Monthly Archives: ઓગસ્ટ 2012

सारे जहांसे अच्छा हिन्दोसतां हमारा

सारे जहाँसे   अच्छा हिन्दोसतां  हमारा

हम बुलबुलें है उसकी वो गुलसितां हमारा ….1

परबत है सबसे ऊँचा हिमालया  हमारा

हमसाया  आसमांका वो पासबां हमारा ….2

गोदीमे खेलती  है जिस्की हज़ारों नदियाँ

गुलशन है जिस्के  दमसे रश्के जिनां हमारा ….3

यूनानो मिस्रो रुमो सब मिट गए जहांसे

अब तक मगर है बाक़ी नामोनिशां  हमारा …4

कुछ बात  है कि हस्ती मिटती नहीं हमारी

सदियों रहा है  दुश्मन दौरे जमां हमारा …..5

अय आबे रूहे गंगा वो दिन है याद तुज़को

उतरा तेरे किनारे जब कारवां हमारा ……6

मज़हब नहीं सिखाता आपसमे बैर रखना

हिंदी है हम वतन है हिन्दोसतां  हमारा ……7

“इकबाल “कोई मरहम अपना नहीं जहाँमें

मालूम क्या किसीको दर्दे निहां हमारा …..8

मालूम क्या किसीको दर्दे निहां  हमारा ….7

અગાઉ લખેલી ગાલિબની ગઝલનો ભાવાર્થ

#1 હઝારો અભિલાષાઓ એવી  હોય છેકે  પ્રત્યેક  અભિલાષા   દીઠ  જીવ નીકળી જતો હોય એવું લાગે ગાલીબ કહે છે કે  મારી આશાઓ બહુ નીકળી પણ થોડી હોય એવો આભાસ થયો.આ પ્રસંગે એક કચ્છી દોહરો લખું છું .સાગર લેહરું થોડીયું મુજા ઘટમે  ઘણેરીયુ હકડી તટ  ના પોગીયું તાં  તાં બીજી ઉમટયુ

#2યહૂદી,ખ્રિસ્તી ,અને ઇસ્લામ મઝહબ ના કહેવા મુજબ આદમ પહેલાં સ્વર્ગમાં  રહેતા હતા અને તેઓ ફિરસ્તા હતા (આતો  સાંભળેલી  વાતુ છે )સ્વર્ગમાં  બગીચામાં બહુ સરસ ફળ ઝાડ હતાં .એમાં દરેક ફળો ખાવાની  અલ્લાહ તરફથી  આદમને છુટ હતી .પણ એક ઝાડના ફળ ખાવાની છૂટ નોતી ,શયતાને  સર્પનું રૂપ લઇ આદમને  ભારમાવ્યોકે  તું આ  ઝાડનું ફળ ખાઇશ તો તારામાં  બહુ તાકાત આવી જશે .આદમ  શયતાનથી ભરમાઈ ગયો ,અને ફળ ખાઈ લીધું ,એટલે અલ્લાહ ક્રોધિત થયા ,અને આદમને સ્વર્ગમાંથી  કાઢી મુક્યો અને મૃત્યુલોકમાં  મોકલી દીધો .એટલે ગાલિબ તેની માશુકને કહે છે .હું તારી શેરીમાંથી  આદમની જેમ બે આબરૂ થઈને નીકળ્યો.

#3પ્રેમમાં  મરવા જીવવામાં બહુ ફેર પડતો નથી ,આદમ કહે છેકે હું તો એને જોઇને જીવી રહ્યો છુકે જેના ઉપર મારો પ્રાણ ન્યો છાવર થાય .

#4  ગાલિબ ધર્માચાર્યને  કહે છે કે તું ખુદાની ખાતર કાબા ઉપરથી પરદો  નો ઉચકતો કદાચ અહી મારી પ્રેમિકાની મૂર્તિ  નો નીકળી આવે .

#5ક્યાં મયખાનાનો  દરવાજો અને ક્યાં આ ધર્માચાર્ય ગાલિબ કહે છેકે હું ફક્ત એટલું જાણું છુંકે કાલે મારે દરવાઝામાથી  નીકળવું અને  એને  દરવાઝામાં  પ્રવેશ  કરવો .

સુજ્ઞ મિત્રો મને ઉર્દુનું બહુ અલ્પ જ્ઞાન છે.તો બનવા જોગ  છેકે  અર્થ કરવામાં મારી ભૂલ થતી હોય તો મારી ભૂલ સુધારી મને માર્ગદર્શન  આપવા .કૃપા કરશો .હું વિદ્વાન નથી કે મારી

ભૂલ કાઢવાથી  હું  નારાજ થઈને સમો પ્રશ્ન કરું કે તમે મારી ભૂલ કાઢનારા  કોણ ?

मिर्ज़ा ग़ालिबकी ग़ज़ल

हज़ारों खवाहिशे ऐसीकी  हर   खवाहिशपे  दम  निकले

बहुत निकले मेरे  अरमान लेकिन फिरभी कम निकले ………1

निकलना  खुल्दसे आदमका  सुनते  आये है लेकिन

बहुत  बे आबरू होकर तेरे कुचेसे  हम निकले ……………..2

मुहब्बतमे नहीं  है फर्क जीने ओर मरनेका

उसीको  देख कर जीते है जिस काफिरपे दम निकले …..3

खुदाके वासते पर्दा न काबेसे उठा  वाइज़

कहीं  ऐसा न हो वहांभी  वही काफिर सनम निकले ……4

कहाँ मयखानेका  दरवाज़ा ग़ालिब ओर कहाँ वाइज़

पर इतना  जानते है कल  वो आताथा  कि  हम निकले …5

1

नरेश कुमार” शाद ” की ग़ज़ल

बहकी हुई बहारने  पीना सिखा दिया

बद मस्त बर्गोबार ने पीना  सिखा  दिया …1

पीता हूँ इस गरजसे की जीना  है चार  दिन

मरनेके  इन्त्ज़ारने  पिना सिखा  दिया ….2

दुनियाके  कारोबारथे इस दर्जा दिल शिकन

दुनियाके  कारोबारने  पिना सिखा दिया ….3

गमहाये रोजगारको जब हम ना पी  सके

गमहाये रोजगारने  पिना  सिखा दिया …4

अय “शाद “हमतो अपनी तरफसे  थे मोहतरिज

याराना  मय गूसारने  पिना  सिखा दिया …5

 

ખડ્ગ શંકર નું અનોખું માર્ગ દર્શન

એક નાનકડા  ગામડામાં ખડ્ગ શંકર નામે બ્રાહ્મણ  રહે .એ ઘણા અનુભવી  સાચી સલાહ  આપનારા અને બાહોશ  ગામ  લોકોમાં બહુ  સન્માનનીય  વ્યક્તિ  હતા .એક દિવસ  એક  દંપતીને  ત્યાં  લગ્ન  કર્યા પછી ઘણા વરસોએ  દિકરાનો  જન્મ  થયો .તેની નામકરણ  વિધિ  માટે ખડ્ગ શંકરને  પોતાના  ઘરે બોલાવી આવ્યાં .  ખડ્ગશંકરે  રાશિ  જોઈ , કુંભ રાશિમાં જન્મ થયો , હોવાથી દિકરાનું  નામ  સાવઝ  સહુની સંમતિ થી  રાખવામાં  આવ્યું.  સાવઝ નો  ઉછેર બહુ લાડ કોડમાં થવા લાગ્યો . ખાસતો  બાપ કરતાં માં વધુ લાડ લડાવવા  લાગેલી ,એ સાવઝ પડ્યો  બોલ જીલે .

ગામડામાં  ખાદ્ય વસ્તુઓ  વેચવા  માટે  ફેરિઆઓ   આવે  .સાવઝ  એની પાસેથી  વસ્તુ લેવડાવે .જો  વસ્તુ  લેવામાં  આના કાની  કરે  તો સાવઝ રોવા માંડે ,પગ પછાડે અને એવું બીજું ધાંધલ કરે . એટલે એની મા  તુર્ત વસ્તુ લઇ આપે. એક વખત એક ભંગાર વાળો આવ્યો .સાવઝે  કંઈક  લઇ દેવાનો આગ્રહ કર્યો .મા એ  ઘણું સમજાવ્યો ,પણ  સાવઝ માને  નહિ .એણે તો  રોકકળ આદરી .આખર માએ  ભંગાર વાળા  પાસે  કોથળોઠલ  વાવ્યો .ત્યારે સાવઝને  સંતોષ  થયો . કેટલાક માણસોને  પોતે  કંઈક  વિશેષ  છે.એવું બતાવવા  અને એ રીતે  પોતાનો  અહં પોષવાનો  શોખ હોય છે .સાવઝની  મા માં આ અવગુણ વધુ હતો, એ  સાવઝને   કંઈક  વસ્તુ  ખરીદી  આપે , એ એને  સૌ દેખે એમ ખડકી બહાર  ઓટલા ઉપર બેસીને  ખાવાનું કહે .અને છોકરાંઓને  દેખાડીને  ખાવાની ભલામણ  કરે .એક વખત  સાવઝ  દેખાડી  દેખાડીને  પપૈયું  ખાઈ રહ્યો હતો .ત્યારે એક  છોકરાને  શુર ચડ્યું એણે સાવઝ પાસેથી પપૈયાની ચીર  આંચકી લીધી અને  પોતે ખાવા  મંડી ગયો .સાવઝ  રોતો રોતો  એની મા પાસે દોડતો ગયો અને ફરિયાદ  કરીકે મારી

પાસેથી  આ છોકરે પપૈયાની  ચીર  આંચકી લીધી સાવઝની  મા દોડતી  છોકરાની મા પાસે ગઈ, અને  ઝઘડો શરુ કર્યો .આ વખતે સાવઝ  એની મા સાથે હતો .સાવઝને  આ તમાશો  જોવાની  મઝા આવી ગઈ .અને છોકરાં ઓને  સાવઝ  પાસેથી વસ્તુ આંચકીને  ખાવાની  મઝા આવી ગઈ આ તમાશો રોજનો થઇ ગયો.એક વખત સાવઝનો બાપ  આ  ઝઘડાથી  કંટાળી  માર્ગદર્શન  મેળવવા  ખડ્ગા  આતા પાસે આવ્યો .(. હવે ખડ્ગ શંકર ની ઉમર મોટી થઇ ગઈ હતી .એટલે  સૌ  તેને આતાના  લાડલા નામે સંબોધતા  )અને બોલ્યો . આતા  આ અમારો સાવઝ  બહુ નિર્માલ્ય છે .છોકરાંઓ 
એની પાસેથી વસ્તુ આંચકીને  ખાય જાય છે .પણ એ  નિર્માલ્ય  એની મા પાસે ફરિયાદ સિવાય કઈ કરી શકતો નથી .આતા અમારી સાત પેઢીમાં  આવો નિર્માલ્ય . હજુ સુધી  કોઈ પાક્યો નથી .આતા અમારો સાવઝ  શિયાળીઓ  થઇ ગયો  છે .એને અમે સાવઝ  જોવા માગીએ  છીએ ,એનો કોઈ  કિમીઓ તમારી  પાસે ખરો ? આતા કહે કિમીઓ તો  છે .પણ  એના નિયમોનું પાલન  તમે નહિ કરી શકો .ખાસ તો તારી ઘરવાળી  નિયમોનું પાલન નહિ કરી શકે જોકે નિયમો  અઘરા  નથી. છતાં તારી  ઘરવાળી  આ નિયમો  નહિ પાળી શકે .આતાની  વાત સાંભળી  ઘરવાળી  બોલી આતા ગમે તેવા  અઘરા નિયમો  પાળવા હું તૈયાર છું .આતા  તમે  જે સાવઝ  નામ આપ્યું  છે . એવા હું  ગુણ જોવા માગું છું . તો આજથી  ગણેશનું  નામ દઈ ચાલુ  કરી દ્યો .બંને જણા  આતાની  વાત સાંભળી  એકી અવાજે  બોલ્યાં  , આતા હુકમ કરો .તો સાંભળો  આજથી  તમારે સાવઝ ના  નચાવ્યા નાચવું નહિ .એ ચીજ તમારે લાવી આપવાની  નહિ .સાવઝ ગમે તેટલું ધાંધલ કરે  એના  ધાંધલને  વશ થવું નહિ .સાથે સાથે એને  કોઈ વસ્તુની ઉણપ  આવવા  દેવી નહિ .બીજો નિયમ  તમારે  વસ્તુ લાવી ને  એને દેખતાં  તમારે એક બીજાના  હાથ માંથી  આંચકી  આંચકીને  ખાવી .જોકે આ  કિમીયો આડોશી  પાડોશીને  નહિ  ગમે એનો  ઠપકો મને  મળશે .પણ એ  બાબત  હું  એમને  સમજાવી  લઈશ 
અને પછી  સાવઝને   દેખતાં  બંને  જણાએ   જટા પટી  આદરી  સાવઝે  ધમ પછાડા  કરી જોયા પણ  બેમાંથી  એકેયે દાદ  આપ્યો નહિ .એકદી  સાવઝે  ડણક દીધી .એણે  માબાપ ના  હાથમાંથી  તરબૂચની ચીર આંચકી લીધી .મા પાછળ  પડી પણ સાવઝ હાથ  નોઆવ્યો  પણ  સાવઝે જે  તરબુચ  ખાઈ લીધેલું એ છાલ એની માના મોઢા ઉપર મારી એ  હાથ આવી . બસ પછી  સાવઝ  આંચકવાની  તરકીબ  શિખી ગયો .
પછી  છોકરાંઓ    સાવઝને  દેખાડીને  વસ્તુ ખાતાં  એ  વસ્તુ  સાવઝ  આંચકી ને ખાવા  મંડી  ગયો .આ અરસામાં ભૂપત બહારવટે  હતો .એટલે  છોકરાં ઓ એ સાવઝ નું  નામ ભુપતો  પાડી  દીધું ..વસ્તુ  ખાતાં  હોય અને આંચાકવા  માટે સાવઝ  પાછળ  પડે , એટલે  છોકરાં  એ….ભુપતો  આવ્યો. એવું બોલી  ભાગવા માંડે .પણ હવે ઉલ્ટી  ગંગા વહેવા લાગી .પહેલા સાવઝની  મા બાધવા જતી .હવે  સાવઝની  માને બાયડીયુ   બાધવા આવવા માંડી પણ  એક વખત  સાવજે  જબરું સાહસ  કર્યું  માબાપ  જોતાં રહ્યાં  અને  સાવઝ  ઘરમાં ઘુસી  જામફળ  આંચકી લાવ્યો .આવું આવું ખુબ  સાવઝ કરવા માંડ્યો .હવે સાવઝના  માબાપને ચિંતા પેઠી કે  સાવઝ  મોટો  થતાં  મોટો ડાકુ થશે તો  આપણું  નામ  બોળાવશે .એટલે  તેઓ આતા પાસે  આવ્યાં અને આતાને કહ્યું કે  આતા આ  તમારા કિમિયાએ   બહુ ભયંકર રૂપ  લીધું  છે .હવે તમેજ  સાવઝને  સન્માર્ગે વાળી શકો એમ છો .પછી સાવઝના માબાપને કહ્યું કે  હવે તમે ગામનાં  છોકરાં ઓની  પાર્ટી રાખો બધા ભેગાં થયાં એટલે આતાએ  કહ્યું કે  હવે  આવી પ્રેમ ભરી પાર્ટી  થતી રહેશે .હવેથી કોઈ કોઈ પાસેથી વસ્તુ આંચકી ને ખાશે નહિ .હવે જે છોકરો  ડાહ્યો ડમરો રહેશે  ભણવામાં  સારા માર્ક લાવતો રહેશે એને મોટું ઇનામ આપવામાં આવશે અને એના મનમાં છોકારીયું ગીત ગાશે બોલો કોણ  આવું સ્વાગત કરાવવા  તૈયાર છે. અને સાવઝ  ઉભો થયો .અને હું કાર કર્યો કે હું .સાવઝ  વખત  જતાં  મોટો  એન્જી.બન્યો .દિલ્હીમાં  નોકરી મળી .દર વરસે રાજાઓમાં  પોતાને ગામ આવવા માંડ્યો .ગામડે  આવતાં વેંત સૌ પ્રથમ આતા ને  અને પછી પોતાને ઘરે માબાપને મળવા  જાય .આતાની બર્થ ડે પાર્ટી  સાવઝે  રાખી .અને આતાને  પૂછ્યું આતા તમને હું શું ભેટ આપું આતા કહે  તારો પ્રેમ મને આપતો  રહેજે .અને દરેક  વૃધ્ધો  ઉપર પ્રેમ વરસાવતો રહેજે બાકી મારે  “ના દોલત કી ઝરૂરત હૈ ના શોહરત કી ઝરૂરત હૈ આતા કો ઝરૂરત  વો મુહબ્બત કી ઝરૂરત  હૈ 

જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે.

ડાહ્ય માણસો અને અનુભાવીયોનું કહેવાનું છે. કે જેટલી સરળતા. નિખાલસતા ,પ્રેમભાવ .વનવાસી લોકોમાં હોય છે. એટલી ગામડા ના લોકોમાં નથી

હોતી ,અને ગામડાં નાં લોકો માં હોય છે .એટલી મોટા શહેરોના  લોકોમાં નથી હોતી. ભારતને  સ્વતંત્રતા આવ્યા પછી જયારે  દાંતા રાજ્ય  મર્જ થયું ,

ત્યારે  બાહોશ  પોલીસોને  અમદાવાદ  જેવા  શહેરોમાંથી  બોલાવવામાં  આવેલા જેમાં  એક હું હતો .મને અને બીજા  કેટલાકને  અંબાજી  પોલીસ  સ્ટેશન માં  મુક્યા .અહી પોલીસને  કરવા જેવું કામ નહિ .અને  દાંતા બાપુએ  નિમણુંક  કરેલા સ,ઇન્સ.વગેરે  હતા તેઓને  મારફાડ ,ધાકધમકી સિવાય બીજું કાયદાનું  કોઈ જ્ઞાન  નહિ .અમારી પાસે કેવી રીતે કામ લેવું .એ આવડે  નહિ .અમને ફોજદારે એવું કીધેલું કે  જાત્રાળુ ને માર્ગદર્શન  આપવું ,કોઈ વસ્તુ જાત્રાળુ  ભૂલી જાય એ વસ્તુ  તમારે પોલીસ સ્ટેશન  લઇ આવીને મને  સોંપવી અને જાત્રાળુ ને વસ્તુ લેવા માટે મારી પાસે મોકલવા .

હુંતો વનવાસી સાથે ભાઈબંધી કરતો જંગલનાં  ગામડાઓમાં  ફરતો ફરું .મને  પાન્સા ગામનો હોલો મુખી હજી યાદ છે.રીન્છડી ગામનો કિશનો પારગી કુંભારિયા ગામનો  કિશનો કે જે કુંભારિયા ગામના મુખીનો દિકરો  હતો .પણ કોટેશ્વર ગામનો  ચુનીયો બહુ યાદ રહી ગયો છે .જેના પ્રેમની વાત હું આપ સહુની જાણ ખાતર  હું અહી  લખું છું .

એકાદ વરસ અંબાજીમાં  નોકરી કર્યા, પછી ભવિષ્યમાં મારાં સંતાનોને ભણવાની સગવડ રહે .એ માટે મેં મારી અંબાજીથી  બદલી કરાવી ,હું અમદાવાદ આવ્યો .એક વખત હું સાતેક વરસની ઉમરના દિકરા હરગોવિંદને   લઈને અંબાજી આવ્યો .અને  ચુનિયાને  ઘરે ગયો .ચુનીયાની વહુને  બાળક આવવાનું  હોવાથી  ઘરમાં ઘી  ગોળ હતાં .ચુનીયાએ  એની વહુને કીધું કે  પામણા (મેમાન )માટે સુખડી  બનાવ , ઘરમાં ઘઉંનો  લોટ ન હોવાથી એ ઘઉં દળવા બેસી ગઈ .અને પછી આગ્રહ  કરી કરી ચુનીયાએ  અને એની વહુએ અમને  જમાડ્યા .હરગોવીદ  બાલ સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં ઉથલ પાથલ  કરવા મેં ખીજાયને હરગોવિંદને  મારી પાસે  બેસી રહેવા  કીધું  .ચુનીયાએ  મને કીધુકે   બાબા ભાઇને  જેમ કરે એમ કરવાદ્યો .પછી અમે બધું વ્યવસ્થિત  કરી લઈશું .હરાગોવીન્દનું એના  ધનુષ્ય બાણ ઉપર ધ્યાન ગયું .તે ધનુષ્યને આમ તેમ  ફેરવવા મંડ્યો .ચુનીઓ બોલ્યો ,બાબા ભાઈ એ  જોઈએ  છીએ ? બાબોભાઈ  કહે હા .ચુનીએ મને કીધું તમે જાઓ ત્યારે આ ધનુષ્ય બાણ લેતા જજો .મેં એને ઘણો સમજાવ્યોકે આ બાળક છે એતો કહે પણ એને  કંઈ  ઉપયોગી નથી .ચુનીઓ કોઈ હિસાબે માન્યો  નહિ .એટલે  મારે ન છૂટકે લેવું પડ્યું .

ચુનિયાને મારી પોલીસ તરીકે કોઈ ગરજ  નોતી ફક્ત મારા  પ્રત્યેનો પ્રેમ ,”જેને ક્યેછે .નિખાલસતા ,જેને ક્યેછે પ્રેમભાવ

કુબાઓમાં  હશે પણ પાકા મકાનોમાં નથી

મેમાનુંને માન દલભર દીધેલ નઈ ઈ મેડીયું  નહીં પણ મહાણ (સ્મશાન  ) હાચું (સાચું )હોરથીયો (સોરઠી ઓ ) ભણે

હવે એક રમુજી જેવી વાત , ગીર પંથકમાં એક ગામડામાં એક ધણી  ધણીયાણી  રહે .ધણી મેમાન આવે તો બહુ રાજી થાય પણ ધણીયાણી ને મેમાન  ઝેર જેવાં લાગે  સિવાયકે  એનાં માવતર પક્ષના હોય .એક દિવસ એને ત્યાં મેમાન  આવ્યા .મેમાન ને ભગાડવા ધણી યાણી એ .યુક્તિ કરી .ધણીને  વસ્તુ લેવા બહાર મોકલ્યો અને  પાછળથી મેમાનને  કીધુંકે મારા ધણીને મેમાન  ગમતાં નથી એટલે એ  મેમાનને  સખત મારે  છે હમણાં એ પોતાના દોસ્ત ગુંડાને  બોલાવવા ગયો છે .એ  આવશે એટલે એ બન્ને  જણા  થઈને તમને  લામ્ધારશે .આતો તમારા ઉપર મને દયા આવે છે .એટલે તમને હું  ચેતવુંછું . ધણી યાણી ની વાત મેમાન એકદમ  ભાગ્યા .થોડીવારે  ધણી ઘેર આવ્યો .એની વહુને પૂછ્યું મેમાન ક્યાં ગયા ? વહુ કહે એતો ભાગી ગયા .શા  માટે  વહુ કહે  એ મારી પાસે બંધૂક  માગતાતા અરે આપી દેવીતીને ?એતો શિકાર કરીને પાછી આપી દેત .ધણી બંધૂક લઈને મેમાન ને આપવા દોડ્યો .ઉભારહો ઉભારહો એવી બુમો પાડવા માંડ્યો   સાંભળીને  મેમાનોએ  વધુ સ્પિડ  પકડી અને ધણી  પાછો ફર્યો .

નગ દુહિતા પતિ પુત્રના વાહન

    કાઠીયાવાડમાં   વેરાવળથી  પોરબંદર સુધીનો સમુદ્ર કિનારો છે તે કંઠાર   તરીકે ઓળખાય છે.કંઠાર ના ગામડાઓમાં  બે બેન પણીયું  હતી એક કોલેજ ગ્રેજ્યુએટ હતી .તે કવિયત્રી  પણ હતી અને બીજી અભણ હતી .. આ બંને નાં પતિઓ સુર્યાસ્ત થતા પહેલા અવિજાઈ શું એવું કહી બહાર ગામ ગએલા .દિ આથમી ગયો .અંધારું થઇ ગયું .તોપણ આવેલા નહિ  .

      અભણ હતી ,તે બોલી .દિ  આથમે ગો તોય રેઢિયાળ મારો ઘરવાળો  આવ્યો નહિ .ત્યારે ભણેલી  કાવ્ય ના રૂપમાં બોલી” ,નગ દુહિતા પતિ પુત્રના વાહન ધરની  નાર, રવિ તેના પિતુ પર  પડ્યો ,પણ નો આવ્યો મુજ ભરથાર ” નગ =પર્વત દુહિતા =દીકરી .પર્વતની દિકરી પાર્વતિ ,પાર્વતીનો પતિ  શંકર અને એનો પુત્ર એટલે કાર્તીક્ય સ્વામિ એનું વાહન મોર એના પીંછને  ધારણ વિષ્ણુ ની નાર એટલે પત્ની , વિષ્ણુની  લક્ષ્મી અને લક્ષ્મીનો પિતુ એટલે  બાપ લક્ષ્મીનો બાપ સમુદ્ર કહેવાય  છે.કેમકે  જયારે સમુદ્ર મંથન  કર્યું  ત્યારે  લક્ષ્મી સમુદ્ર માંથી નીકળેલા .દરિયા કાંઠાના ગામડાનાં  લોકો સુર્યાસ્ત ને વખતે  સૂર્ય સમુદ્રમાં પડતો હોય એવું દૃશ્ય  જુવે .આપ હવે ભણેલી બેનના  દોહરાનો  અર્થ સમજી ગયા હશો.

