Monthly Archives: ડિસેમ્બર 2012

છારા લોકોની તસ્કર કળા

છારા લોકોની તસ્કર વિદ્યા પણ જાણવા જેવી હોય છે .પણ શિખવા જેવી નથી હો ભાઈ ?
ગામડેથી ખેડૂતો શાકભાજી જેવી ખેત પેદાશ ગાડું ભરીને અમદાવાદમાં વેંચવા માટે વહેલી સવારે શાકમાર્કેટમાં આવી પહોંચે .અને જથ્થાબંધના ભાવે માલ વેંચીને ઘરે આવવા નીકળે આ વખતે સવાર પડી ગયું હોયછારીઓ પણ રાતના ઉજાગરો કરેલ ગાડા ખેડૂ ગાડામાં ઊંઘી ગયો હોય .અને ઘર તરફ આવવાને ટેવએલા બળદો
એની મેળે હાલ્યા જતા હોય .માણસોની રોડ ઉપર અવરજવર થતી હોય .ત્રણેક છારા ગાડા પાસે આવે ,અને સાચવીને ગાડામાં જોડાયેલા એક બળદને છોડી લ્યે અને એક છારો બળદની ખાલી પડેલી જગ્યાએ પોતે જોડાય જાય ,અને ગાડું ચાલુ રાખે .રસ્તે જનારાં માણસોને કઈ પડી હોતી નથી .એતો એની ધૂનમાં હાલ્યા જતા હોય બળદ ગાડામાંથી છોડવાનું દૃશ્ય જુવે તો પણ અત્યારના સવારના પહોરમાં આ બળદ ચોરીને કોઈ લઈ લઈ જાયછે ,એવો ખ્યાલ ન આવે ,અને ખ્યાલ આવે તોપણ किसीको क्या है कोई आबाद के बर्बाद रहे . બળદ લઇજનાર છારાઓ દુર નીકળી જાય એટલે બળદને બદલે જોડએલો છારો ગાડું પડતું મુકીને ચાલતી પકડે .બળદ ઉભોરહીજય ગાડું પડતું મૂકએલાનો અવાજ આવે એટલે ગાડાખેડું જાગી જાય આંખો મસલતો બેઠો થાય બળદને ન જુવે એટલે હાંફળો ફાંફળો થાય ,પછી એની કેવી દશા થાય એની તો કલ્પના કરવાની રહી .
છારીઓમાં જમની એની બેન અને એકબીજી આ ત્રણ જણીઓ સાડીઓ ચોરવાની કળામાં નિપૂણ એ સદી ચોરવાનો કસબ અજમાવવા અમદાવાદની રતનપોળ અને સૌરાષ્ટ્રના જેતપુર જેવા શહેરોમાં પણ જાય સુરત પણ જાય .છારીઓનો પહેરવેશ ઘેરદાર ઘાઘરા વાળો ગરાસણી જેવો હોય .ભાષા પણ અસલ કાઠીયાવાડી તળપદી બોલે .દુકાનમાં ઘૂસે વેપારી તરફથી મીઠો આવકાર મેળવે ,પોતે સાડીઓ ખરીદવા આવ્યાં છએ એવી વાત મુકે દુકાનદારનો નોકર આ માનવંતા મહેમાન આગળ સદીઓનો ઢગલો કરે ,એને પણ શેઠને વહાલા થવું હોય એટલે સાડીઓનો ઢગલો કરવામાં કંઈ મણા નો રાખે .છારીઓ અંદરો અંદર વાતો કરે .આ સાડી તુને બહુ સરસ લાગશે પેલી હા ના કરે ત્યારે એક છારી બોલે તું જોતો ખરી આ સાડીમાં તું બહુ રૂપાળી દેખાઇશ એમ કહી બે છારીઓ સાડી વચ્ચે બેઠેલી બાઈ આગળ પહોળી કરે પડદો થઈ જાય ,અને વચલી છારીના ઘાઘરામાં ઢગલામાંથી અનુકુળતા પ્રમાણે સાડીઓ ઘુસી જાય .અને પછી શાંતિથી ઉઠીને દુકાન બહાર નીકળે અને એવું બોલે કે શેઠ તમે એટલી સરસ સરસ સાડીઓ દેખાઈ પણ આ ચાગલીને એકેય નો ગમી .અને ફરીથી કોઈ વખત પધારજો એવું બોલીને વિદાય આપે .બહાર નીકળી ગયા પછી પોતાના સાથીદાર પુરુષોને ગોતે મળે એટલે કોઈ અખરકી જગ્યાએ જઈને પુરુષોને ઘાઘરામાંથી સાડીઓ કાઢીને આપી દ્યે અને વળી કોઈ બીજી દુકાને જાય .મેં સાડી ચોરના સાથીદારને પૂછ્યું તમે એકાદ સાડીતો ખરીદતા હશો ખરું? મારો પ્રશ્ન સાંભળી તે બોલ્યો અમે એમ સાડીઓ ખરીદવા માંડીએતો અમારો આરો ક્યાંથી આવે
એકવખત કેટલાક છારાઓને વિચાર આવ્યો કે આપણે હનુમાનનું મંદિર બનાવીએ અને આ કારણે હનુમાન ગોતવા નીકળ્યા ,તો શું તેઓ આરસની હનુમાનની મૂર્તિ ખરીદવા જયપુર ગયા હશે ?નારે ના એતો કોઈ દુરના ગામડાના હનુમાન મંદિરમાંથી મૂર્તિ ઉપાડી લાવ્યા .મારી ભૂલ ન્થાતી હોયતો અમદાવાદથી નરોડા જાઓ એટલે ડાબે હાથે કુબેરનગર જવાનો રસ્તો ફંટાય છે ત્યાં જે હનુમાનની નાનકડી દેરી છે તે આ ચોરેલા હનુમાનની દેરી .હનુંમાંનને તેલ ચડાવવા માટે તેલ ચોરવા સાડી ચોર જમની વગેરે ત્રીપુટી અસારવા એક કરિયાણાની દુકાનમાં ઘુસી વાસણ આપ્યું દુકાન દાર ધડો કરવા માંડ્યો અને વાસણમાં તેલ નાખ્યું અને ધડા તરફ વજન મુક્યું .જરાક દુકાનદારનું ધ્યાન બીજે ગયું એટલે તુર્ત પોતાની સાથે લાવેલા ખાલી વાસણમાં થોડું તેલ ઠાલવી લીધું .દુકાનદાર વાસણમાં તેલ રેડવા માંડ્યો .પણ વજન બરાબર થયું નહિ .એટલે દુકાનદારને વહેમ પડ્યો એ સીધો દુકાન પોતાની બાઈડી ને સોપી ચુપકીથી અસારવા પોલીસ ચોકી ઉપર આવ્યો અને પોલીસને જાણ કરી તુરત પોલીસ આવી અને જમની વગેરેને ચોકી ઉપર લઈ ગઈ વાહાં લગો શેઠ પણ આવ્યો અને પોલીસને વાત કરી કે મને તેલના પૂરતા પૈસા અપાવી દ્યો મારે ફરિયાદ નથી કરવી .મને કોર્ટોના ધક્કા ખાવાનો સમય નથી .પોલીસે દકાન્દારને ડબલ પૈસા અપાવ્યા .પોલીસે એના પતિ દેવોને બોલાવ્યા અને વેપારીને પૈસા અપાવ્યા પોલીસથી કઈ પૈસા લેવાય એવું પાપ પોલીસ કોઈદી કરતા હશે .
છારાઓના જેવી એક કેકાડી ચોર જાતી છે એક કેકાડી છોકરાએ જબરી ચોરી કરી, અને માલ સગે વાગે કરી દીધો .પોલીસનાં હાથે છોકરો પકડાઈ ગયો .પોલીસે ખુબ આગવી સરભરા કરી, છોકરો માન્યો નહિ .એટલે પોલીસને છોડી દેવો પડ્યો .આ પૈસાથી માંદેવનું મંદિર બન્યું .તમારે દર્શન કરવા જવું હોયતો અમદાવાદથી નરોડા જતા જમણે હાથે છે . હર હર ચોરીના પૈસાથી બનેલા મંદિર વાળા મહાદેવ હર અને અને છારા વડે ચોરેલા બજરંગ બલી તમારો જાય જાય કર હો . .

તસ્કર વિદ્યા (ચોરી કરવાની કળા )

ભલુ પ્રતાપ પ્રકરણમાં છારા લોકો વિષે થોડી વાત કરી છે .હાવી થોડુક વધુ ખાસતો આપણા બ્લોગર ભાઈ અશોક મોઢવાડિયા માટે અશોકની કોમેન્ટ મારા માટે હું ઉત્સાહ પ્રેરક માનું છું .(ઈ આતાને લુંઠકો બનાવે છે .)છારાઓની નાત પંચાત કોઈ પ્રશ્નનો નિકાલ કરવા કુબેરનગર પોલીસ ચોકી સામેના મેદાનમાં ભેગી થાય .મેં એક છરાને પૂછ્યું .તમે તમારી પંચાત ચોકી પાસે કેમ બેસાડો છો?જવાબ આપ્યો કે અમારા વચ્ચે કોઈ કારણસર ઝઘડો થાય તો પોલીસ અમને મદદરુપ થાય .
પંચાતના દરેક સભ્યો પાસે। આછી પાતળી લાકડી જરૂર હોય .આ લાકડીનો ઉપયોગ કોઈને મારવા માટે નહિ પણ પોતાનું બોલવાનું પૂરું થાય એટલે લાકડીને જમીન ઉપર પછાડી પુર્ણ વિરામ કરે . છુટા છેડા માટે શબ્દ છે” લકડી તોડ “જુના વખતમાં આ લોકો મામુલી ચોરી કરતા જેવીકે કોઈ ખેડૂત બાઈ પોતાના ધણી માટે જમવાનું લઈને ખેતર જતી હોય એ ખાવાનું આંચકી લ્યે એને પહેરેલાં ઘરેણાં લઇ લ્યે ખેતરના ઉભા મોલ માંથી ડુંડા કાપીને લઈજાય અનેગામ આવે એ પછી બીજા રાજ્યની હદમાં જતા રહે ,કોઈ સામનો કરવા આવેતો એના ઉપર પશાબ વિષ્ટા વગેરે ગંદુ છાંટે .પછીતો સમય બદલાયો એટલે આ લોકોએ પોતાના ચોરીના ધંધામાં વિકાસ કર્યો .મનુ સોલાપુરીયો છરો મને વાત કરતો હતો કે એ લોકોકો ચોરીકી હુશિયારી મૈને સિખાઈ હૈ એમ ડંફાશ મારે
હવે તેલોકો બહુ જોખમ ન હોય બહુ મહેનત ન હોય અને માલ વધુ મળે એવા પ્રકારની ચોરી કરે થોડાંક દૃષ્ટાંત આપની આગળ રજુ કરું છું ,
છારાનગરમાં એક સરપલી ઝવલા નામનો છારો રહેતો હતો .જોકે તે હું ત્યાં નોકરી કરતો હતો ત્યારેજ દિલ્હી રહેવા જતો રહેલો .સરપલીને ઘણા દિકરા હતા .આ દીકરાઓને તે ચોરી કરવા જનારને જોતેને જરુર હોયતો મદદ માટે આપતો બદલામાં નક્કી કરેલા પૈસા એને મળતા .છોકરો ચોરી કરતાં પકડાય જાય તો બાળ ગુન્હેગાર તરીકે બહુ સજા ના થાય .એક દિવસ લીંડિયા જોરિયા નામનો છારો સરપલીના દીકરાને લઈને કસબ અજમાવવા ઉપાડ્યો। .
આપને ખબર હશેકે વેપારી પોતાના આગળના ગલ્લામાં જરૂર પૂરતા પૈસા રાખે અને વધારે પૈસા દુકાનમાં દુર પેટીમાં રાખે .કારણ એકે કોય ચોર ચીલ ઝડપ કરેતો આગળના ગલ્લામાં જે રકમ હોય એજ જાય .એટલે બહુ જોખમ નહિ .અમદાવાદમાં વાડીલાલ હોસ્પીટલથી તમે વાસણા ગામ તરફ જાઓ એટલે તમારી જમણી બાજુ ફત્તેહપુરા ગામ આવે એનીએ ગામના રોડની સામી બાજુ કેટલીક દુકાનો છે એમાં એક કરીયાણાની દુકાનેભ્ગ્ય અજમાવવા છોકરાને લઈને લીંડી યો આવ્યો એણે છોકરાને સો રૂપિયાની નોટ આપી એક ચાર આનાની વસ્તુ લેવા મોકલ્યો .અને પોતે રોડની સામેની બાજુ ઉભો રહ્યો .વસ્તુ આપ્યા પછી વેપારીએ પૈસા માગ્યા એટલે છોકરે સોની નોટ આપી .એટલે છુટ્ટા પૈસા લેવા માટે વેપારી દુર જ્યાં વધારે પૈસાની પેટી હતી .ત્યાં ગયો અને ચાર અન કાપી બાકીના પૈસા છોકરાને આપ્યા છોકરો પૈસા અને વસ્તુ ક=લઈ રવાના થયો દુર ઉભેલો લીંડીયો આ બધું જોઈ રહ્યો છે .બીજે દિવસે બીજા છોકરાને લઈને આવ્યો છોકરાએ શું કરવું એ બધું લીંડીયાએ છોકરાને શીખવી રાખેલું . છોકરાને પ્રથમની જેમ દુકાને વસ્તુ લેવા મોકલ્યો .વેપારીએ વસ્તુ આપી અને પૈસા માગ્યા એટલે છોકરો પૈસા આપ્યા વગર ભાગવા માંડ્યો .એટલે પૈસા લેવા માટે વેપારી પાછળ પડ્યો .છોકરો દોડતા દોડતા લીંડીયાને જોતો જાય છે .વેપારી છોકરા પાછળ પડ્યો એટલે તુરત લીંડીયો દુકાનમાં જઈને નોટો ભરેલી પેટી લઇ લીધી અને તુરત બસમાં બેસી ગયો .છોકરે જોયું તો લીંડીયો પેટી લઈને રવાના થઇ ગયો છે એટલે એણે દોડીને હાંફી રહેલા વેપારીને વસ્તુના પૈસા આપી દીધા .વેપારી એવું બોલતો પાછો ફર્યો કે શું હું તુને છોડી દઈશ એવું તું માનતો હતો ?છોડે ઈ બીજા હું નહિ .
જયારે વેપારીને ખબર પડીકે મોટી રકમ વાળી પેટી ઉપડી ગઈ છે એટલે તે પોલીસમાં ફરિયાદ કરવા ગયો .પોલીસે પૂછ્યું છેલ્લા થોડા દિવસમાં કોઈ માણસને દુકાનની આજુ બાજુ હરતો ફરતો જોઈલો ?જયારે છોકરો વસ્તુ લઈને પૈસા આપ્યા વગર દોડ્યો ત્યારે આજુબાજુ કોઈ માણસને જોએલ ? હા એક માણસ રોડની સામી ઉભું હતો એતો બસમાં જવા વાળો પેસેન્જર હતો .પણ સાહેબ તમે મારા પૈસાની ચોરી થઇ અને એની કંઈ તપાસ કરતા નથી અને આવા નક્કામાં પ્રશ્નો પૂછો છો .કોઈ બિચારાને ખોટી રીતે હેરાન ન કરતા .પોલીસ કહે જે માણસ બસની વાત જોતો ઉભો હતો તે દેખાવે કેવો હતો વગેરે માહિતી આપો અકળાઈ ગએલો વેપારી બોલ્યો મને ખાતરી છેકે પોલીસ લોકો ખોટી રીતે પકડીને નિર્દોષને જેલમાં ઘાલી દેતા હોવ છો .પણ આવી વાતો સાંભળવાથી તેવી ગેલા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યું .જયારે વેપારીએ રોડ ઉપર ઉભેલાની માહિતી આપી એટલે પોલીસ તુર્ત સમજી ગઈ કે આ કામ લીંડીયાનું છે .પોલીસ લીંડીયાને પકડી લાવ્યા. અને પૈસા વાળી પેટી પણ આવી .જોકે થોડા પૈસા ઓછા થઇ ગએલા . એતો લીંડીયાએ વાપર્યા હશે .પોલીસે પોતાના માટે થોડાક રૂપિયા કાઢી લીધા હશે .એમ તો મારાથી જોયા વગર કેમ કહેવાય .અકળાઈ ગએલો વેપારી પેટી અને પૈસા જોઈ રાજી થયો .અને પોતે ઉશ્કેરાટમાં સમજ્યા વગર તમને મારાથી બોલી જવાયું એ બદલ મને ક્ષમા કરજો .અને તમારી બાહોશી બદલ હું તમને શાબાશી આપું છું .હવે ચાલુ ગાડામાંથી બળદ ચોરી જાય છે . “યે કહાની ફિર સહી ”

ભલુ પ્રતાપને પોલીસે ગોળી ધરબી દીધી .

બ્રિટીશના સમયમાં બ્રિટીશરોએ ભારતમાં કેટલીક જાતિઓને ગુન્હેગાર જાતી તરીકે જાહેર કરેલી .જેમાં છારા ,બાવરી વાઘરી ,કેકાડી અને સિંધના હૂર .જુના વખતમાં ,સિંધ,ગુજરાત અને મહારાષ્ટ્ર .આ પ્રદેશ મુંબઈ ઈલાકા તરીકે ઓળખાતો .હૂર સિવાયની આ જાતિઓ ભટકતી રહેતી તેઓ ક્યાંય સ્થાયી રહેતા નહિ .હૂર લોકો લુંટ કરતા અને કોઈ વખત ખૂન પણ કરી બેસતા .પણ કેકાડી અને છારાના ઈતિહાસમાં ખુનનો દાખલો નથી .છારાઓમાં પોતાની જાતિના પણ કાયદા હતા .એના કાયદા પ્રમાણે પોતાની જાતિનો માણસ પોતાની જાતિ વાળાનું ખૂન કરેતો ભોગ બનનારના વાલી વારસને 1600 રુપિયા આપી દેવા પડે ,અને વ્યભિચાર કરેતો તેને ફાંસીની સજા કરવામાં આવતી .આવા પ્રકારની સજા કરવાની સત્તા જાતિના મુખીને હોય છે .આવી ફાંસીની સજાનો હુકમ કરીને ફાસીએ ચડાવનાર મુખી પારુ ગુલાબને મેં જોઈલો છે .પછીતો ભારત સ્વતંત્ર થયો સરકારે ગુન્હેગાર જાતિનો ઈલ્કાબ ભૂંસી નાખ્યો .અમદાવાદમાં જ્યાં છારા લોકોને વસાવ્યા એ સ્થળો નવખોલી ફ્રિકોલોની વગેરે નામે હાલ ઓળખાય છે .સરકારે આવા લોકોને સુધારવા સંસ્કાર કેન્દ્રો સ્થાપ્યાં તેઓના બાળકોને ભણાવ્યા ભણી લીધા પછી નોકરીઓ અપાવી વગેરે મદદ સરકાર તરફથી મળી છગનીયા ધનિયા ,ચોરગામ ચમના પોલીસમાં દાખલ થએલા પણ તેઓને ફાવ્યું નહિ એટલે નોકરી છોડી દીધેલી એક સ્કુલમાં શિક્ષક હતો ,તેણે પણ નોકરી છોડી દીધેલી .એક હિંમતલાલ ગંગારામ વકિલાત કરતો .
અગાઉ કિધો એ પારુ ગુળાબનો દીકરો જાલમો અનેતેનો દીકરો કિશનો જે સંસ્કાર કેન્દ્રમાં ભણતો તેને એક વખત રસ્તા ઉપરથી ચાંદીનો કંદોરો મળેલો જે એણે સંસ્કાર કેન્દ્રના અધિકારીને સોપી દીધેલો .સંસ્કાર કેન્દ્રનો એક પટાવાળા જેવું કામ કરતો શંકર શેરિયા ફક્ત એક ડઝન વખત જેઈલ યાત્રા કરી આવેલો તેની પત્ની સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી ,એક રામસિંગ છારો કલાગુરુ રવિશંકરને ત્યાં ચિત્રકામ શિખવા જતો એક રવિશંકર નામનો છારો સુતારી કામ શિખેલો એક નાનું કરસનની દિકરી સંસ્કૃત ભણેલી .નાનું કરસન લુંટ કેસની સજા જૂનાગઢની જેઈલમાં ભોગવતો ત્યારે મારો ઓળખીતો આલા ઓડેદરા પણ જૂનાગઢની જેલમાં હતો .આ આલાનો દિકરો સાંગો હાટીના માળિયા પાસેના ગામ લાઠોદરમાં હાલ રહે છે .આલો નાનુંને મારા મારફત “રામરામ મોકલાવતો .
છારાનગર અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની કુબેરનગર પોલીસ ચોકીની હદમાં આવેલું છે .(હાલ ઘણા ફેરફારો થઈ ગયા હશે હું આ વાત મારા સમયની લખી રહ્યો છું .)છારા લોકો અલિગલ ઘણા ધંધા કરે એટલે કદાચ આર્મ (બંદુક ધારી )પોલીસની જરૂર પડે એટલે આર્મ પોલીસ એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ પોલીસ કોન્સ્ટેસૌ મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિભાઇ હતા અને ખડે પગે ચોકી કરનાર ચક્ર સુદર્શન નામનો યુપીનો બ્રાહ્મણ હતો હરિભાઈ પણ બ્રાહ્મણ હતા આ વખતે એક અનાર્મ પોલીસ છારાનગરમાં।સૌ ફરતો હતો ત્યારે એક છારીને દારુના ડાબલા સાથે એમની સાથે જોઈ પોલીસને બોલચાલ થઈ એમાં પોલીસ ઉશ્કેરાઈ ગયો અને બાઈને બેટન (પોલીસની કમર ઉપર લટકતો રહેતો કાળો ડંડો )ઠોકી દીધું અને પછી ભાગીને ચોકી ઉપર આવી ગયો અને પોતાના કૃત્યની જન કરી .બીજી બાજુ છારી એના ભાઈભલુ પાસે ગઈ અને પોતાને પોલીસે મારી એ વાત કરી અને લોહી દેખાડ્યું .ભલુએ તેનું લોહી ચૂસ્યું .અને હાતમાં ધારીયું લઈ ચોકી ઉપર ધુંવા ફૂવાં થાતો ચોકી ઉપર આવવા રવાના થયો .અને એની પાછળ છારાનું ટોળું પણ આવ્યું .આ જોઈ ચક્રસુદર્શને હરિભાઈને વાત કરી ફાયારકા હુકમ ડો અગર ગોળી નહિ ચલાયન્ગે તો કોકી ઉપર આકે હમ સબકો માર ડાલેગા હરિભાઈ ગેંગે ફેંફે થવા માંડ્યા .અને ચક્ર્સુદરશને બરાબર ટાંકીને બંદુકનો ઘોડો દબાવ્યો અને ગોળી વછૂટી અને ભલુની છાતીની આરપાર નીકળી ગઈ ભલુ જમીન ઉપર ઢાળી પડ્યો .અને છારાનું ટોળું કબુતર ચણતાં હોય અને કાંકરી નાખો અને ઉડે એમ ભાગી ગયું જતું રહ્યું ભાલુંની લાશ પાસે પણ આવ્યું નહિ .પોલીસેતો જે કામ કરવું હતું એ કર્યું .
છારા આપણી દૃષ્ટિએ એક છે પણ એમાં દરેકના જુદાજુદા રીવાજ હોય છે . ભલુંપ્રતાપના મરણ પછી બે વરસે એની વહુ મને મળી મેં એને પૂછ્યું .તે ભલુના મૃત્યુ પછી લગન કર્યાં ? તે બોલી અમારામાં વિધવા વિવાહ નથી થતા સ્ત્રીની ઈચ્છા હોવા છતાં પર સ્ત્રી સાથે સંભોગ કરનારને છારાની જાતિમાં ગુનેગારને ફસીને માંચડે લટકાવી દેવામાં આવતો . છારાઓ પ્રદેશ પ્રમાણે જુદી જુદી રીતે ઓળખાય છે

मेरा वसीयत नामा

મારા  દારૂડિયા ,ચડસી ,ગંજેરી , જુગારી ,શિકારી .વગેરે અનેક પ્રકારના ચાહકો છે. અને ભૂલથી પણ કીડી જેવું જંતુ ના મારી જાય એવી કાળજી રાખનારા પણ મિત્રો છે .અને હું એને દિલથી ચાહું છું .મને કોઈ પ્રત્યે નફરત કે ઈર્ષા થતી નથી.  એક શેઅર તમને કહું છું.

दुनियाको नफरातोने दोज़ख  बना दिया

जन्नतसा था जहान  उसे जहन्नुम बनादिया  મારા સદાચારી મિત્રો પણ છે .અને અહિંસક તો એવા છે કે મચ્છર મારવાની પણ એની ઈ ચ્છા થતી નથી .હું એને ચાહું છું અને એવી રીતે એ લોકો પણ મને બેહદ ચાહે છે.એક વખત મને ખરાબાતોમાં જવાવાળા મિત્રોએ મને કહ્યું કે हिम्मत लाल  तू अपना वसीयत नामाबनाले  મારા જે દારૂડિયા મિત્રો લખાનોવ .બનારસ .બાજુના હતા તે લોકોએ મારી સમાધી બનાવવાનું પણ નક્કી કરી દારૂડિયા મિત્રો મારા ખાટ્લા પાસે બેસી રહે .દારૂની પ્યાલી ઉપર પ્યાલી પી ધા કરે.સદાચારી મિત્રોએ પણ મને વસીયત નામું લખવાનું કહ્યું .દારૂડિયા મિત્રો માટે મેં આવી રીતે વસીયત નામું બનાવેલું અને સદાચારી મિત્રો માટે આવી રીતે વસીયત નામું બનાવ્યું.

                                                                                                          મારા જાઉં જબ મૈ યારો માતમ નહિ મનાના ઉઠાકે જનાઝા  મેરા  પ્રભુ નામ કો સુનાના
લાકે ચિતાપે મુજકો ઉલ્ફતકે સાથ રખના કોઈ એક લડકી કે હાથો   ચિતાપે  આગ લગાના
પ્રભુ નામ લેતે લેતે સબ અપને ઘરકો જાના .માસૂમ લડ્કીયોકો અચ્છા ખાના ખીલાના
“અતાઈ “કો ભૂલ જાના સમજો વો થા ફસાના ઉલ્ફત્કો સાથ લેકે જન્નાતકો ચલા જાના
આવી રીતે મારાથી બે પ્રકારના વસીયત નામ બનાવાય ગયા મારા ખાટલા નજીક શરાબી મિત્રો બેઠેલા એ લોકો ઘડી ઘ્ગાડી મારા મોઢા સામું જોયા કરે ધીમે મારો શ્વાસ અટકી અટકીને ચાલવા માંડ્યો .દારૂડિયા મિત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યાકે .अब हिम्मत मरने वाला है ,चलो उसका जनाज़ा तैयार करे  એક દારૂડિયો બોલ્યો .अब मरा नहीं है ज़िंदा है  . સંભારીને .  બીજો બોલ્યો.अरे जनाज़ा उठाव कबरास्तान जाते जाते मर जाएगा .અને પછી  ઠાઠડી  ઉપાડી  અને કબરસ્તાન સુધી . જોયુતો હજુ મારો શ્વાસ ચાલતો હતો .એટલે એક દરુડીઓ બોલ્યો .अरे येतो अभीतक मरा नहीं है .अब क्या करना  સાભરિને વધ્ધું પડતો ગણાતો  દારૂડિયો બોલ્યો .अरे साले उसको दफ़न करदो  दफ़न कर देनेके बाद वो मरही जाने वाला है वास्ते उसको संदुक्मे डालके दफ़न करदो
और अपने अपने घरको चले जाओ .એમ બોલી મારા બધાંજ પહેરેલા માના ખમીસ અને લેંઘો  રહેવા  દીધો .પણ એક સજ્જન શરાબી હતો .એ બોલ્યો  કે उसकी पगड़ी रहने दो अगर उसको जन्नात्मे चैन नहीं आयातों वो पगादिके जरिये खुद कशी कर लेगा મારો થેલો પણ લઇ લીધો .પછી મને પેટીમાં પૂરી ને દાટી દીધો .પરલોકમાં ચિત્રગુપ્તને ખબર પડીકે એક માણસને જીવતો દફનાવાય ગયો છે એને અહી આવવાને તો હજુ દસ વરસની વાર છે ?ચિત્ર ગુપ્તે યમદેવને  તાબડતોબ મને કબરમાંથી બહાર કાઢવા માટે મોકલ્યા યમ્દેવતા મારી સમાધી પાસે આવ્યા અને પોતાના પાડાને આજ્ઞા કરીકે કબર ખોદીને જેમાં હું હતો એ પેટી બહાર કાઢ !પાડે પોતાના કુન્ધાલા   શીન્ગડાથી ખોદીને પેટી બહાર કાઢી  યમરાજાએ મારી પેટી ખોલીતો એમાં મને યમરાજાએ મને જોયો ,અને મને પૂછ્યું એલા અહી કેમ આવ્યો છો ? મેં કીધું મહારાજ હું મારી ગયો છું એટલે અહી આવ્યો છું .યમરાજા કહે તું નથી મરી ગયો .જા ઘર ભેગો થઇજા  મેં કીધું મહારાજ હું મારે ઘરે કેવીરીતે જાઉં મારી પાસે પૈસા નથી. બધું મારા શરાબી મિત્રોએ  લઇ લીધું છે મારો આખો થેલોજ લઇ લીધો છે . આમારા થેલામાં  મારા પૈસા મિત્રોના ફોન નંબર વગેરે બધુજ હતું .હવે મારે ઘક્રે જવું કઈ રીતે . મારી વાત સાંભરી  યમરાજા બોલ્યા ચિંતા કરીશ નહિ હું તુને રાઈડ આપું છું .પાડાના શીગડામાં  તારા બે પગ ઘાલીને પાડાની કાંધ ઉપર બેસીજા
મેં યમરાજને કહ્યું કે મહારાજ આ મારા ગામ ફીનીક્ષ માં ત્રફિક ની જબરી સમસ્યા છે.એક્સીડેન્ટ થાય તો પાડાને તો હોસ્પિટલ માં દાખલ કરે પણ તમને કોનો માઠો બેઠો છે કે તમને પોતાના ઘરે  લઇ જાય .યમરાજા કહે હું પાડાને આકાશ માર્ગે ઉડાડીને લઈજૈશ .  toto બહુ ગજબ થઇ જાય તોતો મીલીટરી વાલાને એવો વેમ પડે કે   આ અલ કાયદા વાળાની નવી શોધ લાગે છે  એટલે એ તોપને  ભડાકે દ્યે   યમરાજ બોલ્યા હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ એટલે કોઈ જોઈ નાં શકે .ચાલ હવે બહુ બોલ્યા વિના પાડાની કાંધ ઉપર બેસીજા .હું પાડાની કાંધ ઉપર બેઠો અને યમ રાજાએ પાડો ઉડાડ્યો અને પળવારમાં  મારા દ્રાયવે.     માં મૂકી દીધો  . આવખતે મારા ઘરવાળા  તુલસીને પાણી પીવડાવી રહ્યા હતા મને જોઇને પાણીનો લોટો ફેંકી દીધો અને ભૂત ભૂત ની બુમો પાડવા લાગ્યા  આ વખતે મારા ઘરમાં ભજન ચાલી રહ્યા હતાં .ભૂત ભૂત નો અવાજ સાંભરી સૌ બહાર આવ્યા .એક માણસને મારી ચોટી કાપી આવવાનો વિચાર આવ્યો એટલે એની ઘરવાળી એ કીધું કે તમે કોટી કાપવા નો જાવ જો એની ચોટી તમારા હાથમાં હશે તો એ પછી આપના ઘરમાં આવી જશે તો મને એ વળગશે તો પછી તમારી શી  વલે થશે .    પછી એક સરમનું કરવા આવેલા ગોર્બપાએ કીધુકે આ ભૂત નથી ખરેખર હિંમત ભાઇજ છે જો ભૂત હોતને તો એને પદ છાયો નો હોત .પછીતો  ઘરમાં લાપસીના આંધણ દેવાણા. સૌ જમ્યા  બધા ખુશ થઇ ગયા  મારા ઘરવાળાં વાળું ખુશ થયાં.
 

मर जाऊ जब मई यारो मातम नहीं मनाना उठाके  जनाज़ा मेरा नगमा सुनाते जाना
लाके लहद में  मुजको उल्फतके साथ रखना गंगाके जलके बदले  आबे अंगूर छिड़कना
तुर्बत्पे मेरी आना  शम्मा नहीं जलाना आबे अंगूर भरके सागार उछल देना

अताई को याद करना   मदिरा से जाम भरना सागर बदल बदलके पि लेना और पिलाना


શંકરભારથીને ત્યાં જોડકું જન્મ્યું (દિકરો અને દિકરી )

દેશીંગામાં વર્ષો પહેલાં ત્રણ અતિત બાવા ભાઈઓ રહેતા હતા .એમાં શંકરભારથી ગરીબ રોગી અને આળસુ એને ત્યાં બે છોકરાં હતાં તે બારેક વરસની ઉમરનાં હતા એના પછી જન્મેલાં થોડાંક બાળકો મરી ગએલાં એ પછી એક છોકરું જન્મ્યું એ અપૂરતા પોષણના લીધે ખુબ નબળું હતું . આ પછી .એને ત્યાં જોડિયાં દિકરો દિકરી જન્મ્યાં ત્યારે શંકરભારથીને લોહીની ઉલટીઓ થઇ અને શંકર કૈલાસ વાસી થઇ ગયા .ઘરમાં કંઈ ખાવાનું નહિ .ગામલોકોએ સુવાવડ ખર્ચો ભોગવ્યો .સેવાભાવી લોકોએ બાવળિયો ગુંદ ઘી . ,ગોળ અઢીશેર સુંઠ અને બીજો મરી મસાલો નાખી કાટલું બનાવી સુવાવડીને ખવડાવવા મંડ્યા .રબારી સુવાવડીને શેક કરવા બકરીની સુકી લીન્ડીયું આપવા મંડ્યા .બધાં સારા વાનાં હતાં .પણ દુર્ભાગ્યે સુવાવડીને પુરતું ધાવણ નોતું આવતું .એટલે બાપડાં નવજાત શિશુ ભૂખથી ધલવલતાં। .આવું બાળકનું દુ:ખ જોયું જાય એમ નોતું .એટલે સુવાવડીએ ગણેશ પરમેશ્વરનું નામ લઈ બાળકોના મોઢામાં જરાક ગોળ મોક્યો .અને બાળકો ગોળને ચઘરીને ગળે ઉતારી ગયાં અને રોતાં બંધ થયાં .અને બાળકોની મા રાજીના રેડ થઇ ગઈ .પછી એક વખત બાળકોના મોઢામાં શીરો મુક્યો .અને શીરો પણ ધીરે ધીરે ગળે ઉતારી ગયાં . માતા તો ખુશી ખુશી થઈ ગઈ .લોકોને પોતાના આનંદ ની વાત કોઈને કહેવાનો હર્ષ થતો હોય છે .પણ વાત સાંભળી રાજી થનારાં ઓછાં હોયછે .પણ ઈર્ષાળુ વધારે હોય છે . એનો મને જાત અનુભવ છે .બાળકોની માતાએ બાળકોને પોતે શીરો ખવડાવે છે .એ વાત સૌ પ્રથમ એણે મારી મા આગળ કરી .મારી માએ એને કીધું કે આવું કામ કરીશ નહિ .બાળકો મરી જશે, બાળકોની માએ મારી માને જવાબ આપ્યોકે મરી જાય તો ભલે મારી જાય જેવી ભગવાનની મરજી “રહે ઈ રામનાં અને મરે ઈ ગામનાં “બાળકો શીરો ખાય છે . એ વાત ગામ પરગામમાં વાયુ વેગે ફેલાય ગઈ .એક વખત રુડીમાં લુવાર બાળકોને જોવા ગયાં .તે વખતે એક જે દોઢેક વરસની ઉમરનું હતું પણ અપૂરતા પોષણના લીધે બહુજ નબળું હતું .તેને ઉંચે પડાર માં જોળી બાંધી એમાં મૂકી રાખેલું .તે બાળકે થોડો અવાજ કર્યો . કશુક બોલ્યું .રુડીમાં સમજ્યાં કે આ નવાં જન્મેલાં બાળકમાનું કોઈ બાળક બોલ્યું .અને અફવાએ વેગ પક્ડ્યોકે બાળકો બોલે પણ છે . અને બાળકોની માતાએ લોકોને કહ્યું કે બાળકો હું એકલી હોઉં છું ત્યારે મારી સાથે વાતો કરે છે .અને પછીતો લોકોએ બાળકો”સુભદ્રાનોઅને કૃષ્ણનો અવતાર છે . એવું ઠોકી બેસાડ્યું અને પછીતો લોકો દુર દુરથી બાળકોનાં દર્શન કરી કૃતાર્થ થવા આવવા લાગ્યાં . અને બાળકોના ચરણમાં પૈસા ધરવા લાગ્યાં .એક ખેડૂત ગોળનું માટલું લઈને બાળકોને ચરણે ધર્યુંકોઈ ઘી લઇ આવ્યો .એક ઓખાના ભોપાએ પૂછ્યું .ભગવાન બકરીનું ઘી ખાશે ? બાળકોની નજીક ઉભેલા હરિશંકર મહારાજે કીધું .આ ભગવાન બધુંજ ખાય છે પછીતો દેશીંગામાં માનવ મેરામણ ઉભરાણો . બાળકોની માતાએ કીધું કે રાતના વખતે ભગવાન સરૂપ બદલે છેઅને ઘરમાં હડિયા પાટિયું કાઢે છે . વળી માળા ફેરવતાં ફેરવતાં એક 85 દિવાળીઓ જોઈ ચુકેલાં માજી બોલ્યાં એકદી મારી સામે વાતું કરી .મેં ભગવાનને કીધું પરભુ બધાય હાર્યે વાતુ કરોને ? ભગવાન બોલ્યા .હું ફક્ત ધાર્મિક ,પુણ્ય શાળી માણસો સાથે બોલું છું .આ અવતારી કળજગના કૃષ્ણ સુભદ્રાએ માતાની ગરીબીના ચકના ચુર કરી નાખ્યા .ખુબ માણસોને આવતા જોઈ જીવાભાઇએ ચા વેચવાનું ચાલુ કરી દીધું બે કાવડિયાચાનો ભરીને આપવા લાગ્યા .અને સાંજ પડ્યે કમાણીમાંથી કૃષ્ણ સુભદ્ર ના ચરણોમાં ફૂલ નહીતો ફૂલ પાંખડી મુકવા લાગ્યા .કેમકે આ પરભુના પરતાપ્એ જીવાભાઈ થોડુક રળી શકતા હતા .
એક વખત રાજકોટથી પ્રાંત સાબનો કોઈ માણસ કે પ્રાંત સાબ પોતે પોતાની ગોરી મઢમ લઈને બાળકો વાળું કુતુહલ જોવા આવ્યા .તેઓએ કીધું કે બાળકોને શીરો ન ખવડાવો બાળકો મરી જશે .એને મુજફ્ફર દરબારને ભાર દઈને કીધુકે આ ધાવણ આવે એવો પોષ્ટિક ખોરાક ખવડાવો .એક વખત માણાવદર દરબારની બેગમે કે જુનાગઢના નવાબની બેગમે બાળકોને જોવાનો આગ્રહ કર્યો પણ આ બાળકો રાત્રે ઘરમાં હડીયું કાઢે છે અને વાતું કરે છે એ વાતખરી છે? એની ખાત્રી કરવા રાતના વખતે નજરે જોવા માટે નિષ્ઠાવાન માણસોને બાઈના ઘરે ઘરેમુકવા માટે દરબારને કહેણ મોકલ્યું . બાપુએ માણસો મુક્યા સવારે માણસોએ બાપુને વાત કરી કે અમે આખી રાત જાગ્યા પણ કઈ ચમત્કાર જોયો નહિ .
પછી શાંત પડ્યું શંકર ભારતીના ભાઈ એક રુખડ ભારથી હતા તેઓ એની બાયડી અને આગલા ઘરના દિકરા કરણને બહુ મારતા મારતી વખતે પોતાના હાથનો ઉપયોગ નકારે પણ લાકડી વાપરતા આ લાકડીનું નામ ગેડીયો હતું ગેડિયાને રૂખડ ભાઈ ઘરની આડીમાં ખોસી રાખતા( કહેવાય આડી અને આડ્સર આડ્સર કોને કહેવાય એ હાલની દેશીંગાની નવી પેઢી ખબર પણ નહિ હોય) ખોસી રાખતા .એક વખત ગેડીયો લઈને એના દિકરા કરણને મારવા મંડ્યા .કરણ અઢાર વરસની ઉમરનો જુવાન હતો .ઓલી કહેવત છેકે આંતરી બિલાડી વાઘણ થાય અને ત્રાઠઈ તરીયા નાગણ થાય એમ કારણ વિફર્યો અને રૂખડ ભાઈને એકજ થપ્પડ મારી અને રૂખડ ભાઈ ને ભોઈ ભેગા કરી દીધા અને રૂખડ ભીની છાતી ઉપર કરણ ચડી બેઠો અને જોર જોર થી મારવા મંડ્યો . જો કોઈ સજ્જને રુખડ ભાઈને મારમાંથી નો તો કરણ રુખડભાઈને કૈલાસ ભેગા કરી દેત આ પછી રુખડભાઈનો ગેડીયો આડીમાંથી બરો નીકળ્યો નહિ .
આ કરણ પછી એના દીકરા રાજન અને વહુને લઈને પોરબંદર રહેવા જતો રહેલો .અહી એને કલજુગી કૃષ્ણ અને તેની માને પોરબંદર બોલાવી લીધાં ,અને ધંધે વળગાળી દીધાં પછી સુભદ્રા પહેલી અને કૃષ્ણ પછી વૈકુંઠ જતા રહેલાં .મારા વહાલા બ્લોગર ભાઈઓને મારાં શરાબી ગીતો ઘણાને નથી ગમ્યાં એવું લાગ્યું . એક શેર લખું છું કમાયે ધન ઓર નામ કૈસે કૈસે શરાબ પી ગઈ સાયગલ જૈસે કૈસે . રામ રામ

गलत है जाम दिलोंको करार देता है

मै शराबी नहीं हूँ ,जबतक हो सके शराब्को छूता तक नहीं हूँ एक गज़ल लिखता हूँ ,ये आपका और मेरा मन बह्लानेके लिए है .ये हकीक़त नहीं है .सच पूछा जाय तो शायर लोग ऐसी बाते करते रहते है .ये मैंने सच्चाई आश्करा कर दि .तो आप मेरी ये गज़ल पड़े .
शीरीं जुबां से आ ,मुस्कुराती हुई आ
और मुझ जैसे प्यासेको आबेअंगुर पिलाके जा
साकी पिलादे आज तू मुझको गमका मारा आया हूँ ,गमका मारा आया हूँ और रंजका हारा आया हूँ ….1
सिर्फ दो बूंद मै पी लूँगा और ज़ख्मे जिगरको सी लूँगा कसम है तेरी ज्यादा पीयूँ तो तोबा करके आया हूँ ,,2
दैरो हरम में जाकर आया कहीं मिटा नहीं गम मेरा जा पहुंचा जब मय खानेमे साकिसे सुकूं पाया हूँ ……3
मुझको साकी पीना मंजूर रंजूर होना रास नहीं ,आज पिलादे ओक्से साकी पैमाना नहीं लायाहूँ ………4
पैमाना नहीं लाया घरसे खाली हाथों आया हूँ आज पिला तेरी आंखसे साकी बदमस्त होने आयाहूँ …….5
अहबाबने मुझको छोड़ दिया है माशूकने भी छोड़ा है “आता “को है तेरा सहारा दुनियासे ठुकराया हूँ ….6 शीरीं =मीठी आबेअंगुर =शराब रंज=दू:ख
दैरो हरम = मंदिर मस्जिद ओक = खोबो सुकूं =आराम ,मजा रंजूर =बिमार बदमस्त =कामुक अहबाब =मित्रो
हो सकता हैकि इज गजल में कोई रचनामे शब्दोमे मेरी भूल हो तो मेरी भूल सुधारके मुझे आभारी करना . मई और दुनियामे कोई सबको खुश नहीं कर सकता .
मेरी ये गजल किसीको ना पसंद भी आय मगर मुझे तो पसंद है और मरे जैसे रंगीन मिजाज वालेको पसंद पड़ेगी धन्यवाद ,

ઉપદેશાત્મક ગઝલ

है बहारे बाग दुनिया चंदरोज़ देखलो इसका तमाशा चंदरोज़

अय मुसाफर कुचका सामान कर इस जहां में है बसेरा चंदरोज़

फिर तुम कहाँ और मै कहाँ अय दोसतो साथ मेरा और तुम्हारा चंदरोज़

पूछा लुक्मां से जिया तू कितने रोज़ दस्ते मलकर हंसके बोला चंदरोज़

बाद ए मद्फुन कब्रमे बोली कज़ा अब यहाँ पे सोते रहना चंदरोज़

क्यों सताते हो दिले बे ज़ुर्मको जालिमो ये है ज़माना चंदरोज़

याद कर तू अय “नज़र “कबरोके रोज़ जिन्दगीका है भरोसा चंदरोज़

कूच =प्रयाण बसेरा=रहेनेका स्थान लुक्मां =प्राचीन यूनानी हकीम दस्ते मलकर =हाथ मसलने की क्रिया मद्फ़ुन =डाटा हुवा कज़ा =मोत बेज़ुर्म =निर्दोष

રૂઘનાથ ધનજીની અહિંસક ફિલોસોફી

મારો રૂઘનાથ બાળપણનો મિત્ર મારાથી ઉમરમાં થોડો નાનો હશે .મારી ઓળખાણ મેં લખી છે .એમાં મારી સાથે તપ કરવા હાલી નીકળેલો તે આ રૂઘનાથ મારી સાથે એ થોડો વખત મરમઠ ભણવા આવતો પણ તેના બાપે ભણતા અટકાવ્યો અને મરમઠ વાળા મેમણ કરીમ શેઠની બીડીયું વાળવા મોકલી દીધો .તેના બાપ ધનજી ઉર્ફે પોલો આ મારા પોલાકાકા એવું કહેતા કે બીડીયું વાળવા વાળાના ઘરનાં નળિયાં હું સોનાના જોઉં છું .તેનો આગ્રહ હંમેશા વેપાર બાબત રહેતો .એ કહેતા કે લેખાં શીખો “જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર “આવું ગોખી રાખવું એ તમને કામ આવશે ,સિંદુ નદી બે હાજર માઈલ લાંબી છે। .એવું યાદ રાખવાની જરૂર નથી .તમારે એ નદીમાં તરવા જવું છે ?
એક વખત દેશીંગામાં જૈન સાધુ વિચરણ કરતા કરતા આવી પહોંચ્યા (રુઘનાથે)રુઘે એ સાધુનું પ્રવચન સાંભળ્યું .બીજે દિવસે મને વાત કરીકે મચ્છરને પણ મારી નો નખાય એને પણ જીવવાનો હક્ક છે .
મરમઠ થી ભણીને અમે સાથે ઘરે આવતા હોઈએ ત્યારે દેશીંગાની સીમ આવે ત્યારે અમો રસ્તે ન ચાલતાં બાવળની ઝાડીમાં ચાલીયે એક વખત અમો બંને જણા ઝાડી માંથી પસાર થતા હતા ત્યારે રુઘાએ એક કાકીડાને મકોડા ખાતાં જોયો મકોડાની લાઈન હાલી જતી હતી .એમાં થી કાકીડો વિણી વિણી ને મકોડા ખાતો હતો . રુઘને વિચાર આવ્યો કે જો આ એકજ કાકીડાને મારી નાખ્યો હોય તો એની વધારે ઉત્પતિ નો થાય અને કેટલા બધા જીવો મકોડા જેવા બચી જાય .કકીદાને મારી નાખવાની વાત મને રુઘાએ કરી મેં સખત ભાષામાં વિરોધ કર્યો .પણ એને મારી વાત ગળે ઉતરી નહિ .એણે તો કાકીડા જેવા ગરોળી વગેરે જીવડા ખાનારા પ્રાણીઓને મારી નાખવાનો વિચાર અમલમાં મુક્યો અને આવા પ્રાણીઓને મારી નાખવાનું ચાલુ કરી દીધું એક વખત રુઘો મારે ઘરે આવ્યો .અને જોયું તો ચકલી એના માળામાં બેઠેલાં બચ્ચાને જીવડાં ખવડાવી રહી હતી .અમારું કોઈનું ધ્યાન નોતું ત્યારે નિસરણી લઇ રુઘો ચકલીના માળા સુધી પહોંચ્યો અને માળામાંથી ત્રણ બચ્ચા કાઢી નીચે ફેંકી દીધાં અને પગ વડે ચગદી નાખ્યાં . આ વાત મારી માએ જાણી તેને ઘણું દુ:ખ થયું .અને રુઘને ઘરે ન આવવા તાકીદ કરી અને મને તેની સંગત છોડી દેવા સમજાવ્યો .રુઘાથી નાનો ભાઈ મગન હતો .પોલાકાકાને પણ દીકરા અને એક દીકરી સંતાનમાં હતાં .એ અરસામાં રાજકોટમાં જૈનોએ એવી સંસ્થા સ્થાપીકે જેમાં જૈન બાળકોને ભણવું રહેવું ખાવું પીવું કપડા લત્તાં સ્કુલ ફી વગેરે ઘણો ખર્ચો આપવાનો .ગરીબના છોકરાને બધી સગવડ મફત બાકીનાને આવક પ્રમાણે ખર્ચ આપવાનો .પોલાકાકાને ખર્ચ બચાવવા મગનને રાજકોટ તે સંસ્થામાં મુક્યો પોલા કાકાને મગનને ભણાવવામાં ખાસ રસ નોતો પણ ખર્ચ બચાવવાના હેતુથી મગનને રાજકોટ એ સંસ્થામાં મુકેલો મગન વગર ખર્ચે m .a
થઇ ગયો પછી એ કલકત્તા ગયો .ત્યાં એને સારી નોકરી મળી .આ વખતે પોલાકાકા સ્વર્ગવાસી થઇ ગયેલા .આ સિવાય મગને આખા કુટુંબને કલકત્તા તેડાવી લીધું અને પોતાની અટક માટલીયા હતી તે બદલાવી અને શાહ રાખી .દેશીંગા માં ચોરાનો જીર્ણોદ્ધાર કરીને રામ મંદિર નામ આપ્યું છે એ પોપટલાલ ધરમશી મગનના બાપ પોલાકાકાના કાકાના દીકરા ભાઈ થાય .આ વાત ભેગી એક વાત બહુ જાણવા જેવી છે એ હું આપને કહું છું .પોપટકાકાની એક બેન સુવાવડ કરવા દેશીંગા આવી તેણે દ્ક્રને જન્મ આપ્યો દીકરો પંદર દિવસનો થયો ત્યારે એ મારી ગઈ .નાના બાળકને ઉછેરવાનો સવાલ ઉભો થયો .આજ અરસામાં પોપટકાકાની વહુએ દીકરાને જન્મ આપ્યો .હતો એટલે પોપટકાકા ની વહુએ પોતાની નણંદ ના દીકરાને ઉછેરવાની જવાબદારી લઇ લીધી .આ અમેરિકન સ્ત્રી નોતી કે બાળકને ધાવણ પૂરું નો થાય અને બેબી ફૂડ ખવડાવવું પડે .વખત જતા આ દીકરો જુવાન થયો અને કોચીનમાં જબરો બીજ્નીસ ધરાવે છે .પોપટકાકા દેશીંગા છોડીને રાજકોટ જતા રહ્યા છે . અને હાલ તેઓ સ્વર્ગ વાસી છે .આતો ગરવા ગિરનારની છાયાનો પ્રદેશ .
ભેગાભેગી એક બીજી વાત કહી દઉં ઓખાના બરડિયા ગામના વાઘેર રવા સમા ના પડોશમાં બરડિયા ગામમાં એક માજોઠી (મુસલમાન ધર્મી કુંભાર )રહે તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો .અને અભાગિયા દીકરાના માબાપ મારી ગયા .દિકરો થોડોક મોટો હતો તેને ધાવણની જરૂર નોતી પણ એના સગા વહાલાં માંથી કોઈએ આ દીકરાનો હાથ જલ્યો નહિ .આ નાનકડા બાળક લાખાનો ઉછેર રવા અને તેની વહુએ કરેલ લાખો જીવ્યો ત્યાં સુધી પોતાના બાપના નામ તરીકે રવાનું નામ લખાવતો .
વાર્તારે વાર્તા ભાભો ઢોર ચારતા ભાભો ગો મરે ઢોર આવ્યાં ચરે હેવ બીજી વાતુ કાલુંનાદી કેડે આવજો હંધાયને રામરામ

પ્રાણીઓની સમજશક્તિનો જાત અનુભવ

ગધેડો બહુ સમજદાર પરની છે પણ બાપડાને લોકોએ બહુ વગોવી નાખ્યો છે .મુર્ખ માણસને ગધેડાની ઉપમા આપે છે .મધ્ય પૂર્વના દેશોમાં ગધેડા પાસે ખેતી કરાવે છે અરબ ઘોડાનું માંસ ખાય છે . પણ અભાગિયા ગધેડાનું માંસ પણ નથી ખાતા ,એતો ભલું થજો ચીન જેવા દેશોનું કે તેઓ ગધેડાનું માંસ ખાય છે .
અમદાવાદ એલીસબ્રીજ વિસ્તારમાં નવાં મકાનો બનતાં હોય તેમાં રેતી ગધેડા મારફત પહોંચતી કરવામાં આવે છે .નદીમાંથી રેતી ગધેડાં ઉપર લાદીને જ્યાં મકાન બનતું હોય ત્યાં પહોંચતી કરવામાં આવે। .ગધેડાને પ્રથમ વાર જ્યાં રેતી નાખવાની હોય એ સ્થળ બતાવવામાં આવે .પછી નદીમાંથી ગધેડા ઉપર રેતી લાદી એને રવાના કરવામાં આવે .અવશ્ય એની પાછળ હાંકનારૂ માણસ હોય છે .
અમારી બાજુના ગામડાઓમાં જુના વખતમાં સ્ત્રી પુરુષો ભિખારીઓ આવતા ,ગામમાં પ્રવેશ કરે ત્યારે ભજન ગાતા ગાતા આવે એને સાંભળીને કુતરાં ભસતાં ભસતાં એની પાછળ ફરે .એકવખત મારા દોલતભાઈ અમારે ઘરે મેમાન બન્યા .તેઓને ભજનો ગાવાનો બહુ શોખ તેનો પહાડી અવાજ લોકોને બહુ ગમે એવો હતો .અમારી ખડકી બંધ હતી પણ સાંકળ વાસેલી નોતી .દોલત ભાઈએ ભજન લલકાર્યું સાંભળીને કુતરું આવ્યું .પગભારાવીને ખડકી ખોલી નાખી . દોલતભાઈને ગાતા જોઈ કુતરું તુર્ત પાછું જતું રહ્યું .કુતરું સમજી ગયું કે આ ભિખારી નથી .
હું નાનો હતો ત્યારે દેશીંગા માં બાવળની ઘાટી ઝાડી હતી એમાં બકરાં ચરાવવા માટે બહાર ગામથી લાખો અને દેવો બે ભાઈઓ બકરાં એક વરસ ચરાવવાનું નક્કી કરીને આવ્યા અમારી બાજુ વર્ષા ઋતુમાં નદીમાં મોટું પુર આવે બધાં ગામડાં ટાપુઓમાં ફેરવાય જાય એટલે ચોમાસામાં રબારીઓ પોતાના બકરાં લઈ બિલેશ્વર તરફ બરડા ડુંગરમાં જાય એક વખત દેવાઈ એક રોઝ્ડીને (નીલ ગાય )વ્યાતાં જોઈ તેને બે બચ્ચાં આવ્યાં એમાંનું એક બચ્ચું દેવે લઈ લીધું અને એક કાબરા રંગની બકરીને ધવડાવી ઉછેરીને મોટું કર્યું .જયારે બચ્ચાંને ધવડા વવું હોય ત્યારે ત્યારે કાબરી બકરીને કાબરડી કાબરડી કહીને બુમ મારીને બોલાવે આ અવાજ સાંભળીને રોઝ બચ્ચું પણ દોડતું આવે .પછીતો વખત જતાં રોઝ મોટો થઈ ગયો પણ એને કાબરડી શબ્દ યાદ રહી ગયો અને એણે આ શબ્દને પોતાના નામ તરીકે સ્વીકારી લીધો .કાબરડી બકરીતો રબારીએ સોનારાને આપી દિધેલી રબારી કસાઈ માટે સોનારો (સોની)શબ્દ વાપરે છે .
મારી દિકરી મિતિ ગામ સાસરે હું એને ઘરે જાઉં ત્યારે એક કરસન ભીમા વાઘ નામના મેરની વાડીએ નાવા જાઉં વાડી ઘરથી ઘણી દુર હતી પણ મને ત્યાં નાવાની મજા આવતી એટલે હું ત્યાં જતો કરસન ભાઈને વહુ સાજણ બેન મારા માટે દરરોજ માખણ મોકલે .એમના દિકરા વહુઓ પણ બહુ પ્રેમાળ .
હું નાહીને ઘરે આવવા રવાના થાઉં ત્યારે મને ગાડું જોડીને મારી નાં હોવા છતાં મુકવા આવે ગાડું જોડવું હોય ત્યારે શાંતિથી બેસીને ઓગાળ વાળતા બળદને ઉઠાડે અને ગાડે જોડે જયારે બળદને ઉઠાડે ત્યારે એ બળદ મને મારવા દોડે એને ઉઠાડીને ગાડે જોડનારને ન મારવા દોડે પણ મને મારવા દોડે કેમકે આ માણસને મુકવા માટે આપણે શાંતિથી બેઠેલાઓને જવું પડે છે .
હું અમદાવાદ કેમ્પ ચોકી ઉપર નોકરી કરતો હતો . ત્યારે વગડામાંથી મને એક નોળીયાનું નાનું બચ્ચું હાથ આવ્યું મેં એને પાળ્યું .પણ ઘરે મારી મા અને પત્નીના વિરોધને લીધે નોતો લઈ ગયો .મારીમાં અને પત્ની આવા આઝાદીથી રહેતાં પ્રાણીઓને પાળીને ગુલામ બનાવવાના સખત વિરોધી હતાં ,એટલે નોલીયાના બચ્ચાંને મેં ચોકી ઉપરજ રાખેલું મારી નોકરી પૂરી થાય એટલે જે નોકરી ઉઅપર આવે એ નોલીયાને સાચવવાની જવાબદારી પણ સાંભળી લ્યે તેઓને પણ બચ્ચું ખુ બ ગમતું હું એને મારી સાથે ફરવા લઇ જાઉં .કેમ્પ ચોકી ઉપર નોકરી જેવું કઈ હ તુંજ નહિ હું એને ફરવા લઇ જાઉં ત્યારે એ મન ફાવે એમ આડા અવળું રખડતું હોય એને હું એના નામ થી બુમ મારીને બોલવું એ એકદમ મારી પાસે આવી જાય .
ફ્લોરીડામાં મારા પોત્રે એક કુતરી પાળેલી છે .એક વખત એ એના મિત્રને ઘરે મુકીને પોતાના બીજે કામે વળગ્યો .કામ પૂરું થયું એટલે એ ઘરે આવી ગયો .તેનું ઘર વિશાળ અપારમેંટ માં ત્રીજે મળે છે .અચાનક કુતરી એના મિત્રને ઘરેથી નીકળી ગઈ અને ઘરે આવી ગઈ પણ ત્રીજા મળે ઘર ઉપર ન આવી શકે એટલે તે રૂમની બારી તરફ નીચે ઊભીને ભસવા માંડી .મને એના ઘર પાછળની કઈ બારી છે એની હજી પણ ખબર નથી બધું સરખુંજ દેખાય .દેશીંગા ના ધણ ખુંટ ને એક વખત પોરબંદર દેશીંગા થી ચલાવીને આંખે પાટા બાંધીને પાંજરા પોળમાં મુકવા લઇ ગયા એ ધન ખુંટ તેજ દિવસે દેશીંગા આવતો રહેલો

“आता “जब तू मर जाएगा तब ?

आज मै थोड़ी बेचेनी महसूस करता हूँ, कही दिल नहीं लगता बहोत भूल जाता हूँ।आज मगजमे धुन सवार हुई और मै ये ग़ज़ल ब्लोगमे डालता हूँ .मै कोई शायर नहीं हूँ इसीलिए मतअला रद्दीफ़का कोई ख्याल नहीं है तो आप मेरी गलती सुधारना मेरी गलती सुधार्नेसे मै कुछ सीखूंगा तो महेरबानी करके मेरी भूल सुधारना शुक्रिया
फिर तेरी डोली (जनाज़ा )उठेगी रूह निकल जाने के बाद
कोई अफ़सोस नहीं करेगा थोड़े दिन बित्नेके बाद …..1
खर्च किया वो धनथा तेरा धन कमालेनेके बाद
बाकी धन खर्चेगा कोई तेरे मरजाने के बाद ….2
मोजसे ज़िन्दगी बसर कर नहीं आना जानेके बाद
दुनिया छोड़के जो गया है नहीं आया जानेके बाद …3
“आता ” तू कामिल बनेगा आला ख्याल रखनेके बाद
लोक आदर फिर करेंगे कामिल हो जानेके बाद ….4 ,