કાનજી બાપા યજમાન વૃત્તિની આવકના ભાગ બટાઇથી કુટુંબ ક્લેશથી કઁટાળી યજમાન વૃત્તિ છોડી અને ગામ છોડી ભાગેલા ,

img012

જ્યારે  કાનજી બાપા  ગામ છોડીને જતા હતા  .  ત્યારે પોતાના   મેર યજમાનોએ  તેઓને ગામ છોડી ન જવા સમજાવેલા   , કીધું કે   તું ગામ છોડીને જાય છે   . ભામણનો દીકરો  ગામ છોડીને જાય એ અમને નથી ગમતું   . તુને  જે ભાગ ભાઈઓ  આપતા હોય એ કોઈ વાંધો વચકો કર્યા વિના લઈલે  અને અમે લોકો  તુને ખેતીની પેદાશમાંથી આપીએ છીએ   એના કરતાં બીજાના કરતા થોડું  વધારે આપીશું  ,પણ ગામમાંથી  તું   જતો ન રહે   .    કાનજી બાપા વિષે તો આપે “આતાવાણી ” માં  વાંચ્યું હશે  . એટલે એ વિષે હું  વધુ વાત  ન કરતાં  મેર લોકો વિષે  લખવા બેઠો છું  . તો તે વિષે લખીશ  .
જુના વખતમાં પહેરવેશ  . દેખાવ ,  બોલચાલ  ઉપરથી  આ માણસ કઈ જાતિનો છે એ ઓળખાઈ જતું   .એક વખત એક ઘોડેસવાર મેર  બહાર ગામ જઈ રહ્યો હતો  .  ત્યારે  તેને  તરશ લાગી હતી  . કોઈ ગામના પાદરમાં  પનિહારીઓ  કુવા ઉપર પાણી ભરી રહી હતી   .મેરે  એક બાઈ પાસે પીવા માટે પાણી માગ્યું  . બાઈએ  પાણી પીવડાવ્યું   . પાણી પી લીધા પછી  મેર  એ બાઈને   થોડા પૈસા આપવા માંડ્યો   .  ત્યારે બાઈ બોલી  વીરા  ફક્ત મેં તુને પાણી પીવડાવ્યું. એમાં તું મનેપૈસાઆપવા બેઠો?મારાથી  આવા પૈસા ન લેવાય   . મેર બોલ્યો  અમારા  કુટુંબમાં કોઈએ  મફતમાં  કોઈનું  ખાવા  પીવાની દાનત નથી રાખી  .
મેરની ભાષા ખાસ હોય છે  . એ ભાષામાં   તુંકારાત્મક શબ્દો જ વપરાય છે  . માને  , બાપને દાદાને , કે કોઈ ઓફિસરને  , કે સંત મહાત્માને   ,  તુંકારાથીજ બોલાવે   ,   આતો જૂની વાતો છે  . અત્યારે  થોડો ફેર પડી ગયો છે એક ઉર્દુ શેર છે કે    . रंग बदल जाते है  , जज्बात  बदल जाते है
वक्त पे इंसानके ख़यालात बदल जाते है  जज्बात  = आकर्षण  
અમારા બાજુના ગામડાઓમાં  વાણંદ  , કુંભાર , દરજી , મોચી લુહાર  .   સુતાર   . વગેરે ખેડૂતનું કામ કરે એને   બાર મહિને ખેડૂત  ખેતીની જે પેદાશ થઇ હોય  એમાંથી   આપે  .  એક મેર  પોતાની ખેત પેદાશનો  ઢગલો કર્યો હોય   . એની પાસે ખાટલો ઢાળીને બેસે  અને હોકો ગુડગુડાવે   ,  અને જે વસવાયુ   લેવા આવે એને પોતાની જાતે ન આપતાં  એવું કહે કે  તારે જેટલું જોઈતું હોય એટલું  ઢગલામાંથી લઈજા ,  એક વખત એક બ્રાહ્મણ આવ્યો   , એણે  પછેડી પાથરીને  એમાં અનાજ  નાખ્યું અને પછી  પોટલી બાંધીને  ઉપાડવા ગયો પણ વધારે વજન હોવાથી પોટલું ઉપાડી ન શક્યો  . એટલે મેરને કીધું   , આમાંથી થોડુંક  પાછું લઈએ   લે  ,  મેર બોલ્યો   , અમારી સાત પેઢીમાં કોઈએ દીધેલાં  દાન   પાછાં  લીધાં   નથી  . એટલે હું પાછું લઈને  પાપ કરવા માગતો નથી  .  તું એ પોટકી  અહીં રહેવા દે અમે ઘરે આવશું  ત્યારે લેતા આવશું   ,અને તારે ઘરે પહોંચતી  કરી દઈશું  .
મેર લોકોમાં  ઘણી અટકો  ગામ ઉપરથી પડેલી છે  , જેવીકે રાણાવાયા  , કારા વદરા  , ઓડેદરા ,મોઢવાડીયા  ,  મૈયારીયા  ,  તરખાલા  , કડ઼ેઘીયા  . રાતીયા  વગેરે ઉપરાંત ચાવડા ,  ભૂતિયા  ,   વાઢેર જેવી અટકો પણ હોય છે  ,
પોરબંદર ના મહારાણાએ   અરબ ચાંચિયાથી  રક્ષણ  મેળવવા  મારવાડથી  બોલાવી  વસાવ્યા છે  ,  અને નાનજી કાલિદાસ  નામના લુવાણા  વેપારીએ  પોતાના વિશાળ  ખેતરોના ( આફ્રિકામાં  મોટા ખેતરોને સાંભા  કહે છે  , ) આફ્રિકાની આદિ વાસી પ્રજાથી રક્ષણ મેળવવા  મેર જવાનોને આફ્રિકમાં  લઇ ગયેલા અને વખત જતાં  મેર ની વસ્તી  ઈંગ્લેન્ડમાં પણ ઘણી  છે  , વધુ મેરની વસ્તી લીસ્ટર ગામમાં છે ,
પોરબંદર નજીકના ગામ ઓડદરમાં  સોરઠીયા રબારી  ના કુળદેવી માતાનો મઢ  છે  . માતાના દેવસ્થાનને  મંદિર ન કહેતાં   મઢ  કહે છે  .     
રબારી લોકો આખો દિવસ પોતાનાં   ઘેટાં  , બકરાં  ચરાવવા  સીમમાં હોય છે  , એટલે એ તકનો લાભ લઇ  લૂંટારુ  સંધીઓને  માતાનો મઢ  લૂંટવાની ઈચ્છા થઇ   . અને એક સંઘી લોકોનું  ટોળું  લૂંટ કરવા આવ્યું    . આ વાતની જેતા નામના મેરને ખબર પડી   એ કશો વિચાર કર્યા વિના  ખુલ્લી તલવાર સાથે  મઢની  રક્ષા કરવા એકલે પંડે ઉપાડ્યો  .  અને તલવાર ચલાવી  અને કેટલાય લૂંટારૂઓને ભોં  ચાટતા કરી દીધા   .  આ પ્રસંગને  બિરદાવતો દુહો   છે કે
મઢ  મેલી  માતા તેનો જો  તું  જેતા જાત  
તો તો  તારો  સવ (સર્વ ) ખંડ  ચેરો  (ટીકા )  થાત   ,સૂરજ ઉગત  નહિ   .
અત્યારે હાલ  માતાનો કોઈ તહેવાર  હોય  છે   , ત્યારે  જેતા  ના  પાવળિયાનું  પૂજન કરવાનું રબારી  ભૂલતા નથી  .

 જય માતાની

4 responses to “કાનજી બાપા યજમાન વૃત્તિની આવકના ભાગ બટાઇથી કુટુંબ ક્લેશથી કઁટાળી યજમાન વૃત્તિ છોડી અને ગામ છોડી ભાગેલા ,

  1. pragnaju ડિસેમ્બર 12, 2016 પર 8:21 પી એમ(pm)

    : एक अजीब सवाल किया उसने मुझ से

    “मुझ पे मरते हो तो जिंदा क्यूँ हो ? …..

    कई बार गुज़रते है मेरे ख़यालात वहाँ से …..

    : जनाजे को ले जाते वक्त ये ना सोचो के तुम उसे उसकी मंजिल तक पोहचा रहे हो,

    “वक़्त बदलता है हालात बदल जाते हैं,
    ये सब देख कर जज़्बात बदल जाते हैं
    ये कुछ नही बस वक़्त का तक़ाज़ा है …… [

  2. ગોદડિયો ચોરો… ડિસેમ્બર 13, 2016 પર 4:20 એ એમ (am)

    આતાની વાત જૂના જમાના લાેકરક્ષક અને
    સામાજિક જીવનને સ્પર્શતી હા્ેય છે
    જય હાે આતાની

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: