Category Archives: ભાનુમતીપુરાણ

ભાનુમતી પુરાણ

આતાવાણી

પ્રિય સુરેશ ભાઈ,
ભાનુમતી વિષે થોડું  લખાણ  હમણાજ લખીને તમને  મોકલી આપ્યું  છે.  થોડું બાકી છે જે હવે લખું છું।   હો ઘણી વખત  બીજું બટન  દબાવી દઉં એટલે લખાણ  ભુંસાઈ જાય છે  એટલે અધૂરું મોકલી આપ્યું છે  . તમે ખુબ બીજી હોવા છતાં  મારું કામ  કરી આપો છો એ  બાબત હું તમારો ઘણો આભાર વશ છું  . ભાનુંમતીનું લખાણ પૂરું  થઇ જાય એટલે પછી આતાવાણી  માં  નહિ લખું તોપણ ચાલશે પછી હું મિત્રોના લખાણો વાંચીશ   ભાનુ  મતિ  વિષે લખવા માટે  મારા પરિવારનો ઘણો આગ્રહ હતો  .

———–

Bhanumati

     ભાનુમતી  હિમ્મતલાલ  જોશી (આતાની વહાલસોયી પત્ની) )આજે હું ભાનુમતિની   આપ સહુને ઓળખાણ  કરાવું છું   .ભાનુમતીનો  જન્મ  જુનાગઢ  જીલ્લાના  કેશોદ ગામે જુન 18 1923ની સાલમાં થયેલો  .   કેસોદને  શહેર નહિ  , પણ કસબો કહેવાય  . મારા કાકા   ભાનુમતી  નાં ઘરકામની ધગશ  ,  સ્વચ્છતા  , વ્યવસ્થાશક્તિ  , ઉપર ખુબ આકર્ષાયા   .કાકાએ મારી માને વાત કરી કે  ભાભી જો આ છોકરી સાથે  હેમતનું લગ્ન થાય તો  તમારા ઘરનું કામ  ઉપાડી લ્યે અને  તમને જલસા થઇ જાય   , એ સમયમાં અમારી બાજુ કન્યા વિક્રય થતો  .  કન્યાનો બાપ  વરના બાપ પાસેથી   ગરજ પ્રમાણે પૈસા પડાવે  .મારા બાપાએ કાકાને વાત કરીકે હાલ હેમત લગ્ન કરવાને લાયક ન કહેવાય  વળી કન્યાના  બાપને  આપી શકીએ  એટલા પૈસા પણ અમારે પાસે  નથી  .  કાકાએ કીધું કે કન્યાનો બાપ  બહુ પૈસાનો લાલચુ લાગતો નથી   . બહુ બહુતો  લગ્ન ખર્ચ પૂરતા પૈસા  તમારી પાસેથી લેશે  ,
અને પછી બાપાએ ધારેલા એના કરતાં  ઓછા પૈસા  કન્યાના બાપ જાદવજી  વ્યાસે  લીધા   .અને  હેમત ભાઈ 1937ના મેં મહિનામાં લાડી લઈને  દેશીંગા ઘરે આવ્યા  રાત પડી ગઈ હતી  . એક રૂમમાં  ગામ સગપણે મારી ભાભી થતી  ભાભીએ  પથારી પાથરી દીધી અને દીવો ઠારીને મને અમુક કામસૂત્ર ની ટ્રેનીંગ આપી ને જતી રહી  ,અને नई अबला रसभोग न जाने  सेज  किये  जिय   माय डरी  , रस बात करी तब चोंक  चली   तब कैंथने  जायके बॉ पकरी  .   પછી  સવાર પડ્યું  ત્યારે મેં મારી ઘરવાળીનું મોઢું જોયું પહેલી વાર
અમેતો ગામડિયા માણસ  ગાયું ભેંસો   રાખનારા  અને ભાનુમતી  શહેરમાં ઉછરેલી  પણ બહુ અલ્પ સમયમાં  ઢોર માટે સીમમાંથી ઘાસ ચારો લાવતા   ગાયો ભેસોનું  દૂધ કાઢતાં છાશ વલોવતા   છાણ   વાસિંદુ કરતાં શીખી લીધું  .વષો વીત્યા પછી ભાનુમતી ગર્ભ વતી બની  અને બાળક અવતરવાનો  સમય પાકી રહ્યો હતો  . અમારા માટીના ઘરને  ગાર કરવા માટે  ઉપરાઉપર   બે ટોપલા ભરીને  માટી ખોદી લાવી  માટી નીચે નાખી અને મારી માને  વાત કરીકે મા મને પેટમાં દુ: ખે છે  . માએ કીધું તુને બાળક અવતરવાનું હશે એટલે તુને પેટમાં દર્દ  થાય છે એમ કહીને માએ એક રૂમમાં  ખાટલો ઢાળી  દીધો  . અને કોકને  કીધું કે તમે ગામમાંથી  તમારા બાપાને  કહો કે જલ્દી ઘરે આવે અને સાથે સુયાણીને લેતા આવે  બાપા એ સુયાણી  મલી મા ભાટુની તપાસ કરી  મલી  મા એક બાઈને  સુવાવડ કરાવવા  કોઈકને ઘરે ગયાં હતાં   . મલી  મા બાપાને  કહે હું અબ ઘડી એજ  આવું છું  .

     બસ  પળવારમાં   મલીમા  અમારે ઘરે આવ્યાં  એટલામાં તો  દીકરો જન્મી ચુકેલો હતો  . પછી મલીમા એ  નાળ કાપવા માટે  દાતરડું લીધું  થોડી વાર પહેલાં આજ દાતરડાથી  મારી માએ  ડુંગળી  સમારેલી  એટલે માએ  સુયાનીને કીધું બેન ઉભા રહો; હું આ દાતરડું  ધોઈ નાખું કેમકે આ દાતરડાથી  થોડી વાર પહેલા મેં ડુંગળી  સમારેલી છે  .. સંભાળીને મલી મા  બોલ્યા  વ્યાધી કરોમાં મારા હાથે કોઈ બાળક બગડ્યું નથી  .

      આ એ બાળક કે  જેણે ઉઘાડે પગે બકરીઓ ચરાવેલી અને મેટ્રીકમાં 14 મેં નંબરે પાસ થયો અને નેશનલ મેરીટ  સ્કોલરશીપ મેળવેલી  .હાલ એ દેવ જોશીના નામે અમેરિકામાં રેડિયો ઇન્ટર નેટ ઉપર  જાણીતો છે  .

       વખત જતા  હું અમદાવાદમાં પોલીસ ખાતામાં ભરતી થયો  ભાનુમતી મારી સાથે અમદાવાદ આવી. એક વખત પોલીસ વડા પાવરી (પારસી )સાહેબને તુક્કો સુજ્યો  તેને પોલીસનાં બૈરાં ઓની  માથે પાણીના ભરેલા બેડા મૂકી  દોડવાની હરીફાઈ રાખી  માથા ઉપર રાખેલા બેડાને  હાથ  અડાડવાનો નહિ. હાથને  લટક મટક કરતા  દોડવાનું  .અમને કોઈને કશી ખબર નહિ અને  ભાનુમતી  હરીફાઈ માટે નામ નોંધાવી આવી  .  મેં અને દીકરાઓએ  હરીફાઈમાં  ભાગ ન લેવાની   સખત નાં પાડી  . કીધું કે  તું પડી બડી  જઈશ તો  લોકોને હસવાનું થશે .  આ બધી જુવાન છોકરીયો  તુને  આગાળ આવવા નહી દ્યે  .પણ  આતો   ભાનુમતી  એમ થોડી માની જાય  ,   એ હુંકારથી બોલી  હું દોડવાની છું અને પહેલો નમ્બર  લાવવાની છું  .
લાઈન સર  બૈરાં માથે બેડા મુકીને ઉભાં રહ્યાં  જ્યાં સુધી દોડવાનું હતું ત્યાં એક પોલસ ને  બેડાં ઉતારવા ઉભો રાખ્યો   . બંદુક ફૂટી અને બૈરાં દોડ્યાં  કેટલીકના બેડાં  થોદુક જ ચાલતા નીચે પડી ગયા  .અને આ  ભાનુમતિ

ભાનુમત  ભડ ભાદરી  માથે અધ્ધર  બેડું હોય
હરીફાઈમાં  હડી કાઢે ઈનો નંબર  પેલો હોય  .

     ઈતો સરહદ ઉપર આવીને સહુ   પહેલાં ઉભી રહી   પોલીવાલો કહે કાકી તમારો પહેલો નમ્બર આવી ગયો  . લાવો હું બેડું  ઉતારું   . ભાનુમતી  બોલી  ઉભો રહે ઓલીયું  મારી મશ્કરી કરતી હતિયું  ઈને આવવા દે   પોલીસ બોલ્યો કાકી  ઈતો  નંબર આવવાની આશા છોડીને  ઘર ભેગી થઇ ગયું  .
પોલીસ લાઈનમાં  સાંજ સવાર  બબ્બે કલાક પાણી આવે  ભાનુમતી માથાભારે બાયડી  ઈ નળનો કબજો લઈલે  જ્યાં સુધી પોતાના ઘરનું  નાનું વાસણ પણ પાણી થી ભરાય  નો જાય  ત્યાં સુધી  નળનો કબજો  ન છોડે  . એક સિંધી પોલીસ જમાદાર  દલપતરામ  ની બાયડીએ દલપતરામને કીધું કે  ભાનુ  ઘડીક્મે  નલકેજો કબજો નથી છડે   અને દલપતરામને   શુર ચડ્યું।  એ નળ પાસે આવ્યો   . અને ભાનુમતીની  ડોલ  આઘી ફેંકી દઈને પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી  . તમને એમ થતું હશે કે  ભાનુ બા  પોતાની ડોલ લઈને  રોતાં રોતાં ઘરબેગા થઇ ગયાં હશે  . અરે રામનું નામ લ્યો આ નહિ હો  . એણે તો પોતાની ડોલ લઈને દલપતરામના  હાથામાં ઝીકી  અને દલપતરામને  પોતાની બૈરી  પાસે પાટો બંધાવવા  ઘર ભેગું થવું પડ્યું  .

पोलिस लाइनमे  पानीका ज़घड़ा होताथा मेरे भाई
दलपतरामने भानुमतिकी  नलसे  डॉल  हटाई   …।सन्तोभाइ  समय बड़ा हर जाइ
रन चंडी  बन  भानु मतिने  अपनी डॉल उठाई   
दलपतरामके सर में ठोकी  लहू  लुहान  हो जाइ  … संतो  भाई

       સમય વીત્યે અમેરિકામાં અમે આવ્યા  . ફિનિક્ષ્મા  રહેવા લાગ્યા  . અમારી સાથે  મારા બે ગ્રાન્ડ સન ડેવિડ અને રાજીવ   બનેને એકજ જગ્યાએ ઘરથી દુર નોકરી મળી  . રાતના નોકરી હતી  મોદી રાતે બસ બંધ થઇ જતી  એ અમને ખબર નહિ  . નોકરીના આજુબાજુના કોઈ ઠેકાણે રેસ્ટોરાં નહિ  બન્ને ભાઈઓ  મોડી રાતે છુટ્યા   ભૂખ્યા ડાંસ  તેઓએ  ઘરે ફોન કર્યોકે  અમે ખુબ ભૂખ્યા છીએ ચાલીને આવીએ છીએ અમારા માટે ખાવાનું તૈયાર  રાખો  . ભાનુમતિ  એ તુર્તજ  રોટલી ખીચડી શાક બનાવી નાખ્યા  બંને ભાઈ ઘરે આવીને જમ્યા  .

     ડેવિડ  જરાક લાપરવાહી માણસ. એ સ્નાન કરે ત્યારે પાણી ખુબ  ઉડે  એટલે ભાનુંમતીને સાફ કરવું પડે. હું એને કહું કે તું ડેવિડને કહે કે નાવામાં ધ્યાન રાખે  અને પાણી બહુ નો ઉડાડે , અને ઉડાડે તો એની પાસે સાફ કરાવ તો

     ભાનુ કહે એ શું સાફ કરવાનો હતો એના બાપદાદા એ કોઈ દિ  કર્યું હોય તો આવડેને ?  પછી મેં ડેવિડ ને કીધું કે  તું હવેથી મારી જેમ બહાર બેક યાર્ડમાં નાતો જા  થોડા દિવસ પાછી બાને દયા આવી  મને કહે ડેવિડને કહો  હવે  ઘરમાં નાતો જાય  . આ સમાચાર સાંભળી ડેવિડ બહુ ખુશ થયો અને બા આગળ બે હાથ જોડીને બોલ્યો તમારો આભાર બા

સિત્તેર વરસનો સાથ ભવમાં ય ભુલાશે નહિ
સાચો હતો સંઘાત ઈ માણેક  વેર્યે  નહી મળે   .

ભાનુમતીના જોક

   આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ  સત્યકથા વાંચો

     એક ભાઈ પણ બહુ જોક કહે પણ એની વાઈફનું નામ ન દે. એક બોલકા બેને તે ભાઈને કીધું  આ હિંમત કાકા  ભાનુબેનના બહુ જોક કહે છે  .પણ તમે તમારી વાઈફના જોક કદી કેતા નથી   .પછી અમને એમ લાગે કે તમે તમારી વાઈફથી  ગભરાતા હશો  .
તે ભાઈ કહે, “ના! ના! એવું નથી. મારી વાઈફ પણ ભાનુબેનની જેમ સાંભળી લ્યે. પણ કશું મારી સામે બોલે નહિ.  આવતી વખતે હું એના જોક કહીશ.”

     ઘરે ગયા પછી એની વાઈફને કરગરીને કીધું કે, “આ ગુરુવારે સેન્ટરમાં  મને તારા જોક કહેવા દેજે.  તારા ધણીની કોઈ વાહ વાહ કહે એ તુને નથી ગમતું.? “

     બહુ હાથે પગે લાગીને સમજાવી  ત્યારે એ માની પણ શરત મુકી કે,  “ફક્ત એક જોક કહેજે.”

     ધણી કહે, “સાવ એક જોક કહેવો યોગ્ય ન કહેવાય.”

     પછી એની વહુ કહે, “તો બે જોક કહેજે.  પણ આથી  વધુ અર્ધો જોક પણ કહેતો નહિ .”

     ભાઈ કબુલ થયા  ગુરુવારે  એ જોક કહેવા બેઠા  અને તાનમાં   ને તાનમાં  બે જોક વાળું વચન યાદ નો રહ્યું; અને ત્રીજો જોક કહેવાઈ ગયો. એમના વાઈફ  ઉભા   થઇ  ગયા  અને  મંચ ઉપર જઈને  ભાઈ નો કાંઠલો  પકડ્યો અને બરાડીને બોલ્યાં,” મેર મુઆ !તને  બે જોક કહેવાનું કીધું હતું ને આ ત્રીજો કહેવા બેઠો ? ઘરે આવ્ય પછી તારી વાત છે.” આ ભાઈ ગયા એ ગયા પાછા સેન્ટરમાં આવ્યા નથી   .
મેં ભાનુમતીને  મારા જોક કહેવાનું કહ્યું . એ હવે તમે સાંભળો  .
ભાનુબેન કહે, “એક વખત આ તમારા કાકા  મને ચિત્રનું  પ્રદર્શન જોવા તેડી ગયા .  પ્રદર્શનના દરવાજામાં પ્રવેશ કર્યો, અને બોલ્યા  ” અહી નક્કામાં પૈસા બગડ્યા. આ જો તો ખરી  કેવું ગન્ધારું  અગ્લી ચિત્તર છે ?”

     હું ગઈ અને કીધું, ” એ ચિત્ર નથી. એ અરીસો છે અને એમાં તમારું મોઢું દેખાય છે!”

———-

ભાગ – ૨ 

       જયારે ભાનુંમતીએ મને કીધું કે, “એ  અરીસો  છે અને એમાં તમારું મોઢું  દેખાય છે; ચિત્ર નથી.” મેં કીધું  હું આવો કદરૂપો છું; એતો મને હવે ખબર પડી.”

    સાંભળ્યા પછી ભાનુ મતિ બોલી,” તમને તો એમ કે હું દેવાનંદ જેવો રૂપાળો હોઈશ. ઈ તો  દુવા દ્યો મારા માબાપને કે, તમારી હારે મને પરણાવી;  નહીતર તમે વાંઢા રહી જવાના હતા. કોઈ છોકરી તમારા મોઢા ઉપર થૂંકત  પણ નહિ.”

    પછી મેં કીધું, “એક દિ આપણે મોલમાં હતા અને તું મારાથી  આઘી હતી; ત્યારે એક છોકરીએ મને બકી ભરી અને તું જોઈ ગઈ ત્યારે તું  બોલી હતી કે, તમને તો રેઢા મુકવા જેવા નથી. રંડકયું   હડી કાઢીને   મારું મોઢું  ચાટવા આવેસ  (આવેછે) ને હવે કે છ કે તમે કદરૂપા છો ? “

આતાવાણી પર એક નવી શરૂઆત

     ‘આતા’ આ ઉમરે પણ ગુજરાતી/ હિન્દી/ ઉર્દૂ  ટાઈપ કરી શકે છે; સરસ રચનાઓ બનાવે છે – એ એમની બહુમુખી પ્રતિભાનું જીવતું જાગતું પ્રતિબિંબ છે.

     એ બધું જોતાં અને તેમની રૂબરૂ મુલાકાત વખતે ઉપસી આવેલા તેમના માનવતા અને બાળક જેવા ઉત્સાહથી સભર વ્યક્તિત્વને એક સમર્પણ તરીકે, એમનાં લખાણોની ઈ-બુક બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. આ બહુ જ મહાભારત કામ છે. ૧૫૦ થી વધારે લેખો/ વાર્તાઓ/ કવિતાઓ; અને એમની ઉમર માટે સ્વાભાવિક એવા મુદ્રણ/ સંકલન દોષો આ કામને બહુ જ જટિલ બનાવી દે તેવાં છે.    આ માટે કમ સે કમ વીસ જેટલા સ્વયંસેવકો/ સ્વયં સેવિકાઓની જરૂર છે.

     એ સ્વપ્ન તો જ્યારે સાકાર થાય ત્યારે ખરું. પણ એ માટે મદદ કરવાના એલાનનો એક સબળ અને ઉત્તમોત્તમ પડઘો પડ્યો છે – બ્લોગર બહેન પૂર્વી મલકાન ની સરસ માવજતથી.

     પૂર્વી બહેન એમને સમય મળે ત્યારે આપણા વ્હાલા ‘આતા’ ના લેખોનું સંકલન કરીને આપણને આપવાનાં છે. એમના એ શુભ સંકલ્પને વંદન સાથે – એમનું પહેલું સંકલન આજે ‘આતાવાણી’ પર પ્રસિદ્ધ કર્યું છે.

આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ  સત્યકથા વાંચો

આ છબી પર ‘ક્લિક’ કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

यह भानुका/ की हिम्मत – ‘आता’

 સંકલન – શ્રીમતિ પૂર્વી મલકાન

( આતાના લખેલા લેખો પરથી સંકલન)

કેશોદ જિલ્લો, જુનાગઢ . 

       આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી. તેના મધુરાં રમુજી સ્મરણો  હું યાદ કરું છું અને આપને  વાંચવા આપું છું .
એક દિવસ મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાયા, તે દરમ્યાનમાં તેની કામઢી અને પ્રેમાળ દીકરી ભાનુમતીને જોઈ  મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (તમારો આતો ) સાથે સગપણ થાય તો મારા ભાભી (મારી મા) રાજીની રેડ થઇ જશે ને મનેય ખુબ યશ મળશે. આમ વિચારી મારા કાકાએ  ઘરધણી  જાદવજી પુરુષોત્તમભાઈ વ્યાસને વાત કરી કે  જો આ છોકરીનો વેવિશાળ કરવું હોય તો  આપને અનુરૂપ મારો એક ભત્રીજો  યોગ્ય છે. મારા કાકાની વાત સાંભળીને જાદવજીભાઈ વ્યાસે કહ્યું કે હું આપને વિચારીને કહીશ.

      મારા ગામ દેશીંગામાં રહેતા સુથાર લાલજી લખમણનું સાસરું કેશોદમાં હતું.  આ લાલજીભાઈની વાત મેં આતાવાણીમાં “ગોમતી માનો  લાલો  ગાંડો થયો“ એ શીર્ષક  નીચે લખી છે. લાલાભાઈના સસરાને અને આ જાદવજીભાઈ વ્યાસને બહુ ગાઢ સબંધ  હતાં. એક વખત લાલાભાઈની સાસુ એક દિવસ ઓચિંતા મારા ઘરે દેશીંગા આવ્યાં ત્યારે સાથે સાથે  મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં, કેમકે તેમણે ઘર અને વરનું   નિરિક્ષણ કરવાનું હતું. આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું દૂધ લાવેલો તે ગડગડાટ  પી ગયો. આ દૃશ્ય  છોકરીઑ એ  જોયું  એ જોઈ એમને બહુ અચંબો થ્યો. પછી તો ધામેધૂમે  મારા લગ્ન ભાનુમતી સાથે થયાં, ને તે સાથે હેમતભાઈ લાડીને લઈને  ઘેર આવ્યાં.  કેશોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી. આવીને તેણે મારી મા પાસેથી ફટફટ કામ શીખવા માંડ્યુ. મારી મા એ સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે તેથી પશુઓ કેવું ઘાસ ખાઈ શકે એ ઓળખતા શીખવ્યું. ગાયો ભેંસોને દોહતા શીખવ્યું, ને મારા મિત્ર પરબતભાઈની વહુ રાણીબેને કાંપો વાળતાં શીખવ્યું. આમ ભાનુમતી અમારા ઘરની રીતે ઢળવા લાગ્યાં.

          વખત જતાં હું પોલીસ ખાતામાં દાખલ થયો. અમે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં  રહેવા લાગ્યાં. ભાનુમતીને થોડીક માથાભારે કહી શકાય. કારણ કે સવારે ને સાંજે બે કલાક  પાણી આવે  ત્યારે નળ ઉપર  કબજો કરી લ્યે  ને પોતાના ઘરનું એકેએક વાસણ ભરાય  પછી જ નળનો કબજો છોડે. ભાગલા વખતે  સિંધમાંથી  સિંધી હિંદુ આવ્યા. સિંધમાં એ જે સરકારી નોકરી કરતા હતા  એજ નોકરી અહી એને આપવામાં આવેલી. એ રીતે એક દલપતરામ કરીને માણસ પોલીસ જમાદાર તરીકે નોકરી કરતો હતો . દલપતરામ આગળ એની પત્નીએ  ફરિયાદ કરી કે “ભાનુ નલ કે જો કબજો લે તો ઘડીક મે નથી છડે” એક વખત ખીજાયેલા દલપતરામે  ભાનુમતીની એ ડોલ નળથી ઉપાડીને દુર ફેંકી દઈને  પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી. આપને એમ થયું હશે કે આ પ્રસંગ બન્યા પછી ભાનુબેન પોતાની ડોલ લઈને રોતાં રોતાં ઘર ભેગાં થઇ  ગયાં  હશે , પણ એક કવિતાની કડી લખું છું એમાં સમજી જાશો.

पोलिस लाइनमे  पानीका ज़घड़ा  होता था मेरे भाई
दलपतरामने  भानुमतिकी  नलसे डॉल हटाई। …. संतोभाई
रणचंडी  बन भानुमतीने  अपनी डॉल उठाई
दलपतरामके सरमे ठोकी  लहू लुहान होजाइ   ….  संतोभाई

         એક વખત  ડી એસ પી એ  પોલીસની બાયડીયોની પાણીના ભરેલાં  બેડાં માથા ઉપર મુકીને  દોડવાની હરીફાઈ રાખેલી.  એમાં ભાનુ અમને ખબર વિના નામ નોંધાવી  આવી.  દીકરાઓએ અને મેં હરીફાઈમાં  ન ઉતારવા માટે સમજાવી  પણ  એ કોઈનું માની નહિ ને વટથી  બોલી કે  હું હરીફાઈમાં ઉતરીશ અને પહેલો નંબર લાવીશ .

पानी भरकर बर्तन सरपर  दोडकी  हुई  हरीफाई
जवां लड़कियां पीछे रह गई  भानु पहली आई। …. संतोभाई

ભાનુમતીએ બહુ ઝઘડા કરેલા છે. કેટલાક લખવા? ભાનુમતીની આ વાતો વાંચીને આપને એમ થશે કે  હું એનાથી થરથર ધ્રુજતો  હોઈશ, પણ નાના રામનું નામ લ્યો એના માબાપે  એને પતિને પરમેશ્વર માનવો  એ શીખવ્યું તું ને બીજુ કારણ  એ કે એણે મારા મારફાડના ઝઘડા વિષે સાંભળીયુ હોય ને. ભાનુમતીએ બહુ ઝઘડાળું હતાં ઇ વાત સાચી પણ ઇ ખાલી ઝઘડાળું નો’તી સાથે ઇ પ્રેમાળેય હતી.
પછી એ અમેરિકા આવી. અમેરિકન માતાથી જન્મેલો મારો ભત્રીજો  વિક્રમ એને બહુજ પ્રેમ કરતો એ ભાનુને  “મામ” કહેતો (સામાન્ય રીતે અમેરિકન બાળકો  પોતાની મા ને લાડમાં મામ  કહેતા હોય છે) અને એની માને “મમ્મી” કહેતો. ભાનુએ મારા મોટા દીકરાની સાથે અમદાવાદમાં ભણતો શરદ પટેલની  બેનના  બાળકોના બેબી સીટરનું  કામ કર્યું  ત્યારે એનો દોઢેક વરસનો દીકરો  ભાનુમતીનો એટલો   બધો હેવાયો થઇ ગએલો કે એની  મા  કામ ઉપરથી આવીને એને રમાડવા જાય તો  એ દોડીને ભાનુમતીના ખોળામાં  ઘુસી જાય. દીકરાની મા પ્રફુલ્લાબેન કહે  ભાનુબેન એને ખોળામાંથી ઉઠાડી મુકો.  ભાનુ કહે મારા ખોળામાં આવેલને હું ધક્કો નો મારું.  તારે લઈ જાવો હોય તો તું ખેંચીને લઈ જા. એક દિવસ પ્રફુલ્લાબેનને  કહેવું પડ્યું કે ભાનુબેન….હવે તો મારો દીકરાને મારો રહેવા દ્યો.

        વખતને જતા વાર નથી લાગતી. ઈ નાનેરો છોકરો મોટો બની ડોક્ટર બની ગયો. જે દિવસે તે પરણ્યો  તે વખતે તેના બાપ રમેશભાઈ એ ભાનુને કંકોત્રી મોકલી તી. એમાં લખ્યું હતું “બા તમારો દીકરો પરણે  છે .”

      આ વાતને પણ વરસો વીતી ગયાં. ભાનુ બીમાર થઇ ગઈ. એ વખતે અમે એરિઝોનામાં  રહેતાં  હતાં  એના ડાયાબીટીશે  ખુબ જોર પકડ્યું. એમાં એ  બહુ નિર્બળ થઇ ગઈ. જાતે ચાલી શકે નહિ કે જાતે ખાઇ શકે નહિ. અગિયાર મહિના મે સેવા કરી. હું એના કહેવા પ્રમાણે નવડાવું ભગવાનને દીવાબત્તી કરી દઉં. પછી એ બોલે  હવે મારી  પૂજા  કર્યા કરો છો તો હવે સીનીયર  સેન્ટરમાં જાઓ  ન્યાં  ઘણીયે રંડકયું  અથડાશે  એની  પૂજા કરો. પછી તો,

दो हज़ार सात अगस्तकी जब दूसरी तारीख आई
इस फानी  दुनिया को  छोड़के भानुने  लीनी विदाई   …   संतोभाई

       ભાનુમતીના કહેવાથી  અમે એનું માન  રાખ્યું  અને એના મૃત શરીરને દાનમાં આપી દીધું.

“ સિત્તેર વરસનો સાથ  ભવમાય  ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ  ઈ હવે માણેક વેર્યે નઈ  મળે.”

भानु भानु पुकारू में  मनसे पर,
भानु आ नहीं सकती  जन्नतसे
भानु के वियोगमे जुरता रहेता

यह भानु का  हिम्मत – ‘आता’

એક ઝલક ભાનુમતિની

Bhanu_1
—-
જન્મ

  • ૧૮ , મે – ૧૯૨૩

અવસાન

  • ૨, ઓગસ્ટ – ૨૦૦૭

भानु गई उक़बा मुझे अकेला छोड़ कर जन्नतको बुला लेगी मेरा इश्क़ याद कर

img050img058

આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી  .તેના મધુરાં રમુજી સ્મરણો  હું યાદ કરું છું , અને આપને  વાંચવા આપું છું  .
કેશોદ જિલ્લે જુનાગઢ  .  મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાણા દરમ્યાનમાં તેની કામઢી અને ખુબ પ્રેમાળ દીકરી જોઈ  .આ વખતે મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (બ્લોગ વિશ્વનો આતા )સાથે સગપણ થાય તો મારાં ભાભી (મારી મા)રાજીના રેડ થાય અને મને ખુબ યશ મળે    .  મારા કાકાએ  ઘર ધણી  જાદવજી પુરુષોત્તમ વ્યાસને વાત કરી કે  જો આ છોકરીનો વેવિશાળ કરવો હોય તો  મારો ભત્રીજો  યોગ્ય છે  .જાદવજી વ્યાસે વાત કરી કે હું વિચારીને  તમને કહીશ  .
મારા ગામ દેશીન્ગાના સુતાર લાલજી લખમણનું સાસરું કેશોદ  આ લાલજી ની વાત મેં મારા બ્લોગમાં ” ગોમતી માનો  લાલો  ગાંડો થયો “એ શીર્ષક  નીચે લખી છે  .લાલાના સસરાને અને આ જાદવજી વ્યાસને બહુ ગાઢ સબંધ  એક વખત લાલાની સાસુ દેશીંગા આવ્યાં સાથે  મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં  તેઓ મારે ઘર ઓચિંતા આવ્યા કેમકે ઘર અને વરનું   નિરિક્ષન  કરવાનું હતું  .આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું  લાવે લો અને  ધટ ઘટાટ   પી ગયો આ દૃશ્ય  છોકરુંયું   એ  જોયું  એને બહુ અચંબો થયો  .પછીતો ધામે ધૂમે  મારા લગ્ન થયા  હેમત ભાઈ પરણીને લાડી
લઈને  ઘેર આવ્યા  . કેસોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી  .સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે  .મારા મિત્ર પરબત ભાઈની વહુ રાણી બેને કાંપો વાળતાં શીખવ્યું  અને કેવું ઘાસ ઢોર ખાઈ શકે એવું ઘાસ ઓળખાવ્યું  મારી માએ  દોહતાં શીખવ્યું  .
વખત જતાં હું પોલીસ ખાતામાં દાખલ થયો  .અમે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં  રહેવા લાગ્યાં  . સવાર સાંજ બબ્બે કલાક  પાણી આવે  ભાનુ મતિને થોડીક માથાભારે કહી શકાય નળ ઉપર પાણી ભરવા જાય  ત્યારે નળનો  કબજો કરી લ્યે  પોતાના ઘરનું એકેએક વાસણ પાણી થી ભરાય  પછી નળનો કબજો છોડે  .
ભાગલા વખતે  સિંધમાંથી  સિંધી હિંદુ આવ્યા  .સિંધમાં એ જે સરકારી નોકરી કરતા હતા   .એજ નોકરી અહી એને આપવામાં આવેલી   .એ રીતે એક દલપતરામ કરીને માણસ પોલીસ જમાદાર તરીકે નોકરી કરતો હતો  . દલપતરામ આગળ એની વાઈફે  ફરિયાદ કરીકે “ભાનુ નલકેજો કબજો ઘડીક્મે નથી છડે ” એક વખત દલપતરામે  ભાનુંમતીની એડોલ નળ થી ઉપાડીને દુર ફેંકી દઈને  પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી  .આપને એમ થયું હશે કે પછી ભાનુ બેન પોતાની ડોલ લઈને રોતાં રોતાં ઘર ભેગાં થઇ  ગયાં  હશે  એક કવિતાની કડી લખું છું  .
पोलिस लाइनमे  पानीका ज़घड़ा  होता था मेरे भाई
दलपतरामने  भानुमतिकी  नलसे डॉल हटाई। …. संतोभाई
रण चंडी  बन भानुमतीने  अपनी डॉल उठाई
दलपतरामके सरमे ठोकी  लहू लुहान होजाइ   ….સંતોભાઈ 
એક વખત  ડી એસ પી એ  પોલીસની બાય  ડીયોની પાણીના ભરેલાં  બેડાં માથા ઉપર મુકીને  દોડવાની હરીફાઈ રાખેલી  એમાં પોતે અમને ખબર વિના નામ નોંધાવી  આવી  દીકરાઓએ અને મેં હરીફાઈમાં  ન ઉતારવા માટે સમજાવી  પણ  એ કોઈનું માની નહિ અને વટથી  બોલી કે  હું હરીફાઈમાં ઉતરીશ અને પહેલો નંબર લાવીશ   .
पानी भरकर बर्तन सरपर  दोडकी  हुई  हरी  फाई 
  जवां लड़कियां पीछे रह गई  भानु पहली आई। ….સંતોભાઈ
ભાનુમતી બહુ ઝઘડાળું હતી  .બહુ ઝઘડા કરેલા છે  .કેટલાક લખવા ?આપને એમ થશે કે  હું એનાથી થર થર ધ્રુજતો  હઈશ  નાના રામનું નામ લ્યો એના માબાપે  પતિને પરમેશ્વર માનવો  એ એક કારણ  અને  બીજું  મારા માર ફાડના ઝઘડા વિષે સાંભળીયુ  પણ હોય ને ?
પછી એ અમેરિકા આવી  .ઝઘડાળું સ્વભાવની સાથે સાથે એ બહુ પ્રેમાળ સ્વભાવની પણ હતી  .અમેરિકન માતાથી જન્મેલો મારો ભત્રીજો  વિક્રમ એને બહુજ ચાહતો એ ભાનુંમતીને  માંમ કહેતો અને એની માને મમ્મી કહેતો સામાન્ય રીતે અમેરિકન બાળકો  પોતાની મા ને લાડમાં મામ  કહેતા હોય છે ,
મારા મોટા દીકરાની સાથે અમદાવાદમાં ભણતો શરદ પટેલની  બેનના  બાળકોની બેબી સીતરનું  કામ કર્યું  એનો દોઢેક વરસનો દીકરો  ભાનુમતીનોetlo   બધો હેવાયો થઇ ગએલોકે   એની  મા  કામ ઉપરથી આવીને એને રમાડવા જાય તો  એ દોડીને ભાનુમતીના ખોળામાં  ઘુસી જાય  .દીકરાની માં પ્રફુલ્લા બેન કહે  ભાનુબેન એને ખોળામાંથી ઉઠાડી મુકો   ભાનુ બેન કહે હું મારા ખોળામાં આવેલને ધક્કો નો મારું  તું ખેંચીને લઈજા  .એક દિવસ પ્રફુલ્લ બેનને  કહેવું પડ્યું કે હવે તો મારો દીકરો રહેવા દ્યો   .?
વખતને જતા વાર નથી લાગતી ઈ છોકરો ડોક્ટર બની ગયો  અને પરણ્યો  .તે વખતે તેના બાપ રમેશે  કંકોત્રી મોક્લેલીન એમાં લખ્યું હતું “બા તમારો દીકરો પરણે  છે  .”
આ વાતને પણ વરસો વીતી ગયાં   .ભાનુમતી બીમાર થઇ ગઈ અમે એરિઝોનામાં  રહેતાં  હતાં  એની દાયા બીતીશે  ખુબ જોર પકડ્યું  બહુ નિર્બળ થઇ ગઈ ચાલી શકે નહિ પોતાની જાતે ખાય શકે નહિ  .મેં અગિયાર મહિના સેવા કરી   હું એના કહેવા પ્રમાણે નવડાવું ભગવાનને દીવા બાત્તી કરી દઉં  .પછી એ બોલે  હવે મારી  પૂજા  કર્યા કરો છો તો હવે સીનીયર  સેન્ટરમાં જાઓ  ન્યાં  ઘણીયુંય  રંડકયું  અથડાશે  એની  પૂજા કરો  .ભાનુમતીના કહેવાથી  અમે એનું માન  રાખ્યું  અને એના મૃત શરીરને દાનમાં આપી દીધું  .અને પછી 
दो हज़ार सात अगस्तकी जब दूसरी तारीख आई
इस फानी  दुनियाको  छोड़के भानुने  लीनी विदाई   …सन्तो भाई   સિત્તેર વરસનો સાથ  ભવમાય  ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ  ઈ હવે માણેક વેર્યે નઈ  મળે
भानु भानु पुकारू में  मनसे  भानु आ नहीं सकती  जन्नतसे
भानुमति के वियोगमे जुरता  ब्लॉगर  वाला  आता  

ભાનુ મતીની છઠ્ઠી પુણ્ય તિથી

img058दो हजार सात अगस्त्की जब दूसरी तारीख आई इस फानी दुनिया को छोडके भानुने लीनी विदाई। …।सन्तो भाई समय बड़ा हरजाई

ब्मेरी खातिर ख्वाह खानम की एक गजल लिखने जारहा हूँ इस गजलका  मायना बताता हु। तेरी है जिद्दी आदत फिर तुझपर दिल फ़िदा होता  अगर तुझमे न जिद्द होती  खुद जाने तो क्या होता १ ///// में उसको मेरे साथ लेके  समंदरकी सफ़र करने जाने वाला था  उसने ना बोल के मुझे  इतना खर्च करके  समुद्र की  सफ़र करने नहीं जाना  मैंने और मेरे बेटेने  बहुत समझाया   मगर वो अपनी   जिद्द्पे कायम रही। उस वक्त मैंने  एक शेर बनाया ////लोग कहते है की ओरत् को  सैम जाना मुहाल है  लेकिन स.च तो यह है  समझाना मुहाल है. मुहाल= अशक्य

तेरी है जिद्दी आदत फिर   तुझ पर दिल फ़िदा होता ///अगर  तुझ में न जिद्द होती  खुदा जाने तो क्या होता ////  फिर वो थोड़े महीने के लिए  कमज़ोर हो गई थी फिरभी वो बहुत म्हणत करती थी //// तू है कम जोर   फिरभी काम मर्दानासा कराती है   तू जोरावर अगर होतीतो परबत टूटने लगता ////एक दिन में  प्लेंमे सफ़र करता था भानु मति मेरी साथ थी  अचानक में बे होश होक गिर गया /////में जब हो गया बे होश हवाई जहाजके अन्दर  क़ज़ा ले जाती गर मुझको  प्रभु रक्षक तेरा होता

तू रंजूर होती थी तो  मेरा दिल धड़कता था   मोट  गर आजाती तुझको  तो मेरा हाल क्या होता //////      क्या होना था  एक साल उदास रहा फिर जैसा पहले था वैसा हो गया                समझ में ये नहीं आता “आता ” क्यों मोज्मे रहता  //// वोही होता है जोमन  जुरे खुदा होता

भानुमती जब उक्बा(परलोक ) गई एक साल तक मेरी मायू सी  रही  जब में समुंदरी सफरमे गया  वहा  मेरी मायूसी दूर करनेको खुदाने एक लड़की भेजी  जिस हने लगी लड़की के उपर मुझे मेरी पोती के बराबर उल्फत हो गई वैसे  वो लड़की भी मुझे अपने  दादा की  माफक   चाहने लगी और मेरी मायूसी दूर होगई  वो गोरी मुझे अभीतक चाहती है  तद्दन नि :स्वार्थ  प्रेम करती है कोई लालच नहीं है  एक दिन उसने मेरे दोस्त  Chris को मेरे बारेमे पूछा की  अताइका क्या हाल है  Chrisने कहा बागमे खोदकाम करता हे  लिखता हे पढता हे और माला बनाता  हे जाद्के बिज की  ९२ बरसका हे मगर ८ ५  उम रका हो ऐसा दीखता है  मुझे तो वो ७० बरसका ला भेजे ये माला में ऐसा वो लड़की बोली और कहाकि अताइको बोलो मेरे लिए एक ला भेजे  में उस मालाको मेरे कीमती ज़ेवर की स न्दुक  में रख्खुं गी  और में जब उनकी उमर्की हगी  और मुझे आलस स ताय्गा तो में उस माला से प्रेरणा लुंगी    सब दोस्तोको राम  जुहार सलाम

લાઈન માસ્તર કું ફુસલા ફુસલા કે તીનો કપડે ધો ડાલે

img050 _DSC1408

મને ફોસલાવીને ત્રણેય કપડાં ધોઈ નાખ્યાં .એવું કહેનારી છોકરી                 લાઈન માસ્તર  જાદુગર એની  બાધોડકી  પત્ની ભાનુમતી સાથે    હું અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચુડાસમા હતા .અને s .p તરીકે મજબુતસિંહ જાડેજા હતા .પોલીસ વાળાઓ  પોલીસોના નામ પાડી દેતા હોય છે .એક કાસમ મિયાનું નામ બીજલી ,મહોબતસિંહનું નામ બુલડોઝર ,નટવર લાલ નું નામ જવાબદાર  ,મારુનામ જાદુગર .પોલીવાળા અંદરો અંદર જુદા પોતે પાડેલા નામોથી ટીખળ કરે .પણ ઓફિસરો ખરા નામથી બોલાવે ,જયારે હું એક એવી જાણીતી વ્યક્તિ હતોકે કેટલાક ઇન્સ્પેકટરો મને જાદુગર નાં નામે બોલાવે ,પોલીસના છોકરાં મને જાદુગર કાકા કહે  સ્ત્રીઓ મને હિમ્મત લાલ ભાઈ તરીકે બોલાવે .હું નોકરી કરતો ત્યારે જે પોલીસની બદલી જે પોલીસ સ્ટેશનમાં થાય એને જેતે પોલીસ સ્ટેશનની પોલીસ લાઈન માં ફરજીયાત રહેવા પણ જવું પડે .કેટલાક પોલીસોને ખાસ કરીને તેમની સ્ત્રીઓને પોતાના મૂળ ઘરનો મોહ મુકાય નહિ નેટલે ઘડીકમાં ખાલી નો કરે ,અને પછી વખત જતાં બધું થાળે પડી જતું હોય છે .જેમ અમેરિકામાં ગેરકાયદે વસનારાઓ સમય આવ્યે કાયદેસર થઈ જતા હોય છે એમ ,મજબુત સિંહ જાડેજા રૂમો ખાલી કરાવવા બાબત ખાસ રસ ધરાવે, અઠવાડિયામાં એક વખત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દરેક ઇન્સ્પેકટરોને ભેગા કરે અને રૂમો ખાલી કરાવવા બાબત પૂછ પરછ કરે .જાડેજા સાહેબ સાથેની મારી અંગત મુલાકાત ની વાત કહું છું .જયારે અમદાવાદ માં ધાંધલ ધમાલની કટોકટી સર્જાય ત્યારે પોલીસોની રજાઓ બંધ કરી દેવામાં આવે .સામાન્ય રીતે ઇન્સ્પેકટરો રજા આપતા હોય છે .પણ અનિવાર્ય સંજોગોમાં S .P .રજા આપે .મારા દીકરાને અમેરિકા આવવાનું થયું .(જે હાલ www .wrsu .org  ઈન્ટરનેટ ઉપર ભારતીય સંગીત રજુ કરે છે જે દેવ જોષી તરીકે જાણીતો છે)મારે એને મુંબઈ પ્લેનમાં બેસાડવા જવાનું થયું .આ વખતે રજાઓ બંધ હતી .એટલે હું રજા લેવા માટે  જાડેજા સાહેબ પાસે ગયો .જાડેજા સાહેબે મને કીધુકે જે છોકરો અમેરિકા ભણવા જવાની યોગ્યતા ધરાવતો હોય એને બાપની આંગળી પકડીને ચાલવાની જરૂર નથી .એને એકલાને જ્વાદ્યો એ એકલોજ બધે પહોંચી વળશે .એકવખત પોલીસોની બદલીઓ થઇ .પોલીસોને જબરદસ્તીથી રૂમો ખાલી કરાવનાર તરીકે ચુડાસમા સાહેબના ધ્યાનમાં હું આવ્યો ,એટલે મને બોલાવ્યો .અને મને કીધું જાદુગર આજથી તુને હું આરામની નોકરી દેવા માગું છું .તારે યુનિ .પહેરવાનો નહી નાઈટ નોકરી કરવાની નહી .ફક્ત તારે પોલીસ ભાઈઓની સેવા કરવાની .પછી બોલ્યા .હવે તારે લાઈન માસ્તર તરીકે નોકરી કરવાની .હાલ તારે પોલીસોની રૂમાં ખાલી કરાવવાની ,અને નવા આવતા પોલીસોને રૂમો આપવાની ,એવું ખી મને લીસ્ટ આપ્યું .મેં ચુડાસમા સાહેબને કીધું .હું  કોને કઈ રૂમમાં જવું એ બધી ગોઠવણ હું કરીશ .એમાં તમારો કોઈ માણસ આવીને ખે કે સાહેબ મને અમુક નબરની રૂમ જોઈએ અને તમે મને કહો  કે આ ને એને જે જોઈએ એ રૂમ આપ ,તો એવું કરવું મને નહી ફાવે .ચુડાસમા સાહેબ મને કહે  જા તુને ફૂલ રૂમો બાબતની સત્તા છે .મારું નામ લઈને કોઈ આવે કે મને ફલાણી રૂમ આપો તોપણ તારે નાપાડી દેવાની .પછી મેં કીધું તો સાહેબ જુવો મારો  જ્પાટો ?એક વખત ચુડાસમા સાહેબે કીધું કે  સૌ થી ઝડપથી આપના પોલી સ્ટેશનની રૂમો ખાલી થાય છે .જાડેજા સાહેબ બહુ ખુશ થાય છે પણ એ બધો યશ તુને છે .એક વખત એક ભાઈ કે જે એવું માનતા હતાકે હું ચુડાસમા સાહેબનો ખાસ માણસ  છું પણ એને ઓલા કબીર સાહેબના દોહરાની   ખબર નહી .  કે  “કાચબો ઝડપી હોય નહિ માછલી ન્હોય સ્થિર ,પોલીસ કોઈના હોય નહિ કહગયે  દાસ કબીર .એણે મને કીધુકે હું રૂમ ખાલી નથી કરવાનો તમારાથી થાય ઈ કરી લ્યો .મેં કીધું મારાથી ખાસ બીજું કઈ નહિ થાય  ફક્ત તમારો સામાન હું ઘરમાંથી કઢાવીને બહાર મુકવી દઈશ અને જે માણસ ને મેં રૂમ આપી છે ,એનો સામાન તમારી ખાલી કરેલી રૂમમાં જતો રહેશે .ભાઈ દોડતા દોડતા ચુડાસમા સાહેબ પાસે ગયા .અને કીધું ,હું જે રૂમમાં રહું છું .એ મારે ખાલી નથી કરવી પણ લાઈન માસ્તર ધમકીથી ખાલી કરાવે છે .એટલે તમે એને નાં પાડી દ્યો કે એ મને રૂમ ખાલી નો કરાવે . ચુડાસમા  સાહેબે એને કીધું કે એને   કહે  કે મેં ખાલી કરવાની નાપાડી છે . દોડતો મારી પાસે આવ્યો અને મૂછોના આકડા ચડાવતા બોલ્યો .ચુડાસમા  સાહેબે મને રૂમ ખાલી ન કરવાનું કીધું છે ,એટલે  ખાલી નથી કરતો મેં એને જવાબ આપ્યો .ચુડાસમા સાહેબના બાપ કહેશે તોપણ હું માનવાનો નથી .વળી દોડતો દોડતો ચુડાસમા પાસે ગયો અને બોલ્યો  સાહેબ એ તમારા બાપસામે બોલે છે . ચુડાસમા  સાહેબ કહે હમણાં તું ખાલી કરીને જતો રહે અને એક અઠવાડિયા પછી એજ રૂમમાં તું આવી જજે  અને  લાઈન માસ્તરને હું જોઈ લઈશ .બાપુને  મૂછોના આંકડા એમને એમ રહી ગયા અને રૂમ ખાલી કરીને જતા રહ્યા થોડા દિવસ પછીચુદાસમાં સાહેબે મને બોલાવ્યો કે  તું મારા બાપ સામે જતો રહ્યો હા મેં એને કીધુકે ચુડાસમા સાહેબના બાપ  કહેશે તોય હું માનવાનો   નથી .પછી હસતા હસતા મને  કહે  મારા બાપા કહે  કે   એલા એ રૂમમાં ભલે રહે।  તો તમે શુ કહો ? મેં કીધું હું એમ કહું કે બાપુ આમાં તમને સમજણ નો પડે એટલે આ  બાબતમાં તમારે વચ્ચે નહી આવવું જોઈએ .ભાનુંમતીને મેં કીધું કે હવે  તું સહુની રીતે વાર ફરતી વારો અકેકું વાસણ લઈને પાણી ભરી જવું જો ન તું એમ નહી કરેતો હું બધાની વચ્ચે તારી પીખડી પકડીને ઘર ભેગી કરી દઈશ . પાણી સૌ એ ભરી લીધું હોય તો કોક ભાનુમતી જેવાં  નળ ઉપર કપડાં ધોવા બેસી જાય .આવી બહેનોની કપડા ભરેલી ડોલ હું ધૂળમાં ફેંકી  દઉં .એક વખત ફોટામાં દેખાય છે એવી છોકરી મારી પાસે આવી અને બોલી  જાદુગર કાકા મેં તુમારી બલાયા લેતી હું એવું બોલીને પોતાના બે હાથની  મુઠી યુ વાળીને પોતાના માથા ઉપર મુકે અને બોલે  મેરેકું  છોટે છોટે તીન કપડે ધોને બાપુ તુમારી ભલાઈ  હું કહું  નળ ઉપર કપડા ધોવાની મનાઈ છે એ તુને ખબર છે , પછી હું કહું જા એક કપડું ધોજે વધારે નહિ જા તારી ડોલ પાછી મૂકી આવ ,પછી એ એક  કપડું લઇ આવે અને  ધોઈને મૂકી આવે અને આડું અવળું જોઇને બીજું કપડું લઇ આવે મારા ધ્યાનમાં બધું હોય .એવી રીતે અકેક કરીને ત્રણેય રુમાલીયા ધોઈ નાખે .હું મારા મનમાં એની હુશીયારીઉપર બહુ ખુશ થાઉં . પછી એની માને કહે મા  લાઈન  માસ્તર કુ  ફુસલા ફૂસ્લાકે  મેને તીનો કપડે ધો ડાલે  .સ્ત્રીઓ અંદરો અંદર વાતું કરે કે અભીતો ભાનુ બી સુધ ર ગઈ હૈ .એક વખત એક બી જોડે ભાનુંમતી ને ઝઘડો થયો નળ ઉપર પાણી ભરવા બાબત , એક સ્ત્રી કોકની ચડાવી ચડી ગઈ બને ભાનુંમ તીને ભાઠે ભરાણી  બીજી સ્ત્રીઓના  કહેવા પ્રમાણે ભાનુંમતીનો  વાંક નોતો  એક વખત આ બાઈ વેર રાખીને ભાનુમતી જયારે બકરી દોતી હતી ત્યારે એના વાંસામાં ડબલું મારીને દોડીને ઘરમાં ઘુસી ગઈ .અને ભાનુમતી જેનું નામ લાકડી લઈને એને ઘરે પહોંચી અને એ બાઈની ઘરમાંથી ભાર નીકળવાની વાટ જોતી ઉભી રહી  . પછી સમજાવવાથી ભાનુ મતી  બધું ભૂલી ગઈ .પણ એ બાઈએ એના ધણીને વાત કરીકે  જાદુગર તેની બૈરીને ઉશ્કેરે છે અને ઝઘડો કરાવે છે એવું ખોટું બોલીને એના ધણીને ઉશ્કેર્યો .હું અમેરિકા આવવાની તૈયારી કરતો હોવાથી  ઝઘડાથી દુર રહેતો હતો .જો પોલીસ રેકર્ડમાં મારું નામ જાય તો મને અમેરિકા જવાના વિસા નો મળે ,નહીતર હું એના લાડ ઉતારી નાખું જેમ હું શાંત રહું એમ એને પાનો ચડે ,એતો પછી મને માબેન સામી બીભત્સ ગાળો દેવા લાગ્યો હજુ હું શાંતજ  હતો પણ મારો નાનો  દિકરો  સતીશ એકદમ ઉશ્કેરાય ગયો એ ઘરની બહાર  હાથમાં સડેલું પાટિયું લઈને બહાર નીકળ્યો .અને તેના કપાળ માં ઠોકી દીધું .લોહી નીકળવા માંડ્યું .આવી સ્થિતિમાં તે ફરિયાદ કરવા ગયો .ફરિયાદમાં  એવું લખાવ્યું કે  ભાનુબેને અને સતીશે મને પકડી રાખ્યો અને હિમ્મત લાલે મને લાકડી મારી  ઈન્સ્પેકટરે  તેને કીધું કે  બે જણાએ તુને પકડી રાખ્યો અને ફક્ત એકજ લાકડી મારી . આ વાત કોઈ માની નો શ કે  માટે  ફરિયાદ કરીશ તો તારે ગુમાવવાનું થશે . અને  માર ખાણા  ભાઈ  ચુપ થઇ ગયા અને હોસ્પીટલમાં જઈને દવા કરાવવા  માંડી ગયા . રામ રામ

ભગવત ઘર ભાગેહમાં આધો ફર આતે

કોઈ માણસે ભગવાનને   કીધું છે કે  હે પ્રભુ તું માણસને પોતાની અર્ધી ઉમરે ઘર ભંગ નો કરતો . ભગવત ઘર ભાંગેહ માં આધો ફર આતે જાનકીજી જાતે તમે રોયતા દશરર રા ઉત  હે પ્રભુ તમે પોતે સ્વયં ભગવાન નો અવતાર મનાતાં તા  તોપણ જયારે રાવણ સીતાને હરી ગએલો  ,ત્યારે કેવા આકુળ વ્યાકુળ  થઇ ગયા હતા .અને રોતા તા , ગાંડા જેવા થઇ ગયા હતા  .ઝાડ પાનને ,પશુ પંખીને પુછાતા ફરતા હતા કે તમે મારી સીતાને જોઈ છે ?તો અમ જેવા માણસનું તે શું ગજું .તો પ્રભુ કોઈને અર્ધી અવસ્થાએ ઘરભંગ નો કરતો .

ગઈકાલે ઓગસ્ટની બીજી તારીખે  મારી પ્રેમાળ પત્ની ભાનુમતી ને પરલોક ગયે પાંચ વરસ પુરાં થઇ ગયાં.  દોહઝાર સાત અગસ્ત્કી જબ દુસરી તારીખ આઈ ,ઇસ ફાની દુનિયાકો  છોડકે ભાનુંને લીની વિદાઈ .

કેટલાક ભાઈ બહેનોની એવી ઈચ્છા છે કે હું  ભાનુમતી વિષે કૈક વધારે લખું .તો છૂટક છૂટક મને યાદ આવતું જાય છે એમ લખતો જાઉં છું.અમે સરદારનગર અમદાવાદમાં રહેતા હતા ત્યાસ્રે અમે એક મોર પાળેલો , ઈંડામાંથી   નીકળેલું  તુર્તનું  બચ્ચું અમે પાળેલું .અને પછી એ મોટો મોર થઇ ગએલો .એને ઉછેરવાનો યશ હું ભાનુંમાંતીને આપું છું .કેમકે એ એની ખુબ કાળજી લેતી અને મોર એનો હેવાયો પણ બહુ થઇ ગયેલો ,અમારા ઘરનો એ ર,ક્ષાક હતો એમ કહું તો ખોટું નથી . કેમકે એ અમારા ઘરે કોઈ નવીન માણસ આવે .એને જુવે તો એ  આંબાના ઝાડ ઉપર બેઠેલો હોય ત્યાંથી  ઉડીને આવીને માણસ ઉપર હુમલો કરે .એક ભાલચંદ્રની માં તરીકે  ઓળખાતા ભાનુંમાંતીની બેન પાણી ઘરે આવે તો એ પહેલા એ અમને પૂછે એટલામાં મોરતો નથીને ?પછી ભાનુમતી હાથ પકડીને લઇ આવે પછી એ નો બોલે .મારીબદલી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થઇ મને રહેવા માટે ઘર એલીસબ્રીજ  પોલીસ લાઈનમાં મળ્યું અમો અમારો વહાલો મોર પણ સાથે લઇ ગએલાં.જંગલમાં રહેનારો મોર અહી ઉદાસ થઇ ગએલો .બાજુની ખ્રિસ્તી મીશાનારીની વિશાલ જગ્યામાં પણ જતો .એક વખત કોઈએ ખ્રીસ્તીવાડ્માં ઘરમાં પૂરી દીધો .કોઈએ ભાનુ મતિને વાત કરીકે તમારા મોરને  આઘરમાં પૂરી દીધીલો છે. એમ કહી ઘર દેખાડ્યું .ભાનુમતી એને ઘરે ગયાં અને મોરની આપી દેવા કહ્યું  ઘર  ધણી યાણી  બોલીકે અમારી પાસે નથી .એમ બોલીને  જધડવા માંડી . અને આ ભાનુમતી  પોલીસના  માથામાં ડોલ મારનારી એમ કઈ દમ ખાય ,એતો બાયડીને ધક્કો મારીને  ઘરમાં ઘૂસીને મોર લઇ આવી .ભાનુમતી મેમાંનનું બહુ સ્વાગત કરનારી એને મેમાનને આગ્રહ કરી કરીને સમ દઈ દઈને જમાડે .અમે સરદારનગરમાં રહેતા હતા ત્યારે નરોડા ગામમાં કથા અને યજ્ઞ  હતો એની બહુ પ્રસિદ્ધિ હતી .કથા સંભાળવા માટે મારા ગામ દેશીન્ગાથી મારા કરીકાકી અને મારી મીણીભજાય આવેલા અને અમારા મેમાન . બનેલા.    એને ખુબ આગ્રહ કરી કરીને  ખવડાવે .કારી કાકીનેતો  બોલવું પડેલું કે તિન્તા અમન  ખાહે સડાવી દીદ્ધાં .મતલબકે તમે અમને ખાવ્ધરા  કારી મુક્યા . મારા ભાઈની પ્રોપર્ટી નું મકાન ફ્લોરીડામાં છે . ત્યાં અમે અવાર નવાર જઈએ .સાથે મારા બે પોત્રોને પણ લઇ જઈએ ત્યાં રમત ગમતના સાધનો બહુ હોય છે .એમાં પૈસા આપીને રમવાનું હોય .હું બે વખત રમવા માટે પાસા આપું .વધુ નો આપું એટલે મોટો દવીદ ભાનુમતી પાસે પૈસાની માંગણી કરે .ભાનુમતી જેટલી વખત પૈસા પોતાની પાસે હોય ત્યાં સુધી આપે પછી મારી પાસેથી કઢાવે .અને હું કંઈપણ દલીલ કર્યાવિના પૈસા આપું  પણ એટલું કહી દુ કે હવે એને પૈસા આપવાના નથી .પછી ભાનુમતી સમજી જાય ખરી .પણ એક વખત તો મારે ભાનુંમાતીની જિદ્દ આગળ લાચાર થઈને આપવા પડે . એક જોડકણું  લખું છું,  “હિંમતનો ગાંજ્યો જાય મોટા માંન્ધાતાથી ,પણ  લાચાર થઇ ગયો ભાનુની જીદ્દથી ભાનુંમાંથીને બાળકો બહુ વહાલા એવીરીતે બાળકોને પણ ભાનુમતી બહુ ગમે  મારા ભત્રીજા વિક્રમ ને પણ બેહદ ગમે કૈક મગની કરવી હોય તો ભાનુંમાંતીને કહે  અમેરિકામાં બાળકો પોતાની માને લાડમાં મોમ કહેતા હોય છે પણ ઉચ્ચાર મમ કરતા હોય છે .પણ વિક્રમ ભાનુંમતી ને મામ કહે .એક વખત એક ડોક્ટર દંપતીને તેના બે બાળકોનું બેબી સીટીંગ કરવા માણસની જરૂર પડી .દીકરો એકાદ વરસની ઉમરનો અન્રે દીકરી ત્રણેક વરસની  દીકરો ભાનુંમતી નો બેહદ હેવાયો થઇ ગએલો .એની માં કામ ઉપરથી આવે એટલે  દીકરાને  તેડવાનું કરે દીકરો એની માં પાસે ના જતા દોડીને ભાનુ મતિને વળગી પડે એની માં પાસે નોજાય  એક વખત તો એની મને કહેવું પડ્યું કે હવેતો મારો રહેવા દ્યો ? ભાનુમતી કહે તારોજ છે પણ  મારી પાસે આવીજાય એને ધક્કો મારીને તારી પાસે નો મોકલું  .આ વાતને વારસો વીતી ગયાં  છોકરો ડોક્ટર થઇ ગયો ,એના લગન થયાં અમને કંકોતરી આવી એમાં દીકરાના માબાપ પ્રફુલ્લા અને રમેશે લખ્યું કે  “બા તમારા દીકરાના લગન થાય છે.” ભાનુમતીના બાબત ઘણું આશ્ચર્ય  કારક લખાય એમ છે . તો મિત્રો ભાઈઓ અને બેનો ખાસ કરીને ઉત્તમ ગજ્જર,સુરેશ જાની .કનક રાવલ .રાત્રી ,મુર્તજા.પટેલ અશોક મોઢ વાડિયા  શકીલ મુનશી ,પ્રજ્ઞા વ્યાસ  વગેરે  આ થોડું લખ્યું જાજુ કરીને માનજો . એક ગઝલ ભાનુમતી કો અર્પણ તેરી હૈ જીદ્દી આદત ફિર ફિદા હોતીહા જન અપની અગર તુજમે ન જિદ્દ હોતી ખુદા જાણે તો ક્યાં હોતા.તું હૈ કમઝોર ફિરભી કામ મર્દાનાસા કરતી હૈ .તું ઝોરાવાર અગર હોતી તો પરબત કંપને લગતા  મી જબ હોગયા બે હોશ હવાઈ જહાઝ્કે અંદર કઝા લે જતી ગર મુજકો ખુદા પાલક તેરા હોતા તું રંજૂર હોતી થી તો મેરા દિલ ધડકતા થા મોત ગર આજાતી તુજકો તો મેરા હાલ ક્યા હોતા

ભાનુમતી જોષી એક વિશિષ્ટ ઓરત #2

અને ભાનુમતીએ દળદાર  દાતરડું લીધું ,અને ઉપડી ઝીણા ભાઇના ખેતર  અને ડાંડર  વાઢવું  શરુ કર્યું ,અને  થોડીકજ વારમાં   મોટો ભારો તૈયાર કર્યો .

જયારે ડાંડર  વાઢી  રહી હતી ત્યારે જીણા ભાઈ અને બીજા સાથીદારો હસતા હતા કે આણીએ રાંક ધરવ કર્યો છે પણ એ ઉપાડી કેવી રીતે શકાશે.?

ભારો  તૈયાર  કરીને  ભારો પોતાના માથા ઉપર મુકવા માટે , મદદ માટે એને જીણા ભાઈને   બોલાવ્યા .થોડો તે વખતનો અમારા ગામડાઓનો રીવાજ વાચક ભાઈ બહેનો માટે કહી દઉં ,ગામડાઓમાં જબરદસ્ત  કોતુંમ્બીક ભાવના હોય છે .ભલે એક બીજાના ઘરનું પાણી પિતા અભડાઈ જાતા હોય ,પણ એ કૈક સગા જરૂર થતા હોય .એ પ્રમાણે જીણાભાઇ  મને મારી ફોઈના દીકરા ભાઈ થાય જોકે જીણા ભાઈનો દીકરો મારા કરતા ઉમરમાં મોટો ,બીજું અમારી બાજુના  મેર,, આહેર, વગેરે લોકોમાં લાજ કાઢ વાનો રીવાજ નથી . એટલે એલોકોની સ્ત્રીઓ  વાણીયા , બ્રાહ્મણ  વગેરે લોકોની  લાજ નો કાઢે .પણ આ લોકોની  એટલેકે વાણીયા  ,વગેરે લોકોની સ્ત્રીઓ  મેર વગેરે લોકોની  લાજ કાઢે .પણ  તેઓની સાથે છૂટ થી બોલે ખરી .એવી રીતે  આહેર વગેરે લોકો  પોતાની  જ્ઞાતિની  સ્ત્રીઓને નામથી બોલાવે .કે જે દીકરા કે નાના ભાઈની વહુ હોય . પણ વાણીયા વગેરીની સ્ત્રીઓને એ લોકોના રીવાજ પ્રમાણે વહુ  કહીને બોલાવે .

જીણા ભાઈ  ભારો ચડાવવા આવ્યા, ત્યારે બોલ્યાકે વહુ આ  ભારો તમારાથી નહિ ઉપડે પડતો મુકો અમે ગાડું લઈને ઘેર આવશું ત્યારે અમે લીધે આવશું .અને આ તમારા ભારામાંથી તણખલું  પણ ઓછું નહિ કરીએ   .અને ભારો તમારે ઘરે  પહોંચાડી દઈશું .  પણ આ ભાનુબેન જેનું નામ  એમ માને ખરી ?એ બોલી  જીણાભાઇ તમારું કામ છે.  ભારો મારા માથા ઉપર મૂકી દેવાનું આવા કિસ્સાઓ ઉપર્થીજ મારે એક શેર બનાવવો પડ્યો કે લોક કહતે હૈકી ઓરતકો સમજના મોહાલ હૈ , લેકિન સચ તો યહ હૈ સમજાના મોહાલ હૈ . અને બાપુ પછી ભારો ભાનુ બેન ઉપર મુક્યો .જીણા ભાઈ વાત કરતા હતા મેં જયારે ભારો ચડાવ્યો ત્યારે મારા પેટમાં આંટી પડી ગએલી હો .અને પછી તો હાથણી ની  ચાલે  ચાલતી  ભાર સાથે ઘરે પહોંચી .અને મારા માં અને બાપ અને ગામના બીજા માણસો હેરત  થઇ ગયા .આથી ભાનુ મતિ બહુ રાજી થઇ ગઈ .જયારે હરગોવિંદ (અમેરિકામાં દેવ જોશી તરીકે જાણીતો ) ભાનુમતી ના પેટમાં હતો. ત્યારે ભાનુમતી એક મોટો સુન્ડો ભરીને માટી  ઘરે લાવેલી  માટી નીચે નાખ્યા પછી ભાનુંમાંતીએ મારી મને કહ્યું ,માં મારા પેટમાં દુ:ખે છે . માં સમજી ગયા કે આને બાળક અવતરવાની તયારી હશે .એટલે માએ ઘરમાં ખાટલો ઢાળી  દીધો અને ભાનુંમાતીને આરામ કરવાનું કીધું અને  કોઈકને  મારા બાપને બોલાવવા અને સાથે સુયાણી લઇ આવવા કહ્યું .મારા બાપા  મલીમાં ભાટુ સુયાણી ને બોલાવવા ગયા.  આ વખતે  મલીમાં  ડાયાભાઇ જીલાસના ના દીકરાની વહુને  સુવાવડ માં મદદ કરવા ગએલા.તેઓએ  બાપાને કીધું કે હું અબઘડી તમારે ઘેર આવું છું . જ્યાં મલીમાં ઘરે આવ્યા ત્યાંતો  હરગોવિંદ ભાઈ  કુંવા કુંવા કરતા મન પડખામાં પડ્યા પડ્યા રોઈ રહ્યા હતા . પછી હું અમદાવાદમાં પોલીસ ખાતામાં માસિક રૂપિયા  ૬૭ નાં પગારથી  ભરતી થઇ ગયો . મીઠાખળી ના કબરસ્તાન  સામે અને નગરી  આંખની  હોસ્પિટલ નજીકની પોલીસ લાઈનમાં  રહેવા માટે ક્વાટર મળ્યું . પાણી ભરવા માટે દસેક ઘરો વચ્ચે  એક નળ અને પાણી સવાર સાંજ બબ્બે કલાક આવે . ભાનુ મતિ ને પોલીસની બાયડી યુ  બહુ માથા ભારે કહેતા  કેમકે પાણી આવવાનું થાય એ પહેલા  ભાનુ બુન  નળનો કબજો કરી લ્યે ,અને જ્યાં સુધી  પોતાના  તમામ વાસનો પાણીથી ભરાય જાય પછી નળનો કબજો છોડે .એક વખત સિંધી જમાદાર દલપતરામની વહુએ  એના ધણી ને વાત કરીકે ભાનુમતી  ઘડીકમાં  નળ નો કબજો છોડતી નથી .અને દલપતરામને શુર ચડ્યું . ભાનુમતી  પાણી ભરી રહી હતી ત્યાં આવ્યો અને ભાનુંમાંતીની ડોલ ફગાવી દઈ પોતાની ડોલ પાણી ભરવા માટે નળ ઉપર મૂકી દીધી . અને તમે એમ સમજો છોકે ભાનુબેન  ડરીને ડોલ લઈને ઘરભેગા થઇ ગયા હશે ? રામનું નામ લ્યો, એણે એક પળનો પણ વિચાર કર્યાવિના  દલપતરામના માથામાં ડોલ ઠોકી દીધી .દલપતરામ લોહી લોહાણ થઇ ઘરભેગો થઇ ગયો. અને પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરી . અને ભાનુંમાંતીએ માર્યું એવું લખાવેતો આબરૂના કાંકરા  થાય એટલે મેં માર્યો છે એવી ખોટી ફરયાદ લખવી આવખતે હું  અચેર  પોલીસ ચોકી ઉપર નોકરી ઉપર હતો .એટલે ફરિયાદ પાછી ખેંચી લીધી . કરફ્યું હોય પણ ભાનુ બેન બકારીયું ચરાવવા ગયા હોય  ચકલું પણ ફરકતું નહોય ફક્ત પોલીસની વેન ફરતી હોય પોલીસ વાળા ભાનુબેનને કહે  આ કર્ફ્યું છે તમને ખબર છે ? ભાનુ મતિ કહે હા  બસ ટૂંકો જવાબ આપી દ્યે  એક વખત  એક પોલીસ વાળાની વહુ સાથે જઘડો  થયો . મોકો જોઈ એ બૈરીએ  ભાનુ બેન બકરી દોતા હતા ત્યારે ડાબલાનો છુટ્ટો ઘામારી ઘર ભેગી થઇ ગઈ . અને ભાનુબેને બકરી દોવાનું પડતું મૂકી ઘરમાં જઈ લાકડી લઇ અને એના ઘર આગળ ઉભા રહ્યા . મજાલ છેકે બાઈ ઘર બહાર નીકળે ?હું નોકરી ઉપરથી આવ્યો ભાનુબેન ઘરે  આવી ગયા બૈરી નો ધણી મનુજી  મારી સાથે જઘડો કરવા માંડ્યો  એમ કરતા કરતા તે મને માબેન સમી ગાળો દેવા માંડી ગયો . એક કહેવત છેકે સોરઠિયો માર ખાય પણ ગાર ન ખાય (અમારીબાજુ ળ  નો ઉચ્ચાર ર કરે છે   )મારે ફરવા માટે અમેરિકા આવવાની  તૈયારીઓ ચાલી રહી હતી એટલે મારા વિરુદ્ધ  ફરિયાદ થાય તો મને અમેરિકા વિસા નો આપે એટલે હું બધું સહન કર્યે જતો હતો નહીતર હું  ભાનુંમતીનો વર   માંનુજીના લાડ એકજ સેકંડ માં ઉતારી નાખું . પણ મારો દીકરો સતીશ દોડ્યો અને મનુંજીના માથામાં   પાટિયુંમારીદીધું  અને મનુજી લોહી લોહાણ થયા . મનુંજીએ પણ મેં માર્યું છે એવી ફરિયાદ નોંધાવેલી પણ કઈ વળ્યું નહિ .હવે ભાનુ બેન ની વાતો ટૂંકમાં પતાવવી પડશે .પછી મારી બદલી સરદાર નગર પોલીસ સ્ટેશનમાં થઇ અહી મેં બકરીયો રાખેલી ૨૬ જેટલી મારી પાસે થઇ ગએલી  ભાનુમતી  ખાસ કરીને બકારીયું ચરાવતી મારા તેજસ્વી એન્જીનીયર દીકરા પણ ઉઘડે પગે બકારીયું ચરાવતા અને હું પણ ચરાવતો  . એક વખત  પોલીસના બૈરા વચેપાણીના  ભરેલા બેડાથી દોડવાનીહરી  ફાઈ થઇ  . ભાનુ બેન ઉમરમાં સૌ થી અને પહેલો નંબર આવી પછી ભાનુબેન અમેરી ક આવ્યા  બીમાર પડી ગયા મેં અગિયાર મહિના  ઘરે રાખીને મારાથી બનતું એના માટે કર્યું  મારે એણે નર્સિંગ હોમમાં મુકવા વિચાર નોતો પણ પછી હું પણ એની દેખભાળ રાખી શકું એવી સ્થિતિમાં નોતો એટલે મારા મોટા દીકરા હર્ગોવીન્ડે sosiyal varkarne vaat kari e

ભારો મારા માથા ઉપર મૂકી દેવાનું ,