Category Archives: હાસ્યલેખ

‘આતા’ ની ધરપકડ ?

આજની તાજી,
સનસનાટી ભરી ખબર..

    શ્રી. હિમ્મતલાલ જોશી ઉર્ફે ‘આતા’ ની દેશની મૂલાકાત બાદ, ફેબ્રુઆરીના અંતમાં, ફિનીક્સના એરપોર્ટ પર, તેમણે જેવો પગ મૂક્યો; એની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી હતી.

તેમને  દોરડેથી મુશ્કેટાટ બાંધીને ફિનિક્સની,  જજ ગડબડદાસ ની  કોર્ટમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

આગળ શું થયું , તે જાણવા આ વિગતવાર અહેવાલ વાંચો..

‘ આતા’ નો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો

આજના એમના ૯૨મા જન્મદિવસે એમને આ અણધારી આપત્તિમાંથી હેમખેમ પાર ઉતરવા માટે અભિનંદન; જન્મદિવસની સૌના વતી વધાઈઓ; અને સેન્ચ્યુરી પૂરી કરવા શુભેચ્છાઓ.

આથર

હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો ત્યાં એક આર્થર નાંમનો  માણસ  કામ કરતો હતો.  તેને સૌ ‘આડી’ ના  ટૂંકા   નામે  બોલાવતા   મેં  એને  પુછ્યું , “તારું આખું નામ શું છે ?”

તે કહે “આર્થર”

મેં કહ્યું , ” હું તુને ‘આથર’ કહીને બોલવું  તો મને સહેલું  રહે.”

આર્થર કહે “તું એનો અર્થ મને કહે. “

મેં કહ્યું, “  વિગતથી કે’વું પડશે; એટલે થોડી વાર લાગશે.”

તે કહે, “વાંધો નહિં.”

પછી મેં વાર્તા માંડી.

મેં કહ્યું, “જૂના વખતમાં અમારા ગામ તરફ છોડમાંથી સીધો કપાસ  ન નીકળતો  પણ છોડ ઉપરથી  સીધા સુકા ફળ તોડી લવાતા.  આવાં ફળોને  કાલાં કહેતા. આવાં કાલાંને વેપારીઓ ખરીદે; અને પછી માણસો પાસે  કાલાં ફોલાવી ને કપાસ કઢાવે; અને માણસોને મજુરીના પૈસા આપે.  કાલાંમાં થી કપાસ કાઢી લીધા પછી જે ખાલી  ફોફું  રહે, એને  કોશિયું  કહેવાય.  આવા   કોશિયામાં    થોડો  ઘણો  કપાસ  રહી  જતો  હોય  છે.  બહુ  કાળજી  રાખવા છતાં આવા  કોશિયાઓને  કુંભાર  પોતાના  માટીના  વાસણ   પકવવા  લઇ  આવે. કોશીયામાં જે કપાસ રહી જતો હોય, તે   કુંભાર  સ્ત્રીઓ  કાઢી  લ્યે અને  એમાંથી   દાણા (કપાસિયા ) કાઢી  નાખીને  રૂ  તૈયાર  કરે.  આવા રૂને   કુભાર  સ્ત્રીઓ   રેંટીયા  ઉપર  કાંતીને  દોરા બનાવે. આવા દોરા વણકરને આપે. વણકર  કાપડ  બનાવે  અને  દરજી  પહેરવા માટે  કપડા બનાવી આપે. આવા કપડા   ફાટી  જાય  ત્યારે  એને  થીગડા  મારે  પછી જયારે વધુ ફાટી જાય  થીગડા  મારી  ના  શકાય  એવી  સ્થિતિ  સર્જાય   ત્યારે  આવા  તૂટી ગએલા  કપડાના ગોદડાં બનાવે.  આવા ગોદડાં  ફાટી ફાટી ને  ચૂંથા  થઈ જાય  ત્યારે  એવા  ગોદડાંને  જરૂર  પ્રમાણે  રીપેર  કરીને   ગધેડાની   પીઠ  ઉપર  મુકવાનું  સાધન  બનાવે આવા  સાધનને  આથર કેવાય.”

મારી કથા  સાંભળીને    આથર બોલ્યો, “ આ વસ્તુ તો બહુ એન્ટીક કહેવાય.  આ  નામ મને ગમ્યું છે;  અને એ નામથી મને બોલવતો  જજે.”

—————-

મુસાભાઈના તો વા ને પાણી

———————————–

એક  દેશીન્ગા જેવડા નાનકડા ગામનો મુસો વધુ કમાવા આફ્રિકાના કોઈ દેશમાં ગયો પણ ઓલી કેવત છે ને કે,
हुन्नर करो हज़ार,
भाग्य बिन मिले न कोडी

એમ  મુસાભાઈને સફળતા નો મળી. એટલું  જ નહીં;  ગાંઠની મૂડી પણ ખોઈ. એટલે બાપડો મુસો ધોએલ મૂળા જેવો ગામડા ભેગો થઇ ગયો એટલે  કે’વત  પ્રમાણે

लेने गई पुत, और खो आई खसम ।

એવી મુસાભાઈની હાલત થઇ.  હાલ અમેરિકાથી દેશમાં માણસ જાય અને જે સ્વાગત થાય એવું સ્વાગત મુસા ભાઈનું થયું. મુસાભાઈ  તો ખુશ ખુશ થઇ ગયા. મુસાભાઈએ તો  ગામના  દુકાનદારોને કહી   રાખેલું કે,  ”મારે આખા  ગામને ધુમાડાબંધ  જમાડવું છે. એટલે જે માલ જોઈએ એ આપતા રે’જો.  હું પછી હિસાબ કરીને નાણાં ચૂકવી દઈશ.” વેપારીઓ તો હરખાઈ ગયા અને ગામ લોકો પણ રાજી રાજીના રેડ થઇ ગયા.

બધા જમી રહ્યા હતા. મુસા ભાઈ  બધા જમનારાઓને કેવા લાગ્યા કે, “ભાઈઓ, બેનો અને વાલા બાળકો! બધા પ્રેમથી જમજો.”  એટલામાં ગામનો મુખી જમતા જમતા ઉભો થઈને બોલ્યો, “મુસા ભાઈ!  તમે તો હદ કરી નાખી. આવો ભવ્ય જમણ વાર ગામના ઈતિહાસમાં કદી થયો નથી.”

પછી મુસા ભાઈ બોલ્યા,

       ”ભાઈઓ!  મને તમે જશ આપો છો એથી હું ઘણો રાજી થાઉં છું. બાકી મારું આમાં  કઈ નથી. મુસાભાઈનાં તો  વા  ને પાણી છે.”

મુસા ભાઈ વેલા ઉઠીને વહેલી બસ પકડીને રફુચક્કર થઇ ગયા. પછી  રાજેન્દ્ર ત્રિવેદી જેવો એક ભાઈ બોલ્યો , “મુસાએ સાચું કીધું કે,  આ જે તમે  મફત નું પાણી અને હવા વાપરો એ જ મુસાભાઈનું સમજવાનું.  બાકી આપણે જે જમ્યા એ તો આપણા ગામનાં વેપારીઓનું જ છે.”

કુતરા કુતરીના લગ્ન

ઘણાને  જુનાગઢના નવાબે  કુતરા કુતરીના લગ્ન કરાવ્યા હતા એ વાતની ખબર હશે; પણ અતાઈ  દાદા એ જ વાત કરશે, એમાં ઓર મઝા આવશે.

જૂનાગઢના કોઈ રહેવાસીને પુછો કે, નવાબનાં કુતરાઓ નું કબ્રસ્તાન ક્યાં આવ્યું ? બહુ ઓછાનો જવાબ ‘હા’ માં આવશે. આજે આપણે મરેલા કુતરાની વાત નથી કરવી; પણ  જુવાનજોધ વરરાજા કૂતરાની વાત કરવી છે

એક વખત નવાબ સાહેબને  રાતના બે  વાગ્યે ઊંઘ ઉડી ગઈ અને વચાર આવ્યો કે,  આપણા લાવર કુતરાના ધામધૂમથી લગન કરીએ તો કેવું ? અને આ વિચાર એની  બેગમ સાહેબને  ભરઊંઘમાંથી ઉઠાડીને કહ્યો.

બેગમ થોડી ગરમ તો થઇ ગઈ અને બોલી, “ तुम सोते नहीं हो और सोने देते भी नहीं हो  बोलो क्या बात है ?”

નવાબે કુતરા ના લગન ની વાત કરી.

બેગમ બોલી, “कोनसा कुत्ता जो युरुपियन जैसा है वो ?”

”हां वो गोरे कुत्तेकी बात करता  हु ।”

બેગમ બોલી, “अच्छा मगर देसी कुत्ती नहीं लाना; गोरी मढम लाना।”

પછી નવાબે હરજીડા તળપદા કોળી  અને વીહલા વગડ  વાઘરીને કુતરી ગોતવા રવાના કર્યા. વીહલા  વાઘરીએ અંગ્રેજ ને લગન કરવાનું મન થઇ જાય એવી ગોરી રૂપ રૂપ નો અંબાર જેવી  પોતાની નાતના વગડ વાઘરીને ત્યાંથી  કુવારી કુતરી ગોતી કાઢી. .હરજીડે કુતરીના માલિકને વાત કરી.

“ઈ રૂપમતી,  તારી કુતરી સાથે નવાબ પોતાના કુતરાના લગ્ન કરવા માંગે છે; એટલે હું માગું લઈને આવ્યો છું.”

કુતરીનો માલિક બોલ્યો, “મારી કુતરીને હું નવાબના કુતરા સાથે લગન ન કરું. મારી કુતરીને બિચારીને  ઓઝલમાં રેવું પડે બાપડી દુ:ખી દુખી થઇ જાય.”

હરજીડે  બધી બીનાથી નવાબ ને વાકેફ કર્યા.

નવાબ બોલ્યા, ” सिर्फ तिन दोकड़ेके  वाघरीकी ये हिम्मत? चलो मे खुद जाता हु और कुत्ती को उठा के ले आता हु ।”

હરજીડો  બોલ્યો, “બાપુ, ઈ જામસાબ ની હદ માં રહે છે. એટલે જબરાઈ કરવા જઈએ તો જામ બાપુ હારે ધીગણું થઇ જાય; અને ઈમાં  તમારી આબરૂના કાંકરા થઇ જાય.”

નવાબે હરજીડાની વાત માની લીધી;  અને કુતરીને લઇ આવવા  માટે બીજો  રસ્તો ગોતી કાઢ્યો. વાઘરીને ખુબ  પૈસા આપી કુતરી લઇ આવવાનું નક્કી કર્યું. વાઘરી રાજી થઇ ગયો અને પછી તો બાપુ! ઘડિયાં લગન લેવાણા. નીકાહ પઢાવવા માટે  મોલવીને બોલાવ્યો.

મોલવી કહે, ” बापू , में जानवरों का  निकाह  नहीं पढ़ता।”

મોલવી ને ખુબ પૈસા આપવાની વાત કરી એટલે  મોલવી નિકાહ પઢાવી આપવા તૈયાર થઇ ગયો .

ત્યાં  વાઘરી આડો ફાટ્યો.  ઇ કે’, “મારી કુતરીના લગન  બ્રાહ્મણ કરે.”

હવે આવા બ્રાહ્મણની તપાસ આદરી. કોઈ બ્રાહ્મણ તૈયાર નો થાય.  કોઈકે અતાઈ જોશીનું નામ આપ્યું.  અતાઈ જોશીએ ઘસીને ના પાડી દીધી.  કોઈકે કીધું કે,  ”અતાઈ  રૂપમતી  તરવાડીનું માનશે.”

રૂપમતી પાસે નવાબનો ખાસ માણસ ગયો; અને વાત કરી કે,  ”નવાબના કુતરા કુતરીનાં લગન કરાવવા   કોઈ ગોર બાપો મળતો નથી  જો તમે અતાઈ ને કહો તો એ તમારું માનશે.”

રૂપમતી બોલી, ” જાવ, એને મારું નામ દેજો. જો ના પાડે તો કે’જો કે, થોડા દિવસ પે’લા તમે જેરામ ધોબીના  ગધેડાના લગન કરાવી આપ્યા’તા;  અને આ નવાબના  કુતરાના લગન કરાવવાની કેમ નાં પાડો છો? જાવ મારું નામ દેજો;  એટલે તરત મિયાંની મીદડી જેવા થઇ જશે, અને હા પાડી દેશે.”

અતાઈએ હા પાડી અને લગન ધામધૂમ થી થયા

समुहुर्तम शुभ लग्नं  निर्विघ्ने न भवतु।