Monthly Archives: જૂન 2012

નઈ અબલા રસ ભોગ ન જાને

અકબર બાદશાહ ઘણી વખત છુપા વેષે નગર ચર્ચા કરવા નીકળતો ઘણી વખત  પોતાની સાથે  બીરબલ જેવાને પોતાની સાથે રાખતો .એક રાત્રે  પોતે એકલો  નગરચર્ચા કરવા નીકળ્યો .અર્ધી રાત્રીએ  એક જુવાન સ્ત્રી પોતાની બંને હથેળીઓ  દાજી ગએલી એવી એક છોકરીને ઘરની અંદર તિરાડમાં થી અકબરે જોઈ  અને પછી એણે બીરબલને વાત કરી કે અર્ધી રાતે જુવાન છોકરીની બંને હાથની હથેળીઓ કેવીરીતે દાજી જાય ? .બીરબલ બહુ બુદ્ધિ શાળી અને હાજર જવાબી હતો .પણ અકબરના આ પ્રશ્ન નો ઉત્તર દેવા માટે એણે ટાઈમ લાગેલો .

વચ્ચે એક આડ વાત કહેવી પડશે કે જે આને લગતી છે . જુના વખતમાં દીકરીઓ ઉપર બહુ કંટ્રોલ રાખવામાં આવતો .છોકરાઓથી દુર રહેવું એની સાથે બહુ વાતો નો કરાય ,કોઈ કારણ સર વાતો કરવાની જરૂર ઉભી થાય તો નીચું માંથું રાખી વાત કરવી .અને સેક્ષથી તો બહુ ભડકાવી રાખવામાં આવતી .બીજી વાત એકે લગ્ન બોલ્યાવાસ્થામાંજ થતા .

અકબરની વાત બીરબલે બહુ ધ્યાનથી સાંભળી ,અને પછી અકબરનો સવાલ પામી ગયો .બીરબલ તેનો જવાબ કાવ્યના રૂપમાં દેવા માંગતો હતો .બીરબલ દરેક રીતે બાહોશ હતો .પણ કવિ નોટો કવિ હોવું એ એક કુદરતી બક્ષીસ છે .ઘણા અભણ લોકોએ કવિતા કરેલી છે .ચારણ કવિઓ અભણ  હતા પણ કેવી અસર કારક કવિતાઓ કરી શકતા .  બીરબલે  કવિ ગંગને  પોતે જે અકબરની સમજ્યો હતો તે વાત કવિ ગંગને કરી  અને એક આ મતલબનો છંદ  બનાવવાનું કહ્યું  .

કવિ હોય અને સારા અવાજ વાળો પણ હોય એવું બનતું નથી હોતું કેટલાક કવિ હોય છે અને સારી રીતે ગાઈ શકતા હોય છે એ વાત એક જુદી છે. 

ચંદ તૈયાર થઇ ગયા પછી  બીરબલે ગાવા માટે તાનસેનને કહ્યું  અને તાનસેને ભરી સભામાં  સહુને છંદ ગાઈ સંભળાવ્યો .એ આતા તમને અહી વાંચવા આપે છે.नई अबला रस भोग नजाने  सेज किये जिह माय डरी रसबात करी तब चोंक चली  तब कंठने जायके  बा पकरी

इन दोनानकी ज़क जोरानमे   गठ नाभि कमलसे टूट परी तब दीपक कामिनी  हाथ धरी इही कारन कामनी हाथ जरी અર્થ તો આપ સમજી ગયા હશો.

મત્તું મારે માવજી ભાઈ

આપણે સહુએ સાંભળ્યું છે કે  વણિક પુત્ર કડી ઉતાવળિયું પગલું નો ભરે જે કઈ બોલે એ સમજી વિચારીને બોલે ધડાકો નો કરે  પ્રશ્ન ભલે સામાન્ય હોય તોપણ  તેનો જવાબ વિચારીને આપે .અકબર ના સમયની આ વાત છે. જે વાત હું હમણાં કહીશ એ આપણે ખબર હશે કે અકબર ચવદેક” 14  “વરસની ઉમરે એનો બાપ હુમાયુ મરી જવાથી  ગાદીએ  બેઠો એટલે એ ભણેલો નોતો ,પણ એને જીજ્ઞાસા વૃતિ બહુ હતી .એટલે એ પોતાની જીજ્ઞાસા વૃતિ સંતોષવા બાહોશ માણસો નાં સંપર્કમાં રહેતો .એણેનવ ખાસ માણસો રાખેલા જે નવ રાતનો તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે .જે પૈકી બીરબલ એનો ખાસ માનીતો માનસ હતો .અકબર દરરોજ સભા ભરતો .સભામાં અવનવા ઘણા માણસો આવતા .અને એલોકોના વાર્તા લાપ સાંભળતો અને ઘણું જાણતો
એક વખત  એણે બીરબલને પૂછ્યું એલા બીરબલ  એવું સાંભળ્યું છેકે વાણિયાનો દીકરો જે કઈ બોલે એ બહુ સમજી વિચારીને બોલે તમે કઈ પ્રશ્ન પૂછો તો તે તેનો જવાબ બહુજ વિચારીને આપે પ્રશ્ન ભલે સાદો કેમ નો હોય .બીરબલે જવાબ આપ્યો હા એ ખરી વાત છે .અકબર કહે આપણે એનો જાત અનુભવ કરીએ .એકાદ વાણીયાને બોલાવીએ અને એને પૂછી જોઈએ ,બીરબલ કહે તમે જે ધારો છો એ બરાબર છે .વાણીયાને બોલાવી રૂબરૂ અનુભવ કરવામાં સારાવાટ નહિ રહે .પણ અકબરે બીરબલની વાત ઉપર ધ્યાન નો આપ્યું .અને પોતાના હઠ ઉપર કાયમ રહ્યો .એટલે પછી વાણીયાને  બોલાવવાનું નક્કી કર્યું.  બીજે દિવસે દિલ્હીમાં ઢંઢેરો પીટાવ્યો ,અને દિલ્હીના વાણીયા  ઓને ચાંદની ચોકમાં ભેગા થવાનો હુકમ કર્યો .
બીજે દિવસે બધા વાણીયા  ચાંદની ચોકમાંભેગા થયા .એમને કહેવામાં આવ્યું કે  બાદશાહને એક પ્રશ્ન  છે એ પ્રશ્ન નો જવાબ વાણીયો બરાબર આપી શકાશેવાણી યો એ વિચાર કર્યોકે  આપણાથી બાદશાહને  જવાબ આ પવામાં કૈક  ગરબડ થાય તો બાદશાહના રોષનો ભોગ બનવું પડે .એના કરતા .આપણા માથા ઉપર આવેલી બલા આપણે કોક બીજા ઉપર કાઢીએ  એવું વિચારી તેઓએ  બાદશાહ ને જવાબ આપ્યો કે  જહાપનાહ  જો આપને ઝીંદગી ભર યાદ રહી જાય અને એ જવાબ નો પડઘો દુનિયામાં પડે અને વરસોના વરસો સુધી ટકી રહે અને  આતાની “આતાવાણી” સુધી પહોંચે એવો જવાબ જો જોઈતો હોય તો  આપ પોરબંદરના  વાણીયાને બોલાવો .

દિલ્હીના વાણીયાઓની  વાત  સાંભળી અકબરે  પોરબંદરથી  વાણીયાને  લઇ આવવા માટે પોતાના સાળા માનસિંહને મારતે ઘોડે  તાબડતોબ  પોરબંદર રવાના કર્યો. માનસિંહ  પોરબંદર આવ્યો અને પોરબંદરના મહારાણાને  મળ્યો અને અકબરનો સંદેશો આપ્યો, કેઅકબરને એક પ્રશ્ન થયો છે (પેટ  ચોળીને  પીડા ઉભી કરી છે.) અને આ પ્રશ્નનો  જવાબ પોરબંદરનો વાણીયો બરાબર આપી શકાશે .માટે મારે એક વાણીયાને દિલ્હી લઇ જવો છે .માટે તમે એક વાણીયાને મારી સાથે દિલ્હી મોકલો .

મહારાણા એ  સુદામાચોકમાં બધા વાણીયાને ભેગા કર્યા .અને અકબરનું ફરમાન સંભળાવ્યું .વાણીયાઓ એ  એક માવજી નામના ૫૩ વરસના એક ભાઈને  દિલ્હી મોકલવાનું નક્કી કર્યું .અને માવજીને  માનસિંહ આગળ  રજુ કર્યો અને કહ્યું કે આ ભાઈ  તમારી . સાથે દિલ્હી  આવશે .માન્સીન્હેં માવજીને  કહ્યું કે ચાલો તૈયાર થઇ જાવ  , માવજીએ મનમાં વિચાર કર્યોકે  બાદશાહ અકબર જેવો બોલાવતો હોય તો  શા માટે માનભેર વટથી નો જઈએ  ફઈને ઘેર જતા હોઈએ  એવું સહેલાયથી શા માટે જવું ? માવજીએ માનસિંહને કહ્યું જો તમારે મને દિલ્હી લઇ જવો હોયતો  એક રત્ન જડિત અંબાડી વાળો હાથી મગાવો આવા હાથી ઉપર બેસીને હું આવું .અને બીજું  દિલ્હી જતા પહે લા વચ્ચે  જે ગમે રાતવાસો  રેવાનું થાય એ ગામના મુખીએ મને હું ત્રેપન વરસની ઉમરનો છું એટલે ૫૩ તોપોની સલામી આપવી પડે .માંન્સીહે માવજીની  દરેક શરત માન્ય રાખી અને પછી માવજી દિલ્હી જવા હાથીની અંબાડી ઉપર બેઠો .પણ બાપુ તેડી માવજીને જોવા માટે  ઘેડ,નાઘેર ,ઓખો ,બારાડી,હાલાર બરડો.દરેક ઠેકાણેથી  માણસો ગાડા  જોડી જોડીને  આવેલા  હો .માવજી ઠાઠ માઠ થી દિલ્હી પહોંચ્યો  તેને રહેવા માટે  સરસ બંગલામાં  ઉતારો આપ્યો .અને માવજીની સરભરા માટે  કેટલાક માણસો રાખેલા .માવજીને સવારે સભામાં બોલાવ્યો .અને અકબરે પોતાની સામે ગાદી તકિયા ઉપર બેસાડ્યો .વચ્છે એક બાજઠરાખેલો  તેના ઉપર  અકબરે પોતાની પાધડી મૂકી અને માવજીને પૂછ્યું આનું નામ શું ? માવજી મનમાં એટલો ખુશ થએલો કે  વાત નહિ .માવજીને થયું કે જેની આગળ ભલ ભલા મહારાજાઓ પાઘડી ઉતરેછે એવા મહાન અકબરે આજ  મારી આગળ પાઘડી ઉતારી .માવજીઅકબરનો  prashn  સાંભળી  પોતાનું માથું ખજ્વાળવા મંડી ગયો .અને બોલ્યો  સાહેબ બહુ ગહન પ્રશ્ન છે .આ પ્રશ્નનો જવાબ દેવો  એ મારા એકલાનું ગજું નથી

aa prashnno javab  deva maa te amaari aakhi vaniyani naat bhegi karavi pade  koi khadayata,koi modh koi lad  eva chorasi jatna vaniya bhega karava pade અકબર કહે ભલે  બોલાવો બધા વાનિયાઓને  માવજી કહે લાવો ખડિયો કલમ કાગળ અને શાહી ખડિયો કલમ હાજર થયા એટલે માવજી લખવા બેઠો . રા. રા તલકચંદ  મલૂક ચંદ  માટલીયા  આપ સહુને અકબર બાદશાહે તેડાવ્વ્યા છે તો  સહુ સાગામાંતે વેળાસર દિલ્હી પધારજો .બધું લખ્યા પછી માવજી નીચે લખે કે “પારકો ખડિયો પારકી સાઈ  મત્તું મારે માવજી ભાઈ ” કાગળ વાંચીને બધા વાણીયા દિલ્હી આવ્યા .બધાને સારા બંગલોમાં ઉતારા આપ્યા .રાબેતા મુજબ સવારે માવજીને  સભામાં બોલાવ્યો અને અકબરે પૂછ્યું .માવજી  કઈ  ઉકેલ આવ્યો .માવજી કહે બહુ અઘરો પ્રશ્ન છે .આખી નાત ગોતે ચડી ગઈ છે પણ જવા મળ્યો નથી જોકે જવાબ જરૂર માલ શે પણ થોડી વાર લાગશે. આમને આમ મહિનાઓ વીતી ગયા .બધા જલસા કરે છે અને માવજીના વખાણ કરે છે .ઘણા મહિનાઓ વીત્યા એટલે  વાણીયા કંટાળ્યા  હવે એને ઘરે જવાની ઉતાવળ થઇ  એટલે એ લોકો એ માવજી ને કહ્યું હવે છુટકારો  કર  માવજી કહે આવો વખત ઘડી ઘડી આવવાનો નથી   હવે તો તમે “પારકે પૈસે તેવાર કે કર દિવાળી  બે વાર ” જેવું કરો  પછી સહુનો આગ્રહ  થયો એટલે માવજીએ  છુટકારો કરવાનું નક્કી કર્યું .માવજી દરરોજની જેમ સભામાં  ગયો .અકબરે  ભગ્ન હૃદયે  માવજીને પૂછ્યું કઈ જવાબ મળ્યો માવજી કહે હા પણ એવું નક્કી થયું કે  મારે થો પ્રશ્નો તમને પૂછવા પડે અને એનો જવાબ તમારે આપવો પડે જો તમને જવાબ ના આવડે તો તમે કોઈને પણ પૂછીને જવાબ આપી શકો છો પણ જવાબ તમારેજ આપવો પડે,

માવજીએ પ્રશ્ન પૂછ્યો એક દિવસની ઘડી કેટલી  બીરબલ પાસેથી જવાબ મેળવ્યા  પછી અકબર બોલ્યો આઠ  .સંભાળીને માવજીએ પૂછ્યું એની આરાધી કેટલી અકબર કહે ચાર ઘડી  એમ પ્રશ્નોત્તરી થતા  થતા અર્ધી  ઘડી સુધી પહોંચ્યું એટલે માવજી એ પૂછ્યું એની અર્ધી કેટલી અકબર કહે પાઘડી . અને માવજી બોલ્યો આ આનું નામ  એવું બોલી માવજીએ  અકબરની પાઘડી તરફ આગલી ચીદ્ધી  પણ ભાડના દીકરા માવજી એ અકબર પાસેથીજ નામ બોલાવ્યો અકબર  માવજીની અને આખા વણિક  સમાજની હોશિયારી ઉપર ખુશ થયો અને તેઓને  “શાહ “નો ઈલ્કાબ આપ્યો જે ફક્ત અમુકજ વાનીયાઓએ સ્વીકાર્યો .બીજાઓએ પોતાની મૂળ અટક ચાલુ રાખી .ગોદીવાળા.ગોસલીયા માટલીયા વગેરે

સુખોને પામવા ઘર ઘર ભટકવું

એક કહેવત મેં બનાવી અનુભવ ઉપરથી
સુર સાપ ને સુદ ખોર આશા ને અનુમાન ,એતાં ના જાણો આપણા છુટેલ તીર કમાન.  હું અને મારી પત્ની મારા ભાઈ અને તેની અમેરિકન પત્ની એલીઝાબેથ  સાથે રહ્યાં એ લોકોના સાથ થી નોકરી કરી અને થોડા પૈસા ખર્ચ કાઢતા બચાવ્યા .મારા મોટા દીકરાની વહુને એક દીકરો થયા પછી .છુટ્ટા છેડા  થયા . વહુ અને દીકરો જર્મન એના ભાઈને ત્યાં જતા રહ્યાં .વહુ સુઝન ની સાથે  તેના છુટા છેડા  નોતા થયા  .ત્યારે હું એની સાથે ઘણો વખત રહેલો

મારો સ્વભાવ સુઝનને ઘણો ગમતો .સુઝાનની માયાળુ  પણની હું જેટલી પ્રશંશા કરું એટલી ઓછી છે . ટૂંકમાં કહું તો એ સ્વર્ગીય દેવી હતી .ગંગાની જેમ શ્રાપને લીધે તે પૃથ્વી લોકમાં આવેલી .અને શ્રાપ પૂરો થયો એટલે તે સ્વર્ગ લોકમાં પાછી જતી રહી (મૃત્યુ પામી ) દીકરો તુષાર એકલો ભાડાના મકાનમાં એરિઝોનામાં રહેતો હતો . અમને વિચાર આવ્યો કે  આપણે મહેનત કરીને નોકરી કરીને થોડા પૈસા બચાવ્યા છે (રૂડા પ્રતાપ મારા ભાઈના )એનું મકાન લઇ લઈએ અને આ મકાન તુષાર વાપરે  એરીજ્ઝોનામાં પ્રમાણમાં મકાન સસ્તાં.અને ભવિષ્યમાં આપણે તુષાર સાથે રહીએ એવી આશા સેવી .પણ તુષારને અમારી સાથે ન ફાવ્યું, એટલે એ  જુદો રહેવા જતો રહ્યો .પછી અમારે ન છૂટકે  એકલા રહેવું પડ્યું . ઈંગ્લીશ આવડે નહિ થોડું ઘણું મને ઈંગ્લીશ બોલતા આવડી ગએલું .એક વખત અમને મૂંઝવણ આવી .થોડા દિવસ અમારે કોઈના સથવારાની જરૂર પડી .બહુ મીઠાં બોલનારાં,ધાર્મિક વાતો કરનારા અને એવું કહેનારાં  હતાં  કે    આપણે એની  બધી  વાતો સાચી (.आराम के  साथी  क्या क्या थे जब वक्त पड़ा तो कोई नहीं सब दोस्त है अपनी मतलब  . के दुनियामे किसीका कोई नहीं )લાગે પણ” કહુલું કોકદી હોય ” અમારા દુ:ખના દિવસો “..જતા રહ્યા  .એક્દી કે જયારે મારી ઉમર ૮૦ વરસની હતી .ત્યારે ચકલાની ચણ એક મણ ઉપાડીને બસમાંથી ઊતરીને ઘરે ચાલીને આવી ગએલો (હવે  બસ સ્ટોપ સુધી જઈ નથી શકતો )    આવખતે મને વિચાર આવ્યો કે હવે અમારે કોકની સાથે રહેવા જતું રહેવું જોઈએ . આશા  નિષ્ફળ નીવડી દીકરાના બીજા નંબરના દીકરા સાથે રહેવા નું નક્કી કર્યું મકાન લેવા પૈસા આપ્યા .મકાન ખરીદાયું પોત્ર કહે  એક રૂમ અમારા બે માટે અને અકેક રૂમ અમારા દીકરા દીકરીમ માટે  તમારે રહેવા માટે સ્થાન નથી .આશા ઠગારી નીવડી . મારી પત્ની સ્વર્ગે ગઈ હું એકલો પડી ગયો .પણ હિમ્મત જેનું નામ ગભરાય જાય એવી કાચી માટીનો ઘડેલ નથી .હાલ હું મારી ૯૧ વરસની ઉમર પૂરી કરી ગએલો કે જેને મિત્રોએ”. એરિઝોનાના સાવઝ” નો ઈલ્કાબ આપ્યો  છે . .એ  એકલો ડણકુ દ્ય્યે છે .મારાથી ઉમરમાં પંદર વરસ નાનો  એન્જી . આ દેશમાં સારું કમાઈ ચુકેલો દીકરાઓને ખુબ અનેક રીતે મદદ કરી .એક્દી  દીકરાએ કહી દીધું કે તમારે હવે  અમારાથી જુદા રહી એકલાએ તમારું ફોડી લેવું જોઈએ .ભારે હૈયે   આ માણસ મારી આગળ વાત કરતો હતો મેં એને કીધું કે  તું મારી જેમ એકલો રહે તુંતો કાર ચલાવે છે તારી પાસે પૈસા છે વાતથી રહે તે બોલ્યો તમે હિમ્મત છો  હું હિમ્મત નથી . ઘર ઘર માટીના ચુલા  જોકે હવે ઇલેક્ટ્રિક  સ્તવ છે એટલે આ કહેત બંધ બેસતી નથી .  અતાઈ

मेरे मय परस्त अह्बाबके लिए

मराजावु जब मै  यारो मातम नहीं मनाना
उठाके जनाज़ा  मेरा नग्मा सुनाते जाना .रखना …….१
लाके लहदमे  मुजको  उल्फत के  साथ  रखना
इत्तरके       बदले मुंह पर आबे अंगूर  छिड़कना ……..२
तुर्बत पे मेरी आना  शमा नहीं जलाना
दोस्ताना  गर है दोस्तों बोतल  शराब लाना …………….३
“आता “को याद करना से   मदरासे जाम भरना
सागर  बदल बदल कर पि लेना और पिलाना …………..4

मय खानेकी सेर

આજે હું એક શરાબી ગીત લખવાનો  છું . જે દર્દ મુવીના એક ગીત કે જે અનાથ આશ્રમના  બાળકો  ગાઈ રહ્યાં છે .એ ઢબથી ગાઈ શકાશે .
આ ગીત કેટલાકને   ના પણ ગમે  પણ મનેતો ગમશે . જે ભાઈ અને બહેન ને ગમે તેઓ  કોમેન્ટ આપી .મારી જીવન જ્યોત બુઝાવા જઈ રહી છે .તેને પ્રજવલ્લિત કરી શકે છે.

मेरी उमर बढ़ती जारही है अहबाब मुहब्बत  देते रहो
मेरी जीवन नोका डूबती है  आखिर्की उल्फत देते रहो

જોકે થોડા દિવસ પહેલા  દાક્તરે  ઘી પૂરી વાટ સંકોરી પ્રકાશિત કરી રાખી છે.

साकी आज पिला देना  भरभर के पैमाना  पैमाना गर नहीं है  बोतालसे पिला देना                साकी = शराब पिलाने वाली        पैमाना = शराब पीनेका पात्र        गर = जो
साकी तेरा मयखाना मुझे लगता बुतखाना

हर एक हसीनो का दीदार करा देना       १
બુતખાના શબ્દના બે અર્થ થાય છે મંદિર અને સુંદરીઓને રહેવાનું સ્થળ અહી સુંદરીઓને રહેવાનું સ્થળ સમજવાનું છે.
आज ऐसी पिला साकी कोई गम न रहे बाकी
मखमुर बना देना मुझे गले लगालेना     २             गम=दू:ख   मखमूर = नशेमे चूर , मस्त
“आता” इको विस्किमी थोड़ी रम्म मिलादेना
ब्रान्दिके अन्दर भी  ताडिको  मिला देना      ३
गीता भारती ज्योति को कोई खबर नहीं देना
वर्ना वो आकरके छीन लेगी पैमाना        4