Category Archives: કવિતા

છંદ

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

       હું એક છંદ લખું છું  . ક્યા કવિએ બનાવ્યો છે તેની ખબર નથી . એ કેટલે અંશે સાચું હોઈ શકે એ  આપ નક્કી કરજો

       શિવાલય  માં શિવનો દીકરો ગણપતિ હોય એનું વાહન  ઉંદર  જગદંબા પાર્વતી માનું વાહન વાઘ  એ પણ શિવાલયમાં વિરાજમાન હોય  શિવનું આસન વાઘની ચામડું ઓતારડી  ને  બનાવ્યું હોય  શિવનું વાહન આખલો હોય, બધા  શિવાલયમાં હોય  શિવના  ગળામાં નાગ હોય  એનો ખોરાક ઉંદર  , અંબામાના વાહનનો ખોરાક  આખલો, શિવના મસ્તક ઉપર  ચંદ્ર  જે અમૃતથી ભરેલો હોય   . અને આપ જાણો છોકે  અમૃતનું કામ મ્રેલની જીવિત કરવાની છે   . બધા મંદિરમાં હોય પણ  શિવની ધાક એવી કે  કોઈ ઊંચું માથું નો કરે   એક વાત એવી છેકે  કેટલીક  સ્ત્રીઓને  એવું મનમાં હોય છે કે  પોતાનામાં પોતાના પતિ કરતા કંઈક  વિશેષતા છે  .  હું જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ગામ નુંનારાળા એક સ્નેહીનો મહેમાન બન્યો   . શિયાળાના દિવસો હતા  ગૃહિણીએ મને  અડદિયા  લાડુ અને  ગાંઠિયા  નાસ્તામાં આપ્યા  મેં એવું અનુમાન કર્યું કે  લાડુ ઘરધણી ચંદુએ બનાવ્યા હશે  . આ બાજુ વધારે પડતું રાંધવાનું હોય એ પુરુષો બનાવતા હોય છે  .  પણ બૃહસ્પતિ દાદાના  કહેવા પ્રમાણે  અનુમાનો ઘણી વખત  ખોટાં પડતાં એ પ્રમાણે મારું આ અનુમાન ખોટું હતું   લાડુ ચંદુની વાઈફે બનાવ્યા હતા   . મેં ચંદુની  પ્રશંશા કરી કે  ( ચંદુ મારો  દુરનો ભત્રીજો થાય  ) ચંદુ  તે લાડુ બહુ સરસ બનાવ્યા છે  .  ચંદુ મનમાં મલક મલક હસવા માંડ્યો પણ એવું નો બોલ્યો કે  કાકા લાદી મેં નથી બનાવ્યા  પણ મારી ઘર વાળીએ બનાવ્યા છે ,  મારું બોલવાનું સાંભળી  ચંદુના પત્ની  તુર્ત મારી પાસે આવ્યાં . અને  થોડા ભારે અવાજથી બોલ્યાં  કાકા લાડુ મેં બનાવ્યા છે મેં  એને ચોખા બાફતા પણ ક્યા આવડે છે?

 હવે કોઈ અજ્ઞાત કવિ  નો છંદ વાંચો  .

भस्म लगावत  शंकरको  अहि लोचन बिच पड़ी जरीके
अहिकि फुफकार  शशिको लगी तब अमृत बिंदु पड्यू  धरपे
ताहिको छाही वाघम्बर  जागत हा हां  कार  मच्यो  शिव मन्दिरमे
 देखि सुरभि सूत भाग्य चल्यो तब गौरी  हंसी  मुख्य युँ करके

sp

માં પાર્વતી  શિવજી ન જુવે એમ જરાક ત્રાંસુ  મોઢું કરીને હસી  ગ્યાં   કેમકે  પોતાના વાહનથી  પોતાના પતિનું વાહન આખલો  ભયભીત થઈને  ઊંચું પુંછડું  કરી  હળી  કાઢીને ભાગી ગયો   .  પદ્મશ્રી  દુલા ભાયા કાગનો એક દુહો છે કે

હરિયલ ઘેર ન હોય અને ફળીયામાં કુંજર ફરે
 ઈને વયની વાટુ ન હોય કેહર બચ્ચાને  કાગડા  ‘ 

સિંહનું બચ્ચું  એવો વિચાર ન કરે કે હું જીણકુ  છું  ઈતો સિંહને પાડી દ્યે   આવી વાતું  કવિયોની એક પાડાને મારવો હોય તોપણ  ચાર પાંચ સિંહ ભેગા થાય ત્યારે માંડ  પાડો મરે
એક નાજા નામના  કાઠીને ઘર પાસે   રેડ પડી  બંદુકોના અવાજ થવા માંડ્યા   . એ વાતને બિરદાવતો દુહો છે કે
આઠ મહિનાની આસ મેં ગાજેને  શાદુલો મરે
નો  સાંખે  નિજ વાસ નાલ્યુંના ધુબાકા નાજીયો  .
એક કહેવત એવી છે કે એક  શાર્દુલ  જાતિનો સિંહ  મેઘ ગર્જના સહન નથી કરી શકતો એને મનમાં થાય કે આ વળી  મારાથી બળીયો  કોણ જાગ્યો  એવું વિચારી પત્થર  ઉપર માંથા પછાડી પછાડીને  મરી જાય છે   .

सिंहके  झुंड नहीं हंसनकि नहीं  पांत
हिरेकि नहीं बोरियां  संत न चले जमात

         અરે સિંહોના ટોળે ટોળાં  હોય છે  . આફ્રિકા જઈને જુવો તો ખબર પડે  અને હીરાની બોરીયા નહી પણ સાઉથ આફ્રિકાથી  ટ્રકના ટ્રક  ભરાય ને આવતા હોત છે  . એવી રીતે હંસ  ની લાઈનો ને લાઈનો હોય છે .  આ બધી કવિની વાતું છે  .

जब रूह बदनसे निकले

या परवर दिगार  जब मुझ पर नज़अका  आलम हो.  मेरा  रूह  जिसमसे
रिहा  होनेकी तैयारी कर रहा  हो. तब इतना करम करना!  क्या करना  ?
 इतना  तो करना  यारब  जब रूह बदनसे  निकले
आला ख़याल हो  दिलमे  जब रूह  बदनसे   निकले   १
आसोंका महीना हो  बरखाकी कमी ना हो
गैरोंकी  ज़मी ना हो जब रूह बदनसे निकले   २
भादरका किनारा हो  समशान विराना हो
नरसिका तराना  जब रूह बदनसे   निकले    ३
मेरी बीबी पासमे हो  बच्चों  भी  साथमे हो
बिछाना  घासमे हो  जब रूह बदनसे निकले    ४
केशंगका सरपे दस्त हो मेरा मन  भजनमे  मस्त हो
सब आस मेरी नस्त हो  जब रूह बदनसे  निकले    ५
“आता ” कि है ये  अर्ज़ी  जो आपका है  क़र्ज़ी
फिर आपकी जो मर्ज़ी  जब रूह बदनसे   निकले   ६ 

સુરતી ભાષાનું લખાણ- ડો. કિશોર મોદી

એ મારે તને કંઈ કેવાનું ની ઓય, એઈ વિહલા હાંભળ મારી વાત .

ગામનો મંગલો ભૂવો જ્યારે ડાકલી વગાડીને ધૂણતો

ઓઈ તિયારે તેના ચાળા નીં પાડતો,

ભેંહનાં હિંગડા ભેંહ ને ભારી એ મારે તુને કંઈ કેવાનું નિં ઓય

દિવાહાના દાડે ઢીંગલી ઢીંગલા નાં લગન વખતે

પેલો કીકુ બામણ ઊંધા મંગળ ફેરા ફરવાનું કેઈ

તિયારે જાન માંડવે આવેને કન્યા અઘવાની (જાજરૂ જવાની ) થાય

એવું બાનું નિં બતાવતો , એ મારે તને કંઈ કેવાનું ની ઓય

———-
ગોકુલ અષ્ટમીની રાતે કૃષ્ણ નો જન્મ સમય વીતી જાય તિયારે

सम्भवामि युगे युगे નો શ્લોક ટાંકીને સીઝીરીયન કરવાની વણમાગી સલાહ નિં આપતો

લોકોને ઉજાગરા થાય તેમાં આપળા બાપનું શું જાય ,

એતો કામળ ભીની થહે તેમ ભારી લાગહે એ મારે તને કંઈ કેવાનું નિં ઓય .

નવરાતના દાડામાં લઠ્ઠો પીવાથી કોઈને માતા આવે કે

કોઈને હાપ કરડે ને ભાથી દાદાની હાજરીથી ઉતરે  તિયારે રખે કંઈ બોલતો ,

ઉકરડામાં હાંઢ મુતરે તો કેટલી અસર થાય , એ મારે તને કંઈ કેવાનું નિં ઓય ,

ગામમાં કોકનાં છૈયા છોકરાંને રતવા થાય ને રામલીલા રમાડવાની બાધા રખાય

તિયારે નકામો વિરોધ નિં કરી બેહતો ,

કુંવર બાઈનું મામેરુંનો ખેલ ભજવાય ને

નરસી મેતો હાથમાં પખાલ લેઈ રાગ મલ્હાર ગાવાની તીયારીમાં ઓય

ને કોઈ બુધિયો ઝાડ પરથી પાણીના દોરીયા હાથે નીચે પડી જાય .

તિયારે વી આઈ પી ની ચેરમાં બેઠો બેઠો અહ્તો નિં

નૈતર પેલા ગલબા ફક્કડને ખોટું લાગહે .

રામલીલા તો આવીજ ઓય છાણ નાં દેવને ચણોથીની આંખજ ઓય ,

વાળની નઈ એ મારે તને કેવાનું નિં ઓય .

વળી ગામમાંતો આવું ચાઈલા જ કરે ,

હ્ર્પંચ બોલે ઈ હવ્વાવીહ ને બે પાંણ

રામજી મંદિરના ઓટલે મુકેલી ધર્માદા પેટીના

પૈહામાંથી હરપનચનો છનીઓ

ડાંગ ધોળી બીડીના ધુમાડા કાઢે

ને હરપંચ ને મન મારો પોઈરો

એટલે યુધીષ્ઠીર અને બીજાના દુર્યોધન

તિયારે તને એમ થાય કે વરની માં છિનાળ તો  જનડીને હું કેવું ?

પણ આપળે તો ગામમાં રેવાનું છે . એ

ટલે બુઈડા તો બે વાંહ વધારે હમજ્યો એ મારે તને કેવાનું નિં ઓય .

—————–

  • હાંભળ = સાંભળ
  • બેહ્તો = બેસતો
  • ઓય = હોય
  • તીયારીમાં = તૈયારીમાં
  • નિં = નહી
  • હાથે = સાથે
  • ભેંહ = ભેંસ
  • અહ્તો = હસતો
  • હિંગડા = શિંગડાં
  • ચાઈલા = ચાલ્યા
  • કેય = કહે
  • હ્ર્પંચ = સરપંચ
  • હ્વ્વાવીહ = સવાવીસ
  • બાનું = બહાનું
  • પૈહા = પૈસા
  • આપળા= આપણાં
  • કાળે = કાઢે
  • હું = શું
  • પોયરો = છોકરો
  • થહે = થશે
  • બુઈડા = ડૂબ્યા
  • લાગહે = લાગશે
  • વાંહ = વાંસ
  • હાપ = સાપ
  • હમજ્યો = સમજ્યો
  • હાંઢ = સાંઢ

ભાદરવાનો ભીંડો

     

      મોટી વ્યક્તિ  નમ્ર અને  વિવેકી હોય તો જ  એની મહાનતા દીપે. મગરૂર ભીંડાનો  છોડ  પોતાને  ગરમીથી  રક્ષણ  આપતા  વિશાળ  વડને  તોછડાઈથી કહે છે કે   વડ તું  આઘો ખસી જા  કેમકે હું  તારી નીચે સમાઈ નહી શકું   .હાલ ભાદરવો  મહિનો  ચાલે છે  અને  મારા શાક ભાજીના  ગાર્ડન  નાં ભીંડાના  છોડનો  ફોટો  આપ  જુવો  છો ,  અને વડ ભીંડાની  તોછડાઈ  ઉપર  લક્ષ  નહી આપતાં  કેવો નમૃતા પૂર્વક  જવાબ    આપે છે  છે તેનું વર્ણન  કવિ  કેવું કરે છે એ આપ વાંચો .

भिड़ा  भादो  मासका  वडकु  कहे ज़रूर
मोतन आईटी आवे नही  जगा  करो तुम दूर

जगा करो तुम दूर वड़े तब अर्जी किनी
वर्षा ऋतु  एक मास आस  भिंडेकु दिनी

कठे सु कविया कान  मुद्द्त  नही रही एक उंडा
आया आसो मास भूखे  सुखाया  भिंडा  ।

અને બોનસમાં આ મહા કેળા લૂમ !

રહિમન ખાન ખાના

વિકિપિડિયા પર રહીમ વિશે જાણવા અહીં ક્લિક કરો

  આપે રહીમના  દોહા  વાંચ્યા હશે   . આજે હું  રહીમ વિષે થોડી વાત પણ લખીશ  , અને  પ્રસંગોપાત  દોહરા પણ લખીશ  અને આપને વાંચવા આપીશ  .

धन्य रहीम जल कूपको लघु जिय पियत अघाय
उदधि बड़ाई कौन है जगत   पियासो   जाय

         રહીમ અકબરના વજીર  બહેરામ્ખા નો દીકરો હતો   . એ સંસ્કૃત ભાષાનો પણ વિદ્વાન હતો  રહીમ  ઉર્ફે રહિમન  ખાન ખાના  નામથી પણ ઓળખાતો   , રહિમન ની વધી રહેલી લોક પ્રિયતા  એની પ્રતિષ્ઠાની   કેટલાક   વિઘ્ન સંતોષી  લોકોને ઈર્ષા થતી  . એક વખત આવા ઈર્ષાળુ   લોકોની ઈર્ષાએ  માજા મૂકી અને એને કાફર  કહીને વગોવ્યો   . પ્રસિદ્ધ ઉર્દુ શાયર  મિર્ઝા ગાલીબની પણ આવી દશા થએલી એનો એક શેર

ग़ालिब  बुरा न मान  अगर वाइज़ बुरा कहे
ऐसा भी है कोई जिसे सब अच्छा कहे ?

       રહિમન દાનેશ્વરી પણ હતો  . સવારમાં નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી  એ પૈસાની  કોથળી લઇ  પોતાના ઘરના ઓટલા ઉપર આગળ  બેસીને  કોઈ બી માણસ લાંબો  હાથ કરે એને  પોતાનું માથું  નીચું રાખી   અમુક પૈસા આપી દેતો  . લોકો એ  રહિમન  ને  કીધું તું  કે તું  લોકોને એના સામે જોયા વગરજ  કેમ  દાન આપે છે ? ત્યારે  રહીમને ઉત્તર આપ્યો કે

देने वाला कोई और  है  भेजत है  दिन रेन
लोक भरम मुझ पर करे तासो निचे नैन

        ઈર્ષાળુ લોકોના ત્રાસના કારણે કજિયાનું કાળું મોઢું કરી  દિલ્હી છોડી દીધું  અને  તે કાશી  કે જેનું નામ અકબરે બનારસ  રાખ્યું છે  . ત્યાં રહેવા જતો રહ્યો  . અને છુપી રીતે રહેવા લાગ્યો  .અને મધુ કરી   કરીને  પોતાનો નિર્વાહ કરવા લાગ્યો  . મધુકરી  એટલે  એક થેલીમાં  લોકોને ઘરેથી  તૈયાર રાંધેલું જમવાનું લઇ આવે।  કોઈ પ્રકારની આભડ   છટનો ભય  રાખ્યા વગર અને પછી આ  ખાદ્ય પદાર્થ  ભરેલી થેલીને
ગંગામાં ઝબોળી લેવાની કે જેથી કરી  ખોરાક પવિત્ર થઇ જાય

      એક વખત  કોઈ  જરૂરિયાત મંદ ને  પૈસાની જરૂર પડી  અને પૈસા રહીમ પાસેથી મળશે એ આશાએ  તે માણસ દિલ્હી આવ્યો ત્યારે ખબર પડી કે રહીમ  દિલ્હી છોડી જતો રહ્યો છે તે ક્યા ગયો છે એની કોઈને ખબર નથી   , પછી કોઈ રહીમના ઓળખીતા  સજ્જન માણસે  રહીમ કાશીમાં રહે છે  . કાશીમાં એનું કોઈ સ્થાયી  સ્થળ નથી જ્યાં ત્યાં  પડી રહે છે  પછી એ  દયાળુ  માણસે  રહીમના ચહેરાની ઓળખાણ આપી  . એટલે આ લોકો  કાશી આવ્યા અને મહા  મુસીબતે રહીમને  ગોતી કાઢ્યો  .  અને રહીમને મળ્યા  . અને રહીમ પાસે પૈસાની માંગણી કરી  ત્યારે રહીમે દોહરો કીધો

मांगे घटत रहीम पद  करो किता बढ़ी काम
तीन पैर वसुधाकरी तउ  वामन नाम

અને વધુમાં કીધું કે 

यह रहीम घर घर फायर मांगी मधु करी खाय   ,
यारो यारी छोड़ दो वो रहीम अब नाही

એટલે માગવા આવનાર લોકોએ  સામે  દોહરો કીધો કે.

हिमन वो नर मरचुके जो कही मांगन ज्जय
उनसे पहले वो मुवे जिस मुख निकसि नाय
रहिमन दातादरिद्र तर  ताऊ याशिवे योग
ज्यु सरितन सुखी परे कुंवा खानवत लोग

       પછી રહીમને દયા આવી અને માગવા આવેલા લોકોને  પોતાના પ્રશંશક અને ધનાઢ્ય  ઉદાર   માણસ ઉપર ચિઠ્ઠી  લખી આપી અને આ લોકોને જરૂર પ્રમાણે  પૈસા આપવાનું કીધું  .

કૃષ્ણ જન્મ નિમિત્તે એક રાસડો

એક કૃષ્ણ જન્મ નિમિત્તે એક રાસડો આપને વાંચવા આપું છું  .ગીતમાં 4 વસ્તુ બહુ મહત્વની હોય છે  .

  1.  કવિએ અલંકારિક શબ્દો વાપરીને  ગીતની રચના કરી હોય
  2.  કેવી ઢબથી ગાવું
  3. સારા મધુર સુરીલા અવાજ વાળું  ગાનારું  લતા મંગેશકર, આશા ભોસળે  , મહમદરફી   ,  મુકેશ   . જેવું કોઈ ગનારું હોય
  4.  એના માટે તાલબધ્ધ  . વાજિંત્રો હોય  તો રંગ જામતો હોય છે  .

હવે આ પિંગળ શાસ્ત્ર  ભણ્યા વગરના  ગામડિયા કવિનો   રાસડો વાંચો  .

આજ કાના તારો જનમ દિવસ અમે ઉજવીશું  ,
જનમ દિવસ ઉજવીને મોજુ માણશું
આતો જનમ દિવસ ઉજવીને મોજુ માણશું  .   1
ખારેક ટોપરાને ઘીમાં  બાવળીયો ગુંદ ભેળવીશું
કાઠાતે ઘઉંનો  લોટ નાખી લાડુડા  બનાવીશું
આતો કાઠાતે  ઘઉંનો  લોટ નાખી  લાડુડા  બનાવીશું   .2
ઇરે લાડુડા માતા  જ્શોદાજીને કાજે જો
ધાવણીયા   ધવરાવે કાનાને હેતથી
 આતો   ધાવણીયાં  ધવરાવે  કાનાને  3
પાંચ સાત  ભાઈ ભેગા  મળીને રાસ રમીશુંજી
રાસડાની  રમ ઝટે ઢોલડિયાઢબુકશે
આતો રાસડાની  રમઝટે  ઢોલડીયાં  ઢબુકશે   4
“આતાશ્રીએ ”  આ રાસડો   પ્રેમથી   બનાવ્યો જો
ગાય  સુણેને  લખે વાંચે   સમૃધ્ધિ  એની  બમણી થશે
આતો  ગાય  સુણેને  લખે  વાંચે  સમૃધ્ધિ એની  બમણી   થશે   5

મહાવીર પાછા લ્યોને અવતારજી

નીચે લખેલું ભજન “પગ મને ધોવા દ્યો રઘુરાય જી ” એ  રીત થી  ગાઈ શકાશે

મહાવીર પાછા લ્યોને અવતારજી  પાછા લ્યોને અવતાર  સમજાવવા અહિંસા નો સાર  …………1 મહાવીર

નિર્દોષ માનવીને મારી નાખે ઇના દિલમાં દયા ન લગાર જી  ,સાધુ વેશે પૂજાવા માંડે અને કરે બલાત્કાર  ………..2 મહાવીર

બાકર બચ્ચા  પાંદડા  કરડે ને માનું દૂધ પીનારજી   દુર્ગા માતા ઈનો ભોગ નમાગે તોય  માનવી મારે ધરાર  ………..3 મહાવીર

ગાફલ  ગેંડો ઘાસ ચરે ને કરે ન માસા હારજી  શીંગડું ચામડું લેવા કાજે ઈનો કરી નાખ્યો સંહાર। ……………………….4 મહાવીર

ઊંટ રેતીમાં તાપ તપે ને  વેઠે ભૂખ અપારજી પાણી કાજે મારી નાખે  ઈને બેઠેલ માથે સવાર  …………………..5 મહાવીર

ભેંસ પાડાને જનમ આપે ઈ પાડો દૂધ ન પીનારજી   વાસી છાશ પાઈ મારી નાખે ઓલ્યા માલા ફેરવનાર  ……..6 મહાવીર

ગાયુંને ખીલે બાંધ્યા પછી ઇના પગ બાંધે ગોવાલ  જી  વાછરું છોડે  ધાવવા કાજે પણ બોઘરે  દુધની ધાર  ………7  મહાવીર

ઈવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે નર નારજી  કુડા માનવીને  જોયા પછી રોવા માંડ્યા જુગ્દાધાર  ”””””””8 મહાવીર

બે કર જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગારજી અમે અપરાધી પાપી જીવ  તમે પાપીના તારણ હાર  ………….9 મહાવીર

લોકશાહીની સંવેદના- ડો. દિનેશ વૈષ્ણવ

      ગાંધીજીની જન્મજયંતિ હજી હમણાજ ગઈ, ને ઈ સબબ ઝાઝા લોકોએ ઝાઝી જગ્યાઓએ ઝાઝું લખ્યું છે.. “વસ્તી” ની દ્રષ્ટીએ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહીછે ને “નાણા” ની નજરે (બજારમાં ફરતા પૈસા) યુ.એસ. બાકીની બધી લોકશાહી આ બે વચે સમીતછે. ઘણા દેશોમાં લોકશાહી સિવાયના શાશનો પણ છે, ટક્યાછે. શાશનની કઈ રીત સારી ઈ વિષે લખવા હું સમર્થક નથી પણ અમારા જુનાગઢના કાંગરારૂપ, રાષ્ટ્રકવિ, સાસ્વત પુત્ર કવિ દાદની “લોકશાહીની સંવેદના” ચીતરી સકુએમ છું – તો આ છે એની લોકશાહીની અનુકંપા:

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે?

કરી મુખ બંધ એના તપેલાને તપાવો ના
વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી આરી તમારી ક્યાં સુધી રહેશે? 

બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા
ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે?

વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે
વધારે જામ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે?

ગયો છે ઘાટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે?

હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે?

માહી છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
હવે ખોલો તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે?

જરૂર છે રોટલાની નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપ્યા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે?

શહીદોનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરીપણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે?

કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે?

– કવિ દાદ

संतोभाई समय बड़ा हरजाई #2——नंगे पैर

इक पटेल गुजराती सपुतने श्रीजिसे माया लगाई ,श्रीजी आके ह्र्दय बिराजे तब मंदिर कई  बनजाई …….संतोभाई 11

अमरलोकसे आई गंगा करने पाप धुलाई वोही गंगा अब मैली होगई कोंन करेगा सफाई …………………..संतोभाई ..12

अति हिंसक इन्सान पाराधि धीवर और कसाई ,

नबाती यन हो जावे दुनिया सब कोई रहे सुख दाई ……..संतोभाई  13

प्याज़्का था जब बुरा ज़माना लोक मुफत लेजाई ,वोही प्याज़ अब महंगी हो गई गरिबसे खाई न जाई …..संतोभाई .13

नंगे पैर बकरियाँ चराई कालेज डिग्री पाई कोलगेट ने उस्की कला परख कर नई नई शोध करवाई …….संतोभाई .14

पानी भरकर बर्तन सरपर दोड्की हुई हरिफाई जवां लड़कियाँ पीछे रह गई ,भानु पहली आई ………….संतोभाई .15

बेर बबुलकी झाड़ी के बिच सोनेवाला अताई ,वोही अताई अमरिका आया देखो कैसी जमाई …………..संतोभाई 16

गोरधनभाई पोपटने इक दिन सिंहन मार गिराई ,अब गोरधनभाई निर्बल होगए मक्खी  उड़ाई न जाई ..संतोभाई .17

हिलमिलके सब रहो जगतमें इच्छो सबकी भलाई ,इन्सानियत से इश्क़ बढ़े गा सब होंगे भाई भाई ..संतोभाई .18

घरमें बैठ लिखता पढ़ता यार्डमें  करता सफाई ,सुरेशजानीने उस्की कलाको जगमश्हुर कराई …..संतोभाई ..19

संतो भाई समय बड़ा हरजाई #1(राम लछमन )

आपको एक नग्मा पेश करने जा रहा हूँ .उसके पहले संस्कृत अनुष्टुप छंद ,और इक दोहरा पेश करूँगा. नग्मा (भजन )सूरदास का  मशहूर भजन “नाथ कैसे गजको बंध छुडायो ” ईस  ढंगसे गाया जा सकेगा .

छंद —प्लवन्ते पस्तारा नीरे , मानव :घन्नंती  राक्षसं , कपय :कर्म कुर्वन्ति कालस्य कुटिला गति :

दोहरा —-समय समय बलवान है नहीं पुरुष बलवान ,काबे लूँ टी  गोपिका येहि अर्जुन येहि बान

भजन–संतो भाई समय बड़ा हरजाई समयसे कोंन बड़ा मेरे भाई संतो भाई समय बड़ा हरजाई ….1

राम अरु लछमन बन बन भटके संगमे जानकी माई ,कांचन मृगके पीछे दोड़े सीता हरन कराइ …….संतो भाई  2

सुवर्ण मयी लंका रावनकी जाको समंदर खाई ,दस मस्तक बीस भुजा कटाई इजज़त ख़ाक मिलाई ….संतो भाई 3

राजा युधिष्ठिर द्युत क्रीड़ामें हारे अपने भाई, राज्यासन धन सम्पति हारे द्रोपदि वस्त्र हराई …………..संतोभाई  4

योगेश्वरने गोपिगनको भावसे दिनी विदाई , बावजूद अर्जुन था रक्षक बनमे गोपी लूँटाई ……………..संतोभाई  5

जलारामकी परीक्षा करने प्रभु आये वरदायी ,साधूजनकि सेवा करने पत्नी दिनी विरबाई ………….संतोभाई 6

आज़ादिके लिए बापूने अहिंसक लड़त चलाई ऐसे बापुके सिनेपर हिंसाने गोली चलाई …………….संतोभाई 7

देशींगा दरबार नवरंगसे गदा निराश न जाई ,समा पल्टा जब उस नवरंग्का  बस्तीसे भिक मंगाई …संतो भाई 8

सुन्नी सद्दाम हुसेनको समयने गद्दी दिलाई कुर्द शियाको मार दिए जब ,समयने फ़ांसी दिलाई …संतोभाई   9

विक्रमके दादाकी  तनखा माहकी बारा रुपाई ,विक्रम खुदकी एक मिनिटकि बढ़ कर बारा रुपाई …संतोभाई  10