Monthly Archives: ઓક્ટોબર 2016

छोटो काम बड़ो करे ताऊ न बड़ाई होय ज्यों रहीम हनुमन्तको गिरधर कहे न कोई

20161016_170141

मेरे अज़ीज़ अहबाब में दिमागसे ज़्यादा: काम लेताहूँ तो भेज़ा गायब हो गया है . फिरभी दिमाग़ बराबर चलाता हूँ .

 

શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર હતા એવું લોકો માને છે એ મહાન હતા , એટલે એમણે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો . અને પર્વત નીચે ઉભેલા ગોવાળિયાઓએ પોતાની લાકડીથી ટેકો આપેલો . તે છતાં તેઓને લોકોએ પર્વતને ધારણ કરનાર ગિરધરનો લોકોએ ઈલ્કાબ આપી દીધો . કેમકે તેઓ મહાન પુરુષ હતા . ભગવાનનો અવતાર હતા .ઓલ્યો હનુમાન આખો પર્વત ક્યાંયથી ઉપાડી લાવીને લંકા સુધી લઇ આવ્યો . એને કોઈએ ગિરધરનો ઇલકાબ નો આપ્યો . કેમકે તે રામનો સેવક હતો . રામનું અઘરુંકામ પોતે કરી લાવતો હતો . સાધારણ વાનર હતો .
હું સિગારેટના ખોખાં ને બન્ને બાજુ દેખાડું બન્ને બાજુ સરખીજ હોય છે . બીજા કોઈ ખોખામાં બન્ને બાજુ સરખી ન હોય તો મને ખબર નથી .પણ હું eagle 20 ‘s menthol gold ખોખાની બન્ને સાઈડ બતાડીને લોકોની હથેળીમાં મુકું અને એના ઉપર બીજા હાથની હથેળી મુકાવું . અને પછી એ હથેળી ઉપર હું ફૂંક મારું અથવા કોઈ બીજો ફૂંક મારે અને હથેળી ઊંચી કરે એટલે ખોખા ઉપર બીજુંજ ચિત્ર આવી ગયું હોય . અથવા કોઈ લખાણ આવી ગયું હોય . પણ લોકોને એટલી નવાઈ ન લાગે જેટલી નવાઈ ટી વી ઉપર કોઈ જાદુગર દેખાડતો હોય . લોકો એવી વાતો કરે કે આમાં શું નવાઈ આવું આવું ફતુરતો આતા કરતાજ હોય છે ,
આપ ટી વી ઉપર જાદુના ખેલ જોતા હશો .એમાં એક જાદુગર ગંજીફાનાં પાનામાંથી એક પાનું લઇ લેવાનું પ્રેક્ષકને કહે પ્રેક્ષક એક પાનું લઈલે આ પાનું શું છે , એ બધાને બતાવે પછી જાદુગર એ પાનામાંથી એક ખૂણો કાપીને એક પ્રેક્ષકને આપે . પાનાંનો બાકીનો તૂટેલો ભાગ પોતાની પાસે રાખે . થોડી વાર પછી એક ચાનો કપ ટેબલ ઉપર મૂકે અને આ કપમાં જોઈતા પ્રમાણમાં ગરમ પાણી રેડે પછી એક ચાની પડીકીયું વાળું નવું પેકેટ કાઢે અને એમાંથી એક પડીકી કાઢવાનું પ્રેક્ષકને કહે પ્રેક્ષક પેકેટમાંથી પડીકી કાઢીને ચાના કપમાં નાખે થોડી વાર પછી જાદુગર પોતાના હાથે કપમાંથી પડીકી કાઢે , ત્યારે પડીકીને બદલે ગંજીફાનું ખૂણો તૂટેલું પાનું નીકળે અગાઉ તૂટેલો ખૂણો જે માણસ પાસે હોય એ ચાના કપમાંથી નીકળેલા પાના સાથે સરખાવી જુવે તો એ તૂટેલો કકડો એજ પાનાંનો હોય . આ જાદુ આતાવાણી વાળો આતા કરી શકે છે . પણ ઓલ્યા રહીમે કીધું એમ
छोटो काम बड़ो करे तउ न बड़ाई होय જોકે મારું જાદુ જોઈને ઘણા લોકોને વાવ વાવ ના ઉદગારો નીકળી જાય છે હો . સિનિયર સિટીજન સેન્ટરમાં હું જાઉં છું . આ સેન્ટરમાં બીજા લોકો માટે પણ ઘણી પ્રુવ્રુત્તિઓ હોય છે . નાના બાળકો માટે પણ અવનવા રમકડાં હોય છે . આ સેન્ટર આપણા સુરેશ જાનીએ જોયેલું છે .
ભારતના બીજા વિભાગો કરતાં સાઉથ ઇન્ડિયાના ખાસ કરીને તામિલ નાડુના લોકો મન્ત્ર તંત્ર દેવ દેવતાઓ ભૂત પ્રેત વગેરે વસ્તુ ઓમા વધારે માને છે . સાઉથ ઇન્ડિયન લોકો શ્યામ રંગની ચામડી વાળા વધુ હોય છે કેટલાક ઉજળી ચામડી વાળા પણ હોય છે . આ લોકો ઘણે ભાગે બ્રાહ્મણ હોય છે .અને હજારો વર્ષ પહેલાં ઉત્તરમાંથી સાઉથમાં ગયેલાનું મનાય છે . સેન્ટરમાં મને બે બેનપણીઓ મળેલી જે એના બાળકોને લઈને આવેલી એક બાઈને મેં કીધું તારાં બાળકોને જાદુ જોવું ગમે છે ? . તે કહે હા એમને બહુ ગમે છે . મેં કીધું કોઈ વખત મારી પાસે લઈ આવજે હું એને જાદુ બતાવીશ , તે બોલી કેવું જાદુ બતાવશો ? મને બતાવો જોઈએ ? મેં એને લાકડાના નાના ચોરસ કકડા ઉપર ડિઝનીનું કાર્ટૂન બન્ને બાજુ દેખાડ્યું . તે કુતુહલ વશ થઇ થોડી વાર મારી સામું જોયા કરી . પછી બોલી મારી બેનપણીની હું બોલાવી લાઉં છું . એને પણ બતાવજો . થોડી વારે એની બેનપણી આવી . તે સગર્ભા હતી . તેને મેં લાકડાનો ખાલી ચોરસો બન્ને બાજુ તેને બતાવ્યો . પ્રથમ જાદુ ડિઝનીના કાર્ટૂન વાળું જે છોકરીએ જોયું હતું તે બોલી એને કાર્ટૂન વાળું જાદુ બતાવો . મેં કીધું તું જોયા કર હું બધુંજ બતાવીશ અથરી ન થા . પછી મેં ખાલી કકડો બન્ને બાજુ ફેરવીને બતાવ્યો અને કકડો એની હથેળીમાં મુક્યો અને એના ઉપર એની બીજી હથેળી ઢંકાવી અને એની બેનપણીને ફૂંક મારવાનું કીધું . છોકરીએ ફૂંક મારી અને હથેળી ઊંચી કરી તો બાળકનું ચિત્ર દેખાણું , મને એને પૂછ્યું કે આ ચિત્ર છોકરાનું છે કે છોકરીનું ? પછી મેં એને પૂછ્યું તારે શું જોઈએ છે . દીકરો કે દીકરી તે બોલી મારે દીકરો જોઈએ છે . મેં કીધું ભગવાન તારું કહ્યું નહીં કરે પોતાનું ધાર્યું કરશે . થોડામહિના . અને . પછી મને ખબર પડી તો જાણવા મળ્યું કે એને દીકરી જન્મી છે .
મારો ભાઈ અમેરિકાથી આવ્યો ત્યારે એની પાસે કેટલીક સો સો ની નોટો હતી . મેં એની પાસેથી એક નોટ લીધી . મિત્રોને મેં મારી ડાબા હાથની હથેળી ખાલી હથેળી બતાવી . પછી જમીન ઉપરથી જમણા હાથે કાંકરી લઇ ખાલી હથેળીમાં મૂકી અને ઉપર જે હાથે કાંકરી લીધેલી એ હાથની હથેળી ઢાંકી અને અર્ધી સેકન્ડમાં હથેળી ઊંચી કરી તો સોની નો ટ જોવામાં આવી . મિત્રોને નવાઈ તો લાગી પણ એક સોમનાથ કરીને પોલીસ ક્લાર્કને જાદુ ન લાગતા સાચું લાગ્યું . એ મારે ઘરે આવ્યો . અને મને પગે લાગ્યો . અને કરગરીને બોલ્યો . હિંમતલાલ ભાઈ સાબ હું બહુ ભીડમાં છું . મારા ઉપર દયા કરીને વધારે નહીં તો બે ચાર નોટો તો કરીજ આપો . સોમનાથ ના એક પગનો પંજો ડોક્ટરે કાપી નાખેલો એટલે તે ફક્ત ઓફિસમાંજ કામ કરતો . તેને યુનિફોર્મ પહેરવો પડતો નહીં .
અમેરિકા આવ્યા પછી પણ સર્પ પકડવાના ધંધા ચાલુજ રાખેલા। એક સાયણી કરીને શીખ ડોક્ટરના નજીક સાપ ખુરસી નીચે બેઠેલો જોવા મળ્યો . ડોક્ટરનો ભત્રીજો જસવિંદર સીંગ ને મારી સાપ પકડવાની આવડતની ખબર તેણે મને ફોન કર્યોકે મારા કાકાના ઘરે સાપ છે . તમારી કલાની પણ અમને ખબર પડે , એટલે અમે સરકારી માણસને સાપ પકડવા બોલાવવાના નથી તેમજ સાપને મારવાના પણ નથી . મેં કીધું તું મને તેડીજા તે કહે તમે આવશો ત્યાં સુધી સાપ બેસી રહેશે ? મેં કીધું હું અહીંથી મન્ત્ર મારીશ એટલે હું જ્યા સુધી એને નપકડી નહીં લઉં ત્યાં સુધી એ બેસી રહેશે . મેં તેની પાસેથી જાણી લીધેલું કે સાપ ક્યાં અને કેવી રીતે બેઠો છે . મેં જઈને જોયું તો સાપ બિન ઝેરી હતો . એટલે મેં મારા ખુલ્લા હાથે પકડી લીધો .
જય નાગ બાપા નાગ પકડવાની આવડત હું મારા પરિવારના સભ્યોને પણ શીખવવા માગતો નથી . હું એવી સલાહ આપું છું કે સાપ બિન ઝેરી છે . એવી ખાતરી હોય તો પણ પકડવાનું સાહસ કરવું નહિ . સાપનો કરવો ભરોસો કે એ કરડવાનો નથી
એક મુરખામી નથી તો શું છે બીજું દોસ્તો
નાગડા નિહરને બાર રાફળિયે કીં રૂંધાઇ રયો
તુને મારશું મોરલીયુંના માર . તારી નાળ્યું તૂટશે નાગડા નાગને ને મોરલીને કોઈ સબંધ નથી . નાગ દેખતો નથી તેમ સાંભળતો પણ નથી . અને દૂધ પણ પીતો નથી . વિના કારણ કોઈને કરડતો પણ નથી . નારદ ઋષિની જેમ એને પોતાનું ઘર પણ નથી . એ ગણપતિના વાહનને ખાયને એના ઘરમાં કામ ચલાઉ આરામ લ્યે છે .નાગને અને સુગંધને કાશી લેવા દેવા નથી . તેને સુગંધ ગમતી હોવાથી તે ચંદનના ઝાડને લિપ્તાયને પડ્યો રહે છે . આ બધી કવિઓની કલ્પનાઓ છે . અને રહીમે એક દોહરો બનાવ્યો છે કે
रहिमन उत्तम प्रुकृतिको कहा करि सकत कुसंग
चन्दन विष व्यापे नही लिपटे रहे भुजंग એકજ બેઠકે આ બધું લખી નાખ્યું . આપને 59 વર્ષની ઉંમરના આતાના શારીરિક અને માનસિક બળની ખબર પણ પડી ગઈ હશે .
ભણ્યા નહીં જો લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું . જગતમાં કોઈ નો જાણે જનની ના જણયાથી શું .
पडोशी पहचाने नहीतो जगमे कैसी बड़ाई
साहसिक कोई काम न किया हो मुफ्तमे ज़िन्दगी गवाई …संतो भाई समय बड़ा हर जाई

 

पुनि पुनि चन्दन पुनि पुनि पानी ठाकुर सड़ गए हम कहा जानी

dsc_0045

મુંબઈમાં એક ગુજરાતી વૈષ્ણવ બહુ ધનાઢ્ય અને ધાર્મિક માણસ રહે સૌરાષ્ટ્ર માં એના સગામાં મોટો લગ્ન પ્રસંગ હતો . વરરાજો ઘોડાને બદલે હેલીકોપટરથી માંડવે આવવાનો હતો . આ શેઠના બધાય કુટુંબના સભ્યો લગ્ન માં હાજરી આપવા જવાના હતા . ફક્ત શેઠ પોતે લગ્નમાં જવાના નોતા , શેઠના બગીચાના માળી કે જે યુ પી નો બ્રાહ્મણ હતો . તેણે શેઠને પૂછ્યું .शेठ साब आप लग्नमें क्यों नही जाते ? શેઠે જવાબ દીધો ભૈયાજી હું જો લગ્નમાં જાઉં તો મારા ઠાકોરજી અપૂજ રહે . મારા વિના એની પૂજા કોણ કરે ? ભૈયાજીએ જવાબ દીધો . अरे साब चिंता क्यों करते हो मैं जो हूं मैं ठाकोरजीकी पूजा बराबर करूँगा आप लग्नमें जरूर जाइए શેઠ ઠાકોરને ભૈયાને ભરોસે મૂકીને લગ્ન કરવા ઉપડી ગયા . આ ભૈયો ઠાકોરજીની પૂજાની વાત તો બાજુ પર રહી ઠાકોરજી કે જે શાલિગ્રામ હતા .ચપટો નાનકડો કાંકરો એના સામું પણ નોતો જોતો અરે શાલિગ્રામ વાળી ઓરડીમાં પગ પણ નોતો મુકતો . થોડા દિવસ પછી જ્યારે શેઠ આવવાના થયા તે સવારે ભૈયો શાલિગ્રામ લઈને કૂવે ગયો . અને શાલિગ્રામને ધોવા ગયો . ત્યારે શાલિગ્રામ હાથમાંથી સરકીને કુવામાં પડી ગયા . શાલિગ્રામને કુવામાંથી કાઢવા અશકય હતા . भैये बहु दूरकी सोची તેણે શાલિગ્રામની જગ્યાએ મોટું જામ્બુ (રાવણું ) મૂકી દીધું અને તેના ઉપર ચંદન ચોપડ્યું અને ઉપર ફૂલ મૂકી દીધાં . થોડી વારમાં શેઠ આવ્યા , તેણે ભૈયાને શાલિગ્રામ વિષે સમાચાર પૂછ્યા . ભૈએ જવાબ દીધો . शेठ साब मैंने बराबर पूजा किया मेरा विश्वास आपको न हो तो आप ठाकोरजीसे पूछिए . શેઠ પૂજા કરવા બેઠા . ઠાકોરજીને નવડાવવા ગયા , તો જામ્બુ ચગદાઈ ગયું . શેઠે ભૈયાને બોલાવ્યો . અને પૂછ્યું ભૈયાજી આમ કેમ થયું ભૈયાએ જવાબ દીધો . રામાયણની ચોપાઈની જેમ લલકારીને
पुनि पुनि चंदन पुनि पुनि पानी , ठाकुर सड़ गए हम कहा जानी

ગોવાળિયાઓએ હનુમાન જયંતિ ઉજવી .

183941887

એક દિવસ દેશીંગાના પાદરીયા પિપરા તરીકે ઓળખાતી જગ્યાએ બપોરે ગોવાળિયાઓએ પોતાની ભેંસો બેસાડી સૌ પોરો ખાતા હતા .મારો ભત્રીજો રતિલાલ સ્કૂલમાં વેકેશન હોવાથી ગામડેથી આવેલો . તે પણ ભેંસો બેસાડી વિશ્રાંતિ લેતો હતો અને સૌ સાથે ગામ ગપાટા મારતો હતો .એટલામાં સમેગાના સોમશંકર મહારાજને ઉતાવળે પગે ચાલતા જોયા . જુના વખતમાં પહેરવેશ ઉપરથી જાતિ ઓળખી શકાતી . એટલે ગોવાળિયાઓ સોમશંકર મહારાજને ઓળખી શક્યા કે આ બ્રાહ્મણ છે . એટલે સંસ્કારી અને વિવેકી ગોવાળીયાઓએ મહારાજને ગોરબાપા પગે લાગીએ ગોરબાપાએ જવાબમાં આશીર્વાદ કહ્યા .અને પછી જેમ જતા હતો એ ચાલથી જવા મંડ્યા . ગોવાળિયાઓએ પુચ્છ્યું આમ ઉતાવળા પગે કીની કોર જઈ રહયા છો ? ગોરબાપા કહે કાલે હનુમાન જયંતીની ઉજવણી કરવાની છે એટલે પૂજાપો વગેરે જોઈતી સામગ્રી લેવા કુતિયાણે જાઉં છું , અરે જવાય છે ,આવો બેસો થોડીક અમને જ્ઞાનની વાતો સંભળાવતા જાઓ . ગોરબાપા આવ્યા , અને સૌ સાથે વેકુરમાં (રેતી ) બેઠા . એક છોકરે પૂછ્યું . બાપા અમ ગોવાળિયાઓથી હનુમાન જયંતિ ઉજવાય કે નહીં ? . જરૂર ઉજવાય તો પછી અમે પણ કાલે અહીંજ હનુમાન જયંતી ઉજવીએ , હવે તમે અમને વિધિ કહો . બાપા કહે એક લેમ્બ ચોરસ જેવો પાણકો ધારડેથી લઇ આવવો અને એ હનુમાન છે એમ માનીને જમીનમાં ખાડો ખોદી એમાં પાણકો મુકવો પછી તેલ સિન્દૂરથી પાણો રઁગવો અને ઉપર અડદના દાણા મુકવા આંકડાના ફૂલની માળા હનુમાન ને પહેરાવવી કોડિયામાં ઘીનો દીવો મુકવો . અને બીજો દીવો થાળીમાં મૂકી આરતી ઉતારવી શ્રીફળ સાકરનો ભોગ ધરવો અને એનો પ્રસાદ સૌએ ખાવો અને બીજા સૌને પણ ખવડાવવો લો આવી રીતે હનુમાન જયંતિ ઉજવવાની આ વિગત કહીબાપા એ વિદાય લીધી .ગામના વેપારી પોલાકાકાના દીકરા રુઘાને કીધું કે તું તેલ સિંદૂર લઇ આવજે . રુઘો વેપારીનો દીકરો એ બોલ્યો એકલો હું તેલ સિંદૂર નાળિયેર સાકર વગેરે લઇ આવું નતો એકલા મનેજ પુણ્ય મળે , માટે તમે પણ સૌ આરીતે ભગવાનને વસ્તુ ચડાવો તો તમને પણ પુણ્ય મળે , માટે કાલે હું તેલનો ડબો શ્રીફળનો કોથળો ભરી લાવીશ અને એ બધી વસ્તુ વ્યાજબી ભાવે હું વેંચીશ સૌ ખરીદજો . રતિલાલ બોલ્યો . હું પૂજારી તરીકે કામ કરીશ ,એટલે મને પણ દાન દક્ષિણા આપવા માટે પૈસા પણ લેતા આવજો .બીજે દિવસે ચોરને કાંધ મારે એવે ટાણે ખરે બપોરે હડમાનદાદાની જન્મ જયંતી ઉજવવી શરુ થઇ રતિલાલ ઘરેથી ખાલી બોઘરું લઇ ગયેલો . હડમાન જતીને તેલ ચડાવવા ગોવાળિયા આપે એ તેલ થોડુંક ચડાવે અને બાકીનું તેલ રતિભાઈ બોઘરામાં ઠાલવી લ્યે . એવીરીતે નાળિયેર વધેરવા આપે એ નાળેયર રતિભાઈ એક ગોળ પથ્થરો લઇ ગએલા એના ઉપર ફોડે એટલે નળયેરના બે ભાગ થઇ જાય એમાંથી અમદાવાદના કેમ્પના હનુમાનના પુજારીની જેમ અર્ધું નાળિયેર રતિભાઈ પોતે રાખે અને અર્ધું નાળિયેર જેનું હોય એને આપે . અને સાકર અર્ધીથી જાજી રતી ભાઈ પોતે રાખીલ્યે . આમ બહુ ઠાઠથી હનુમાન જયંતી ઉજવી અને સાંજે સૌ પોત પોતાને ઘરે ગયા . રતિલાલ તેલનું ભરેલું બોઘરું અર્ધા નાળિયેર ભરેલો કોથળો અને સાકરની ભરેલી થેલી લઈને ઘરે આવ્યો . મારી માએ કીધું આટલી બધી હનુમાન દાદાના નિમિત્તની વસ્તુ ઘરે લાવ્યો . એટલે હનુમાન દાદા કોપાય માં થશે , રતિલાલ કહે એ સાચુકલા હનુમાન નોતા પથ્થરના અમે બનાવેલા હતા . બોલો સારંગપૂર વાળા હનુમાન દાદાની જય . જેમ રાતીભાઈને હનુમાન દાદા પ્રસન્ન થયા એમ આ કથા વાંચનાર સૌને પ્રસન્ન થાય એવી મારી શુભ ભાવના

