એક નાના ગામડામાં એક ગરીબી જેને આંટો લઇ ગઈ છે એવો માણસ રહે . એની પત્ની બહુ પ્રેમાળ હતી . એટલે તેને ગરીબી સતાવતી નોતી . એ બિચારી ખેડૂતોને ખેતી કામમાં મદદ કરતી . અને બે કવડિયાં કમાઈ લેતી . એવીરીતે એનો પતિ પણ સખત મજૂરીનું કામ કરતો . પણ બાળ બચરવાળ માણસ એટલે બે શિંગાં માંડ ભેગા થતાં . પતિ ભણવાની સગવડ હોવા છતાં તે જાડી બુદ્ધિનો હોવાથી બહુ ભણી ન શક્યો . ખુબ ખાધોડકો હતો . અને લૉંઠકો પણ બહુ હતો . લોકોના કુવા ખોદાવવા જાય તો ખોદાણ ની માટીનું ભરેલું તગારું કુવામાંથી સીધો ઘા કરીને ઉપર ફેંકી દ્યે . કુતીયાણુ એના ગામથી દોઢ ગાઉ દૂર થાય . કુતીયાણાથી એક ભાર કપાસિયા એટલે આઠ મણ કપાસિયા લઇ આવે . લોકોએ એનું નામ ભીમ પાડેલું . એક વખત કોઈના કામ માટે અમદાવાદ ગયો . ગાડીમાં ઝોંકાં ખાતાં ખાતાં એને વિચાર આવ્યો કે માનોકે ઈશ્વરીય પ્રેરણા થઇ . उर्दूमें “इल्हाम ” कहते है . કે અમદાવાદથી પાંચ કુવા દરવાજા પાસે દેવ દેવતાઓની મૂર્તિઓ વેચનારની દુકાન છે . ત્યાંથી કોઈ દેવ દેવીની મૂર્તિ ખરીદું અને કોઈને પણ સગી બાયડીને પણ ખબર ન પડે એ રીતે ગામના રાખહ બારે એટલીકે દક્ષિણ દિશા આ દિશામાં લંકા છે . ત્યાં પ્રાચીન કાળમાં રાક્ષસો વસતા હતા . ત્યાંની ઊંચી ટેકરી છે . અંબાજી પાસેની કૈલાસ ટેકરી જેવી ત્યાં દાટી દઉં અને એક વરસ પછી . લોકોને એવું કહું કે મને માં અંબા સ્વપ્નમાં આવયાં . અને મને કીધું કે હું ટેકરી ઉપર દટાયેલી પડી છું . હું મુંજાઉં છું મને બહાર કાઢો . ભીમે મૂર્તિ ખરીદી લીધી . તે વાઘેશ્વરી અંબાજીની મૂર્તિ હતી . અને ઘરે આવ્યો . અને એક દિ વહેલી સવારે ટેકરી ઉપર મૂર્તિને દાટી આવ્યો . એક વર્ષના વાણાં વાયાં . મૂર્તિ દાટી હતી . તે જગ્યાએ ઘાસ ઉગી નીકળેલું .
એક દિવસ ભીમે ગામમાં વાત કરીકે મને અંબાજી માતાજી સ્વપનામાં આવયાં અને મને કીધું કે હું ટેકરી ઉપર દથયેલી પડી છું મુંજાઉં છું મને બહાર કાઢો . અને મારી પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરો . ગામનું લોક ટોળું સ્ત્રીઓ અને પુરુષો ભીમને સાથે લઈને ટેકરી ઉપર પહોંચ્યો , અને ધુણવા માંડ્યો . અને જમીન ઉપર થાપો માર્યો કે જે સ્થળે મૂર્તિ દાટેલી હતી . લોકોએ ધીમે ધીમે ખોદીને અકબંધ મૂર્તિ બહાર કાઢી . અને બહેનોએ ગરબા ગાયા . અને ગામના એક વેપારીએ ખુશાલીમાં ધુંવાડા બંધ ગામ જમાડ્યું . અને વખત જતાં શિખર બંધ માતાજીનું મંદિર બની ગયું . ગામ લોકોએ ભીમને મંદિરનો માલિક ઠરાવ્યો . જેમ કાશ્મીરના અમરનાથ એક ઘેટાં પાળક મુસલમાન ભરવાડે જોયા . અને તે વખતના કાશ્મીરના હિન્દૂ મહારાજાએ એ મુસલમાન ભરવાડને અમરનાથ નો માલિક બનાવી દીધો . અને આજે પણ એ મુસલમાન ભરવાડના વંશજો મંદિરનું માલિક પણું ભોગવે છે , પ્રગટ થયેલા અંબાજીના મંદિરનો માલિક ભીમ અને એના વારસદારો છે . ભીમે એક બ્રાહ્મણ પુજારીને પણ રાખ્યો . પછીતો માનતાઓ મઁડી આવવા પૂજારી જોર શોરથી પ્રચાર કરવા લાગ્યો . ઓલી કહેવત છે કે “પીરની પીરાઇ મૂંજવરના હાથમાં ” અને ભીમભાઈનું ભાગ્ય આડેથી પાંદડું ખાંસી ગયું . ભીમ તો માલામાલ થઇ ગયો . એના દિકરાઓ દિકરીયું સારી રીતે ભણીને આગળ આવી ગયું . મઁદિરની જે અઢળક આવક થતી . એમાંથી વિદ્યાર્થીઓને મદદ કરતો ગરીબોને છૂટે હાથે દાન કરતો . અને જલારામ બાપાના રસોડાની જેમ દરરોજ બપોરે જમવા માટે સાદ પડે . કોઈબી જાતિ ભેદ કે ધર્મ ભેદ રાખ્યા સિવાય કોઈ બી માણસ જમી શકતો .
તા . ક .
ચૂંટાણી હોતજો હિલરી . તો કૈંક ચમત્કાર કરત
તો આ મલકની યુવતીઓ કોપીન વગર ની ફરત
જય મા અંબાજી ભીમને સ્વપનામાં આવીને નિહાલ કર્યો
એમ આ આતાવાણી વાંચનારને વગર સ્વપ્ને નિહાલ કરજો .