આતાની ૯૮ મી વર્ષગાંઠ

       ૧૯૨૧ની સાલમાં જન્મેલા આતાની ‘જન્મતારીખ આજે છે.’ –  એવો સંદેશ ગૂગલ મહારાજે ૧૫મી એપ્રિલે મોકલ્યો. એમની સાથેના સ્નેહ ભર્યા સંબંધની જૂની યાદો તાજી થઈ ગઈ – આતા યાદ આવી ગયા. એ બેભાનાવસ્થામાં  જન્મદિનની વધામણી પાઠવતો ઈમેલ બનાવવા માઉસ પર આંગળી મૂકી, ન મૂકી અને તરત ભાન પાછું આવ્યું કે, સ્વર્ગમાં થોડો જ ઈમેલ પહોંચવાનો?

      પછી આ અદકપાંસળી જીવને સૂઝ્યું કે, આમેય બધા ઈમેલો, ફોન સંદેશ, ફેબુ/ વોએ/ લિન્ક્ડ ઈન/ ઇન્સ્ટાગ્રામ/ ટ્વિટર ટ્રાફિક અને આતાના માનીતા બલોગડા આતાની હારે વાદળોમાં જ ને?! તો શીદને મિત્રોની સલાહ ના લઉં  કે, આવું કાંઈ થાય?! 

      અને એક ઈમેલ એમના મિત્રોને ઠપકારી દીધો –

હરગમાં ઈમેલ જાય?!

         અને બાપુ ! જો જામી છે રંગત….

      મિત્રોના ઢગલે ઢગલા પ્રેમ પુષ્પો  બે દિવસ ઠલવાતા જ રહ્યા…ઠલવાતા જ રહ્યા… એ સઘળાંનું સંકલન કરી, આતાને આ પ્રેમસભર શ્રદ્ધાંજલિ ફરી એક વખત….


પી.કે.દાવડા 

આતા ત્યાં પણ નવા મિત્રો બનાવી બર્થ ડે ઉજવતા હશે !  સુરેશભાઈએ યાદ અપાવી અને આતાને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ મળી ગઈ.

સુજા

ના,  અપ્સરાઓ હારે મશગૂલ હશે !

રિતેશ મોકાસણા

     આતાને વધાઈ સાથે શ્રદ્ધાંજલી ! મને હર્ષ છે કે, આતાની બુક એમના પુત્ર શ્રી દેવ ભાઈ જોશીને હસ્તગત થઇ ચુકી છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસે

જરૂર જાય. ફક્ત ઇન્ટરનેટને બદલે અલ્ટ્રા નેટ જોઈએ.આ અલ્ટ્રાનેટના અદૃશ્ય તાર મન સાથે જોડાયેલા હોય તો. આપણે બધા આતા સાથે અલ્ટ્રાનેટથી જોડાયા હતા. દરેકની સાથે તેમણે અંતરના સ્નેહતારથી જોડ્યા હતા. મારી સાથેતેમને વિશેષ લાગણી હતી કેમ કે અમે બંને ફૌજી હતા. તેઓ veteran તરીકે મારા સિનિયર તેથી જ આ સંબંધ બંધાયો હતો.આતાને સલામ.

ચિમન પટેલ – ‘ચમન’

સરસ કલ્પના!

વલીભાઈ મુસા

છેલ્લી અમારી મુલાકાત ટાણે તેમણે વાયદો કર્યો હતો કે નેક્સટ ટાઈમ તેઓ મારા મહેમાન બનશે અને જીવનભરના નિયમોને અવગણીને મારી ઇચ્છા મુજબનુ જમશે. ડો. રાજેન્દ્ર ત્રિવેદી સાક્ષી છે. એમને બાફેલા ખોરાકમા પાણી રેડીને સબડકા મારતા જોઈને મે કહેલુ કે ભલે તમે મળવા આવજો, પણ આવા ભોજનનુ દાવત મારાથી નહિ થાય. કોઈ મેઈલ કરો તો મારી વાતની યાદ અપાવશો.

રમેશ પટેલ ( આકાશદીપ)

પૂ.આતા એટલે સ્વયં આનંદ – મસ્તી ને મૈત્રીનો ઓટલો. શત શત વંદન પરમધામે.

પ્રજ્ઞા વ્યાસ

HJ.jpg
એક મઝાની વાત રહી ગઇ.તેમને ઉર્દુ લખાણ ગમતા અને તેમને ગમતા લખાણોની ચર્ચા કરતા તે મા સુજાએ ચાલુ રાખેલ બ્લોગ આતાવાણીમા માણી શકાશે આજે તેમને સ્મરણાંજલી માં
قید حیات و بند غم ، اصل میں دونوں ایک ہیں

موت سے پہلے آدمی غم سے نجات پائے کیوں؟          

بازیچہ اطفال ہے دنیا میرے آگے

ہوتا ہے شب و روز تماشا میرے آگے

 

نہ ستائش کی تمنّا نہ صلے کی پروا

گر نہیں ہیں مرے اشعار میں معنی نہ سہ

 

اگ رہا ہے در و دیوار سے سبزہ غاؔلب

ہم بیاباں میں ہیں اور گھر میں بہار آئی ہے

वास्तव में, ये दोनों ही जीवन और दुःख के कैदी हैं

मृत्यु से पहले मनुष्य को दुःख से छुटकारा क्यों मिला?

 

दुनिया मेरे आगे है, यह दिन और रात को हो रहा है

 

प्रशंसा की इच्छा की परवाह मत करो

मेरे दिल में मत गिरो

 

यह दीवार से सब्जी तक उठ रही है

हम जंगल में हैं और घर पर आ गए हैं

 

વિનોદ પટેલ

આતાજીની ખોટ હમ્મેશાં વર્તાતી રહેશે. આતાજી મિત્રો સાથે ઈ-મેલમાં દિલ ખોલીનેએમના દિલની વાત રજુ કરતા હતા જેમાં એમનો રમુજી અને નિખાલસ સ્વભાવ જણાઈ આવતો હતો.દા,ત.  

આતાજીએ તારીખ પ મી જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ , એટલે કે એમના દુખદ દેહ વિલયના ૧૦ દિવસ પહેલાં મને નીચેનો ઈ-મેલ પાઠવ્યો હતો એમાં એમણે મહિલાઓને એમની ઉંમર લોકોને કહેવાનું ગમતું નથી એ વિષે એમના મહિલાઓ સાથેના અનુભવોના દાખલાઓ આપી લખ્યું હતું. .તેઓએ લખ્યું હતું કે …
 

 ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી “ ઈ-મેલના અંતમાં એમણે એમનો રચિત આ શેર લખ્યો હતો.  

रंग बदल जाते है  जज्बात बदल  जाते है ।   वक्त पे इंसानके ख्यालात  बदल जाते है  
આખો ઈ-મેલ આ પ્રમાણે છે.
 

himatlal joshi <hemataata2001@yahoo.com>

Tovinodbhai patel

jan 5 2017 at 2:30 AM
 
પ્રિય વિનોદભાઈ
 
હું નાનો હતો , ત્યારેવસ્તી ગણતરી થઇ  . મારા ગામમાં આ કામ મારા બાપાને કરવાનું હતું.એક માજીનીસાથે એનો દિકરો પણ આવેલો . ગામડામાંએકબીજાને ઓળખાતા હોય.બાપાપોલીસપટેલએમનેથોડું ઘર ઘર જઈનેનોંધ કરવાની હોય . બાપાએગામમાંસાદ પડાવેલોકેકાલેસાત કામ પડતા મૂકીનેડેલીએ નોંધણીકરાવવાજવાનું છેલોકો બાળ ગોપાલ સાથે આવ્યાં . એકમાજીને બાપાએ પુચ્છ્યું  . બેન તમારી કેટલી ઉંમર છે  .  એંસીક વરસનામાજી બોલ્યાં સાઠેક વર્ષની હશે  .  એના દિકરાને પૂછ્યું  .  તારી કેટલી ઉંમરછે   .  દિકરોપોતાની જન્મ તારીખ સાથે બોલ્યો  . 61 વરસ  .  બાપાએ માજીને પૂછ્યું  .  માજી તમારી ઉંમરવધારે હોવી જોઈએ .  માજી બોલ્યાં તમે મને ઘરડી સમજો છો? (ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી)  .  
એક મહેસાણાજિલ્લાની બેન મારી ઓળખીતી હતીતે  57 વરસની ઉંમરનીહતી   .  મારાથી તેમને એક દિવસપહેલાની હેપી બર્થ ડેકહેવાય ગઈ  . તે બોલી કાકા તમે મને એક દિવસ મોટી કરી દીધી   .આ બેનધાર્મિકવૃત્તિનાદેખાતાં હતાં  .  તેણે છુટ્ટા છેડા લીધેલા હતા   .  તેની સાથે મારે વધારે પરિચય થયો   .   અમેરિકન છોકરીઓથી પણવધુ મારી સાથેછૂટથી વર્તેલી  .  તમારી સાથેએવી વાતો કરતાં જીભ ન ઉપડે અને તમને પણમને એવું પૂછતાંજીભ ન ઉપડેએવી વાતો એણે મારી પાસેથી ઓકાવેલી  . હવે જોજો એક વખત મનેએણે કોમ્પ્યુટરબાબત પ્રશ્ન પૂછ્યો  . એ કોલેજ ગ્રેજ્યુએટ.મેં એનેસાચો જવાબ આપ્યો   .  પછી મને એણે વાત કરીકે કાકા મેં મારી બેનપણીને પણ શીખવ્યું  .  . મેં તેને પુચ્છ્યુંતુને કોણે શીખવ્યું  ?  તેણે જવાબ દીધો  .  મારા એક કાકા છે  , એણેમને શીખવ્યુંછે   .  મેં કીધું તારા કાકા તોઅભણછે  .  તે બોલી તે અભણ નથી  .  એણે એની જુવાનીમાંકેટલીયછૉકરીયુંને ઉઠાંભણાવ્યાછે  ,  આ બાઈએપોતાનું સરનામું ફોન ઈ મેલ અડ્રેસ્સબધું જ બદલી નાખ્યુંછે  .  દરેક મિત્રોથી સંપર્કતોડી નાખ્યો છે  .  આ બાઈની મનેમુરજી ભાઈએઓળખાણ કરાવેલી  . જે મુરજી ભાઈનોહું 16 દિવસ મહેમાનબનેલો   . 
 
रंग बदल जाते हैजज्बात बदलजाते है
वक्त पे इंसानके ख्यालातबदल जाते है  .  .    
 
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta                
Teachers open door, But you must enter by yourself. 
આતાજીના આવા ઘણા ઈ-મેલ મેં હજુ ફાઈલમાં સાચવી રાખ્યા છે.એમના સ્વભાવ પ્રમાણે બીજા મિત્રોને પણ તેઓએ ઘણું લખ્યું હશે જ .

પ્રવીણકાન્ત શાસ્ત્રી

મારા વ્હાલા વ્હાલા મિત્રો,

હું અહિ સ્વર્ગની  અનેક અપ્સરાઓની સેવાઓ સાથે સુખી સંપન્ન છું. અને મારી બર્થ ડે મનાવી રહ્યો છું. તમે બધાએ તમારા પ્રેમમાં ફસાવીને સ્વર્ગના સુખથી ઘણાં વર્ષો વંચિત રાખ્યો હતો. મોડું તો મોડું પણ હવે કાયમનું સુખ છે.
મેં મારો વિગન ડાયેટ છોડી દીધો છે. હવે ઘી, દૂધ, મલાઈ માખણનો પ્રસાદ આરોગું છું. પણ મારા સુખની ઈર્ષ્યા કરીને કોઈએ અહિં મારા સુખમાં ભાગ પડાવવા દોડી આવવાની જરૂર નથી.
બહાર બોર્ડ લગાવડાવ્યું છે. આતાના કોઈ મિત્રે ૧૦૦ પહેલાં  સ્વર્ગ માં ઘૂસ મારવી નહિ.

સૌ મિત્રોને આતાના શુભાશિષ.

શાસ્ત્રી સુજાને કહેજો કે મારા બ્લોગને સાચવજો, પણ મારા નામે ઘાલમેલ ના કરશો. રિતેશભાઈને ખાસ થેન્ક્યુ પહોંચાડશો.
 

(આતાનો મને મળેલો એક ઈ મેઇલ)

મહેન્દ્ર ઠાકર

sureshbhai has started this mail on Our Beloved ATAA’s Birthday and we got warming response by all friends..

i too had his mail before 2-3 days as some interview he was to give so to help him to put on net..
He has shared also some intimate moments as shared with vinod bhai.
Till last moment he was hail and hearty.
and last but not least we are happy to receive his Altra communication to Pravinbhai
and now have to wait till100 years- century completion….
many hearty memories of AATaA
– ડૉ. નિમિત્ત ઓઝા
સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા.
સંબંધો, સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે.
હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન હોય છે.
એક નિર્જીવ શરીર,
એ શરીરને ખુશી ખુશી ગુડબાય કહી રહેલો આત્મા
અને કેટલાક ઋણાનુબંધ.
આ પૃથ્વી પરથી અનિશ્ચિત સમયે આપણને લઈ જનારી કાયમી ઉડાનમાં બહુ ઓછી વસ્તુઓ પરમીટેડ હોય છે.
શક્ય છે કે એ ફ્લાઈટની ટીકીટ કોઈએ સ્પોન્સર કરેલી હોય કારણકે મૃત્યુ જાતે કમાઈ શકીએ, એટલા સક્ષમ અને સમર્થ કદાચ ક્યારેય નહીં થઈ શકીએ. આપણે બેઠા હશું ઈકોનોમી ક્લાસમાં અને આપણા કર્મો વટથી બિઝનેસ ક્લાસમાં સફર કરતા હશે.
વિન્ડો-સીટ પર બેઠેલા આપણી આસપાસનું જગત સંપૂર્ણ અપરિચિત હશે. બારીની બહાર હશે એક એવી દુનિયા જે આપણે ક્યારેય નિહાળી નહીં હોય અને બાજુમાં બેઠેલી હશે એક એવી વ્યક્તિ જેને આપણે ઓળખતા પણ નહીં હોઈએ.
એ ક્ષણે આપણી સાથે ફક્ત એક જ વસ્તુ હશે. આ દુનિયા પર આપણે વિતાવેલો સમય.
મૃત્યુની રાહ જોઈને પથારી પર પડ્યા હોઈએ ત્યારે ભૂતકાળની કોઈ વાતો યાદ કરીને આપણે ખડખડાટ હસી શકીએ, તો સમજવું કે આપણે જીવેલું સાર્થક છે.
મરતી વખતે સૌથી ધનવાન વ્યક્તિ એ જ કહેવાય છે જેની પાસે ખૂબ બધી યાદો, વાતો અને વાર્તાઓ છે.
જે માણસ જિંદગીમાં ક્ષણો કમાઈ નથી શકતો, એ સૌથી મોટો બેરોજગાર છે. સમયના ભોગે કમાયેલા પૈસા કરતા, પૈસાના ભોગે કમાયેલી ક્ષણો અને યાદો છેલ્લા શ્વાસ સુધી યાદ રહેતી હોય છે.
જતી વખતે ઘણું બધું સાથે આવશે.
દરિયા કિનારે ગાળેલી એક સાંજ,
પ્રિય વ્યક્તિના ખોળામાં માથું મૂકીને કરેલી વાતો,
મિત્રો સાથેની લોંગ ડ્રાઈવ,
આખી રાત સુધી ચાલેલી વોટ્સ-એપ ચેટ અને ગમતી વ્યક્તિઓ માટે કરેલા ઉજાગરા.
આપણે ખાલી હાથે નથી જવાનું. ખૂબ બધી યાદો ભરીને જવાનું છે.
મમ્મીની ગરમાગરમ રોટલીઓ,
પપ્પાએ કરેલું હગ,
ગર્લ-ફ્રેન્ડ સાથેનું કેન્ડલ લાઈટ ડિનર
અને મિત્રોની મીઠી ગાળો.
સાથે આવશે એવી પાર્ટીઓ જેમાં ભાન ભૂલીલે નાચેલા,
એવા રસ્તાઓ જ્યાં મિત્રો સાથે ભૂલા પડેલા.
ઘણું બધું સાથે આવશે.
હસતા હસતા જમીન પર આળોટેલા એવી કેટલીક જોક્સ અને રમૂજી પાત્રો.
થોડા સિક્રેટ મેસેજીસ અને કેટલાક ખાનગી પત્રો.
કોઈએ આપેલું પહેલું ગુલાબ,
કોઈએ આપેલો ‘હા’નો જવાબ.
કોઈની પ્રતીક્ષામાં ગાળેલા કલાકો,
કોઈના વિરહમાં વીતાવેલા દાયકાઓ.
કોઈ છેક સુધી ન મળી શક્યાનો અફસોસ,
તો કોઈ મળ્યા પછી વિખુટા પડી ગયાનો રંજ.
ગમતા સ્વજનો,
દોસ્ત અને દિલદાર.
છેક સુધી યાદ રહેશે હારેલી બાજીઓ અને રમેલા જુગાર…
માનવ અવતાર લીધા પછી જ્યાં ખુદ કૃષ્ણ આટલું બધું ઇવેન્ટફૂલ જીવ્યા હોય, એ ધરતી પર આપણી વાર્તાઓમાં પણ ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. જેમાં એકપણ ઘટના ન હોય, એને સમાધિ કહેવાય. જીવતર નહીં.
એ વ્યક્તિ ભરપૂર જીવ્યો કહેવાય જેના ગયા પછી એના જીવન પર નવલકથા લખી શકાય,
મૃત્યુનોંધ નહીં.

જુગલકિશોર વ્યાસ

આતાજીને શ્રદ્ધાંજલી સાથે વંદના અને તેમની કેટલીક યાદો :

કનક રાવળ

મારોતો  તેમની સાથે મોટાભાઇ -નાનાભાઇ જેવો સબંધ હતો એટલે હિમ્મતભાઈ -કનકભાઈનો નાતોં રહ્યો હતો..
તેમની ખોટતો ક્યારેય પુરાશે નહીં. અમારી ભાવનગરી ભાષામાં તો “ઈ તોં મોટાભાઇ, જેવો ભડ  તેવોજ મુલાયમ આદમી.
ઈતોં  જ્યાં હોય ત્યાં ડાયરા જમાવતો હશે. પોપટ આંબાની ડાળ ને સરોવરની  પાળ કેરિયું  ખાય ને ગોટળા ઉલાળતો હશે.
ભણતર કરતાં ગણતર મોટું તેનું સચોટ ઉદાહરણ.”
જય હો આતા !

ઉત્તમ ગજ્જર

આતા ! આતા !!

તમારી બર્થ ડે નીમીત્તે, અહીં તમારા મીત્રોએ, (જેમણે ટીકટ બુક કરાવેલી જ છે તમારી પાસે આવવાની; પણ રીઝર્વેશન પેન્ડીંગ છે એવા) તમને આપેલી અંજલી સાચે જ ભાવાદર પુર્ણ છે. તેવા સૌને તમારા વતી ધન્યવાદ..

પણ તમારા આ સાહીત્યકાર મીત્ર પ્રવીણ શાસ્ત્રીજીએ તમને અર્પેલી અંજલી ‘આતાનો મને મળેલો એક ઈ મેઇલ.’ વીશીષ્ટ અને તેથી જ શ્રેષ્ઠ છે. આહાર–વીહાર–માન્યતા વીશે જિન્દગીની વાસ્તવીકતાયે તે બતાડે છે અને મોઘમ રીતે તમારા બ્લૉગમાં ઘાલમેલ ન કરવાની લાલ બત્તીયે ધરે છે..વળી, તમારા વતી રીતેશનો આભાર માનવાનુંયે તેઓ ચુક્યા નથી..

ચાલો, હવે આવતે વર્ષે આજ દીને ફરી મળીશું, મેલ દ્વારા.

આતાને રુબરુ ‘હેપી બર્થ ડે’ કહેવા ત્યાં દોડી જવાની કોઈએ ઉતાવળ કરવાની નથી.

..ઉ.મ..આ મેલ તો તમને મોકલું જ છું.. મળશે કે ? મળે તો જવાબ લખજો..

સુરેશ જાની

પ્રિય પૃથ્વી વાસી મિત્રો
    પ્ર્રુથ્વી સાથેનો મારો બધો વ્યવહાર મને માત્ર ચિત્રગુપ્ત મારફત જ થાય છે. એની સેન્સર ડિક્ટેટરશીપ અસહ્ય છે. પણ એ સહ્યા વિના કોઈ આરો નથી. અલબત્ત એ સારો જણ એ દુઃખ ભુલાવવા બીજી (!) સવલતો આપે છે, અને એમાં હું વ્યસ્ત છું, એટલે ખાસ કોઈ તકલિફ નથી !૧
      ચિત્રગુપ્ત માત્ર મારા ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) ના જ ઈમેલ સંદેશા મોકલે છે. એના મારફત મળેલા સંદેશામાં આ પરવીનનો સંદેશો મને બહુ ગમી ગયો. એ મને દુનિયાવાસી હૂર પરવીન બાબીની યાદ અપાવી ગયો. તમે બધા પણ મને આટલા બધા યાદ કરો છો, એ જાણી ફરી જનમ આપવા ચિત્રગુપ્તને વાત કરું કે ના કરું ? – એમ મને વચાર આવે છે. પણ હાવ નાનો બાબલો બની દુનિયના  કોઈ ખૂણે કોઈ  માને ધાવતો હોઉં ત્યાં તમારો મેળાપ શી રીતે થાય? – એ વિચારે મેં પા્છા આવવાનો વચાર માંડી વાળ્યો છે !
– તમારો આતો !
image.png
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

5 responses to “આતાની ૯૮ મી વર્ષગાંઠ

  1. વિનોદ પટેલ એપ્રિલ 16, 2019 પર 10:55 એ એમ (am)

    Reblogged this on વિનોદ વિહાર and commented:
    જિંદગીની ક્રિકેટ મેચમાં ૯૬ વર્ષની શાનદાર પાળી રમીને જાન્યુઆરી ૨૦૧૭ માં વિદાય થયેલા અને મિત્રોમાં આતાજીથી જાણીતા (મૂળ નામ-હિમતલાલ જોશી ) ની
    અમેરિકાના ઇન્કમટેક્ષ ડે ,૧૫ મી એપ્રિલના દિવસે ૯૮ મી વર્ષ ગાંઠ હતી.

    આ દિવસે ગુજરાતી નેટ જગતના એમના અનેક મિત્રોએ આતાજીને ઈ-મેલમાં એમને યાદ કરીને એમના પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી એમને મરણોત્તર ભાવાંજલિ આપી છે. આ બધા ઈ-મેલ આતાજીના બ્લોગ ”આતાવાણી” માં એમના ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) એ સંપાદિત કરીને આ બ્લોગને સજીવન કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે.

    આતાવાણી એટલે આતાના આત્માની વાણી . આ બ્લોગમાં એમના લખેલા બધા લેખોમાં આતાનો પરિચય મળે છે.બ્લોગના મથાળેના એક પેજ ”અતાઈ કથા ” જરૂર વાંચો જેમાં એમના શબ્દોમાં એમનો રસસ્પદ પરિચય છે.

    મારા મિત્ર સ્વ. આતાજીના ૯૮ મા જન્મ દિવસે એમને મારી ભાવભરી સ્મરણાંજલિ .

    વિનોદ પટેલ

  2. dave joshi એપ્રિલ 16, 2019 પર 5:15 પી એમ(pm)

    So nice to hear you all up here !
    Yes I did get all your loving emails and messages and I can even read what’s in your minds with whatsapp.
    Since, I am not able to write to you personally, I am asking my son,( who thinks of me everyday and even talks to me in his sleep 😃) to respond to you with my heart-felt thanks and wishes !

    ❤️
    Aataayi
    ________________________________

  3. chaman એપ્રિલ 17, 2019 પર 7:21 એ એમ (am)

    આપકી કલ્પનાકો મેરી સલામ! જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોચે કવિ ને અનુભવી!

  4. સુરેશ એપ્રિલ 18, 2019 પર 6:45 એ એમ (am)

    હાસ્તો વળી…
    આતાને, તમને અને સૌને વંદન.
    અપ્સરાઓને યાદ પાઠવશો email માં …

    લતા હિરાણી
    લેખક, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
    કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
    કુલ પ્રકાશનો – 15
    રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો
    1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
    4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે 8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11. સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો સીડી)

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई