
એક અમેરિકને શાર્ક પાળેલી . એ શાર્કને એવી ટેવ થઇ ગએલી કે તે કથાકારો . માળા ફેરવનાર ભક્તો , ભજનિકો વાર્તાકારો ભગવા વસ્ત્ર ધારી બાબાઓ વગેરેને શાર્કને ખાવા માટે એના માલિકને બંદોબસ્ત કરવો પડે અને આપ જાણો છોકે કથાકારો ભગવા વસ્ત્ર ધારી બાબાઓ નો ભારતમાં ક્યાં તોટો છે . અને અવારનવાર અમેરિકામાં વસનારા ભારતીઓનું કલ્યાણ કરવા આવતાજ હોય છે . અને દાન દક્ષિણા નું ખિસ્સું ભરી ભારત પરત જતા હોય છે . આવા કથાકારો ભગવા વેશ ધારી કહેવાતા મહાત્માઓ ને લાવી લાવીને શાર્કનો માલિક શાર્કને ખાવા માટે આપતોજ હોય છે . અને શાર્ક પણ આવા ભગવા વસ્ત્રો વાળાઓને એક દમ બહુ ઝડપથી ખાઈ જાય . એક દિવસ ઓલ્યા આતાવાણીવાળા આતા ભટકાણા આતા એવા વાતુડાકે વાતો કરતા થાકેજ નહિ , એક વખત એક સજ્જનને ત્યાં વાર્તાકાર આવેલો . એને સાંભળવા માટે મિત્ર મન્ડળને સજ્જને તેડાવેલા એમાં આતા પણ ખાસ તેડાવેલા , કોઈકે આતાને કૈંક પૂછ્યું . અને આતા વાતુએ ચડ્યા અને લોકોને પણ એમની વાતો સાંભળવામાં રસ પડ્યો . એટલે આતાને બહુ પોરસાવ્યા અને આતાએ બરાબર જવા દીધી .
પછી ઘણું ટાણું વીતી ગયું . લોકોને ઘરે જવાનો ટાઈમ થઇ ગયો . લોકો જવા મંડયા એટલે . ઘરધણીએ કીધું કે આ વાર્તા કારણે નથી સાંભળવો ? એ બિચારો વાર્તા કરવાની વાત જુવે છે . ત્યાં એક જણ બોલ્યો આ આતા વાર્તા કરવાનો સમય આપેતો એ બિચારો વાર્તા કરે આતાએ વારોજ ક્યાં આવવા દીધો છે , ? આવા ગપોડી આતાને લઈને શાર્કનો માલિક પોતાને ઘરે શાર્કને ખાવા માટે લઈ ગયો . શાર્કના માલિકની વિશાળ પ્રોપર્ટીમાં એક મોટા સરોવરમાં શાર્કને રાખેલી . આતાને શાર્કને ખાવા માટે સરોવરમાં નાખ્યા . કથાકારોને મિનિટમાં ખાઈ જતી શાર્ક આતાને જોઈને સરોવરમાંથી બહાર નીકળીને ભાગવા માંડી .
હવે આપ મિત્રોને વાંચવા માટે બીજું આપું છું . કેમકે ઉપરની વાત વાંચી આપણે થાક લાગ્યો હશે તો હવે નવી વાત આપણે વાંચવા આપું છું .
એક નાના ગામડામાં એક શિક્ષક હતો તે દરરોજ વહેલી સવારે દૂર જન્ગલમાં જાજરૂ માટે જાય , તે સમયે , જાજરૂ જવા માટે દૂર ખુલ્લામાં જવું પડતું તે જમાનામાં નજીકમાં ટોયલેટની સગવડ નોતી અને અમેરિકાની જેમ ઘરમાંજ ટોયલેટ નોતું અમેરિકામાં ઘણા ઘરોમાં રસોડાને અડીનેજ ટોયલેટ હોય . આ શિક્ષક સવારે જાજરૂ જાય ત્યારે ગામની પરવાડમાં હાથલિયા થોર હતા . આ હાથલિયા થોરમાં માસ્તર જ્યારે જાજરૂ જાય ત્યારે ખીલીથી થોરમાં શ્રીરામ શ્રીરામ એવું લખતો જાય . વર્ષો પછી એ શિક્ષકની બીજે ગામ બદલી થઇ ગઈ . હવેના જમાનામાં “ભણતર ,ચણતર , અને જણતર ” વધી ગઈ છે . થોરમાં શિક્ષક શ્રીરામ લખતો હતો . તેની નજીક એક રામાનંદી બાવાનું ઘર આ શ્રીરામ વાળા થોર બાવાની પ્રોપર્ટીમાં હતા . બાવાને મકાન બાંધવાની જરૂર પડી એટલે થોર કાઢી નાખવા પડે એમ હતા , એટલામાં શ્રીરામ શબ્દો થોરમાં દેખાણાં એટલે ગામલોકે બાવાને વાત કરીકે આ થોરમાં રામ પધાર્યા છે , માટે તે જગ્યાએ રામ મન્દિર બનાવીએ તું ઘર બીજે બનાવી લે , મઁદિરનો માલિક તો તુંજ રહેવાનો અમે ગામલોકો ફાળો કરીને મઁદિર બાંધી આપીશું . બાવો કબૂલ થયો અને જોત જોતામાં તો રામ મઁદિર બની ગયું . પછીતો બાજુમાં ધર્મ શાળા પણ બની ગઈ . અને હાથલા વાળા શ્રીરામ તો બહુ પ્રસિદ્ધિ પામ્યા . ક્યાંય ક્યાંય થી લોકો દર્શન કરવા આવવા લાગ્યા બાવો તો માલામાલ થઇ ગયો . એક દિવસ સાતમ આઠમના દિવસોમાં ધર્મ શાળામાં લોકો જુગાર રમવા બેસી ગયા . બાવાની ઘરવાળી જુગારીઓને ચા પીવડાવવા મંડી ગઈ . અને જુગારિયોં પૈસા આપવા મંડી ગયા પછી બાવાને વિચાર આવ્યો કે કાયમ જુગાર રમી શાકકય એવી વ્યવસ્થા કરીએ એટલે થોડી વધારે આવક થઇ જાય . અને જુગારનો અડ્ડો ચાલુ થઇ ગયો અને પછી તો મદિરાલય (મયખાના ) ચાલુ કર્યું . અને મયખાનામાં દારૂ પીરસનારી રૂપાળી સાકી પણ રાખી લીધી . અને મઁદિરની સાથે સાથે આવા બીજા ધંધા પણ ચાલુ થઇ ગયા . નારી કેન્દ્ર પણ ચાલુ થઇ ગયું .
રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