Monthly Archives: ડિસેમ્બર 2014

જેઠા કાકાએ ભેર ભેર બહુચર માતકી જય બોલાવી

મારા ગામ દેશીંગામાં  એક ગોવિંદ ભાઈ લુહાર રહે  ,તે બહુ સાધુ સંતની સેવા કરવાવાળો માણસ એને ત્યાં  સાધુ કે કોઈ ભગત આવે તો એને મન ભાવતાં ભોજન કરાવે  , અને બની શકે તો થોડી  દક્ષિણા  પણ આપે  .
એક વખત એને ત્યાં એક ઠગ આવ્યો  .એ કહે હું અખંડ બાલ બ્રહ્મચારી છું  . હવે જે બ્રહ્મચારી હોય એ બ્રાહ્મણની પાસેથીજ  પૈસા લ્યે  કોઈ બીજી જાતિના લોકો પાસેથી  કશું ન લે  દેશીંગામાં   જે બ્રાહ્મણ હતા  એની પાસેથી પૈસા લઈને પછી ગોવિંદ ભાઈ લુહારના  ઘરે  પોતે જાતે રસોઈ બનાવે અને જમે  ભોજન સામગ્રી  ગોવિંદ ભાઈ લાવી આપે  .મારા સગાકાકા હરિકાકા  કોઈ બ્રહ્મચારી કે શુક્લ આવે એને ભેગો લઈને બ્રાહ્મણો પાસેથી પૈસા અપાવે  .  હરિકાકા  બહુ નિખાલસ દિલના  , આભડ છેટમાં  ખુબ માનનારા  અને બહુ વહેમી હતા  .મારા કાકા એટલે એમને હું મૂરખ તો નહિ કહું પણ બહુ ભોળા હતા , એમ કહીશ   . જયારે મારા જેઠા કાકા એ મારા બાપાના કાકાના દીકરા ભાઈ થાય  . એ બહુ ભારાડી માણસ  તે વહેમમાં જરાય ન માને મૂર્તિ પૂજામાં  પણ જરાય  નો માને   પણ એમનો ધંધો યજમાન  વૃતિનો એટલે યજમાનને  કેમ વધુ મૂરખ બનાવીને  પૈસા ક્ઢાવાય  એની આવડત વાળા ખરા  . કોઈને ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય એ કાઢી  મુકવાની પોતે વિદ્યા  જાણે છે  એવો દાવો કરે ખરા  .ગોવિંદભાઈને  જેઠા કાકા પ્રત્યે ઘણું માન  જેઠા કાકા  ગોવીદભાઈને  વહેમના ખાડામાં પડતા બચાવે  .
બ્રહ્મચારીએ  ગોવિંદ ભાઈને  એક વખત કીધું કે  તું મારી બહુ સેવા કરે છે એટલે  મારો વિચાર છે કે હું તુને સેવાના બદલામાં  માલામાલ કરી શકું એમ છું  , ગોવિંદ ભાઈને એવો વિચાર  ન આવે કે  તું મને  માલામાલ  કરવાની વાતો કરે છે  .  તો  તું પોતે કેમ  ભીખ માગતો ફરે છે  . તું જાતે માલામાલ  થઇ જાને ? ગોવીન્દ્ભાઈને  ઠગે (આવાને બ્રહ્મચારી કેવામાં  મારી શોભા નહિ )વાત કરીકે  હું તાંબા માંથી  સોનું બનાવી જાણું છું  .એક તોલાનું  સાચા  સોનાનું  મેળવણ નાખવાથી અને બીજી જડી બુટ્ટી  નાખવાથી  60 તોલા તાંબુ સોનું બની જાય છે  .  મારી પાસે જડીબુટ્ટી ખલાસ થઇ ગઈ છે એટલે  ગિરનારના  જંગલોમાં  જડી બુટ્ટી શોધવા જવું પડશે , એના માટે ખોદ કામ કરવા  મજુરને સાથે લઇ જવો પડે  વળી હું ગાડીમાં  બેસીને જાઉં  એના અને મજુરના ખર્ચ પેટે તું મને દસ રૂપિયા આપ  .એમ ગોવીન્દ્ભાઈને કહીને એમની પાસેથી દસ રૂપિયા  પડાવ્યા  . અને પોતે કાલે સાંજની ગાડીમાં આવી જશે  . એવું કહીને રવાના થયો  .એના ગયા પછી  . ગોવિંદભાઈ  જેઠા કાકાને મળ્યા  . અને તેમને  બધી વાત કરી   . જેઠા કાકા બોલ્યા  હું રાતે તારે ઘરે આવવાનો છું   .  અને પછી  ઠગની હું સોનું બનાવવાની  વિદ્યાને હું  એને   હું એક તોલા સોનામાંથી  500 તોલા સોનું બનાવવાની વિદ્યા શીખવી દઈશ  , એટલે તું એને મારા આગમનની વાત કરતો નહિ  . હું આવું ત્યારે ઠગને કહેજે કે આ કાકા બહુ ધાર્મિક માણસ છે અને સાધુ સંતની બહુ સેવા કરે એવા છે અને એની પાસે ઘણું સોનું છે  .  અને   તાંબાના વાસનો પણ પુષ્કળ છે  . એ બદ્ધાનું તમે એના માટે પણ સોનું કરી આપજો  . રાતે ઠગ આવ્યો  . અને ગોવિંદભાઇ ને કીધું  તારી ન્પાસે સોનું અને તાંબુ ત્યાર છેને ? ગોવિંદ ભાઈ કહે હા।  અને પછી થોડી વારે જેઠાકાકા  આવ્યા  . અને ઠગના પગમાં પડ્યા  . અને દંડવત પ્રણામ કર્યા  . ગોવિંદ ભાઈએ  જેઠાકાકાએ  શીખવ્યું હતું  . એવી  જેઠાકાકાની  ઓળખાણ  આપી  . પછી ઠગ  જપ કરવાનો ઢોંગ  કરતો  પલાંઠી  વાળીને બેઠો  . અને ત્યાં એક ભેંસને બાંધવાની સાંકળ  રીપેર કરાવવા આવી હતી  . તે લઈને  જેઠાકાકા  ઉભા થયા  .અને ભેર ભેર  બહુચર માતકી જય  બોલીને
ઠગને  મારી  ,ઠગ શું થયું એ વિચારે એ પહેલા  જેઠાકાકા એ બીજી ઠોકી  એટલે ઠગ ભોઈ  ભેગો થઇ ગયો  . કર્ગરિને હાથ જોડવા માંડ્યો  , અને જેઠાકાકાએ  માર માંથી  મુક્તિ આપી  .    પણ પોતે ઠગને ખુબ માર્યો  એની મહેનતના બદલામાં  ઠગ પાસે જે પૈસા હતા એ બધા પૈસા લઇ લીધા અને કાળી રાત્રે  પહેરેલે લુગડે કાઢી  મુક્યો   . બોલો  બહુચર માતકી જય

एक पत्थरको जब भगवानकी मूर्तिमें तब्दील करदिया गया. तब वो बुतसाज़ (मूर्ति बनाने वाला )को अश्क बहकर कहता है.

क्यों बनाया भगवान  बनाके मेरा  क्यों किया अपमान
बुतसाज़ क्यों बनाया भगवानजी    १
 पहाड़ोकी छोटी पर था जब मन था मसतानजी   
पंछी मुझ पर बैठ करके गाते मधुरे गान  … बुतसाज़   २
कायाको क़ुर्बान  कर  बनाने देतो मकानजी
हरी होनेके बाद  मुझको  लेने पड़ते दान। …बुतसाज़  ३
काट कुटके खड़ा किया  मुझे पूजने लगे इन्सानजी
मेवा मिसरी भोग लगाके  मांगने  लगे वरदान। …बुतसाज़  ४
चन्दन पुष्प चढ़ाके मेरा खूब किया सनमानजी
हीरा मोतीके  जेवर  डाल मुझे कर दिया  बंदीवान। … बुतसाज़  ५
फिरसे मुझको  पत्थर होना  नही चाहिए सनमानजी
“आता श्री ” मेरी बिनती  सुनो  मुझे रहने  दो पाषान  … बुतसाज़  ६
बुतसाज़= मूर्ति बनाने वाला

પહેલો પફોરો રીનરો દીવડા જાકમ જોળ ,પીયુ કાંટાળો કેવડો અને પ્રિયા કંકુની લોળ.

જુના વખતમાં  દિકરા દિકરીનાં સગપણ કરવા બાબત પ્રથમ એના કુટુંબ માબાપ વગેરેને  જોતાં એ કેવાંક  આબરૂદાર    ,સંસ્કારી છે  . આજીવિકાનું  સાધન  કેવુંક  છે  . એ  એનાં માબાપો  જોતાં   અને પછી  દિકરો અથવા દિકરી  જોતાં બધું બરાબર સાનુકુળ  લાગે એટલે  સગાઈનું નક્કી કરતાં.અમારી બાજુના પટેલોમાં  ,અને બીજી ઘણી જ્ઞાતિઓમાં  દિકરીના   માબાપને  નક્કી  કરેલી રકમ આપવામાં  આવતી નહીકે   દિકરીના માબાપે  દિકરાના માબાપને પેસા  વગેરે આપવું પડે  ,અને   તોજ  દિકરીને સાસરે વળાવી શકાય  જોકે હવે પરિસ્થિતિ  બદલાણી છે  .
સગાઈ થઇ ગયા  , પછી  તુર્તજ લગ્ન નો થતાં  , એકાદ વરસકે તેથી વધુ વાર લાગતી ,દરમ્યાન હોળી  કે દિવાળી  જેવા તહેવારોમાં  દિકરાના માબાપ પક્ષના લોકોએ  ગગાની વહુ માટે ઘરેણાં  કપડાં અને મીઠાઈ લઈને  કન્યાના માબાપને ઘરે જવું પડતું  . અને આ વખતે કન્યાનો બાપ  હર્ષ ભેર  મેમાનોનું સ્વાગત કરે અને લાપસી  દૂધપાક જેવા  મિષ્ટાન્ન  જમાડે અને કન્યાની મા વેવાઈને વાત કરે કે આ બધી રસોઈ  અમારી દિકરીએ બનાવી છે  .
અને પછી લગન લખાય  ગોર લગન લખે અને પછી   વરના માબાપને ઘરે લગન લઈને  ગોર  જાય  .  આવાં દરજીના  લગન લઈને  મને ગોર રમણીક ભાઈએ    શિવા ગામે    બારાડીમાં મોકલેલો  હું દેશીંગાથી  ચાલીને શિવા ગએલો.  હું  વેવાઈને ઘરે ગયો  . એટલે વેવાણે  ગામમાં જાહેરાત કરી કે અમારા ગગાનું  લગ્ન આવ્યું છે  . એટલે  લગન વધાવવા આવજો  . અને બાયડીયુ  . આવ્યું  મને બાજોઠ ઉપર  ગાદલી મૂકી અને મને તેના ઉપર બેસાડ્યો  . અને    બાજુમાં ખાંડ ભરેલું તપેલું મુક્યું .અને સ્ત્રીઓ મને ખાંડના બુકડા ભરાવવા માંડી  . અને પછી  લગ્નના સમાચાર વાળો કાગળ સ્વચ્છ થાળીમાં મૂકી અને કંકુથી  ચાંદલા કર્યા  અને પછી ગોરબાપા(  મેં ) એ કાગળ ખોલ્યો અને વાંચી સંભળાવ્યો  .  તેદી બહુ  આભડછઠનું  બહુ જોર હતું. અને  બ્રાહ્મણ  બધાથી  આ ઉન્ગી ગયોઅભડાય  ,  અને હવે હું  અભડાઈ જાઉં  ખરો ?  હવે  आता  को क्यों  पूछते हो उनको अपनी जातिका
जनोव  डाला  नायग्रामे  तर्क किया सब जातिका   . जनोव =   जनोई   ///  तर्क = परित्याग
મારે  લાડવા દાળ અડદની  , ભીંડાનું શાક  . વગેરે આખા ઘર માટે  રાંધવું પડ્યું  . વેવાણે માથે ઉભારહીને   લાડવામાં ખુબ ઘી નખાવેલું  .  મને દસ રૂપિયા આપિ હું રાત ન રોકાતાં ઘરે આવવા રવાના થયો  . વચ્ચે રાત પડી ગએલી  અને હું ખુબ થાકેલો પણ હતો  એટલે  કોક  ખેતરમાં  ઊંઘી ગયો   મારી પાસે માંડવી (મગફળી ) અને ગોળ હતો  જે મને વેવાઈએ આપેલો  એ ખાધો અને કુતિયાણા  પહોંચ્યો  .અહી મેં શેરડી લીધી અને ભાદરમાં  રેતીમાં બેઠો  અને  શેરડી ખાધી  . અને દેશીન્ગા ઘર ભેગો થયો   .
મારા માંસીયાય  ભાઈ  ધનજીભાઇ  ની જાન  ત્રણ બળદ ગાડામાં સીમર (બરડા ) ગામ  થી    કેશોદ ગએલી વચ્ચે  ઓજતકાંઠાના   ગામ  બામણાસા માં    રાત રોકાણા અને સવારે  કેસોદના  પાદરમાં  જાન  પહોંચી  ઈ બાપુ જાનના સામૈયા  થયા  . ત્રણ દિ જાન રોકાણી  અને ત્રણ દિ લગી ખાવા પીવાની  બઘડાટી બોલી  .  અને પછે  વરરાજો ધનજીભાઈ  લાડી લઈને ઘેર આવ્યો  .  ધન્જીભાઈની કોઈ દૂરની  ભાભીએ  જુદી રૂમમાં ખાટલો ઢાળી દીધો   .ઉપર સ્વચ્છ  ધડકી  પાથરી   અને મારા ધનજી ભાઈ અને મારા હેમી ભાભી  પથારી ઉપર  ગયા ભાભીએ ઘૂંઘટ રાખેલો હતો  . ભાઈએ વિનંતી  કરી ઘૂંઘટ ખોલાવ્યો  . અને પંછી
પહેલો પહોરો રૈનરો    દીવડા ઝાકમ  જોળ
પીયુ  કાંટાળો  કેવડો અને પ્રિય કંકુની  લોળ   .  પુરુષ તો  દાઢી મૂછમાં હોય એજ શોભે પણ  સ્ત્રીઓને આ જમાનામાં  પુરુષને પોતાના જેવા દાઢી મુછ વગરના કરી નાખ્યા છે  . કેમકે દાઢી મુછ હોય તો પોતાને બાકી ભરવી હોય તો  વાળ મોઢામાં આવે ઈ નો ગમે  અને રાતનો બીજો પહોર થાય એટલે
બીજો પહોરો રૈનરો  વાધ્યા  હેત સ્નેહ
પ્રિયા ત્યાં ધરતી થઇ રહી  અને પીયુ અશાઢો મેહ
ત્રીજો પહોરો રૈનરો  ઊંઘાણાં  સોણલાં સાથ
વાલમને વળગી જઈ પ્રિયાએ ભીડાવી બાથ
ચોથો પહોરો રૈનરો  બોલ્યા કૂકડ કાગ
પ્રિયા સંભાળે  પોલકું  અને પીયુ સંભાળે  પાઘ    ઈ..એ..એ..  આતાના ઝાઝાથી   બ્લોગર ભાઈઓ અને  બીજા આતાવાણી વાંચવા વાળાં  ભાઈ બહેનોને  રામ રામ

ભગવાનને કઈ રીતે રાજી કરવા એની ભગતને સૂઝ નથી પડતી

DSCN0985 _DSC0873 k3 [640x480]મારો પરમ સ્નેહી મિત્ર ક્રીશનું કુટુંબ મારો ગ્રાન્ડ સન અને ગ્રેટ ગ્રાન્ડ સન  સાથે અને એક ફક્ત એક દિવસની ઉમરનો મારો  ગ્રેટ ગ્રાન્ડ સન  જુનિયર આતાઈ જે મારા કુટુંબમાં વધુ વજનનો જન્મ્યો 8 પાઉન્ડ 8 ઓંસ

