Category Archives: લોકકથા

ઇસ્લામ ધર્મ ઉત્પન્ન થયા પહેલાં

હઝરત મહંમદ પેગંબર સાહેબના જન્મ પહેલાની આવાત છે .એ સમયે અરબો દીકરીને બહુ ઈચ્છતા નહિ .દીકરીને પરણાવીને જે જમાઈ કર્યો હોય, એના કરતા
દીકરીને દાટી દઈને કબર જમાઈ કરવો સારો એવી એ સમયે માન્યતા હતી .જેમ ભારતમાં  કેટલીક જાતિઓમાં  દીકરીને દુધથી ભરેલા વાસણમાં દીકરીને ડુબાડીને મારી નાખવામાં આવતી .તેવી રીતે પ્રાચીન સમયના અરબો દીકરીને રણમાં ઊંડે ખાડોકરી દાટી દેતા હતા .એવા સમયમાં  એક ઉસ્માન નામના અરબને ઘરે દીકરીનો જન્મ થયો .જન્મ થયાની સાથે દીકરીને દાટી દેવાની એના બાપે તૈયારી  કરી .પણ એની વાઇફે એવું કીધુકે  મને ધાવણ પુષ્કળ આવે છે .
એટલે જો દીકરીને હમણાં દાટી દેવામાં આવશેતો  મારી છાતીમાં ખુબ ધાવણ ભરાશે અને એ કારણે કદાચ હું માંડી પડી જઈશ અન મારી જઈશ ,માટે દીકરી ધાવે છે ત્યાં સુધી  ભલે જીવે પછી તે થોડી મોટી થાય એટલે એને દાટી  દેવી.
આમ દિવસ ઉપર દિવસ જવા માંડ્યા ,દીકરી મોટી થવા માંડી .હવેતો એ અગિયાર બાર વરસની ઉમરની થઇ ગઈ .એટલે દીકરીના પિતાએ હવે જલ્દી દાટી દેવી જોઈએ .એવું વિચારી કોશ, કોદાળી , દીકરીને પોતાની આંગળીએ વળગાળી ને દુર રણમાં દાટવા જવા રવાના થયો .બારેક વરસની ઉમરની દીકરી બધું સમજતી હતી કે હવે હું બહુ થોડા સમયમાં   મરવાની છું છતાં  એના મુખ ઉપર દુ:ખની કોઈ નિશાની ન હતી .આવી સહન શક્તિ પરમેશ્વરે સ્ત્રીને આપી છે.
ઉસ્માને ખાડો તૈયાર કર્યો .અને સોરઠમાં વરરાજા ને તેડે છે એમ તેડી અને ખાડામાં મુકવાજાતો હતો .ત્યારે  ખાડો ખોદવાના કારણે જે એની દાઢીમાં ધૂળ ભરાઈ
ગયેલી  એ ધૂળ દીકરી ખંખેરવા માંડી .અને બોલી અબ્બા મારી માને મારાવતી એટલો સંદેશો દેજો કે મને દાટવા તમને જે મહેનત પડી છે .એ કારણે તમારું શરીર  દુ:ખતું હશે એને જરા માલીશ કરે અને તમને ગરમ કાવો પીવડાવે . આવું  જગદંબા  દીઅરીજ કરી શકે .દીકરી તારો જય જય કાર થાઓ .

બાળકીનું બલિદાન

મેર લોકોમાં  ઘણા નાના  મોટા બહાર વાટિયા થઇ ગયા છે .પણ નોંધ ફક્ત નાથા મોઢવાડિયાની લેવાણીછે.
જુના વખતમાં  પોરબંદર રાજ્ય સામે ભૂતિયા શાખાના  મેરને કૈક પોરબંદર રાજ્ય સામે વાંધો પડ્યો  એટલે કેટલાક મેર જુવાનોબહારવટે ચડ્યા .અને રાજ્યમાં રંજાડ શરુ કર્યો . અને
મહારાણાની ઊંઘ હરામ કરી દીધી .
બહારવટિયાઓને   જીવતા  યા મુવા પકડાવવા માટે મોટાં ઇનામો જાહેર કર્યાં પણ કોઈ સંજોગોમાં બહારવટિયા  જબ્બે થતા નોતા ,પણ એક દિવસ  બહારવટિયા  લશ્કરની નજરે ચડ્યા  અને લશ્કરે પીછો કર્યો.બહારવટિયા ભાગીને નેરાનાંગામમાં ઘુસ્યા , નેરણા  ગામને મેરલોકો નારાણું કહે છે.   અને મારું માનવું છેકે નારાણું નામ યોગ્ય છે .કેમકે તે નામ નારાયણ ઉપરથી પડેલું હોય એમ માની શકાય .
બહારવટિયા  નારાણાં ગામમાં  આવીને  પોતાના ગોરના ઘરમાં ઘુસી ગયા .સિપાહિયો  વાહા લગા  ગામમાં ઘુસ્યા .
બહારવટિયા બ્રાહ્મણના ઘરમાં સંતાયા છે . એવી બાતમી કોઈકે    સિપાઈઓને આપી. એટલે સિપાઈઓ  બ્રાહ્મણના   ઘર આગળ આવીને ઉભા રહ્યા .અને બ્રાહ્મણને ધમકી આપીકે  તે ઘરમાં ડાકુઓને  આશરો આપ્યો છે. એટલે જો તું તારું હિત  ઈચ્છતો હોયતો  લુંટારાઓને  ઘર બહાર કાઢ્ય .બ્રાહ્મણે જવાબ આપ્યોકે  મારા ઘરમાં કોઈ છેજ નહિ .માટે તમે ક્યાંક બીજે તપાસ કરો .એક જણ સિપાઈ ગીરીથી બોલ્યો , ડાકુઓને કાઢે છેકે પછી અમે તારા ઘરમાં ઘૂસીને  અમારી જાતેજ કાઢી લઈએ ? બ્રાહ્મણે જવાબ આપ્યોકે જો તમે મારા ઘરમાં ઘૂસવાની કોશિશ કરશોતો જોયા  જેવી થશે . સિપાઈઓએ બ્રાહ્મણ ની વાતને ગણકારી નહિ અને ઘરમાં ઘુસવા પ્રયાસ કર્યો . આવખતે બ્રાહ્મણની બાજુમાં તેની ચારેક વરસની ઉમરની તેની દીકરી ઉભેલી હતી .આ અભોર બાળાને એકજ  ક્ષનમાં બે પગ પકડીને ક્રૂર બ્રાહ્મણે  પત્થર ની શીલા ઉપર પટકી  બાળકીનું માંથું  દહીંની દોણી ફૂટે એમ ફૂટી ગયું .અને મગજના છોતરા  વેરાઈ ગયાં. બ્રાહ્મણ દીકરીનું લોહી  સિપાઈઓ ઝખ્વાના ના પડી ગયા .  અને જતા રહ્યા . થોડીવારે  બહારવટિયા  ઘર બહાર નીકળ્યા ,અને બ્રાહ્મણને  ઠપકો આપ્યો કે અમને બચાવવા  આવું ક્રૂર કૃત્ય શામાટે કર્યું . અમે તો ખડિયામાં  ખાંપણ લઇ નેજ ફરતા હતા . આજ નહિ તો બે દિવસ પછી અમેતો મરવાના  હતાજ   આવું બાળકીને મારી  નાખવાનું  અધમ કૃત્ય કરવા કરતાં તે અમને પકડાવીને  ઇનામ લીધું હોત તો સારું હતું .બ્રાહ્મણ બોલ્યો .મારે આશરે આવેલા મારા યજમાનને  પકડાવી દઈ મારી પેઢી દર પેઢી ઉપર કાળી ટીલી લાગવા દેવાનું હું ઈચ્છતો નોતો.
એમ કહેવાય છે કે  બાળકીનું બલિદાન દેનાર બ્રાહમણનું   નખ્ખોદ નીકળી ગયું . હાલ આ ક્રૂર બ્રાહ્મણના ભાયાતોના વારસો એ  બાળકીનું કુળ દેવી  તરીકે સન્માન કર્યું .અને બહારવટિયાઓના વારસદારો વાર તહે વારે નૈવેદ્ય  ધરાવે છે.
.

अनाविल અનાવિલ

अनाविल  અનાવિલ

સીતારામ અને લખમણ વનોમાં વિચરણ કરી રહ્યાં હતાં, એક સમયે તેઓ  હાલના  તાપી અને વાપી  પ્રદેશમાં આવ્યાં .આ વિસ્તારના  વનવાસી લોકોએ  તેમને હર્ષભેર આવકાર્યા .

વનવાસી લોકો કે જેઓ ભીલ તરીકે ઓળખાતા ,તેમનો નિખાલસ નિ:સ્વાર્થ  ”  अतिथि  देवो भव   ની ઉત્તમ ભાવનાથી સૌ બહુ પ્રભાવિત  થયાં.
સીતાએ રામને કહ્યું  આર્યપુત્ર આ વિસ્તારમાં યજ્ઞ કરવાની મારી ઈચ્છા છે .મારા  આ વિચારમાં આપની સંમતિ છે ? રામે સંમતિ દર્શાવી અને યજ્ઞ કરવા માટે જોઈતી સામગ્રી તૈયાર કરી
લક્ષ્મણને બ્રાહ્મણો લઇ આવવા માટે રામે આજ્ઞા    કરી .
લક્ષમણ બ્રાહ્મણોને શોધી લાવવા રવાના થયા , આખું  વન ફરી વળ્યા પણ  લક્ષમણને કોઈ બ્રાહ્મણ મળ્યો નહિ  .કેમકે આ  વિસ્તારમાં  ભીલ સિવાય કોઈ બીજી જાતનો વસવાટ હતોજ  નહિ.  લક્ષમણ નિરાશ  થઈને રામ પાસે આવ્યા .અને રામને વાત કરીકે  આ વિસ્તારમાં  બ્રાહ્મણ તો શું પણ ક્ષત્રિય ,વૈશ્ય ,કે શુદ્ર પણ નથી .કેવળ ભીલ લોકોનીજ  વસ્તી છે . લક્ષમણની  વાત સાંભરી  રામ થોડા ઉદાસ થઇ ગયા ,અને હવે શું કરવું એવા વિચારે ચડી ગયા .રામનો  ઉદાસ  ચેહરો જોઈ .સીતાએ  રામને પુચ્છ્યું ,પ્રભુ આપ ચિંતાતુર શા માટે છો ?
રામે  બ્રાહ્મણો નથી મળતા એ વાત કરી અને વધારામાં  કહ્યું કે આ વિસ્તારમાં   બ્રાહ્મણોની  વસ્તીજ નથી .રામની વાત સાંભળી   સીતા બોલ્યાં આર્યપુત્ર આપ સમર્થ છો ભીલને
બ્રાહ્મણ  બનાવી શકો છો .સીતાની વાતથી રામ પ્રસન્ન થયા.અને થોડાક ભીલોને કુટુંબ સાથે લઇ આવવા આજ્ઞા કરી .લક્ષમણ તાબડતોબ રવાના થયા ,અને ભીલોને માનભેર લાવીને
રામ સમક્ષ ઉપત્સ્થિત  કર્યા રામે ભીલોને તાપી નદીમાં  સ્નાન કરી આવવા કહ્યું .ભિલો તૈયાર થઈને  આવ્યા, રામે વિધિવત  દિક્ષા આપી યજ્ઞોપવીત પહેરાવી અને  ભીલોને બ્રાહમણ
બનાવ્યા .આ  બ્રાહ્મણો એજ  આજના અનાવિલ બ્રાહ્મણો .

આ નવા બનેલા બ્રાહ્મણો અભણ હતા એને વેદ મંત્રો બોલતા કરવા રામે સરસ્વતી દેવીનું આવાહન કર્યું  સરસ્વતી દેવી પધાર્યા .એટલે રામે ભીલોને વેદ મંત્રો શીખવવા સરસ્વતી દેવીને વિનતી કરી .સરસ્વતી દેવીએ  અગ્નિ દેવની સ્તુતિનો મંત્ર શીખવાડ્યો અને પહેલા જે ભીલ હતા તેઓ વેદમાની અગ્નિ દેવની સ્તુતિ બોલ્યા चत्वारि श्रंगा त्रयो अस्य पादा सप्त हस्ता

અને યજ્ઞ કુંડમાં અગ્નિ દેવે પ્રવેશ કર્યો . બ્રાહ્માનોએ  સીતારામને યજમાન તરીકે બેસાડ્યા સીતા અને રામે  બ્રાહ્મણોને પ્રણામ કર્યા .બ્રાહ્મણોએ  આશીર્વાદ આપ્યા અને યજ્ઞનો શુભારંભ થયો .अग्नाए नमो नाम: स्वाहा:(मोरारजीभाई देसाई अनाविल थे )

મણિયારો (માનવાળો)

માનીયારાનું  લોકગીત  લોકસાહિત્યના પ્રેમીઓમાં  બહુ જાણીતું છે .મને આગીત બહુ ગમે છે.પહેલવેલું આ ગીત હું તેરેક વરસની ઉમરનો હઈશ ત્યારે સાંભળેલું .
આગીત એક ગવૈઓ ગાયછે .તેનો અવાજ અકબરના  ગવૈયા તાન્સેનથી વધીજાય એવો છે  .પણ તે એમાં પોતાની  હોશિયારી  ઉમેરેછે, એટલે ઘણી વખત ગીતની મઝા મારી જાય છે.
સારો અવાજ હોવો એ પરમેશ્વરની ભેટ છે, સારો અવાજ શીખવા માટે કોલેજમાં  નથી જવું પડતું .
સારો અવાજ હોય ,સારા લેહ્કાથી ગાઈ શકતો હોય, એવા માણસમાં ગીતનું હાર્દ સમજવાનું જ્ઞાન પણ હોય એવું  ઘણી વખત નથી પણ બનતું.   સારા અવાજવાળો ગાય છે  આપણે સહુએ સાંભર્યું પણ છે. અને ઉત્સાહવર્ધક  તાળીઓ પણ પાડી છે .પણ એ ગાયક કલાકાર માનીયારા શબ્દને બદલે મણિયારો શબ્દ વાપરે છે એ બરાબર નથી.
મણિયારો એટલે બંગડીયો વેચનારો ,હવે આવા મનીયારાએ  કોઈ જુવાન છોકરીના હાથનો  બંગડી પેરાવતી વખતે  પોંચો દબાવ્યો હોય .આવા કારણસર  મણિયારો બંગડીયું વેંચીને  બહાર ગામ  જવા રવાના થાય ત્યારે મણીયારના વિયોગના  દુ:ખ માં હૈયું હચમચી જાય,એને  એવા ગીતનું સર્જન નો થાય.
મેં એક ગઢવી  પાસેથી પહેલવેલું આ ગીત સાંભર્યું એની વાત હું આપની આગળ કરું છું .
અગાઉ કીધું એમ હું જયારે તેરેક વરસનો હતો, ત્યારે હું મરમઠ ગામે ચાલીને ભણવા જતો .આવતી વખતે પ્રેમજી ઝાલાવાડીયાની  વાડીયે,  હાથ, પગ ,મોં,   ધોવા અને પાણી પીવા જતા .
અને પાણી પિતા પિતા એકબીજાને  પાણી  ઉડાળીને તોફાન કરતા અને મારામારી પણ કરી લેતા .અને પછી રસ્તે ચાલવા મંડી જઈએ ત્યારે  અગાઉનો જઘડો કયાં અલોપ થઇ ગયો હોય એની ખબરજ નોપડે . એ—-ય ને ઠાઠથી વાતો કરતા કરતા જઈએ .
એક વખત  અમે વિદ્યાર્થીઓ  વાડીએ કોસ ચાલતો હતો અમે રાબેતા મુજબ પાણી બાણી પીધું .એટલામાં એક ગઢવી આવ્યો,એણે બગલાની પાંખ જેવાં  ચોરણો, પહેરણ ,પાઘડી .પહેર્યા હતા પણ પગ ઉઘાડા હતા . બચપણથી હું બહુ જીજ્ઞાસા વૃતિ વાળા સ્વભાવનો છું .અને એટલેજ હું “અતાઈ ” છું .
મેં gadhavine પૂછ્યું ગઢવી તમારાં સ્વચ્છ કપડાં જોવાથી એવું લાગેછે કે તમે સ્વચ્છતા નાં આગ્રહી છો પણ  પગરખાં (જોડા ) કેમ નથી પહેરતા ? ગઢવીએ જવાબ દીધો .ઉઘાડા પગને લીધે ધરતી માતાને આપના શરીરનો સીધો સ્પર્શ થાયછે અને એણે લીધે બુદ્ધી ખીલે છે .એમ કહી એણે જૈનાચાર્ય  હેમચંદ્રસુરીનો દાખલો આપ્યો .કે જેણે સિદ્ધ રાજ જયસિંહ નું માનસ પરિવર્તન કર્યું .અને એને જૈનધર્મની દિક્ષા આપી . આ  ઉઘાડા  iપગને લીધે શક્ય બન્યું. પછી મારા જેવો ગઢવીને પ્રશ્ન પૂછનારો મળ્યો એટલે ગઢવી  ખીલ્યો .અશોક મોઢ વાડીયો ક્યેછે એમ  “આતાને પ્રશ્ન કરોતો આતા પાંહેથી નીહરેને?” ગઢવીએ એક દોહરો સંભળાવ્યો  “,. માંગણ મેલે લુગડે વૈશ્યા જોબન  વેણ ,  કામેથી ઉતાર્યો કામદાર ઈ લાગે દેખીતાં દેણ ”
દોહરો સાંભળ્યા પછી પ્રેમજી ઝાલાવાડિયાને  ગઢવી પાસેથી વધુ સાંભળવાની વધુ ઈચ્છા થઇ તેણે ગઢવી પૂછ્યું .તમે અમને વાર્તા બાર્તા કૈક  સંભળાવશો ? ગઢવી બોલ્યો કદરદાન તારા જેવો મને મળતો હોય તો હું વાતો કરતાં થાકતો નથી .તો હાલો અમારી ઝુંપડીએ ગઢવી એની ઝુપડીએ ગયો. અમે પણ સાથે ગયા .  પ્રેમજીએ ગઢવીને ખાટલે બેસાડ્યો .અને અમે સૌ જમીન ઉપર નીચે બેઠા .પ્રેમજી ખેતરમાંથી  રાજીકડા ચીભડાં લઇ આવ્યો .અને બળદ આગળ ગદબ(રજકો ) નાખે એમ અમારી આગળ ચીભડાં નાખ્યાં.અમે ચીભડાં ખાવા માંડ્યા

અને ગઢવીએ  વાર્તા  માંડી કે રાજપૂત ગરાસીયોમાં દુર દુર ના સગા હોય છે .     જુના જમાનામાં કચ્છી જાડેજા દરબારને ત્યાં એક માલવાથી લવર મૂછો  ફુટરોજુવાન મેમાન ગતિએ આવ્યો .જાડેજા દરબારને  અપ્સરા જેવી રૂપ રૂપનો અંબાર કુવારી કન્યા હતી . માલાવીઓ જવાન  પણ કુવારો હતો .દરબારોમાં સ્ત્રીઓને બહુ માંભામાં રહેવું પડે  પુરુષ સામું જોવાય પણ નહિ .પણ પ્રેમ જેનું નામછે  એને કોઈ પરદો નડતો નથી .એક ઉર્દુ કલામ છે.    जोहै पर्देमे  पिन्हां  चश्मे बिना  देख लेती है ज़मानेकी तबियातका  तकाजा देख लेती है .એવીરીતે  જાડેજાની દીકરીની ચાર આંખો મળી ગઈ . અને આંખના ઇશારાથી વાતો થઇ ગયી .એવામાં ગામના ઢોરોને હાંકીને ચોર લોકો લઇ જવા માંડ્યા .જુના વખતમાં  જાડેજા રજપૂતો પણ ઢોર ચોરીનો ધંધો કરતા પદ્મશ્રી દુલા ભાયા કાગ કવિના વડવાઓ પણ ઢોર ચોરીનો ધંધો કરતા . ઢોરને ચોરીને લઇ જવા માંડ્યા ,ત્યારે રીડ પડી બુંગીયો (ચેતવણીનો  ઢોલનો અવાજ )વાગ્યો ગામલોકોના જુવાનો ઢોરોને પાછા વાળી લાવવા ને  ધીગાને  (યુધ્ધે )ચડ્યા  મેમાન થએલો .    માળવી જવાન કેમ જાલ્યો રહે .મહાભારતની કુંતી મેમાન હતી છતાં એણે ઘરધણીના
સંકટને પોતાનું સમજી પોતાના દીકરા ભીમને  રાક્ષાસના ભરખ માટે મોકલ્યો .પરિણામ એ આવ્યું કે ભીમ રાખહને ભરખી ગયો .એવાત આપણે  જાણીએ છીએ
ધીન્ગાનાના કારણે કૈક જુવાનો મોતને ભેટ્યા કૈક જુવાનો ઘાયલ થયા . ઘાયલ થનારાઓમાં એક માળવી જુવાન પણ હતો .જુવાનને  ઝોળીમાં નાખી ઘેર લઇ આવ્યા સારવાર આદરી
સખત રીતે ઘાયલ થએલો જવાન    બેભાન છે . વૈદ્ય આવ્યો દર્દીને તપાસીને કહ્યુકે  આ જુવાનની  બચવાની કોઈ આશા નથી .એ ઘડી બેઘડીનો મેમાન છે .આવું સાંભળી  કન્યાનું ર્હદય           જાણે ફાટી ગયું .અને આંખ દ્વારા  આંસુના રૂપમાં લોહીની ધારા વહેવા લાગી .કન્યાના દિલની દશા  કેવી હોય શકે  એનું વર્ણન અભણ કવિ કેવું કરે છે . એ તમે  માંનીયારાના ગીતમાં સાંભળો .બંગડ્યું વેચનારો એક ગામથી બીજે ગામ જતો રહે એમાં આવા ગીત્તોના સર્જન નો થાય . કેવા? માનીયારોતી  હાલું હાલું થઇ રહ્યોને મુંજા દલડાં ઉદાસીન  હોયરે ભેણ મુજો પરદેસી માનીયારો  કે છેલ મુજો માલાવી માનયારો.

એલાવ  આતાએ આટલું લાંબુ હમ્ભરાવ્યું કોઈ પડકારોતો કરો કે વાહ આતા વાહ   અટાણે કઈ નહિ પણ નિરાંતે કોમેન્ટ  આપજો?