हमऐसी कुल किताबे क़ाबिलेजप्ती समझतें है जिसको पढ़के लड़के बापकोखब्तीसमझतेहै

શીર્ષકના  વાક્યનો અર્થ એવો થાય છે કે  જે પુસ્તકો વાંચવાથી   છોકરાઓ  (દિકરાઓ) બાપને ગાંડો સમજવા માંડે  ,  એવાં  બધાં પુસ્તકોને હું  જપ્ત કરવા માગું છું   .એક ગરીબ ખેડૂતનો  દીકરો  બાપની  ઘણી મહેનત  અને પેટે પાટા બાંધીને પોતે ફાટેલા  કપડાં પહેરીને  દિકરાને સુઈટ બૂટમાં  કોલેજમાં મોકલ્યો  .   કોલેજ તરફથી પિકનિકમાં જવાનું હોય  તો   વેપારી પાસેથી  આકરા વ્યાજે પૈસા લઇ   , પિકનિકમાં મોકલે   .  પણ એક દિવસ   પુત્રને  પિકનિકમાં જવાનું હતું   . બાપને કીધું  મારે કાલે સવારે પિકનિકમાં જવાનું છે  . માટે મને દસ રૂપિયા આપો  .  બાપ કહે ગગા  પિકનિકમાં જવાનું માંડી વાળ  કેમકે  હું અત્યારે તુને પૈસા આપી શકું એમ  નથી   . જો તું બે દિવસ વહેલો બોલ્યો હોત તો   હું શેઠ  પાસેથી  વ્યાજે  પૈસા લાવી આપત અત્યારે  રાતનાં હું પૈસા   હું લેવા જાઉં તો  શેઠને મારે ખુબ વ્યાજ આપવું પડે  . બાપની  કાકલુદી  વાત   સાંભળી  સુપુત્ર એકદમ ઉશ્કેરાય ગયો  . અને બોલ્યો તમે ગમે એમ કરો મારે  સવાર સુધીમાં પૈસા જોઈએ જોઈએ અને જોઈએ  જો મને પૈસા  નહીં આપોતો હું આપઘાત  કરીશ  બાપો  બાપડો ગભરાઈ ગયો  . અને તુરત  વ્યાજવટાનો ધંધો કરતા  વેપારીના ઘરનું બારણું  ખોલાવ્યું  .  શેઠે બારીમાંથી જોઈ લીધું કે કોણ છે  .  ખાતરી કર્યા પછી  શેઠે બારણું  ખોલ્યું  .  અને મનમાં બોલ્યો   . આ બકરો  ખરો આવ્યો  છે  .  ધરતી માતાનો છોરુ ખેડૂત  ભગવાનનો ડર રાખનારા  હોય છે  . એને ઘરમાં  ભગવાનની મૂર્તિને  દીવો કરવાનો પણ સમય નથી હોતો  . જ્યારે વેપારી   ભગવાનની પૂજા કરે આરતી ઉતારે  અને   ઘરાકોને આરતી  દેખાડે શ્રધ્ધ્ધાળુ  આરતી ઉપર બે હાથ મૂકી   . પોતાની આંખો ઉપર હાથ  મૂકી આરતીની થાળીમાં રૂપિયો નાખે  .
આમ ભગવાનના નામે વેપારી થોડા પૈસા કમાઈ લ્યે  .
ખેડૂતને જોઈ બહુ  ઠાવકી ભાષામાં બોલ્યો  . અરે જેહા ભાઈ આજતો કાળી રાતે આ ગરીબની  ઝૂંપડી  પાવન કરવા આવ્યા ? બોલો  તમારા માટે  હું શું સેવા કરું  ? ખેડૂત કહે એક દસ રૂપિયાની જરૂર છે  . શેઠ બોલ્યા  અરે દસ શું  વિસ જોઈએ તો વિસ લઇજાઓ  આ ઘર તમારુંજ   .  પછી હળવેક રહીને વાત મૂકે  કે અમારા યુનિયને એવો ઠરાવ  કર્યો છે કે   એક રૂપિયાનું ફક્ત  બે કાવડિયાં  વ્યાજ લેવું પણ ઇમર્જન્સીમાં  રાતના પૈસા પાપવા પડે તો  ત્રણ કાવડિયાં  વ્યાજ લેવું પણ હું તમારા પાસેથી   બેજ કાવડિયાં  વ્યાજ લઈશ પણ આ વાત કોઈને કહેતા નહીં    . એમ કહીને દસ રૂપિયા આપે  .
દિકરો  ભણીને કમ્પ્યુટર  નો  સ્પેશિયાલિસ્ટ  બન્યો   . અને અમેરિકા પહોંચ્યો   .