        ભણેલી બેન બોલી  કે મને હવે બહુ ભૂખ લાગી  છે.એટલે હવે હૂતો ઘરે જાઉં  છું .એમ કહીને  એતો ઘરે જતી રહી ,થોડી વારે અભણ પણ ઘરે ગઈ .ભણેલીએ  ઘરે જઈ  સૌ  પ્રથમ  જમવાનું કામ કર્યું .અને પછી ઉંઘવા માટે પથારી ભેગી થઇ ગઈ .થોડી વારે  એનો ધણી આવ્યો અને એની પત્નીને કીધું ચાલ હવે જમી  લઈએ ,પત્ની  બોલી  મેં જમી લીધું છે  તું  જમી લે અને  જમી લીધા પછી  વધ્યું ઘટ્યું ખાવાનું  રેફ્રીજેતર માં મુકી દેજે અને  વાસણ સાફ  કરી નાખજે .જયારે અભણ બેનનો  ધણી  આવ્યો ત્યારે એની ઘરવાળી  બોલી સાલ  વ્યારુ  કરે લઈએ .ધણી બોલ્યો ઉભીરે હું મારા હાથ ધોઈને આવું .ઘરવાળી  બોલી  તું રાંધનિયા  ભેગો  થેજા હું  પાણી અને ટોપડી  લેને આવાંસ  તુને  હું હાથ  ધોવરાવંસ .હાથ  ધોઈ લીધા ટોપ ડીમાં  પાણી પડેલુંએ  પાણી  ઘરવાળી  દુર નાખી આવી પછી  બંને જણાં સાથે  જમ્યાં .જમી લીધા પછી ઘરવાળી  બોલી ,. તું થાક્યો પાક્યો ખાટલા ભેગો  થેજા  હું ઢાંકા  ધુંબા  કરને અબ ઘડીએ આવાંસ .અને પછી તો   “પહેલો પહોરો રેનરો  દીવડા  ઝાકમ ઝોળ ,પીયુ કાંટાળો  કેવડો અને  ધણ કંકુની  લોળ્ય (જુના વખતમાં ભરાવદાર  દાઢી મુછો વાળો  પુરુષ સ્ત્રીઓને  ગમતો પોતાના મોઢા જેવું  લીસું  મોઢું  નો ગમતું એટલે  કવિઓએ  મરદને ભભક દાર  સુગંધ  વાળા કાંટા વાળા કેવડાની ઉપમા આપી )દુજો પહોરો  રેનરો વાધ્યા  હેત સનેહ , સ્ત્રી ત્યાં  ધરતી થઈ રહી અને પીયુ અષાઢો મેહ ,ત્રીજો પહોરો રેનરો ઉંઘાના  સોણલા   સાથ ,વાલામને વળગી જઈ  સ્ત્રીએ  ભીડાવી બાથ ,ચોથો પહોરો રેનરો ,બોલ્યા કૂકડ કાગ સ્ત્રી સંભારે  કંચવો અને પિયુ સંભારે પાઘ (પાઘડી )  એ રામ  રામ

 

 

 

कवि लोक की कल्पनाए

कवि लोक आदि  अनादिसे   पद्य और गद्य में अपनी ओरसे मिलावट करते आए है इसका बड़ा दृष्टांत  रामायण और उसके कर्ता   ऋषि वाल्मीकि है . वाल्मीकि ऋषि ने   स्वयम कहा है की  पारधि ने जब   सारस जोड़ीमेसे   एक को   मार गिराया .जो जिन्दा  रहाथा  उसका कल्पान्त  देख के मुझे रामायण  बनानेकी इच्छा  हुई

मै  आपको  एक  कवि की कल्पना क़ा  छंद  पढने के लिए  लिखता हु   उसके पहले  आपको इसका मतलब लिखता  हु  की  एक दिन  मंदर में पुजारी  शंकरको   भस्म  लगाता था  आप जानते हो की  शंकरके गलेमे  नाग    लिपटा  हुवा  रहता है . अचानक  थोड़ी सी भस्म  नाग की आँख में गिरी और  नाग बेताब  हो गया और फुंफकार   करने  लगा ,शंकर के सरपे  चन्द्र रहता है  और चन्द्र  कविओकी   कल्पना  के अनुसार  अम्रुतसे भरा हुवा रहता  है .नागकी  फुफकार सुनके  चन्द्र   घबराया  और  अमृत  टपक पड़ा    कविओकी    कल्पना के अनुसार  अमृत  मृत   शरीर  को जिन्दा करता है . शंकरका  आसन बाघ के   चमड़े का होता है .जब अमृत  बाघके चमड़े पर गिरा तो बाघ  जिन्दा होगया ,और मंदरमें  में  भागम भाग हो गई  .बाघ जगदम्बा का  वाहन  है ,और माता  पार्वती  अम्बा है .शंकरका   वाहन

बेल है . बाघको देख के  बेल   दोड के भाग चला अपना पूंछ ऊँचा  करते हुवे , यह दृश्य  देख  कर माता  प[र्वती   शंकर न देखे   ऐसे मुंह  टेडा करके हस गई .और मनमे सोचा की  मेरे  वाहन  से मेरे पतिका  वाहन  डर के  मारे  भाग निकला  तो अब आप  छंद   पढ़ो .

भस्म  रमावत  शंकरको  अहि लोचन बिच  परी  जरिके

अहिकी  फुफकार  शाशिको  लगी तब  अमृत  बिंदु  पर्यों  धर पे

ताहिको छाई  बाघम्बर जागत हाहा कार मच्यो शिव मन्दर्मे

देखि सुरभि सुत भाग चल्यो  तब गोरि हँसी मुख यू करके         आत़ा

આજ કાના તારો જનમ દિવસ

આ  રાસડાને  જુના લોક   રાસડા  “આજ   નાણ દલ  મને  એવું  સપનું આવ્યું  જો “એ      રીતે   ગાઈ  શકાશે .

આજ કાના તારો જનમ દિવસ અમે ઉજવીશું

જનમ દિવસ ઉજવીને મોજું     માન શું

પાંચ સાત બેન ભાઈ  ભેગા મળીને   રાસ રમશુ જી

રાસડાની  રમ જતે   ઢોલ ડી યો   ઢ બુકશે

ખારેક ટોપરા ઘી માં   બાવલીયો ગુન્દ  ભેલવીશું

કાઠા  ઘઉંનો લોટ નાખી લાદુદા  બનાવીશું

ઇરે લાદુડા માતા જસોદાજી ને કાજે જો

ધાવાણીયા  ધવરાવ્યા  કાનને હેત થી

“આતા બાપુએ  ” આ રાસડો  હેત થી બનાવ્યો જો

ગાઈ  શીખેને લખે વાંચે ડોલરિયા બહુ મળે             આતા  વિનતી કરે છે કે ભૂલ ચૂક સુધારીને વાંચજો

બ્લોગર મિત્રો એ આતા નો ઉત્સાહ વધાર્યો

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું .ભીષ્મ પિતામહ ન બાણ  શય્યા ઉપર સુતા છે. તેઓને ઈચ્છા મૃત્યુનું  વરદાન છે .એટલે પોતાની જયારે ઈચ્છા હશે ,ત્યારે મૃત્યુ પામશે .તેઓની ઈચ્છા છે કે તેઓ હસ્તિનાપુર રાજ્યને  સુખી સમૃધી  વાન  જોયા પછી મૃત્યુ પામે .

યુધીષ્ઠીર  રાજ્યાસન ઉપર વિરાજ માન     છે .તેઓને ભીષ્મ પિતામહ પાસેથી  રાજનીતિ  શીખવાની ઈચ્છા થઇ ,એટલે તેઓ  ભીષ્મ પિતામહ જ્યાં  બાન શય્યા ઉપર  સુતા હતા ત્યાં આવ્યા .અને  ભીષ્મ પિતામહ નાં ચરણ સ્પર્શ  કર્યા  અને ઉભા રહ્યા . ભીષ્મ પિતામહે આસન ગ્રહણ કરવાની આજ્ઞા કરી ,અને આગમનનું  કારણ પૂછ્યું .યુધીષ્ઠીર બોલ્યા  , પિતામહ ભયાનક ઘોર કલિયુગ નાં મંડાણ થઈ  ગયા છે,આવા સમયમાં મારા ઉપર  વિશાળ ભારત દેશનાં  રાજ્ય કારભારની જવાબદારી આવી પડી છે .તો આવા ઘોર કલિયુગ માં  રાજ્ય ચલાવવા માટે મને કૃપા કરીને માર્ગ દર્શન આપો . મહાભારત ગ્રંથ કે સમર્થ  વ્યાસ મુનીએ ગણપતિ પાસે લખાવ્યો છે .તેના શાંતિ પર્વના આપદ ધર્મ  પ્રકરણમાં  ભીષ્મ પિતામહે   યુધીષ્ઠીર ને જે સલાહ સૂચનો આપ્યા છે .તેમના એકાદ બે સૂચનો  હું અત્રે લખું છું .ભીષ્મ પિતામહે યુધીષ્ઠીર ને કહ્યું કે  આયુગમાં તારા રાજ્યને  વેર વિખેર કરવા માટે વિઘ્ન સંતોશીઓ  અને ઈર્ષાળુ  ઘણા દુશ્મનો ફૂટી નીકળશે ,એટલે તારે તારા શત્રુઓ નો નાસ્તો કરવોતા જ પડશે ,તો એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યાં સુધી તું તારા દુશ્મનને મારીનાખીને જમીન દોસ્ત ન કરી શકે એમ હો તો  દુશ્મન ને છંછેડવો નહિ .”  ચુતણીએ વેર વાળવા નો  પ્રયત્ન કરવો નહિ .વો નહિ .અને  સમય આવ્યે દુશ્મન ને મારી નાખવો .અને મારી નાખ્યો છે એ બાબત ની વાત ની બડાઈ મારવી નહિ અને કોઈને પણ વાત કરાવી નહિ .એટલુંજ નહિ તારે એ દુશ્મન નાં  કુટુંબી જનોને આશ્વાસન આપવા પણ જવું .અને પોક મુમુકીને રોવું પણ ખરું

અને તેની સ્મશાન યાત્રામાં પણ સહુ સાથે જવું .

બીજી વાત તારી પ્રગતિને રૂંધ્નાર ,તારો દીકરોકે ભાઈ કે ગમે તે હોય ભલે એ આપ્તજન હોય ,તેઓને મારી નાખવામાં ખચકાત અનુભવવો નહિ ?”ઔરગ જેબે  આમજ કરેલું .”

મહાભારત યુધ્ધના પ્રારંભ વખતે  અર્જુન કોલ્ગુરું કૃપાચાર્ય,અને ગુરુ દ્રોણ ને  જોઇને ઢીલો પડી ગએલો ,એના ગાત્રો શીથીલ   થઇ  ગએલા   ધનુષબાણ જમીન ઉપર ફેંકી દીધેલા .ત્યારે વાસુદેવ કૃષ્ણે તેને ઉપદેશ આપેલો ,કે આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે .અને તું ધર્મને પક્ષે લડી રહ્યો છો .અને સામે અધર્મને પક્ષે  તારા કુટુંબીજનો ,ગુરુઓ વગેરે છે .તો આવા અધર્મીઓનો  નાશ કરવો એ પુણ્યનું કામ છે. ભલે એ ભાઈ ઓ  કે ગુરુઓ હોય  ,

યુધીષ્ઠીર ના ઘણા પ્રશ્નોના ઉત્તરો  ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને  સંતોષ થાય એવા આપ્યા . એ સમયે  ધર્મને હાલના મઝહબ કે રેલીજી ઓન સાથે સરખાવી નો શકાય ‘ધર્મનો અર્થ કર્તવ્ય જેવો થતો , રાજા નો  ધર્મ,પ્રજાનો ધર્મ , બ્રાહ્મણ નો ધર્મ ક્ષત્રિય્ નો ધર્મ વગેરે અર્થ થતો ..જે કઈ શાસ્ત્રો વગેરે કહેવાતા તે તમામ માનવ જાતી  માટે હતા . શાસ્ત્રો એ કઈ પરમેશ્વરના લખેલા નથી .ઋષિ ઓએ  પોતાના અનુભવે જે કઈ સત્ય લાગ્યું છે એ લખી નાખ્યું .એટલે જે મુખ્ય છ શાસ્ત્રો કહેવાય છે  એ  જુદા જુદા ઋષિઓએ લખેલા છે .એટલે દરેક શાસ્ત્ર  એક બીજાને મળતા નથી ઘણો વિરોધાભાસ છે.એટલે સમય  આવ્યે શાસ્ત્રોંને પડકારવામાં આવ્યા છે .  સહુ પ્રથમ ઈ.સ. પૂર્વે છસો વરસ પહેલા  થઇ   ગ એ લ  બૃહસ્પતિ નામના માણસે  શાસ્ત્રો  અને વેદ  સુધ્ધાના વિરોધમાં વાત કરેલી ,તેને એક ગ્રંથ લખેલો .જેમાં એવું લખેલું કે છે છ શાસ્ત્રો વિશ્વાસ પાત્ર નથી સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થાન નથી પુનર્જન્મ નથી . પાપ કે પુણ્ય જેવું કશુય નથી  આત્મા જેવું કઈ નથી માનસ મૃત્યુ પામ્યો  એટલે તેનો મોક્ષ થઇ ગયો .એવું માનવાનું .વરસો પહેલા મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી તેમાં લખ્યું હતું તે શબ્દે  શબ્દ  હું લખું છું

જબ ઇન્સાન મરતા હૈ  તબ ઉસકા વજૂદ ખત્મ હોજાતા હૈ .જબ ઇન્સાન મરતા  હૈ .તો ઉસકે જીસમ મેસે કોઈ શે નિકાલ કર  ઝીંદા નહિ રેહ સકતી ઇન્સાન એક   ગેર ફાની રૂહ નહિ રાખતા   આવા સત્ય વક્તા સોક્રેટીસ જેવા તત્વવેત્તા બ્રુહાસ્પ્પતીને  મારી નાખવામાં આવેલો    સોક્રે તીશને સજા તરીકે પીવા માટે ઝેર આપેલું    સોક્રેતીશ હસ્તે મોઢે  ઝેર પી ગએલો .બૃહસ્પતિ અને સોક્રેતીશ સમકાલીન હતા .સોક્રેતીશને ભાગી જવાનો સમય હતો  પણ એ ઇસુ ખ્રિસ્ત ની જેમ  સામે ચાલીને રાજાના સેનીકો સાથે ચાલી નીકળેલો .

ભીષ્મ પિતામહે

ભીષ્મ પિતામહે