ડાહ્યા માણસોનું કહેવાનું છે કે ભૂતકાળ ભૂલી જાઓ .

20161009_145303.jpg

મારા જેવા ગાંડા માણસનું માનવું છે કે ભૂતકાળની દુ :ખ દાયક વાતો ભૂલી જવી પણ , પોતાને આનંદ થાય એવી ભુત કાળની વાતો યાદ કરવી જોઈએ , અને વૃદ્ધાવસ્થામાં ખાસ લખીને કે એકલા એકલા વાતો કરીને પણ આનંદ મેળવીને પ્રફુલ્લિત રહેવું . તો વાંચો આતાના ભૂતકાળની વાતો અને તમે પણ પ્રફુલ્લિત થાઓ .
હું આર્મીમાંથી છૂટો થયા પછી મને સંસ્કૃત ભણાવનારા બે વિદ્વાનોમાંનાં એક હતા બિહારના મૈથીલ બ્રાહ્મણ અને બીજા હતા બરડાઈ બ્રાહ્મણ
મૈથીલ બ્રાહ્મણ ન્યાય શાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાન હતા . તેઓ પંડિતજી તરીકે ઓળખાતા જ્યારે બરડાઈ બ્રાહ્મણ ગુરુજી તરીકે ઓળખાતા , પંડિતજી કાલિદાસ , ભવભૂતિ , માઘ .જેવાના કાવ્યો અને પાણિનીનું વ્યાકરણ વગેરે શીખવતા ગુરુજી સંધ્યા વંદનાદિ કરવાનું જયશંકર મહિમ્ન વગેરે સ્તોત્રો અને સત્યનારાયણની કથા ,ભાગવત કથા શ્રાદ્ધ લગ્ન વિધિ વગેરે શીખવતા .
મારા બાપાએ મને સંસ્કૃત ભણવા માટે જ્યારે મુક્યો . ત્યારે એવું કીધેલું કે મારા દીકરાને સંસ્કૃતના વિદ્વાન થવું છે . નહીકે દેવતાઓના પૂજન કરવાની લગ્ન કરાવવાની પિતૃઓના સ્વર્ગમાં ગયેલાઓનું કલ્યાણ કરવા ભગવદ સપ્તાહ ગરુડ પુરાણ . વાંચવા વગેરે યજમાન વૃત્તિ કરવાનું ભણવાનું નથી . એવો ધંધો તો મારા વડવા કાનજી બાપા મૂકીને આવ્યા છે . અને મુસલમાન દરબારની નોકરી કરતા અને હું પણ મુસલમાન દરબારની નોકરી કરું છું .
પ્રારંભમાં સંધ્યા વંદનાદિ શીખવા , પ્રાણાયમ વગેરે યોગ શીખવા ગુરુજી પાસે મુક્યો . મેતો ત્રણેક મહિનામાં આ બધું શીખી લીધું . આ બધું આશ્રમના કાયદા પ્રમાણે શીખવું ફરજીયાત હતું .આ બધું ભણી લીધા , પછી હું પંડિતજી પાસે ભણવા ગયો . અને સંસ્કૃત વ્યાકરણ શીખવા શુભારંભ કર્યો .
नत्वा सरस्वती देवीम शुद्धधाम गुण्याम करोमि हम
पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदी
પંડિતજી પાસેથી હું સમર્થ તત્વવેત્તા બૃહસ્પતિ વિષે ઘણું જાણી શક્યો .
હવે હું ગુરુજી વિષે વાત કરું છું .
ગુરુજીને પોતે કૈંક વિશેષ છે . એવો દેખાડો કરવાનો શોખ ખરો . પોતે આશ્રમ બહાર ના રોડ નજીક ખૂણે ખાંચરે પેશાબ કરવા જાય , ત્યારે ચા પીવાનો પિત્તળનો કપ પાણી ભરીને સાથે લઇ જાય કે જેનાથી પેશાબ કર્યા પછી ધોઈ શકે , બીજા કોઈ આશ્રમ વાસી પેશાબ કરીને ધોતા નહીં અને પેશાબ પણ આશ્રમની અંદરના મેદાનમાં ક્યાંક ખૂણે ખાંચરે કરી લ્યે .
ગુરુજી પોતે મન્ત્ર તાંત્રિક વિદ્યા , જાત જાતના રોગોની ઔષધિ જાણવાનો પણ દાવો કરતા . જ્યોતિષ , હસ્ત રેખા . અનેક પ્રકારના તેલ પણ બનાવી જાણતા સ્ત્રીઓની રાશિ જોઈ તેને કેવા પ્રકારના તેલથી વાળ વળશે એવું પણ જાણતા થોડીક જાદુ જેવી ટ્રીકો પણ જાણતા મેલી વિદ્યા દૂર કરવાના જાપ પણ કરતા . આંકડાના ફૂલની ચટણી બનાવતા અને અમને સૌ વિદ્યાર્થીઓને ખવડાવતા પણ ખરા . પ્રાઈમસ ચલાવવાનો જાદુ જાણતા પ્રાઈમસ કઈ વસ્તુ છે , એ ઘણા મોટી ઉંમરના માણસો જાણતા હશે . જાદુની વ્યાખ્યા આપને કહું તો જોનારની નજરને ભુલાવવામાં નાખવાની આવડત એનું નામ જાદુ . પ્રાઈમસ ગુરુજી એવી રીતે ચલાવે કે જોનારા માણસોમાંના બેત્રણ માણસોની આંગળીઓ પ્રાઈમસ ઉપર મુકાવે અને પોતે પણ પોતાની આંગળીઓ પ્રાઈમસ ઉપર મૂકે ,અને પછી પોતે બોલે કે ચાલ એટલે પ્રાઈમસ ચાલવા માંડે . મેં એ ટ્રિક ગુરુજીની પકડી પાડી , પણ મેં મનમાં રાખી . ગુરુજીની પોલ ખોલી નહીં . ગુરુજી બોલ્યા પૂર્વ દિશામાં જા અને પ્રાઈમસ પશ્ચિમ દિશા તરફ ચાલવા માંડો સમજી ગયાકે આ કારસ્તાન હિમ્મતલાલના છે . મેં આ રીત મારા મિત્ર પ્રાણશંકર ને શીખવી . પછી ગુરુજી પોતે પ્રાઈમસ ઉપર આંગળીયો ન મૂકે કેમકે મારી આંગળીયો પ્રાઈમસ ઉપર હોય એટલે ગુરુજીને દૂર રહ્યે રહ્યે બોલવાનુંજ રહે . અને પ્રાઈમસ ચાલવા માંડે . મેં એક વખત ગુરુજીને કીધું કે ગુરુજી હવે હું નહિ હોઉં અને પ્રાણશંકર હશે તોપણ પ્રાઈમસ ચાલશે
એક વખત ગુરુજી પાસે મુહૂર્ત કઢાવવા એક માણસ આવ્યો . આ માણસ કઈ જાતિનો હતો એ મારે કહેવું નથી . કઈ જાતિનો હોઈ શકે એ આપ સમજી શકશો . ગુરુજીને મુહૂર્ત કઢાવવાની વાત કરી , એટલે ગુરુજીએ ટીપણું કાઢ્યું . મુહૂર્ત કઢાવવા આવનારે ટીપણાના ઉપર સવા રૂપિયો મુક્યો . ગુરુજીએ પૂછ્યું તું શું ધંધો કરે છે . ? તે બોલ્યો બાપુ હું પુરુષોમાં શક્તિ આવે એવા પ્રકારના તેલ બનાવું છું . ગુરુજી કહે મને તું કહે તું શેમાંથી તેલ બનાવે છે . હું પણ ઘણી જાતના તેલ બનાવું છું . તે બોલ્યો બાપુ આ પ્રશ્ન ન પૂછો તો સારું . કેમકે આ ઉત્તર તમને આપવા જેવો નથી . છતાં ગુરુજીએ આગ્રહ કર્યો એટલે કીધું બાપુ હું સાંઢાનું તેલ બનાવું છું . ગુરુજી વટમાં આવી ગયા , અને બોલ્યા અરે સાંઢાનું તેલ તો હું પણ બનાવું છું . સાંઢા વાળો બોલ્યો . બાપુ તમે ભરમાંના પુતર તમારાથી નો બનાવાય અમે કાટીયું વરણ કહેવાઈએ . અમે બનાવીયે ગુરુજી કહે દેખાડ તારો સાંઢો અને ઓલાએ સાંઢો થેલીમાંથી કાઢ્યો . જોઈને ગુરુજી પોતડી પકડી ને જાય નાઠા .
એક વખત મેં ગુરુજીને પૂછ્યું . ગુરુજી તમે પેશાબ કરવા જાઓ છો ત્યારે ઘરેથી નીકળતી વખતેજ કેમ કાને જનોઈ ચડાવી લ્યો છો ? જનોઈતો પેશાબ કરતી વખતે ચડાવવાની હોય . ગુરુજી નિખાલસ પણે બોલ્યા . ક્યારેક હું વાતુએ ચડી જાઉં છું , ત્યારે મુતરણી લાગી છે એ ભૂલી જાઉં છું . એટલે કન્ટ્રોલ રહેતો નથી એટલે મુતરી પડાય છે। એટલે કાને જનોઈ ચડાવી રાખી હોય ,
તો પાપમાં નો પડાય . બોલો સૌ સૌના ગુરુની જય

पंजाबी भाषामे एक श्रीमद भगवद्गीता काव्य

image

उपदेश जो अपनी गीतादा समझाया गीता वालेने
अगियानंदा पर्दा जोसी पड़ा सो हटाया गीता वालेने
सच जाण तू आत्मा मरदा नहीँ . इसे शस्त्र क़तल को करदा नही आग पानी हवा कोलूँ डरदा नहीँ समझाया गीता वालेने
ये दुनिया चलदी आई है , ना कोई बाप ते माई है
ना कोई भेंण ते भाई है समझाया गीता वालेने
ये दुनिया मैंने बणाई है हर पल्ले मेरी माया है पशु पंछी बशर बणाये है . समझाया गीता वालेने
जदां अर्जुन अरजां करिया सी दुनियादे भय कोलू डरिया सी जेड़ा धनुष ज़मीनते धरिया सी सो फड़ाया गीता वाले ने
हठ अरजुन्दा लिया देख जदूं सीरी कृष्णजी
हटने वाले कदूँ अर्जुननूं रूप विराट तदूँ
दिखलाया गीता वाले ने
संग मेरे प्रेम लगावे गया वो खोफ किसेतुं न खावेगा बेशक मूगतिनुं पावेगा समझाया
गीता वालेने
सीरी करसंदी जय
આ કવિતામાં ભૂલ હોય તો ભૂલ સુધારવા અને મારું ધ્યાન દોરવા કૃપા કરશો . આતા ના જય સ્વામી નારાયણ

પુત્રી પ્રેમનો ઉછાળતો મહાસાગર છે પણ ?

omanimalkingdom-lifetree

સંસ્કૃત ભાષાના આદિ કવિ વાલ્મિકી ઋષિ વિષે આપ સૌ જાણો છો .એમણે જે છંદ બનાવ્યો . એ સંસ્કૃત ભાષાની પહેલી કવિતા તરીકે પ્રસિદ્ધિ પામી .એ અનુષ્ટુપ છંદ લખું છું .
मा निषाद प्रतिष्ठांत्वम ,गम्य:शाश्वति समा:
यत कौंच मिथुनादेक ,मवधि:काम मोहितं
આ છંદમાં વ્યાકરણમાં મારી કદાચ ભૂલ પણ થઇ હોય , તો આપ મારી ભૂલ તરફ મારું ધ્યાન દોરવા કૃપા કરશો . મારી ભૂલો આપ કાઢશો એ બાબત મને જરાપણ માઠું નહીં લાગે બલ્કે હું ખુશી થઈશ .
આ મારા આર્ટિકલમાં મારી ભેજાની નીપજ પણ હશે .એને આપ ભૂલ નહીં ગણતા કેમકે કવિઓ ગપ મારતાજ હોય છે . જોકે હું આછો પાતળો આપ જોડિયાં બનાવનારો કવિ ગણવો હોય તો ગણી શકાય ખરો . મોટા ગજાનો કવિ નથી .
વાલ્મિકી લૂંટ ફાટ કરનારા અનાર્ય હતા . પણ નારદ ઋષિના સત્સંગથી ઋષિ બની ગયા . આ ઉપરથી આપણે એટલું સમજવાનું કે ઋષિ હોવું એ એકલા બ્રાહ્મણોનોજ ઈજારો નોતો
जन्मना जायते शुद्र એવું કોઈક સંસ્કૃત વાક્ય છે . મતલબકે જન્મથી બધા અજ્ઞાનીજ હોય છે . પણ પછી પોતાની આવડત પ્રમાણે વર્ણાશ્રમ નક્કી થતો . પણ પછી સમય બદલાયો બ્રાહ્મણોની જોહુકમી વધી એટલે જન્મ પ્રમાણે જાતિ નક્કી કરી નાખી . બ્રાહ્મણ ને ત્યાં જન્મ્યો હોય એનામાં ભલે બ્રાહ્મણ પણાંનો છાંટો ન હોય પણ એ બ્રાહ્મણજ કહેવાય ,હમીર ભાઈ મને વાત કરતા હતા . કે આ રામશંકર મારાજને જુથિયો કુંભાર પોતાના ગધેડાં
ચરવા નો રાખે પણ ઈ ભામણ એટલે અમારે ઈના દોરાવ્યા દોરવાવું પડે .
લૂંટારુ વાલ્મિકી ને હડફેટે નારદ ઋષિ પડ્યા . વાલ્મીકિએ નારદ ઋષિને કીધું કે તારી પાસે જે કંઈ હોય એ મને આપીદે નારદ ઋષિ કહે મારી પાસેતો આ તમ્બૂરો (વિણા છે) આલે તારે જોઈએ તો લઈજા વાલ્મિકી બોલ્યો હું કંઈ માગણ ભિખારી નથી . કે એમને એમ લઇ લઉં હું તો તુને મારીને લઈશ . નારદ ઋષિએ વાલ્મિકીને કીધું કે તું આવા અધમ કાર્યો શાના માટે કરે છે . વાલ્મિકી કહે હું મારાં કુટુંબના સભ્યોના પાલણ પોષણ માટે કરું છું . નારદ ઋષિએ કીધું કે જેના માટે તું આવા ધંધા કરે છે . એ લોકો તારા માટે કશું કરવાના નથી . વાલ્મિકી કહે એવું તે કદી હોતું હશે . હું ઘરડો થઈશ ત્યારે મારા લાડ લડાવશે . મારો પડ્યો બોલ ઝીલશે . અને જરૂર પડ્યે પોતાનો પ્રાણ પણ મારા માટે ન્યોછાવર .કરે એવા મારા પુત્રો છે . નારદ ઋષિ કહે એતો તારી માન્યતા છે . બાકી એ લોકો તારા માટે કશુંજ કરવાના નથી બોલ તારે ખાતરી કરવી છે .? વાલ્મિકી કહે હા નારદ ઋષિ કહે તો તું તારે ઘરે જા અને હું સખત બિમાર છું . એવું કહીને તું ખાટલા ભેગો થઇજા અને રામ નામનો જાપ જપવા માંડ થોડી વારમાં હું તારે ઘરે આવું છું . વાલ્મિકી બોલ્યો ઋષિ તમે આવા મહાત્મા થઈને મને જૂઠું બોલતા શીખવો છો? નારદ કહે ક્યારેક શુભ કાર્ય માટે જૂઠું બોલવામાં વાંધો નથી .
વાલ્મિકી પોતાને ઘરે પહોંચ્યો . અને નારદે કહ્યા પ્રમાણે બીમાર છું . એવો ઢોંગ કર્યો . નારદ ઋષિએ કીધેલું કે તું રામ રામ નો જાપ કરતો પડ્યો રહે જે વાલ્મીકિએ ભૂલ કરી .અને રામ રામ કહેવાને બદલે મરા મરા કહેવા મઁડી ગયો . આ બાબતની સંત તુલસી દાસે ચોપાઈ લખી છે કે
उल्टा जपत सोई પદ जाना .वाल्मीकि भये पर ब्रह्म समाना
एक दोहा है की
तुलसी सीतारामको रीझ भजोके खीज
उल्टा सुलटा बोइए ज्यों खेतरमे बीज . થોડી વારમાં નારદ ઋષિ વાલ્મિકીને ઘરે આવી પહોંચ્યા . વાલ્મિકીના દીકરાઓએ નારદ ઋષિને વિનંતી કરી કે મહાત્મા મારા બાપા અચાનક સખત બીમાર પડી ગયા છે . એનો તેઓ સાજા સારા થઇ જાય એવો કોઈ મંત્ર કે ઔષધિ છે . તમારી પાસે ? નારદ ઋષિ કહે હા હું તમને પાણી મન્ત્રીને આપું છું ,આ પાણીનું પાત્ર તમે તમારા પિતાના શરીર ઉપર ફેરવીને પછી તમારા ચાર ભાઈ માનો એક ભાઈ પીજાય એટલે તામ્ર પિતા સારા થઇ જાય ‘પણ મન્ત્રેલું પાણી પી જનારો મૃત્યુ પામે . નારદ ઋષિની વાત સાંભળી વાલ્મિકીના દીકરાઓ એ વિચાર કર્યોકે બાપા મરીજાય તો ભલે એમની આપણને હવે જરૂર નથી . આપણે હવે એના આશ્રિત નથી . આપણે હવે જુવાન છીએ આપણે આપણો ઘર વહેવાર બરાબર ચલાવી શકીએ એમ છીએ . અને બાપો મરી જાય તો
“ઝાડ ભાંગ્યું અને જગ્યા થઇ ” આ વાત સાંભળી વાલ્મિકીની જુવાન દિકરી આવી અને નારદને કીધું તમે મને મંત્રેલું પાણી આપો . હું પી જાઉં છું . ભલે હું મરી જતી . પણ મારા વ્હાલા બાપ ને જીવંત દાન મળતું હોય તો હું મારું બલિદાન આપવા તૈયાર છું . અને આ મારા બલિદાનને હું મારુ હો ભાગ્ય સમજીશ. આ છે . દિકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ . મેં એક વાત જાન્યુઆરી 25 2012 ના દિવસે પુત્રીનો પિતા પ્રત્યેનો અલૌકિક પ્રેમ વિષે લખી છે . તે વાંચવા કૃપા કરશો તેનું શીર્ષક છે .
“ઇસ્લામ ધર્મ ઉત્પ્ન્ન થતાં પહેલાં ”
એક ત્રણ દીકરીયુંના બાપ ની પત્ની મૃત્યુ પામી . એને દિકરો નહોવાથી દિકરો પૈદા કરવા માટે બીજી પત્ની કરવાની ઈચ્છા થઇ . કેમકે જો દીકરો ન હોય તો પોતાના મૃત્યુ પછી કાગડાને વાસ કોણ નાખે તો પોતે સ્વર્ગમાં ભૂખે મરી જાય .
ગુજરાતમાં ઘણી જ્ઞાતિઓમાં દીકરીને ઘણો કરિયાવર આપવો પડે દહેજ આપવું પડે . જયારે અમારી બાજુ કન્યાના બાપને પૈસા આપવા પડે તો ગગો લાડી લાવી શકે . આ રિવાજ પટેલ જ્ઞાતિમાં પણ ખરો . મારા બાપા પાસેથી મારા સજ્જન સસરાએવર (આ આતાવાણી વાળા આતા ) જોયા પછી ઓછા પૈસા લીધેલા .
ઉપર કહ્યા પ્રમાણેના ત્રણ દીકરીયુંના બાપને પરણવાના કોડ જાગ્યા . એને પોતાના માટે બાયડી ની શોધ આદરી પણ ક્યાંય મેળ પડતો નોતો એમાં એને એક લબાડ દિકરાનો બાપ મળ્યો .આ બાપને પોતાની જુવાન દિકરી હતી . પણ એ દિકરી માટે એ વધુ પૈસાની માગણી કરતો હોઈ દિકરીનો મેળ પડતો નોતો . એને આ દિકરાની ભૂખ વાળો ગરજાઉ માણસ મળ્યો . એ દિકરીના બાપે શરત કરી કે જો તું તારી દિકરીને મારા દિકરાને પરણાવે તો હું મારી દિકરીને તારા વેરે પરણાવું . આ લબાડ વર પોતાને પસંદ નોતો
પણ પોતાના બાપનું ઘર બંધાતું હોય પોતે ભોગ આપવા તૈયાર થઇ ગઈ . આ છોકરી સાથે મારી સગાઈ કરવા માટે મારા બાપે વાત કરી . છોકરીના બાપને મારા બાપાએ વાત કરીકે તમે મારે ઘરે પધારો અને ઘર અને વર બન્નેને જોઈ લ્યો પછી તમને યોગ્ય લાગે તો આપણે પૈસા બાબત વાતો કરીયે . મારી ઉંમર 16 વર્ષની હતી .અને છોકરીની ઉંમર 14 વરસની હતી . કન્યાના બાપે કીધું કે તમે તમારા દિકરાને લઈને અમારે ઘરે આવો એટલે અમારા સગા વ્હાલા છોકરાને જોઈ લઈએ . મારા બાપા કબૂલ થયા . અને મને તેડીને કન્યાના બાપને ઘરેગયા . કન્યાને જોઈ કન્યાગૌર વરણી નાકે નેણે નમણી હતી . છોકરીએ મને જાવડ . ભાવડ જોઈ લીધો .
जो है पर्देमे पिन्हां चश्मे बिना देख लेती है
ज़मानेकी तबियतका तकाज़ा देख लेती है સુકન્યાતો આ સુવર ને જોઈ શકી પણ આ સુવર ને સુકન્યાને જોવાનો મોકો નો મળ્યો . પણ ભોળા શંભુએ કૃપા કરી એટલે 60 સેકન્ડ માટે છોકરી મને મળી . અને મને કીધું કે તુને હું કેવી લાગી ? મેં કીધું કે તું રૂપ રૂપનો અંબાર છો . મને બહુ ગમી . મને પણ તું બહુ ગમે છે હવે સગાઈ થવા ટાણે ફરી નો જતો . પણ સુકન્યાના બાપે આ સુવર ના બાપ પાસે વધુ પૈસાની માગણી કરી જે મારા બાપના ગજા ઉપરવટ હતી . એટલે સગાઈ નો થઇ . આ છોકરીને પરણાવી અને છોકરીનો બાપ પોતાની દિકરીની નણંદ સાથે પરણ્યો . પણ છોકરીને વર નો ગમ્યો .એટલે તે પોતાના બાપને ઘરે આવી . પોતાની નવી માં જે પોતાની નણંદ હતી . તેને પોતાના ભાઈને તરછોડીને આવેલી પોતાની ભાભી કેવી રીતે ગમે ? એટલે પોતાની નવીમાના મેણાં સાંભળવાપડે અને દરરોજ ઘરમાં કંકાસ થાય . છોકરીનો કાકો કે જે પોતાનાથી હલકી જાતની બાયડીને પરણેલો એને ત્યાં આ છોકરીને મોકલી આપી . છોકરીની કાકી વૈશ્યાલય ચલાવતી હતી . આ છોકરીનો ઉપયોગ વૈશ્ય તરીકે થવા લાગ્યો . કાકાને પોતાની ભત્રીજી તરફથી થતી આવકી ગમવા લાગી . છોકરીને એક માણસ કાયમ લઇ જતો એક દિવસ આ માણસે છોકરીના કાકાને વાત કરી કે મને આ છોકરી કાયમ માટે આપી દ્યો બોલો કેટલા પૈસા આપું ? છોકરીના કાકાની માંગણી પ્રમાણે પૈસાની હાપાડી અને છોકરીને એક રાત્રે લઇ ગયો અને છોકરીને કીધું કે હવેથી તું મારી પત્ની છો હવે તુને વૈશ્યા માંથી મુક્તિ મળી . હવે આ ઘર તારું છે તારા આવા કાકાને કે જેણે પોતાની સગી ભત્રીજીનો વૈશ્યા તરીકે ઉપયોગ કર્યો અને આખર વેચી મારી મેને તું પૈસા અપાવવા માગે છે ? હવેતો આ તારું ઘર છે . અને આ માણસ છોકરીને લઈને દૂર જતો રહ્યો . કે જેનો કોઈ પત્તો નથી . એના સ્વજન સિવાય કોઈને
ૐ શાંતિ શાંતિ શાંતિ :

આમને ઓળખો છો?

aataa_2

ના ઓળ્ખ્યા ને?

નેચે જાઓ..

 

aataa

 

ભીખારી

‘હાસ્ય દરબાર’ પર પ્રસિદ્ધ થયેલ આ સમાચાર – લેખ તમને જરૂર ગમશે.

હાસ્ય દરબાર

      ક્રોસિંગ પાસે લાલ સિગ્નલ લીલો થવાની રાહ જોઈને કાર ઊભી છે. એક ભીખારી છોકરી એના નાગા પૂગા ભાઈને આંગળીએ વળગાડી ઓશિયાળા ચહેરે અને દયામણા અવાજે ભીખ માંગે છે.

આપણે  એને એક રૂપિયો આપીશું?
( હવે ચાર આઠ આનીનો જમાનો નથી !)

આપણે તો આમ જ વિચારવાના –

  • આપણે આપેલ રકમમાંથી એના શરાબી બાપને બોટલ મળી જશે.
  • એને ભીખના કામમાં જોતરનાર ગુંડાના હાથમાં આ રકમ જવાની અને અન્ડરવર્લ્ડ વધારે માલેતુજાર થવાનું
  • કિશોર ભીખારી હોય તો નશાકારક ડ્રગના સેવન માટે એ રકમ વપરાવાની
  • સમય જ ક્યાં છે, નહીં તો એને હોટલમાં લઈ જઈને થાળી ખવડાવત

અને……

સિગ્નલ લીલો અને આપણે  વિદાય !

પણ વિશા સચદેએ  આ ઉકેલ શોધી કાઢ્યો…

gluco આ ફોટા પર ક્લિક કરો અને વિગતે વાંચો.

    એની કારમાં વિશા હમ્મેશ આવાં પેકેટ રાખે છે.  એટલું કરીને વિશા અટકી ના ગઈ. વિશાએ ૨૭ સપ્ટેમ્બરે ટ્વિટ કર્યું અને ….

  • ૧૮૭૪ જણે રિટ્વિટ કર્યું.
  • ૩૦૪૮ જણે ‘લાઈક’ કર્યું.
  • ઘણા…

View original post 41 more words

जहां तक हो आताश्री दिलमे रख आला खयालोको हसद मगरूरी दिलमेंसे निकल देनेके काबिल है

att_1475717840700_paul_wine

best-sakura-wallpaper

1415619429535_wps_40_c8dt40_handful_of_black_g

ज़ेरे लिखी गई नग़मा लिखने वाला नाजां सोलापुरी है नग़मा का अर्थ होता है गीत और नाजां का अर्थ होता है घमंडी अभिमानी
न हरममे न सुकूँ मिलता है बुतखानेमे चैन तो मिलता है साक़ी तेरे मय खाने में . हराम = क़ाबा ,मस्ज़िद ///बुतखाना = मूर्ति घर , मन्दिर सुकूँ = आनंद प्रमोद /// साक़ी = शराब पिलाने वाली // मयखाना = मदिरालय
आज अंगुरकी बेटीसे मुहब्बत करले
शेख साहबकी नसीयतसे बग़ावत करले
अंगुरकी बेटी = शराब //नसीयत = उपदेश // बग़ावत = बलवा गद्दर . ///
इसकी बेटीने उठा रख्खी है सर पर दुनिया
येतो अच्छा हुवा अंगूरको बेटा न हुवा
कमसे कम सूरते साकीका नज़ारा करले
आके मैखानेमें जीनेका सहारा करले
सूरते साक़ी= साकीका चेहरा // नज़ारा = दृश्य
आँख मिलतेही जवानीका मज़ा आएगा
पितो अंगूरके पानीका मज़ा आए गया
मौसमे गुलमे तो पिनेका मज़ा आता है
पिने वालोकोही पिनेका मज़ा आता है
आ इधर झुमके साकीका लेके नाम उठा
देख वो अब्र उठा तूंभी ज़रा जाम उठा
अब्र = बादल /// जाम = शराबक प्याला
पीनेवाले तुझे आजाएगा पिनेका मज़ा
इसके हर घूंटमें पोशीदा है जिनका मज़ा
पोशीदा = छिपा हुवा
इसको पीनेसे तबियतमे रवानी आये
इसको बूढा भी , जो पिले तो जवानी आये ,
रवानी = प्रवाह , खून दौड़ने लगे
इसके हर घूंटमे “नाजां ” है निहां दरिया दिली
इसको पीनेसे आता होती है इक ज़िंदा दिली
निहां = गुप्त //दरियादिली = विशाल हृदय
नाजां = शायरका नाम है जिसका अर्थ नहोताहै . घमंड अभिमान /// ज़िंदा दिली = खेल दिली
किसी समझदार शायरका कहना हैकि …
शराब खुदही शराबीका खून पीती है
शराबीओंसे जाके पूछो क्या उस पर बीती है
सायगल , राज कपूर , खन्नाने अच्छी इज़्ज़त कमाई
मयकश होजानेके सबबसे अपनी जान गंवाई ….संतो भाई समय बड़ा हरजाई
मयकश = शराबी
इस्लाममें शराब पीनेकी मनाई फ़रमाई गई है . हिंदुओंकी कायदाकी बुक मनु स्मृति में लिखा है की शास्त्रोमे पांच महापाप बताये गए है , जिसमे एक पाप शराब पीना है और दूसरा पाप शराबीकी पांच साल तक सतत संगती करने वाला भी पापका भागीदार है पापी है . खुदा खैर करे और सबका पाप क्षमा करे