Monthly Archives: જુલાઇ 2013

મહાભારતનો અર્થ થાય છે . મોટું યુદ્ધ .

વાલ્મિકી ઋષીએ રામાયણ લખી . એ પછી એનાથી વિશેષતા ધરાવતું  વ્યાસમુનીએ મહાભારત લખ્યું .આ બન્ને કાવ્યોની મુવીઓ બની એમાં પ્રથમ રામાનંદ સાગરે રામાયણ બનાવી .અને પછી ચોપડાએ  મહાભારત મુવી બનાવી .આમ જોવા જઈએ તો તુચ્છ ગણાતા લોકો અને ગૈર કાયદે જન્મેલા લોકોજ મહાન બન્યા છે .વાલ્મિકી ઋષિ ક્રૂર લુંટારા અને  પારાધી હતા ,વ્યાસમુની  કુંવારી માતાથી જન્મેલા ,હતા હઝરત ઈસા (ઈસુખ્રીસ્ત )પણ કુવારી માતાથી જન્મેલા હતા .

ફિલ્મ ઉતરતી હોય ત્યારે .જે જેને જે કામ સોંપ્યું હોય . એ કામ ઉપરજ એનું ધ્યાન હોય .એ પારકી પંચાતમાં નો પડતા હોય .ઋષિ હમેશાં દાઢી મુછ અને જટા વાળા  હોય .મહાભારત મુવીમાં  જે પરાશર ઋષિનું પાત્ર ભજવે છે ..એ બશીરખાન દાઢી વગરનો છે .ખાં સાબને શું ખબર પડે કે ઋષિ દાઢી વગરની નો હોય .કોઈક હિંદુ હોય તો વળી દાઢી ચોટાડવા વાળાનું ધ્યાન દોરે કે ભાઈ તમે મને દાઢી ચોટા ડવાનું ભૂલી જતાં  લાગો છો . કોઈનું ધ્યાન નો ગયું અને દાઢી વગરનો પરાશર મુવીમાં  ગોઠવાઈ ગયો .

કૃષ્ણે મહાભારતમાં ઘણું છળ કપટ  કર્યું છે .પણ કહેવત છે કે “ફાવ્યો વખણાય “બીજા વિશ્વ યુદ્ધ વખતે હિટલર જીત્યો હોત તો એણે લાખો યહુદીઓને જીવતા બાળી  નાખ્યા .ર વ્યાજબી હતું એમ લોકો કહેવા માંડી જાત અને સ્વસ્તિક એનું રાજ્ય ચીન હતું એ કારણે  જૈનો ફૂલ્યા નો સમાંત .એમ પાંડવો જીત્યા એટલે વખણાઈ ગયા .

ઝરાસંધ અને ભીમ વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ ચાલતું હતું .ભીમ ઝરાસંધ ના બે  ફાડિયાં  કરીને ફેંકી દેતો હતો .પણ વરદાનના કારણે  એનું શરીર પાછું જોડાઈ જતું હતું . આ વખતે કૃષ્ણે ઈશારો કર્યો કે  તું ઝરાસંધના શરીરના ફાડિયાં  ઉલ્ટી દિશામાં ફેંક .અને ભીમે કૃષ્ણનું માનીને એમ કર્યું .અને ઝરાસંધ  મોતને ભેટ્યો .

પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા . તે વખતે  દ્રૌપદિ એ કીધુકે મને બહુ થાક લાગયો છે .માટે થોડો વખત ક્યાંક વિશ્રામ કરીએ  તરસ પણ બહુ લાગી છે .સૌ ને તરસ તો બહુ લાગેલીજ હતી .સરોવરે પાણી લેવા માટે એક પછી એક બધા ભાઈઓ ગયા .યક્ષ સાથેના સંવાદની  વાત તો આપ સહુ જાણો છો .પાણી લેવા જે ગયો એ વાસણ વગરજ ગયો .અને છેલ્લે યુધિષ્ઠિરે  યક્ષના પ્રશ્નોના સાચા જવાબ આપ્યા એટલે  યક્ષે દરેકને પાણી પીવાની છૂટ આપી અને પાણી  લઇ જ્વાની પણ છૂટ આપેલી .છતાં  બધા    ખોટા રુપીયાની જેમ ખાલી હાથે પાછા આવ્યા .પોતે પાણી પીધું પણ નહિ અને દ્રૌ પદી માટે  પાણી લઈ પણ નોગ્યા  ઓલી બિચારી દ્રૌપદી  તરસી જ રહી .

ગાદીનો ખરો વારસ ધૃત રાષ્ટ્ર હતો પણ એ જન્માંધ હોવાના કારણે  એના નાના ભાઈ પાંડુને  રાજગાદી સોંપી .પણ પાંડુના મૃત્યુ પછી તો દુર્યોધનને  ગાદિ  મળવી જોઈએને ?પણ એ શક્ય નો બન્યું અને યુદ્ધ નાં શંખ વાગ્યા .આ વખતે  ગાંધારીને પોતાના પુત્ર દુર્યોધનને બચાવવા .પોતાના તપોબળ ની શક્તિ વાપરવાનો વિચાર આવ્યો . એને દુર્યોધનને કહ્યું દિકરા  તું ગંગામાં નજ્ઞ  સ્નાન કરીને  એવીજ દશામાં નાગો પુગો મારી પાસે આવ જેવો તું તારા જન્મ વખતે હતો એવોજ આવ .દુર્યોધન ગંગા સ્નાન કર્યા પછી  નાગો પુગો પાતાની માં ગાંધારી પાસે જઈ  રહ્યો હતો ,આ વખતે  કૃષ્ણ ને તેના જાસુસ મારફત બાતમી મળી કે  દુર્યોધન પોતાનું શરીર અભેદ્ય બનાવવા  તદ્દન નાગો એની માં પાસે જઈ રહ્યો છે .

અને કૃષ્ણ દોડતા દોડતા દુર્યોધન પાસે ગયા અને કીધું કે એલા માં પાસે આવો નાગો તું જાય  એ સારું નો કહેવાય માટે કંઈ  નહીતો છેવટે તારો ગોઠણ થી ઉંચો અને કમરથી નીચો ભાગ ઢંકાય એટલું કંઈક પહેરીને જા  દુર્યોધને કૃષ્ણ નું કહ્યું માન્યું અને કેળ નાં પાંદડા ની લંગોટી વાળી ને ગાંધારી પાસે ગયો ગાંધારીએ પોતાની  આંખો નો પાટો  ખોલ્યો અને પોતાના તપોબળ ની દિવ્ય દૃષ્ટિ દુર્યોધન તરફ ફેંકી  દુર્યોધનનું આખું શરીર કોઈ અસ્ત્ર શ સ્ત્ર થી કંઈ અસર નો થાય એવું અભેદ્ય બની ગયું .પણ સાથળ અને કમરનો ભાગ કે જે કેળ નાં પાંદડાં થી ઢાંકેલો હતો .તે  અભેદ્ય નો થઇ શક્યો .યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું બ ધા યોધ્ધાઓ મૃત્યુ પામ્યા હતા .છેલ્લે દુર્યોધન સાથે લડવાનું બાકી હતું .દુર્યોધન સાથે ભીમ દ્વન્દ યુદ્ધ લડી રહ્યો હતો .ભીમના ગદા  પ્રહારની દુર્યોધન ઉપર કોઈ અસર થતી નોતી  આ વખતે કૃષ્ણે ભીમને  દુર્યોધનની સાથળ ઉપર ગદા  મારવાનો  ઈશારો કર્યો અને ભીમે દુર્યોધનની સાથળ ઉપર ગદા નો પ્રહાર કર્યો .અને દુર્યોધન ભૂમિને ભેટ્યો .

જયારે યુદ્ધ નાં નિયમો ઘડેલા ત્યારે કમરથી નીચે  ન મારવાનો કાયદો હતો .પણ કૃષ્ણે બધા કાયદા નેવે મૂકી દીધેલા . અને આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું .એમાં ધર્મનો વિજય થયો એવી ઘોષણા  કૃષ્ણે કરી . ફાવ્યો વખણાય

રામ રાવણ વચ્ચે યુદ્ધ થયુંજ નો તું .

એવું ડાયા (દોઢ ડાયા )માણસોનું કહેવાનું છે કે   રામ રાવણ વચ્ચે થવા નોતું દીધું . કેમકે તે વખતે રાવણનો પ્રધાન કુશળચંદ નામનો  કાઠી યાવાડ નો વાણિયો હતો ,કુશળ ચંદ પોતાની બુદ્ધિ ચાતુર્યથી  રાવણને  સીતાને રામને સોપી દેવા સમજાવી શક્યો હતો  . અને યુધ્ધના ઘેરએલા  વાદળો વિખરાવી શક્યો હતો .

જયારે રાવણ સીતાને લઇ આવીને લંકા ભેગી કરી પણ અશોક વાટીકામાં બહુ માનભેર રાખી .સીતાનો પડ્યો બોલ જીલવા માટે અને સીતાનું રક્ષણ  કરવા માટે પરિચારિકાઓ રાખેલી ,જેમાં ત્રીજટા  નામની  પરિચારિકા બહુ સેવા કરતી .

રાવણની બેન સુર્પણ ખાએ  જયારે લક્ષ્મણ પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો . ત્યારે  ગુસ્સે ભરએલા  લક્ષ્મણે તેના નાક કાન કાપીને કુરૂપ બનાવી એ વાતની રાવણને ખબર હતી તે છતાં  રાવણે સીતા સાથે કોઈ યોગ્ય વર્તાવ નહિ કરેલો .

રાવણ જયારે સીતાને લઈને લંકામાં આવ્યો . ત્યારે લંકા વાસીઓએ  ઘરોમાં રોશની કરીને ભવ્ય ઉત્સાહ મના વેલો ફક્ત વિભિષણ ,મંદોદરી જેવાએ જશ્ન નહી મ નાવેલો .થોડી ક્ષણો પછી મંદોદરીએ કુશળ ચંદ ને પોતાના ક્ક્ષ માં બોલાવ્યો .અને તેને વાત કરીકે તમે રાવણને સીતાને રામને આપી દેવા માટે સમજાવો . કુશળ ચંદે  મંદોદરીને હૈયા ધારણ આપીકે હું રાવણ સમજાવવામાં જરૂર સફળ થઈશ . કુશળચ દે મનોમન નિશ્ચય કર્યોકે  જો હું  સીતાને રામને પાછી સોંપી  દેવા માટે નો સમજાવી શકું તો હું ડાહી માનો  દિકરો  નહિ .

સવાર પડ્યે  રાવણે સભા ભરી  ખુશામત ખોરો  અભિમાની રાવણ નાં અભિમાનમાં વધારો કરવા લાગ્યા .કુશળ ચં દ પણ શરૂઆતમાં  લોકોની સાથે લોલે લોલ કરીને  રાવણનાં  વખાણ કરવા માંડ્યો .પછી ધીમે રહીને રાવણને કીધું કે  તું સીતાને હ રી લાવ્યો એ  તું સીતાના સ્વયંવર વખતે  શિવ ધનુષ ઉચકી નો શક્યો એનો બદલો બરાબરનો વાળ્યો કહેવાય .હવે તું તું સીતાને રામને  સોપીને એની સાથે મિત્રતા કરીલે  એ સૌ ના હિતમાં છે .લડાઈ થાય એમાં તું ભલે જીતે પણ જબરી માણસોની અને બીજી ખુવારી થશે . રામ પણ સાધારણ વ્યક્તિ નથી .અયોધ્યાનો રાજકુમાર છે .રાવણ ને કુશળ ચદની વાત ગળે ઉતરી .  કુશળ ચં દે રામ વિષે બીજી પણ ઉત્તમ વાતો કહી .આથી રાવણ રામના પ્રભાવ હેઠળ  આવ્યો .પછી રામને લંકા માં બોલાવવા માટે વિભિષણ ને મોકલ્યો  વિભિષણ  રામને બોલાવી લાવ્યો .આ સમયે રામનો 14 વરસનો વનવાસ પણ પૂરો થઇ જવા આવ્યો હતો . રાવણે  રામને કીધુકે તમારા સત્સંગથી હું બહુ પ્રભાવિત થયો છું .એટલું બોલી રાવણે સીતાને રામ પાસે બેસાડી .અને પોતાનું વિમાન તૈયાર કર્યું .અને રાવણે  પોતાના પુત્ર મેઘ દૂત ને કીધુ  કે હવે તું લંકાની રાજગાદી સભાળી  લે અને હું હવે રામ સાથે અયોધ્યા જાઉં છું અને  મારું છેલ્લું આયુષ્ય હું રામની સેવામાં વીતાવીશ

મેઘદૂત કહે  તારા પછી રાજગાદીનો અધિકાર  તમારા પિતાના બીજા દીકરાનો છે મારો નહિ .માટે આપ કાકા કુમ્ભકર્ણ અથવા કાકા વિભિષણ ને રાજ સોંપો  કુંભ કરણ  કહે મને ખુબ ઊંઘવા જોઈએ છીએ એટલે રાજ્કારોબાર હું ન સંભાળી  શકું પછી લંકાનું રાજ  વિભિષણ ને સોંપ્યું .અને રાવણ પણ સીતારામ નાં ચરણ પાસે વિમાનમાં બેસી ગયો . અને રામ સાથે અયોધ્યા ગયો .

લોકોને આ વાતમાં બહુ રસ પડ્યો નહિ એટલે વાલ્મિકી  ઋષિને  રામાયણ લખવા વિનંતી કરી ,એક વખત વાલ્મિકી  નદીએ સ્નાન કરવા જઈ  રહ્યા હતા ત્યારે એક પારધીએ સારસની જોડી માંથી એકને મારી નાખ્યું .આ દૃશ્ય જોઈ વાલ્મીકી ઋષિના મુખમાંથી એક શ્લોક સારી પડ્યો આ શ્લોક એ સંસ્ક્ર્ત  સાહિત્ય નો પહેલો  શ્લોક અને વાલ્મીકી ઋષિ એ સંસ્કૃતના આદિ  કવિ  આ પછી વાલ્મિકી  ઋષીએ રામાયણ ની અદ્ભુત રચના કરી .પછી હજારો વર્ષ વીત્યા પછી  તુલસીદાસે  લોકભાષામાં રામાયણ લખી  અને આશરે સોએક વર્ષ પહેલાં  પંડિત બ્રીજ્નારાયને  કે જેનું ઉપનામ ચક્બસ્ત છે .તેણે  ઉર્દુભાષામાં  રામાયણ લખી .હવે કોક બ્લોગર ભાયડો  રામ રાવણ નું યુદ્ધ

વાણિયાનો દિકરો વિચારીને વાણી વદે ભફાકો નો કરે

મારા ઘણા હિતેચ્છુ  વાણીયા  છે .રુઘો મારો લંગોટીયો ભાઈબંધ ,વાણિયાના જોક હોય છે .પણ એ બડાઈ ના ન હોય  માર માર કરતો આવતા માણસને ઠંડો ગાર કરવાની આવડત  વાણી યા માં હોય .કઈંક  દેવાની વાત આવે તો કંજુસાઈ કરે ખરા .શરણાઈ વાળા ને સાંબેલું વગાડવાની વાત કરી .એવું પણ કરે ખરા .હું વાણીયાની વાત લખીશ  કોઈ સ્નેહીને  જો માઠું  લાગી જાય તો બીજા હજાર ભાઈઓને સારું લાગ્યું હશે , એમાં તમારા માઠા ને નાખી દેજો એટલે એ પણ સારું થઇ જશે .જેમ ગંગામાં ગએલી  ગટર ગંગા બનીજાય છે એમ .

દ્વારિકા તીર્થ સ્થળ છે .દેશ  વિદેશથી ઘણા યાત્રાળુઓ અહી આવે છે .એક દિવસ હું પોરબંદરથી કુતિયાણા આવવા બસમાં બેઠો।મારી સામેની સીટ ઉપર એક ભાઈ હરણની શીંગડી ઓ જેવું લાલ રંગનું ટીલું કરીને બેઠેલા હતા .અમારી  બાજુના  માણસોને   લોકોને પૂછ પૂછ કરવાની  બહુ ટેવ હું પણ એમાં આવી જાઉં છું . ભાઈ તમે ક્યા  ગામના છો .કઈ જ્ઞાતિ ના છો શું ધંધો કરો  છો .કેટલા છોકરા છે .કેટલી છોકરીઓ છે .સગપણ થયું છે .કોઈના લગ્નમાં જાઓ ત્યારે કેવા કપડા  પહેરો છો .ચાંદલો એટલેકે વધામણું કેટલા રૂપિયા કરો  છો .વગેરે ચિત્ર વિચિત્ર અનેક સવાલો પૂછે .જોકે હવે એવી પરિસ્થિતિ નહિ હોય .

મારી સામે બેઠાતા એ ભાઈ વૈષ્ણવ સંપ્ર દા યના  હશે, એવું માનીને મેં તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા . થોડી વાર થયા પછી  ધીરેથી મને  સામા જય શ્રી કૃષ્ણ કહ્યા .વળી મેં પ્રશ્ન કર્યો ભાઈ તમારું નામ શું ?કંઈપણ જવાબ આપ્યા વિના પોતે ચુપચાપ બેસી રહ્યા . પછી મેં તેમને પાછું પૂછ્યું ,ભાઈ તમે મને તમારું નામ નો કીધું ?પોતાનું નામ કહેવાને બદલે એમણે  મને સામો પ્રશ્ન કર્યો .તમારું નામ શું ?મેં જવાબમાં મારું નામતો કીધું .પણ મારા બાપ દાદાનાં   નામો પણ કીધા એ ભાઈ મારી લાંબી કથની સાંભળીને  ફક્ત એટલું બોલ્યા ઠીક .એમ કહીને એતો બેસી રહ્યા .વળી મેં પૂછ્યું ભાઈ તમે તો તમારું નામ મને નો કીધું .?તેઓ બોલ્યા મારા નામનું તમારે શું કામ છે .?તેઓએ જવાબ આપ્યો .ભાઈ તમને બોલાવવા હોય તો  તમારું નામ હું જાણતો  હોઉં તો બોલાવી શકાયને ? તો તે  કહે  મને તમે બોલાવો એમાં મને શું ફાયદો . આમ ફાયદાવાળી વાત કરવા માંડ્યા એટલે મને થયું કે આ ભાઈ વિચારી વિચારીને બોલે છે .ફાય્દાવાળી વાતું કરે છે એટલે આભાઈ વાણીયા  હોવા જોઈએ .એટલે મેં તેમને પૂછ્યું ભાઈ તમે વાણીયા  છો ?માર્રું બોલવાનું સાંભળીને  તેઓ ચમકીને બોલ્યા . હું વાણીયો છું .એની તમને કેવી રીતે ખબર પડી ? મેં કીધું હું જોષી  છું  હું કાશીની વિદ્યાપીઠ માંથી  જ્યોતિષ શાસ્ત્રમાં પહેલો નંબર પાસ  થએલો છું .મારી વાત સાંભળી  તેઓએ  પોતાના જમણા  હાથની બાંય ચડાવી મારી સામે હથેળી ધરીને બોલ્યા। મારો જોશ જુને બોલાવ્યો ને બોલાવવામાં આવ્યો વો .મેં કીધું 50 રૂપિયા આપો .તે  કહે  કેમ જોશ જોયા પહેલા પૈસા માગો છો ?મેં કીધું .મારું જ્યોતિષ એટલું સચોટ છે કે  તમે અભણ લોકોને  ખોટું સાચું  સમજાવીને ઉઠાં  ભણાવ્યા હોય ,એ બધુંજ  મારા જ્યોતિષમાં આવી જશે ,અને એ વાત જ્યારે હું કહીશ ત્યારે  તમે એવું ખે શોકે  જ્યોતિષ ફ્યોતીશ્માં હું માનતો નથી .તમે ગપ્પાં  મારો છો .એવું બોલીને તમે પૈસા મને નો આપો . તો હું પૈસા કોની પાસે લેવા જાઉં ? ઓલાતો પૈસા મારા ખિસ્સામાં આવી ગયા હોય તો નીકળતા વાર લાગે . મેં એને  શરણાઈ વાળા ની વાત યાદ અપાવીને કીધું કે  તમે ઓલા બાપડા શરણાઈ વાળા ને કીધું કે પોલું છે અને વાગે છે એમાં  તે શું મોટી કારીગરી કરી  એટલું બોલીને તમે એને સાંબેલું આપ્યું અને કીધું કે  જો તું આ સાંબેલું વગા ડ તો હું તુને ખરો કારીગર જાણું  .બાપડો શરણાઈ વાળો વિલે મોઢે ઘેર ગયો .પણ પછી એના દીકરાને કીધું કે આ માણસના પરિવારમાં લગ્ન પ્રસંગે  કોઈ સંજોગોમાં શરણાઈ વગાડવા જવું નહિ અને જવું તો પહેલા પૈસા લેવા . વખત જતા શરણાઈઓ મારીગ્યો અને ઓલો વાણીયો પણ મ રી ગયો .એક વખત વાણીયાને ઘરે લગ્ન પ્રસંગ આવ્યો .શરણાઈ વાળા ને બોલાવવામાં આવ્યો .શરણાઈ વાળો ગયો  દિલ દઈને શરણાઈ વગાડી પછી વાણીયા પાસે પૈસા માગવા ગયો . વાણીએ પોતાના બાપ વાળી વાત કરીકે  પોલું હતું ને વાગ્યું એમાં શું તે મોટી કારી ગરી કરી .એમ કહીને  તેને સાંબેલું આપ્યું અને કહ્યું આ સાંબેલું વગાડ   તો હું માનું કે તું ખરો કારીગર છે .શરણાઈઓ બોલ્યો . શેઠ  સાંબેલું તો મને બહુ સરસ વગાડતા આવડે છે સાંબેલું .લાવો સાંબેલું  શરનાઈ વાલાને આપવામાં આવ્યું . શરનાઈવાલાએ સાંબેલું લઈને શેઠ નાં માથામાં માર્યું અને  બોલ્યો  વાગ્યું ?શેઠ સુ બોલે એતો સીધા પોલીસ સ્ટેશને ગયા અને ફરિયાદ નોધાવી  પોલેસે શરણાઈ વાળાને પકડ્યો .પોલીસ સ્ટેશને લઇ આવ્યા સાથે મુદ્દામાલ તરીકે સાંબેલું પણ લઇ આવ્યા .શેઠ ને પોલીસે  ખુરસી ઉપર બેસાડ્યા .અને તેને હોસ્પિટલ  સારવાર અર્થે મોકલવાની તજવીજ કરવા માંડ્યા .પોલેસે શરણાઈ વાળા ને પૂછ્યું . એલા તે શેઠને સાંબેલું કેમ  માર્યું ? ત્યાં મુદ્દામાલ તરીકે સાંબેલું પડ્યું હતું એ ઉપાડીને  શેઠના માથામાં માર્યું અને બોલ્યો સાહેબ આમ માર્યું . પોલીસ કહે હવે તારા ઉપર બે કેસ થશે એનું તુને ભાન છે ?શરણાઈ વાળો કહે હા સાહેબ મને ખબર છે અને હવે હું જેઇલ માં જઈશ એટલે મારી સગાઈ પણ થઇ જશે .