પરાક્રમી દિકરાના  કારણે  જેહાભાઈને ઘરે દિકરીયુંના   માબાપ  પોતાની દિકરી  અમેરિકા પહોંચે  એ હેતુ થી અને કાળે  કરાદે  પોતે પણ અમેરિકા પહોંચે   . અને  આ ભેગું કરેલું કાળું નાણું  ધોળા  ડોલરમાં ફેરવાઈ જાય   . અને અમેરિકા પહોંચી જાય   .  એક મુંબઈના ધનાઢ્યે  પોતાની દિકરી  અમેરિકા પહોંચે   એ હેતુથી  લાંચ રુશ્વત પણ આપવાની તૈયારી કરી  . દીકરાનુંનામ આલો હતું   . આલા એ મૂળ અરબી શબ્દ છે  .  જેના ઘણા અર્થ થાય છે જેમનો એક અર્થ શ્રેષ્ઠ   , ઉત્તમ  થાય    . જે  ઉર્દુમાઁ આમ લખાય છે  .  اءلا  છોકરાને એવી  ગણતરી  હતી કે હું એવી છોકરીને પરણું  કે જેને  ભણવા સિવાયનું  ઈતર જ્ઞાન ઘણું હોય  ઘણી મુસાફરી કરી હોય અને તેનો અનુભવ હોય   , દરેક જાતની ગુજરાતી રસોઈ આવડતી હોય   , ફિલ્મી ગીતો કરતાં  લોક ગીતોમાં વધુ રસ હોય   .  આ છોકરાની ટેવો  વિષે એનો સગો મામો જાણે  એક ધનાઢ્ય  મોટા બિજનીસ માણસે  છોકરાના મામાને હાથ ઉપર લીધો  . અને તેને  વાત કરીકે  જો તું તારા ભાણેજ  સાથે મારી દીકરીનું ગોઠવી દે તો  તુને હું બે લાખ  આપીશ   . ઓલું  સંસ્કુત વાક્ય છે કે  अर्थी दोषो  न  पश्यति   . એનો અર્થ એવો થાય છે કે  પૈસા મેળવવાનો  લાલચુ  માણસ  કોઈ  ખરાબી જોતો નથી   . એ  લાલચુ માણસે પોતાના બેન બનેવીને વાત કરીકે   એક મુંબઇનો ખુબ પૈસા પાત્ર માણસ  પોતાની દિકરીનું  સગપણ તમારા દિકરા  સાથે કરવા માગે છે   .  અને દિકરી  તમારા દિકરાને  અનુકૂળ છે   . દુનિયાના ઘણા દેશોમાં મુસાફરી કરેલી છે  . અને રસોઈ કળામાં  પણ પાવરધી છે   . લોક ગીતો લોક વાર્તામાં પણ ખુબ રસ ધરાવે છે   . આપણે એના મહેમાન બનીયે  તો એના હાવ ભાવ વિષે ખબર પડે  ,
 મામાએ  દિકરીના  માબાપને  કહેણ  મોકલ્યું કે અમે તમને મળવા આવવાના છીએ   માટે  સાવધ રહેજો   .  જયારે આલોકો ભવિષ્યના વેવાઈને મળવા જવાના હતા  .  ત્યારે  શેઠે કન્દોઇ તેડાવીને અનેક જાતની મીઠાઈ તૈયાર રખાવેલી   . અને  દિકરીને  તૈયાર દૂધપાકમાં   તાવેથો હલાવવા બેસાડી દીધી  .  અને વેવાઈએ  વાત કરીકે આ બધી રસોઈ અમારી દિકરીએ  બનાવી છે  . આ વખતે  ફિલ્મી ગીતોની રેકર્ડ   વાગી રહી હતી  .  દિકરીએ  કીધું કે  આવા ગીતો  સાંભળવામાં મને કઁટાળો આવે છે   . કોઈ લોક ગીત મૂકોને ?
પછી લગ્ન થઇ ગયાં  મામાના બે લાખ રૂપિયા પાકી ગયા   , દિકરી  સાસરે અમેરિકા ગઈ  . આલાએ કીધું આજે પહેલો દિવસ છે   . પૂરણપોળી  બનાવ આજતો તારા હાથની  મીઠી રસોઈ જમું  .  છોકરી બોલી  અરે તુને  યાદ રહીજાય એવી મીઠાઈઓ હું  દરરોજ  બનાવી બનાવીને ખવડાવીશ  , હમણાં તો મને  પિઝા  ખાવા દે   . મુસાફરીની વાત નીકળી તો  છોકરી કહે હું એક વખત  કેન્યા ગઈ હતી   .ત્યારે મેં જંગલમાં વાઘનું આખું ટોળું જોયું બાપરે હુંતો  ઘબરાય ગઈ  ,   મેં તો અંબા માને  પ્રાર્થના કરીકે મા  તારા વાહનને  આઘા કર મને બીક લાગે છે  .  અને આખુંય  ટોળું દૂર જતું રહ્યું   .  આલો કહે આફ્રિકામાં  ક્યાંય  વાઘ હોય  .   