Monthly Archives: નવેમ્બર 2016

આવે નાગપાંચમ નાગ દેવ પૂજે ગારાના (માટીના ) નાગલા બનાવેજી સાચુકલો નાગ જો નીકળે ઘરમાં તો બંધુક વાળાને તેડાવેજી .

cobra

 જ્યારે નાગ પાંચમ આવે ત્યારે snake charmer  નાગને લઈને  શહેરોમાં ફરતા હોય છે  . અને લોકો   અંધ શ્રદ્ધાળુ  હોય એ   નાગને દૂધ પીવા ના માટે દૂધ ખરીદવા  પૈસા આપતા હોય છે   . અને એ બહાને  સાપવાળા  પોતાનો પેટ ગુજારો કરતા હોય છે  , સાપને પકડ્યા પછી   સાપવાળા  નાગની ઝેર ભરેલી થેલી  જે નાગના ઉપલા જડબામાં હોય છે   . તેને ચાકુથી છેદી પછી  તેને દબાવીને  તેમાંથી ઝેર નીચોવીને કાઢી નાખતા હોય છે  . આ કારણે નાગ મોઢું પણ ખોલી શકતો નથી હોતો  . અને ખાઈ પણ શકતો નથી  .અને પછી  એવી દશામાં  થોડા મહિનામાં  મૃત્યુ પામે છે  , આપે એક મુવી જોઈ હશે એમાં  ભાખોડીયા ભર ચાલતું બાળક  નાગને પકડવાની કૌશિષ કરતું હોય છે   .  તે વખતે નાગ ફેણ ચડાવીને  ફુંફાડા મારીને  ડરાવવાની કૌશિષ  કરતો હોય છે  .
નાગપંચમને દિવસે  શરૂઆતમાં નાગ  જરાક ઇશારાથી ફેણ ઊંચી કરતો હોય છે   .પણ પછી  પણ પછી  થાકી જતો હોય છે  . એટલે  કંડિયામાં   પડી રહે એટલે મદારી  તેને ઘોદા મારીને   ઉશ્કેરે  ત્યારે ફેણ માંડે  પણ પછી થોડા વખતમાં  તે મરી જતો હોય છે   , નાગ બહુ સંવેદન શીલ પ્રાણી છે   . કોઈ કોઈ લોકો વાંસના લાંબા સાણચાથી  પકડીને  દૂર મૂકી આવતા હોય છે   . આ નાગ થોડા વખતમાં મરી જતો હોય છે  ,  આપ સૌ  જાણતા હશોકે  નાગ ની આંખો  દેખાવ પૂરતી હોય છે તે જોઈ શકતો નથી  . તેમજ કાનને ઠેકાણે  નાના છેદ  ખાડા હોય છે।   પણ તે સાંભળી શકતો નથી   .  નાગને અને સંગીતને  કશી લેવાદેવા નથી.  આપણા દેશમાં  ઘણી જાતના સાપ થાય છે  . એમાં  બધા ઝેરી હોતા નથી , હું  ત્રણ જાતના  ઝેરી સાપને ઓળખું છું   .  દુનિયાના કોઈ સાપને હું જોઉં તો એ ઝેરી છે કે બિન ઝેરી છે એ હું લગભગ  જોતાંની સાથે ઓળખી લઉં છું પણ તેની વધુ ચોકસાઈ માટે  તેનું મોં ખોલીને  તપાસી જોઉં છું  ,
 સાપ કેવા સંજોગોમાં  કરડે છે  . એની મને ખબર છે   . અને એટલે હું મારા ખુલ્લા હાથથી  પકડી શકું છું  . આ માં જો ભૂલ કરું તો  હું સર્પના કરડયા પછી  મૃત્યુ  પામવાની થોડીકજ વાર હતી  , સાપનાકરડવાથી  સ્વર્ગ કે નર્કના  દરવાજા સુધી  પહોંચેલો છું  . અને ત્યાં મને આવકાર્યો નહીં  . એટલે   પાછો આવ્યો   , અને  આપ સહુને  મારું લખાણ વાંચવા આપી શકું છું ,  આ વાત મેં “આતાવાણીમાં ” લખી છે  . પણ મારા અનુભવ ઉપરથી હું આપ સહુને  વિનંતી  સાથે  કહું છું કે  સર્પ પકડવાના ધંધા  સારા નથી  .  બિન ઝેરી છે  , એવું જાણવા છતાં સાપને પકડવાની કૌશિષ કદી ન કરવી  ,  ઘણા માણસો એવું માને છે  . કે  હું સર્પ પકડવાના મન્ત્રો જાણું છું  . આપણા એક બ્લોગર ભાઈ પણ એવું માનતા કે સર્પ પકડવાના મન્ત્રો હોય છે , “સાપનો કરવો ભરોસો  કે એ કરડવાનો નથી    એક મુર્ખામી નથી  , તો શું છે  , બીજું   દોસ્તો  ” મારીમા  નાગપંચમને દિવસે માટીમાંથી એક લેમ્બ ચોરસ આસન બનાવે  , એમાં  માટીમાંથી બનાવેલ  એક વાટકી મૂકે અને આજુબાજુ  ફેણ  ચડાવેલ નાગ  નાગણી  અને બચ્ચા મૂકે અને પછી રૂ માંથી બનવેલી માળા મૂકે  અને વાટકીમાં થોડું દૂધ મૂકે  આખો દિવસ અને રાત ઘરમાં રાખે  અને સવારે રાંધણ  છઠના દિવસે નદીમાં  નાગ કુટુંબને  નદીમાં પધરાવી આવે  , નાગ વિશેની દન્ત  કથાઓ પુરાણોમાં ઘણી છે   . પિરામિડ વાળા  તુતનખાનનો  મુગટ ઉપર નાગની મૂર્તિ છે  . નાગના માથા ઉપર મણિ  હોય છે  .  એક આદિવાસી મને કહેતો હતો કે નાગ રાતના વખતે જ્યારે  ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે મની એક ઠેકાણે  મૂકીને જાય છે આ મણીની કોઈને ખબર પડી જાય અને જો એના ઉપર ગાયકે ભેંસના છાણ  નો પોદળો  મૂકી દ્યે તો પછી નાગ ચારો કરીને આવે ત્યારે એને મળે નહીં એટલે નાગ  નિરાશ થઈને જતો રહે એટલે એ મણિ  તમારા હાથમાં આવીજાય  મણિ  વાળા નાગને શેષ નાગ  કહેવાય છે એ ભાગેજ જોવા મળે   ,આવી વાત મને  એ આદિ વાસી  કરતો હતો   .  નાગ ને નારદ ઋષિની જેમ પોતાનું ઘર નથી  હોતું  તે ઉંદર જેવા પ્રાણીઓનું ઘર હોય એમાં ઘુસી જાય ઉંદરને અને જો બચ્ચાં    હોય તો તેને ખાય જાય   , અને પછી એ ઘરમાંજ આરામ કરે ખોરાક પછી જાય પછી બહાર નીકળી જાય  . બે છંદ  વાંચવા આપું છું   ,
સાપ સંગે રહી રાત દિ  કાંચળી   એ   પરાધિનતામાં ન ફાવ્યું  .
સાપથી જેમ જુદી પડી કાંચળી ઉંદરોએ બિછાનું બનાવ્યું  ,
 દુષ્ટ ગણી વિષનો  ત્યાગ નાગે કર્યો એ પછી ઉર અભિમાન લાવ્યો   .
ઝેર   હીણ  જાણીને પૂરિયો  કન્ડીએ
 નાગને જુવો ઘર ઘર   નચાવ્યો   .
 નાગ રાફડામાં  રહે છે  .  એ વાત  લોકો કરે છે  . રાફડામાં એ કોઈ વખત  ઘુસી જાય છે , એ વાત સાચી પણ રાફડો નાગ પોતાને રહેવા માટે બવાવતો નથી  . રાફડો ઉધઈ  બનાવે છે  ,
 નાગડા નિહરને બાર  રાફળિયે કીં   રૂંધાઇ રહ્યો   .
તુને મારશું  મોરલીયુંના માર  તારી નાડું  તૂટશે નાગડા
 જય નાગ દેવતા

સઁગીતના જે સા ,રે ,ગ , મ , પ , ધ , ની. સાત સૂરો છે . તેની શોધ ભરત મુનિએ કરેલી છે .

img012
ઉર્દુની શેર શાયરીમાં  ઘણા  સંસ્કૃત છંદોની  રીતના છે  .
ઈ  .સ  .1948 -49 માં એક શહીદ મુવી આવેલું   , જેમાં એક ગીત હતું  .  તે  રાવણે  શિવના તાંડવ નૃત્ય ના વર્ણન નો  શ્લોક બનાવેલો  એ ઢબનું હતું  .
वतनकी राहमे वतनके नौ जवां  शहीद हो   .  તાંડવ  નૃત્યની  એક   કડી जटा कटाह  सम्भरव   विलोलवीति वल्लरी  હું    બહુ ભૂલકણો  થઇ ગયો છું  . આમાં મારી ભૂલ થતી હશે   . હું મગજની કસરત  માટે લખ્યા કરું છું  .  આપણાં પ્રજ્ઞા બેન વ્યાસ  આખો તાંડવ નૃત્યનો  શ્લોક  લખી શકે એમ છે   . હું આ બધું લખું છું  . એ મારા મગજની કસરત માટે    મારા નિજાનંદ માટે લખું છું  કોઈ ને  ગમે અને વાંચે  તો પણ મને ગમશે  .  ઘણા શેરો  હરિગીત  છંદની ઢબના હોય છે  , એના થોડાક  ઉદાહરણો આપું છું  .
रंग लाती है हिना  पत्थर पे पीस जानेके बाद
सुर्ख रूह होता है इंसां ठोकरे खाने के बाद
राहमे  बैठाहूं मैं कोई राहे संग  समझे मुझे
आदमी बन जाऊँगा  कुछ ठोकरें  खानेके बाद
 ला पीलादे साक़ीया पैमाने पैमानेके बाद
होशकि बाते करूँगा  होशमें  आनेके बाद
कामिल पुरुष मुझको मिला  महज़ूज़ हुवा  मिलनेके बाद
वहम  कुशंका छूट गई है  उनको मिल लेनेके बाद
दम दमाए दम नही अब खैर मांगो जानकी  
आय ज़फ़र  ठंडी पड़ी अब तेग हिंदुस्तानकी
हिन्दियोमे बू   रहेगी  जब तलक इमानकी
तब तो लन्दन  तक चलेगी तेग हिंदुस्तानकी
ઉર્દુ ભાષા વિષે થોડીક વાત   .
ઉર્દુ ભાષા ભારતમાં  મુસ્લિમ રાજ્ય કર્તાઓના સમયમાં  નવી બનાવેલી ભાષા છે  . તેની લિપિ  ફારસી રાખવામાં આવી છે  .  પણ  કેટલાક અક્ષરોના   ઉચ્ચાર  ફારસિ કે અરબી ભાષામાં નથી  . તેવા અક્ષરોની રચના નવી કરેલી છે  . આખો ટ વર્ગીય  અક્ષરોની  રચના ઉર્દુ માટે  નવી કરવી પડી છે  ,  તે જમાનામાં  રાજ્ય ભાષા ફારસી હતી  . એટલે લોકો ફારસી ભાષા ભણતા  . ગુરુ ગોબિંદ સિંહ  ફારસી ભણેલા હતા   . તેવીજ રીતે  શ્રીમદ વલ્લભાચાર્ય  ફારસી ભણેલા હતા   . એક કહેવત છે કે  क्या करे किस्मतका खेल पढ़े  फ़ारसी बेचे तेल  અંગ્રેજો આપણા દેશમાં આવ્યા ત્યારે  કેટલાક શહેરોના નામ  પોતાને ફાવે એ રીતે કરી નાખેલાં  મુંબઈનું બોમ્બે ભરૂચનું બ્રોચ  વગેરે  તેમ જ્યારે  અરબો  ઈરાનમાં આવ્યા ત્યારે  ફારસી ભાષાના  કેટલાંક  નામો પોતાને ફાવે એવાં  કરી નાખેલાં  અરબી ભાષામાં  પ  ચ  વગેરે ઘણા અક્ષરોના ઉચ્ચાર નથી   ‘ પારસીનું ફારસી અરબ લોકોએ કરી નાખેલું   . ચાઇ  ચા ને શાઇ  કહેછે  . પીઝા હટ અરબદેશોમાં પણ છે  .  ત્યાં બીજા હત  કહે છે  .
હું ઉર્દુ ભાષાનો  બાળપોથી  ભણનારો છેલ્લી પાટલીએ બેસનારો વિદ્યાર્થી છું  . પણ મને  ઉર્દૂના કેટલાક શબ્દો આવડે છે  . લખતાં  વાંચતાં   પણ  શીખી  ગયો  . અને હળદરનો  ગાંઠિયો મળે અને ગાંધી  કહેવડાવે એમ  હું  ઉર્દુમાઁ  કવિતાઓ પણ બનાવું  છું  .
પણ ચાર જાતના  સ   છે એમાં ક્યાં શબ્દ માટે  કયો  અક્ષર વપરાય એની મને જરાય ગતાગમ નથી   . સાબિત શબ્દમાં કયો  સ વપરાય સદા   એટલે    હમેંશા   શબ્દમાં   અને સદા એટલે અવાજમાં  કયો સ વપરાય એની મને ખબર  નથી પડતી એવી રીતે  ઇંગ્લીશના    ઝી અથવા ઝેડ  ના ઉચ્ચારવાળા  ત્રણ અક્ષરો છે  . એમાં કયો અક્ષર ક્યાં વાપરવો  એની મને ખબર નથી પડતી   . બીજું ઉર્દુમાઁ  હ્રસ્વ ન લખો તો ચાલે  એવી રીતે અર્ધો શબ્દ ન લખો તો  વાંધો નથી એ ભૂલ નથી પણ  સ કે ઝ અક્ષર આડો અવળો  લખાય જાય તો ભૂલ કહેવાય   .પણ ઉર્દુમાઁ ટપકા ના ચિન્હો  ઊંચા નીચાં  લખાય જાય તો  અર્થ નો અનર્થ થઇ જાય  . દાખલ તરીકે  ખુદા  શબ્દ છે  .  એમાં ઉપર ટપકું કરવાનું હોય છે   .  પણ જો એ ટપકું  નીચે લખો તો  અર્થનો અનર્થ થઇ જાય   .ખુદા ઉર્દુમાઁ આમ લખાય  خدا   جدا   હવે ટપકું નીચે લખવાથી ખુદાને બદલે જુદા  વંચાય  હ્રસ્વ  લખ્યઓજ નથી પણ એ ભૂલ નથી ગણાતી   . મારી ગઝલની એક કડીમાં  મેં  મહઝૂઝ  શબ્દ વાપર્યો  છે   . તેનો અર્થ પ્રસન્ન  થાય છે જે ઉર્દુમાઁ આમ લખાય محظوظ   જમીન  માં જ વપરાય  છે એનો ઉચ્ચાર  સરખોજ હોય છે પણ લખવામાં  زمین  આમ લખાય  છે  .  આપણી ગુજરાતીની જેમ  કક્કા બારાખડી આવડે  એટલે લખવા  મઁડી  જાઓ  .  એવું ઉર્દુમાઁ નથી હોતું  .લખવાની      રીત  શીખવી પડે છે  . મને ઉદાસી સાધુએ એક મહિનાની અંદર  ઉર્દુ લખતાં વાંચતાં   શીખવી દીધેલું   .  मैं  उस पंजाबी  उदासीन सम्प्रदाय  का  साधुका  शुक्र गुज़ार हूँ   .  અને આ  સોરઠિયો  ભાયડો  લીટા લીટા  જેવા ભાષા લખતાં અને વાંચતાં  શીખી ગયો   . અને ઉર્દુમાઁ કવિતા બનાવતા શીખી ગયો  .  जय  गिरनारी दुला  भेज गांजेका पुला   .
ताज़ा क़लम :-
मैकशकी नज़रमें मैखाना  काबेसे बढ़कर होताहै   .
साक़ीकी  गलिका एक फेरा सौ हजकी बराबर  होता है
माशूक़के   हाथोंके पानी   आबे इशरत  हो जाता है
साक़ीकी  मदहोश आंखोपर  ज़ाहिद दीवाना होता है
मैकश = शराबी ///आबे इशरत  = लाल रंगका शराब  ///ज़ाहिद  = नि : स्पृही  , तपस्वी  ,ऋषि जैसा

भूखे ग़रीब दिलकी खुदासे लगन नहो सच है कहा किसीने भूखे भजन न हो

20161122_141855-1

મથાળે  ફોટો છે   .   એમાં   ગુજરાત દર્પણના  મેગેઝીનના માલિક   સુભાષ શાહ છે  . તેઓની ઓફિસમાં આ ફોટો પાડેલો છે  ,  ઘણા વખત પહેલા હું  ગુજરાત દર્પણમાં  મારા લેખો કવિતાઓ મોકલતો   સુભાષ  શાહના સસરા સ્વ ,  મનુભાઈ મારા મિત્ર હતા  .  અહીં મને ભાઈ પ્રવીણકાન્ત  શાસ્ત્રી લઈ ગએલા  . અને ફોટામાં મને મળવા આવેલા  માણસોમાં     ભગવતીબેન સુભાષ શાહ  , ઊંચા દેખાય છે તે  સુરેન્દ્ર ગાંધી  , અમૃત હઝારી  , સુભાષ શાહ  , પ્રવીણકાન્ત શાસ્ત્રી  સુરતી  જે મને  મારો મીઠું મરચું , મસાલો  , ન ખાવાનો  દૃઢ  નિર્ણય  તોડાવીને  મઘ મઘતી  સુગંધ  વાળું  ઊંધિયું ,  ખવવાવડાના  હતા   . અને હું પણ  मिले दस्ते  म्होब्बतसे वो  उंधिया  खाऊंगा यारो   , वो दलिया हो तो मैं समजुंगा खीर है यारो   .પછી  ઊંચા દેખાય છે એ દેવ જોશી  જે રદિયો એલાઉન્સ સર છે   . દર રવિવારે ન્યુ જર્સીના ટાઈમ   બપોર પછી 3 થી 5  http://www.wrsu .org  ઉપર ભારતીય સંગીત  , કોઈ કલાકારનો ઇન્ટરવ્યૂ  લ્યે છે   . મેં અહીં મારી શેર શાયરી  ગાઈ  છે  . છેલ્લા દેખાય છે તે જોસેફ પરમાર  ગુજરાત દર્પણમાં  લોકોપયોગી  માહિતીઓ લખે છે બહુ સેવા ભાવના વાળા  માણસ છે  .
       ગમે એટલો મહાત્મા હોવાનો દાવો કરતો હોય  .  મહાન ત્યાગી સંત હોય  ,   કથાકાર હોય  , એને તમે જમવા ન આપો  . અરે જમવા શું  . જમવાનું થોડું વહેલા મોડું કરો  , તોપણ એનો જીવ  આકુળ વ્યાકુળ  થઇ જાય  . એક કથાકાર   ને યજમાને જમવા બેસાડ્યા  . જમવામાં ઘણા માણસો હતા   . એમાં એક સામાન્ય ગરીબ માણસ પણ હતો   .  યજમાન સ્ત્રી  કથાકારને લાપસીમાં  ઘી પીરસવાનું ભૂલી ગઈ   . એવી રીતે  ઓલ્યા  ગરીબને પણ ઘી પીરસવાનું ભૂલી ગઈ   . ગરીબ તો કશું બોલ્યા વગર  લાપશી  પ્રેમથી ખાઈ  ગયો   . પણ કથાકારે  ઘી  કેમ નથી આપ્યું  .  મોટો વહેવાર કરવા બેઠા છો  . અને આવી કન્જુસાઈ કરો છો   ? વગેરે ઘણાં  અણગમતાં  વાક્યો સંભાળાવ્યાં  . આ સમયે એકાદ બે  છંદ આપને વાંચવા આપું છું ,  
रोटी तुझको रंग है  पावत सब संसार
ज्ञानी ध्यानी जोगी जति  जब लग ले आहार
जबलग ले आहार पार गति प्रेमकी सूझे
भूख समय  कछु बात और नर काबू न बुझे
कथे सुकवियों कान   देख देवनमे मोटी
पावत सब संसार  रंग है तुझको रोटी
કોઈ જૈન દિગમ્બર  સાધુ ને  જમવા બોલાવો  તેઓ જમવા બેઠા હોય ત્યારે  જો કૂતરાં  ભસવાનો અવાજ સાંભળી જાય તો  જમવાનું પડતું મૂકી  ઉભા થઇ જાય એટલે  યજમાને  કૂતરાં  ભગાડવાનું કામ પણ કરવું પડે  , ચાલો  વળી એક સવૈયો છંદ  આપણી સેવામાં  લખું છું  .
 भूखमे राजको तेज सब घट गयो  ,  भूखमें  सिद्धकी  रिधि हारी
 भूखमे  और वहेवार  नही  होत  है  ,  भूखमे रहत कन्या कुमारी
भूखमे कामिनी काम सो तज गई  , भूखमे  तज गयो पुरुष नारी  
 कहत कविगांग  भजन नही बन पड़त ,  चारोही बेदसे  भूख न्यारी
 તા ,ક
ચૂંટણી જીતી હોત  હિલરી  તો તો કૈંક  ચમત્કાર કરત
 તો અમેરિકન યુવતીઓ  કોપીન વગરની ફરત
 અત્યારે જે  નેવું ટકા નાગીયું બીચ ઉપર સૂર્ય સ્નાન કરતીયું હોય ઈ  પછીતો  કોપીન પણ  ન પહેરત
खुदा बचाए  ऐसी  माहजबींओ से

નકરા દુધનો રગડો ચા પીવા વાળાં દુર્ગા બા છેતરાય ગયાં .

valley-of-flowers-9

હું  વર્ષો પહેલાં અમદાવાદના  સરદારનગર માં રહેતો હતો   . તે વખતે  મારી પાસે ઘણી બકરીઓ હતી ,  બચલાં  છૂટથી ધાવતાં અને બચડાં ધરાય જાય  .  કુદકા મારે  પછી ભાનુમતી બકરીઓને દોહતી  .  અમે દૂધ વેંચતા નહીં  .  
ભાનુમતીની દુર્ગા બા  નામની બેન પણી હતી  . તે બહુ સુગાળવાં અને   મોં મચકોડવાની ટેવ વાલાં   હતાં  .  અમારા ઘરમાં  ભાનુમતી સિવાય કોઈને ચા પીવાની ટેવ નહિ   .  મારાં સંતાનો  દુર્ગાબાને દુર્ગા માસી કહેતાં  .  એક જાણવા જેવી વાત કહી દઉં  કાઠી લોકોમાં  કાઠિયાણી  પોતાના બાળકોને  પોતાની બેનપણીને માસી ન કહેવડાવતાં ફોઈ કહેવડાવે  કેમકે ચતુર  કાઠિયાણી  પોતાની બેનપણીને પોતાના  ધણીની બેન બનાવી દ્યે   . માસી તો પોતાના પતિની સાળી થાય   . અને કોઈ વખત  કાઠી  સાળીને અર્ધી ઘરવાળી  કરીનાંખે   . પણ જો બેન હોય તો  બોલવામાં પણ વિવેક રાખે   .
એક વખત દુર્ગા બા  અમારે ઘરે આવયાં    . ભાનુમતીએ  તેમને ચા પીવા માટે આગ્રહ કર્યો   . એટલે  દુર્ગા બા મોં મચકોડીને બોલ્યાં   . બળ્યો તમારો ચા   બકરીના દૂધનો પીવડાવો છો  . બકરીના દૂધની વાસ આવતી હોય છે  .  હું પીઉં તો મને ઉલ્ટી થઇ જાય   .  ભાનુમતીએ મારા નાના દીકરા સતીષને કીધું   . સતીશ  આજે તું  શોભામલની  દુકાનેથી  ભેંસનું દૂધ લઇ આવજે  ગમેતે થાય પણ આજે  દુર્ગા માસીને ચા પીવડાવેજ છૂટકો   .
समझ दारको इशारा काफी है  . સતીશ બરાબર સમજી ગયો   . તે કળશિયામાં  પૈસા  ખખડાવતો   ખખડાવતો ગયો   . અને આઘેરી બકરી ચરતી હતી તે દોહી લાવ્યો  . અને ઘરે આવ્યો   .  અને  ભાનુમતીને વાત કરીકે  આજે  માસીના નસીબે  શોભામલની દુકાને  ભરવાડ  દૂધ લઈને આવેલો   . મેં શોભામલને કીધું કે  આ તાજું  દૂધ મને આપજે  .શોભામલે  એ ભરવાડ લાવેલો  એ ભેંસના  દૂધમાંથી   દૂધ આપ્યું  . વાસણના ઉપરથી દૂધ આપ્યું હોવાથી  વધુ પડતા  ઘીના તત્વ વાળું દૂધ છે  .  ભાનુમતીએ સતીષને કીધું   . આજે તું નકરા  દુઘનોજ ચા બનાવજે  અને વધુ ચા બનાવજે  માસીને બે કપ ચા પીવડાવીને ઘણા દિવસનું સાટું  વાળવું છે  . દુર્ગા બા ચાનાં વખાણ કરતાં  જાય  . અને ચા ટહોળતાં  જાય  .  રકાબી અને કપ  છલકાય જાય  એટલા બે કપ ચા  દુર્ગા બા પી ગયા  .  અને બોલ્યા કે
હવેતો તમારે ઘરે ખાસ ચા પીવા આવવું પડશે  .
મારા એક સ્વામિનારાયણ સંપ્રદાયના  મિત્ર છે   .

આ વાત હું  અમેરિકામાં એરિઝોનામાં રહેતો ત્યારની છે   . એ મારે ઘરે આવે એટલે  ભાનુમતી પાસે  મસાલાવાળી  અને ખાંડ  ને  બદલે  મધ નાખીને ચા બનાવવાનો ઓર્ડર કરે   . અમારા એ ઘર નાજ સભ્ય હોય  એવા અમને લાગે   . બહુ પ્રેમાળ માણસ છે  . એનો સ્વભાવ મને બહુ ગમે છે અને  અમારો બન્નેનો સ્વભાવ  એમને  ગમે છે  . તેને શેર શાયરી સાંભળવી ઘણી ગમે છે તેઓ કહેતા હોય કે હું કૂવાનું દેડકું નથી  .

મહિલાઓની ઓટલા પરિષદમાં મોંઘવારીમાં કરકસર કરવાની ચર્ચા .

376c3499ed1583287cf196ae39ccb4a0
એક સાંજે  મઁદિરના ઓટલા ઉપર  કેટલીક બહેનો   આ કાતિલ મોંઘવારીમાં  કરકસર કેમ કરવી એની  ચર્ચા કરી રહી હતી   . આપ જાણો છોકે  દેશમાં  બૈરાંઓ ખાસ નોકરી કરતાં નથી હોતાં ઘરકામ કરતાં હોય છે  .  પણ ઘર વહેવારની ખુબ ચિંતા કરતાં હોય છે  . એક બહેન કહે  આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે   ધણીના પગારમાં  ઘર ખર્ચ કાઢવો બહુ  આકરો પડી જતો હોય છે  .  બાપડા ધણિયું  કેટલોક ઢરડો કરે  .  શાકભાજી જેવી વસ્તુ પણ  મોંઘી દાટ  હોય છે   .   એમાંય  ઘીનું તો મોં બારો  . હવે તમે વિચાર કરોકે  કોઈ વેવાઈ   વેલું મેમાન થયું હોય તો  એના માટે લાપશી  કે શિરો  બનાવ્યા વગર થોડું ચાલે ?
આ તમારા ભાઈને તો  સવારના શીરામણમાં પણ શિરો જોઈએ  પણ એ હમણાંથી  સમજી ગયા છે  ,   એટલે સવારે   ચા સાથે  ટાઢો બાજરાનો રોટલો ખાઈ લ્યે છે  .   પણ વાળુમાં    ઘીમાં ચૂચવટી  રોટલી અને  ખીચડીમાં  થાળીમાં  હાલી નીકળે એટલું ઘી જોઈએ   .  એની વાતો સાંભળ્યા  પછી  એક બેન બોલી   તમારા ભાઈને પણ મારા ભાઈની જેમ  ઘીમાં  ચૂચવટી  રોટલી અને ખીચડીમાં  ઘી    ખુબ જોઈએ   .
 પણ મેંતો કરકસર કરવાનું શરુ કરીજ દીધું છે   . ખીચડીમાં ઘીનું ટીપું  પણ નો નાખું  . અને એમને કહી રાખ્યું છે કે રોટલીની મદદ  થી ખીચડી ખાતા જાઓ   . રોટલીમાં પણ ટપકે એટલું ઘી હોય છે   . ત્યાં એક બેન બોલી  એને કરકસર  કરી નો કહેવાય  . હું તો તમારા ભાઈને  પહેલા બે ચમચા ઘી આપતી  પણ હવે એકજ ચમચો ઘી આપું છું  . એટલા ઘીમાં  રોટલીમાં અને ખીચડીમાં  હલવી લેવાનું  .   એમ કહીજ રાખ્યું છે  .  એની વાત સાંભળી  એક બેન બોલી  એને કરકસર કરી નો કહેવાય  .  તમારા ભાઈને પણ  ઘી વગર હાલતું નથી  .  પહેલા હું  પણ મોટો ચમચો ભરીને ઘી આપતી   ,પણ હવે  નાની ચમચી ભરીને ઘી આપું છું  . ટી સ્પૂન
એ બેનની વાત સાંભળ્યા પછી  એક બેન બોલી  તમે  વાપરો  છો  . એટલું બધું   એટલું ઘી વપરાય તો   પૂરું કેમ થાય   . હું તો તમારા ભાઈને  ચમચીના ડાંડલાથી ઘી આપું છું  બિચારા ઊંધું ઘાલીને ખાઈ લ્યે છે   . બધી સ્ત્રીઓની  કરકસરની વાતો  સાંભળ્યા  ,પછી   અત્યાર સુધી   શાંતિથી  બેઠેલા તમારા ભાનુ બા  બોલ્યાં   , જો આવી રીતે  ઘી વપરાય તો  તો  દિવાળું  ફૂંકાય જાય  . તમારા આતાને પણ  ઘી વગર જરાય નો ચાલે  હું એને કહી કહીને મરી ગઈ કે   તમને કલેસ્ટરો  થશે  . અને હાર્ટ એટેક આવશે  તો મારી શી વલે  થશે  .  તો એ કહે  હજી સુધી હાર્ટને  હું એટેક આવું એવો છું  .   માટે  ઘી  ખાવાની મને ના પાડીશ નહીં  . પાછા  ઈને ખાંડ પણ ખુબ ખાવા જોઈએ   . મેં ઈને કીધું કે  તમે દાક્તર  પાસે લોહી  તપાસડાવો  તમને ડાયાબિટીસ  હશે   .  તો ઈ બોલ્યા  . દાક્તર પાસે  ગયો હતો   .  નર્સે મારું લોહી કાઢીને ત્રણ  શી શિયું  ભરી  અને લેબોરેટરીમાં તપાસ્યું તો  લેબૉટરી વાળીએ  એવું કીધું કે  તમને ડાયા  બીટીસ નથી પણ ગાંડા  બીટીસ છે  .    બહેનો કહે બા  તમને અમે કરક્સર   કરીએ છીએ  એ બરાબર નો લાગી હવે તમે કેવી કરકસર  કરો છો એ વાત કહો  . એટલે બાએ માંડીને  વાત કરીકે  એક વખત મારો ભત્રીજો મને મળવા આવવાનો હતો ઇનીએ  મને કીધું કે ફૈબા  હું તમારા માટે શું લઈ આવું ? મેં કીધું દીકરા  થોડુંક  ઘી લેતો આવજે  ઈ ઘી  લઈ આવ્યો ઈમાંથી મેં એક શીશી  ભરીને માથે  બુચ મારી દીધું છે   . ઈ શીશી હું રોટલી ઉપર  ફેરવી લઉં   છું અને ખીચડીમાં પણ ઈ શી શી  હલાવી લઉં છું  .  ઈ મારો ભત્રીજો ગોકળ  આઠમને  દિ  શીશી   ઘી લાવેલો  એ ઘીની  શીશી  હજી હાલે છે  આજ સવા વરસ થવા આવ્યું   . પણ ઘી ખુટ્યું નથી   .  અને તમારા આતાને  ઘી વગર  કોઈ ડી લુખું ખવડાવ્યું નથી  . એ  આનું નામ કરકસર કહેવાય  .  એક બોલી બા  આ તમારી કરકસર  શીખવા જેવી ખરી  .
તા  .  ક  .
आफत आने पर  चिंता न करना   चिंतासे आफत न जाई
आफत समये  उद्यम करना  उद्यम  आफतको खाई  …
संतोभाई  समय बड़ा हरजाई 
આ મારી હરજાઈ કવિતાની  એકસો વીસમી ક્ડી   છે  .

खुदा देता है तो,छप्पर फाड़के देता है .

img_1899
એક નાના ગામડામાં  એક ગરીબી જેને આંટો લઇ ગઈ છે  એવો માણસ  રહે   . એની પત્ની બહુ પ્રેમાળ હતી   . એટલે  તેને ગરીબી સતાવતી નોતી   . એ બિચારી ખેડૂતોને ખેતી કામમાં  મદદ કરતી  . અને બે કવડિયાં કમાઈ લેતી  . એવીરીતે એનો પતિ પણ સખત મજૂરીનું કામ કરતો   . પણ બાળ બચરવાળ  માણસ એટલે  બે શિંગાં  માંડ ભેગા થતાં  .  પતિ  ભણવાની સગવડ હોવા છતાં   તે જાડી બુદ્ધિનો હોવાથી  બહુ ભણી ન શક્યો   . ખુબ ખાધોડકો હતો   . અને લૉંઠકો પણ બહુ હતો   .  લોકોના કુવા ખોદાવવા જાય તો   ખોદાણ ની માટીનું ભરેલું તગારું  કુવામાંથી સીધો ઘા કરીને  ઉપર ફેંકી દ્યે    . કુતીયાણુ એના ગામથી દોઢ ગાઉ દૂર થાય  . કુતીયાણાથી   એક ભાર કપાસિયા એટલે આઠ મણ કપાસિયા  લઇ આવે   .  લોકોએ એનું નામ ભીમ પાડેલું   . એક વખત કોઈના કામ માટે  અમદાવાદ ગયો   .  ગાડીમાં  ઝોંકાં  ખાતાં ખાતાં એને વિચાર આવ્યો કે   માનોકે ઈશ્વરીય પ્રેરણા થઇ  .  उर्दूमें  “इल्हाम ” कहते है   . કે અમદાવાદથી  પાંચ કુવા દરવાજા પાસે  દેવ દેવતાઓની   મૂર્તિઓ  વેચનારની દુકાન છે  . ત્યાંથી  કોઈ દેવ દેવીની  મૂર્તિ  ખરીદું અને  કોઈને પણ સગી બાયડીને પણ ખબર ન પડે એ રીતે  ગામના રાખહ બારે   એટલીકે દક્ષિણ  દિશા  આ દિશામાં લંકા છે  . ત્યાં પ્રાચીન કાળમાં  રાક્ષસો  વસતા હતા  .  ત્યાંની ઊંચી ટેકરી છે  .  અંબાજી પાસેની કૈલાસ ટેકરી જેવી  ત્યાં દાટી દઉં  અને  એક વરસ પછી   . લોકોને એવું કહું કે મને માં અંબા  સ્વપ્નમાં આવયાં   . અને મને કીધું કે  હું ટેકરી ઉપર દટાયેલી પડી છું  . હું મુંજાઉં  છું મને બહાર  કાઢો  .   ભીમે  મૂર્તિ ખરીદી  લીધી  .  તે વાઘેશ્વરી  અંબાજીની મૂર્તિ હતી   . અને ઘરે આવ્યો  . અને એક દિ વહેલી સવારે ટેકરી ઉપર મૂર્તિને દાટી આવ્યો   . એક વર્ષના  વાણાં  વાયાં   . મૂર્તિ દાટી હતી  . તે જગ્યાએ  ઘાસ ઉગી નીકળેલું   .
એક દિવસ ભીમે ગામમાં વાત કરીકે મને  અંબાજી માતાજી  સ્વપનામાં આવયાં અને મને કીધું કે હું ટેકરી ઉપર દથયેલી પડી છું  મુંજાઉં છું મને બહાર કાઢો  . અને મારી પ્રાણ પ્રતિષ્ઠા  કરીને સ્થાપના કરો   .  ગામનું લોક ટોળું  સ્ત્રીઓ અને પુરુષો  ભીમને સાથે લઈને ટેકરી ઉપર પહોંચ્યો   , અને ધુણવા  માંડ્યો   . અને  જમીન ઉપર થાપો  માર્યો કે જે સ્થળે  મૂર્તિ  દાટેલી હતી   .  લોકોએ  ધીમે ધીમે  ખોદીને અકબંધ મૂર્તિ બહાર કાઢી   .  અને  બહેનોએ ગરબા ગાયા  . અને ગામના એક વેપારીએ  ખુશાલીમાં ધુંવાડા બંધ ગામ જમાડ્યું     .  અને વખત જતાં  શિખર બંધ માતાજીનું મંદિર  બની ગયું   . ગામ લોકોએ  ભીમને મંદિરનો  માલિક ઠરાવ્યો  . જેમ  કાશ્મીરના  અમરનાથ   એક ઘેટાં પાળક  મુસલમાન ભરવાડે જોયા  .   અને તે વખતના કાશ્મીરના  હિન્દૂ મહારાજાએ  એ મુસલમાન ભરવાડને  અમરનાથ  નો  માલિક બનાવી દીધો  . અને આજે પણ એ મુસલમાન  ભરવાડના  વંશજો  મંદિરનું માલિક પણું  ભોગવે છે , પ્રગટ થયેલા  અંબાજીના  મંદિરનો માલિક  ભીમ અને એના વારસદારો  છે   .  ભીમે એક બ્રાહ્મણ પુજારીને પણ રાખ્યો   .  પછીતો માનતાઓ મઁડી  આવવા  પૂજારી જોર શોરથી  પ્રચાર કરવા લાગ્યો   . ઓલી કહેવત છે કે  “પીરની પીરાઇ  મૂંજવરના હાથમાં ” અને ભીમભાઈનું  ભાગ્ય આડેથી પાંદડું  ખાંસી ગયું   . ભીમ તો માલામાલ થઇ ગયો  . એના દિકરાઓ  દિકરીયું  સારી રીતે ભણીને આગળ આવી ગયું  . મઁદિરની  જે અઢળક આવક થતી  .  એમાંથી  વિદ્યાર્થીઓને  મદદ કરતો ગરીબોને છૂટે હાથે દાન કરતો   .  અને  જલારામ બાપાના રસોડાની જેમ  દરરોજ બપોરે   જમવા માટે  સાદ પડે  . કોઈબી જાતિ ભેદ કે ધર્મ ભેદ રાખ્યા સિવાય  કોઈ બી માણસ  જમી શકતો  .
તા  . ક   .
ચૂંટાણી  હોતજો  હિલરી  . તો કૈંક  ચમત્કાર કરત
તો આ મલકની યુવતીઓ   કોપીન  વગર  ની  ફરત
 જય મા  અંબાજી  ભીમને  સ્વપનામાં આવીને નિહાલ  કર્યો
એમ આ આતાવાણી  વાંચનારને વગર સ્વપ્ને નિહાલ  કરજો  .

એક શાર્કોથી ઐસી આદત કથાકારો ખા જાય “આતા “ડાલા ઉસકો ખાનેકો દૌડકે શાર્ક ચલી જાય .

lord-hanuman-rama-and-sita-wallpapers-and-images
એક અમેરિકને  શાર્ક પાળેલી  .  એ શાર્કને  એવી ટેવ થઇ   ગએલી કે તે  કથાકારો  . માળા ફેરવનાર ભક્તો  , ભજનિકો  વાર્તાકારો  ભગવા  વસ્ત્ર ધારી  બાબાઓ  વગેરેને શાર્કને  ખાવા માટે એના માલિકને બંદોબસ્ત કરવો પડે   અને આપ જાણો છોકે  કથાકારો  ભગવા વસ્ત્ર ધારી બાબાઓ નો ભારતમાં ક્યાં તોટો છે   . અને અવારનવાર  અમેરિકામાં વસનારા ભારતીઓનું  કલ્યાણ કરવા આવતાજ હોય છે   .  અને દાન  દક્ષિણા નું ખિસ્સું   ભરી ભારત   પરત જતા હોય છે   . આવા  કથાકારો  ભગવા વેશ ધારી  કહેવાતા  મહાત્માઓ  ને લાવી લાવીને શાર્કનો માલિક  શાર્કને ખાવા માટે  આપતોજ હોય છે    . અને શાર્ક પણ આવા ભગવા વસ્ત્રો વાળાઓને  એક દમ બહુ ઝડપથી ખાઈ જાય   . એક દિવસ ઓલ્યા  આતાવાણીવાળા  આતા ભટકાણા   આતા  એવા વાતુડાકે  વાતો કરતા થાકેજ નહિ  , એક વખત  એક સજ્જનને ત્યાં વાર્તાકાર  આવેલો   . એને સાંભળવા માટે  મિત્ર મન્ડળને સજ્જને તેડાવેલા  એમાં આતા પણ ખાસ તેડાવેલા  ,  કોઈકે આતાને કૈંક પૂછ્યું  . અને આતા  વાતુએ ચડ્યા   અને લોકોને પણ એમની વાતો સાંભળવામાં રસ પડ્યો   .  એટલે આતાને બહુ પોરસાવ્યા  અને આતાએ  બરાબર જવા દીધી  .
પછી ઘણું ટાણું  વીતી ગયું  . લોકોને ઘરે જવાનો ટાઈમ  થઇ ગયો  . લોકો જવા મંડયા એટલે  .  ઘરધણીએ કીધું કે   આ વાર્તા કારણે નથી સાંભળવો ? એ બિચારો  વાર્તા કરવાની વાત જુવે છે  . ત્યાં એક જણ બોલ્યો આ આતા  વાર્તા કરવાનો સમય આપેતો એ બિચારો વાર્તા કરે  આતાએ વારોજ  ક્યાં આવવા દીધો છે  , ?  આવા ગપોડી આતાને લઈને   શાર્કનો માલિક પોતાને ઘરે  શાર્કને ખાવા માટે લઈ ગયો   . શાર્કના  માલિકની  વિશાળ પ્રોપર્ટીમાં  એક મોટા સરોવરમાં  શાર્કને રાખેલી   .  આતાને  શાર્કને ખાવા માટે  સરોવરમાં નાખ્યા   .  કથાકારોને મિનિટમાં  ખાઈ જતી  શાર્ક આતાને જોઈને  સરોવરમાંથી બહાર નીકળીને  ભાગવા માંડી  .
 હવે આપ મિત્રોને વાંચવા માટે   બીજું આપું છું   . કેમકે ઉપરની વાત વાંચી આપણે થાક લાગ્યો હશે  તો હવે નવી વાત  આપણે વાંચવા આપું છું  .
એક નાના ગામડામાં એક શિક્ષક  હતો તે દરરોજ વહેલી સવારે  દૂર જન્ગલમાં જાજરૂ માટે જાય  , તે સમયે   ,  જાજરૂ જવા માટે  દૂર  ખુલ્લામાં જવું પડતું તે જમાનામાં  નજીકમાં ટોયલેટની સગવડ નોતી  અને અમેરિકાની જેમ  ઘરમાંજ ટોયલેટ નોતું  અમેરિકામાં    ઘણા ઘરોમાં રસોડાને  અડીનેજ ટોયલેટ હોય   . આ શિક્ષક   સવારે જાજરૂ જાય ત્યારે  ગામની પરવાડમાં  હાથલિયા  થોર  હતા   . આ હાથલિયા  થોરમાં માસ્તર  જ્યારે જાજરૂ જાય ત્યારે  ખીલીથી  થોરમાં  શ્રીરામ  શ્રીરામ એવું લખતો જાય   . વર્ષો પછી એ શિક્ષકની  બીજે ગામ બદલી થઇ ગઈ   .  હવેના જમાનામાં  “ભણતર  ,ચણતર  , અને જણતર   ” વધી ગઈ છે   .  થોરમાં શિક્ષક  શ્રીરામ લખતો હતો  . તેની નજીક એક રામાનંદી બાવાનું ઘર   આ શ્રીરામ વાળા થોર  બાવાની પ્રોપર્ટીમાં હતા   . બાવાને  મકાન બાંધવાની જરૂર પડી એટલે  થોર કાઢી નાખવા  પડે એમ હતા   , એટલામાં  શ્રીરામ શબ્દો  થોરમાં દેખાણાં   એટલે ગામલોકે બાવાને વાત કરીકે  આ થોરમાં રામ પધાર્યા છે , માટે  તે જગ્યાએ  રામ મન્દિર  બનાવીએ  તું ઘર બીજે બનાવી લે  , મઁદિરનો માલિક તો તુંજ  રહેવાનો  અમે ગામલોકો ફાળો કરીને  મઁદિર  બાંધી આપીશું  . બાવો કબૂલ થયો અને જોત જોતામાં  તો રામ મઁદિર  બની ગયું   . પછીતો બાજુમાં ધર્મ શાળા પણ બની ગઈ   .  અને  હાથલા  વાળા શ્રીરામ તો બહુ પ્રસિદ્ધિ પામ્યા   . ક્યાંય  ક્યાંય થી લોકો દર્શન કરવા આવવા લાગ્યા  બાવો તો માલામાલ થઇ ગયો  . એક દિવસ  સાતમ આઠમના દિવસોમાં  ધર્મ શાળામાં  લોકો જુગાર રમવા બેસી ગયા  . બાવાની ઘરવાળી  જુગારીઓને  ચા પીવડાવવા મંડી  ગઈ   . અને જુગારિયોં  પૈસા આપવા મંડી ગયા પછી  બાવાને વિચાર આવ્યો કે  કાયમ જુગાર રમી શાકકય એવી વ્યવસ્થા  કરીએ   એટલે થોડી વધારે આવક થઇ જાય  . અને જુગારનો અડ્ડો ચાલુ થઇ ગયો અને પછી તો મદિરાલય  (મયખાના )  ચાલુ કર્યું  .  અને  મયખાનામાં દારૂ પીરસનારી  રૂપાળી  સાકી  પણ રાખી લીધી   .   અને મઁદિરની  સાથે સાથે  આવા બીજા ધંધા પણ ચાલુ થઇ ગયા  . નારી કેન્દ્ર પણ  ચાલુ થઇ ગયું  .
રઘુપતિ   રાઘવ  રાજારામ    પતિત પાવન સીતારામ    

