,જે તમારાથી છીનવાય જાય છે  .અને તમારાં અરમાનો  આશાઓ  ભાંગીને ભૂકો થઇ જાય છે  .ત્યારે આપણો ગરીબ અને પછાત દેશ  તેની કોટુંબીક   અને સામાજિક વ્યવસ્થામાં
અહીંની ડોલરની ગણતરીમાં ઘણો ઉંચો અને  ગોરવપૂર્ણ   છે  .એમ માન્ય વિના  છૂટકો જ    નથી   ,
ભારતીય સંસ્કૃતિમાં કોટુબીક  અને  સામાજિક  જે નીતિ   નિયમો છે  .તેનો અહીં સદંતર અભાવ છે  . ભોતિક સુખો  સ્વતંત્રતા તથા  માનવ અધિકાર   જે અહીં છે તેનો આપણા દેશમાં અભાવ છે  .બન્નેમાંથી  કયું સુખ સારું  તે તમારા  આત્માને પૂછી જોજો   મનુષ્ય એક સામાજિક પ્રાણી છે  .અને સમજ  તેના માટે જીવન જીવવાનું સાધન છે  ,અહીં સામાજિક જીવન જેવું કશુંજ ન હોવાથી તમે મનુષ્ય છોકે પ્રાણી એ વિચારી  લેજો  .
સારા ડોકટરો  ,એન્જીનીયરો  ,કેમીષ્ટો  કોઈ પણ વિષયના નિષ્ણાતો  ,નાના  મોટો વેપાર કરતા વેપારીયો  , કે  સારી  નોકરી કરતા  થોડા નોકરિયાતોને  બાદ કરતાં  80 % લોકો તમાચો મારીને ગાલ  લાલ રાખી રહ્યા હોય છે  .નાં સહેવાય ના  કોઈને કહેવાય એ રીતે જીવી રહ્યા છે  .દેશમાં પાછા જઈશું તો  લોકો મૂર્ખા ગણશે   ,એના કરતાં અહી પડ્યા રહોem માનીને  પડી રહ્યા છે  .અમેરિકાના મોહમાં દેશમાંથી બધું સમેટીને અહી આવ્યા હોવાથી પાછા જઈને પણ  શું કરવું  તે હિસાબે પાછા પણ જઈ શકાતું નથી  .
વધુ   ભાગ # 3 માં વાંચવા કૃપા કરશો  .

દિલીપ પરીખના સૌજન્યથી આ “અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે “એ લેખ હું લખું છું

20150420_1224042000px-Om.svg

ફોટો #1 મારો ક્યુબામાં જન્મેલો ગ્રેટ ગ્રાંડ સન  આતા જુનીયર (નાના આતા }

અમેરિકાનો visa call  આવ્યો ત્યારે વાંઢાને કન્યાએ લગ્ન કરવાની હા પાડી હોય   ,અને વાંઢાને જે આનંદ થાય  ,તેનાથી અધિક આનંદ મને થયો  .સગપણ કે સગાઈની  વિધિ  પતે નહી  ,ત્યાં સુધી વાંઢાને  ફફડાટ અને ગભરાટ  રહ્યાજ કરે  તેમ જ્યાં સુધી મને વિસા મળે નહી ત્યાં સુધી મારી પરિસ્થિતિ પણ વાંઢાના જેવીજ હતી  .પ્રભુ કૃપાએ  અભિમન્યુના  સાત કોઠા માંથી  પહેલા કોઠામાં  હેમ ખેમ  પાર ઉતરી ગયો  .લગ્નની તિથી સારો દિવસ અને સારું મુહુર્ત  જોઇને અગાઉથી વડીલો નક્કી કરે તેમ અમેરિકા આવવાની તારીખ  અહીના  સગા સબંધીઓ તેમની અનુકુળતા પ્રમાણે જણાવે   .એટલેકે આ ધરતી ઉપર પગ મુકીએ તે પહેલાંજ  તેમની ઈચ્છાઓ અને અનુંકુલતાઓને આધીન થવાની માનસિક તૈયારીઓ સાથેજ પગ મુકવાની  ચેતવણી અગાઉથીજ  મળી ગઈ   ,અમેરિકા આવવાની તારીખ નક્કી થઇ ગઈ   .ઘરના સર્વે  જાણે મારા લગ્નની તૈયારીઓ  તેમ તૈયારીઓમાં લાગી ગયા  ,ગોર મહારાજ  અને રસોઈયાઓ જેમ લગ્નની વિધિમાં અને રસોઈ બનાવવાની  વસ્તુઓનું લીસ્ટ  આપે તેમ અમેરિકાથી સગાં સબંધીઓના પત્રો અને ટેલિફોનો  દ્વારા મારી બન્ને બેગો ભરાય જાય  એટલા લીસ્ટ આવીજ ગયાં
મારો વર ઘોડો નક્કી થએલી તારીખ પ્રમાણે અમદાવાદના  હવાઈ મથકે આવી ગયો  . મા –  બાપે કપાળમાં કંકુના ચાંલ્લા કર્યા  ,મિત્રો તથા સ્નેહીઓએ ગળામાં હાર પહેરાવ્યા
લાડલી બહેનોએ હાથમાં શ્રીફળ  મુક્યું  .જીવનમાં જાણે  હું કોઈ ભવ્ય સફળતા મેળવવા  જતો હોઉં  એવું અનુભવવા લાગ્યો  .લગ્ન વિધિના અંતે દિકરીની વિદાયનું દૃશ્ય  ભલ ભલાને  ઢીલો પાડી દે તેમ બધાયનો પ્રેમ અને લાગણી  જોઇને  મારી  આંખોમાંથી પણ શ્રાવણ  ભાદરવો વરસવા  લાગ્યો  .અંતે વિદાયની નજિક આવી અને હું રડતી આંખે દિકરી જેમ વરરાજાની ગાડીમાં  બેસવા જાય  ,એમ હું  વિમાનમાં  બેસવા જતો રહ્યો   .
વિમાનમાં પહેલી વાર  બેસતો હોવાથી ઘણો રોમાન્સ અને આનંદ અનુભવવા લાગ્યો  . દુનિયાના સૌથી  સમૃદ્ધ અને ધનવાન દેશમાં જઈ રહ્યો હોવાથી  ભવિષ્યનાં સુંદર  સ્વપ્નાં અને  ડોલરના પાંત્રીસ રૂપિયા (દિલીપ પરીખે  લેખ લખ્યો  ત્યારની વાત  હાલ 65 છે  ,)નજર સમક્ષ દેખાવા લાગ્યા  ,વિચારોમાં અને વિચારોમાં મારી મંઝીલ ક્યારે આવી ગઈ  ,એની મને ખબર પણ નાં પડી  , ગરીબ અને પછાત દેશના માણસે ધનવાન દેશની ધરતી ઉપર પગ મુક્યો   ,ત્યારે જાણે સ્વર્ગમાં આવ્યો હોઉં એવી મારી મનોદશા અનુભવવા લાગ્યો  .પ્રાથમિક કાર્યવાહી પતાવીને જ્યારે હું બહાર આવ્યો ત્યારે બધાના હાવ ભાવ અને વહેવાર વર્તનથી  એવું લાગ્યું કે મને આવકારવામાં નથી કોઈના મોં ઉપર આનંદ  ,ઉત્સાહ કે ઉમંગ   .ક્યાં અમદાવાદનું  હવાઈ મથક  કે જ્યાં પ્રેમ અને લાગણી થી આંસુઓની  નદિયોં વહેતી અને ક્યાં આ ન્યુયોર્કનું હવાઈ મથક કે જ્યાં ફક્ત  ઓપચારિકા  કે જ્યાં હાય  , હલ્લો  ,અને બાય  કહીને બધા છુટા પડ્યા  .
નવોઢા નવ દિવસ માટેજ  નવી। .નવી  … વહુ  તરીકે ગણાય  ,પછીતો એના નસીબમાં ઘરનું એજ કામ કાજ  ,સાસુ નણદો નાં  મેણાં ચાલુ થઈજ જાય  .  એમ શરુ શરૂમાં  બધાયનો પ્રેમ  ,લાગણી અને કૃપા જોઇને  આનંદ અનુભવવા લાગ્યો  .પછી જેમ જેમ દિવસો વિતતા  ગયા   .તેમ તેમ સૂચનાઓ  નોટીસો  મળવા માંડી  ,ટૂંક સમયમાં એક એવી નોટીસ મળીકે અહી નોકરી  ,ડ્રાઈવિંગ  ,અને રહેવાની વ્યવસ્થા  બને તેટલી વહેલી જાતે કરી લેવી એ અગત્યની અને જરૂરી  છે  ,પ્રભુ કૃપાએ  જેમ  જેમ દિવસો વિતતા ગયા  ,એમ બધું ઠેકાણે પડતું ગયું અને પછીતો આ અમેરિકાની  મોહ માયા જાળમાં ફસાતાજ ગયા અને ફસાતાજ ગયા   .
આ દેશમાં ઘણી બધી વસ્તુઓ  ઘણી સારી છે  .એનો સ્વીકાર   કર્યા   વગર છૂટકોજ  નથી   ,અહીની વ્યવસ્થા શક્તિ અને કામ કાજ  કરવાની પધ્ધતિ  થા ખાવા પીવાથી માંડી દરેક    ,વસ્તુઓનું શુદ્ધિકરણ   હરવા ફરવાથી માંડીને  જીવન જીવવા માટેની  દરેક  વસ્તુઓની

વસ્તુઓની  સગવડો   ,તથા શરીરની સાચવણી અને માંદગી માટે અપાતી સુવિધાઓ  , આવકાર   દાયક છે   .અહી કોઈ વસ્તુની અછત નહિ  .અને ભાવ ઉપરનું નિયંત્રણ એ સામાન્યમાં સામાન્ય માણસને સારી રીતે જીવવાનું સાધન છે ,તેમાં શંકાને સ્થાન નથી  .બેકાર માણસને પણ સરકાર તરફથી અપાતી રાહત અને લાંચ રુશ્વત  કે ભ્રષ્ટાચાર વિનાનું તંત્ર  એ અહીની નોધ પાત્ર  હકીકત છે  .અહીની કેળવણી અને હોશિયાર  માણસોને  તેમની હોશિયારી દ્વારા  આગળ આવવાની  તકો  જેટલી અહી છે  . તેટલી બીજે ક્યાંય નથી   ,
પણ અમીર અને ધનવાન માણસ કરતાં ,ફકીર અને સાધુ માણસ  ઘણો સુખી હોય છે ,તેમ અહીં આટલી બધી  સુખ સગવડો હોવા ભલે આપનો દેશ  ગરીબ  ,પછાત અને દુ:ખી  છે  ,છતાંય જીવન જીવવાનો  આનંદ અને મોજ મજા  જે ત્યાં છે  ,તેનો એક અંશ પણ અહી નથી  . અને હું  માનું છું  .વધારે  ભોતિક સુખો ભોગવવાની  ભૂખ અને આ ભૂખને સંતોષવા  માટે  ડોલર કમાવાનું  ગાંડપણ  ,પતિ અને પત્ની  બન્ને  માટે  માનસિક અને શારીરિક ટેન્શન ઉભું ક્ર્નાસ્રું  એક સાધન  બની ગયું છે   .પતિ અને પત્ની શોપિંગની  પાછળ  જેટલો સમય કાઢતા હોય છે  .તેના દસમા ભાગનો સમય પણ બાળકો માટે કાઢી  શકતા નથી   .એ મોટામાં મોટું દુ :ખ  છે  . આજે આટલું બસ  વધારે  પછી   .

એક વનમાં સિંહ , શિયાળ , વરુ , વાઘ , ખિસકોલી , ઉંદર , હરણ .વગેરે ઘણાં પ્રાણીઓ વસતાં હતાં .

20150420_12240420150420_122544

કોપિન પહેરેલો  અને બાટલી મારફત  દૂધ પીતો  છોકરો એ જુનીયર આતા છે  . મારા  પછી આ મારો “આતાવાણી” બ્લોગ સંભાળશે આ મારો ગ્રેટ ગ્રાન્ડ સન છે  .હાલ આ ક્યુબામાં   રહે છે એનો જન્મ પણ ક્યુબામાં થએલો છે  .
બીજો ફોટો સોનેરી ફૂલો વાળા ઝાડનો ફોટો  સુપર્ણખા  કરિયાવરમાં લાવેલી છે  .

DSCN1040

એક વનમાં સિંહ   , વાઘ  , વરુ ,શિયાળ  , હરણાં ખિસકોલી  ,  ઉંદર  . વગેરે ઘણા પ્રાણિયો વસતાં હતાં   . ચતુર શિયાળ પોતાનો વનમાં  વટ જમાવવા   ઘણી ચાલાકીથી વરતતી, તે ખિસકોલી જેવાં  નાનાં પ્રાણીઓને  ધમકાવતી  ,  ડરાવતી  ,  અને  સિંહ વાઘ જેવાને   સલામ કરતી  . અને તેઓને ખુબ મસ્કો મારતી  .
એક વખત  સિંહને કંઈ ખાવાનું મળ્યું નહિ  . એટલે એણે એક નાની  ઉંદરડીને  પકડી  . ઉંદરડીએ  સિંહને વિનંતી કરીકે  મને ખાવાથી તમારું પેટ નહિ ભરાય  હુંતો તમારા  દાંત સુધીજ રહી જઈશ  પેટ સુધી તો હું પહોંચીશ
પણ નહિ  .  જો મને તમે જીવિત છોડશો તો કોઈ વખત તમારા હું  કામમાં  આવીશ  .  સિંહે તેને જીવતી જવા દીધી  . કહુલું કોકદી હોય  . એમ સિંહને  ખાવાનું મળી ગયું  .અને બધાં સારાં વાનાં થઇ ગયાં  .
એક સરખા દિવસ સુખના  કોઈના જાતા નથી  . એ ન્યાએ  વનરાજ એક દિવસ એક શિકારીની જાળમાં  ફસાઈ ગયો  .  છૂટવા માટે  સિંહે બહુ  ધમ પછાડા કર્યા પણ  એ જાળમાંથી  છૂટી શક્યો નહિ  .જે ઉંદરડીને સિંહે જીવત દાન  આપેલું  એ ઉંદરડીએ સિંહને ફ્સાએલો   જોયો  .   તે દોડતી સિંહ પાસે ગઈ  ,અને સિંહને કીધું હું તમને  હમણાજ  મુક્ત કરું છું  , એમ  બોલી એ  સિંહ પાસે ગઈ અને  તે ફસાએલો હતો તે   જાળ  પોતાના દાંત વતી કાપીને સિંહને મુક્ત કર્યો  , સિંહે ઉંદરડીનો આભાર માન્યો અને કીધું    મારા  જેવું કંઈ  કામ હોય તો કહે  ઉંદરડી  બોલી આ જંગલમાં  એક શિયાળ છે તે અમારા જેવાં નાનાં પ્રાણીઓને  બહુ હેરાન કરે છે તો તેનો તમે કંઈક બંદોબસ્ત કરો  . સિંહે એ શિયાળને  ગોતી કાઢીને મારી નાખી  . અને નાના પ્રાણીઓને  એ ત્રાસ વાદી શિયાળના  ત્રાસમાંથી  મુક્તિ અપાવી  . શિયાળ જે મોટાઓને મસ્કો મારતું  હતું એ કંઈ કામમાં નો આવ્યું  .

એક વખત વનરાજ કેસરી સિંહને ભક્ષ્ય  ન મળ્યું  . એટલે ene  એક  ઉંદરડીને  ખાવા માટે પકડી  . ગભરાએલી ઉંદરડીએ સિંહને વિનંતી કરી  . મહારાજ  મને તમે ખાઈ જશો  એમાં તમારું પેટ નહી ભરાય  નકામો મારો જીવ જશે।  મને તમે જીવિત છોડી દેશો તો હું  કોઈક વખત તમારા કામમાં આવીશ  .

ઘરડા થયાકે દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા .

પરમેશ્વરના  નિયમો  ધર્મ ,  मजहब , rilijion .જે કહો તે  એમાં મનુષ્યનું  ફેરફાર કરવાનું ગજું નથી  .  પરમેશ્વરે   સ્ત્રી જાતી  . પુરુષ જાતી  વચ્ચે જે આકર્ષણ મુક્યું છે  . એમાં  મનુષ્યે બનાવેલા વાડા ની મજાલ નથી કે ફેરફાર કરે ,એક વાડા નાં પુરુષને  બીજા વાડાની  સ્ત્રી સાથે  આકર્ષણ થયું  . પ્રેમ થયો  આ કારણે સંતતિ ઉત્પન્ન થઇ   . એમાં વાડાની  વાડ  ટકી શકી ખરી   ?એક પુરુષ અખંડ બ્રહ્મચર્ય  વ્રત રાખી ભાગવા પહેરીને સાધુ થયો  . તમે એવું માનો છોકે  એને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાયજ નહિ ? . કે એવા  ભગવાધારી  જુવાન સાધુ પ્રત્યે  જુવાન સ્ત્રી  આકર્ષાયજ  નહિ   . કેમકે  એ અખંડ  બ્રહ્મચર્ય  વ્રત ધારી  સાધુ છે  . હિન્દુના   પ્રાચીન સંસ્કૃત  સાહિત્યમાં  ઋષિ  વિશ્વામિત્રનો  દાખલો છે  .  કેમકે  સ્ત્રી પુરુષનું એક બીજા પ્રત્યેનું આકર્ષણ  એ પરમેશ્વરનો કાયદો છે  .
બાળક જન્મે  ત્યારે સાવ અબુધ હોય છે  છતાં તે બાળકની મા અને બીજાં ઘણાને  બાળક પ્રત્યે પ્રેમ વછૂટે છે ,  કેમકે એ પરમેશ્વર  નો કાનુન છે  . પછી જેમ જેમ બાળક મોટું થાય   જુવાન થાય  પછી જુવાન સ્ત્રીઓને અને જુવાન પુરુષોને એક બીજા પ્રત્યે  આકર્ષણ  થાય  એમાં મનુષ્યોએ  બનાવેલા વાડા અને તેના નિયમો લાગુ પડે ખરા ?અને પછી વૃધાવસ્થા આવે  ત્યારે   લોકોનું આકર્ષણ ઘટી જાય  .
જુના વખતમાં  સમાજમાં  પુરુષ કરતા સ્ત્રીને   ઉમરમાં ઘણી  નાની  પસંદ કરતા હોય છે  . કેટલાકની સ્ત્રી પોતાના કરતા દસ વરસ કે તેથી  વધુ નાની  ઉમરની હોય છે   .અને સ્ત્રીઓમાં એક પ્રકારનું અદીઠ  બળ  પરમેશ્વરે મુક્યું હોય છે   . તમે જોશો તો  વિધુર કરતાં વિધવાઓ  ઘણે ભાગે વધુ જોવા મળશે  .   બીજું ઉમર વધે એમ સ્વભાવમાં  ચીડીયા પણું   સહન શક્તિનો અભાવ આવી જતો હોય છે  .એટલે સ્ત્રી પુરુષ  બન્ને વચ્ચે  લાગણી  સહાનુભુતિ  ઘટી જતી હોય છે  . ભારતીય સમાજમાં  સયુંકત કુટુંબ હોય  .ધણી ને ધણી  યાણી પ્રત્યે અને ધણીયાણી  ને  ધણી  પ્રત્યે અભાવો  હોય પણ લોકલાજે ટકી  રહેતા હોય   .   સાસુ  ખડે ધડે હોય  વહુને વ્હાલી થવા  કામકાજમાં ઘણી મદદ કરતી હોય  , સસરો  રીટાયર થઇ ગયો હોય  એની દશા ટ્રામ નાં ઘોડા જેવી હોય  ટ્રામ  નો ઘોડો   વીસ માણસોના  ભરેલા ડબાને  પાટા ઉપર ખેંચી જાય પણ  પોતાની પીઠ ઉપર બેઠેલા એકજ   માણસ  નો ભાર નો ખામી શકે  . ડોહો પોતાના દીકરાઓના  સંતાનોમાં પણ અળખામણો થઇ ગયો હોય   . દીકરાની વહુ એની સાસુને કહે બા આ મારા સસરા  અહીને  અહી   આખો દિવસ   લમણે હાથ દઈને ખાટલામાં બેઠા હોય  નજીકમાં પાર્ક છે ત્યાં  જતા હોય   લોકોને  પોતાના અનુભવોની કૈઈક  વાતો કરતા હોય તો કેવું  . ? બા ખરેખર  ઓલ્ડ ઈ તો ગોલ્ડ કહેવાય  . સાંભળીને સાસુ બોલે   તારા  સાસરામાં  અક્કલ ક્યા છે    . કંઈ આવડતું હોય તો કહેને ? વળી કોઈ જુવાન એને  સુરેશ જાની જેવા સાથે ઓળખાણ  કરાવે સુરેશ જાની એને કમ્પ્યુટર શીખવે  બ્લોગ  લખી આપે એ બાપડો એમાં પોતાનો અનુભવ લખે   . અને પોતાના  કાર્યની કોઈ પ્રશંશા  કરે એ માટે  બાયું ભાયું ને વિનવે   .વળી  કોઈક પોતાના જેવડી ઉમરના ને  ફોન  કરે  ઓલો સામો માણસ વાતુએ ચડે  જ્યાં બાપો વાત કરવા જાય તો  બોલે કોક આવ્યું લાગે છે કોઈકે બેલ માર્યો એવું બોલીને  આને બોલતો બંધ કરી દ્યે  . આવી લાચાર દશા  ભોગવતો હોય અને  પછી માંદો પડે અને  હજી માંડ માંડ  80  નો થયો હોય ત્યાં  જમના તેડાં આવે અને બાપડો હાલ્યો જાય  .
એટલે કીધું છે કે  .
ઘરડા થયાકે  દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા
પુત્રોના પરિવારમાં  બાપો આંખે  ચડી ગયા
હદ છેકે ઘરની જોરુએ  બુદ્ધિ હીણા કહ્યા
તોય મન મર્તબા  ને  કાજ  ભટકતા  રહ્યા
એક પછી એક રોગ આવતા થયા
એક દિન ઘરડા ડોસા  વગર મોતથી મર્યા     રામ બોલો ભાઈ રામ

विभुक्षिता किं न करोति पापं , क्षीणा जना :निष्करुणा भवन्ति

Shri-symbol.svg2000px-Om.svg

આ વાર્તા સંસ્કૃત બુક  પંચતંત્ર ની છે  . વાર્તાની શરૂઆત  આવી રીતે થાય છે  . એક કુવો હતો એ કુવામાં  થોડા દેડકાં અને એનો   ગંગ દત્ત  નામનો  રાજા  મોટો દેડકો   હતો  .અને એક   ભદ્રા  નામની ચંદન ઘો  રહેતી હતી  .અને એક પ્રિયદર્શન  નામનો મોટો નાગ રહેતો હતો  . બધાં સંપીને રહેતા હતા  . પણ નાગ  દરરોજ એક દેડકું ખાઈ જતો હતો  .રાજા ગંગદ્ત્તને  ખાસ કઈ ખબર નોતી પડતી   . પણ એક દિવસ  એને ખબર પડી કે  આ દેડકા ઓછાં કેમ થતાં જાય છે  . ગંગદત બુદ્ધી શાળી હતો  એને વિચાર્યું કે  આ પ્રિય દર્શન  દેડકાં ખાય જતો લાગે છે  અને એ ગંગ દત્ત  નું અનુમાન સાચું હતું  . જાણવા છતાં એ  નાગને  કઈ  કરી શકે એમ નોતો  . અને એક દિવસ એવો આવ્યો કે  બધાં દેડકાં ખલાસ થઇ ગયાં   . પ્રિયદર્શનને  ખાવા માટે  કશું હતું નહિ  . એટલે એ ગંગદત્ત   ને  મળ્યો   અને   બહુ ઠાવકું મોઢું રાખી  ,  મીઠી  ભાષામાં બોલ્યો   .પ્રિય મિત્ર  આજે તુને મિત્ર તરીકેની  ફરજ  બજાવવાનો  અને પરોપકાર  કરી પુણ્ય  કમાવવાનો  વખત આવ્યો છે  . નાગની વાત સાંભળી  ગંગદત્ત  બોલ્યો   , વહાલા મિત્ર  એવોતે કેવો વખત આવ્યો છે કે  હું મિત્ર તરીકેની  ફરજ બજાવી શકું અને પુણ્ય પણ કમાઈ શકું   , પ્રિયદર્શન  બોલ્યો   . આજે મને સખ્ત  ભૂખ લાગી છે  અને હું તુને ખાઈ જવા માગું છું  . .નાગની વાત સાંભળી  ગંગ દત્ત ને જબરો આંચકો લાગ્યો  . પણ તે પોતાની માનસિક  સ્થિરતા જાળવી રાખી અને બોલ્યો  . . પ્રિય મિત્ર  પ્રિયદર્શન  આજે તો તું મને ખાઈ જઇને તારી ક્ષુધા સંતોશીશ  પણ પછી કાલે તું શું કરીશ    . નાગ બોલ્યો  એનો ઉપાય હવે તુંજ મને બતાવ   . ગંગદત્ત  બોલ્યો   . અહીંથી  થોડે દુર  એક મોટું સરોવર છે  .  એમાં અસંખ્ય  દેડકાં વસે છે અને એ પણ  મારીજ પ્રજા છે  . એ બધાં ને હું આ કુવામાં લઇ આવું   અને પછી તું જેમ જેમ  ભૂખ લાગે એમ ખાધા કરજે    પણ સવાલ એ છે કે મારે તે સરોવર  સુધી પહોંચવું કઈ રીતે  જો ભદ્રા મને તેની પીઠ ઉપર બેસાડીને  લઇ જાય  તો હું જઈ  શકું    નાગે  ભદ્રાને વિનંતી કરી કે બેન  તું આ ગંગ દત્તને  એ કહે એ સરોવર સુધી લઈજા  ભદ્રા કહે ભલે  એમ કહી ગંગદત્ત   ને  પોતાની પીઠ ઉપર બેસાડી  કુવા બહાર  કાઢ્યો  . અને  ભદ્રાને  કીધું   હવે મને તું સરોવર   સુધી લઈજા   ભદ્રા  ગંગદત્તને   સરોવર સુધી લઇ ગઈ   , જેવું સરોવર નજીક આવ્યું  એટલે  ગંગ દત્તે  ભદ્રાની પીઠ ઉપરથી ઠેકડો માર્યો  . અને  સરોવરમાં જતો  રહ્યો  . અને સરોવરની વચ્ચે જીને બોલ્યો  .  त्वं गच्छ  भद्रे  प्रिय दर्शनाय  , न गैंगदत्त  पुनरेपि कूपम्   .  મતલબકે  ગંગદત્તે  ભદ્રાને કીધું કે  તું હવે કુવે જઇને પ્રિયદર્શનને  મળ હું હવે પાછો કુવામાં આવવાનો નથી  .  અહી સુધીની વાત  શ્રીમતી પ્રજ્ઞા બેન  વ્યાસના સૌજ્ન્યથી  મેં  આપના  માટે લખી છે  . ભદ્રાએ  પ્રિય દર્શનને  માઠા સમાચાર આપ્યાકે  હવે ગંગદત્ત  આ કુવામાં પાછો આવવાનો નથી  , ભાદરની વાત સાંભળી  પ્રિય દર્શન બહુ ક્રોધે ભરાયો  . એણે ભદ્રાને કીધું કે મને તું  ગંગદત્ત  જે સરોવરમાં ગયો છે  . ત્યાં તું મને લઈજા  હું એને આંખોને આખો ગલી જવાનો છું  . આ બાજુ ગંગ દત્તને  વિચાર આવ્યો કે  પ્રિયદર્શન વેર વાળવા  જરૂર આવશે એને પોતાના  દેડકાઓને  ટ્રેનીગ આપી રાખેલી કે  જો નાગ સરોવરમાં દાખલ  થાય એટલે હું હુકમ કરીશ કે  આક્રમણ  એટલે તમારે નાગ ઉપુ હુમલો કરવો  અને નાગને બટકા ભરવા માંડવા  એટલે થોડી વારમાં એડ મરી જશે એટલે એને ખેંચીને  આપણાં રેફ્રીજેટરમાં  મૂકી દેવો એટલે આપણો મહિનાઓ સુધી  . ભોજનનો સવાલ ઉભો નહિ થાય   . ભદ્રા  પ્રિયદર્શન  ને  જે સરોવરમાં ગંગદત્ત   એ સરોવરમાં લઇ ગઈ  નાગ જેવો સરોવરમાં ગયો  એવાંજ  બધાં   દેડકાં નાગ ઉપર ત્રાટક્યા  અને નાગને મારી નાખ્યો  .