પછી કેસ ચાલ્યો શેઠિયા માણસને  કોર્ટના ધક્કા ખાવા આકરા  લાગવા  માંડ્યા . શેઠ કંટાળ્યા આબરૂ જવાની પણ બીક લાગી ,એમને શરણાઈ યા  સાથે સમાધાનની તજવીજ આદરી .શરણાઈ વાળો  મહામુશીબતે  200 રૂપિયામાં માન્યો .અને શેઠ ઉપર ઉપકાર કરતો હોય એમ બોલ્યો  .શેઠ આતો આપણે  ભાઈઓ છીએ એટલે થોડા પૈસામાં પતાવું છું .નહીતર પુરા પાંચસો લેત એક પૈસો પણ ઓછો ન લેત  આ  સાંભ ળી શેઠને કુતુહલ થયું . અને શરણાઈ વાળા ને પૂછ્યું . આપણે ભાઈઓ કેવીરીતે ?શરણાઈ વાળો કહે  આજથી સાતમી પેઢી ના મારા વડવા  વાણીયા હતા . એક વાણિયાનો સંઘ પાલીતાણા મંદિરે દર્શન કરવા આવ્યો આ સંઘમાં  એક કામદેવ જેવો રૂપાળો જુવાન હતો .મંદિર નજીક એક મેન્કાથી  ટપી જાય એવી રૂપ રૂપના અંબાર  જેવી છોકરી ફૂલની માળાઓ વેંચાતી હતી .વાણીયો જુવાન આ છોકરી ઉપર મોહિત થયો .પછીતો શેઠ તમે જાણો છોને કે પ્રેમ નાત ,જાત ,રૂપરંગ . ભાષા દેશ ધર્મ કંઈ  ગણતો નથી .છોકરીએ વરમાળા છોકરાના ગળામાં ફેરવી દીધી .અને લગ્ન થઇ ગયાં . છોકરાના કુટુંબીઓએ  છોકરાને ઘર બહાર કાઢી મુક્યો .છોકરીના કુટુંબીઓએ  હર્ષભેર પોતાની નાતમાં લીધો . બસમાં  બેઠેલો વાણીયો  હિમ્મતલાલ  જોશીની  ઐતિહાસિક વાત  ઉ પર આફરી થઇ ગયો .અને વધારાના દસ રૂપિયા આપ્યા . બસમાં થોડે દુર  એક આતા જેવો દાઢી મુછાળો બેઠો હતો .તે બોલ્યો એલા હવે ઈ વાણિયાનો જોહ જાત પૂરો કર અને મારો જોહ જો   વાણિયાનો જોશ પૂરો કર્યા પછી એ  ગામડીયા નો જોશ જોવાનું શરુ કર્યું . બહુ ધીમી ગતિએ વાણીયો  બોલ્યો કે તમે મારી પાસેથી  જોશ જોયા પહેલા પૈસા પડાવ્યા .અને આ માણ સ થી તમે ડરી ગયા .એટલે પૈસા લીધા વગર જોષ  જોવા માંડી ગયા .મેં શેઠને કીધું આ જાતિના લોકો  અમને નો  ડરાવે પણ અમને ડરાવવા બસ ડ્રાઈવરને  કીધું માણસને  કોટડા ગામે ઉતારવાનું હતું .જોશ જોઈ લીધા પછી .ગામડી યાએ પોતાની આંગડીના ખિસ્સામાં હાથ નાખ્યો પછી ચુપ બેસી ગયો ,શેઠ કહે એ તમને પૈસા આપવાનો નથી .મેં શેઠ ને કીધું મારા પત્સા ક્યાંય જવાના નથી ,શેઠ કહે એને તમારું સરનામું લીધું નથી એ તમને કેવી રીતે વ્પૈસા આપશે કોટડા આવશે એટલે તો એ બસમાંથી ઉતરી જવાનો છે .મેં કીધું એ એના ગામે જઈને મારા નામે પચાસ રૂપિયાનો ધર્માદો કરી નાખશે પણ મારી નિમિત્તના પૈસા એ રાખવાનો નથી .કોટડા આવ્યું એટલે એ ઉતરી ગયો .જતા જતા એણે ડ્રાઇવરને  કીધું કે હું હમણાં જ આવું છું મારા આવ્યા પછી હું કહીશ  ત્યારે બસ ઉપાડજે   થોડી વારે એ આવ્યો અને એક પડીકી નાનું જોશીના હાથમાં મૂકી ગયો જોશીએ ખોલી જોયું તો અંદર 51 રૂપિયા હતા . આ જોઈ શેઠ ને બહુ નવાઈ લાગી .  હવે સૌ ને રામ રામ  હું કેટલો સમય સુધી બેસીને લખી શકું છું એની આપને ખાતરી થઇ હશે।

મુરજી ભાઈ પટેલની મહેમાન ગતી માણી

Muraji_Aataa

મુરજીભાઇ પટેલના દિકરા શંભુની  ફ્લોરીડામાં મોટેલ છે .મારે મુરજી ભાઈ ની મારે ઓળખાણ મારા ગુજરાત times માં પ્રસિદ્ધ થતા લેખોને લીધે થઇ .મારા બે ગ્રાન્ડ સન tampa ફ્લોરીડામાં રહે છે .

મુરજી ભાઈએ મને એક વખત  કીધું કે  તમે ફ્લોરીડા આવો ત્યારે મને જરૂર મળજો .હું જયારે ફ્લોરીડા ગયો ત્યારે મેં મારા ગ્રાન્ડસન ડેવિડને કીધું કે મને તું અનુકુળતાએ મુરજીભાઇ ને મળવા તેડી જજે . એક દિવસ મુરજી ભાઈને મળવાનું નક્કી કર્યું .શંભુ પાસેથી માર્ગ દર્શન લીધું . અને  હું,ડેવિડ ,અને તેનો નાનોભાઈ રાજીવ અમે ત્રણ જણા મુરજી ભાઈ ને મળવા ગયા .શંભુની  વાઇફ  રૂપલ અને તેની સાસુ જસુમતી બેને અમને  દિવાળી ના દિવસો હોવાથી  મઠિયા ,અને મીઠાઈનો નાસ્તો કરાવ્યો . અમે થોડી વાર વાતો ચિતો કરી , નાસ્તો કર્યો .પછી મેં જવાની રજા માગી .(કચ્છ સોરઠ ,વઢિયાર વગેરે બાજુ “ળ ‘નો ઉચ્ચાર “ર”કરેછે .એટલે ઘણી વખત  રમુજ થઈજાય  એક આરતી બોલાય છે એમાં  સંત મરેતો  મહાસુખ પામું ગુરુ મરેતો  મેવા ) શંભુએ મને કીધું કે  કાકા રાતની રાત અહી રોકાય જાઓ .સવારે હું તમને tampa  મૂકી જઈશ ડેવિડને જવા દો . ડેવિડને મેં કીધું  તું ઘરે જતો રહે .શંભુભાઈ મને સવારે મૂકી જશે . મને 8 નંબરની રૂમ રહેવા માટે આપી .સ્વર પડ્યું એટલે મુરજી ભાઈએ ફોન કર્યો  નાસ્તો તૈયાર છે .પધારો એમ લહેકાથી મને બોલાવ્યો . નાસ્તો કર્યા પછી . મેં શંભુને કીધું .આપણે  જવાનું થાય ત્યારે મને પંદરેક મિનીટ પહેલા કહેવું ,કે જેથી કરી હું તૈયાર થઇ જાઉં .શમ્ભુ  કહે  ભલે બપોર થયા .મુરજી ભાઈએ જમવા માટે પોકાર  પાડ્યો .સૌ સાથે મને જમવાનું પીરસાણું   મેં દાળ ,શાક .થોડુંક્જ  લીધું .મુરજી ભાઈના પત્ની જસુમતી બેન  વ્હીલ ચેરમાં હોય છે .પણ  રસોઈ ,અને બીજું ઘરકામ કરેછે .(હાલ તેઓ પથારી વશ છે મને એ બાબત ઘણું દુ:ખ છે .)જસુમતી બેને મને પુચ્છ્યું કેમ શાક ,દાળ જ્રક્જ લીધાં  મેં કીધું હું મીઠું મરચું ખાતો નથી એટલે .આ પછી જશુ બેન દાળ  શાક મીઠાં  મરચાં  વગરનું બનાવવા મન્ડી ગયાં  મેં કીધું મારા એકલા માટે થઈને બધાનો સ્વાદ કેમ બગડો છો ?જશુમતી બેન  કહે  એતો જેમ જોઈએ એમ અને જેને જોઈએ એમ ઉપરથી વાડકા માં નાખી લેવાય .મને આજુબાજુના જોવા લાયક સ્થળો બતાવ્યા .ફ્લોરીડામાં ઊંચામાં ઉંચી જગ્યા બતાવી .એક જગ્યાને આપણાં  ગુજરાતી લોકો ભૂતની ટેકરી  કહે  છે .એ ભૂતની ટેકરીનું ઈંગ્લીશ નામ કઈંક  બીજું છે .આ ભૂતની ટેકરી પાસે  સફેદ કપડાં માં વીંટેલ  ભૂ જેવો ચાડિયો લટકાવ્યો છે .ચમત્કાર જેવી બાબત એ છે કે  ટેકરી ઉપરથી  કાર  રસ્તે  થી નીચે ઉતરો પછી કાર બંધ કરી દ્યો  એટલે કાર એની મેળે ટે કરી ઉપર ચડી જવાની  ટેકરી  બહુ ઉંચી નથી .આ અનુભવ મેં જાતે કરેલો છે .

આજ કાલ કરતાં  મને પુરા 16 દિવસ રોક્યો . પછી મારેજ કહેવું પડ્યું કે  હવે મને મહેબાની કરીને મૂકી જાઓ .ત્યારે શંભુએ કીધું કે કેમ કાકા અહી નથી ગમતું ? મેં કીધું બહુજ ગમે છે .તમારા બેઉનો,તમારાં  માબાપનો તમારાં દીકરા દિકરીનો જે મારા ઉપર  પ્રેમ્પ્રેમ વરસ્યો એ મારાથી ભૂલી શકાય એમ નથી . પણ હવે થોડાક દિવસ મારા ડેવિડ અને તેની નાની અને તેના ભાઈ અને બાળકો સાથે ગાળું .

મુરજીભાઇ ઈંગ્લીશ ભણેલા પણ અહી બોલવા માટે તેઓને થોડી અગવડ પડે ,એક વખત ઉપરના ફોટામાં દેખાય છે .એવી છોકરી સાથે વાતો કરવામાં  તેમને થોડી અગવડ પડી .છોકરી મોટેલમાં ઉતરેલી હતી .મુર્જીભીએ મને વાત કરવા માટે બોલાવ્યો . હું ગયો .અને છોકરીને સમજણ પાડી પછી મારું ધ્યાન એની છાતી ઉપરનાં  છુંદ ણાં પડ્યું .સ્તન ઉપર એક બાજુ છુંદ ણું  હતું મેં છોકરીને પૂછ્યું આ છુંદ ણું  તાજું પડાવેલું   છે ? દુખે છે .? તે બોલી જરાય દુ:ખતું નથી ,એમ  કહી  એણે મને છાતી દેખાડું હું તેના સ્તન ઉપર હાથ ફેરવવા લાગ્યો .આ વખતે .મુરજી ભાઈ બોલ્યા હિમ્મત લાલ આવી રીતે છોકરીઓને  તમે અડપલાં  કરો છો .તમે અમારા ઘરાકને ભગાડશો . મેં કીધું તમારું ઘરાક ભાગી જવાનું નથી .ઉલટું આ છોકરી  બીજા ઘરાકને  લઇ  આવશે અને  મારા બાબત તમને પૂછશે . એક દિવસ મુરજીભાઈનો  ફોન આવ્યો કહેતા હતા કે એ છોકરી બીજી બે છોકરીઓને લઇ આવેલી .અને તમારા વિષે પૂછતી હતી કે  ઓલા દાઢી વાળા ટીખળી ભાઈ કેમ નથી દેખાતા ?

મેં મુરજીભાઇ અને તેના ઘરનાઓની  પ્રેમભરી વિદાય લીધી .જતી વખતે હું   થોડા પૈસા દેવા બેઠો .છોકરાં એ પણ પૈસાને હાથ નો અડાડ્યો અને રૂપલ અસલી પટેલ વાળી ભાષામાં બોલી કે  કાકા અમે તમારી જે સેવા કરી એના ઉપર પૈસા આપીને પાણી ફેરવવા માગો છો ?

જેમ પાંચ આંગળીઓ સરખી નથી એમ બધા પટેલ પણ સરખા નથી હોતા પણ મને પટેલનો અનુભવ થયો છે .એના ઉપરથી મેં એક  જોડકણું લખ્યું  જે નરસી મેહતાના પ્રભાતિયાની જેમ ગાય શકાસ્ય છે  .

ત્યાગ કરશો નહી પટેલ  મિતર  તણો , કડવી પણ હિતની વાત કેહશે . માન જાળવશે એ મિત્ર સજ્જન તણું  કોઈદી મિત્રને દગો ન દેશે .

રંગીન નાગબાપા

છે ને એ પણ ‘આતા’ જેવા રંગીન? 

snake

સાભાર – શ્રી. વિનોદ પટેલ

 

અમદાવાદની સિદ્દી શહીદની જાળી

DSCN0200Golden Bride[2]અમદાવાદની સિદ્દી શહીદની જાળીના ઇતિહાસની  હું વાત કરવા ઈચ્છું છું જે વાત મેં ઘણા અનુભાવિયો પાસેથી સાંભળેલી છે ..આ સિદ્દી સૈહ્હે કે યદની જાળીના નામે લોક જીભે ચડેલી છે .માણસોનો એક સ્વભાવ હોય છેકે ભળતું નામ જે જીભે ચડેલું હોય એ લોકો બોલતા હોય છે .દેશીંગા માં એક વિશાળ શિલા દેશીંગા ના બહાદુર જવાનોએ ખાણમાંથી ખોદી જમીન ઉપર મૂકી દીધેલી  ચાર માણસો પોતાના લટકતા પગ રાખીને બેસી શકે એટલી એ વિશાલ હતી .એ દેશીંગા નું ગોરવ હતું .પણ લોકોએ તોડી નાખીને નાના નાના ટુકડા કરીને મકાનો ચણવામાં વાપરી નાખ્યા , બાબતઆ શીલા નું મને દુખ છે .આશીલા  ગામના ચોકીદારોને બેસવા માટેની હતી ,જયારે દેશીગા ગામ વસ્યું એ વખતે પણ પછી સમય બદલા ણો  ચોકીદારો ને એ શીલા ઉપર બેસી રહેવાની જરૂર ન રહી  એટલે  ગામના ગોવાળિયાઓ સવારમાં  ઢોર ભેગાં  તે વખતે બેસતા  આ શીલા દોઢી ના પાણા  તરીખે  ઓળખાતી પણ લોકજીભે લોઢી  વધુ ચડેલી હોય કેમકે  ખાવા માટે પુડલા વગેરે લોઢી  ઉપર બનતા હોય .એવું નામ લોક જીભે  ચડેલું એ ટલેઆ શિલા “લોઢીના પાણા “તરીકે અમે સૌ ળખાતા ,હવેતો મારા જેવડી કે થોડી વધુ નાની ઉમરના માણસો ને આ લોઢીનો પાણો યાદ હશે . જયારે નવું તોલમાપ અમલમાં આવ્યું જે કિલો તરીકે ઓળખાતું .અમારા ગામના રૂડીમાં લુવાર  કિલાને  બદલે ખીલો બોલતાં ,એવીરીતે સિદ્દી શહીદ ને હહીદને બદલે  વધુ પરિચિત નામ સૈયદ થઇ ગયું . સૈયદ એ લોકોને કહેવાય કે જે લોકો હજરત મહમદ પેગંબર સાહેબની  દીકરી ફાતિમા અને હજરત અલીના સંતાનો સૈયદ તરીકે ઓળખાય છે .જયારે આ  સિદ્દી  તો આફ્રિકાથી ગુલામ તરીકે આવે લો હતો .

અમદાવાદ વસાવનાર અહમદશાહ કે એ પછીના કોઈ બીજા બાદશાહના વખતમાં  એક સિદ્દી ગુલામ જેનો ફોટો ઉપર દેખાય છે .એવા રૂપ રંગનો હતો  સિદ્દી શબ્દ મૂળ અરબી ભાષાનો છે .એનો અર્થ થાય છે . બહુ સાચો સત્યનિષ્ઠ , આફ્રિકાથી આવેલા ગુલામો બહુજ વફાદાર અને સત્યનિષ્ઠ હતા . એક વખત રાતના એક ગુલામ શહેરની અંદર  ચોકી કરી રહ્યો હતો .તે વખતે  એક ઉપરના ફોટામાં દેખાય છે એવી સ્ત્રી ગુલામે જોઈ એટલે એને તેની  તપાસ કરવાની ઈચ્છા થઇ ,સીદ્દીને નવઈ લાગી કે આવી રાતના વખતે ભરપુર દાગીના પહેરેલી સ્વરૂપ વાન સ્ત્રી ક્યાં જતી હશે એટલે એણે  બીને પુચ્છ્યું  કે બેન તું કોણ છો અને અત્યારે ક્યા  જઈ રહી છો     બાઈએ  જવાબ  આપ્યોકે   હું લક્ષ્મી દેવી છું અને સ્વર્ગમાં  જઈ  રહી છું . સિદ્દી એ કહ્યું મારે આ બાબત બાદશાહને ખબર આપવી પડશે . માટે તું અહી ઉભી રહે  હું પાછો  બાદશાહ નો જવાબ લઈને નો આવું ત્યાં સુધી જતી નહિ ,લક્ષ્મી દેવીએ વચન આપ્યું કે  જ્યાં સુધી તું જવાબ લઈને નહી આવે ત્યાં સુધી હું જઈશ નહિ .બાદશાહને બધી બીનાની ખબર પડી કે આતો લ્ક્ષ્મિદેવિ છે એ અમદાવાદમાંથી જાય એ કેમ પોસાય  ? એને સીદ્દીને કીધું કે તું એને રોકાય રહેવાની વિનંતી કર  સિદ્દી એ બાદશાહને કીધું કે જહાંપનાહ દેવી  હું તેને જવાબ આપવા જઈશ પછીજ એ જશે ,બાદશાહ  કહે “એ બાત હૈ ” એટલું બોલી  એણે  જલ્લાદ ને બોલાવ્યો અને  સીદ્દીને કત્લ કરવાનો હુકમ કર્યો  તુર્તજ જલ્લાદે  તલવારથી  સીદ્દીનું માથું ધડ થી જુદું કરી નાખ્યું અને સીદ્દીને લાલ દરવાજા  બહાર   માન  ભેર દફ્નાવ્યો  .અને એના ઉપર સુંદર કોતરકામ વાળી જાળીઓ  જે  મકાન  મસીદ તરીકે વપરાય છે .પણ સિદ્દી સૈયદની જાળી તરીકે હાલ ઓળખાય છે . આતો  સાંભળેલી વાત મેં લખી આપ સહુને  જાણ ખાતર

આતાં તારો બાપો વલાતી સે

ઘેડ અને આજુબાજુનાં  ગામડાં ઓમાં  સુતાર , લુહાર દરજી .કુંભાર,. વાણન્દ  . મોચી ,વગેરે લોકો વસવાયાં કહેવાય .ગામમાં મુખ્ય વસ્તી ખેડૂતની હોય  અને બીજા ખેત મજૂરો હોય .વસવાયાં ખેડૂતનું કામ કરે બદલામાં ખેડૂત એને  પોતાના ખેતરમાં જે પેદાશ થાય એમાંથી  થોડુક આપે ,કેટલું આપવું એવું નક્કી નહિ .ઉદાર દિલનો ખેડું  વધારે પણ આપે .ઉપરાંત બ્રાહ્મણ  સાધુ ફકીર વગેરેને ધર્માદા તરીકે આપે .વસવાયાં  નવું કામ કરેતો એના પૈસા લ્યે  બાકી રીપેરીંગ કામ કરે એના બદલામાં  ખેડૂત એને ખેતીની  પેદાશ માથી આપે .એક ગામમાં  હલામણ નામનો  જુવાન ખેડૂત  વાણ દને પોતાનું વ તું કરવા પોતાને ઘરે બોલાવે .,જયારે વાણદ હલામણ ને ઘરે વતું  કરવા જાય ત્યારે હલામણ એને  જમવાનો સમય હોય તો જમવા બેસાડે ,ઉપરાંત ખેત પેદાશ થાય ત્યારે વાણદને  અનાજ વગેરે ખુબ આપે ,અને પછી પોતે ગામમાં વાતું કરેકે હું  વાણ દને ઘરે  વતું  કરાવવા નો જાઉં મારે ઘેર વાણ દ આવે અને વતું કરી જાય અને એ રીતે એ પોતાનો અહમ પોષે

એક  બહુજ  ઉદાર દિલનો  ખેડૂત હતો  તે પોતાને જે ખેત પેદાશ થઇ હોય એમાંથી  વસવાયાં અને બ્રાહ્મણ વગેરેને એમ  કહે  કે  આ અનાજના ઢગલા માંથી તારે જેટલું જોઈએ એટલું  લઈલે  અને પોતે નજીક ખાટલા ઉપર બેઠો બેઠો  હોકો ગુડ ગુડાવતો  હોય .

તમે  એક વાતની ખબર હશે કે એક લોભિયો બ્રાહ્મણ  મફતનું નાળીયેર લેવા નાળીયેરી ઉપર ચડ્યો .અને પોતે તો મારી ગયો પણ બીજા મદદ કરવા ગયા એ પણ મરી ગયા . આ લોભિયો બ્રાહ્મણ સો પેઢીએ હિમ્મત લાલ  જોશીનો ભાયાત થાય . આ ઉદાર ખેડૂતને ત્યાં હિમ્મત લાલ જોશી ધર્માદાનું અનાજ લેવા ગયા ,ખેડૂતે કીધું  ગોરબાપા તમારે જોઈએ એટલું અનાજ આ ઢગલા માંથી લઇ લ્યો એવું બોલી  ખેડૂતે અનાજનો ઢગલો  દેખાડ્યો ,હિંમતલાલ જોશીએ તો  બાપુ જબરી ફાંટ બાંધી ,અને જેવી ઉપાડવા ગયા એટલે જરાય ઉંચી ન થઇ શકી એટલે એણે ખેડૂતને કીધું  ભાઈ આમાંથી હું થોડું અનાજ કાઢી નાખીને ઢગલામાં નાખી દઉં  છું કેમકે આટલું બધું અનાજ મારાથી ઉપ ડે  એમ નથી .ખેડૂત બોલ્યો એ હવે તારું થઇ ગયું , મારાથી પાછું નો લેવાય   હવે તમે ઘરે જતા રહો ,સાંજે અમે ઘરે આવીએ ત્યારે  ગાડામાં  આ તમારું પોટકું લીધે આવશું અને તમારે ઘરે પુગાડી દઈશું , આ સોરઠ ભૂમિના માણસો .

હલામણ રહેતો હતો ઈ ગામમાં એક મુંજાલ કરીને ખેડું રહેતો હતો તેને એક દિ  વાણદને કીધું એલા તું આ હલામણ નું વતું કરવા ઈને ઘેર જાછ અને વતું પણ સાબુ ચોપડીને કરછ  તો મારું વતું એકલું પાણી  ચોપડીને ઓતરડી  નાખશ ઈમ કીમ ? વાણ દ ખે ઈમને ઘણું અનાજ આપે છે .વળી ઈને ઘેર વતું કરવા જાઉં તો ઈ મને  ખાવા પણ બેસાડે છે . મુંજાલ ખે હું પણ હલામણ થી વધુ અનાજ આપીશ અને તુને  હું માલપુઆ ખવડાવીશ ,એકદી  મુંજાલે વાણદ ને પોતાનું વતું કરવા પોતાને ઘેર બોલાવ્યો .વાણદ ખંભે કોથળી નાખીને  મુંજાલને ઘરે ગયો .જ્યાં વાતું કરવા બેઠો ત્યાં સાબુ નો મળે  સાબુ એ લેવાનું ઘરેથી ભૂલી ગએલો .પણ ચતુર વાણ દ સાબુ લેવા ઘરે પાછો થોડો જાય ? એને અસ્ત્રાની ધાર કાઢવાની જે લંબ ચોરસ પથરી હોય એ  મુંજાલ ની દાઢી ઉપર પાણી ચોપડીને  ઘસવા માંડી ગયો .મુંજાલ  કહે એલા આમાં ફીણ કાં  નો વળે ?હાજર જવાબી વાણદ બોલ્યો . આતાં  તારો બાપો વલાતી  સે આમાં ફીણ નો વળે આતો બહુ મુંઘો  સાબુ સે એમાં ગંધારા વેડા  નો થાય .

વાલીયો ગ્યોતો વલાતે નવી શીખી આવ્યો વાણી

બ્રિટીશ રાજ્ય વખતે  રાજા મહારાજાઓને  ઇંગ્લેન્ડ જવાનો  બહુ  મોહ રહેતો . ઇંગ્લેન્ડ ને લોકભાષામાં વિલાયત કહેતા મારા જેવો ગામડિયો વલાત કહે . વિલાયત શબ્દ મૂળ અરબી ભાષાનો છે .જેનો અર્થ થાય છે .પરદેશ

અંગ્રેજોએ આપણા કેટલાક શબ્દોનો ઉચ્ચાર  પોતાને ફાવે એવીરીતે  કરી નાખેલો  વડોદરાનું બરોડા ,ભરૂચ નું બ્રોચ ./વગેરે એમ  આપણા લોકોએ ઈંગ્લીશ શબ્દોનો ઉચ્ચાર આપણે  ફાવે એમ કરી નાખ્યો છે . રાયફલ ને રફલ ,સોલ્ઝર ને સોઝર ,પોરબંદર રાજ્ય ઉપર જપ્તી બેઠી તેનો હેડ જે ગોરો હતો .તેનું નામ લેલર હતું તેને આપણા લોકો લેલીડો કહેતા .બાવા વાળો બહારવટી યો હતો . એની જપટે  એક ગોરો ચડી ગયો . એનું નામ ગ્રાન્ટ હતું  એનું  નામ આપણા  લોકોએ ઘંટ  કરી નાખે લુ એનો દુહો પ્રશન્શકોએ આ રીતે બનાવ્યો . રાજ કારભાર ચલાવવામાં

તેં  બાંધ્યો બરડાના ધણી ગરમાં ઘંટને જે

ઈની વાળા  વલાતે  બુમું પુગી બાવલા

એક બીલખાજેવા 24 ગામના  જાગીરદાર બાપુને ઇંગ્લેન્ડ જવાના કોડ જાગ્યા ,એણે આ વાત પોતાના દીવાન ત્રિભોવન ભાઈ જાની જેવાને કરી ,અને કીધું કે હાલો આપણે  વલાત જાયેં તમે પણ ભેળા  હાલો .દીવાને બાપુને વાત કરીકે  બાપુ આપણે બેય જણા વિલાયત જાયેં તો આપણી ગેરહાજરીમાં રાજકારભાર ચલાવવામાં બીજા અમલદારોને અગવડ આવે .બીજું હું ત્યાં આપને ખાસ અંગત ઉપયોગમાં પણ નો આવું .એના કરતાં આપ કોઈ  જુવાન માણસ સેવક ને લઇ જાઓ કે જે તમને હોકો ભરી આપે ,કાવો કસુંબો બનાવી આપે ,તમારા પગ દબાવી આપે ,અને લંડનમાં હ રી ફરીને ન વા જુના સમાચાર પણ લઇ આવે ,અને વાતું ચીતુંમાં તમને સથવારો પણ રહે .દિવાનની વાત બાપુને યોગ્ય લાગી .બાપુએ એવા માણસ ગોતવાની  ગોઠવણ કરી .એમાં એક નાના ગામડાનો વિધવા માનો  દિકરો વાલિયો બાપુને પસંદ પડ્યો .બાપુએ વાલિયાને પોતાને બંગલે તેડાવ્યો .ચારેક જોડી  સુટ વાલિયા માટે સિવડાવ્યા .વાલીયોતો ઠાઠ માઠ થી તૈયાર થઇ ગયો .વાલિયાની છાતી હરખથી ફૂલવા લાગી .અને પછી વાલિયો  બાપુ ભેગો ઇંગ્લેન્ડ પહોંચ્યો .થોડાક ઈંગ્લીશ શબ્દો શીખવાડવામાં આવ્યા  વાલિયો તો લંડન માં બસ મારફત ફરવા માંડ્યો .અને બાપુને નવા જૂની વાતું સંભળાવ વા માંડ્યો . થોડા દિવસ પછી બાપુને દેશમાં આવવાનો ટાઇમ થઇ ગયો .બાપુ ઘરે આવી ગયા વાલીયો પોતાને ઘેર ગયો . વાલિયો તો ગામડામાં ઈંગ્લીશ જેટલા શબ્દો આવડતા હતા એટલા શબ્દો બોલવા લાગ્યો જેમ  આતા દેશીગા જાય ત્યારે  લોકો સમજે કે ન સમજે એનો વિચાર કર્યા વિના ઈંગ્લીશ બોલવા માંડે એમ . એક વખત વાલિયો માંદો પડ્યો .બહુ માંડો પડ્યો .પથારી વશ થઇ ગયો .થોડું ઘણું માંડ  બોલી શકતો હતો .પણ ઇંગ્લીશની મગજમાં રાય ભરાઈ ગએલી .એટલે  જે એકાદ શબ્દ ઈંગ્લીશના આવડે એ બોલે  એક વખત એને સખત તરસ લાગી એ એની માને કહેવા લાગ્યો ,મધર  વોટર ,એની  મા બિચારી સમજે નહિ ,એ એવું સમજે કે  વાલિયો  મઘર મોટર એવું સમજે એ વાલિયાને  કહે  ગગા મઘર સરોવરમાં હોય આંય  ન હોય અને દીકરા મોટર આપણા ગામમાં કોઈને નથી .ગામ લોકો વાલિયાના ખબર અંતર પૂછવા આવે ખર્ચો થાય એ નગર શેઠ ખર્ચો થાય   કહે વાલિયો ચિત્ત ભ્રમ થઇ ગયો છે અને વલાત  ગયોતો ઈમાં મોટરું નો હેવાયો થઇ ગ્યોસ  ઈ મોટરની માંગણી કરેસ પણ મારે ઈને મોટર ક્યાંથી લાવી દેવી .વાલિયો  “મધર મોટર મધર મોટર “એમ બોલતો રહ્યો .અને એકડી મારી ગયો

ગામડામાં શેઠ શાહુકાર માંદા પડે તો શહેર થી ડોક્ટરને બોલાવે અને તે વખતે  ગામડાના કોઈ દર્દી હોય એને તપાસે અને દવા આપે એનો જે કઈ ખર્ચો થાય એ નગર શેઠ ભોગવે .લોકોએ  ડોક્ટરને વાત કરી કે ગઈકાલેજ એક દર્દી  મધર મોટર એમ બોલતો બોલતો મરી ગયો .ડોક્ટરને લોકોને પૂછ પરછ કરતા ખાસ્બર પડી કે વાલીયો પાણી એની માં પાસે માંગતો હતો .પણ તે ઇંગ્લીશમાં બોલતો હતો એટલે તમે કોઈ સમજી નો શક્યા  પછી લોકોએ  ઉખાણું જોડ્યું કે

વાલિયો  ગ્યોતો  વલાતે  નવી શીખી આવ્યો વાણી

વોટર વોટર કરતા મરી ગયો અને ખાટલા હેઠ પડ્યું તું પાણી

બાળ આતા

આતા બાળક હતા, ત્યારે આવા હશે !

cc1

cc2

——-

cc3

મારે તુને બાવાનેજ દઈ દેવી છે . ભલે તું ગામડે ગામડે ભટક્યા કર

Golden Bride[2]ગિરનારની છાયામાં ગામડાના માણસો બહુ ઉદાર નિખાલસ ,અતિથિનું  ભાવ ભરેલું સ્વાગત કરનારા હોય છે એવું મનાય છે .જલારામની જગ્યામાં ,સતાધારની જગ્યામાં ,વગેરે ઘણે ઠેકાણે જમવાનું  કોઈબીને મફત આપવામાં આવે છે .જલારામની જગ્યામાં ઘણા વખતથી એવું બોર્ડ લાગેલું છે કે  “કોઈએ દાન આપવું નહી .” અહી કેટલાય મફતનું ખાનારા પડ્યા પાથર્યા રહે છે .સોરઠ સાધુ ,બાવા,ફકીર વગેરેને બહુ માં આપે છે .એટલે આનો લાભ લઈ  ઘણા ધુતારાઓ  સાધુ વેશે ફરતા હોય છે .એક છંદ લખું છું

પૈસેકે કારન ઢોલ બજાવત પૈસેકે કાજ બજાવત બાજા ,

પૈસેહીકે લિએ પૈર  દબાવત  રંક કું  કેહત હૈ તું મહારાજા

પૈસે બીના કોઈ  કહે  નહી  આજારે આજા

“આતાઈ ” કહે  એક સોરઠ મેં બીનું પૈસે  કહે ભાઈ રોટી  તું ખાજા

જલારામે સાધુની માગણી ઉપર પોતાની પત્ની  સાધુની સેવા માટે આપેલી પણ કહેવાય છે કે આ સાધુ વેશમાં  ભગવાન પોતે હતા .

એક નજીકના ગામડામાં પતિ પત્ની વચ્ચે  ઘરેણા બાબત ઝઘડો થયો .આપણે  સૌ ને  આ અનુંભવ છે .મારો એક લેખ વર્ષો પહેલાં “ગુજરાત ટાઈમ્સ “મેગેઝીનમાં છ્પા એલો છે એનું મથાળું હતું “પ્રસન્ન દામ્પત્યના મધુરાં  રમુજી સ્મરણો “આ લેખ હ્યુસ્ટન થી પ્રસિદ્ધ થતા દર્પણ માં પણ પ્રસિદ્ધ થએલો છે કદાચ વિજય શાહ ને યાદ હશે ..આ લેખ વાંચ્યા પછી એક છોકરે મને પૂછ્યું કાકા હું જયારે તમને અને કાકીને જોઉં છું ત્યારે તમો આનંદ મગળ   કરતાંજ હોવ છો  તમે કોઈદી ઝઘડો કરો છો ખરાં ? મેં તેને કીધું  અમે દેશમાં હતા ત્યારે  મારા ટૂંકા પગારમાં પૂરું કરવું પડતું ત્યારે અમો કરકસર કરવા  બાબત  થોડો ઝઘડો થતો ખરો .પણ અહી અમેરિકા આવ્યા પછી કોઈ દિવસ અમારે બન્ને વચ્ચે ઝઘડો થયો હોય એવું યાદ નથી . હા કોઈક દિવસ  ખોટો ખોટો ઝઘડો કરીએ છીએ ખરા  સાચો ઝઘડો કરવાનો વારો ન આવે એટલા માટે  આ અમારો ઝઘડો દસ મિનીટ  ચાલે .ઝઘડો પૂરો થાય એટલે મારી ઘરવાળી કહે આજતો તમે બહુ નવા નવા શબ્દો બોલતા હતા ,આવું બધું ક્યાંથી શીખી લાવો છો ?

જલારામના વીરપુર નજીકના ગામડે  પતિ પત્ની વચ્ચે ઘરેણું અપાવ્વામાટે ઝઘડો હતો .ઉપર ફોટામાં દેખાય છે એ સ્ત્રીએ ઘરેણાં પહેર્યા છે એટલા ઘરેણા પત્નીને હતાં  છતાં એ નાકની દાંડી થી અંબોડા સુધીનો લાંબો સોનાનો દોરો લઇ દેવા માટે પોતાને ધણી ને ખેતી હતી આથી ધણીને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આવેશમાં બોલ્યો .તારા આ બધાં ઘરેણાં હું આચકી લઈને પહેરેલે લુગડે તુને હું બાવાને આપી દેવાનું છું . પછી તું બાવા સાથે ભટક્યા કરજે ,આ વાક્ય એક બાવો સાંભળી ગયો .ધણી ધણી યાણી વચ્ચે તો પછી સમાધાન થઇ ગયેલું . બીજે દિવસે બાવો આવ્યો ,એને એમ કે જેમ જલારામે પોતાની પત્નીને સાધુને આપી દીધેલી એમ આ માણસ એની સ્ત્રી મને આપી દ્યે તો મારું કામ થઇ જાય .બાવે  રામાયણની કોપી લલકારી કે   રઘુ કુલ રીતી  સદા ચલી  આઈ પ્રાણ જાય અરુ બચન જાઈ  સાંભળી ને ઘરવાળો  રાયણ નો ગાંઠા વાળો ધોકો લઈને  ઘર બહાર આવ્યો અને બાવાને કીધું ભાગીજા નહિતર આ એકજ ધોકો  માર્યા  ભેગા તારા  પ્રાણ નીકળી જશે અને મારું વચન જતું રહેશે . બાઓ એકદમ ઉભી પુંછડીએ ભાગ્યો .