Monthly Archives: જુલાઇ 2014

અશોક મોઢવાડિયા ના દાયરો (મેહફીલ )ની મજા માણી

img058DSCN0900

 

મારો અનુભવ  મેં અધુરો મુક્યો  .હજી દિલ્હીની વાત ઘણી બાકી છે  .એ હું પછી લખીશ પણ એ પહેલા હું અશોકના ડાયરાની વાત લખીશ  જે લખીને આપને મોકલી પણ દીધી છે  .કૈક મારી અને કમ્પ્યુટર  ની ભૂલના કારણે નથી મોક્લાણી જે હવે  મોકલું છું  .
ફિનિક્ષથી  હું અને મારી ટેક્ષી ડ્રાઈવર ગોરી લલના ભારત આવવા રવાના થયા  .અમો સુરત પહોંચ્યા અહીંથી મારા દોહિત્ર જયદીપ વ્યાસ ને  એની કાર(મોટર )સાથે લીધો  . અમો સ્વામીના ગઢડા આવ્યા  ,પછી સરસાઈ આવ્યા અહી ચમાર ભગતના કુંડ ગોરીને દેખાડ્યા  પછી અમે રા માંડલિકને શ્રાપ આપનાર  નાગબાઈ આઈને મોણીએ આવ્યા  .અમે સહુએ  ગોરીએ પણ  આઈને નમસ્કાર કર્યા  .મેં   આઇની ક્ષમા યાચીને  કીધું કે આઈ તમે રા માંડલીક  ને  શ્રાપ  આપ્યો કે
ડેલીએ દરવાન   રાના કોઈ રેશે નહિ
પેરેગીર પઠાન મામદશાના માંડલિક  એના કરતા એવો શ્રાપ  આપવો હતો કે
ડેલીએ દરવાન  રાના કોઈ રેશે નઈ
જાડેજા જુવાન  તુને માગણ  કરશે માંડલિક
પછી ની વાત  આપે વાંચી લીધી છે  .

આઈ નાગ્બાઈને  મોણીએ ગયા  પછી  બીલખા     આવ્યાં અહી ચેલૈયા  શાગલ્ષા  શેઠની જગ્યા જોઈ  .જે પીપળા નીચે  પ્રભુ સાધુ વેશે  બેઠા હતા  .એ પ્રભુ પીપળો    જોયો  . અને  ગોરીને   વાર્તા   સમજાવી   એટલે  ગોરી બોલી ભગવાન  થઈને  આવી ક્રૂર પરિક્ષા કરે ? અને મને પૂછ્યું  તમારી  ભગવાન  આવી ક્રૂર પરિક્ષા કરેતો  તમે શું કરો  . મેં કીધું  મારી  આવી પરિક્ષા કરવા સાધુ વેશે આવે તો હું એની   દાઢી પકડી  એનું માથું    ખાંડ ણીયામાં ઘાલી દઉં  જો ભગવાન   હોયતો પ્રગટ થાય એટલે હું એને કહું  કે કૃપા  કરીને  આવી ક્રૂર પરિક્ષા કોઈની નો લેતા અને જો વેશધારી  સાધુ હોયતો એને ખાંડ નિયા માં ખાંડી એનું  માંસ  કુતરાને   ખવડવી દઉં  . આ પછી હું સંસ્કૃત  ભણતો  હતો તે આશ્રમ  જોયો  .  પછી અમે ગિરનારની  ટેકરીની  તળેટીમાં આવેલ  રામ્નાથનું    મંદિર જોયું   .અને તેની ટેકરી ઉપરનો હેડીમ્બાનો  માંણી ગો  જોયો  .  કાર  જયદીપે આશ્રમમાં  પાર્ક  કરી દીધેલી  હતી   એટલે અમો   ચાલીને   ગીરનાર વચ્ચે   થઈને   જુનાગઢ   પહોંચ્યા  અને સીધા  અશોક  મોઢવાડિયા ને  ઘરે   ગયા  .અહી મેરામણ ભાઈ   દક્ષા  હિરેન  ,શ્રદ્ધા વગેરેને     અમને  જોઇને  સહુને ઘણી નવી લાગી  .અહી ચા  ,કોફી  ,શરાબ  વગેરે  તૈયાર હતા  .ગોરીએ શરાબ પીવાની માગણી કરી  એટલે અશોક બોલ્યો  .કે અહી દાયરાનો  કાયદો છે કે  જેને ચા પીવી હોય એણે એક ઉર્દુ શેર  પોતાના અવાજમાં  ગાઈને સંભળાવવો પડે  ,એવી રીતે બીડી સિગારેટ  કોફી  પણ  piva માટે એક શેર સંભળાવવો  પડે  ,અને શરાબ ની  બોટલ પીવી હોય તો એક ગજલ સંભળાવવી   પડે  ,ગોરી કહે મને  ગઝલ નથી આવડતી  ,પણ તમે કહેતા હોય તો  એક સ્પેનીશ  ગીત  “ગ્વાન્ત્તાના  મેરા  ગ્વાહીરા  ગ્વાન્તાના મેરા”
સંભાળવું , પછી  બ્લોગર    ભાઈઓ  કે જે દાયરો  મેહફીલ ની મજા માણવા આવેલા રામભાઈ કડછા  ,નરેન્દ્ર જાડેજા  વગેરેનું માન રાખી અશોકે    અપવાદ તરીકે  ગોરીને શરાબ પીવાની  છૂટ આપેલી  ,અમે હું  ,ગોરી ને જયદીપ અચાનકજ  દાયરામાં આવી પહોંચેલા હોવાથી અશોકે જે મારા માટે સિંહાસન બનાવવાનો ઓર્ડર આપેલો એ ડભોઈના સુતાર બનાવી નોતા શક્યા   ,પછી મારા માટે ઊંચું બેસણું તૈયાર ખાટ્લા ખુરસીયું વગેરે  ગોઠવીને એના ઉપર
સાંગા માચી મૂકી ,અને ઉપર ચડવા માટે ગિરનારી  વાંસ અને સાગની  નિસરણી બનાવીને મૂકી
મને ગાંજા  ,ચડસ ,ની વાસ આવવા માંડી  .એટલે મેં અશોકને પૂછ્યું એલા તે આય ગાંજો કોના માટે રાખ્યો છે  .અશોક કહે દાયરામાં   ભવેસરથી  નાગા બાવા આવ્યા છે  ,એ દાયરામાં ભાગ નહિ લ્યે પણ ગાંજો ચડસ પી ને જલસા કરશે  . એ લોકો ને બહુ દુર રાખ્યા છે  .મને નાગા બાવાઓને  જોવા માટે ભીખુદાન ગઢવી લઇ ગયા  .મેં જોયું તો એક બાવો મંત્ર બોલતો હોય એમ બોલ્યો  ग़र्नारि  दूला भेज गांजेका पूला ,नजर करे करड़ी वो मरे टांगा धरडी ,सुका साप गांजेका बाप कड कड़ती कालका भड़  भड़ता  मसान  उज्जड गामका हड़मान
मचादे घमसान  ठंडा पोरकि लेर बावा अवधुतकी मेर  कोई पीवे गांजा और कोई पीवे ज़ेर बम बम  हरदम कमावे दुनिया और उड़ावे हम એવું બોલીને ચલમની સટ મારી અને ચલમના મથાળે  એક એક વેંતની  જ્વાળા પ્રગટ થઇ  .
ગોરીએ  દક્ષાને કીધું  મારા માટે  આતા પાસે  નાનકી  સાંગા  માચી  મુકાવો  હું ત્યાં બેસીશ  .દક્ષાએ  જવાબ આપ્યો કે  એ સિંહાસન  આતા જેવા વી આઈ પી  માટે બનાવ્યું છે ત્યાં તારાથી નો બેસી  શકાય  તું અમારા બાયડી યુના  ઘેરામાં બેસજે  હું તુને જામનગરની બાંધણી  ની સાડી  પહેરાવીશ  . દાયરામાં મારો અમેરિકન મિત્ર ક્રિશ  એની પત્ની પીસીલા  સાથે આવી પહોંચેલો  .
ડો। કનક રાવલ ડો  .રાજા ત્રિવેદી  ગોદડીયા ચોરા   વાળા  ગોવિંદ પટેલ વિનોદ પટેલ  ,પ્રવીણ  કાન્ત  શાસ્ત્રી  પી કે દાવડા ડો  .ચંદ્ર વદન મિસ્ત્રી   પ્રજ્ઞા વ્યાસ ,પ્રવીણ પટેલ  ,પ્રવીણા અવિનાશ  ,અનુરાગ રાઠોડ  .વગેરે ઘણા બધા ભાઈ બેનો  દાયરામાં આવેલા હતાજ  સૌ પ્રથમ એક છંદ બોલીને ભીખુદાન
ગઢવીએ  સભાનું સ્વાગત કર્યું  .અને બોલ્યા કે હવે હું મંચ ઉપર પધારવા અને સૌ ને પોતાના બુલંદ અવાજમાં   પોતાની શેર શાયરી સંભળાવવા  વિનંતી કરું છું  .અને હું તો  બાપુ પોરસાઈ ગયો  .અને નિસરણી ચડવા ગયો  .મેરામણ ભાઈએ હિરેન  ને કીધું  આતાનો  હાથ  પકડ  ક્યાંક પડી બડી જાશે તો ઉપાધી થશે  .એટલે ગોરી બોલી એ પડે એમ નથી  હજીતો ઘણાયને પાડે એમ છે  .
સિંહાસન ઉપર બેસતાં  પેલાં  મેં અશોકને કીધું મારા માટે  બ્રાંડી  નાં  બે પેક તૈયાર રાખજે  .અશોક બોલ્યો  જો બે પેક પીવા હોય તો તમારે બે ગજ્લું  ગાવિયું જોશે    હું કબુલ થયો અને મેં  ગજલ વેતી કરી मेरी माशूक़  मेरे नजदीक  बिठा लेनेके काबिल है
बे वफ़ा खुद गरज माशूक   दूर बिठा लेनेके काबिल है
यारो मैं  इतना बरखुरदार हुँ  है  नेक दिल माशूक़
संग दिल फ़ित्ना गर माशूक़  हटा देनेके काबिल है
किया वादा चाँदनी  रात  का  मिलनेको आये नै
मुकरने वाले तर्के ताल्लुकात करने के काबिल है
आता  श्री  शांत चित्तसे  बैठ  कर ये सोचता  दिलमे
हसद मगरूरी  दिलमेसे  निकाल देनेके काबिल है  .
ખુદ ગરજ =સ્વાર્થી   // બરખુરદાર =ભાગ્યશાળી
સંગદિલ =પાષાણ હૃદયી  //ફીત્નાગર = ઉપદ્રવી
મુકરને વાલે =બોલીને ફરી જનાર  //હસદ =ઈર્ષા
મગરૂરી = અભિમાન
પછી મેં  એક શરાબી ઉર્દુ મિશ્રિત  ભજન ગાવાની શરૂઆત કરી  આ ભજન  “વૈષ્ણવ જનતો  તેનેરે”
એ ઢબથી  ગાઈ  શકાશે
હું દારૂનો પ્યાસી સાકિયા  તારી મદિરા એ મન મોયું રે  ન પીવાનું પાણી મુક્યું પણ દારુ જોયા પછી  ધોયું રે  ……..હું દારૂનો
હળી કાઢી  હું મયકદે આવ્યો સાગર લીધો મેં ચૂમી રે
જોઈ છલકાતા  પય્માનાને  ભાન મારું મેં ખોયું રે   … હું દારૂનો
મદહોશ આંખો  જોઈ સાકીની  ભૂલ્યો મય પીવાનું રે   જામ સુરાહી મેં હેઠાં નાખ્યાં  સાકી સામું જોયું રે
….હું દારૂનો
આંખ મળી  બે હોશ બન્યો હું લડ થડીયા  મેં ખાધાં રે
આંખ થી પીને ન્યાલ થયો હું મન પ્રીતુંમાં  પ્રોયું રે  …હું  દારૂનો
યાદ આવ્યો ઉપદેશ માતાનો  દારુ રવાડે ન ચડતોરે
રામ નામની માળા  પેરી  શાશ્વત સુખ એમાં જોયું રે  ….હું દારૂનો પ્યાસી સાકિયા તારી મદિરા એ મન મોયું રે   //////
મયકદા =દારૂનું પીઠું //સાગર =દારૂ પીવાની પ્યાલી  //પૈમાના = દારૂ   પીવાની   પ્યાલી //મદહોશ = નશામાં  ઘેઘુર  જામ =પ્યાલી સુરાહી ==જગ  શાશ્વત =અમર
પ્રજ્ઞા વ્યાસે એક શેર સંભળાવ્યો
खर्च किया वो धन था तेरा धन कमालेनेके बाद
बाकी धन खर्चेगा कोई तेरे मरजानेके बाद
એમને  ભગરી ભેંસનું  સાકર અને કેસર નાખેલું  દૂધ  મળ્યું  .સુરેશ જાની અને બીજા ઘણા ભાઈઓને અને ગોરીને મહુડાની પહેલી ધારનો  દારુ આપવામાં આવ્યો  .પણ ટૂંકમાં કહું તો અશોકે દાયરામાં સૌ  ને બહુ મજા કરાવી  .ગોરી સાડી  જે પોતાને દ્ક્ષા એ પહેરાવેલી એ સાડી  સંકેલીને પાછી દેવા ગઈ  તો દક્ષાએ  કીધું એ તુને અર્પણ  છે  ; એ વાક્ય દક્ષાનું સાંભળી  ગોરી ફિદા ફિદા થઇ ગઈ  .

रंग लाती है हिना पत्थरपे पीस जानेके बाद सुर्ख रूह होता है इन्सां ठोकरे खानेके बाद

અમદાવાદમાં મારે ઘણી મુશ્કેલીયોનો સામનો કરવો પડ્યો  .પણ હારીને ઘર ભેગો નો થયો  .
મારી પાસે થોડા પૈસા હતા  ,મારા બાપાએ આપેલા એ અને અમદાવાદમાં જેવી તેવી નોકરી કરીને બચાવેલા એ  .મને વિચાર આવ્યો કે હું દિલ્હી જાઉં પાંડવોનું  હસ્તિનાપુર હાલ કેવું છે  .એ જોઉં ગોકુલ મથુરા ની જાત્રા પણ કરું જમના મયા માં સ્નાન કરું  .ફક્ત બડાઈ ખાતર કે હું વૃજ્ભુમીની યાત્રા કરી આવ્યો  .એવો મારો અહં  પોષવા  જેમ લોકો અમરનાથની યાત્રા કરવા જાય છે  .આપ જાણો છોકે અમર નાથ શું છે  .છતાં થોડું કહું  ,
એક મુસલમાન ભરવાડ ઘેટાં ચરાવતો હતો  .એણે ગુફામાં એક બરફનો લંબગોળ ગોળો જોયો  .એણે તે વખતના મહારાજને વાત કરી કે મેં એક ગુફામાં શિવલિંગ જેવી બરફની આકૃતિ જોઈ   .મહારાજા અને તે વખતના પંડિતોએ  “શિવલિંગ” તરીકે જાહેર કર્યું  અને અમરનાથ નામ  નામ આપ્યું અને એ ભરવાડને કીધું  જા એ શિવલિંગ નો માલિક તું અને એનો વહીવટ તું કરજે   તે વખતે  મહારાજને આટલી કલ્પના પણ નહિ હોય કે અમરનાથનું મહત્વ બહુ વધી જશે  ,આમ જોવા જઈએ તો  ઇસ્લામમાં મૂર્તિ પૂજા કરવી ,મૂર્તિ બનાવીને વેંચવી એ પાપ છે  .પણ મૂર્તિ તોડવી જનતાને મૂર્તિ પૂજાથી વિમુખ કરવી એ પુણ્ય છે  .પણ “સ્વાર્થી  દોષો ન પશ્યતિ  “એ પ્રમાણે  મુસલમાન અમરનાથનો  વહીવટ કરતા થઇ ગયો  ,
આ વાત મેં લખી છે  .એ મેં સાંભળેલી છે  .એટલે એમાં કદાચ  થોડું સત્યથી  વેગળું પણ હોય  .આતો પાછી શિવની મૂર્તિ નહિ  .પણ શિવજીનું લિંગ  “લિંગાયત “સંપ્ર  દાય “ના કહેવા પ્રમાણે તમામ મનુષ્યોની ઉત્પતિ શિવના લિંગ માંથી  થએલી છે  .
 મેં અમદાવાદથી દિલ્હીની ટીકીટ લીધી અને હું ગાડીમાં બેઠો  .પ્રાણ શંકરે  મને  સુખડી અને થેપલાનું ભાતું આપ્યું  .આ મુસાફરી દરમ્યાન મને ખુદાબક્ષ  મુસાફરોનો ભેટો થયો  .એમના પાસેથી શીખવા મળ્યું અને નજરે પણ જોયું કે ટીટી ટીકીટ વગરના લુખાઓને  ધમકી આપીને આગલે સ્ટેશને ઉતારી દેતો હતો જેની પાસે પૈસા હોય એને જંકશન થી ડબલ ચાર્જ કરી ટીકીટ આપતો હતો  .જંકશન થી આગળ મુસાફરી કરી હોય  એ લાભમાં  કોઈ કોઈ ટીટી સ્ટેશન આવે ત્યાં ખુદા બક્ષોને  ધક્કા મારીને  ઉતારી દેતો હતો  . અને  સાલે તેરે બાપકી ગાડી હૈ  એવી હળવી ગાળ પણ આપતો અને પોતે મનમાં રાજી થતો  .અને ઘરે જઈને પોતાની બાયડીને આ પરાક્રમની વાત પણ કરતો   .
હું દિલ્હી રેલ્વે સ્ટેશને ઉતર્યો  .અને રખડવું શરુ કર્યું  .મારી પાસે પૈસા હતા એ મારા ફાટેલ ધોતિયામાં છેડે સીવીને રાખેલા અને રાત પડે અમદાવાદની જેમ જ્યાં ત્યાં રાતવાસો કરી લેતો  .કોઈ વખત પોલીસનો ઘૂસતો પણ ખાઈ લેવો પડતો  .અને ચા પાણી ના  પૈસા પણ આપવા પડતા  વધારામાં  ગાળો  પણ ખાવી પડતી  .હું દિલ્હી પાસે વહેતી જમનામાં સ્નાન કર્યું  .કુતુબ મીનાર જેવી પ્રાચીન  ઈમારતો જોઈ  કુતુંબમીનારને સ્થાનિક લોકો “કુતુબશાહ કી લાટ”નાં નામે ઓળખે છે  .ફરતા ફરતા ચાંદની ચોકમાં આવેલી ગુજરાતી ઓની દુકાનો જોઈ   .એક ગુજરાતીએ મને કીધું કે મુંબઈ નો ગયો અને અહી કેમ આવ્યો  .?ચાંદની ચોકમાં આવેલા  શીશ ગંજ સાહેબ  ગુરુદ્વારામાં  જઈને  ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કરી કૃતાર્થ થયો હોઉં એવું મનને  લાગ્યું  .
શિશગંજ સાહેબ ગુરુદ્વારાનો થોડો ઈતિહાસ આપની જાંણ માટે કહું છું  .જયારે  ઓરંગ જેબની  અન્ય ધર્મ વાળા લોકો ઉપર  કનડગત વધી ગઈ  ત્યારે લોકો ગુરુ નાનક દેવ ના નવમા વારસદાર  ગુરુ તેગ બહાદુર પાસે ગયા  .અને વિનતિ કરી કે આ ત્રાસમાંથી અમને બચાવો  .ગુરુએ લોકોને આશ્વાસન   આપતાં  કહ્યું કે   તમે ઓરંગ જેબને કહો કે અમારા ગુરુ તેગ બહાદુર જો ઇસ્લામ ધર્મ નો સ્વીકાર કરે તો પછી અમે તેને અનુંસરસું  .ગુરુની વાણી સાંભળી લોકો પોતાને ઘરે ગયા  .ગુરુ આ બાબત શો રસ્તો લેવો એના વિચારમાં હતા   .પિતાને  વિચાર મગ્ન  જોઈ નાનકડા  બાળક  ગોબિંદ રાયે પૂછ્યું પિતાજી  ઉદાસ દેખાઓ  છો  તેનું શું કારણ છે ? ગુરુએ જવાબ આપ્યો કે  ધર્મ બલિદાન માગે છે  .ત્યારે  સુપુત્ર દીકરા  ગોબિંદ રાયે  કહ્યું કે  બલિદાન આપનાર આપથી બીજો વધારે કોણ છે  .
ગુરુતેગ બહાદુરને  ઓરંગ જેબે બોલાવી મગાવ્યા  .અને ઇસ્લામ ધર્મ અપનાવવા  વિષે સમજાવ્યા પણ ગુરુ પોતાના ધર્મ ઉપર અટલ હતા  .એટલે  માન્યા નહિ  .એટલે ઓરંગ જેબે   વિચાર કરવાની તક આપીને  જેલમાં મુક્યા  .(આજેઈલ  ઇન્દિરા ગાંધીના સમય સુધી સરકારના કબ્જા માં  હતી પણ પછી શીખોના આગ્રહને વશ થઇ  ઇન્દિરા ગાંધી એ શીખોને આપી દીધી )
થોડા દિવસ પછી ઓરંગ જેબે  ગુરુને જેલમાંથી કાઢીને પોતાની પાસે બોલાવ્યા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા સમજાવ્યા  .પણ ગુરુ મક્કમ  હતા  .એટલે  ઓરંગ જેબ એકદમ  ગુસ્સે થઇ ગયો  .અને પોતાની તલવાર મગાવી  અને ચાંદની  ચોકમાં લોકોને  ભેગા કરી લોકો વચ્ચે ઓરંગ જેબે પોતે જાતે ગુરુનું માથું ધડ થી જુદું કરી નાખ્યું  .અને જે ઠેકાણે  ગુરુનો શિરચ્છેદ  કરેલો  એ જગ્યાએ મસ્જીદ બનાવી અને   અલ્લાહુ અકબર  બાંગ પુકારાણી અને નમાજી  નમાજ  પઢવા લાગ્યા  .અને શીખોએ  ઓરંગ જેબ સામે જંગ શરુ કર્યો   .મુગલ સલ્તનતના પાયા હચ મચવા  લાગ્યા  .પછી વખત જતાં  બહાદુર શાહના સમયમાં  એક બધેલ સિંહ નામનો શીખ  એક સો માણસોની  ટુકડી લઇ   જે જગ્યાએ  ગુરુ તેગ બહાદુર નો વધ થએલો અને  મસ્જીદ બનાવેલી  એ મસ્જીદમાં  તોડ ફોડ કરી  ગુરુદ્વારાના રૂપમાં ફેરવી નાખી અને  જે સ્થળે “અલ્લાહુ અકબર “ની બાંગ પુકારતી હતી એ સ્થળે  નગારા વાગવા લાગ્યા  અને”  વાહે ગુરુકા ખાલસા  વાહે ગુરૂકી ફત્તેહ  ” ના  નારા  ગુંજવા  લાગ્યા  .”અને એક માણસ બોલે”  જોબોલે વો નિહાલ ” અને ટોળામાંથી  અવાજ આવે “સત શ્રી અકાલ “
આ મેં જે વાત કરી  એ મતલબના  લખાણની આરસની તકતી શીશ ગંજ સાહેબના  ગુરુદ્વારા  આગળ  લગાડેલી છે  . જેના ઉપર  કોઈએ  ટોચા કરેલા છે  .પણ વંચાય છે ખરું  ,
રાજકોટમાં મેં એક હોલમાં મારા કુટુંબના  સભ્યોના સ્મરણાર્થે  દાન કરેલું છે એમાં એક સ્થળે  ગુરુ  તેગ બહાદુરના  સ્મરણાર્થે  લખાવ્યું છે  .

राहमे बैठाहु में कोई राह संग समजो मुझे आदमी बन जाऊँगा कुछ ठोकरें खानेके बाद

મારા અનુભવો લખવાનો  છું એ પહેલાં ફરીથી મને વાંચવી અને વંચાવવી ગમે એવી કોમેન્ટ લખું છું  ,સુપર્નખાએ ભલે મારી સાથે સ્વપ્નમાં  લગ્ન કર્યા પણ બહુ ચગી  .
પ્રવિણા અવિનાશ
आताजी आपको सादर प्रणाम   आप इस देशमे क्यासे क्या बन  गए
अमरिकासे छलांग लगाके लंका गए  .suparnkhajiko hamara  प्यार देना
વિનોદભાઈ પટેલ
પ્રેમથી બનાવેલી કઢી પીવાની ઈચ્છા ન હતી  ,પણ દીકરીનો પ્રેમ જોઈ  બે વાટકા કઢી પી ગયા  .આ વાત મને બહુ ગમી  .
આતાજી છેલ્લી જિંદગીમાં એકલા રહેતા હોવા છતાં  બધાનો આવો નિર્મળ પ્રેમ મળે એ આ દેશમાં એક ભાગ્યજ  કહેવાય  .
પ્રજ્ઞા બેન વ્યાસ

મોજ કરાવી  આમ લખીને  “મીર”ની એક આખી ગજલ લખી  .એની છેલ્લી કડી ભાવાર્થ સાથે લખું છું
“मीर”को दिन -ओ -मज़हबको अब पूछते क्या हो उन्नेतो
कश्का खींचा देरमें बैठा कबका तर्क इस्लाम किया
ભાવાર્થ ;-મીરને  ધર્મ હવે પૂછો છો શું ?
એતો ટીલાં ટપકાં કરીને મંદિરમાં બેસી ગયો  .અને ક્યારનોયે  ઇસ્લામ છોડી દીધો  .
અશોક મોઢવાડિયા
એણે એની મેરની ભાષામાં કોમેન્ટ આપી
આ તમારો મુછાળો હડમાન દાદો અહી ભેરવ જપના પાસે હતી એટલી બધી જડી બુટી વાળી ઝૂડીને લઈ ગયો  .હવે અમારે નસીબે સુર્પનખા જેવી નાક કટી આવે તો અમારે શું મંજીરાં  વગાડવાના ?
મારા વાલા આતા અહી અમે મેનત કરી હડમાન દાદાને મદદ કરી અને જડી બુટી મોકલી  .અને અમને તો તમે જાનમાં નો લઇ ગયા ?એમ અશોકે ધોખો કર્યો  .અને પછી લખ્યું  .પછી અમારા તમને પાપ લાગેજને ?અને પછી તમને તમારું સ્વપ્ન તોડવાવાળી
હડીમ્બા જેવી ટેક્ષી વાળીજ  ભટ  કાયને ?પણ જવા દ્યો ઈ વાત હવે મારેતો ઝટપટ લંકા  તરફ ભાગવું પડશે  .કદાચ લંકાના જંગલમાં જડી બુટીઓ મળી આવે  .બહુ મોજ કરાવી આતા
આતાનું સ્વપ્ન એટલે આતાનું સ્વપ્ન  વાતને  કયાની ક્યાં  પુગાડી  ઘણી ખમાં
કાળા બજારની  વસ્તુ વેચવામાં ઘણું જોખમ  પકડાય જવાય તો કદાચ જેલમાં પણ જવું પડે  .અને એ કાયમની કાળી ટીલી  .એટલે એ ધંધો મુક્યો  .અને નોકરીની શોધમાં અમદાવાદ જવા રવાના થયો  .મારા બાપાએ થોડા ખીસા ખર્ચીના પૈસા આપ્યા ;અને મારી માએ સફળતા મળે એવા આશિષ આપ્યા  અમદાવાદમાં  હું ફક્ત આશ્રમના ભૂત પૂર્વ વિદ્યાર્થીને ઓળખું  . આ ભાઈ બીલખા આશ્રમની શાખા એલીસબ્રિજમાં વલ્લભ ભાઈ પટેલ પુલ (બ્રીજ)પાસે છે  ,હું ત્યાં પહોંચ્યો અને આશ્રમ ચલાવતા હતા  તે તભા ભાઈને મળ્યો  તે અને તેની પત્નીએ મને પ્રેમથી આવકાર્યો ( એમનું ખરું નામ આપવાની ઈચ્છા નથી થતી )એમને ત્યાં હું ખાઉં  પીયુ અને શહેરમાં નોકરીની  તપાસ  કરું   ,
આશ્રમના અર્ધા ભાગમાં બોર્ડીંગ હતી અને તેમાં બ્રાહ્મણ  વિદ્યાર્થીઓ રહેતા ટભા ભાઇના લગ્ન બહુ મોટી ઉમરે થએલા  ઉમરની સરખામણીમાં એમના પત્ની ઘણી નાની ઉમરના હતા  .છોકરીના બાપ મારા બાપાની જેમ પોલીસ પટેલ હતા અને મારા બાપાના મિત્ર હતા  .તભા ભાઈ એની પત્ની ઉપર બહુ શંકાની દૃષ્ટિથી જુવે   હું મારી જો આપની આગળ સચ્ચાઈથી દિલ ખોલીને કરું તો એ ઉમરે હું કોઈ છોકરીને કુ દૃષ્ટિથી  જોતો નહી  એવી મને  ટેવ  નોતી।  આવી ટેવ બાબત હું મારી  માને યશ આપું છું , એક વખત તભા ભાઈની વહુએ મારી પાસે બંગડી   મગાવી   અને મને પૈસા આપવાની વાત કરી  મેં એને કીધું કે મારે પૈસા જોતા નથી  .મેં એને  એણે ધરી હતી એના કરતા બહુ સારી જાતની બંગડી લાવી આપેલી એ બહુ ખુશ થઇ  .અને હર્ખુડીએ  એના ધણીને  વાત કરીકે આ બંગડી ઓ  મને  હિંમત ભાઈએ લાવી આપી છે  . બસ પછી થઇ ચુક્યું  .એના ઉપરતો તભા ભાઈ ખીજાનાં  અને એના ઘરમાંથી ધમકી આપીને મને  કાઢી મુક્યો  . પછી હું દિવસના નોકરી માટે રખડતો અને રાત્રે કોઈની દુકાનના ઓટલા ઉપર સુઈ રહેતો કોઈ વખત પોલીસ મને ઉઠાડીને દુર મૂકી આવતા  હું પ્રભુનો ઉપકાર માનું છું કે પોલીસે મારા ઉપર ખોટો કેસ કરીને જેલમાં નો મુક્યો  .
આખરે મેં એક રીચી રોડ ઉપર  આવેલી ગુજરાત લોજ માં પીરસનીયા તરીકે નોકરી ગોતી કાઢી પણ મારા કરમમાં  સુવાનું તો ફૂટપાથ ઉપરજ હતું  .
એક વખત એક માસિક જમતા છોકરાએ મને કીધું કે મહારાજ તમે સાવ બુધ્ધુ છો  સાંભળીને મને ગસ્સો આવ્યો  અને મેં એ છોકરાને જોરથી થપ્પડ મારી ભો ચાટતો કરી નાખ્યો  એના કપડાં ડાળ શાક ઢોલા વાના લીધે બગડી ગયા  . હું રસોયા અને શેઠની  મારની બીકે લોજના ગંધારા  લૂગડાં પહેરેલાં તે સાથે  ભાગી ગયો  એ ફરુથી આજની ઘડી સુધી એ લોજમાં પગ મુક્યો નથી  .પછી હું બીજી કોઈ નોકરી ગોતવા માંડ્યો  .હું કાલુપુરના સ્વામીનારાયણ મંદિરે ગયો ત્યાના ચોકીદાર  સ્વર્ન્સિંગ  સાથે  ઓળખાણ થઇ સ્વર્ણ સિંગ  મને ખાવાનું લાવી આપતો  .એણે  મારી  સુવાની પણ વ્યવસ્થા  કરી આપી  .આમ રખડતાં ભટકતા મને આશ્રમનો મારી સાથે ભણતો  વિદ્યાર્થી પ્રાણશંકર મળ્યો  .તે ઢાળની પોળમાં કોકની રસોઈ કરતો  .આ સંસ્કૃત ભણતા વિદ્યાર્થીની દશા  .બે બીજા વિદ્યાર્થીઓની ભેગાભેગી વાત કરી દવું  મહાશંકર અને ફૂલશંકર બંને જુનાગઢ પોલીસમાં ભરતી થઇ ગએલા  .પ્રન્શાન્કારે એની શેઠાણીને મારા વિષે વાત કરી કે હિંમત લાલ મારો મિત્ર છે  .અને એને રહેવા જમવાની  તકલીફ છે  . તે થોડા દિવસ મારી સાથે રહે એવું તમે કરી આપો તો તમારો ઉપકાર હું કદી નહિ ભૂલું  શેઠાણીએ પ્રાણશંકર ને  કીધું કે એના માટે બંને સમય તું  ખાવાનું  લઇ જજે પણ કદાપી ઘર દેખાડતો નહિ   .    

જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે પ્રેમ ભાવ કુબોમાં હશે પણ પાકા મકાનોમાં અભાવ

પ્રિય મિત્રો (બેનો અને ભાઈઓ )આપ સહુને મારી “લંકાની  લાડી” વાળી વાત ગમી હોય એવું મને લાગ્યું  .  કેટલાક  શ્રી  પ્રવીન્કાંત  શાસ્ત્રી  જેવા  સ્નેહીઓનું  કહેવાનું  છેકે   મારે   મારા  જાત  અનુભવો  પણ   લખતા  રહેવા   .અને મને પણ એમ  લાગે  છેકે  હું  વધારે  ભૂલકણો  થઇ જતા  પહેલા    મારા  અનુભવો  લખતો  રહું  .પહેલા મને મારી જૂની  વાતો  યાદ  રહેતી  હવે એ  વાતો  , મિત્રોના  નામ  પણ ભૂલી જવાય  છે   .તરતના બનાવો તો ભૂલી જવાય  એતો 70 વરસની ઉમર વિતાવી ચુકેલા કે તેથી પણ નાની ઉમરના લોકો   ભૂલી જતા હશે  .પણ જૂની   યાદ  દાસ્ત  એમની   તાજી  હશે  પણ હું તો એ પણ હવે ભૂલવા માંડ્યો છું  .
મેં અંગ્રેજી  વિના  7 ધોરણ  ગુજરાતી  પુરા કર્યા   હું ભણવામાં  હોશિયાર  હોવા છતાં મારા બાપની   ગરીબીએ  મને આગળ  ભણતો  અટકાવી  દીધો  .જુનાગઢ   બોર્ડીંગ  રહીને આગળ  ભણવાની  તપાસ  કરી  તો માસિક  20 રૂપિયા  ભરવા  પડે   જે મારા માસિક  12 રૂપિયાના  પગારદારને   કેમ પોસાય  પછી મને  શ્રીમાંન્નાથુરામ   શર્માના  બીલખા આશ્રમમાં સંસ્કૃત   ભણવા મુક્યો   પણ મારા બાપે આશ્રમના   સત્તાવાળાઓને   કીધું  કે મારા દીકરાને  કમકાંડનું   યજ્માંન્વૃતીનું   નથી  ભણવું  પણ કાલિદાસના  કાવ્યો નાટકો જેવું  સંસ્કૃત સાહિત્ય   ભણવું છે  .
આશ્રમમાં  ભણાવનારા    બે  શિક્ષકો હતા  એક શાસ્ત્રી  તરીકે  ઓળખાતા  અને બીજા  પંડિતજી  તરીકે ઓળખાતા  શાસ્ત્ર્જીને  અમે  વિદ્યાર્થીઓ  નાના  ગુરુજી અને પંડિતજીને   મોટા  ગુરુજી તરીકે સંબોધતા
નાના ગુરુજી  દયારામ  મોઢા  સંધ્યા વંદના , દેવતાઓની    સ્તુતિઓ  અને  ભાગવત  વાંચી  શકે સત્ય  નારાયણની  કથા  કરી શકે એવું કમકાંડનું શીખવતા   જયારે મોટા ગુરુજી રઘુનંદન ઝા કાલિદાસના કાવ્યો  નાટકો  .અને સંસ્કૃત વ્યાકરણ  શીખવતા  રઘુનંદન  ઝા  વિહારના  મૈથીલ  બ્રાહ્મણ હતા   જે ની પાસે   ન્યાય  .વ્યાકરણની  ડીગ્રી  હતી  .
શરૂઆતમાં   મને શાસ્ત્રી  પાસે  ભણવા મુક્યો  .મેં તેમની  પાસે આશ્રમના કાયદા પ્રમાણે સંધ્યા  .દેવ સ્તુતિઓ  .ત્રણ  મહિનામાં   શીખી  લીધું   જે આશ્રમના લાડવા ખાઈને  પડ્યા  રહેતા હતા તેઓ  આગળ    વધ્તાજ નોતા    કેટલાક  પાંચ  વરસથી  રહેતા હતા  .
હું પંડિતજી પાસે ભણવા માંડ્યો  .પાણીની  મુનિના   વિશાલ સંસ્કૃત વ્યાકરણ  માં  પ્રવેશ  કરવા   લઘુ  સિધ્ધાંત      કોમુદી   ભણવાની  શરૂઆત  કરી  . એનો  પહેલો  શ્લોક
नत्वा  सरस्वती  देवी  शुद्धधाम   गुण्याम   करोमि  हम
पाणिनीय  प्रवेशाय   लघु  सिद्धांत कौमुदी
आने  पछि   अइउण्  ,रुल्रुक ,   ऍ  ओंग  ,हयवरतलान   ,यंगणनाम ज़भय  , खफछत्तव  चटतव्  कपय    ,श  ष  र   हल  .
आ  वांच्या पछि  मने
 પાણીની મુની  પ્રત્યે  બે  હદ  માન  ઉત્પન્ન થયું  ,પ્રખર  લેખક  ચંદ્રકાંત  બક્ષીના  કહેવા  પ્રમાણે વિશ્વની કોઈ  ભાષા   સંસ્કૃત જેટલી સચોટ   નથી   .પણ ઓલી કહેવત પ્રમાણે “ફાવ્યો   વખણાય  “એ મુજબ ઈંગ્લીશ  આગળ નીકળી  ગઈ   .
બીલખા આશ્રમ ની વાતો આગળ લખી છે  .એટલે એના પછીનો મારો અનુભવ લખું છું  .જયારે મારા તોફાનો હદ વટાવી ગયાં  .એટલે મને આશ્રમમાંથી કાઢી મુક્યો  .પછી મેં કાળા બજારમાં વસ્તુઓ વેંચવાનો ધંધો શરુ કર્યો  .ખાસતો હું  કાળા બજારમાં ખાંડ વેચતો મારા ગામ દેશીન્ગામાં મારી ખાંડના ઘરાક છએક જણા  ખાસ  હતા  .એમાં   દેશીગાના દરબારનો  સમાવેશ થતો હતો  .મારા બાપા માણાવદર પાસેના ગામ  ભાલેચડા  માં પોલિસ પટેલ હતા  .નજીકનું ગામ છત્રાસા  ગોંડલ રાજ્યનું હતું  અહી ખાંડ  ઘણી સસ્તી મળતી છત્રાસાના  પોલીસ પટેલ અને મારા બાપાને મિત્રતા હતી  .એટલે મારા બાપા ત્યાંથી ખાંડ લઇ આવે અને હું પછી દેશીન્ગા લઇ આવું  બહુ જોખમનો ધંધો હતો  .પણ  કમાણી ખુબ થતી  .એક વખત હું ખાંડ લેવા જવાની તાતી જરૂર પડી  . આ વખતે  ચોમાસું હતું   .ગામ નદીના મોટા પૂરથી ઘેરાએલું હતું  .રેલ્વે સ્ટેશને જઈ શકાય એમ નોતું  ફક્ત સમેગાના રસ્તે ગોઠણ સુધી  પાણી હતું  .સદભાગ્યે  વરસાદ વરસતો નોતો સાંજ પડી રહી હતી  .લોકો   ઉભા  ઉભા પાણી જોતા હતા  .સૌ સાથે હમીર જેતા કન્ડોરીયા પણ ઉભા હતા  .એ જમાનામાં  ગુજરાતીઓની જેમ નામની પાછળ ભાઈનો પ્રત્યય નોતો લાગતો ગામ સગપણના  નાતે  હમીરભાઈ ને હું ભાઈ કહેતો તેઓ મારાથી મોટી ઉમરના હતા  .પણ  તે વખતે  તુકારાત્મક શબ્દ વાપરી શકાતો તેઓ પાસે લાકડી હતી  .રાત પડી રહી હતી  .મારે કાળી મેઘલી રાતમાં 7 ગાઉનો પંથ  ચાલીને કાપવાનો હતો  .મેં હમીર ભાઈને કીધું  . હમીર ભાઈ મને તારી લાકડી દે  .એણે મને  લાકડી આપી  .અને હું ઉપાડ્યો  .ભૂખ લાગેતો ખાવા માટે મેં સુકું કોપરું અને ગોળ લીધેલો  .પછીતો રાત પડી ગઈ  ,તમરાં બોલવા માંડયાં  .સમેગા સુધી હું નો પહોંચ્યો  ,ત્યાં હું  રસ્તો ભૂલ્યો  .એ વખતે કયાંય ઇલેકટ્રીકની સુવિધા નહિ   .માણાવદરના  દરબારે માણાવદરમાં  
ઇલેકટ્રીકની સગવડ કરેલી  એટલે એ બત્તિઓને  જોતો જોતો હું ચાલવા માંડ્યો આડેધડ  . મારા માટે ઊંઘ  ,ભૂખ  ,અને થાક  આ ત્રણ શત્રુઓનો  સામનો કરવાનો હતો  .હું કોપરું  ગોળ ખાઈને બીડમાં મોટા મોટા ઘાસ વચ્ચે સુતો  .મેં બરાબરની ઊંઘ કરી  .અને ઉઠ્યો   મોસૂઝણું થઇ ગયું હતું  .થોડી વારમાં માણાવદર આવ્યું  .અને પછી ભાલેચડું આવ્યું  .સવાર પડી ગયું હતું  . ઘરના સૌ ને હું ચાલીને આવ્યો છું  .એ જાણી આશ્ચર્ય  થયું  .બાપા ખાંડ લેવા  છત્રાસા જવા રવાના થયા  .અને ખાંડ લઇ  આવ્યા  . એક મણ ખાંડ હતી  .પોટકું બાંધ્યું  .પોટકામાં ઉપરના ભાગે  થોડાં રીંગણ  ગોઠવ્યાં એટલા માટે કે  આ પોટકામાં ખાંડ છે  .એવો કોઈને  વહેમ  નો જાય  . અને પછી માણાવદર  રેલ્વે સ્ટેશનથી  ગાડી પકડી અને સરાડીયા સ્ટેશને ઊતર્યો હવે પુર ઉતરી ગયું હતું  .વરસાદ વરસતો નોતો પણ ગારો (કીચડ) ખુબ હતો  .હું ગારો  ખુન્દ્તો  ખૂંદ  તો  સાંજે ઘરે પહોંચ્યો  .ખાંડના ઘરાકો મારી વાટજ  જોતાં  હતાં   .એટલે ફટાફટ ખાંડ  વેંચાઈ ગઈ  .
એક ખામ્ભલામાં  કે એવા કોઈ ગામમાં એક વેપારી બહુ સાવધાનીથી  કેરોસીન વેંચતો હતો  .કેરોસીનના ડબાઓ દુર કોકના ખેતરમાં  છુપાવેલા હતા  મારે કાળા  બજારમાં વેંચવા માટે  કેરોસીનની જરૂર પડી    . મેં ડબો   ખરીદ્યો  અને ઉપાડીને રવાના થયો  .ડબો  જરાક  તૂટેલો હતો   .એટલે  બહુ ધીમી ગતિએ કેરોસીન ઢોળાતું હતું   .અને મારા પહેરેલા કપડા ઉપર પડતું હતું  .જો કોઈ મારી બાજુમાં  બીડી સળગાવે તો જો એનો તણખો મારા ઉપર પડે તો  હું અંતરિયાળ  સળગી મરું  . હું  ડબાને  ચોટાડવા માટે  મીણ લેવા  માણાવદર  ની  સીમમાં  વાદીના  કૂબામાં ગયો કેમકે  એ લોકો પોતાની મોરલીને  ચોટાડવા  મીણ રાખતા હોય છે  .મારે આ ડબો સાંધવા મીણ  જોઈએ છીએ એમ મેં ઘર ધણીને  વાત કરી  એટલામાં એક  પંદરેક વરસની  વાદીની  છોકરી નાના બાળકને  રમાડે એમ  મને  રમાડવા માંડી  .  વાદીએ  એક કપડાનો કકડો ડબામાં તૂટેલી જગ્યાએ મુક્યો   .અને પછી એના ઉપર મીણ ચોતાડ્યું   . અને કાણું બંધ  કરી દીધું  .મેં એને પૂછ્યું  કેટલા પૈસા આપું ? તે બોલ્યો  નાં બાપુ મારે એકેય કાવડિયું  નથી  .જોતું  ઘરોઘર  સાપ દેખાડીને  ભીખ  માગી ખાનારની  ઉદારતા જોઈ  મને એના ઉપર બહુ માં ઉપજ્યું   .
જેને ક્યે છે  નિખાલસતા  જેને ક્યે છે પ્રેમભાવ
કુબોમાં હશે પણ પાકા મકાનોમાં અભાવ  ,
जिसको कहते है  मुहब्बत  जिसको कहते है  खलुस
ज़ोपड़ोमे  है तो है  पुख्ता  मकानोमे नहीं  ,   

લંકાની લાડીને ફિનિક્ષનો વર સૂર્પણખા આવી આવી આતાને ઘર

DSCN0165

ગિરનારી  જડી  બુટીથી  સૂર્પણખાનાં     નાક  કાન  નવા  થઇ  ગયા   .પછી  સૂર્પણખાનાં રૂપ  જોઈ  આતા ભેટી  પડ્યા  .

DSCN0892

આ મારો ટેક્ષી વાળો કે હું confucius ના વંશનો  છું  ,એટલે  મને પણ  જાનમાં લઇ જાઓ  .

DSCN0844

 

રાવણના  એક  વનમાં  સોનાનું  જાકીટ  પહેરેલું  પક્ષી

DSCN0882

આ ટેક્ષી વાળીએ  મને સીનીયર સેન્ટરમાં  લઇ જવા માટે  ફોન કર્યો અને मेरा सुन्दर सपना  टूट गया  .

 

મારા એક મિત્રે નાનકી પાર્ટી રાખેલી  મને  પાર્ટીમા  આમંત્રણ  આપેલું મિત્રની  કોલેજીયન  દીકરી  દૃષ્ટિ મને કાયમ સ્વાધ્યાયમાં  લઈજાય  .દૃષ્ટિને  મારા ઉપર ખુબ હેત
દૃષ્ટિએ એની માને પૂછ્યું પાર્ટીમાં કાકા (હું )આવવાના  છે ? .જવાબ મળ્યો  હા  તો તો  કાકા માટે કઢી હું બનાવીશ  ,
મને કઢી ખુબ  ભાવે પણ  મને ખાવી  ગમતી નથી  કારણકે એમાં ચપટીક  ચણાનો લોટ નાખ્યો  હોય અને મરી મસાલો  નાખી છાશમાં  ખુબ ઉકાળી  હોય  .એટલે કઢી  ખાવી એ પેટને મહેનત   કરાવવી  એવું  હું માનું  ,
નૈ પ્રોટીન  નૈ કલેસ્ત્રો  પણ ભલેરો   સા  (સ્વાદ)
ગરાસીયા     ભાઈની  માનીતી  કઢી રૂપાળી બા
હું   જમવા ક્ધીતો  બેઠો   બીજી  વાનાગીયો સાથે  કઢી  પીરસાની  મેં  નાં   પાડીકે  કઢી મને નહિ આપતા દૃષ્ટિ આ મારું વાક્ય  સાંભળી  gai અને દોડતી  મારી પાસે આવી  અને  બોલી  કાકા કઢી કેમ નથી ખાવી ?ક્ઢીતો મેં  જાતે   તમારા   માટે  ખાસ બનાવી  છે  .મારો કીમતી  સમય વાપરીને  .  મિલે  दस्ते महोबत से  वो कढ़ी मै क्यों न पि  जावु  . वो ज़हरभी  हे  तो मेरे हक़ में कंद  हे  यारो   . એમ સમજીને  હું બે વાટકા   કઢી પી ગયો  .દૃષ્ટિ ખુશ ખુશ થઇ ગઈ   મહાદેવને  દેવતાઓએ  પ્રેમથી જેર  આપ્યું   શિવે   પી લીધું   એમને   પણ પેટમાં  ન જવા  દીધું  .ગળામાં અધવચ્ચે અટકાવી દીધું  .
प्रेम  सहित  विष खाइके  शम्भू भये  जगदीश
बिना प्रेम  अमृत  भख्ये राहु  कटायो  शीश    પાર્ટીમાંથી  જમી  પરવારી  હું ઘરે આવ્યો   .અને  સુતો  ;
અહી  સુધીની  વાત  સત્ય  અને હવે પછીની   વાર્તા   મારા ભેજાની   નીપજ   …………
હું બરાબર  ઊંઘી  ગયો અને મારો ડોર bel  વાગ્યો  . મેં બારણું  ખોલ્યું  . જોયું   તો એક નાક  કાન કપાએલી  ખુબસુરત    જુવાન  છોકરી  ઉભી  હતી   મેં એને પ્રેમથી આવકાર   આપ્યો   અને ઘરમાં  સોફા  ઉપર બસાડી   .
ભજનમાં   કીધું છેકે
હેજી તારે આંગણિયે  કોઈ  આશા  કરીને આવે તો  આવકારો  મીઠો આપજે  હો  ઓ જી
કેમ તમે આવિયા છો  એવું નવ   પૂછજે  રે
એને   હરવે  હરવે  તું બોલવાને  દેજે  રે
એમ મેં એને કઈ પૂછ્યું નહિ  .એ બોલી કે  હું રાવણની  બેન  સુર્પર્નખા છું અને રામના ભાઈ  લખ્મને  મેં એની સાથે પરણવાનો  પ્રસ્તાવ  મુક્યો    એમાં એ ખીજાય ગયો અને મારા નાક કાન  કાપી નાખ્યા   અને મને કુરૂપ   કરી   એટલે એની દવા  કરાવવા  માટે   હું   પ્રવીન્કાંત
શાસ્ત્રી પાસે ગઈ  ‘એણે  મને કીધું કે  મારી આમાં   બાખ  બૂડે એમ નથી   .માટે તું   આતા  પાસે જા  એતુને  એવી  જડી બુટી  આપશે  કે તારા   નાક કાન  નવા  ફૂટી   નીકળશે   જેમ વડ્લામાં  કુંપળો   ફૂટે  છે એમ   એટલે હું તમારી  પાસે આવી છું  .એની વાત સાંભળીય પછી મેં તુર્તજ  વિનોદભાઈ પટેલના ગામના  સ્વામીનારાયણ મંદિરના  મુછાળા હડમાન  દાદાની  આરાધના  કરી એટલે દાદા તુરત  પ્રગટ થયા  .અને મને  પૂછ્યું  બોલ તારે મારું શું કામ પડ્યું .? મેં મારા બે હાથ જોડીને  કીધું  .દાદા મારે  થોડી જડી બુટી  કારી મુતરી  ,ધોરી મુતરી  પીરી મૂતરી     પીતરી  મૂતરી જોઈએ છીએ અને આ જડી બુટી ગિરનારના  ભેરવ જપના  પાણા પાસે  ભરતવન શેશાવન  હનુમાન ધારા પાસે મળી આવશે  . જો તમે કોઈ જડી બુટીનું  નામ ભૂલી જાઓ   તો આખો  ગીરનાર નો ઉપાડી લાવતા    પણ મને ફોન કરીને  પુછજો  .મારી વાત સાંભળી  મૂછોને    તા  દેતાકને  તુરત ઉપડ્યા   એ વખતે મેં તેમને કીધું કે દાદા તમને કોઈપણ જાતની મદદની  જરૂર પડે  તો અશોક  મોઢવાડિયા ને મળજો  .
પળવારમાં તો હડમાન દાદા જડી બુટી લઈને   આવી પહોંચ્યા  .અને મેં  પીળા  આરસના  ખરલમાં   વાતી  ઘૂંટીને  તૈયાર કરી અને એની અંદર  મેં સુવર્ણ ભસ્મ ભેળવી  જે  મને  પી કે  દાવડા એ આપેલી  .મેં મલમ  તૈયાર કર્યો  .મલમને  ઉર્દુમાં  મરહમ  કહે છે  .આ મલમ હું સુપર્ન્ખાને   લગાવવા માંડ્યો  .
सुरपंखाके जखम पर  मरहम  लगाने हम गए
वोतो अच्छी  हो  gai लेकिन  मर हम  गए
મલમ લગાડ્યા  પછી  સુર્પન્ખા  રૂપ રૂપના  અંબર   16 વરસની   સુંદરી થઇ ગઈ  એટલે મને કીધું કે  હવે  આપણે    લગન કરી લઈએ  તમે એકલા છો એની મને દયા  આવે છે  . મેં કીધું અરે તું 16 વરસની સુંદરી  ક્યા હું સુરેશની  ભાષામાં કહું  તો  ખખડ  ધાજ  દોહો    આપનાથી  લગન નો થાય  .એણે  મારી વાત  ધ્યાનથી   સાંભળી અને પછી બોલી  ચ્યવન ઋષિને  એની  બાય ડીએ   ઓશાધી   ખવડાવીને  જુવાન નોટા  કરી દીધા  ? એમ હું તમને  મારી લંકાની ઓશાળી  ખવડાવીને   19 વરસના જુવાન છોકરા કરી દઈશ   એને  પણ મારીજેમ  હડમાન દાદાને  બોલાવ્યા  અને લંકાથી ઓશાધ લાવવા વિનંતી કરી  સુર્પન્ખાની  વાત સાંભળી  દાદાએ   દાન્તીયું  કર્યું અને બોલ્યાકે   હું  બ્રહ્મ ચારી  વિષય વાસના વધે એવી ઓવ્શાધ  નો લાવી  આપું   . પછી સુર્પન્ખાએ  એના  ભત્રીજા  ઇન્દ્ર્જીતને   કીધું  ઇન્દ્રજીત   જડી બુટી  લંકાના જંગલો  માંથી  લઇ આવ્યો  . મેં એનું  સેવન  કર્યું અને હું  પાટુ મારીને  પાતાલ  માંથી  પાણી  કાઢું એવો બળવાન  થઇ ગયો  .પછી  સુર્પન્ખા  લંકા  ગઈ અને રાવણ  ને  પોતે   આતા સાથે  લગ્ન   માગે છે   એવી વાત કરી અને પછી ઘડિયા લગન લેવાણા  કાલ    ચતર્દશીનું   મુરત આવ્યું   ,  રાવને  વધુમાં કીધુકે   અહી  મેં એકેય  બ્રાહ્મણ  રહેવા નથી દીધો  .એટલે લગન કરાવનાર  બ્રાહ્મણ તમે લઇ આવજો  એટલે મેં   નાયગ્રા ફોલ્સ  વાલા કનક પંડ્યાને કીધું  કનક   પંડ્યાએ કીધું કે કાલીચતર્દશીના   દિવસે હું લગ્ન નો કરાવું  પછી ગોદડીયા ચોરા વાલા કોદાળા   ગોરબાપાને તેડાવ્યા   .અને જાન ઉપડી જાનૈયા ડો .રાજેન્દ્ર ત્રિવેદી  કનક રાવલ  ચંદ્રવદન   મિસ્ત્રી  ગોવિંદ પટેલ વિનોદ પટેલ શકીલ મુનશી  વલીદા હરનીશ જાની અતુલ જાની અનીલ ચાવડા   કરીશ  સુઅઝો  વગેરે   સહ કુટુંબ પધારેલા  જાનાડીયું પ્રજ્ઞા વ્યાસ  ,પૂર્વી મોદી મલકાન  રેશ્મા જોશી પારુ  પંડ્યા  વગેરે  હતિયું   અને જાન રાવણે  મોકલેલ   વિમાનમાં   રવાના  થઇ અને ગીત   ઉપાડ્યું    સુર્પન્ખા  બેઠી  લંકા ગઢ  મોજાર  ઓલો   મોરલીયો   બેઠોરે  ફિનિક્ષ   શેરમાં   માણારાજ અને બાપુ જાન   લાડી  લઈને   ફીનીક્ષ  આવી  અને પછી   લંકાની  લાડી લઈને આતા  મધુ  રજની   માણવા  હવાઈ  જવા  રવાના થયા  . ત્યાં  તો  ટેલીફોન ની ઘંટડી  વાગી  અને મારું સ્વપનું    તૂટી  ગયું  મેં ફોન ઉપાડ્યો  એ મને સીનીયર  સેન્ટરમાં  લઇ જવા માટે  ટેક્ષી વાળી   બાયડી હતી  .
રાવને પોતાની બેન સુપર્ન્ખાના લગ્ન બહુ ધામ ધૂમથી  કર્યા  .નવે ગ્રહને સેવા   સરભરા કરવા માટે બોલાવેલા  ગાંધર્વને  ગીતો ગાવા માટે બોલાવેલા અપ્સરાઓને નૃત્ય કરવા બોલાવેલી   .એમાં   વિશ્વામિત્રનું  તપ ભંગ કરનાર અને પોતાને  ગર્ભવતી કરવા માટે વિવશ  કરનાર મેનકાને ખાસ બોલાવેલી  .મધુરાય ઠાકરે   આતાએ   બનાવેલ  ગઝલ  ગાવા માટે ફરમાઇશ કરી  , જે ગઝલ “બ્રિન્દા   બંકા   કિશન કનૈયા   સબકી  આંખોકા તારા ” એ ઢબથી   ગાઈ  શકાય    छे  .
 साक़ी पिलादे  आज तू  मुझको गमका मारा आया हुँ
गमका मारा आयाहु  और  रंज से हारा आया हुँ। ……।साक़ि
सिर्फ दो बून्द  मै  पि लूंगा और ज़ख्मे जिगर को  सी लूंगा
क़सम हे तेरी ज्यादा: पीयू तो  तोबा करके  आया हुँ  …साकि
दैरो हरम में जाकर आया  कही  मिटा नहीं गम  मेरा
जा पहुंचा जब मैखाने में साक़ी से   सुकु पाया  हूँ
“आता” को मई खार समज के  दुनिया ने  ठुकराया  है

जाम  छलकता  सहबा देके साक़ी ने अपनाया  है। ।साक़ि
जयदीप  व्यासका मद्रासी सब्जी वालेने   तामील गीत गानेकी फरमाइश  भेजी तो 9 सालकी सलमा फातिमाने तामील गीत गाया गाना सुनके सब लोगोने बड़ी जोरसे तालियां बजाई
सच बोलिए आपको ये मेरा अफ़साना कैसा लगा ?
साक़ी =शराब पिलाने वाली  / गम= दू:ख /रंज=तकलीफ
तोबा =प्रतिज्ञा /दैरु – हरम  =मंदर  मस्जिद /मैख़ाना =मदिरालय /सुकूं =सुख , चैन  /मैखर =शराबी  /सहबा  = लाल  रंगकी  मदिरा  /अफ़साना =वार्ता स्टोरी
 सुपर्णखा से  जबसे  उल्फत शुरू किया है
लंकाकी ओषधीने    जवांमर्द  बना  दिया  है
હજી   મારી  પાસે લંકાની  ઓષધી છે   .
 

 

યુ .એસ .એ ની થોડીક વાતું કઈ જાજેરી કેવા જેવિયું નૈ(નહિ )

 

 હું અમેરિકામાં પહેલ વહેલો 1969 માં ફરવા આવ્યો ત્યારે અહીની ઘણી વાતોનું મને બહુ આશ્ચર્ય થએલું .કેમકે હું નાના ગામડામાં જન્મેલો જોકે પછી હું અમદાવાદ આવેલો એટલે શહેરની થોડી હવા લાગેલી પણ અમેરિકા જેવું કઈ આશ્ચર્ય કારક જોવા મળેલ નહિ . હવેતો ભારતના મોટા શહેરોમાં બધે અમેરિકા જેવુંજ વાતાવરણ છે .હું જ્યારે અમદાવાદમાં નોકરી કરતો ત્યારે જાહેર જગ્યામાં બગીચા જેવી માં સગી પત્નીને પણ ચુંબન કરાતું નહિ ; જો આમ ચુંબન કરતા પોલીસ ફરિયાદ કરે અને જજ દંડ પણ કરે તે જમાનામાં મુવીમાં પણ ચુંબનના દૃશ્યો જોવા મળતા નહિ . હવે મેં મારા anubhav praman એક ગીત banavyo છે એ aap evancho દોહરો // લંબ વેણી પણ લજ્જા નઈ ટૂંકો ને વહરો વેહ .
આતા હાલોને દેહમાં આ પડ્યો મુકો પરદેશ
(પણ આતા દેશમાં જાવાનું નામ આય જલસા કરે છે .)
ગીત / યુ એસ એ ની થોડીક વાતુ કઈ જાજેરી બાકી રાખી ભઈ ઈ તો બાપુ કેવા જેવિયું નઈ
છોકરા  ભેગીયું  ફરે  છોકરીયું વાંધો  માબાપ  લ્યે નૈ (  આપણા મલકમાં  તો  જો પંદરેક વરસના  છોકરાં ને   એકલાં   રખડતાં   જુવે  તો   બાપો લમધારે ) બેશરમી વેળા  કરે  બજારે ઈને   કોઈની  શરમ  નૈ  ઈતો બાપુ  કોઈનું  માને  નઈ। ….યુ  .એસ  .એ ની   
બોળાં પાણી  તોય  પાણી  નો લ્યે  લુઈ  નાખે કાગળીયો લઈ (ગુદા પ્રક્ષાલન નો કરે )
કાગળના  વાટકાને કાગળની  થાળીયું  કાગળના  રુમાલીયાઈ   બાપુ ઈની કાગળની સંસ્કૃતિ થઇ   … યુ  .એસ   . એ  ની
લઘર વઘર લૂગડાં  પેરેને  ઉંધી  ટોપીયું ભઈ ડુંટી  vindhavine   વાલીયું પેરે    ઈ વાતું  અચરજની ભઈ   યુ  .એસ  . એ  .ની  
આતા” ” બગીચામાં  ફર્તાતા ઈને  છોકરી ભટકાઈ  ગઈ   .કુંવારી  છોકરી ભટકાઈ ગઈ  .
દુધના  જેવી  ધોળી  દાઢી  મુછું   ઈની નજરે ચડી નૈ  . બાપુ ઈતો  બાથે  વળગી ગઈ  .વાલા મુઈ  બકીયું  ભરતી  ગઈ   .યુ  .એસ  .એ  .ની થોડીક વાતું કઈ   જાજીયુતા  કેવા  જેવિયું નૈ ભાયું ઈતો બાકી રાખી ભૈ  .
એ બ્લોગર  ડાયરાને  રામ રામ