એવું સાંભળીયુ નથી  . ચાલાક છોકરીએ  પલ્ટી ખાધી કે  અરે  હા  હુંભૂલી ગઈ   . ઓસ્ટ્રેલિયા  ગયેલી ત્યારે જોયેલા   .  આલો મનમાં ઘા ખાઈ ગયો કે આપણે બરાબર  છેતરાઈ ગયા છીએ   . પણ હજી મોડું નથી થયું   . છોકરીને અને તેના માબાપને  પુરા  બોધ પાઠ આપવા જોઈએ  .  એ ફોસલાવીને  છોકરીને લઈને અમદાવાદ આવ્યો અને  શાહપુર દેરાસરના ખાંચામાં કોઈ સગાને ત્યાં ઉતર્યો   , છોકરીના  પાસપોર્ટ   . વગેરે અગત્યની વસ્તુ  આલાએ પોતાની
પાસે હતી  . મોકો જોઈને આલાએ પ્લેન પકડી લીધું અને  અમેરિકા ભેગો થઇ ગયો   . વખત જતા આલાને અમેરિકાની  હવા લાગી   .એને પોતાનું નામ આલા માંથી આલબર્ટ કરી નાખ્યું   . જેમ કેટલાક દિલીપમાંથી ફિલિપ કરી નાખે   . એક વખત આલાએ એના બાપ જેહાને અમેરિકા   તેડાવ્યો  .  જેહને સૂટ બૂટમાં સજ્જ થવાનું કીધું   . જેહો કહે હું દેશ મુકું પણ વેશ ન મુકું  ઈતો આંગડી ચોરણો અને માથે મોટા પાઘડા  સાથે  અમેરિકા આવ્યો  . આલાએ પોતાના  બાપની  ઓળખાણ  દેશી મિત્રોને  પોતાના  બાપના ખેતી કરનાર  સાથી તરીકે આપતો એક વખત  જેહો સાંભળી ગયો  . એટલે તે ણબોલ્યો હું નોકર નથી  . આલાની માનો  ધણી છું  ,
થોડાક આપણા સુરેશ જાનીને  યાદ કરીયે  .   તમે જાણો  છો  ?સુરેશ જાની  મારો દીકરો છે   ઈ  ? પણ ભણવામાં બહુ હુંશિયાર   .   પણ  જોશ  જોતા નાવડે નહિ  એટલે મેં  એની અટક જાની  કરી નાખી   . જાની  એટલે જ્ઞાની  એક વખત એના પૈસાદારના દીકરાઓએ   કીધું કે  તું  અમારી સાથે ફિલ્મ જોવા આવતો હોય તો ? સુરેશ કહે મારો બાપ આવા ખર્ચને ખોટા ખર્ચ કહે છે એટલે  તે મને પૈસા આપે એમ નથી  . મિત્રો  કહે ન શું આપે  .    ભાગીજવાની   ધમકી આપ તો તુરત પૈસા કાઢી  આપે  એક વખત મારા બાપે  પૈસા આપવાની ના પાડી એટલે મેં ભાગી જવાની  ધમકી દીધી   અને ખરેખર હું ભાગીને  મારા મામાને ઘરે  મુંબઈ જતો રહ્યો   .  અને મારા બાપે છાપામાં  એડવેટાઇઝ આપી મારો ફોટો  છાપામાં આપ્યો અને નીચે લખ્યું   . તું જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે આવીજા  તું કહીશ એમ અમે કરીશું   . તારે આવવાના પૈસા અમે આપીશું  .  તારી માએ તું હેમ ખેમ પાછો આવ પછી એ ખાશે ત્યાં  સુધી તે ઉપવાસ કરશે  .   અને સુરેશ હું માન  ભેર પાછો આવ્યો  . હવેતો મારા બાપ એવા સીધા થઇ ગયા છે  . કે  મને જેમ જોઈએ એમ  પૈસા આપે છે  .  સુરેશ કહે લે હું   ટ્રાય   કરું અને સુરેશે મને  ધમકી આપી કે   બાપા મને તમે પૈસા નહીં આપોતો  હું  ઘર છોડીને ભાગી જઈશ  .  અને મારા બાપ બોલ્યા આતો તે બહુ ખુશી સમાચાર આપ્યા   તુને બહુ શાણો  દીકરો કહેવાય  તે તો  અત્યારથીજ તારા ખાધા ખોરાકીના  ખર્ચ માંથી મુક્ત કર્યા  પછી મારા મનમાં થયું કે આમાં દાળ   ગળે  નથી  . એટલે મેં કીધું  મારા વિચારો મેં બદલાવ્યા છે , હું  ભાગી નહીં જાઉં  ,   એટલે મિત્રો મારા બાપ તમારા બાપજેવા ઢીલા પોચા નથી  .  

11 responses to “हमऐसी कुल किताबे क़ाबिलेजप्ती समझतें है जिसको पढ़के लड़के बापकोखब्तीसमझतेहै

  1. સુરેશ ડિસેમ્બર 9, 2016 પર 3:01 પી એમ(pm)

    સુરેશ જાનીને કાં ધજાગરે ચઢાવો? તમારા દીકરા ધોકો લઈને ઈને મારવા ધોડશે !

  2. Vinod R. Patel ડિસેમ્બર 9, 2016 પર 3:53 પી એમ(pm)

    આતાજી તમે એક વાતમાંથી બીજી એમ ઘણી વાતો કહી દીધી અને એમાં ભેગા સુરેશભાઈ ને પણ ઝડપી લીધા ! એક ચારણની જેમ વાતો કહેવાની કળાના આતાજી તમે ઘણા માહિર છો એની ના નહિ !

    • aataawaani ડિસેમ્બર 9, 2016 પર 6:15 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      મારો જન્મ થયો ત્યારે મારા ઘરની સામેની ડેલીમાં દરબારને ત્યાં વાર્તા કરવા આવેલા મેઘાણંદ ખેંગાર ગઢવી બેઠા હતા . અને મારે ઘરે મારા બાપાના કાકાના દિકરા ભાઈ નરભેરામ બાપા મેમાન હતા . મારો જન્મ થયો ત્યારે ચૈત્ર સુદ નોમ રામનવમી હતી . એટલે મારુ નામ હિમતરામ રાખેલું . જોગાનું જોગ એપ્રિલ 15 2016 મારા બર્થ ડે ના દિવસે રામ નોમ પણ હતી .

    • aataawaani ડિસેમ્બર 9, 2016 પર 6:31 પી એમ(pm)

      ગાંધી બાપા વિષે કોઈએ સરસ દુહો કહ્યો છે , ગાંધીજી હરિજન ને તો ઉત્તેજન આપતા હતા . પણ દુરિજનને પણ ઉત્તેજન અપાઈ જતું હતું , કોઠીમ્બુકડવું હોય , ઈ મોસમે મીઠું થાય
      ગાવસુકડું ગળી જાય પણ કડવપ ન મેલે કબા ઉત .

  3. pravinshastri ડિસેમ્બર 9, 2016 પર 8:11 પી એમ(pm)

    આતાને માત્ર એક શબ્દ આપો બે ત્રણ કલાક એક પછી એક વાતોની લિન્ક આપોઆપ જોડાયા કરે. મૂળ વાત કઈ તે તમે પણ ભૂલી જાવ અને આતા પણ ભૂલી જાય. બધા રેફરન્સ પર્ફેક્ટ. હિન્દી, ઉર્દુ સંસ્કૃત ક્વોટ આવ્યા જ કરે. એમાં એનો દીકરો સુરેશ પણ ઘૂસે જ. એમના પૂત્ર દેવ જોષી કહેતા હતા કે ભાઈએ….(એઓ આતાને ભાઈ કહેતા – હું પણ મારા પિતાને ભાઈ કહેતો) એટલા બધાને દત્તક લઈને દીકરા બનાવ્યા છે. અમારે માટે વારસામાં કાંઈ રહેવાનું જ નથી. આભાર કે આતાએ એકલા સુરેશને જ દત્તક લીધો છે. વિનોદજી બચ ગયે.

    • Vinod R. Patel ડિસેમ્બર 9, 2016 પર 9:00 પી એમ(pm)

      પ્રવીણભાઈ, આતાજીને સામ સામે રૂબરૂ બોલતા સાંભળ્યા નથી પણ ફોન ઉપર ઘણી વાર વાતો કરી છે. ત્યારે એમ થાય કે એમની વાતો સાંભળ્યા જ કરીએ ભલે પછી કેટલીક રીપીટ થતી હોય .

    • aataawaani ડિસેમ્બર 10, 2016 પર 6:27 એ એમ (am)

      પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
      મારા મૃત્યુ પછી મારા ઘરમાંથી શું નીકળશે ખબર છે ? તમે કોઈને કહેતા નહીં . ખાસતો સુરેશ જાનીને જરાય ન કહેતા નહિતર એ મારા દિકરા તરીકેના દત્તક પત્રો ફાડી નાખશે ,
      चंद माशूक़क़े फोटू और ठलिएकी माला
      बाद मरनेके मेरे घरसे ये सामां निकला જો આ વાતની સુરેશને ખબર પડી ગઈ તો ઈ મારી સ્મશાન યાત્રામાં પણ નહીં આવે ,

  4. NAREN ડિસેમ્બર 9, 2016 પર 10:26 પી એમ(pm)

    લાજવાબ સાહેબ , ખુબ સુંદર ફોટો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: