Monthly Archives: માર્ચ 2012

કવિ દલપતરામનો છપ્પો

કવિ દલપતરામનો છપ્પો  કવિ દલપતરામે છપ્પા બનાવ્યા હોય એવું યાદ નથી .કવિ શામળદાસ છપ્પા તરીકે જાણીતા ,હું છપ્પો આપની આગળ રજુ કરું છું તે એક  અપવાદ ગણાય .પણ  છપ્પો  કોયડા જેવો છે .આ છપ્પામાં  કવિએ પ્રશ્ન અને ઉત્તર બેય આવી જાય છે .એવી રચના કરી છે.
શ્રીફળમાં શું હોય   દગો કરતાં શું હારે             એક જવાબ તમને તમને સહેલું રહે એમાંટે   આપું છું . શ્રીફળમાં શું હોય કે કોપરું
અધિક ગામડા માય  લહે કોણ પદવી ભારે
મટે નહિ તે કોણ પરમ સુખ સૌ થી શું છે
દાટી આદ્ય ને અંત  તહાં જે નામ રહ્યું છે
વાચા અવિચલ એ દેવ છે  રાખી રેમ  નજર  રહે
દન દન પદ આદિ વરણ  પર મધ્ય વરણ કવિ જન કહે
હવે આનો સાચો જવાબ આપવા આપ સહુને હું વિનતી કરું છું.જો આપી શકો. તો આતા તરફથી શાબાશી, અને નો આપી શકો તો બે દિવસ પછી હું જવાબ આપી દઈશ  રાજી ?

અપ્રિલ ૧૫ ૨૦૧૧ ૯૦મા જન્મ દિવસની પાર્ટી

i
માનનીય પુ. વડીલ શ્રી હિંમતકાકા  જન્મ દિવસની વધાઈ

જેમ ગંગાની જળરાશીના વહેણબારેમાસ ,જેમ કચ્છડો બારેમાસ, નાયગ્રા ધોધનો ઘુઘવાટબારેમાસ તેમ   અમારા अताई “वडिल श्री હિંમત કાકાનો મેહકતો માહોલ બારેમાસ
એમના ક્ષન ભર ના સહવાસમાં અનુભવીએ  કળાયેલ મોર સમાન  સુંદર રંગોની સજાવટ કલ્પનાસંગીની  કાવ્ય રચના ,શાયરી,ભાવ ભરેલાં લખાણો,તો સૌના દિલને બહેવલાવતા  હસ્યભારપુર   ,જોક્સનો  ખજાનો .
માતબર  જીવનની આ સફરમાં સંસારના અનેક સુખ દુ:ખ ,તડકો છાયડો અનુભવતાં પોતાની હૈયાસુજ  અને કામ કરી છૂટવાની ધગશના કારણે અનેક કસોટીમાંથી પસાર થઇ ,પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ બજાવતાં ,જીવનમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરનાર હિંમતકાકાનું  ઉદાહરણ પ્રેરણા દાયક છે .
શાયરી ,શબ્દ,અને સૂરનો સુમેળ સાધનાર ટહુકતા મીઠા માનવી  હિંમત કાકા એ મંઝીલ પાર કરી સાહસ સાથે આત્મબળના આધારે ક્રમબદ્ધ  શિક્ષન   ન lમેળવતા   છતાં એક અભ્યાસી  બની પોતાની આગવી સમાજ અને હોશિયારીના  કારણે આજે પણ એમની આંખોમાં ચમક અને દિલની ઝમકનો ઝંકાર  રણકે છે.   શાયરીના બોલ કે લખાણ લખાય  ત્યાં એમના જીવન ના અનુભવોનો નીચોડ  ચીતરાય  જે ઉદાહરણ રૂપ છે .
સ્વભાવે સાલસ ,આનંદી ,ઉત્સાહી ,પ્રેમાળ ,માયાળુ માનવીએ  તેમની ધર્મ પત્ની ભાનુબેન ની અંતસમય સુધી તન,મન,ધન થી સેવાકરી  અને ચીર વિદાય આપી .
આજે એમની ૯૦મી  વર્ષ ગાંઠ નિમિત્તે  શુભેચ્છાનો ગુલદસ્તો પાઠવતાં મન ગોરવ અનુભવે છે. જીવનમાં ભલે પાન ખર પરંતુ મન ની વાડીએ સદા વસંતની મેહફીલ માણો  એવી અભ્યર્થના સહીત  જન્મ દિન મુબારક   લી. હિતેશ +મીતા

ઉર્દુ ભાષા વિષે

ઉર્દુ ભાષા વિષે
ઉર્દુ ભાષા એ કોઈ એક જાતિ કે ધર્મ વાળાઓની ભાષા નથી .એ ભારતમાંજ મુસલમાન રાજ્ય કર્તાઓના સમયમાં નવી બનાવેલી ભાષા છે .આ ભાષામાં વ્રજ  ભાષાના બોજ્પુરી ભાષાના  અને એવી બીજી ઘણી ભારતમાં બોલાતી જૂની ભાષાના શબ્દો છે. અરે અપભ્રંશ થએલા ઈંગ્લીશ, પોર્ટુગીઝ ,ગ્રીક વગેરે ભાષાઓના શબ્દો પણ ગોઠવેલા છે .આપ સહુ જાણતાજ હશો પણ કોઈ નજાણતા હોય એવા સ્નેહીઓ માટે હું જેના તેના પાસેથી થોડું ઘણું પૂછી પૂછીને શીખ્યો છું એ રજુ કરું છું .બનવા જોગ છે કે એમાં કઈ મારી ભૂલ પણ થતી હોય .તો આપ જ્ઞાની માણસો મારી ભૂલો તરફ ધ્યાન દોરવા કૃપા કરશો .
ઉર્દુનો અર્થ  છાવણી અથવા છાવણીની બજાર એવો થાય છે .અને આ ઉર્દુ શબ્દ તુર્કી ભાષાનો છે .ઉર્દુ ભાષામાં વધુ પડતા શબ્દો અરબી અને ફારસી છે અને આ ભાષા ઇસુ ખ્રિસ્ત થી
પણ પહેલાં લોકો બોલતા આવ્યા છે અને આ સમયના લોકો મૂર્તિપૂજક અને અગ્નિ પૂજક હતા .ફારસી શબ્દ ઈરાનમાં અરબોનો પ્રવેશ થયા પછી અરબોએ પાર્સીનું ફારસી કરી નાખ્યું છે .કેમકે અરબી ભાષામાં “પ”નો ઉચ્ચાર વાળો અક્ષર નથી ,એટલે એલોકોએ પારસીને બદલે ફારસી કરી નાખ્યું . હાલ અરબ દેશોમાં  “પીઝા હટ”છે તેને અરબી ભાષા બોલનારા  બીઝાહત  કહેછે .કેમકે “પ”નીજેમ “ટ” ના ઉચાર વાળો   અક્ષર પણ નથી .”ચ” ના ઉચાર વાળો અક્ષર પણ અરબીમાં નઅરબ લોકો ચાય (ચા)નો ઉચચાર શાય
કરે છે. આ થોડું આપની જાણ ખાતર થોડું કીધું .
અત્યારે અરબી, ઈરાની , દેશો  ખનીજ ઓઈલ ના લીધે ઘણા આગળ પડતા છે .પણ જુના વખતમાં ગરીબ હતા. આસમયે ભારતમાં નોકરી અર્થે આવતા બાદશાહો એને લશ્કર માં
ભરતી કરતા .જ્યાં જ્યાં છાવણી પડે. તેની નજીકમાંસ્થાનિક  લોકો પોત પોતાની વસ્તુઓ વેંચવા આવથી .એટલે તા .અને સિપાઈઓ વસ્તુ ઉપર આંગળી ચીંધી પોતાની ભાષામાં વસ્તુનું નામ બોલતા  પરિણામ એ આવ્યું કે સ્થાનિક લોકો  લશ્કરી લોકોની ભાષા બોલતા શીખી ગયા .અને આરીતે શમ્ભુ મેળા જેવી ભાષા બોલાવા લાગી .પછી એ સમયના વિદ્વાનોને
વિચાર આવ્યો કે  આવી ખીચડી ભાષાને પધ્ધતિ સરનું ભાષાનું રૂપ આપ્યું હોય તો કેવું ?અને છેવટે એક નવી ભાષાનો જન્મ થયો .એની લીપી ફારસી રાખવી એવું નક્કી થયું
અને બોલવાની રીત દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષા કે જે ખડી ભાષા ના નામે  ઓળખાતી .ભાષાની રાખી .અને વખત જતા એટલીતો લોક પ્રિય થઇ કે  ગુજરાતી ગામડિયા લોકો પણ બોલવા માંડી ગયા અને ઈ.સ. ૧૯૯૯ માં ગુજરાત સરકારે ઉર્દુ  ગુજરાતી dixneri  બહાર પાડી .જય જય ગરવી ગુજરાત

ધર્મ સ્થાપકો અને ઈશ્વરવ્તારો એશીયામંજ કેમ જન્મ્યા ?

વર્ષો પેલાં  હું મારે ગામડે ગએલો .એક ઘરે ગયો `ખડકી ઉઘાડી અંદર પ્રવેશ કર્યો .કે તુરત એક યુવાન મારી પાસે આવ્યો મારા ચરણ સ્પર્શ કર્યા.મને હર્ષભેર આવકાર આપ્યો .અને એની દાદી મને ઉદ્દેશીને બોલ્યો . આઈ હેમત આતા આવ્યા છે ? આઈને આંખે ઝાંખું ઝાંખું દેખાતું હતું .તે મને જોઇને બોલ્યાં  .એ આવ્ય દીકરા આવ્ય  આં  મારી હામ્ભો બેહ  ગીગી
આતા હારું હાંગા માસી લેવ્ય ?સાંગા માચી આવી .હું આઈ સામે સાંગા માચી ઉપર બેઠો .અરે દીકરા તી મન આંધરીને દર્હન દીધાં? આઈ હું તમારાં દર્શન કરવા આવ્યો છું દર્શન દેવા નથી આવ્યો. દીકરા ગોવિંદ આવ્યો હુંતો (ગોવિંદ એ મારો દીકરો હરગો વિંદ )મી ઈને કયું (કહ્યું )ગોવિંદ તું મારા ખોરામાં બેહ મારે તુને વાલો કરવો છે  આઈ હવે હું મોટો ભાયડો થઇ ગયો છું ત્રણ દીકરાનો બાપ થઇ ગયો છું .હું તમારાં ખોરામાં બેસું તો તમને ભાર લાગે.તો તું ઈમ કર્યહું ખાટલા માં  એક વાહુ બેહુ અને તું મારા ખોરામાં માથું રાખ્ય અને લાંબો

થે ને હુ(સુ)હર ગોવિંદ આઈના કહ્યા પ્રમાણે સુતો અને આઇએ  મોઢા  ઉપર હાથ ફેરવીને  ખુબ ચુંબન કર્યાં.  जिसको कहते है मुहब्बत जिसको कहते है खलूस / ज़ोपड़ो में  हेतो हे पुख्ता मकनोमे नहीं .
આઇએ મને પૂછ્યું ગીગા એક પરસન કરા? હા બોલો મને આવડશેતો જવાબ  દઈશ   નહિ તર હાથ ખંખેરીને ઉભો થઇ જઈશ .બોલો શું પ્રશ્ન છે ?ગીગા મોટા મોટા દૂધાધારી માત્માને

પર્સન  કર્યોસ  પણ હજે સુધે કોઈએ જવાબ દીધો નેથ . આઈ તમે એવા દંભી બાવાને માત્મા કહો છો .હુ તો એવા ધતીન્ગીયાને   આંગણે ઉભાવાજ નો દઉં કે જે બચ્ચાના માટે પરમેશ્વરે  દૂધ બનાવ્યું હોય એ દૂધ  પોતે પી જાય .હુ તો એવા બાવાને માન આપું  કે જે  ગાયો ભેંસોના મુતર પી ને જીવતો હોય એવા મુતાધારી બાવાના પગમાં પડું .ભેંસોના આ ભવે દૂધ પી જઈને દુધાધારી માતમાં કેવ્ડાવે છે એવા  બાવા  આવતે ભવ પાડા સરજે છે   .અને ખાટી છાશ પીને મરી જાય છે.   (મારીવાત સાંભરી આઈ હસવા માંડેલા)આઈ હવે તમારો  પ્રશ્ન પૂછો . ગીગા   આ ભગવાન આપણા મલક્માંજ કીમ અવતાર લ્યેછે બીજા દેશમાં કીમ અવતાર લેવા નેથ જાતા ?મેકીધું આઈ હુ અમેરિકા માં રહું છું ઈ દેશના માણસો એવા નીતિ વારાંકે  હુ વાત કરું તો તમે નઈ માનો   અને આપણા મલકના માણસો એ  મોટાં ટીલાં કર્યાં હોય દુકાનમાં ભગવાન ની મોટી મૂર્તિ રાખી હોય અને ઘરાકને છેતરવામાં  જરાય અચકાય નહિ .એટલે ભગવાન ને લોકોને સુધારવા અવતાર વારેવારે લેવો પડે છે .મારી વાત એક ધ્યાન થી સાંભરી આઈ બોલ્યાં  ગીગા તી મન ઘૂંટડો ઉતારે . દીધો .हजारो खिज्र पैदा कर चुकी है नस्ल आदम की इ तस्लीम लेकिन आदमी अब तक भटक्कता है .

આતા – સોરઠમાં – ૨૦૧૨

      આતાને બલોગ દુનિયામાં લાવનાર આ ખવીસ ! અને જૂનાગઢી સાવજ અમોને ચાવી ગયો! મારો વિચાર એપ્રિલ/ મે માં એરિઝોનાના સાવજનો શિકાર થવાનો હતો, અને ભાઈલા , તેં મને ઓવરટેક કરી દીધો.
     ખેર, બહુ સનેડો થ્યો. મજો આવી ગઈ. આતાના આટલા બધા ફોટ્યૂં જોઈ કેડિયાંની નસ્યું ફાટ ફાટ થઈ ગઈ.
     આતા વેળાસર અમારા દેશ ભેળા આવી પૂગે, એ પહેલાં એમના સહતંત્રી તરીકે , એમના વતી, આ ચિત્રકથા માટે આભારવિધિ ‘ આતાવાણી’ પર કરવા ધસી રહ્યો છું!

—————

શું થયું?

લો! આ થયું …

ચિત્રકથા- આતાની હિમ્મત

અમારો વ્હાલો ‘આતો’ દેશમાં પૂગી ગયો ; અને એમના ચાહક ‘અમો’એ એની ચિત્રકથા બનાવી દીધી.

લો, એના ચિત્રોનો સ્લાઈડ શો !

This slideshow requires JavaScript.

ઈવડો ઈ ‘અમો’ કે’વાનો…

मेरी बिल्ली मुझे ही म्यांउं ? 

( એણે જ આ કળા શીખડાવી છે! )

.. કે’વા દ્યો ! ઈવડો ઈ જૂનાગઢી સાવજ  ઠામુકાનો ન્યાં કણે  અમોને ચાવી ખાવા આવવાનો છે? અને ન્યાં કણે ક્યાં ઈનાં નેસડા  હાવ ઉઝેડી દીધાં?

‘આ ચિત્રો શેનાં?’ – એ જાણવા તમારે ઓલી ચિત્રકથાના પાને જવું જ પડહે !