એક કુંડળીઓ છંદ મારા મનો રંજન માટે લખું છું . અને આપને વાંચવા આપું છું .

dsc_0285

અંગ્રેજો ભારતમાં વેપાર કરવાના ઇરાદે આવેલા  તે પછી ભારતના રાજા બની બેઠા  . તે મતલબનો કુંડળીઓ છંદ  લખું છું  .
टोपी तखतपे आयके  मुकुक  किया सब ज़ेर
छिन्नभिन्न सरदार किये  छीनवी लई समशेर
छीनवी लई समशेर  सुरमा रह्या न कोई
होगये  अजा समान  अपनी सब इज़्ज़त खोई
कहे सु कविया कान  गढ़पति  हो गए गोपी
 कहा करूं फरियाद  तखतपे आई टोपी
આપણા શાસ્ત્રોએજ  રાજાને પરમેશ્વરનો અંશ ગણી લીધેલો  એટલે કોઈએ ખાસ વિરોધ ઉઠાવ્યો નહિ  . પણ રાજાઓ નિર્વંશ  જાય એનું રાજ્ય  કબ્જે કરી લેવા માન્ડ્યા  .  અને  ભારતનો શહેંનશાહ  નબળો પડી ગયેલો  . એના રાજ્યની ઇમારતના પાયા  હચ મચી ગયા હતા  . એટલે આખા ભારત ઉપર કબ્જો  કરી લેવો સહેલો થઇ ગયો હતો   .
પોતાની પ્રશંશા  કોને ન ગમે? ભગવાનને પણ પ્રશંશા  ગમે છે  . એને કંઈક    ભેટ  આપીયે એ ગમે છે  .  એવું આપણે માનીએ છીએ  અને એટલતો આપણેએની આરતી ઉતારિયે છીએ  એને  જમાડવા માટે  ભોજનની વાનગીઓના વખાણ કરીએ છીએ  કે ભગવાન જમવા  માટે લલચાય  . હું જયારે ભોજનનો થાળ  બહેનો  ગાતીયું  હોય   ત્યારે સાંભળીને મારા મોઢામાં  પાણી આવી જાય   .  અને ક્યારે  જમવાનું મળે  .એવી વાટ જોતો હોઉં   . એવી રીતે મને મારા લખાણની  કોઈ પ્રશંશા કરે એ ગમે  પણ  માંગીને પ્રશંશા  લેવી ગમતી નથી  . ગોરખ નાથ કહી ગયા છે કે  सेज मिला वो दूध बराबर  मांग  लिया सो पानी
 झोंट  लिया सो रक्त  बराबर   ये है गोरख नाथकी बानी
 મારા લખાણની કોમેન્ટ આપનારા મારા લખાણ કરતાં  પણ મોટી કોમેન્ટ આપનારા  બ્લોગર  ભાઈ બેન છે  .
એક ખાનગી વાત આપને કહી દઉં   . હું પહેલ વહેલો  અમેરિકા આવ્યો ત્યારે  ઈંગ્લીશ જરાય સમજતો નોતો કે બોલી શકતો નોતો અને અમેરિકાના રિવાજથી  બિલકુલ અજાણ મારા ભાઈ અને દિકરાનાં  સસરા પક્ષના  માણસો અમેરિકન  એ લોકો મને મળવા આવે   . હું ગામડિયો  એટલે મને કોઈ સ્ત્રી ભેટે તો હું  ભાગતો   .  એક  મારા જેવો ગામડિયો  અમેરિકા આવવા માટેનો વિરોધ દર્શાવતો  તે મતલબના કાવ્યની એક કડી લખું છું   .
બોળા  પાણી તોય પાણી ન લ્યે  ઈના જીવા  કેમ કરી થાવું  . હેજી    અર્ધાં  નાગાં થઇ  તડકે સુવે  ઇના   ભેગા  કેમ ભળી જાઉં બાપલીયા મારે અમેરીકા નથી જાઉં   મને એક દિવસ બીચ  ઉપર  લઇ ગયા   . ઓહોહો  મારા ગામડિયાથી તો જોયું નો જાય હો   મેં મને  બીચ ઉપર લઇ જનાર ભાઈને કીધું  . ભાઈ  આ છોકરિયુંને કે  ને  કે  એ વધારે નહીં તો   એની કેડે થી હેઠો શરીરનો ભાગ ઢાંકે એ ભાઈ કહે  એવી સલાહ નો અપાય આ ઇન્ડિયા નથી  . આતો  સ્ત્રીઓનો પરિબળ વાળો દેશ  એવું ડહાપણ ડોળવા  જાઓ  તો  છોકરીયુંને  નો ગમે  અને એ કદાચ  ઝઘડો  પણ કરી બેસે    . એક ભાઈ કહે તમે જાઓ  અને અમે શીખવીએ  એ પ્રમાણે ઇંગ્લીશમાં  બોલજો  .   હું છોકરીયું  પાસે હસતો હસતો ગયો  . ગુડ મોર્નીગ કીધું અને પછી હું બોલ્યો  . બેનું દીકરીયું  તમે જો થોડુંક  તમારું અંગ ઢાંકો તો સારિયું લાગો  આ નાગી પુગિયું ભૂંડિયું લાગો છો  . મારી વાત સાંભળીને  એક છોકરી બોલી  આવી સુંદરતા અમારી તું જોઈ ન શકતો હોય તો     તારી આંખો બંધ કરી દે  આંખ ઉપર પટી  બાંધી દે   આ કુવૈત કે સાઉદી  અરેબિયા નથી કે ફક્ત આંખની  કિકી દેખાય એટલી આંખ ખુલ્લી  હોય  . બાકીનું અંગ   એકદમ ઢીલા કપડાથી ઢાંકેલું હોય  .  આ ઉપરથી એક કાવ્યની કડી  બનાવી કે द्रौपदी  के वस्त्र निकाले  महाभारत  होजाई
 अमरीकन लड़कीको  वस्त्र  पहेनावो तो महाभारत होजाई  .  यारो  कॉमेंट के बारेमे एक कलाम
 मांगे कॉमेंट वो गैर  हम वो ब्लॉगर नही

 कुछ आपकी बराबर  ,  शउर भी हम नही   . शऊर  = अक़्लमंद  .

ધૂતારો માર ખાવાની વાટ જોયા વગર જલ્દીથી ભાગીજ ગયો .

20161105_174936
વિસ વર્ષના આતા  ધૂતારાને  ભગાડતા હતા   . હવે આ 95 વરસના આતાને  ધૂતારીયુ ભગાડી જાય છે  .
Ataai
 હું પહેલી વીશીનો જુવાન હતો ત્યારની આ વાત   લખું છું  . મારા ગામ દેશીંગામાં મારા બાપદાદાના ફળિયામાં   ત્રણ ઘર હતાં  . એમાં એક ઘરમાં  મારા  હરિ કાકા બીજા ઘરમાં મારા  કુટુંબી કાકા જેઠા કાકા  જેના વિષે મેં  અગાઉ  ભૂત ભગાડનાર  ભુવાને  ભગાડવાની વાત લખી છે  . અને એક ઘરમાં   મારા બાપાના ફોઈના દિકરાના દિકરાની
એક v વિધવા  પત્ની   બે દીકરાઓની મા દિવાળી બેન રહે      . મારા બાપા  અમુક કારણ સર  બાપ દાદાની મિલ્કતમાં ભાગ લીધા વગર  થોડે દૂર રહેવા જતા રહેલા   .અમારી જ્ઞાતિનો જે નાનકડો   ગોળ  હતો એમાં  કેટલાક ઘેડ વિસ્તારમાં રહે જે ખેતી વાડીનો ધંધો કરતા   . થોડા કચ્છમાં અને  થોડા હાલારમાં રહેતા   . જામનગરમાં એક પ્રસિદ્ધ માણસ  રહેતા હતા  . તે મોરારજી શાસ્ત્રીના  નામે  અમારી બાજુ  પટેલ વગેરે ઘણી જ્ઞાતિઓમાં  કન્યા વિક્રય થતો   . જો કે  હવે બધું બંધ છે  . કન્યા વિક્રય હોવાના કારણે  ગરીબ માણસના દિકરા કુંવારાજ રહી જાતા  . ઘણી છોકરીયુંના  બાપને પુષ્કળ  પૈસા આપવા પડતા   . એક દિવસ એક ઠગ દિવાળીબેનનો મહેમાન બન્યો   . તેણે દિવાળી બેનને વાત કરીકે    મારે બે દિકરીયું  છે  .  એને  હું  ધોરે ધર્મે  તમારા દિકરાઓ સાથે  સગાઈ કરવા માગું છું   .  જે  કન્યાના બાપને   પૈસા આપવા ન પડે અને  છોકરાના લગ્ન થઇ જાય  એ માટે ધોરે ધર્મે અથવા કંકુને  ચાંદલે  કન્યા આવી એ શબ્દ વાપરવામાં આવતો  .
 ઠગે પોતાની ઓળખાણ  આપતા જણાવ્યું કે હું મોરારજી શાસ્ત્રીનો દીકરો છું , અને તમારું ઘર તમારો પ્રેમ ભાવ  તમારા દિકરાઓને જોઈ હું  ઘણો ખુશી થયો છું  . માટે મારી બન્ને દિકરીયુંને તમારા દિકરાઓને કંકુના  ચાંદલે આપવા માગું છું   . એવી  ઘણી મીઠી મીઠી  વાતો કરી  દિવાળી બેનને  બરાબર  શીશામાં ઉતારી દીધા  . દિવાળી બેંનતો ખુબ હરખાઈ ગયા   . અને એ ઠગ માટે  લાપશી  વગેરે  બનાવવા મંડી ગયાં  .  મારા હરિકાકાને બધી વાત કરી  . નિખાલસ હૃદયના  હરિકાકા ખુબ હરખાઈ  ગયા   . અને મારે ઘરે આવ્યા    . અને મને આ માનવંતા  દિવાળીબેનના  મહેમાનને  મળવા માટે બોલાવી ગયા  .  હું મહેમાન પાસે  બેઠો   .  અને એની વાતો સાંભળવા માન્ડ્યો   .  દિવાળી બેન મને ઘરમાં બોલાવીને   મને વાત કરીકે આ બહુ મોટા માણસ છે  . એની સાથે બહુ વિવેકથી વાત કરજે  . આ વખતે  હરિકાકા  જરૂરી વસ્તુ લેવા બહાર ગયેલા  , હું એકલોજ  મહેમાનની વાતો સાંભળતો હતો  . એની ચાલાકી ભરેલી  મીઠી વાતો અને દિવાળી બેન પ્રત્યેનો વર્તાવ જોઈ  મને વ્હેમ પડ્યો કે આ સારો માણસ નથી  .  એટલામાં હરિકાકા પણ આવી ગયા   . સાંજની વેળા  હતી  . દિવાળીબેન ઘરમાં રસોઈ કરવામાં  વ્યસ્ત હતાં   . મને થયું કે આ માણસને  જેમ બને તેમ જલ્દી કાઢી મુકવો જોઈએ   . એટલે મેં   ઠગને  કીધું કે  તમે અહીંથી જલ્દી જતારહો   .  મારી વાત સાંભળી  દિવાળી બેન બોલ્યાં   . તું મહેમાનને  કેમ જવાનું કહે   છે  . ત્યાંતો મારા હરિકાકા તાડુક્યા  . તારામાં અક્કલ છે કે નહિ   .  મહેમાનને આવું કેમ કહે છે   .  પછી  મહેમાન સામુ  જોઈ   અને બોલ્યા    . એતો અક્કલ વગરનો છે   .    એની વાત બાબત  દુ :ખ ન લગાડતા    પછી હું ઠગ સામું જોઈને બોલ્યો  . તું જલ્દીથી જાય છે કે નહિ  .  .  પણ હરિકાકા અને દિવાળી બેન બન્ને પોતાના   પક્ષમાં છે  .  એવું માની  અને  ઠગ  મારા ઉપર ગુસ્સે થઈને બોલ્યો   .  તું મને કાઢનારો કોણ છો  .  પછી મેં હરિકાકાના ઘરની આડી   માંથી કુવાડી કાઢી અને  હું કુહાડી ઉગામીને  તૈયાર  થયો  .  હરિકાકા અને દિવાળી બેન મારા સ્વભાવને  જાણે  એટલે બન્ને ઢીલા પડી ગયા  . અને ઠગ પણ ઢીલો ઢફ થઇ ગયો  . અને નજાઉ છું એમ કહીને  પોતાનો ઘરડો ઘોડો છોડીને    સવારીમા કરીને હાલતો થઇ ગયો  . અને  રાત પડી ગઈ  હતી  . એ સીધો   દેશીંગાથી  દોઢેક ગાઉ દૂર  આવેલા સરાડીયા  ગામે બ્રાહ્મણના  ઘરની સાંકળ ખખડાવી   ઘર ધણીએ  બારણું ઉઘાડ્યું  . અને અતિથિને  આવકાર્યા પોતાને ભૂખ લાગીછે   . અને ફક્ત રાત રોકાવું છે  .અને વહેલી સવારે હું તમે ઊંઘતા  હશો   . ત્યારે મળસ્કે હું નીકળી જવાનો છું  .  .   એટલે અત્યારથીજ તમારી વિદાય લઇ લઉં છું  .  ઘરધણિયાણી  એ  એ સમયે કાળી  રાત્રે  અતિથિ  દેવો  ભવ  એ ન્યાયે  જમાડ્યા   . રાત્રે સુવા માટે  સરસ ગાદલું પાથરી આપ્યું   . ઓઢવા માટે નવી ચાદર અને નવો ધાબળો  આપ્યો  , રાત્રે તરસ લાગે તો  પાણી પીવા માટે  જર્મન સિલ્વરનો લોટો અને ગ્લાસ આપ્યો  . અને વહેલો ઉઠીને  ઠગ રાક્ષસો ભવ  જેટલું લેવાય એટલું કામળો ચાદર  લોટો ગ્લાસ લઈને  પોબારા ગણી ગયા  .  અને સીધા કુતીયાણાથી  ઉત્તરે આવેલ  ધ્રુવારા ગામે ગયા  .  અને જેઠાલાલ જોશી નામના  વેપારીના મહેમાન બન્યા  . અને તેને વાત કરીકે  હું મારી  દિકરીને  તમારા નદીકરાને કંકુને ચાંડાલે આપવા માગું છું  . જેતથાલાલ રાજીના  રેડ  થઇ ગયા  .  બરાબર મોકો જોઈને ઠગે વાત કરીકે  હું તમારા દિકરાને  માટે  કે જે મારો જમાઈ બનવાનો છે  . એના માટે  ધોતી જોટો  શ્રીફળ વગેરે  લેવા જવા માટે  કુતિયાણા  જાઉં   છું  . પાછી આપ મારે ઘરે પધારો  કન્યાને જોઈ લો અને અમે સૌ અમારા જમાઈને જોઈ લઈએ  . અને અમને તમારું સ્વાગત કરવાનો લાભ આપો   .   તમને જો વાંધો ન હોય તો હું આ તમારી ઘોડી લઇ જાઉં  એટલે  જલ્દી  આવી શકું  .  મારો ઘોડો ખુબ થાકેલો છે  .એટલે એને હું વધારે  હાલ પૂરતી તકલીફ આપવા માગતો નથી   . અને બીજું મારી  પાસે  પૈસાપણ ખૂટી ગયા છે।  એટલે બસ્સો રૂપિયાની પણ જરૂર પડશે માટે  મને પૈસા પણ આપવા તમારે કૃપા કરવી પડશે  . હરખથી ફુલાઈ ગયેલા જેઠાલાલે  કીધું કે  સો રૂપિયા વધારે લઇ જાઓ  વધારે પૈસા પાસે હોય તો મૂંઝાવું નો પડે  ,   ઠગ કહે તમે કેટલા સમજદાર માણસ છો   . એવું કહી  જેઠાલાલની માણકી ઘોડી અને  ત્રણસો રૂપિયા લઈને  ઠગ ભાઈ ગયા ઈ ગયા   .   જ્યારે હરિકાકાને આ ઠગની લીલાની ખબર પડી ત્યારે મારે ઘરે આવીને મારો વાંહો  થાબડીને મને શાબાશી આપી  .
    લોભિયા અને લાલચુ વસતા હોય ત્યાં  ધુતારા ભૂખે નો મરે   .

ધૂતારો માર ખાવાની વાટ જોયા વગર જલ્દીથી ભાગીજ ગયો .

fat-gray-horse-in-pasture

હું પહેલી વીશીનો જુવાન હતો ત્યારની આ વાત લખું છું . મારા ગામ દેશીંગામાં મારા બાપદાદાના ફળિયામાં ત્રણ ઘર હતાં . એમાં એક ઘરમાં મારા હરિ કાકા બીજા ઘરમાં મારા કુટુંબી કાકા જેઠા કાકા જેના વિષે મેં અગાઉ ભૂત ભગાડનાર ભુવાને ભગાડવાની વાત લખી છે . અને એક ઘરમાં મારા બાપાના ફોઈના દિકરાના દિકરાની
એક v વિધવા પત્ની બે દીકરાઓની મા દિવાળી બેન રહે . મારા બાપા અમુક કારણ સર બાપ દાદાની મિલ્કતમાં ભાગ લીધા વગર થોડે દૂર રહેવા જતા રહેલા .અમારી જ્ઞાતિનો જે નાનકડો ગોળ હતો એમાં કેટલાક ઘેડ વિસ્તારમાં રહે જે ખેતી વાડીનો ધંધો કરતા . થોડા કચ્છમાં અને થોડા હાલારમાં રહેતા . જામનગરમાં એક પ્રસિદ્ધ માણસ રહેતા હતા . તે મોરારજી શાસ્ત્રીના નામે અમારી બાજુ પટેલ વગેરે ઘણી જ્ઞાતિઓમાં કન્યા વિક્રય થતો . જો કે હવે બધું બંધ છે . કન્યા વિક્રય હોવાના કારણે ગરીબ માણસના દિકરા કુંવારાજ રહી જાતા . ઘણી છોકરીયુંના બાપને પુષ્કળ પૈસા આપવા પડતા . એક દિવસ એક ઠગ દિવાળીબેનનો મહેમાન બન્યો . તેણે દિવાળી બેનને વાત કરીકે મારે બે દિકરીયું છે . એને હું ધોરે ધર્મે તમારા દિકરાઓ સાથે સગાઈ કરવા માગું છું . જે કન્યાના બાપને પૈસા આપવા ન પડે અને છોકરાના લગ્ન થઇ જાય એ માટે ધોરે ધર્મે અથવા કંકુને ચાંદલે કન્યા આવી એ શબ્દ વાપરવામાં આવતો .
ઠગે પોતાની ઓળખાણ આપતા જણાવ્યું કે હું મોરારજી શાસ્ત્રીનો દીકરો છું , અને તમારું ઘર તમારો પ્રેમ ભાવ તમારા દિકરાઓને જોઈ હું ઘણો ખુશી થયો છું . માટે મારી બન્ને દિકરીયુંને તમારા દિકરાઓને કંકુના ચાંદલે આપવા માગું છું . એવી ઘણી મીઠી મીઠી વાતો કરી દિવાળી બેનને બરાબર શીશામાં ઉતારી દીધા . દિવાળી બેંનતો ખુબ હરખાઈ ગયા . અને એ ઠગ માટે લાપશી વગેરે બનાવવા મંડી ગયાં . મારા હરિકાકાને બધી વાત કરી . નિખાલસ હૃદયના હરિકાકા ખુબ હરખાઈ ગયા . અને મારે ઘરે આવ્યા . અને મને આ માનવંતા દિવાળીબેનના મહેમાનને મળવા માટે બોલાવી ગયા . હું મહેમાન પાસે બેઠો . અને એની વાતો સાંભળવા માન્ડ્યો . દિવાળી બેન મને ઘરમાં બોલાવીને મને વાત કરીકે આ બહુ મોટા માણસ છે . એની સાથે બહુ વિવેકથી વાત કરજે . આ વખતે હરિકાકા જરૂરી વસ્તુ લેવા બહાર ગયેલા , હું એકલોજ મહેમાનની વાતો સાંભળતો હતો . એની ચાલાકી ભરેલી મીઠી વાતો અને દિવાળી બેન પ્રત્યેનો વર્તાવ જોઈ મને વ્હેમ પડ્યો કે આ સારો માણસ નથી . એટલામાં હરિકાકા પણ આવી ગયા . સાંજની વેળા હતી . દિવાળીબેન ઘરમાં રસોઈ કરવામાં વ્યસ્ત હતાં . મને થયું કે આ માણસને જેમ બને તેમ જલ્દી કાઢી મુકવો જોઈએ . એટલે મેં ઠગને કીધું કે તમે અહીંથી જલ્દી જતારહો . મારી વાત સાંભળી દિવાળી બેન બોલ્યાં . તું મહેમાનને કેમ જવાનું કહે છે . ત્યાંતો મારા હરિકાકા તાડુક્યા . તારામાં અક્કલ છે કે નહિ . મહેમાનને આવું કેમ કહે છે . પછી મહેમાન સામુ જોઈ અને બોલ્યા . એતો અક્કલ વગરનો છે . એની વાત બાબત દુ :ખ ન લગાડતા પછી હું ઠગ સામું જોઈને બોલ્યો . તું જલ્દીથી જાય છે કે નહિ . . પણ હરિકાકા અને દિવાળી બેન બન્ને પોતાના પક્ષમાં છે . એવું માની અને ઠગ મારા ઉપર ગુસ્સે થઈને બોલ્યો . તું મને કાઢનારો કોણ છો . પછી મેં હરિકાકાના ઘરની આડી માંથી કુવાડી કાઢી અને હું કુહાડી ઉગામીને તૈયાર થયો . હરિકાકા અને દિવાળી બેન મારા સ્વભાવને જાણે એટલે બન્ને ઢીલા પડી ગયા . અને ઠગ પણ ઢીલો ઢફ થઇ ગયો . અને નજાઉ છું એમ કહીને પોતાનો ઘરડો ઘોડો છોડીને સવારીમા કરીને હાલતો થઇ ગયો . અને રાત પડી ગઈ હતી . એ સીધો દેશીંગાથી દોઢેક ગાઉ દૂર આવેલા સરાડીયા ગામે બ્રાહ્મણના ઘરની સાંકળ ખખડાવી ઘર ધણીએ બારણું ઉઘાડ્યું . અને અતિથિને આવકાર્યા પોતાને ભૂખ લાગીછે . અને ફક્ત રાત રોકાવું છે .અને વહેલી સવારે હું તમે ઊંઘતા હશો . ત્યારે મળસ્કે હું નીકળી જવાનો છું . . એટલે અત્યારથીજ તમારી વિદાય લઇ લઉં છું . ઘરધણિયાણી એ એ સમયે કાળી રાત્રે અતિથિ દેવો ભવ એ ન્યાયે જમાડ્યા . રાત્રે સુવા માટે સરસ ગાદલું પાથરી આપ્યું . ઓઢવા માટે નવી ચાદર અને નવો ધાબળો આપ્યો , રાત્રે તરસ લાગે તો પાણી પીવા માટે જર્મન સિલ્વરનો લોટો અને ગ્લાસ આપ્યો . અને વહેલો ઉઠીને ઠગ રાક્ષસો ભવ જેટલું લેવાય એટલું કામળો ચાદર લોટો ગ્લાસ લઈને પોબારા ગણી ગયા . અને સીધા કુતીયાણાથી ઉત્તરે આવેલ ધ્રુવારા ગામે ગયા . અને જેઠાલાલ જોશી નામના વેપારીના મહેમાન બન્યા . અને તેને વાત કરીકે હું મારી દિકરીને તમારા નદીકરાને કંકુને ચાંડાલે આપવા માગું છું . જેતથાલાલ રાજીના રેડ થઇ ગયા . બરાબર મોકો જોઈને ઠગે વાત કરીકે હું તમારા દિકરાને માટે કે જે મારો જમાઈ બનવાનો છે . એના માટે ધોતી જોટો શ્રીફળ વગેરે લેવા જવા માટે કુતિયાણા જાઉં છું . પાછી આપ મારે ઘરે પધારો કન્યાને જોઈ લો અને અમે સૌ અમારા જમાઈને જોઈ લઈએ . અને અમને તમારું સ્વાગત કરવાનો લાભ આપો . તમને જો વાંધો ન હોય તો હું આ તમારી ઘોડી લઇ જાઉં એટલે જલ્દી આવી શકું . મારો ઘોડો ખુબ થાકેલો છે .એટલે એને હું વધારે હાલ પૂરતી તકલીફ આપવા માગતો નથી . અને બીજું મારી પાસે પૈસાપણ ખૂટી ગયા છે। એટલે બસ્સો રૂપિયાની પણ જરૂર પડશે માટે મને પૈસા પણ આપવા તમારે કૃપા કરવી પડશે . હરખથી ફુલાઈ ગયેલા જેઠાલાલે કીધું કે સો રૂપિયા વધારે લઇ જાઓ વધારે પૈસા પાસે હોય તો મૂંઝાવું નો પડે , ઠગ કહે તમે કેટલા સમજદાર માણસ છો . એવું કહી જેઠાલાલની માણકી ઘોડી અને ત્રણસો રૂપિયા લઈને ઠગ ભાઈ ગયા ઈ ગયા . જ્યારે હરિકાકાને આ ઠગની લીલાની ખબર પડી ત્યારે મારે ઘરે આવીને મારો વાંહો થાબડીને મને શાબાશી આપી .
લોભિયા અને લાલચુ વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે .