Monthly Archives: ઓગસ્ટ 2016

લોચનિયે લોભાણી હુંતો તારી મોરલીયે લલચાણી રે હો કાના

 કહેવાય છે કે  વિષ્ણુના ચોવીસ અવતારોમાં  રામ અવતાર  અને કૃષ્ણ અવતારમાં  ઘણી બધી  કથાઓ છે   .અને એ વાર્તાઓની  લોક માનસ એટલી બધી પકડ છે કે  હજારો વર્ષથી  આ વાર્તાઓ સંભળાતી આવી છે  .  વન્ચાતી આવી છે  . પણ  એનો રસ ઘટ્યો નથી   . ઘટવાનો નથી  .  નવાઈની વાત એ છે કે  આ બન્નેમાંથી  એકેયને ખરે ખર   પિતા નથી   . દશરથ  રામના પિતા કહેવાય છે   .એવીરીતે  કૃષ્ણના  વાસુદેવ  અને  નંદ એમ બે પિતા કહેવાય છે  ,  પણ ખરેખર એ એમના પિતા નથી   . એની  કેવી રીતે  ઉત્પત્તિ  થઇ એ વાત આપ સહુ જાણો છો  .
કૃષ્ણ ના  બંસી વાદન ઉપર   સ્ત્રીઓ  ઘેલી હતી  . આ  બંસી ના  નાદ ઉપર   કુંવારી પરણેલી  બાળ બચ્ચાં વાળીને પણ  નિખાલસ પ્રેમ વછૂટ તો  
 આ બાબત  ગુજરાતના આદિ કવિ  નરસિંહ મેહતાએ  ઘણાં ગીતો બનાવ્યા છે અને  કચ્છના લંઘા ઇસ્માઇલ વાલેરા એ  ઘણાં ગાયાં   છે   . કૃષ્ણ  ગોપીઓને પજવતો ખુબ  અને કાનાની પજવણી ગોપીઓને ગમતી પણ ખુબ   .વાજિંત્ર ના  વગાડનાર   ઉપર  મોહિત  થનાર  અને એના ઉપર  પ્રાણ  ન્યોછાવર  કરનાર  સ્ત્રીઓના  એકાદ બે દૃષ્ટાંત    હું આપું છું   . જુના વખતમાં  સૌરાષ્ટ્રમાં  એક શેણી વીજાણંદની વાત બહુ જાણીતી છે  ,  બન્ને  ચારણ  જાતિનાં હતાં  ,  વીજાણંદ  કામાનો બાવો  આળસુ   , રેઢિયાળ જુવાન હતો   . પણ એ અસરકારક જન્તર  વગાડી શકતો  . અને  રખડતો ભટકતો  આવારા જુવાન  જન્તર વગાડીને રોટલા રળી  ખાતો  આ જન્તરને કારણે  એક શેણી નામની યુવતી  મોહિત થઇ ગઈ  ,  અને એની સાથે  લગ્ન કરવા સુધીને તૈયારી કરી લીધી   . આ વાતની  શેણીના બાપ  વેદાને જ્યારે ખબર પડી ત્યારે એની વ્હાલી દીકરીને  આ વીજાણંદ જેવા  રખડુ સાથે ન પરણવા  ઘણી સમજાવી   . પણ  શેણી માનતી નોતી  તે જવાબ આપતી  કે
ધોબી લુગડે ધોઈ  રૂપાળે    રાચું નઈ
મર મેલડીયો હોય  પણ વર મારો વિજાણંદો  
પ્રિન્ટિંગ પ્રેસમાં મને મદદ કરતી  હોલી પણ   એક  વીજાણંદ  જેવા  રેઢિયાળનાં  ગિટાર વાદન  ઉપર મોહિત થઇ ગએલી  ગિટાર વાળો કશું  કામ કરતો નહીં   , હોલીના પગાર ઉપર જલસા કરતો   ,  ક્યારેક એ હોલીને મારી પણ લેતો  મેં એને છોડી દેવા  ઘણી સમજાવી પણ માની નહીં   . બીજી એની બેનપણીઓ  પણ સમજાવી કે  તું બહુ દેખાવડી છો  , તુને મનગમતો યુવક મળી રહેશે   .  પણ  હોલી  એ ગિટારવાદકને છોડવા માગતી નોતી  . આને પ્રેમની પરાકાષ્ઠા પણ કહેવાય ? 

 

ઋષિ વાલ્મિકી સંસ્કૃત ભાષાના આદિ કવિ છે .

Meadow-Forrest

વાલ્મિકી ઋષિ  એના પૂર્વાશ્રમમાં  લૂંટ ફાટ કરનારા  અને પારાધી હતા   .પણ નારદ મુનિના ઉપદેશથી  એના જીવનમાં પલટો આવ્યો   . એમણે  બધા  બુરા કામો છોડી દીધા   . અને તેઓ મહાન ઋષિ બની ગયા   .
सत संगात भवतिहि साधुता खलानां એક વહેલી સવારે સ્નાન કરવા જઈ રહયા હતા ત્યારે એક સારસની  જોડી નાચતી કૂદતી  ગાતી આનંદ  મઁગલ કરતી  એમણે જોઈ  . બસ એજ ક્ષણે  એક પારાધીએ  એક પક્ષી મારી નાખ્યું   . આ જોઈ બીજું પક્ષી

પારધીએ જોડીમાંના એક પક્ષીને મારી નાખ્યું   .જ્યારે બચી ગયેલ  પક્ષી  મૃત પક્ષીના  વિયોગમાં આકરૂન્દ કરવા લાગ્યું   , આ દૃશ્ય જોઈ  ઋષિ વાલ્મિકીનું હૃદય  દ્રવી ઉઠ્યું  અને એના હૃદયમાંથી એક શ્લોક ઉદ્ભવ્યો   . આ શ્લોક એ સંસ્કૃત કાવ્ય  સાહિત્યનો આદિ શ્લોક છે   , અને આ શ્લોક લખનારા રચનારા  સંસ્કૃત  કાવ્ય  સાહિત્યના આદિ કવિ  તરીકે પ્રખ્યાત થયા   . અને આ વખતે એમને રામાયણ  લખવાની સ્ફુરણા   થઇ  અને એમને રામાયણ લખી   . આ પછીતો  ભારતની  ઘણી ભાષાઓમાં રામાયણ  લખાઈ  અકબરના સમયના વિદ્વાન  અબુલ ફૈઝી અને અબુલ ફઝલે  અરબી ભાષામાં લખી  . અને પંડિત બ્રીજ્નારાયણ

“ચક્બસ્ત ” એ ઉર્દુમાઁ લખી   . રામાયણની મુવી બનાવનાર  રામાનંદ સાગરે    તુલસીદાસ ની રામાયણ રામચરિત માનસ અનેક  રામાયણોમાંના  કેટલાક  ભાગોનો અભિપ્રાય  લીધેલો છે    .કોઈએ  રામાનંદ સાગરને યાદ અપાવ્યું કે  તમે આતા રામાયણનો અગત્યનો ભાગ કેમ ન લીધો  ? સાગરે કીધું કે  હું આતા રામાયણ વિષે  કશું જાણતો નોતો  એટલે મારી જાણ બહાર  રહી ગયેલું  તો હવે લખો   . રામાનંદ  સાગર કહે  હવે  મુવી લગભગ પૂર્ણ  થવા  આવી છે  . એટલે  હવે   એમાં ઉમેરો ન  થઇ  શકે   . છતાં  તમે મને આતા રામાયણનો  થોડોક સાર કહો તો ભવિષ્યમાં એ વિષે હું  વિચાર  કરી જોઉં અને મને યોગ્ય લાગે તો   આતા રામાયણની  સ્પેશિયલ મુવી બનાવું  .   આતારામાયણ  વિષે ભલામણ  કરનારો સજ્જન  બોલ્યો   .સુપર્ણખા  નું નાક લક્ષમણે  કાપ્યું  તે પહેલાનો ઇતિહાસ વાલ્મિકી  રામાયણમાં છે એ પ્રમાણે   બરાબર છે   .  પણ સુર્પણખાનું  નાક કપાયા પછીનો  ઇતિહાસ જુદોજ વળાંક  લ્યે છે  .  નાક  કપાયા પછી    સુપરણખા એના એક ભાઈ  પાસે ગઈ અને  પોતાના  નાક  કપાયાની ફરિયાદ કરી  ભાઈએ  રામ  ઉપર  મોટા લશ્કર  સાથે  ચડાઈ કરી   પણ  જેમ  નાનકડા ઇઝરાયલથી  ઇજિપ્ત  કરુણતાથી  હાર્યું એમ  રામ લક્ષમણે  સુર્પર્નખા ના ભાઈને હરાવ્યો  ,   પછી સુર્પણખા  એના ભાઈ  રાવણ પાસે ગઈ  અને  પોતાને નકટી  કરનાર સામે વેર લેવા આજીજી કરી  રાવણને  તેની પત્ની મન્દોદરીએ  આવું દુ : સાહસ  ન કરવા સમજાવ્યો   પણ અભિમાની રાવણ  માન્યો  નહિ  .એના ભાઈ  વિભીષણે  યુદ્ધ ન કરવા વિષે  ઘણું સમજાવ્યો  પણ  રાવણ   માન્યો   નહિ   . છેલ્લે ગુજરાત દર્પણ વાળા  સુભાષ  શાહ  જેવા એના  વાણિયા પ્રધાનનું માન્યો  પણ  શરત  મૂકી કે બેન સુપર્ણખા  જો માની જાય કે લડાઈ ન કરવી   તો હું લડાઈ ન કરું   પછી અમૃત હઝારી જેવા સમજુ માણસે  સુપર્ણખાને સમજાવી પણ સુપર્ણખા  એ કીધું કે   લક્ષમણ મારી સાથે લગ્ન કરે તો  હું મારા ભાઈને  યુદ્ધ ન કરવા કહું   . પણ ઓલો કાળઝાળ  લખમણ  માને તો થાયને ? સુરેશ જાનિ  એ લખમણને સમજાવ્યો  .  લખમણ કહે   મારેતો પત્ની છે   , સુરેશ કહે ભાઈ તારા બાપને ત્રણ રાણિયું  છે   , તો તુને બે હોય તો  કશો વાંધો નથી    . વળી લખમણ  બોલ્યો ઈ નકટીનું  નાક સમું થાય તો હું લગ્ન કરું  ઈ ની જવાબદારી પ્રવીણકાન્ત  શાસ્ત્રીએ લીધી કે  હું  છ શાસ્ત્રો માયલોમન્ત્ર એકાદ  વખત બોલીશ એટલે ઇનુ નાક પોપટની ચાંચ જેવું થઇ જશે  . અને પછી યુદ્ધના વાદળો  વિખરાય ગયા  અને રાવણ રામનો દાસ થઈને  અયોધ્યા  ગયો લંકાનું રાજ  વિભીષણ  ને  સોંપ્યું  ભરત  ગિરનારના ભરત વનમાં ગયો અને લખમણ ગિરનારના લખમણ  ઝૂલા  ઉપર બેસીને  સુપર્ણખા  સાથે હિંચકા માન્ડ્યો   એ         રીતે બધા  સારા  વાના થઇ ગયા  . બોલો સીતા પતિ રામ ચંદ્ર કીજે    .

સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો .તુને ચાહનારનો બેડો પાર હો

મને જે જે સ્ત્રી શક્તિઓએ  ચાહ્યો છે   . તેમાંનીથોડીક  સ્ત્રી શક્તિઓ વિષે લખીશ   . સૌ પ્રથમ મારી મા  વીશે લખીશ   .  દીકરા તો દરેક  માયુંને વ્હાલા હોય છે  . હું  બે એક વરસની ઉંમરનો હઈશ  ત્યારે  કે એના પહેલા  મને કોઈ ચુંબન  કરે એ જરાય  ગમતું નહિ   .અને એવીજ રીતે મને ઘરેણા પહેરવાં પણ ગમતાં નહીં   હું જ્યારે ઊંઘી ગયો હોઉં  ત્યારે મારી માં ધરાઈને ચુંબન કરી લેતી   , એક વખત હું પથારીમાં  આંખો બંધ કરીને પડ્યો હતો  . હું ઊંઘી ગયો છું કે જાગું  છું   . એ જોવા માટે મારી મોટી બેનને   મારી માએ  મોકલી   . હું ખરેખર  ઊંઘી ગયો છું કે  ફક્ત આંખો બંધ કરીને પડ્યો છું   .એ જોવા મારી  બેને  માથું  નમાવ્યું   .અને મેં થપ્પડ  ઠોકી દીધી  . .  આ પ્રસંગ મને યાદ છે  .પણ મારી માં મોતીનું તોરણ  થાળીમાં  મોતી ભરીને  બનાવતી હતી  આ મોતી ભરેલ થાળી  ને મેં લાત મારીને  ઓસરીમાં મોતીને  વેરન છેરણ કરી નાખેલા    .  છતાં મારી માએ  મને કશું કીધેલું નહિ મારી બેને કીધેલું કે  તે  ગગાને  બહુ  ચાગલો રાખ્યો છે   . એક થપ્પડ   ઠોકી દેતી હોયતો ?  આ વખતે હું બહુ નાની ઉંમરનો  દોઢ કે બે વરસનો હઈશ   . મારીમાં જવાબ આપતિકે ઈતો મારો કનૈયો  છે બાળ લીલા  કરે છે   .આ વાત  મેં  સાંભળેલી છે  . આ તોરણ મેં  મારા રશિયન પત્ની વાળા  પૌત્રને   એક વરસ  પહેલા આપી દીધું  છે  .
પછી શહેરમાં ઉછરેલી  છોકરી  ભાનુમતી સાથે  મારા જેવા ઢોર રાખનાર ગામડિયા સાથે  લગ્ન થયા  ભાનુમતીએ મારી ચડતી પડતી દશામાં જરાય મોઢું બગાડ્યા વિના  સાથ આપ્યો  70 વર્ષ સુધી   . તમે કોઈએ પોલીસની વાઈફ  બકરાં  ચરાવતી હોય એવું સાંભળીયુ નહિ હોય અને ભવિષ્યમાં સાંભળશો પણ નહીં  . આવી જે કોઈ સ્ત્રી હોય તો તે ભાનુમતી   . મારા લગ્ન જીવનમાં  ભાનુમતીએ ફક્ત ત્રણ વખતજ  મને ચુંબન કરેલું   . અને બીભત્સ શબ્દ કદી  બોલેલી નહિ   . મારાથી કદીક  બીભત્સ શબ્દ બોલી જવાય તો તે કહે  તમે ભડ દઈને ભૂંડું  બોલો છો  .  પછી  અમે  
અમેરિકા આવ્યાં વચ્ચે  મારા ભાઈની અને દીકરાની અમેરિકન પત્નીઓના  પ્રેમની  વાત કરી દઉં  પછી  ફરીથી   ભાનુમતી વિષે  ,    આ બધી  વાતો  મરવા કાંઠે આવેલો હું   મારી  યાદ દાસ્ત માટે અને મારા પરિવારની  જાણ કરી માટે   કરું છું       અમેરિકા મારા આગમન પછી મારા ભાઈની  અમેરિકન પત્ની એલિઝાબેથે  મારી  બહુ  કાળજી લીધી    6 મહિનાના  . દીકરા  વિક્રમને   ઊંઘમાંથી ઉઠાડી  કારમાં મૂકી  વહેલી સવારે 7    વાગ્યે  મને નોકરી ઉપર મુકવા આવતી  . મારા દીકરાની જર્મન વાઇફે પણ મારી ખુબ કાળજી લીધી મને ઘણો પ્રેમ  આપ્યો  તે ના  મુત્યુની વાત સાંભળી  હું પોકે પોકે રોયો હતો  .અમે એરિઝોના રહેવા આવ્યા ત્યારે  અમારો વિયોગ ન સહન કરવાના કારણે    ખુબ રોઈ  હતી  . એરિઝોનામાં  જયારે ભાનુમતી  ખુબ અશક્ત થઇ ગઈ  ત્યારે તે ઉભી થઇ શક્તિ નોતી   બેઠી બેઠી  ઘરમાં હરતિ   ફરતી   આવી દશામાં તે મને તેની સેવાની તકલીફ આપવા માગતી નોતી  તે નીચે ઊંઘતી કોઈ વખત  તે ગાદલા ઉપરથી નીચે ઉતરી પડે  , અને હું તેને  પથારીમાં મુકવા જાઉં તો તે બોલે  તમે મહેનત કરો માં  હું મારી મેળે  ગાદલા ઉપર  જેમ તેમ કરીને ચડી જઈશ  તમારી કેડમાં કૈંક  થઇ જશે મને મૂઈ ભાળો જો મને  તમે  ગાદલા ઉપર મુકો તો  .  હું જવાબ આપું કે  ભલે તુને મૂઈ ભાળું પણ હુંજ  તુને ગાદલા ઉપર ચડાવીશ  તોજ તું જઈ શકીશ   પછી હું ધરાર  એને પથારીમાં મુકું   . એને નાવા  માં મદદ  ભગવાનને દીવો બત્તી કરવામાં  મદદ  કર્યા પછી એ બોલે  હવે મારી પૂજા કર્યા કરતા  સિનિયર સેન્ટરમાં જાઓ  ત્યાં તમારી પૂજા કરવા માટે  રંડકિયું વાટ જુવે છે  .  .  ભાનુ મતિના મૃત્યુ પછી  એકાદ વરસ સુધી    મારું  ચિત્ત ભ્રમ જેવું થઇ ગયેલું પછી હાલ જેની સાથે રહુ છું  એ ડેવિડે મને ટિકિટ મોકલીને  પોતાને ઘરે તેડાવ્યો   . પછી  મારા કહેવાથી  મને  કરુઝમાં લઇ ગયો   . અહીં મને બે બેન પણીઓ મળી   . એમાંની  એક બેન પણીએ મારા ઉપર બહુ જાદુઈ  અસર કરી  .
करूज़मे मिल माशूक़ने ऐसा जादू किया
बी बी गुज़रजानेका जो ग़म  था भुला दिया
भानुमति जब स्वर्ग गई तब  उदासीनता छाई
गोरी लड़की आन मिली  जब मायूसी चली जाई  ….संतो भाई  समय बड़ा हरजाई  .
फिर मुझे   . एक और लड़की मिली  उसने
जलवा दिखाने आई  मुझे हुरकी  तरह  माशूक़ने क़त्ल करदिया तलवारकी तरह

 

જાણી અજાણી કહેવતો તેનો ઉદ્ભવ + બીજું બીજું

arizona

જિનીએ બાપના  વાળ્યાં નઈ ઈ બાવાનાં શું  વાળશે
બે જુવાનો  દેશીંગા થી  કુતિયાણા  જઈ રહયા હતા   . ભાદર  ને  ઓલે કાંઠે  પાદરીયા  પીપરા નીચે  ભેંસો બેઠી હતી  . તે ઉભી  થઈને  નજીકના જેતા બાપાના  ખેતરમાં  ઘૂસવાની તૈયારી  કરતી હતી  .  બે જુવાનો જે કુતિયાણે  જતા હતા  તેમાના એકના બાપની એ ભેંસો હતી   .    બાપે  ઘાંટો  પાડીને   દીકરાને કીધું કે   દીકરા એ ભેંસોને પાછી વાળ  નહીં તર એ  જેતા બાપાના ખેતરમાં  ઘુસી જશે  . અને  પાકને ઘણું નુકસાન કરશે  . દીકરાએ જવાબ પણ  નદીધો   . અને જેમ ચાલ્યો જતો હતો  એમ ચાલવા માંડેલો   ,પણ એની સાથે ચાલતો  જતો હતો એ સજ્જને  ભેંસો પાછી  વાળી  અને પાદરીયા પીપરા ભેગી કરી  . બન્ને જણા થોડા આગળ ગયા  ત્યાં એક બાવો બેઠો હતો  , એની ગાયો કોકના ખેતરમા  જવાની તૈયારી  કરી  રહી હતી  બાવાએ  ઓલા છોકરાને     બુમ મારીને કીધું  बेटा मेरी गइयाँ   पिच्छि वाल  બાવાનો અવાજ સાંભળી   સજ્જન બોલ્યો   .
જિનીએ  બાપનાં વાર્યાં  નઈ ઈ બાવાના શું વાળશે  ‘
काली कुत्ती मर गई  मेरी खिचड़ी मेसे स्वाद गया  .
દેશીંગામાં એક મકરાણી  રહેતો હતો  . એની બીબી જન્નત નશીન થયા પછી  એ  રાતના ખીચડિ રાંધે  અને  વાળું  કર   જેમાં ખીચડી  રાંધી હોય એ તોલીયામાંજ  ખાય લ્યે  .   અને  પછી  તોલીયાને   ભાર મૂકી દ્યે એ કાળી કુતરી આવીને  ચાટી જાય અને પછી બીજે દિવસે સાંજે   તોલીયાને સાફ કર્યા વિના  એમાંજ ખીચડી રાંધે  એક  દિવસ   કુતરી મરી ગઈ  .   એટલે તોલીયો સાફ થાય નહીં   . એટલે  એમાં રાંધેલી ખીચડી  ભાવે નહીં એટલે કહેવત   પડી કે
काली कुत्ती मर गई मेरी खिचड़ीमें से स्वाद गया   .
એક  મુંબઈ માં જન્મેલા એનો બાપ પણ મુંબઈમાં  જન્મેલા   એવા એક સોરઠી જવાને મને  મારી પરીક્ષા કરવા સવાલ કર્યો  . ઊંટડો એટલે શું।  ? મેં એનો જવાબ ધડ દઈને આપી દીધો  .  મેં એને કીધું ભાઈ  તું તારી દાદીમા પાસેથી  સોરઠના  તળપદી  શબ્દો શીખ્યો હોય   , જ્યારે હું  મારી 20 વરસની ઉંમર સુધી  સોરઠના  ગામડામાં રહેલો છું  મને જેટલા  સોરઠી શબ્દો આવડે એટલા તારી દાદી માને પણ નહીં આવડતા હોય   . પછી મેં એને પૂછ્યું વેળુમાં  નાડા છોડ  એ કહેવત  ક્યારે વપરાય   .?એનો જવાબ  વર્ષો થયા  હજી મને આપ્યો નથી  . હવે હું આપને કહું છું  .કોઈ નકદરા માણસ માટે  આપણે કશું કરીએ  અને એ માણસને એની કોઈ કિંમત નહીં  ત્યારે આપણે  કહીએ કે આ માણસને  આપ્યું એ વેળુમાં  નાડા છોડ  બરાબર  છે  .  નાડા છોડ કરવી એટલે પેશાબ કરવો   .  વેળુ  એટલે રેતી આપણા સુરેશ જાનિ  સાબરમતી નદીમાં પેશાબ કરે એ દેખાય ખરો? રેતી શોષી  જાય   .

जब एक पत्थरको मूर्ति बनाने वालेने (बूत साज़ने ) भगवानकी मूर्तिमे तब्दील करदिया गया .

10492084-Guanyin-statue-Goddess-of-mercy-Hainan-province-China--Stock-Photo
જયારે મૂર્તિ બનાવનારે  પથ્થરને કોતરીને  ભગવાનની મૂર્તિ બનાવી ત્યારે   પથ્થર    અપ્રસન્ન થઈને  મૂર્તિ બનાવનારને  પ્રશ્ન  કરે છે કે   આપણે એમ થશે કે  પથ્થરની મૂર્તિ કોઈદી બોલતી હશે  > હા કવિઓ  પથ્થરને પણ બોલાવી શકે   . અને નવા નવા  પદાર્થો પણ શોધી કાઢે   આ  પારસમણી  કવિ લોકોએજ  શોધી કાઢેલો  પદાર્થ છે  કે  જે ને તમે  લોઢાને  અડાડો કે  લોઢું સોનુ  થઇ  જાય  .  શોધવાના છેકે  જેને પથ્થરને અડાડવાથી  પથ્થર હીરો  થઇ જાય   . હવે આ પદાર્થનું  નામ સુ આપવું એની વિચારણા  બ્લોગર  સભામાં  ચાલે છે  . કોઈ કહે પ્રવીણકાન્ત શાસ્ત્રીનું નામ આપીએ  કોઈ કહે આતાનું  નામ આપીયે   આતા  ક્યાં  ગપ્પામાં ઓછા  ઉતરે એમ છે  ?  .   હવે પથ્થર બોલ્યો એની વાત કરું  એક માણસ  લાંચ આપીને  કામ કરાવવાની ટેવ વાળો હતો   .  ,એ એક  તામિલનાડુમાં  આવેલ વિશાળ  ગણપતિની  મૂર્તિ પાસે ગયો  તામિલનાડુ વાળા ગણપતિને  કોઈ પત્ની નથી   , રિદ્ધિ  સિદ્ધિ બે  પત્નીઓ  તો આપણા ગણપતિને છે  .  લાંચિયા માણસે  ગણપતિ આગળ નોળિયેર  વધેર્યું અને એની નાની શેષામુકી  અને આ શેષ  જીઆના જેવી  દીકરીને સાથે તેડતો ગએલો એને કીધું ગી ગી  આ શેષ લઈલે  અને બાકીનું નાળિયેર  પોતાની થેલીમાં મૂકી દીધું  . અને પછી બે હાથ જોડી  માથું નમાવી ગણપતિ  પાસે માગણી મૂકી કે હે દાદા  જો તમે મને  બી એમ ડબલ્યુ  b m w     કાર  અપાવો તો હું તમને  ઓછી ભેળ સેળ હોય એવા ઘીના લાડુ ખવડાવું   .  આ વખતે મૂર્તિ બોલી  કે  એલા   કન્જુસ  હું  ઉંદરડા ઉપર ફરું છું   .અને તુને  બી એમ ડબલ્યુ  અપાવું ? એમ કહી  સૂંઢથી એની કેડ પકડી ને  દૂર ફેંકી દીધો  . એ મરીતો નો ગયો   .પણ એની કેડના મકોડા  ખસી ગયા  .  હવે આપ મારું હિન્દી – ઉર્દુ શબ્દો વાળું ભજન   વાંચો  .  આ ભજન  કવિ  દુલા ભાયા કાગના ભજન  પગ મને  ધોવા દ્યો રઘુરાયજી  એ ઢબથી  ગાઈ  શકાશે  .
क्यों  बनाया भगवान    बनाके मेरा क्यों किया अपमान
बुतसाज़ क्यों बनाया भगवानजी
पहाडोंकी छोटी पर था जब मन था मसतानजी
पंछी मुझ पर  बैठ करके  गाते मधुर गान  …बुतसाज़
काट कुटके खड़ा किया  मुझे पूजने लगे  इंसानजी
मेवा मिश्रीका भोग लगाके  मांगने  लगे  वरदान   ..बुतसाज़
चंदन पुष्प चढ़ाके  मेरा खूब किया सनमानजी
 हिरा मोतीके

 जेवर दाल मुझे करदिया  बंदीवान  ..बुतसाज़
कायाको  क़ुरबान कर बनाने देता  मकनजी
हरि होनेके बाद मुझको लेने पड़ते दान  .. बुतसाज़
 फिरसे मुझको पत्थर होना नही चाहिए   सन मानजी
“आताश्री  ” समजाओ  उसे मुझे रहने दो पाषाण   …बुतसाज़
 

કેટલાંક જાણવા જેવાં વાક્યો .

03154_steelsea_3840x960
પહેલાના સમયમાં  મહંતો  ,ગુરુઓ  શિષ્ય બનાવતાં  પહેલાં તેમની પરીક્ષા લેતા હતા  . એક ચેલો મૂંડાવવા આવનારને મહંતે  પ્રશ્ન કર્યો   .
पान सड़े घोडा अड़े  विद्या विसरि जाय 
तव पर रोटी जले  कहो चेला  क्यों थाय
હાજરજવાબી  ચેલે એકજ ટૂંકા વાક્યમાં જવાબ આપી દીધો  . આ ચેલો થવા આવનાર  સોરઠના  ઘેડ વિસ્તારનો હતો   . “ફેરવ્યા વિના ” મહંત બોલ્યો  .  बेटा मैं सुरति प्रवीनकांत   शास्त्री  जैसा होशियार नहीँ हूं   मुझे   विगतसे  समझाओ  . ચેલો બોલ્યો બાપુ  જે નાગરવેલના પાન  જે પાનની  દુકાનવાળા  વેચવા માટે રાખતા હોય  એ લોકો  પાનને પાણી ભરેલા  કુંડામાં  રાખતા હોય છે  .  અને એને ઘડી ઘડી  ફેરવતા રહેતા હોય છે   . જો પાનને ફેરવે નહીં તો પાન સડીજાય   . અને ઘોડાને બાંધીજ રાખો  .  અને એને    થોડી વાર પછી  ફેરવવા ન લઈ   જાઓ તો એ ઘોડો  અટકતો અટકતો  ચાલે   . અને વિદ્યાને  દરરોજ યાદ ન કરો તો  ભુલાય જવાય   .અને તાવડીમાં રોટલો મુક્યો હોય  એને જો તમે ફેરવો નહિ તો  તે બળી  જાય   , ચેલો મૂંડાવા આવેલ માણસના જવાબથી  મહંત ખુશ થયો   . અને  મહન્તે ચેલો મુન્ડી નાખ્યો  . અને પછી મહન્ત  બોલ્યો  बेटा अब तू   “आतावानी ” वाला  आता के पास जा और उसके पाससे  थोड़ी जादूगिरी  सिख ले  फिर हम लोग  लोगोको  उल्लू बनाके माला माल  हो जाएंगे  . એક દિવસ  એક ઘર વિહોણી  વૃધ્ધા થોડા દિવસ  રહેવા માટે આવી  ચેલે મહંતને ખબર આપીકે  એક નિરાધાર ડોશીમા  થોડા દિવસ માટે  આપણા આશ્રમમાં  રહેવા માગે છે  .  મહંત બોલ્યો  बीटा हमारी पास जगह  कहाँ है   . वो रूममे  देव देवताओंकी  मूर्तियां  है  ए रूममे   पुजाका सामान   पडाहै    और दूरवाली जो रुम है   उसमे मेरी पथारी है  बोल उस बुढ़ियाको कहाँ  रख्खेंगे  हमारी पास फालतू जगह  कहाँ है   .   થોડી વાર પછી  ચેલે ખબર આપ્યાકેaapya કે એક બિચારી 18 વરસની  માંઝરી  આંખો વાળી ખુબ સુરત  નિરાધાર   યુવતી  બે રાત રહેવા માટે  આવવા માંગતી હતી પણ  આપણા પાસે જગ્યા નથી એટલે મેં એને ના પાડી    મહંત કહે  जा जा  बुला ला जगह हो जाएगी ऐ  ? जो देवताओंकी  मुर्तिया है  उसको  गाँव  के मन्दिरमे  रख देंगे  . और  दूसरा सामान है उसको  इधर उधर  कहींभी  रख देंगे  .   ચેલો બોલ્યો  પણ આપણા પાસે  વધારાની પથારીમા ક્યાં છે   ?  મહંત કહે   अरे बे वक़ूफ़  वोतो मेरी साथ मेरी  पथारी   सो रहेगी

खल्वत है तन्हा मैं हूं मुबारक है तेरा आना

ચાલો  સ્ત્રી શક્તિને  યાદ  કરું   .  . અને આખો દિવસ આનંદથી વિતાવું   . જેને મારી  આવી સ્ત્રી પૂજનની વાતો ન ગમતી હોય એનો વિરોધ  કરી શકે છે  . મને એનું દુ : ખ   થાય એમ નથી  . આવા દુ :ખોની દવા મારી  માશુક  પિતરી છે  .
खल्वत  है  तन्हा मैं हूं   मुबारक है तेरा आना
तोहफा  अगरचे लाना  सहबाका   खुम लाना    
मेरे मय  गुसारकोभी  तुम साथ लेके आना
सागर बदल बदलके  पीलेना और पिलाना
तोहीन मैक़देकी   यारो कभी न करना
 पीना नहीं  न  पीना  सब छोड़ घरको जाना
 ख्वाहिश  है मेरी माशूक़  मरनेके बाद जीना  ( पुनर्जन्म नही  एहि मेरा जिस्मको  फिरसे ज़िंदा : करना )
 तुझे पासमे बिठाके भर भरके जाम पीना
सब साथ बैठ पीना  खुदाको न भूल जाना  
“आता ” को साथ लेके मय खाना   सिम्त  जाना   .
خلوت ہے  تنہا می  ہو  مبارک ہے تیرا آنا
تحفہ اگرچے  لانا صحبہ  کا  خم  لانا
میرے می گسرکو بھی  تم ساتھ لکی آنا
سا  غر بدل بدلکے  پی لینا ور پلانا  
توہین  میقدکی  یارو کبھی ن کرنا
پنا نہی ن پنا سب چھوڈ گھرکو جانا
 خواہش ہے  میری معشوق  مرنیکے بعد جینا
تجھے پاسمے بٹھاکے بھر بھرکے جام پنا
سب ساتھ بیٹھ پنا  خڈاکوں بھول جانا
“آتا “کو ساتھ لکی میخانہ  سمت جانا

એકાંત છે અને હું એકલોજ છું  આવા સમયે તારા શુભ આગમનને હું આવકારું છું  કોઈ ભેટ સોગાદ લાવવાની જરૂર નથી  છતાં તારે કંઈ  ભેટ લાવવી હોય તો  તું લાલરંગની મદિરાનું  ભરેલું મટકું  લઇ આવજે  કે આપણે સહુ સાથે બેસીને પી એ   .  અને હા આપણા શરાબી મિત્રોને પણ સાથે લેતી આવજે   . એટલે આપણે  પ્યાલા બદલી બદલીને પીએ  .અને  હું  મરી  જાઉં એ પછી એવી મહત્વાકાંક્ષા  છેકે  મારા મૃત શરીરમાં પાછો પ્રાણ મૂકીને મને જીવિત કરે  અને પછી હું મારી માહજબિં માશૂકને  મકર પડખામાં  બેસાડીને  દારૂના  પ્યાલા  ઉપર પ્યાલાભરી ભરીને હું પીધા કરું   . આપણે બધાએ સાથે બેસીને પીવાનો  અને પરમેશ્વરને પણ ભુલવાના નહીં   . અને પછી આતાને  સાથે લઈને  મયખાના તરફ પ્રયાણ કરવું  .

મારી પત્ની ભાનુમતી પરલોક ગઈ એને ઓગસ્ટ2 2007 ના દિવસે 9 વર્ષ પૂરાં થયાં .

This slideshow requires JavaScript.

ભાનુમતીનો વિયોગ સહન કરતાં મને  મહિનાઓ લાગી ગયેલા  . પછી હું દુ :ખ ભૂલવા માટે  હું એના રમુજી સુખદ  પ્રસંગો  યાદ કરીને આનંદ મેળવતો
અમે મારા ભાઈ સાથે રહેતાં ત્યારે   મારા ભાઈની અમેરિકન વાઈફ   એલિઝાબેથ  ભાનુમતીની સ્વચ્છતાની ટેવ કામ શીખવાની અને  કામ કરવાની ધગશ ઉપર ફિદા ફિદા હતી   . અમે એરિઝોના રહેવા આવ્યા ત્યારે  લાગતની શીલ એલિઝાબેથ  ચોધાર આંસુએ રડી હતી   ખાસતો  ભાનુમતીની  જુદાઈના કારણે   ; અમારા બન્ને બચ્ચે ઝઘડો થતો   . ગરીબીમાં  કરકસર કરવાના કારણે  અમારા ઘરમાં ચા પીવાની ટેવ ફક્ત   ભાનુમતીને હતી  . જોકે પછી વહુને સારું લગાડવા  મારા બાપા  ચા પીવાના બંધાણી થઇ  ગયેલા    ..
અમો અમદાવાદ રહેતા ત્યારે મારી પાસે ભૂતિયા કાર્ડ હતા  એટલે મારી પાસે ખાંડ અને ચોખાનો જથ્થો  ભેગો  થઈ જતો  . આ ખાંડ અને ચોખાને હું વેચતો અને એ પૈસાનો ઉપયોગ હું  ઘરના બીજા ખર્ચાઓમાં કરતો   .  ભાનુમતી ક્યારેક એની ચાલાક બેન પણીઓને મફતમાં  ખાંડ આપી દ્યે   . આ મને જરાય ન ગમે  . અને આ કારણે અમારા બન્ને વચ્ચે ઝઘડો  થઇ પડતો  . અમો અમેરિકા આવ્યા પછી હું કમાતો  અને આ છત વાળા દેશમખાધા   ખોરાકી   બાબતના ખર્ચ બાબત  ઝઘડાનો કોઈ સવાલજ ઉભો ન થતો  . એક વખત એક છોકરાએ મને પૂછ્યું  કાકા તમે કોઈદી ઝઘડો કરો છોકે નહિ  . હું એને જવાબ આપતોકે અમારા વચ્ચે ઝઘડો થાય છે પણ ખોટે ખોટો   સાચો  ઝઘડો  ન થાય   . એના માટે  ખોટો  ઝઘડો  કરીને સંતોષ માનીએ છીએ   . કોઈ વખત ખાસ કામ  ન હોય તો અમે ઝઘડો કરીએ અમારો ઝઘડો  પાંચેક   મિનિટ   ચાલે    . ભાનુમતી  ઘડિયાળ સામે જોતી જાય  . ટાઈમ પૂરો થાય એટલે કહે   ટાઈમ પૂરો થઇ ગયો  . હવે ચાંપ દબાવી દ્યો  . ઝઘડો પૂરો થાય એટલે ભાનુમતી બોલે  આજતો તમે હું નવાનવા શબ્દો બોલતા  હતા   . આવું બધું તમે ક્યાંથી  શીખી લાવો છો   ? ભાનુમતીને  કોઈને ખવડાવવાનું બહુ ગમે અને પછી પોતાની  રસોઈના વખાણ થાય એ ગમે   . કોઈને કશું આપવાનું પણ એને બહુ ગમે   .  અને માણસ  લેવાની ના પાડે તો એને ન ગમે   કોઈ મિત્ર ઘરે આવે તો એને ચા પીવડાવે  ચા ન પીએતો કોફી  અને છેલ્લી બાકી રસ  આગ્રહ  મકરીને  પીવડાવે  અને એ પણ મોટા પ્યાલા ભરી ભરીને  એક તરુણા  બેનેતો  મોઢે ચડીને કીધું કે    આ ઘરે તો આવવા જેવું નથી  . માસી ધરાર ખવડાવે છે   . હું એરિઝોનામાં  રહેવા આવ્યા પછી   પુષ્કળ  શાકભાજી વાવતો એક વખત  મને એક પટેલે રવૈયા  રીંગણાં  ના છોડ આપ્યા પુષક્ળ રીંગણા થતાં અમે બે જણા કેટલુંક ખાઈએ  મિત્રોને આપીએ   . તીખાં મરચા પણ ખુબ થતાં હું તીખું ખાઉં નહીં  ભાનુમતી ખાય એ કેટલુંક ખાય   અમે મિત્રોને આપીયે એક વખત ભક્તિ અને તેનો પતિ અમારે ઘરે આવ્યા  અને ભાનુમતીએ મરચાનો ઢગલોaapyo કુલ કહે અમારે નથી જોતાં   સાંભળીને   ભાનુમતીનું      મોઢું બગડી ગયું  .  આ જોઈને ભક્તિ   બોલી  લઈલે   નહિતર માસીને નહીં ગમે  . .
ભાનુમતીને પ્રાણીઓ પક્ષીઓ  બાળકો મેમાનો બહુ વહાલાં  અમે સરદારનગરમાં અમદાવાદ રહેતા હતા ત્યારે  ઇંડામાંથી નીકળેલું મોરનું   બચ્ચું પાળેલું  તેને મોટો મોર કરવા સુધી  ભાનુમતીએ ખુબ કાળજી રાખેલી   .આ  બચ્ચાં  ને નાનું હતું  ત્યારે  એને ઉધય અને એવાં  જીવજંતુ ખવડાવવા  પડતાં  ભાનુમતી  આ કાર્ય કરતી એમાં એને   પાપ  લાગતું નહિ   . અચૂક સ્નાન કરીંને ભગવાનની સેવા પૂજા કરે ગીતાનો એક અધ્યાય વાંચે દેવ દેવસ્થ ની  માનતા પણ બહુ માને  અને એપણ જોડ શ્રીફળ અને જોડ દીવાની  નજીવી વસ્તુ માટે  માનતા માને    અમે સિત્તેર સાથે રહયાં એમના વિષે લખું  તો મહાભારત  કરતાં  મોટું પુસ્તક  લખાય  એમ છે પણ  એને   બાળકો  પ્રત્યેના  પ્રેમની વાત કરું તો  મારો ભત્રીજો વિક્રમ એની માં કરતા  ભાનુમતી પાસે વધુ સમય ગાળે  આ કારણે વિક્રમ અમારી દેશીંગા ની બોલી શીખી  ગયેલો  થોડો વખત  એને  અમેરિકામાં મારા મોટા દીકરાના મિત્રને  બેબી સીટરની જરૂર પડી  .  . ભાનુમતી એના દીકરાનું બેબી સીટિંગ કરતી  દીકરો તો ભાનુમતીનો એવો હેવાયો  થઇ ગહેલોકે  એની મા નોકરી ઉપરથી આવે એટલે  દીકરાને   તેડવા જાય તો દીકરો એની માં પાસે ન જતાં ભાનુમતીના ખોળામાં  ઘુસી જાય  એની માં કહે ભાનુબેન   એને ખોળા માંથી ઉઠાડી મુકો   . ભાનુમતી કહે હું    ઉઠાડું નહીં  મુકું તું ખેંચીને લઈજા એક વખતતો  દીકરાની મા પદ્મા બેનને  કહેવું પડેલું કે  હવેતો દીકરાને મારો  રહેવા દો? વખત જતા આ દીકરો મોટો થઇ ગયો ડોક્ટર બની ગયો અને પરણ્યો ત્યારે  એના બાપ રમેશે4 કન્કોત્રી લખી કે આ તમારો દીકરો પરણે છે  .  દેખાવમાં ભાનુમતી  સીધી સાદી ભલી ભોળી લાગે પણ    .  પણ વધારે  પરિચયથી  ખબર પડેકે આતો  જબરી    બાધોળકી છે  . કોઈ માણસને  થોડાક પરિચયથી  એના સ્વભાવની એ કેવો છે એની ખબર નો પડે  . ભાનુમતી પરલોક ગયી એના વિયોગમાં હું ઘણા વખત સુધી   અર્ધ ગાંડા જેવો થઇ ગયેલો   .પણ સ્ત્રી શક્તિએ મને બચાવી લીધો  .  खल्वतमे मिल माशूक़ने ऐसा  जादू किया   .   बीबी गुजरजानेका जो ग़म  था भुला दिया   .
भानु भानु पुकारू में  मनसे भानु   आ  नही सकती जन्नतसे

तेरी है ज़िद्दी आदत फिर  फ़िदा होती है जान अपनी अगर तुझमे न ज़िद्द होती खुदा जाने   तो क्या  होता

तू  है  कम ज़ोर   फिरभी काम मर्दानास करती  हो तू ज़ोरावर अगर होती खुदा जाने  तो मकया होता  .