عجب حیران  ھوں بھگوان  تجھے  کیوں کر رجھون می
نہیں  کوئی چیز ہے ایسی جسے سوامے لاوو می
کروں  کیسے می آوہں کی تم  موجود ہو حر جا
نرادر  ہے بلانکو  اگر گھنٹی بجاؤں می    ١
تیری ہے جیوتسے روشن ہے سورج چاند  اور تارے
بد اندھیر ہے تجھکو اگر  دیپک  دیکھو  می
تونہی  ویپک ہو مرتی  مے  تھی ویاپک ہو پھلومے
بھلا بھگوان پر بھگوانکو  کیسے چڈھاوو  مے
ن بھجا ہے ن گردن ہے ن سینہ ہے ن پیشانی
تو ہے نرلیپ ناراین کہا ں چاندن    چڈھاوو   می      
کھلانا بھوگ کچھ تجھکو یہ ایک اپمان کرنا ہے
کملاتا ہے جو عالم کو اسکو کیا کھلاؤ  میں
अजब हैरान हुँ भगवान  तुझे क्यूकर रिझावु में
नही है चीज़ कोई ऐसी जिसे सेवामे लावू मैं  १
करूँ  कैसे मैं आवाहन  की तुम मौजूद  हो हरजा
निरादर है बुलानेको अगर घंटी बजाउँ मैं    २ b
तेरी है  ज्योतसे रोशन  है सूरज चन्द्र और तारे
बड़ा अंधेर है  तुझको अगर दीपक दिखाऊ  मैं   ३
तुंही  व्यापक  हो फुलोमे  तुंही व्यापक हो मूर्तिमें
भला भगवान पर भगवानको  कैसे  चढावु   मैं  ४
न भुजा है न गर्दन है न सीना है न पिशानी
तू है निर्लेप  नारायण  खा चन्दन लगाऊ मैं  ५
खिलाना  भोग  कुछ तुझको  ये एक अपमान करना है
खिलाता है जो आलम को उसीको क्या  खिलाऊ मैं   ६
એક ભક્ત ભગવાનને કહે છે કે  હે ભગવાન મારે તમને  કઈ રીતે  રાજી રાખવા કઈ રીતે તમારો રાજીપો  મેળવવો  એની મને સૂઝ નથી પડતી  . કઈ વસ્તુ હું તમારી સેવામાં હાજર  કરવી  . તમારું મારે આવાહન  કઈરીતે કરવું  . કેમકે 
તમે કણ કણ માં વ્યાપક છો  .  નથી કોઈ એક સ્થળે રેહતા   .
ઘણું દીધું  વગર માગ્યે  છતાં કોઈને નથી કેહતા
આમાં મારે  તમને દીવોય શું દેખાડવો  તમારા પ્રતાપમાં સુરજ ચંદ્ર  તારા પ્રકાશીત છે  . અને હું તમને દીવો દેખાડું એતો બહુ અંધેર કહેવાય બહુ ગજબ થઇ ગયો કહેવાય  . તમે સર્વ વ્યાપી છો  એટલે ફૂલોમાં પણ તમે છો અને  કડિયાએ પાણા માંથી ઘડીને મૂર્તિ  બનાવી હોય એમાં પણ   તમે વસો છો  . હવે મારે એક   ભગવાન ઉપર    બીજા ભગવાનને  કઈ રીતે  ચડાવવા  . બીજું  તમને હાથ નથી ડોક નથી  છાતી નથી કે નથી કપાળ  વળી તમે પવિત્ર  નિર્લેપ છો  એટલે મારો તમને ચંદનના લપેડા કરવાનો જીવ નથી ચાલતો  . તમે
કીડીને કણ  હાથીને હારો
હંસને મોતી અને  દેડકાને ગારો
ખોરાક પૂરો પાડીને આખી સૃષ્ટિને જીવડો છો  . એવા તમને હું શું ખાવાનું આપું  ?

એકજ દે ચિનગારી સ્વ . હરિહર ભટ્ટ નાં સૌજન્યથી

આ કવિતા હું સ્વ  . હરિહર ભટ્ટના સૌજ્ન્યથી  લખું છું  .હરિહર ભટ્ટને હું ઘણી વખત મળેલો છું  .તેના બે દીકરા  સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ  અને દીકરી  મધુ વ્યાસને પણ હું ઓળખું છું   .મધુના પતિ  જયંતીલાલ વ્યાસ મારા નાનાભાઈ પ્રભાશંકરના   મિત્ર છે  . તો હવે વાંચો “એકજ દે ચિનગારી  મહાનલ ”
રાગ ભૈરવી
એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખર્ચી જીંદગી સારી
જામગરીમાં   તણખો  ન પડયો  ન ફળી મેહનત મારી   …1 મહાનલ
ચાંદો સળગ્યો ,  સુરજ સળગ્યો ,સળગી આભ અટારી
ન સળગી એક સગડી મારી વાત વિપતની ભારી  …મહાનલ   2
ઠંડીમાં મુજ કાયા થથરે  ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ  હું અધિક ન માગું  માગું એક ચિનગારી   ..મહાનલ  એકજ દે ચિનગારી  3

ઉર્દુ ભારતમાં મુસ્લિમ રાજ્યકર્તાઓના સમયમાં ઉત્પન્ન થએલી નવી ભાષા છે .

img057_DSC0443

હું જ્યારે પંજાબી ઉદાસી સંપ્રદાયના સાધુ પાસે ઉર્દુ ભાષા શીખ્યો  ત્યારે  આ ઉમરનો હતો  .

આ દાઢી  વાળા  જુવાનને  તમે ઓળખો છો ? એ છે  “આતા ” બ્લોગના મહાસાગરમાં  સેલારા  મારનાર

