Category Archives: દેશિંગાપુરાણ

દીવાદાંડી સમ દેશિંગા

         આપણા વ્હાલા ‘આતા’ એ આ બ્લોગ પર સિરિયલ તરીકે લખેલી, એમના વતન દેશિંગાની વાતો હવે ઈ-બુકના રૂપમાં, એમના માનસપુત્ર જેવા શ્રી. રીતેશ મોકાસણાએ પ્રસિદ્ધ કરી છે.

અહીંથી એ ડાઉન લોડ કરી શકશો.

          આનંદની વાત એ પણ છે કે, આ પુસ્તક હવે છપાઈ પણ ગયું છે. એનાં આગળ અને પાછળનાં પાનાં  આ રહ્યાં –

DSD1…….DSD2

દેશિંગા દરબાર – નવરંગખાં બાપુ

.         સમય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે  . એક મારા ગામના દરબાર (બાબી  મુસલમાન ) જેનું નામ નવરંગ ખાં હતું . એ બહુ ઉદાર દિલનો માણસ હતો  .  ભાગ્યેજ શિકાર કરતો.  પણ એના  પસાયતા  ચાંદખાં   નો દીકરો   સિદી ઉર્ફે રેમાનખાં  કે જેની માં વૈષ્ણવ પટેલની દીકરી હતી  .તે બહુ શિકાર કરતો  ગામ અને ગામની સીમમાં   હરણાં તો નોટા રેવા દીધાં પણ મોરલા પણ મારી ખાધેલા  અવશ્ય બાપુ પણ   તૈયાર  મારેલો શિકાર ખાય ખરા.

       જે મુસલમાનના  નામની  પાછળ  ખાં નો પ્રત્યય લાગ્યો હોય એ બધાજ પઠાણ હોય એવું ન સમજવું  .ઇડર બાજુના ખાં ઠાકરડા  માંથી મુસલમાન થએલા છે   . પણ તેઓને  મુસલમાન રાજ્ય કર્તાઓએ   ખાં   પ્રત્યય આપ્યો હોય છે   . જયપુર બાજુના  કાયમ ખાંની મુસલમાનો ના વડવાઓ રાજપૂત હતા તેને પણ  બાદશાહોએ  ખાં નો ઈલ્કાબ આપેલો હોવાથી  તેઓ પોતાના નામની પાછળ  ખાં પ્રત્યય  લગાડે છે.  મુસલમાન ભાઈઓને આ બાબત ની વધુ ખબર હોય છે.

       એવી રીતે  સીદી સિપાઈ જાતિનો હતો   .  એ લોકોના કહેવા પ્રમાણે બાદ્શાઓના વખતમાં  એમના  વડવાઓ  લશ્કરમાં  સિપાઈ હતા   . સિદીનો બાપ ચાંદ ખાં સરદાર ગઢના (જુનું નામ ગીદડ) પટેલ ખેડૂતનો સાથી હતો  . પટેલની જુવાન કુવારી દીકરી ગલાલ  ચાંદ  ખાં ને ભાત દેવા જતી   .  પટેલને એ ખબર  નહી હોય  કે   विद्या वनिता  ड्रम लता यह नही चीनी ज़ात जो रहे  नित उसके संगमे ताहिमे लिपटात  .   અને પછી  સરદારગઢ ના  બાબી  દરબારે  નિકાહ પઢાવી  આપ્યા.

     નવરંગખાં  બાપુ  સાતમ આઠમમાં  લોકો સાથે  જુગાર રમવા બેસી જાય   . બાપુની વાઈફ આમોદના મોલેસલામ  ગરાસીયા  હમીર સિહ ની  દીકરી હતી  અને તેનું નામ પ્રતાપબા હતું ; બળેવના દિવસે  બ્રાહ્મણો  બાપુને રક્ષા બંધન   કરવા આવે.  બાપુ એને દક્ષિણા આપે અને  હથિયારોને  રાખડી બાંધવાનું કહે  . વાદી લોકો  તાજો પકડેલો  કોબ્રા  કે અજગર  દેખાડે તો એને પૈસા આપે.

     પછી ભારત દેશ આઝાદ થયો  . બાપુને  સાલિયાણું મળવા  લાગ્યું  સાલીયાણા માં  ઘર ખર્ચ નીકળે નહી   . છેલ્લે છેલ્લે  સદ્દામ   હુંસેનની જેમ  બાપુએ દાઢી  રખાવેલી  .  બાપુની માઠી દશા બેઠી  બાપુ ફાળો લેવા દેશીંગા  લોકોએ એને થોડા હજાર રૂપિયા કરી આપેલા

देशिंगा दरबारसे गदा  निरशन जाइ   
समा पलटा जब उस नवरंगका  बस्तीसे भिक मंगाई
संतो भाई समय बड़ा हरजाई   .

સોરઠીયા રબારી

Rabari

અમારી બાજુના રબારીઓ  સોરઠીયા રબારી છે  .
રબારી  પોતાની ઇષ્ટ દેવી માતા નો ઉત્સવ મનાવતા હોય છે   . આ માતાનું નામ શું છે  . એની મને તો ખબર  નથી   .અને તમને પણ ખબર નહિ હોય  . મને ઝાઝું  પૂછતા હો તો  રબારી પોતાને પણ ખબર મહી હોય   .
ઉત્સવમાં જબરો જમણ વાર રાખે  અને એમાં  બધા રબારી ભાઈઓને  આમંત્રણ  આપેલું હોય   . ઉપરાંત  ગામ ઝાંપે  એક જુવાન  ઉભો હોય   , તે ગમે તે વટેમાર્ગુને  જમવા માટે બોલાવે   . અને આ જમણવાર આખો દિવસ ચાલે  એવું નહિ કે  અમુક સમયેજ  ખાવાનું હોય  , એટલે અમારી બાજુ એક  કહેવત  પ્રચલિત છે કે   “રબારીની પીણી ” ની જેમ આને ઘરે તો આખો દિવસ  ખાવાનું  ચાલ્યાજ કરતું હોય છે  . રબારીની માતાના આ ઉત્સવને  માતાનો કળશ
ભર્યો કહેવાય   . હવે તો આવું બધું ચાલતું હશે કે કેમ એ માતા  જાણે  અમારી બાજુ  લોકો સમ ત્યારે ” મને માતા પુગે ” એવું બોલે  . દેશીંગા ના દોસ્ત મામદ મકરાણીનો  દીકરો અબો  પણ મને માતા પુગે એવા સમ ખાતો  ભાગલા વખતે  કેટલાક મુસલમાન ભાઈઓ  ભાગલા વખતે વધુ  સુખ સાહ્યબી  મળશે   એવું ધારીને  પાકિસ્તાન જતા રહેલા  . એવી રીતે  અબો પણ પાકિસ્તાન જતો રહેલો  .  અબે  દેશીંગા હતો ત્યારે લાંબામાં લાંબી સફર
દેશીન્ગાથી દસ ગાઉં દુર  કરેલી   આ અબો  પાકિસ્તાન ગયો  , ત્યારે    ફ્રન્ટીયર  મેઈલમાં બેઠો  તે બેસીજ રહ્યો  . તે ઠેઠ  પેશાવર ઊતર્યો અને ત્યાંજ  સ્થિર થઇ ગએલો   . અબો મારા કરતા ઉમરમાં 8 વરસ નાનો  તેનો મિત્ર એક હેમતરામ કરીને વ્યાસ હતો  .(તરગાળો  , ભવાઈઓ ) અબો આ હેમાંત્રામને અવાર નવાર કાગળ  લખતો  . એક કહેવત યાદ આવી એ કહી દઉં ” ચોરની માને ભાંડ પરણે અને ભાંડની  માને  ભવાયો પરણે અને ભોવાયાની  માને
ભામણ  પરણે  ”
માતાનો કળશ  ભરાયો હતો  . એટલે ગામને ઝાંપે  એક જુવાન   વટે માર્ગુને જમવા બોલાવી રહ્યો હતો  . જમણવારમાં  ખુબ ઘી  ગોળ  ખુબ વાપરે  જમવામાં ફક્ત  ચોખા  મગ  અને ઘી ગોળ  બસ આટલુંજ હોય  .
જે ગામમાં  કળશ  ભરાયો હતો એ ગામના ઝાપેથી એક રબારી જુવાન પોતાની ઘરવાળીને તેડવા  પોતાના સાસરે  જઈ રહ્યો હતો   . તેને કળશ માં જમવા માટે બોલાવવામાં આવ્યો એ કહે   મને તમે એક ઘડામાં  ખાવનું આપો એટલે હું  હાલતાં ખાતો જઈશ  કેમકે હું  બહુ ઉતાવળમાં છું  . એને  ચોખા મગ ઘી ગોળ નો ઘડો  ભરી દીધો  .અને તેને  દોરડા  વતી  ગાળામાં લટકાળી દીધો  . એતો  માતાનું અને પોતાની ઘરવાળીનું  સ્મરણ કરતો જાય  દોથો
ભરીને  ખાતો જાય  અને  હાલ્યો  જાય વચ્ચે એને વિચાર આવ્યો કે  જો હું  એક હાથે ખાઈશ તો ક્યારે મારું પેટ ભરાશે  એટલે એણે  પોતાના  બન્ને    હાથ  ઘડામાં ઘાલ્યા  અને  દોથા ભર્યા  . હવે  ઘડામાંથી  હાથ નીકળે નહિ  . ઈતો બાપુ એમને એમ  ઘડામાં ફસાએલા હાથે  સાસરે પહોંચ્યો  . રીવાજ પ્રમાણે દરેકની સાથે   હાથ મેળવીને રામ રામી  કરવી જોઈએ પણ આના હાથ  ઘડામાં  ફસાઈ  ગએલા એટલે એ પોતાની કોની અડાડીને  રામ રામી
કરે   . કોઈએ  પ્રસન કર્યો નહિ કે આ આમ કેમ કોણી અડાડીને  રામ રામી કરે છે  ? અનુમાન કરી લીધું કે  આને આવી બાધા હશે  ,  ઘરના બધાં સુઈ ગયા પછી એની ઘરવાળી  એને મળવા આવી
એને થયું કે આ ઘડામાંથી હાથ કેમ કાઢતો નથી   . એના ધણીએ  હાથ ફસાયાની વાત કરી  ઘરવાળી બોલી   પિટીયા  ઘડાને  છીપરમાં પછાડીને ફોડી નાખ એટલે  તારા હાથ છુટા થઇ જશે  આમ સલાહ આપીને  ઈતો ઘરમાં ઘુસી ગઈ   .ચોમાસાના દિવસો હતા  વીજળી  ચમકારા કરતી  હતી   . એવામાં પોતાના સસરાનો બાપ  તાજીજ  હજામત  કરાવેલી  એ ઓસરીમાં સુતો હતો   . એનું માથું  વીજળીના  ચમકારામાં  ચમક્યું   . અને છીપર  સમજીને એના માથમાં  ઘડો
પછાડ્યો  . એટલે ઘડો ફૂટી  ગયો  અને  બાપડો ડોસો   પણ  મરી ગયો   . ઘરવાળીને   લઈને  ઘરે આવ્યો ત્યારે  સહુએ સગા વ્હાલના કુશળ  સમાચાર પૂછ્યા  ત્યારે બોલ્યો  બ્દુતો બરાબર છે  .પણ  મારા સસરાના  બાપના માથા ઉપર વીજળી પડી   .  વિજ્લીતો પડી પણ ભેગા ઘી ગોળ ચોખા અને મગ સોતી  પડી   . પણ મારે એટલું તો કહેવું પડશે કે  ઘરવાળી  બહુ હુશિયાર છે  .પેટ અવતાર લીધા જેવી સે  .

રાણાનો રાજ્ડો લેલીડે લીધો

બ્રિટીશ રાજ્યસમયે  રાજાઓના બે ફામ ખર્ચા  વધી જતા  એટલે બ્રિટીશો એ રાજ્ય ઉપર જપ્તી બેસાડતા  અને એના મેનેજર તરીકે પોતાનો માણસ મુકતા પોરબંદરના  રાજા નો ખર્ચ વધી ગયો એટલે તેના રાજ્ય ઉપર જપ્તી બેસાડી અને મેનેજર તરીકે  લેલર નામના  અન્ગ્રેઝ ની નિમણુક કરી  ,લેલર એક આલીશાન બંગલામાં એના બાળ બચ્ચા  .સાથે રહેવા લાગ્યો  .એક રાતે કુતરાના ભસવાના અવાજે લેલર ની   મેડમની  ઊંઘ હરામ કરી દીધી  . મેડમે એના ધણી  લેલરને  કુતરા નાં અવાઝ બાબત ફરિયાદ કરી  .લેલ રે  બીજી રા તે  કુતરાઓને ઝેર ખવડાવી  મારી નાખ્યા  .અ ને કુતરાના મડદા ઓનો  ટ્રક ભરી બરડા ડુંગરના જંગલમાં  નાખી આવ્યા  .

આ બાજુ  સ્ત્રીઓ રસોઈ બનાવે ત્યારે  નાનકડા રોટલા (ચાનકીયું ) કુતરા નાં ખાવા માટે બનાવે અને પછી ઘરના સભ્યો માટે રોટલા ઘડે

સવારમાં  ચાનકીયું  .લઈને ગૃહિણી કુતરાને ખવડાવવા  ગઈ  તું તું અવાજ કરીને કુતરાને બોલાવે પણ કોઈ કુતરું દેખાણું નહિ. મહાજન  લેલર પાસે ફરિયાદ કરવા ગયું  .લેલરે ઉદ્ધતાઈ થી જવાબ આપ્યો  એટલે મહાજને  આ વાત  કાટિયા વરણ (આયર ,મેર ,વાઘેર રબારી કોળી ચારણ )આગળ લેલરના કુતરાને મારી નાખવાની વાત કરી સાભળીને એક માથાભારે માણસ  કુવાડી લઈને  લેલર પાસે ગયો એની ભાષાનું ભાષાંતર કરવા એક ઈંગ્લીશ ભણેલો માણસ સાથે ગયો માથાભારે  માણસ બોલ્યો  .આવા ન્ધા કરીશ તો તુને અમે તું તોપો પહેરીને બજારે નીકળીશ ને તએ  કુવાડીથી    મારી નાખીશું   અમારા વાઘેર લોકોએ  તારા જેવા  કેટલાય ચીછરા નાં પગવારા (પગે મોજા પહેરેલા )ગોરાઓને મારી નાખેલા  ઈનો દુહો તુને સંભળાવું   ”    માણેકે  સીચોડો માંડયો  વાઘેર ભરડે વાળ  સોઝરની કીધી શેરડી ધધકે લોઈની ધાર ” અમારો કાળીયો કરસન મથુરાથી રણ છોડીને ભાગેલો  ઈને  મામા કંસના સગા વહાલાના  ભય થી કોઈએ આશરો નોતો આપ્યો ઈને અમે આશરો આપ્યો હતો  લેલર સમજી ગયો કે  અહી ધર્મ વિરુદ્ધના  ધંધા કરવા જેવા નથી . લેલરે ભાષાંતર કરનારને વાત કરીકે  આ લોકોનો ગુસ્સો શાંત થાય એનો કોઈ રસ્તો ? એક રસ્તો છે તમે દાન પુણ્ય કરો  યજ્ઞ કરો તો  પ્રજા ભૂલી જશે  તારા ઉપર વેર વાળવાનું  પછી લેલર  ધર્માદો કરવા માંડ્યો લંઘા (મીર ) લોકોએ રાસડો બનાવ્યો કે   રાણાનો  રાજ્ડો  લેલીડે લીધો પરથમ આવી લેલીડે કુતરાને માર્યા  પછી દીધા ઇનીયે દાન   રાણાનો  રાજ્ડો લેલીડે લીધો

આતાં તારો બાપો વલાતી સે

ઘેડ અને આજુબાજુનાં  ગામડાં ઓમાં  સુતાર , લુહાર દરજી .કુંભાર,. વાણન્દ  . મોચી ,વગેરે લોકો વસવાયાં કહેવાય .ગામમાં મુખ્ય વસ્તી ખેડૂતની હોય  અને બીજા ખેત મજૂરો હોય .વસવાયાં ખેડૂતનું કામ કરે બદલામાં ખેડૂત એને  પોતાના ખેતરમાં જે પેદાશ થાય એમાંથી  થોડુક આપે ,કેટલું આપવું એવું નક્કી નહિ .ઉદાર દિલનો ખેડું  વધારે પણ આપે .ઉપરાંત બ્રાહ્મણ  સાધુ ફકીર વગેરેને ધર્માદા તરીકે આપે .વસવાયાં  નવું કામ કરેતો એના પૈસા લ્યે  બાકી રીપેરીંગ કામ કરે એના બદલામાં  ખેડૂત એને ખેતીની  પેદાશ માથી આપે .એક ગામમાં  હલામણ નામનો  જુવાન ખેડૂત  વાણ દને પોતાનું વ તું કરવા પોતાને ઘરે બોલાવે .,જયારે વાણદ હલામણ ને ઘરે વતું  કરવા જાય ત્યારે હલામણ એને  જમવાનો સમય હોય તો જમવા બેસાડે ,ઉપરાંત ખેત પેદાશ થાય ત્યારે વાણદને  અનાજ વગેરે ખુબ આપે ,અને પછી પોતે ગામમાં વાતું કરેકે હું  વાણ દને ઘરે  વતું  કરાવવા નો જાઉં મારે ઘેર વાણ દ આવે અને વતું કરી જાય અને એ રીતે એ પોતાનો અહમ પોષે

એક  બહુજ  ઉદાર દિલનો  ખેડૂત હતો  તે પોતાને જે ખેત પેદાશ થઇ હોય એમાંથી  વસવાયાં અને બ્રાહ્મણ વગેરેને એમ  કહે  કે  આ અનાજના ઢગલા માંથી તારે જેટલું જોઈએ એટલું  લઈલે  અને પોતે નજીક ખાટલા ઉપર બેઠો બેઠો  હોકો ગુડ ગુડાવતો  હોય .

તમે  એક વાતની ખબર હશે કે એક લોભિયો બ્રાહ્મણ  મફતનું નાળીયેર લેવા નાળીયેરી ઉપર ચડ્યો .અને પોતે તો મારી ગયો પણ બીજા મદદ કરવા ગયા એ પણ મરી ગયા . આ લોભિયો બ્રાહ્મણ સો પેઢીએ હિમ્મત લાલ  જોશીનો ભાયાત થાય . આ ઉદાર ખેડૂતને ત્યાં હિમ્મત લાલ જોશી ધર્માદાનું અનાજ લેવા ગયા ,ખેડૂતે કીધું  ગોરબાપા તમારે જોઈએ એટલું અનાજ આ ઢગલા માંથી લઇ લ્યો એવું બોલી  ખેડૂતે અનાજનો ઢગલો  દેખાડ્યો ,હિંમતલાલ જોશીએ તો  બાપુ જબરી ફાંટ બાંધી ,અને જેવી ઉપાડવા ગયા એટલે જરાય ઉંચી ન થઇ શકી એટલે એણે ખેડૂતને કીધું  ભાઈ આમાંથી હું થોડું અનાજ કાઢી નાખીને ઢગલામાં નાખી દઉં  છું કેમકે આટલું બધું અનાજ મારાથી ઉપ ડે  એમ નથી .ખેડૂત બોલ્યો એ હવે તારું થઇ ગયું , મારાથી પાછું નો લેવાય   હવે તમે ઘરે જતા રહો ,સાંજે અમે ઘરે આવીએ ત્યારે  ગાડામાં  આ તમારું પોટકું લીધે આવશું અને તમારે ઘરે પુગાડી દઈશું , આ સોરઠ ભૂમિના માણસો .

હલામણ રહેતો હતો ઈ ગામમાં એક મુંજાલ કરીને ખેડું રહેતો હતો તેને એક દિ  વાણદને કીધું એલા તું આ હલામણ નું વતું કરવા ઈને ઘેર જાછ અને વતું પણ સાબુ ચોપડીને કરછ  તો મારું વતું એકલું પાણી  ચોપડીને ઓતરડી  નાખશ ઈમ કીમ ? વાણ દ ખે ઈમને ઘણું અનાજ આપે છે .વળી ઈને ઘેર વતું કરવા જાઉં તો ઈ મને  ખાવા પણ બેસાડે છે . મુંજાલ ખે હું પણ હલામણ થી વધુ અનાજ આપીશ અને તુને  હું માલપુઆ ખવડાવીશ ,એકદી  મુંજાલે વાણદ ને પોતાનું વતું કરવા પોતાને ઘેર બોલાવ્યો .વાણદ ખંભે કોથળી નાખીને  મુંજાલને ઘરે ગયો .જ્યાં વાતું કરવા બેઠો ત્યાં સાબુ નો મળે  સાબુ એ લેવાનું ઘરેથી ભૂલી ગએલો .પણ ચતુર વાણ દ સાબુ લેવા ઘરે પાછો થોડો જાય ? એને અસ્ત્રાની ધાર કાઢવાની જે લંબ ચોરસ પથરી હોય એ  મુંજાલ ની દાઢી ઉપર પાણી ચોપડીને  ઘસવા માંડી ગયો .મુંજાલ  કહે એલા આમાં ફીણ કાં  નો વળે ?હાજર જવાબી વાણદ બોલ્યો . આતાં  તારો બાપો વલાતી  સે આમાં ફીણ નો વળે આતો બહુ મુંઘો  સાબુ સે એમાં ગંધારા વેડા  નો થાય .

વાલીયો ગ્યોતો વલાતે નવી શીખી આવ્યો વાણી

બ્રિટીશ રાજ્ય વખતે  રાજા મહારાજાઓને  ઇંગ્લેન્ડ જવાનો  બહુ  મોહ રહેતો . ઇંગ્લેન્ડ ને લોકભાષામાં વિલાયત કહેતા મારા જેવો ગામડિયો વલાત કહે . વિલાયત શબ્દ મૂળ અરબી ભાષાનો છે .જેનો અર્થ થાય છે .પરદેશ

અંગ્રેજોએ આપણા કેટલાક શબ્દોનો ઉચ્ચાર  પોતાને ફાવે એવીરીતે  કરી નાખેલો  વડોદરાનું બરોડા ,ભરૂચ નું બ્રોચ ./વગેરે એમ  આપણા લોકોએ ઈંગ્લીશ શબ્દોનો ઉચ્ચાર આપણે  ફાવે એમ કરી નાખ્યો છે . રાયફલ ને રફલ ,સોલ્ઝર ને સોઝર ,પોરબંદર રાજ્ય ઉપર જપ્તી બેઠી તેનો હેડ જે ગોરો હતો .તેનું નામ લેલર હતું તેને આપણા લોકો લેલીડો કહેતા .બાવા વાળો બહારવટી યો હતો . એની જપટે  એક ગોરો ચડી ગયો . એનું નામ ગ્રાન્ટ હતું  એનું  નામ આપણા  લોકોએ ઘંટ  કરી નાખે લુ એનો દુહો પ્રશન્શકોએ આ રીતે બનાવ્યો . રાજ કારભાર ચલાવવામાં

તેં  બાંધ્યો બરડાના ધણી ગરમાં ઘંટને જે

ઈની વાળા  વલાતે  બુમું પુગી બાવલા

એક બીલખાજેવા 24 ગામના  જાગીરદાર બાપુને ઇંગ્લેન્ડ જવાના કોડ જાગ્યા ,એણે આ વાત પોતાના દીવાન ત્રિભોવન ભાઈ જાની જેવાને કરી ,અને કીધું કે હાલો આપણે  વલાત જાયેં તમે પણ ભેળા  હાલો .દીવાને બાપુને વાત કરીકે  બાપુ આપણે બેય જણા વિલાયત જાયેં તો આપણી ગેરહાજરીમાં રાજકારભાર ચલાવવામાં બીજા અમલદારોને અગવડ આવે .બીજું હું ત્યાં આપને ખાસ અંગત ઉપયોગમાં પણ નો આવું .એના કરતાં આપ કોઈ  જુવાન માણસ સેવક ને લઇ જાઓ કે જે તમને હોકો ભરી આપે ,કાવો કસુંબો બનાવી આપે ,તમારા પગ દબાવી આપે ,અને લંડનમાં હ રી ફરીને ન વા જુના સમાચાર પણ લઇ આવે ,અને વાતું ચીતુંમાં તમને સથવારો પણ રહે .દિવાનની વાત બાપુને યોગ્ય લાગી .બાપુએ એવા માણસ ગોતવાની  ગોઠવણ કરી .એમાં એક નાના ગામડાનો વિધવા માનો  દિકરો વાલિયો બાપુને પસંદ પડ્યો .બાપુએ વાલિયાને પોતાને બંગલે તેડાવ્યો .ચારેક જોડી  સુટ વાલિયા માટે સિવડાવ્યા .વાલીયોતો ઠાઠ માઠ થી તૈયાર થઇ ગયો .વાલિયાની છાતી હરખથી ફૂલવા લાગી .અને પછી વાલિયો  બાપુ ભેગો ઇંગ્લેન્ડ પહોંચ્યો .થોડાક ઈંગ્લીશ શબ્દો શીખવાડવામાં આવ્યા  વાલિયો તો લંડન માં બસ મારફત ફરવા માંડ્યો .અને બાપુને નવા જૂની વાતું સંભળાવ વા માંડ્યો . થોડા દિવસ પછી બાપુને દેશમાં આવવાનો ટાઇમ થઇ ગયો .બાપુ ઘરે આવી ગયા વાલીયો પોતાને ઘેર ગયો . વાલિયો તો ગામડામાં ઈંગ્લીશ જેટલા શબ્દો આવડતા હતા એટલા શબ્દો બોલવા લાગ્યો જેમ  આતા દેશીગા જાય ત્યારે  લોકો સમજે કે ન સમજે એનો વિચાર કર્યા વિના ઈંગ્લીશ બોલવા માંડે એમ . એક વખત વાલિયો માંદો પડ્યો .બહુ માંડો પડ્યો .પથારી વશ થઇ ગયો .થોડું ઘણું માંડ  બોલી શકતો હતો .પણ ઇંગ્લીશની મગજમાં રાય ભરાઈ ગએલી .એટલે  જે એકાદ શબ્દ ઈંગ્લીશના આવડે એ બોલે  એક વખત એને સખત તરસ લાગી એ એની માને કહેવા લાગ્યો ,મધર  વોટર ,એની  મા બિચારી સમજે નહિ ,એ એવું સમજે કે  વાલિયો  મઘર મોટર એવું સમજે એ વાલિયાને  કહે  ગગા મઘર સરોવરમાં હોય આંય  ન હોય અને દીકરા મોટર આપણા ગામમાં કોઈને નથી .ગામ લોકો વાલિયાના ખબર અંતર પૂછવા આવે ખર્ચો થાય એ નગર શેઠ ખર્ચો થાય   કહે વાલિયો ચિત્ત ભ્રમ થઇ ગયો છે અને વલાત  ગયોતો ઈમાં મોટરું નો હેવાયો થઇ ગ્યોસ  ઈ મોટરની માંગણી કરેસ પણ મારે ઈને મોટર ક્યાંથી લાવી દેવી .વાલિયો  “મધર મોટર મધર મોટર “એમ બોલતો રહ્યો .અને એકડી મારી ગયો

ગામડામાં શેઠ શાહુકાર માંદા પડે તો શહેર થી ડોક્ટરને બોલાવે અને તે વખતે  ગામડાના કોઈ દર્દી હોય એને તપાસે અને દવા આપે એનો જે કઈ ખર્ચો થાય એ નગર શેઠ ભોગવે .લોકોએ  ડોક્ટરને વાત કરી કે ગઈકાલેજ એક દર્દી  મધર મોટર એમ બોલતો બોલતો મરી ગયો .ડોક્ટરને લોકોને પૂછ પરછ કરતા ખાસ્બર પડી કે વાલીયો પાણી એની માં પાસે માંગતો હતો .પણ તે ઇંગ્લીશમાં બોલતો હતો એટલે તમે કોઈ સમજી નો શક્યા  પછી લોકોએ  ઉખાણું જોડ્યું કે

વાલિયો  ગ્યોતો  વલાતે  નવી શીખી આવ્યો વાણી

વોટર વોટર કરતા મરી ગયો અને ખાટલા હેઠ પડ્યું તું પાણી

મારે તુને બાવાનેજ દઈ દેવી છે . ભલે તું ગામડે ગામડે ભટક્યા કર

Golden Bride[2]ગિરનારની છાયામાં ગામડાના માણસો બહુ ઉદાર નિખાલસ ,અતિથિનું  ભાવ ભરેલું સ્વાગત કરનારા હોય છે એવું મનાય છે .જલારામની જગ્યામાં ,સતાધારની જગ્યામાં ,વગેરે ઘણે ઠેકાણે જમવાનું  કોઈબીને મફત આપવામાં આવે છે .જલારામની જગ્યામાં ઘણા વખતથી એવું બોર્ડ લાગેલું છે કે  “કોઈએ દાન આપવું નહી .” અહી કેટલાય મફતનું ખાનારા પડ્યા પાથર્યા રહે છે .સોરઠ સાધુ ,બાવા,ફકીર વગેરેને બહુ માં આપે છે .એટલે આનો લાભ લઈ  ઘણા ધુતારાઓ  સાધુ વેશે ફરતા હોય છે .એક છંદ લખું છું

પૈસેકે કારન ઢોલ બજાવત પૈસેકે કાજ બજાવત બાજા ,

પૈસેહીકે લિએ પૈર  દબાવત  રંક કું  કેહત હૈ તું મહારાજા

પૈસે બીના કોઈ  કહે  નહી  આજારે આજા

“આતાઈ ” કહે  એક સોરઠ મેં બીનું પૈસે  કહે ભાઈ રોટી  તું ખાજા

જલારામે સાધુની માગણી ઉપર પોતાની પત્ની  સાધુની સેવા માટે આપેલી પણ કહેવાય છે કે આ સાધુ વેશમાં  ભગવાન પોતે હતા .

એક નજીકના ગામડામાં પતિ પત્ની વચ્ચે  ઘરેણા બાબત ઝઘડો થયો .આપણે  સૌ ને  આ અનુંભવ છે .મારો એક લેખ વર્ષો પહેલાં “ગુજરાત ટાઈમ્સ “મેગેઝીનમાં છ્પા એલો છે એનું મથાળું હતું “પ્રસન્ન દામ્પત્યના મધુરાં  રમુજી સ્મરણો “આ લેખ હ્યુસ્ટન થી પ્રસિદ્ધ થતા દર્પણ માં પણ પ્રસિદ્ધ થએલો છે કદાચ વિજય શાહ ને યાદ હશે ..આ લેખ વાંચ્યા પછી એક છોકરે મને પૂછ્યું કાકા હું જયારે તમને અને કાકીને જોઉં છું ત્યારે તમો આનંદ મગળ   કરતાંજ હોવ છો  તમે કોઈદી ઝઘડો કરો છો ખરાં ? મેં તેને કીધું  અમે દેશમાં હતા ત્યારે  મારા ટૂંકા પગારમાં પૂરું કરવું પડતું ત્યારે અમો કરકસર કરવા  બાબત  થોડો ઝઘડો થતો ખરો .પણ અહી અમેરિકા આવ્યા પછી કોઈ દિવસ અમારે બન્ને વચ્ચે ઝઘડો થયો હોય એવું યાદ નથી . હા કોઈક દિવસ  ખોટો ખોટો ઝઘડો કરીએ છીએ ખરા  સાચો ઝઘડો કરવાનો વારો ન આવે એટલા માટે  આ અમારો ઝઘડો દસ મિનીટ  ચાલે .ઝઘડો પૂરો થાય એટલે મારી ઘરવાળી કહે આજતો તમે બહુ નવા નવા શબ્દો બોલતા હતા ,આવું બધું ક્યાંથી શીખી લાવો છો ?

જલારામના વીરપુર નજીકના ગામડે  પતિ પત્ની વચ્ચે ઘરેણું અપાવ્વામાટે ઝઘડો હતો .ઉપર ફોટામાં દેખાય છે એ સ્ત્રીએ ઘરેણાં પહેર્યા છે એટલા ઘરેણા પત્નીને હતાં  છતાં એ નાકની દાંડી થી અંબોડા સુધીનો લાંબો સોનાનો દોરો લઇ દેવા માટે પોતાને ધણી ને ખેતી હતી આથી ધણીને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આવેશમાં બોલ્યો .તારા આ બધાં ઘરેણાં હું આચકી લઈને પહેરેલે લુગડે તુને હું બાવાને આપી દેવાનું છું . પછી તું બાવા સાથે ભટક્યા કરજે ,આ વાક્ય એક બાવો સાંભળી ગયો .ધણી ધણી યાણી વચ્ચે તો પછી સમાધાન થઇ ગયેલું . બીજે દિવસે બાવો આવ્યો ,એને એમ કે જેમ જલારામે પોતાની પત્નીને સાધુને આપી દીધેલી એમ આ માણસ એની સ્ત્રી મને આપી દ્યે તો મારું કામ થઇ જાય .બાવે  રામાયણની કોપી લલકારી કે   રઘુ કુલ રીતી  સદા ચલી  આઈ પ્રાણ જાય અરુ બચન જાઈ  સાંભળી ને ઘરવાળો  રાયણ નો ગાંઠા વાળો ધોકો લઈને  ઘર બહાર આવ્યો અને બાવાને કીધું ભાગીજા નહિતર આ એકજ ધોકો  માર્યા  ભેગા તારા  પ્રાણ નીકળી જશે અને મારું વચન જતું રહેશે . બાઓ એકદમ ઉભી પુંછડીએ ભાગ્યો .

happy fathers day બાપા

નાટકના  બીજા માણસો મદદમાં આવ્યા એટલે ગુંડા નાસી ગયા .

દ્વારકામાં  રાધા કૃષ્ણનો ખેલ ઘણી વખત ભજવાતો દ્વારકા યાત્રા ધામ એટલે યાત્રાળુઓ  બહુ આવે રાજા મહારાજા પણ આવે .એકવખત બુંદી નાં કે  કોટના  મહારાજા આવેલા   આ મહારાજાને  તમાકુ  ગડાકુ  પીવાનો વિચિત્ર શોખ હતો ,પોતાની રૂમના બારી બારણા બંધ કરી  રૂમની અંદર  સળગતીસગડી રાખી તેના ઉપર ગ્દાકું નાખે  એટલે  ધુમાડો થાય અને આ ધુમાડો શ્વાસની સાથે એની મેળે ફેફસામાં જાય .આ બાપુને નાટકમાં જે છોકરો કૃષ્ણ નું પાત્ર ભજવતો એ છોકરાને એ ખરેખર કૃષ્ણ માને જ્યારે આ છોકરો કૃષ્ણ નો વેશ પેરીને  પડમાં   આવે ત્યારે બાપુ એને પગે લાગવા પોતાની ખુરસી ઉપરથી નીચે ઉતરે અને એને પગે લાગે ,આ છોકરાને પોતાની સાથે બુન્દીકોટા  લઇ જવાની ઈચ્છા થઇ ,એટલે એને બાપાને પોતાની પાસે બોલાવીને કીધું કે આ છોકરો મને આપી દ્યો તમારે જેને પૂછવું હોય એને પૂછી જુવો હું તમને મો માગ્યા પૈસા આપીશ ,બાપાએ  મેનેજરને બધી વાત કરી  છોકરાને વાત કરી પંદરેક વરસની ઉમરનો છોકરો હતો .છોકરો કહે તમતમારે મને વેચી દ્યો હું ગમે તેમ કરીને હું અહી આવી જઈશ . પછી બાપુને છોકરો આપી દેવાનું નક્કી થઇ ગયું .આ વાત ફક્ત બાપા મેનેજર અને છોકરો ફક્ત ત્રણ જ્ણાજ  જાણે પૈસાનું નક્કી થઇ ગયું .બાપુએ શરત મુકીકે  ગાયકવાડ સરકારની હદ પૂરી થાય અને જામનગરની હદમાં અમે પ્રવેશ કરીએ એટલે હું પૈસા આપી દુ અને છોકરો તમે મને આપી દ્યો .જ્યારે ગાયકવાડી હદ પૂરી થવાની હતી ત્યારે નાકા દ્ ડ્યુટી વાળાને છોકરા બાબત વહેમ પડ્યો એટલે  છોકરાને બાપુ સાથે નો જવા દીધો .અને સોદો ફેલ થયો .આ બધી વાતની નાત્લ મંડળીના માલિકને ખબર પડી .એટલે બાપાને અને મેનેજરને  નાટક મંડળીમાંથી કાઢી મુક્યા .બાપાને એક પૂજાપો અને કાજુ બદામ વગેરે વેચનાર દુકાનદારે નોકરીએ રાખી લીધા .અમુક ટાઈમે દેશીંગાથી મારા માને બોલાવી લીધા .આ વાતને વર્ષો વીત્યા .માએ એક દીકરીનો જન્મ આપ્યો .થોડા મહિના પછી દીકરી મૃત્યુ પામી ,પછી દીરાનો જન્મ થયો એનું નામ ગીરધરલાલ  રાખ્યું .ગીરધરલાલ ચાર વરસની વામઉમરનો થયા પછી એ પણ ગુજરી ગયો .અવાર નવાર દેશીંગા મારા માબાપ આવતા દ્વાર ખરો . પછી કાથી  મ છવા  માં બેસે   અને  પોરબંદર  ઉતરે રસ્તામાં મછવા માં પાણી પીવા માટે પાણીનો હાંડો લઇ આવે  એક વખત ગાગર લઇ આવેલા એવી રીતે દેશીંગા બેડું આવી ગયું . જે બેડું હાલ મારી દીકરીના ઘરે છે . એક દિવસ મારા બાપાના મોટાભાઈ પ્રાણશંકર  બાપા પ્લેગના રોગથી મૃત્યુ પામ્યા . આવખતે મારા માબાપ દેશીંગા  આવ્યાં .પણ મારી દાદીમાએ પાછા દ્વારકા જવા નો દીધાં  દેશીન્ગા દરબાર મુજફ્ફર ખાં એ પોલીસ પટેલ તરીકે નોકરીમાં માસિક પગાર રૂપિયા બારથી રાખી લીધા .25 વરસ નોકરી કરી તોય પગાર બાર રૂપિયા રહ્યો પછી 16 રૂપિયા પગાર થએલો ખરો પછી નોકરી અમે બન્ને ભાઈઓએ નોકરી છોડાવી કેમકે અમે બંને નોકરી કરતા હતા .અને ડીસેમ્બરની 6 તારી અને 1960 ના રોજ બાપા સ્વર્ગે જતા રહ્યા।  હેપી ફાધર ડે

લાલી લેખે

સોરઠ જીલ્લો ગીરનારની છાયા વાળો પ્રદેશ બહુ  રળિયા મણો.પ્રદેશ લીલુડી નાઘેર ,બરડો .ગીરનાર , ગીર કે જ્યાં સાવઝ  વસે છે .જે ભૂમિમાં  જલારામ બાપા .ભગત કવિ નરસીમેતો,મહાત્મા .ગાંધી,જન્મ્યા .આવા પ્રદેશના માણસો ,બહુ ઉદાર દિલના અને ભોળા નિખાલસ. સાધુ  ,ફકીર, સંત , બ્રાહ્મણ.વગેરે લોકોનું સન્માન કરવાવાળા હોય છે .આવી ઉદારતા અને ભોળપણ નો લાભ લઇ  વેશ પલટો કરીને  ,ઠગારા પણ આવતા હોય છે .

એક સમયે  વરસાદ બહુ સારો થયો .ખેડૂતો અને પશુપાલકો (માલધારી )બહુ ખુશ છે. આવા સમયે એક ઠગ  બ્રાહ્મણ નો  વેશ લઇ ગામડાઓમાં  ઘર ઘર ભટકવા લાગ્યો .અને એક એવે ઘરે ગયો કે જે ઘરવાળાની એકની એક  લાડકી દીકરી” લાલી” મૃત્યુ પામેલી.ઘરની માલિક બાઈ .ઠગ નાં ટીલાં ટપકાં વાળો વેશ જોઈ .

ઠગને બ્રાહ્મણ સમજી તેને  નમસ્કાર કર્યા,અને પૂછ્યું  ગોરબાપા  ક્યે ગામ રહો છો?ઠગ લોકો , દારૂના અને જુગારના અડ્ડાવાળા ,વૈશ્યાઓ.game tevo chhupo વેશ પહેરીને જાય તો પણ  તે લોકો પોલીસને  એંસી ટકા  ઓળખી લેતા હોય છે. એવી રીતે  ઠગ લોકો સામા માણસની વાતો ,હાવભાવ ઉપરથી  એ  કેવો મૂરખ છે ,એ જાણી લેતા હોય છે .   ઠગે જવાબ આપ્યો કે હું અમરાપુર થી આવું છું .(અમરાપુર=સ્વર્ગ )

સાંભળીને બાઈ એકદમ ગળગળી થઇ ગઈ અને બોલી .મહારાજ મારી લાલી થોડા દિવસથી  સરગમાં ગઈ છે ઇના કંઈ વાવડ ?  ઠગે જવાબ આપ્યો .aamto લાલી મજામાં  છે પણ આ સાતમ આઠમના તહેવારોમાં એને  ઘરેણાં  લૂગડાં  નવા નથી . બાઈ બોલી સાચી વાત  ઇના સારું અમે નવાં લૂગડાં ,ઘરેણાં ,લીધેલાં પણ ઈ પેરે ઇના મોર તો મારી લાલી સરગે જાતી રઈ  .જો તમે મારા ઉપર દયા કરીને  મારી લાલી સારુ લૂગડાં ઘરેણાં લઇ જાવ તો તમારી ભલાઈ .

ઠગ બોલ્યો .મારે હજી ઘણા ગામોમાં  જવું છે. ઘણાનાં    કલ્યાણ કરવા છે . એટલે હું આ સપેતરું ન લઇ જઈ શકું .  બાઈ બોલી મહારાજ હું તમને  સો રૂપિયા આપીશ .પણ તમે આ સપેતરું મારી લાલીને પુગાડો.   ઠગે હા પાડી અને બાઈએ નવી નકોર પછેડીમાં લૂગડાં ,ઘરેણાં . બાંધી આપ્યા .ઉપરથી  એક લાકડી  પોટકીમાં   ખોસવા માટે આપી .

ઠગતો  પોટકી ખંભે લઈને ઓલો રાજકપૂર  (आवारा हु ) એ ગીત ગાતો ગાતો જાય છે એમ ઠગ ઉતાવળે પગે હાલવા માંડ્યો . અને કોઈ પાછળ  આવતું નથીને ?એમ જોતો જોતો હાલ્યો જાય . થોડી વારે  સાંઢડી સવાર ઘર ધણી આવ્યો .ઘરવાળી એ  હરખાઈને એના ધણી ને સમાચાર  આપ્યા કે  આપણી લાલીના સમાચાર આવ્યા હતા .એક મારાજ સરગમાંથી   આવ્યો હતો . મેં એને લાલી સારું ઘરેણા અને લૂગડાં મોકલાવ્યા છે .

વધારે કંઈ પણ    સાંભર્યા    વિના  પૂછ્યું ઈ કંઈ બાજુ ગયો છે? અને  ભૂખ્યા તરસ્યા અને  થાકેલા માલિકે  ઊંટ ઉપર સવાર થઇ ઠગને પકડવા માર માર કરતા ઊંટને દોડાવ્યો .ઠગે જોયું અને એ તુરત  નજીકના ઝાડ ઉપર સપેતરા સાથે ચડી ગયો .ઊંટ વાળા એ  ઝાડ નીચે ઊંટ ઉભો રાખ્યો .અને પોતે ઝાડ ઉપર ચડ્યો .અને ઠગ ઝાડ ઉપરથી ઊંટ ઉપર કુદ્યો . અન ઊંટ ને વેતો કર્યો .

નિરાશ લાલીનો બાપ બોલ્યો .કે આ ઊંટ પણ ઘરેણાં અને લૂગડાં ભેગો “લાલી લેખે “

ભુદેવે માગ્યા રૂપિયા બસ્સો બાપુએ આપ્યારૂપિયા પાંચસો

DSCN0125

એક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા  રૂપિયાની જરૂર હતી  .આ બ્રાહ્મણઠેઠ  ઝાલા વાડ ના કોઈ ગામડેથી આવેલો .બાપુના બંગલા આગળ આવીને ઉભો . નોકરે રાવત બાપુને ખબર આપ્યા કે એક બ્રાહ્મણ  આપને મળવા માગેછે . બાપુએ બાહ્મણ ને પોતાના બંગલામાં અંદર બોલાવ્યો .અને મળવાનું કારણ પૂછ્યું . બ્રાહ્મણે  પોતાની દિકરીના  કન્યાદાન માટે કરિયાવર અને મોટી જાનના જમણ વાર માટે ખર્ચ કરવો પડશે ,એ માટે મારે થોડા પૈસાની જરૂર છે ? બ્રાહ્મણે  કીધું બસ્સો રૂપિયાની જરૂર છે .બાપુએ તુરત પૈસા આપવાની વ્યવસ્થા કરી આપી .અને બ્રાહ્મણ ને પ્રણામ કરી વિદાય આપી .પૈસા લઇ બ્રાહ્મણ  ઘરે આવ્યો .પત્નીને વાત કરી .બ્રાહ્મણ બિલખા  ગયો .એ પછી  બ્રાહ્મણી ને વિચાર આવેલો કે   ખોટા વહેવારમાં તણાય જઈ લગ્નમા આટલો બધો ખર્ચ કરવો એના કરતાં  આર્યસમાજ વિધિથી લગ્ન કરાવીએ તો બહુ ખર્ચો નો થાય ,અને જે પૈસા બચે એમાંથી દિકરીને  કરિયાવર કરીએ અને વધે એ પૈસા આવતે વર્ષે દિકરો  કોલેજમાં જશે એ ખર્ચમાં  વાપરીએ ,માટે તમે બીલખા જઈને  રાવત વાળા બાપુને  વાત કરો ,કેમકે બાપુ પાસે આપણે  દિકરીના લગ્ન ના  ખર્ચ માટે પૈસા માગેલા અને આપણે આપણી  મરજીથી બીજા કામ માટે પૈસા  વાપરીએ એ અન્યાય કહેવાય ,બ્રાહ્મણ  બીલખા આવ્યો અને બાપુને બધી બીનાની વાત કરી , બાપુએ કીધું કે  દિકરાની  કોલેજ માટે વધુ ખર્ચ થશે .માટે આ બીજા પાંચસો રૂપિયા વધુ લઇ જાઓ એમ કહી બાપુએ બીજા પાંચસો રૂપિયા આપ્યા . શ્રીમન્નથુ રામ નો આશ્રમ ખરેખર  બીલખા રાજ્યની હદમાં નોતો પણ અમરુવાળા દરબારના ગામ નવા ગામની હદમાં હતો .એક દિવસ    અમરુ વાળા એ આશ્રમના સત્તાવાળાઓને હુકમ કર્યોકે તમારા આશ્રમની નામની આરસની તકતીમાંથી બીલખા નામ કાઢી નાખી નવાગામ નામ લખો . એટલે તકતીમાંથી  બીલખા નામ કાઢી નાખી .નવાગામ ની તકતી  ગોઠવી , પછી ભારત સ્વતંત્ર થયો ,રજવાડાં  ભૂંસી ગયાં ,એટલે  કાઢી નાખેલી બીલખા ગામની તકતી ફરીથી  જોઈન્ટ કરી દીધી હાલ જો કઈ બીજો ફેરફાર ન  થયો  હોયતો એ ચોટાડેલી તકતી જોવા મળશે .

એક વખત એક મસ્તાન નાગોબાવો  બીલખા આવ્યો . અને એ ક વડલાના ઝાડ નીચે   મૃગચર્મ વિછાવી જમાવટ કરી  આ બાવો જયારે ગામમાં જાય ત્યારે લંગોટી પહેરે બાકી દિગંબર રહે .બાવો એક હથિયાર તરીકે કુહાડી રાખતો  કોઈ  પ્રશ્ન કરે કે બાપુ તુમતો ત્યાગી હો  ત્તુંમ્કો ફારસી રાખનેકી ક્યાજરૂરત હૈ  બાવો જવાબ આપ્ તો  કે  મહાદેવ ભી ત્રિશુલ રખતે થે . બાવા એ જે ઝાડ નીચે આસન જમાવેલું એ ઝાડ ઉપર મોટો મધપુડો હતો .આ મધપુડા માંથી મધ લેવા એક પારાધી આવ્યો ,અને સીધો ઝાડ ઉપર ચડવા માન્ડ્યો બાવાએ તેને ઝાડ ઉપર મધ લેવા જતા અટકાવ્યો પણ પરાધી માન્યો નહિ ,અને બાવાને બિભત્સ ગાળો આપી .અને ઝાડ ઉપર ચડવા માંડ્યો  બાવે એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના પારધીની કમરમાં  કુવાડી ઝીંકી દિધી  પરાધી નીચે પડ્યો .બાવે” પડ્યા ઉપર પાટુ ” એ ન્યાએ  વધારે કુહાડીઓના  વધારે  ઘા ઝીંકી પારધીને મારી નાખ્યો . એ જમાનામાં  બિલખા જેવાં  નાના રજવાડાં ઓને હાઈ કોર્ટ સુધી કેસ ચલાવવાની  સત્તા હતી .બાવાને પકડીને પોલીસ  લઈ  ગઈ , જયારે પોલીસ પકડીને  બાવાને લઇ જતી હતી .ત્યારે બાવો બોલ્યો  પૂજા કરનેકે લિએ  મેરે શીવ લિંગ ભી  સાથ લે ચલો . બાવાએતો  જેલને શિવાલયમાં ફેરવી નાખી ,શંખ નાદ  ઘંટારવ શરુ કરી દીધો . કોર્ટમાં કેસ ચાલ્યો  બાવે ગુન્હો કબુલ કરી લીધો . પણ ડોકટરે અસ્થિર મગજનો છે એવું સરટિ ફિકેટ આપ્યું . જજે ન્યાય કર્યોકે  બાવો અસ્થિર મગજનો હોવાથી એના બોલવા ઉપર ભરોસો  નો રખાય એમ કહી બાવાને છોડી મુક્યો , બાવો  કુહાડી, ખપ્પર,મૃગચર્મ લઈને રવાના થયો .અને પોતાની મૂળ જગ્યાએ આવી ગયો .આપના કનક રાવળ નાં દાદા મહાશંકર બાપા નથુરામ શર્માના શિષ્ય હતા હું મહાશંકર બાપાને સારી રીતે ઓળખાતો ,અને એમના ચિત્રકાર પુત્ર કલાગુરુ રવિ શંકર રાવળ પણ ઓળખું અને આ કરા ને પણ ઓળખું .

એક વખત લુંન્ત્ફાતનો ભય હતો ત્યારે આશ્રમમાં ચોકી કરવાની જરૂર ઉભી થઇ . આશ્રમ માં વજશી ભગત કડછા મેર અને ગીગોભગત  ચુંવાળિયા  કોળી  એમ બે ચોકીદારો હતા અને ત્રણ બંદુકો હતી , પણ બેમાંથી એકેય ચોકીદારને એકેય બંદુક વાપરતા આવડે નહિ  . દેશીંગા દરબાર પાસે આ વી બંદુક હતી . દરબાર  નવરંગ ખાં નો દીકરો  અબ્દુલ હમીદખા ઉર્ફે દાદાબાપુ મારો  ખાસ  મિત્ર એટલેહું સીમમાં જઈને  દાદાબાપુ  સાથે ભડાકા કરતો એટલે  મને બંદુક વાપરતાં આવડે , એટલે મેં આશ્રમમાં ચોકી દારી કરી .મારી સાથે મારો મિત્ર ચાપરડા ગામનો પ્રાણ શંકર રહેતો , અમને ચોકીદારીના બદલામાં  પીવા માટે વધારે દૂધ અને વહેલી સવારે પ્રાર્થના કરવાની માફી મળતી  એક વખત  રાવત વાળા બાપુનો બાપુના જન્મ દિવસના  છડી પોકારનાર માંદો પડ્યો એટલે મેં બાપુની છડી પણ છડીદારના  યુનિફોર્મ માં  પ કારી  સોનેકી છડી રુપેકી મસાલ  રાવત વાળા બાપુને ઘણી ખમ્મા … ખાસ   છડી દાર ને તો ઘણા શબ્દો બોલવા પડતા ,પણ મને આટલાજ શબ્દો  શીખવેલા .

દારને તો