આજે હું આપ બહેનો અને ભાઈઓ અને વડીલો ? નાના  મારો વડીલ બ્લોગ વિશ્વમાં  કદાચ કોઈ નહિ   હોય   . હું ઉર્દુ ભાષા વિષે અલ્પ માહિતી આપીશ  .
શાયર દાગે કીધું છે  કે
उर्दू है जिसका नाम  हमीं जानते  है “दाग”  सारे जहाँ में धूम   हमारी  ज़ुबां की है
હું બીલખા શ્રી નથુરામ શર્માના  આશ્રમમાં  સંસ્કૃત ભણતો હતો  ત્યારે અહી એક  6 ફીટ ઉંચો  અને ત્રીસેક વરસની ઉમરનો એક પંજાબી ઉદાસી સંપ્રદાયનો  સાધુ  આવેલો  .આશ્રમનો કાયદો હતો કે  કોઈબી માણસ ત્રણ દિવસ સુધી  વિના સંકોચે આશ્રમમાં  રોકાઈ શકે છે  . ઉદાસી સંપ્રદાય વિષે આ પ્રસંગે  થોડુક  હું કહું છું  .
શીખના પહેલા ગુરુ  નાનક હતા  .તેને  બે દીકરા હતા  એક અંગદ દેવ  જે શીખ લોકોના બીજા ગુરુ હતા  .અને  ગુરુ નાનકનો  બીજો દીકરો હતો તેણે ઉદાસી સંપ્રદાય  ચાલુ કરેલો  . આ સંપ્રદાયના સાધુ  ભગવાં , રાખોડી , સફેદ  ગમે  તેવાં કપડાં  પહેરી શકે છે  .
આશ્રમમાં  ઉતરેલો સાધુ એક ઉર્દુ ચોપડી વાંચતો હતો  . મેં એને કીધું  તું  ઉર્દુ ચોપડી કેમ વાંચે છે  . ઉર્દુ ભાષાતો   મુસલમાન  ધર્મ વાળા લોકોની  છે  . તે જમાનામાં  મારી માન્યતા એવી હતી કે  ઉર્દુ ભાષા  મુસલમાન લોકોની છે  . સાધુએ મને સમજાવ્યો કે ઉર્દુ ભાષા  તે કોઈ એક ધર્મની કે કોઈ એક જાતિની ભાષા નથી  . લખનોવ  બાજુ    હૈદરાબાદ  બાજુ  અને    પંજાબમાં    બધાને     નિશાળમાં   પ્રથમથીજ  ઉર્દુ ભાષા  શીખવાડે છે  . ઉર્દુ ભાષા માં   .   વધારે  શબ્દો  ફારસી અને અરબી ભાષાના છે  . અને આ   બેઉ  ભાષા    ઇસ્વીસનથી પણ  પહેલાં  લોકોમાં બોલાતી આવી છે  .અને આ  ભાષા    બોલનારા   તારા જેવા મૂર્તિ પૂજક અને    અગ્નિ
પૂજક    હતા  .અને  ઉર્દુમાં  ભારત ની   વૃજ   ,  ભોજપુરી    દિલ્હીની    આજુ  બાજુ   બોલાતી   ખડી  ભાષા  નાં   પણ શબ્દો છે  . અરે અપ ભ્રુંશ ઈંગ્લીશ  શબ્દો   પણ  છે   .
બાદશાહોની  છાવણી  જે ઠેકાણે પડે  તે છાવણીની આજુ બાજુ બજાર ભરાય  ત્યાં સ્થાનિક  લોકો  પોત પોતાની વસ્તુ વેચવા આવે  અને લશ્કરના સિપાહીઓ  વસ્તુ ખરીદે  અને જે વસ્તુ એને જોઈતી હોય એ વસ્તુ ઉપર આંગળી ચીંધે અને પોતાની ભાષામાં વસ્તુનું નામ બોલે  ,અને પરિણામ એ આવ્યું કે  સ્થાનીક લોકો સિપાહીની ભાષા  અમુક અંશે શીખી ગયા  .આવી રીતે  ભાષાનો શંભુ મેળો સર્જાણો  .    પછી તે વખતના  વિદ્વાનોએ  આવી ખીચડી ભાષાને  વધુ વ્યવસ્થિત  કરી  ભાષાનું નવું રૂપ આપ્યું  . અને આ ભાષાનું નામ  શું આપવું  .એ વિચાર આવ્યો  . આવી ભાષા લશ્કરની બોલતિ હોવાથી આ ભાષાની નામ ઉર્દુ રાખવાનું નક્કી થયું  .ઉર્દુ શબ્દ  મૂળ તુર્કી ભાષાનો છે  . અને છાવણીને  કે   આજુબાજુ ભરાતા  બજારને  પણ ઉર્દુ કહે છે   .પછી આ નવી ભાષાનું નામ ઉર્દુ રાખવું એવું નક્કી થયું  .હવે એને લીપી કઈ આપવી  એની વિચારણા થઇ આ જમાનામાં  ફારસી રાજભાષા હતી  એટલે  લીપી ફારસી આપવાનું નક્કી થયું   . હવે કેટલાક શબ્દોના અક્ષરોનો  ઉચ્ચ્યાર ફારસી કે અરબી ભાષામાં નથી  એટલે એવા અક્ષરો ફારસી પ્રમાણે જમણેથી  ડાબે લખાય એવી રીતે  નવા  ઉપજાવ્યા  .અને બરાબર ગાડું ચાલ્યું  . તે એટલું જોરથી ચાલ્યું કે  ઉર્દુમાં  ન સમજતા   લોકોને પણ ગમવા માંડી   .
મને નાનપણથીજ  કૈક નવું કરી બતાવવાની  બીજા કરતા મારામાં કૈક વિશેષતા હોય એવી બડાઈ કરવાની ટેવ ખરી  . અને એક વાક્ય પ્રમાણે
ભણ્યા  નહિ  જો લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું  જગતમાં  કોઈ નો જાણે જનનીના  જણ્યાથી  શું     .
સાધુએ મને ઉર્દુ શીખવવા માટે  આશ્રમ નાં વ્યવસ્થાપક  ત્રિભોવન બાપા પાસે એક મહિનો આશ્રમમાં પોતાને રહેવા દેવાની પરવાનગી માગી  .ત્રિભોવન બાપાએ  આશ્રમના બ્રહ્મચારી  પ્રકાશજી બાપુ ને વાત કરી કે  આ દેશીંગા બાંટવા  ઉર્દુ શીખવા માગે છે  .મારું નામ” દેશીંગા બાંટવા “એક અંગ્રેજે પાડેલું છે એની વાત થોડીક  કહું છું પશ્ચિમ હિન્દ એજન્સીનો  ગવર્નર  જે અંગ્રેજ હતો  એને બીલખા દરબાર એક વખત આશ્રમ જોવા તેડી લાવ્યા  . ગુજરાતીમાં આવા ઓફિસરને પ્રાંત સાહેબ કહેતા  ગોરા હિન્દી  બરાબર  જાણતા  હોય    કોઈ વિદ્યાર્થીનો મારે ઈન્ટરવ્યું  લેવો છે માટે મારી પાસે કોઈ વિદ્યાર્થીને મોકલો  પ્રાંત સાહેબ પાસે મોકલવા માટે  નમ્ર ઉપર પસંદગી ઉતરી કેમકે હું  અમારા ગામના  દરબાર જેવી હિન્દી હું બોલી અને સમજી શકતો  . પ્રાંત સાહેબે મારું નામ પૂછ્યું  और मुझे पूछाकी  तु म  कोनसे  गामका  रनेवाला  है  मैंने  कहा  देशिंगा  सब बोले देशिगा  बांटवा ? मैंने कहा  हां  . बस उसी रोजसे मुझे आश्रम वाले  “देशिंगा बांटवा ” नामसे पुकारने लगे
પ્રકાશજી બાપુ કહે બહુ સારું  આપણો વિદ્યાર્થી  એક નવી ભાષા શીખશે કઈ ખોટું નથી અને પછી મારા ઉદાસી (દુ :ખી )સાધુએ  અલીફ બે પે તે ટે સે  શીખવાડવા માંડ્યું  અને એક મહિનામાં આ લીટા લીટા  જેવી ભાષા લખતા અને વાંચતા શીખી ગયો   ઉર્દુ લખાણ  પધ્ધતિ જરા અઘરી હોય છે  .ગુજરાતીની જેમ નહિ કે કક્કા  બારાખડી  લખતા આવડે એટલે તમે લખવા માંડી જાઓ એવું નથી  . હું ઉર્દુ લખતા વાંચતા તો શીખી ગયો  .પણ ભાષા સમજુ નહિ  . અને એ પણ આર્મીમાં ગયા પછી થોડું શીખી વધારે  ગયો અને પછી   નોકરી કરવા માન્યો  .એટલે અભ્યાસ ઓછો થઇ ગયો  .અને અમેરિકા આવ્યા પછી મારા એક લંગોટિયા ભાઈબંધ  સ્વ  .નરભેરામ સદાવૃત્તીએ ઉર્દુ  હિન્દી દિક્ષ્નેરિ મોકલી  અને પછી  હું ઘણા અર્થ સમજવા માંડ્યો અને પછીતો ગુજરાત સરકારે  ઉર્દુ  ગુજરાતી   ડી ક્ષનેરિ  ભાર પાડી અને પછી હું  શેર શાયરી લખવા માંડી ગયો  . ज़ाहिद कसम है तेरी मैं मय नही  पिताहु   , (मगर ) बादअकी  बोतलोसे   कभी शिर  पि लेताहु  ज़ाहिद = ऋषि जैसा   मय = शराब  बादा = शराब   शिर  = दूध

विभुज़ा किम न करोति पापं ,क्षीणा: जना:निष्करुणा भवन्ति ,तवं गच्छ भद्रे प्रियदर्शनाय ,न गैंग दत:पुनरपि कूपम्

આ પંચતંત્રની  વાર્તા હોય એવું લાગે છે  . વાર્તા એવી છે કે એક કુવામાં એક મોટો  પ્રિય દર્શનનામનો નાગ  ,  એક ગંગદત નામનો દેડકાનો રાજા આ કુવામાં ઘણા દેડકાં હતાં  ,અને એક ભદ્રા નામની ચંદન ઘો  રહતી હતી  . બધાં સંપીને મિત્રવત  રહતાં હતાં  .   નાગનો ખોરાક દેડકાં એટલે નાગ દરરોજ અકેકું  દેડકું ખાઈને  પોતાની ભૂખ સંતોષતો હતો   . ગંગદત્ત  આ નાગ પોતાની વસ્તીને  ખાઈ જતો હતો  .એથી ઘણો નારાજ હતો  . પણ એ  લાચાર હતો  . કેમકે  તે તેની વસ્તીને લઈને કુવા બહાર નીકળી શકે એમ નોતો  . પ્રિયદર્શન દરરોજ અકેક દેડકું  ખાઈ જતો હતો   , અને એક દિવસ એવો આવ્યો કે  કુવાના બધાંજ  દેડકા ખલાસ થઇ ગયા  . નાગને ભૂખ સતાચ્તી હતી  ભૂખ થી એ ઘણો નિર્બળ  થઇ ગયો હતો  .એવું કહેવાય છે કે છ્પનીયા  દુષ્કાળમાં  લોકોએ પોતાના બાળકોને ખાઈ જઈને પોતાની ભૂખ  સંતોષી હતી  .એવા દાખલાઓ મળી આવે છે  .
विभुक्षिताम्  किम न करोति पापं ભૂખને કારણે નાગ  નબળો પણ ખુબ થઇ ગયો હતો  .અને નિર્બળના હ્રદયમાં  દયાનો છાંટો હોતો નથી  क्षीणा : जना: निष्करुणा  भवन्ति  એક દિ નાગે બહુ વિવેકથી  એના મિત્ર અને દેડકાંના  રાજા  ગંગદત ને કીધું કે મિત્ર આજે તુને મિત્ર  તરીકેની  ફરજ બજાવવાનો  સમય આવી ગયો છે  . આજે હું ખુબ ભૂખ્યો  માટે તુને ખાઈ જવાનો વિચાર છે  . પ્રિયદર્શનની   વાત સાંભળી  ગંગદત્ત  થથરી ગયો    .  કેટલીક વખત  સંકટ સમયે  પરમેશ્વર  અદૃશ્ય રીતે મદદ કરતા હોય છે  .ગંગ્દત્ત ચતુર અને બુદ્ધિ શાળી હતો  તે ગભરાયા સિવાય બહુ ધીરજ થી  નાગને કીધું  તું મને ખાઈને તારી ભૂખ સંતોશીશ એ મારા   માટે  હું અહોભાગ્ય સમજીશ   , પણ આજે તું મને ખાઈ જઈશ   , પછી કાલે તું શું કરીશ  નાગ બોલ્યો  . મિત્ર એનો ઉપાય મને તુંજ બતાવ  એટલે ગન્ગદત્ત બોલ્યો  અહીંથી થોડે દુર સરોવર છે એમાં ઘણાં દેડ્કાઓ  વસે છે એપણ  મારી પ્રજા છે  . એને હું અહી કુવામાં  વસવા માટે બોલાવી લાવું  .પછી તું એમાંથી  અકેક દેડકું   દરરોજ  તું ખાધા કરજે અને તારી ભૂખ  તૃપ્ત  કરતો રહેજે  પણ સવાલ એ છે કે  મારે ત્યાં જવું કેવી રીતે ? જો મને  ભદ્રા ત્યાં લઇ જાય તો હું ત્યાં જઈ શકું  . નાગે ભદ્રાને બોલાવીને  કીધું બેન ભદ્રા  આ ગંગ્દ્ત્તને  તું  તારી પીઠ ઉપર ચડાવીને  કુવા બહાર કાઢીને  તેને તળાવ સુધી લઈજા તો તારો ઉપકાર હું જિંદગી ભર નહિ ભૂલું  . ભદ્રા  કબુલ થઇ અને  ગંગદાત્તને પોતાની પીઠ ઉપર બેસાડી  કુવા બહાર કાઢીને  સરોવર સુધી લઇ ગઈ  ,  જેવી સરોવર નજીક  ભદ્રા ગઈ  એટલે  ગંગદત્ત ભદ્રા નિ  પીઠ  ઉપરથી  કુદીને  સરોવરમાં જતો રહ્યો   ,અને સરોવર વચ્ચેથી   બોલ્યો   . त्वं गच्छ भद्रे  प्रिय दर्शनाय  न गैंगदत्त पुनरपि  कूपम्  ગંગદત્તે  ભદ્રા  ને કીધું  હવે હું કુવામાં ફરીથી આવવાનો નથી હવે તું  પ્રિય દર્શનને  મારા રામ રામ કહેજે  . ભદ્રા  કુવામાં   પહોંચી  અને નાગને  માથા સમાચાર આપ્યા કે  ગંગદત્ત હવે પાછો આ કુવામાં આવવાનો નથી   . હવે કનક ભાઈ  રાવળ ની ભાષામાં કહુતો  હવે આતાના ભીમના તોડા શરુ થાય છે  .
ભદ્રાની  વાત સાંભળી  નાગ ફૂંફાડા  મારવા માંડ્યો  એને  ગંગદત્ત  ઉપર ગુસ્સો ચડ્યો  . અને મનોમન બોલ્યો કે  હવે હું  ગંગ દત્તને ખાઈ જઈશ  . નાગે  ભદ્રાને કીધું બેન મને તું  હવે મને  જે સરોવરમાં  ગંગદત્ત  ગયો છે   .ત્યાં લઈજા  .  ભદ્રાએ નાગને  પોતાની પીઠ ઉપર બેસાડ્યો  .અને ગંગદત્ત  જે સરોવરમાં ગયો  હતો ત્યાં લઇ ગઈ  , આ બાજુ  ગંગદત્ત   સાવધાન હતો  તેને ખબર  હતી કે પ્રિયદર્શન  વેર લેવા આવશે ખરો  . એટલે તેણે  પોતાની પ્રજા દેડકાંઓને   કહી રાખેલું કે  નાગ સરોવર માં દાખલ  થાય એટલે એના પર આપણે ગભરાયા વગર  હુમલો કરવાનો ચ્ચે એ બહુ કમજોર છે   .એટલે એ કશું કરી શકે એમ નથી  , જો આપણે ડરીને ભાગી જઈશું તોતે  આપણ  ને પકડી  પકડીને  ખાઈ જશે અને આ સરોવરમાં  પોતાનો અડ્ડો જમાવશે  પણ જો આપને એક સંપ કરી એના ઉપર હુમલો કરી મારી નાખશું તો આપણે એને  મહિનાઓ સુધી ખાધા  કરીશું  નાગ જેવો  સરોવરમાં દાખલ થયો કે  ગંગ દત્ત  જોરથી બોલ્યો  આક્રમણ અને બધાં દેડકાં નાગ ઉપર તૂટી પડ્યાં અને નાગને મારી નાખ્યો  .

ધતિંગ સમ્રાટ આતાએ ધતિંગ વિદ્યાથી એક મહિલાની મેલી વિદ્યાની અસર દુર કરી .

DSCN0900 DSCN0075

મેં જયારે   બી. કુમારના  બંગલામાંથી   સર્પ પકડયો , અને પછી અમદાવાદના બધાજ છાપાના રીપોર્ટરે મને છાપે ચડાવ્યો  ,આ સમાચાર  મુંબઈ જન્મ ભૂમિમાં પણ પ્રસિદ્ધ થએલા  . આ સમાચારે મને બહુ પ્રસિદ્ધી આપી  . પછી મને કોઈને ત્યાં સાપ પકડ્યો હોય  તો મને બોલાવવા લાગ્યા  , અને હું પણ  બધાને નવાઈ લાગે એ રીતે સાપ મારા ખુલ્લા હાથ વતી ગમે ત્યાંથી પકડી લઉં માથાથી માંડી પૂંછડી સુધીના સાપના શરીરના કોઈ પણ ભાગથી  સાપને આસાનીથી  પકડી લઉં  લોકોને એમ કે હું જબરદસ્ત વિદ્યા જાણું છું  . એટલે લોકો મારી પાસે ગમેતે પ્રકારના  દુ :ખ  દુર કરાવવા  આવવા  લાગ્યા  .એક રાજસ્થાનના  સોજત -ખારચી બાજુના ડુંગરાળ પ્રદેશમાં  રહેવાવાળા  લોકોનો એક પોલીસ આર્મ પોલીસ તરીકે નોકરી કરે  .અને પોલીસ હેડ ક્વાટર્સમાં  રહે , એની  સ્ત્રીને એવો વહેમ પડી ગયો કે મારા ઉપર કોઈ દુશ્મને મેલી વિદ્યાથી મને દુ:ખી  દુ: ખી કરી મૂકી છે  . પોતાને ખાવું ભાવે નહિ  , ખુબ નબળાય અનુભવે  અને પોતાને કોઈ સોયો ભોંકતું હોય એવો અનુભવ કરે  ,એ બાઈનો ધણી  મારી પાસે આવ્યો  . અને  મારી આગળ ગળ ગળો થઈને  વાત કરી કે  ગુરુ મારી પત્નીનું તમે દુ :ખ દુર કરો  . મેં એની બધી વાત ધ્યાનથી સાંભળી  અને પછી મેં કીધું  હું બે દિવસ પછી તારે ઘરે આવીશ , અને તારી પત્નીની  મેલી વિદ્યા દુર કરી દઈશ  .અને મેં તેને કીધું કે તું  મહાકાલી માતાના પ્રસાદ માટે સવા બશેર  ખારેક લાવી રાખજે   .અને મેં પણ  સુરેશ જાની જેવા કાળી માના  કોઈ  ઉપાસક પાસેથી  સોરી સુરેશ જાની જેવો નહિ કોઈક બીજા જેવો કેમકે સુરેશ જાની માંસાહારી નથી   .મહાકાલીમાનો એવો બિહામણો ફોટો મળી ગયો કે  ફોટો  જોતાની સાથે  વહેમીલા લોકો થથરી જાય  . જમીન ઉપર  મહાદેવ   ચત્તા   પડ્યા હોય અને ઉપર ખોપરીની માળા પહેરેલાં અને લાંબી જીભ કાઢેલાં  એક હાથમાં  રાક્ષસનું  લોહી ટપકતું માથું હોય એવા દેખાવના કાલીમા  મહાદેવ ઉપર ઉભાં હોય  . એવો ફોટો મને મળી ગયો .
મેં પણ મારા કપાળમાં મોટો લાલ ચાંદલો  કરેલો  લાલ રંગનું ખમીસ (શર્ટ) પહેરેલું સમયસર એને ઘરે પહોંચ્યો  . મને જોતાની સાથે  એ દુખિયારી  બેનની અર્ધી મેલી વિદ્યા જતી રહી  .
લાલ ચોરસ કપડાને  પાટલા ઉપર પાથરી  તેના ઉપર કાલીમાનો  ફોટો મુક્યો આગળ દીવો પ્રગટાવ્યો  .અને ધૂપ ધુમાડો  કર્યો  .અને પછી હું  મારા આસન ઉપર બેસી
અરીઠાંની  બનાવેલી  માળા ફેરવીને  જાપ કરવા બેસી ગયો  .  થોડીવાર જાપ જપ્યા પછી  મેં ઘર ધણીને  સ્વચ્છ  તાંબડીમાં  ખારેક ભરીને  માતાજી પાસે મુકવાનું કીધું   .અને એ તાંબડી  નીચે  હથેળી રાખી ઉપર  બીજી હથેળી ઢાંકી તેની પત્નીના માથા ઉપર ફેરવવાનું કીધું  . એ એની પત્નીના માથા ઉપર ખારેક ભરેલી  તાંબડી  ફેરવવા જતો હતો એટલે  મેં તેને  મારા હાથની હથેળી ઉપર મુકવાનું કીધું  .એણે મારા હાથમાં તાંબડી મૂકી મેં એના ઉપર મારા  હાથની  બીજી હથેળી મૂકી અને તેના હાથમાં આપી અને કીધું કે  આવીરીતે તું હથેળી ઢાંકી તારી પત્ની ઉપર  ફેરવ  પત્ની ઉપર ફેરવ્યા પછી  મેં તેને કીધુકે હવે તું  માતાજી આગળ ખરેકો ઠાલવી દે  એણે માતાજી આગળ ખરેકો થવી એટલે મેં તેને મારી પાસેનો  ત્રિશુલ નાં ચિત્ર વાળો  છરો આપ્યો  , આ વખતે મારા જાપ તો ચાલુજ હતા  .છરો આપ્યા પછી મેં તેને  કીધું કે  આ છરાથી  ખારેકના ઢગલાના બે ભાગ કર  . આ બધી સુચના હું થોડે દુર રહીને આપ્યે જતો હતો   .પણ મારું ધ્યાન  એના ઉપર હતું  . ભાગ પાડ્યા પછી અર્ધો ભાગ  માતાજીના પ્રસાદ તરીકે જુદો મુકાવ્યો  .અને બાકી રહેલા ભાગના  ફરીથી બે ભાગ કરાવ્યા અને અર્ધો ભાગ માતાજીના પ્રસાદ તરીકે જુદો કઢાવ્યો   .બાકી બચેલા ભાગમાંથી એક  ખારેક  માતાજીને બતાવવાનું કીધું  . અને એ ખારેક પ્રસાદ તરીકે જુદી મુકાવી એમ ખારેક લઇ લઈને  હું જુદી મુકાવતો ગયો   અને મારી ધારેલી ખારેક એના હાથમાં આવી  ત્યારે મેં તેને કીધું કે આ ખારેક તું તારી મુઠ્ઠીમાં  પકડી રાખ અને બાકીની  ખારેક પ્રસાદની  ખારેક ભેગી  કરી  દે અને જે તારા હાથમાં ખારેક છે એ ખારેક  તું  કાલીમા  મેલી વિદ્યા જ્લાકે ભસ્મ કરદો  એમ બોલતો બોલતો  તારી પત્નીના આખા શરીરે    ફેરવ અને પછી છરા વતી એ ખારેકના બે ફાડિયા   કર  મારા જાપ્તો ચાલુજ હતા  .એણે  બે ફાડીયાં  કર્યાં  અને જોયું તો  ઠળીયો  અદૃશ્ય  અને એના બદલે બે સોયો  નીકળી  . એની વહુએ સોયો જોઈ અને એનું મેલી વિદ્યાનું દુ :ખ દુર થઇ ગયું અને શરીરની અશક્તિ પણ દુર થઇ  ગઈ  . તમને કોઈને ચુડેલ  વળગી હોય કે  કોઈ મેલી વિદ્યાની અસર હોય તો તાબડતોબ  બાબા  ધતિંગ સમ્રાટ આતા નો સંપર્ક સાધો   તમારી ઘરવાળી  તમને  વેલણથી મારતી હોય તો પણ વિના સંકોચે બાબાનો સંપર્ક સાધો  .
કાળા ચશ્મા  વાળી  એ એટલા માટે ચશ્માં પહેર્યા છે કે  આતાને  મારી નજર નો લાગે  . અને  મારા પડખામાં ઘુસેલી છે  , તે  આતાને  કોઈની કાતિલ નજર લાગી ગઈ હોય તો  તે નજર  દુર કરવા વાળી  છે  .

જોશી ભુવા બાપુએ નાળીયેર માંથી માતાજીની ચુંદડી કાઢી

બીલખા આશ્રમમાં મારી સાથે સંસ્કૃત ભણનારો  એક  મૂળશંકર  કરીને વિદ્યાર્થી હતો  .તે એવી વાત કરતો હોય કે ભણી લીધા હું  શાસ્ત્રીઓ પહેરે છે એવી ચકરી પાઘડી  પહેરીશ  .  મૂળશંકરની  ચાલવાની  ઢબ વિશિષ્ટ  પ્રકારની હતી  .  એ ચાલે ત્યારે એનું અંગ જરાય ઊંચું નીચું નો થાય  સાઈકલ  ઉપર જતો હોય એવો લાગે  .
આ વાતને વર્ષો  વિત્યાં હું અમદાવાદમાં  પોલીસ તરીકે નોકરી કરવા  માંડ્યો અને મૂળશંકર યજમાન વૃત્તિ  કરવા  મંડ્યો  . મૂળશંકર  એક વખત  અમદાવાદ  ઘીકાંટા  રોડ ઉપર   એક દુકાન આગળ  ઉભો ઉભો કોઈ સાથે  વાતો કરી રહ્યો હતો  . વાતો પૂરી થયા પછી એ ચાલવા માંડ્યો  . હું  આ વખતે  મૂળશંકરથી  ઘણે દુર  એની પાછળ  ચાલતો આવતો હતો  . આ વખતે  હું  કોઈના લગ્નમાં ગએલો હોવાથી મેં  સ્યુટ   પહેરેલ હતો  . મેં ચાલ  અને ચકરી પાઘડી  ઉપરથી  મૂળશંકરને   ઓળખી  કાઢ્યો  . એટલે હું  થોડું વધારે ચાલીને   મૂળશંકરથી  આગળ નીકળી ગયો અને.   પછી એની સામે મળ્યો અને એના પગ પકડી  બે હાથ જોડી  માથું નમાવી  મેં  મૂળશંકરને   પ્રણામ કર્યા  .
મૂળશંકરને   એમ થયું હશે કે  આ બહુ સારો બકરો  મારી જાળમાં ફસાવા  આવ્યો લાગે છે  .
મૂળશંકર   મારા માટે આશીર્વચન બોલ્યો  .”કલ્યાણ થાઓ “અને પછી હું વાંકો વળેલો  હતો  .એટલે મને ઉભો કરીને બોલ્યો  . તમે  બહુ માનસિક રીતે  દુ:ખી લાગો છો  . મેં કીધું હા મહારાજ  મારા ઉપર દુ :ખ નો  આભ તૂટી  પડ્યો છે  . પછી મને  રોડની બાજુએ લઈને  મૂળશંકર  ઉવાચ  મારી પાસે  સંકટ મોચન હનુમાનના  સિદ્ધ કરેલા મંત્રો  છે  . એનો હું તમને જાપ કરી આપીશ  , એટલે તમારી મુશ્કેલીઓનો  અંત આવી જશે  . મને તમારે ફક્ત  300 રૂપિયા  રોકડા   આપવા પડશે  . આવા જાપ જપવાનો મારો  ચાર્જ 500  રૂપિયા છે  . પણ હું  તમારી પાસેથી  ફક્ત  300 રૂપિયા   લઈશ  ,  અને પાછા મૂળશંકર શાસ્ત્રી  બોલ્યા   , તમને તમારી વાઈફ તરફથી પણ અ સંતોષ  છે  ખરું ? મેં કીધું હા એ મને  રોટલી વણવાના  વેલણ થી મારે છે    . એ તમારાથી બહુ નાની ઉમરના છે ? હા શાસ્ત્રીજી  એ નાની ઉમરની  અને બહુ રૂપાળી છે  .  શાસ્ત્રી કહે તોતો જાતે  મારે  કાળી ઉનનો દોરો મંત્રીને  બાંધવા આવવું  પડશે  . મેં કીધું  તો એ તમને ધોકેથી મારવા મંડી  પડશે  . એક વખત એવું બન્યું કે  એક હસ્ત રેખા  જોવા વાળો આવ્યો  . એ કહે લાવો તમારો હાથ જોઈ દઉં મારી પત્ની કહે ઉભા રહો  હું હાથ ધોઈને અબ ઘડી આવું છું   .એમ કહી એ કપડાં ધોવાનો ધોકો લઇ આવી  અને  બચાડા  હસ્ત રેખાવાલાના હાથ ભાંગી નાખ્યા   . એટલું ઓછું હોય એમ   મને હુકુમ કર્યો  ,  મને મદદ કરો  ,  મેં કીધું  શું મદદ કરું  , એ બોલી  આને મારવા લાગો  ,  અને મારે એનું કહ્યું માનીને  હ્હાસ્ત રેખા વાલાને  લમ્ધારવો  પડ્યો   .  પછી શાસ્સ્ત્રી  બોલ્યા  હું તમને અળદના   મંત્રેલા  દાણા  આપું છું  .એ તમે  સુતી વખતે એની પથારીમાં નાખજો  એટલે એ સવારેજ  સીધી દોર થઇ જશે આ ક્રિયા માટે તમારે ફક્ત  મને રોકડા 125 રૂપિયા આપવા પડશે  .  પછી મેં એનો કાંઠલો પકડ્યો અને બોલ્યો હાળાં મુળુ તું મને બનાવે છે ? મૂળશંકર એકદમ ભયભીત  થઇ ગયો અને બોલ્યો  ભૈશાબ  તમેતો મને બરાબર  ઓળખો છો હવે તમારો પરિચય આપો  મેં મારી ઓળખાણ આપી  તે બહુ રાજી થયો અને મને કીધું કે  હું ચોમાસાના અમુક દિવસો હું મુંબઈ રહું છું   . તું મને મળવા આવજે  તુને મજા આવશે  . અને મને પુચ્છ્યું  તારા સર્પ પકડવાના ધંધા  ચાલુ છે કે મૂકી દીધા  .? એ કદી  મુકાતા હશે  ?
મુંબઈમાં એ એક  ચાલીમાં રહે  અને ચાલીની રૂમોમાં  એક રૂમમાં કોલસાના  થેલા  ભર્યા હોય એમાં સુવે અને દિવસમાં  શહેરમાં  ફરે અને કોઈનો જોશ જુવે  ,કોઈના દીકરાનું નામ પાડે જન્માક્ષર બનાવે હસ્ત રેખા જુવે કોઈ વખત  ચાલીમાં  સ્ત્રીઓને કથા વાર્તા સંભળાવે  પુરુષો બધા દિવસે નોકરી ધંધા ઉપર હોય  .
મારે મુંબઈમાં જે જે હોસ્પિટલમાં  ગુન્હાને લગતા લોહી વાળાં  કપડાં  હાડકા  વગેરે લઈને લેબોરેટરીમાં  જવાનું થતું  . આ વખતે  આખા ગુજરાતમાં આવી લેબોરેટરી  નોતી પણ પછી  જૂનાગઢમાં  થએલી  હવે કદાચ અમદાવાદમાં પણ હશે   .
એક વખત નવરાત્રીના  દિવસો હતા  . નર્મદા મૈયા  એ  પુલ તોડી નાખેલો એટલે અમદાવાદ જવાની  રેલ્વે બંધ હતી  . અને હું મુંબઈમાં ફસાઈ ગએલો  .એક વખત મૂળશંકરે  મને વાત કરીકે   એક ભુવા બાપુ આવ્યા છે એ  નાળીયેર માંથી  કંકુ  માતાજીએ મારેલા એ ચંડ  મુંડ  રાક્ષસોનું  લોહી કાઢે છે  , એટલે આજે રાતના મંદિરે તુને  ભુવા બાપુના દર્શન કરાવવા લઇ જવાનો છું  , મેં કીધું ભુવા બાપુ  ને નાળીયેર આપવા માટે અને એમાંથી  માતાજીની  પ્રસાદી કાઢવા  માટે એક નાળીયેર  આપને સાથે લેતા  જઈએ  મૂળશંકર  બોલ્યો  આપને નાળીયેર  લીજ્વાની જરૂર નથી  .ભુવા બાપુ પાસે નાળીયેર હોય છે  એમાંથી  બધું કાઢે છે  .
મેં કીધું હું   લોકો લઇ આવે એ નારીયેલ માંથી  ચુંદડી  વગેરે કાઢી શકું છું
એકદી  સ્ત્રીઓની સભામાં   મૂળશંકર  કથા કરતી વખતે બોલ્યો  આપણા  મેમાન જોશી સાહેબ   મહાકાળીના મહાન ઉપાસક છે  તે   આપણે  નારીએલ આપીએ એમાંથી  માતાજીની ચુંદડી  વગેરે કાઢી આપે છે  , કાલે તમે નારીએલ  લઈને આવજો  જોશી સાહેબ  તમારા કોઈના એક નારિયલ  માંથી  માતાજીની પ્રસાદી રૂપે કશુક  કાઢી બતાવશે
સભામાં એક સ્ત્રી  બહુ ઓછા બોલી  સરળ સ્વભાવની બાઈ હતી  તેને મેં   હાથ ઉપર લીધી   તે વહેમ  અંધ્સ્રધ્ધાથી  મુક્ત હતી  . તેને મેં  બરાબર સમજાવીને  મારી પાસે ચોટી વાળું નારિયલ  હતું એમાં રંગીન  ભાતીગળ  નાઈલોનનો   કકડો મેં ખોસીને બાઈને આપ્યો  અને એને કીધું કે કાલે આ નાળીયેર  લઈને તું કથા સાંભળવા આવજે  બીજે દીસે  ફક્ત ચાર પાંચ બહેનોજ  નાળીયેર લઈને આવેલી   મૂળશંકર   માતાજીનો ફોટો દીવો  વગેરે મુકીને તૈયાર હતો  . હું મોટો ચાંદલો કરીને ધોતી  પહેરી  ધૂણતો ધૂણતો  આવ્યો  મૂળશંક  રે  સહુને કીધું કે  સૌ  પોતાનું નાળીયેર  ઊંચું કરીને બતાડે  સહુએ નારિયલ ઊંચા કર્યા  મેં સરળ બાઈનું નારીયેલ   લઇ આવવા  મૂળશંકરને   કીધું  મને નાળીયેર  બતાવ્યું  મેં ઉપર   મંત્ર  બોલીને  પાણી છાંટ્યું અને પછી નાળીયેર વધેર્યું  અને અંદરથી ચુંદડી નીકળી  અને જોશી ભૂવાને સહુ પગે લાગ્યા  અને ભુવાએ આશીર્વાદ આપ્યા

दुनियाको नफरतोंेने दोज़ख बनादिया ,जन्नतसा था जहाँ उसे जहन्नुम बना दिया .

ATT_1409284872051_image k3 [640x480]DSCN0953

મારો ગ્રાન્ડ kevin રાજીવ  એની નાનીને લઈને ક્યુબા એકાદ  વરસ પહેલાં   ગએલો  .રાજીવની મા અને નાનીનો  જન્મ ક્યુબામાં થએલો છે  .  અહી એને એક છોકરી મળી  .અને એની સાથે ઓળખાણ થઇ  .અને  એ ઓળખાણ વધુ પડતી પાકી થઇ અને છોકરી  કે જેનું નામ જનાઈ છે  .એનો જાદુ રાજીવ ઉપર છવાઈ ગયો  .અને રાજીવને  જનાઈ ઉપર પ્રેમ    વધુ પડતો થયો  .અને રાજીવે  જ્નાઈના  પેટમાં પોતાનું બીજ રોપ્યું  .રાજીવની ઉમર 29 વરસની છે આટલી ઉમરમાં  તે ઘણી છોકરીઓના  પરીચય માં આવેલો છે  . પણ કોઈ છોકરી ઉપર  જનાઈ જેટલો પ્રેમ ઉભરાણો નહિ  . એક ચીનની છોકરી હતી   . થોડો વખત તે છોકરી સાથે રહ્યો  . પણ તે કુટુંબને અનુકુળ  લાગી નહિ  . એટલે તેને જતી કરી  ,આ ચીની છોકરી એની સાથે રહતી હતી ત્યારે મેં  રમૂજમાં  રાજીવને કહેલું કે આ છોકરીને લઈને  તું મારે ઘરે આવતો નહિ  . કેમકે મારા બેક યાર્ડમાં  બિલાડી વ્યાણી છે  . આ છોકરી  આવશે તો બિલાડીનું એકેય  બચ્ચું  જીવતું નહિ બચે  રાજીવ ફ્લોરીડા રહે છે  .એ જયારે ચારેક વરસની ઉમરનો હતો  .  ત્યારે એના મા બાપ  સાથે  ન્યુ જર્સી રહેતો હતો  . અહી એને એક ચર્ચ તરફથી  ચાલતા  બાળ મંદિરમાં મુક્યો  .    અહી બધા  છોકરા  ગોરી ચામડી વાળા હતા  .રાજીવ એકલો ઘઉં વર્ણો હતો   .અહી એને છોકરા અને માસ્તર  સુધ્ધાં  તિરસ્કારની દૃષ્ટિ થી  જોતા  . આની  માઠી અસર  બાળક રાજીવ ઉપર પડી  રાજીવ રંગભેદની નીતિનો ભોગ બન્યો   .અને તેને ગોરી પ્રજા અને અમેરિકન સરકાર ઉપર  તિરસ્કાર આવ્યો  . ચર્ચના બાળમંદિર માં  જે એના મનમાં  તિરસ્કારનું બીજ રોપએલું  . તે રાજીવ જેમ જેમ મોટો થતો  ગયો   તેમ તેમ  બીજમાંથી અંકુર ફૂટીને છોડ થઈને  મોટું થવા માંડ્યું  .અને રાજીવને ગોરી પ્રજા ઉપર  નફરત પણ મોટી થવા લાગી  .આમ જોવા જઈએ રાજીવના સૌ થી મોટા ભાઈની વાઈફ  રશિયન છે તેનો દીકરો  રતુંબડા   વાળ વાળો ગુલાબી રંગનો ગોરો છે જેની ઉમર 5 વરસની છે  .બીજા ભાઈ ડેવિડની વહુ  ગોરી છે અને છોકરાં પણ  એની માના જેવાં ગોરાં છે  . રાજીવના બાપની કાકી ગોરી છે  .એનો દીકરો પણ ગોરો છે  . આબધાં  પોતાના અંગત સગાં હોવાથી  રાજીવને  તે ગોરાં હોવા છતાં રાજીવને ખુબ ગમે છે  .રાજીવ મને ઘણી વખત  કહેતો હોય કે  મારાં સંતાનોને હું  ગોરી ચામડીની મા આપવા માગતો નથી  .
રાજીવના મોટા ભાઈ કે જેની વાઈફ રશિયન ગોરી છે  . તેના પેટમાં જ્યારે દીકરો હતો ત્યારે મને  કહી દીધેલું કે  દાદા અમે તમને થોડા વખતમાં  ગ્રેટ ગ્રાન્ડ ફાધર બનાવવાના છીએ  . જ્યારે તેને ત્યાં દીકરાનો જન્મ  થયો ત્યારે મને  ઉપર છે એ ફોટા મોકલ્યા  અને કીધું  કે  માંરેત્યાં  દીકરાનો જન્મ  ડીસેમ્બર 2   2014  દિવસે બપોરે 1 વાગ્યે ક્યુબામાં થયો છે  .   અને જન્મ્યો ત્યારે તેનું વજન  8 પાઉન્ડ અને 8 ઓંસ હતું  , જેનું નામ પ્રથમનું  kevin  રાજીવ જોશી અને સેકંડ નામ  જુનિયર આતાઈ  રાખ્યું છે  . વિનોદભાઈ પટેલને મેં જ્યારે   મારા ગ્રેટ ગ્રાન્ડ સનના  જન્મના આનંદ દાયક સમાચાર આપ્યા  તેઓએ  કીધું આતાને  ઘેર  આતો  આવ્યો  .અને મેં કીધું   आताके घर आता आया जय कनैया  लालकी   .  વાઇફ  શ્યામ વર્ણ  ની છે  . પણ પ્રેમને  રંગ ભેદ જાતી ભેદ ધર્મ ભેદ  દેશભેદ ઉમર ભેદ કંઈ નડતું નથી  . એક પંજાબી વાક્ય યાદ આવ્યું
लोकी आख्या मजनुनु  तेरी लयली रंगदी काली     आग्गा  मजनूने जवाब दित्ता  जेडी  मन दिल अरपवे वो गोरी होव या काली  ભાવાર્થ:-  લોકોએ મજનુને કીધું કે  તારી લયલા કાળા  રંગની છે  . મજનુએ જવાબ દીધોકે  જે પોતાનું મન અને શરીર અર્પણ  કરી દ્યે  એ કાળી  હોયકે ગોરી શું ફેર પડવાનો છે  .
તિરસ્કારના  બહુ ગંભીર પરિણામો આવ્યા છે એના અનેક દાખલા છે  . એક દાખલો આપું છું  . ધંધુકા તાલુકાના ગામ  રાણપુર માં  મોલેસલામ ગરસીયાઓની વસ્તી છે. તે લોકો મુસલમાન ધર્મ પાળે છે  .પણ તેઓ નાં નામ રજપૂતો જેવાં છે   . કેમકે તેઓને નફરતના કારણે મુસલમાન થવું પડ્યું  .અહં વર્ષો પહેલા ની વાત છે  સિંધમાં  સુમરા જાતિનો મુસલમાન રાજા હતો  તેના લશ્કર નો  સેના પતિ જત જાતિનો મુસલમાન હતો  . તેની એક ખુબ સુરત જુવાન દીકરી હતી  . તેના ઉપર સુમરા રાજાની દાનત બગડી  તેને જત સેનાપતિને કીધું કે  તારી  દીકરીને મારી સાથે પરણાવી દે  મને પરણાવી દે  જત બહુ ખમીર વંતી પ્રજા છે  . પંજાબમાં  જટ્ટ કહે છે  આ જટ્ટ પંજાબમાં ત્રણ  જાતિના છે  શીખ હિંદુ અને મુસલમાન  અંગ્રેજીના  લખાણ પ્રમાણે  આપણે જાટ બોલીએ છીએ
જત સેનાપતિ  પોતાની આબરૂ અને સ્વમાન ખાતર પોતાના અમુક માણસો અને દીકરીને લઈને  સિંધમાંથી ભાગી છૂટ્યો  .સુમરાના ભયથી એને કોઈએ આશરો આપ્યો  નહી પણ મુળી ગામના પરમાર રજપૂતોએ આશરો આપ્યો  . જે દીકરી ખાતર
પોતે સિંધ છોડી દીધો  .એ દીકરીને વિરમગામ બાજુ  કોઈ અજાણ્યા સ્થળે  મોકલી આપી જ્યાં દીકરીએ આપઘાત કરીને પ્રાણ ત્યાગ કર્યો  .
અને પરમાર રજપૂતોએ સુમરા રાજા સામે ભાથ ભીડી  જબરી લડાઈ થઇ  . પણ આખર
પરમારો હાર્યા અને પરમારનો જે રાજા હતો તે હાલાજીને સુમરા રાજા કેદી બનાવીને લઇ ગયો  .અને એવું કહેવડાવ્યું કે લડાઈના ખર્ચ પેટે અમુક રકમ આપો તો હાલાજીને છોડીએ  હાલાજીના  ભાઈ  સુરેન્દ્ર સિંહ  પાસે   સુમરાની  માગણી જેટલા પૈસા નોતા એટલે એ મામદ બેગડા પાસે પૈસા લેવા ગયો  . મામદ બેગડાએ કીધું કે   હું એશરતે પૈસા   આપું કે  જ્યાં સુધી તમે મને પુરા પાસા ન આપી શકો ત્યાં સુધી હાલાજી અમારી પાસે  અમારા માનવંતા  મહેમાન તરીકે રહે  મામદ બેગડાએ  હાલાજી માટે ચુસ્ત  મરજાદી પાકો બ્રાહ્મણ  રસોયા તરીકે રાખ્યો  . અને બીજા  નોકરો હાલાજીની સેવા માટે  રાખ્યા  . જ્યારે સુરેન્દ્ર સિહ પાસે  પૈસાni સગવડ થઇ ત્યારે  મામદ બેગડાને પૈસા આપી પોતાના ભાઈને છોડાવીને ઘરે આવ્યો  .  જમવા માટે  સૌ  પોતપોતાના સ્થાને બેઠા પણ સુએન્દ્ર સિંહની ભાભીએ  હાલાજીને દુર બેસાડ્યા  ભાભી મને કેમ દુર બેસાડ્યો ભાભી બોલી  તમે ઘણો વખત  મુસલ માનને ત્યાં રહ્યા એટલે તમે વટલાઈ  ગયા એટલે તમને સહુ સાથે ન બેસાડાય  હાલાજીએ ઘણી દલીલ કરી પોતાના માટે  સુરેશ જાની જેવો પાકો બ્રાહ્મણ  રસોયા તરીકે રાખેલો પણ ભાભી માની નહિ  .એટલે હાલાજી ભૂખ્યે પેટે  મામદ  બેગડા પાસે ગયો અને પોતાની કથની સંભળાવી  બેગડે કીધું કે અમારા માટેતો તમે રાજ્પુતજ  છો    પણ અમે તમને મુસલમાન તરીકે સ્વીકારીએ છીએ   અમે તમારી દીકરીયુંને  અમારા દીકરા ઓ   સાથે લગ્ન કરીશું પણ તમને અમારી દીક્રુને પરણાવીશું નહિ  , હાલ આવા રજપૂતો મોલેસલામ ગરાસીયા તરીકે  ઓળખાય છે પોતાના નામો રાજપૂત જેવાં રાક્યા છે  .લગ્ન માટે બ્રાહ્મણ  પાસે મુહુર્ત કઢાવે છે અને કાજી આવીને નિકાહ પઢાવી જાય છે ,દેશીંગા દરબારની વાઈફ  પ્રતાપબા  હમીર સિંહ   આમોદની મોલેસલામ  હતી
.