जब एक पत्थरको मूर्ति बनाने वालेने (बूत साज़ने ) भगवानकी मूर्तिमे तब्दील करदिया गया .

10492084-Guanyin-statue-Goddess-of-mercy-Hainan-province-China--Stock-Photo
જયારે મૂર્તિ બનાવનારે  પથ્થરને કોતરીને  ભગવાનની મૂર્તિ બનાવી ત્યારે   પથ્થર    અપ્રસન્ન થઈને  મૂર્તિ બનાવનારને  પ્રશ્ન  કરે છે કે   આપણે એમ થશે કે  પથ્થરની મૂર્તિ કોઈદી બોલતી હશે  > હા કવિઓ  પથ્થરને પણ બોલાવી શકે   . અને નવા નવા  પદાર્થો પણ શોધી કાઢે   આ  પારસમણી  કવિ લોકોએજ  શોધી કાઢેલો  પદાર્થ છે  કે  જે ને તમે  લોઢાને  અડાડો કે  લોઢું સોનુ  થઇ  જાય  .  શોધવાના છેકે  જેને પથ્થરને અડાડવાથી  પથ્થર હીરો  થઇ જાય   . હવે આ પદાર્થનું  નામ સુ આપવું એની વિચારણા  બ્લોગર  સભામાં  ચાલે છે  . કોઈ કહે પ્રવીણકાન્ત શાસ્ત્રીનું નામ આપીએ  કોઈ કહે આતાનું  નામ આપીયે   આતા  ક્યાં  ગપ્પામાં ઓછા  ઉતરે એમ છે  ?  .   હવે પથ્થર બોલ્યો એની વાત કરું  એક માણસ  લાંચ આપીને  કામ કરાવવાની ટેવ વાળો હતો   .  ,એ એક  તામિલનાડુમાં  આવેલ વિશાળ  ગણપતિની  મૂર્તિ પાસે ગયો  તામિલનાડુ વાળા ગણપતિને  કોઈ પત્ની નથી   , રિદ્ધિ  સિદ્ધિ બે  પત્નીઓ  તો આપણા ગણપતિને છે  .  લાંચિયા માણસે  ગણપતિ આગળ નોળિયેર  વધેર્યું અને એની નાની શેષામુકી  અને આ શેષ  જીઆના જેવી  દીકરીને સાથે તેડતો ગએલો એને કીધું ગી ગી  આ શેષ લઈલે  અને બાકીનું નાળિયેર  પોતાની થેલીમાં મૂકી દીધું  . અને પછી બે હાથ જોડી  માથું નમાવી ગણપતિ  પાસે માગણી મૂકી કે હે દાદા  જો તમે મને  બી એમ ડબલ્યુ  b m w     કાર  અપાવો તો હું તમને  ઓછી ભેળ સેળ હોય એવા ઘીના લાડુ ખવડાવું   .  આ વખતે મૂર્તિ બોલી  કે  એલા   કન્જુસ  હું  ઉંદરડા ઉપર ફરું છું   .અને તુને  બી એમ ડબલ્યુ  અપાવું ? એમ કહી  સૂંઢથી એની કેડ પકડી ને  દૂર ફેંકી દીધો  . એ મરીતો નો ગયો   .પણ એની કેડના મકોડા  ખસી ગયા  .  હવે આપ મારું હિન્દી – ઉર્દુ શબ્દો વાળું ભજન   વાંચો  .  આ ભજન  કવિ  દુલા ભાયા કાગના ભજન  પગ મને  ધોવા દ્યો રઘુરાયજી  એ ઢબથી  ગાઈ  શકાશે  .
क्यों  बनाया भगवान    बनाके मेरा क्यों किया अपमान
बुतसाज़ क्यों बनाया भगवानजी
पहाडोंकी छोटी पर था जब मन था मसतानजी
पंछी मुझ पर  बैठ करके  गाते मधुर गान  …बुतसाज़
काट कुटके खड़ा किया  मुझे पूजने लगे  इंसानजी
मेवा मिश्रीका भोग लगाके  मांगने  लगे  वरदान   ..बुतसाज़
चंदन पुष्प चढ़ाके  मेरा खूब किया सनमानजी
 हिरा मोतीके

 जेवर दाल मुझे करदिया  बंदीवान  ..बुतसाज़
कायाको  क़ुरबान कर बनाने देता  मकनजी
हरि होनेके बाद मुझको लेने पड़ते दान  .. बुतसाज़
 फिरसे मुझको पत्थर होना नही चाहिए   सन मानजी
“आताश्री  ” समजाओ  उसे मुझे रहने दो पाषाण   …बुतसाज़
 

15 responses to “जब एक पत्थरको मूर्ति बनाने वालेने (बूत साज़ने ) भगवानकी मूर्तिमे तब्दील करदिया गया .

  1. pragnaju ઓગસ્ટ 11, 2016 પર 4:22 એ એમ (am)

    अभीतक मुक्कमल बूत बना नहीं जहाँ में
    क्योकि तराशगिर ने सोचा ,
    ऍ बूत तुझे मैं और निखारता
    गर तुझे खरीदना मेरे औकात में होता
    और, जब औकात बनी तो उसने सोचा
    अब मैं खरीदनेकी औकात में हूँ
    तो तराशनेकी मशक्कत क्यूँ करू ! आत ……!

    नूह अलैहिस्लाम जिस कौम मे मबउस थे उस कौम मे पाँच नेक सालेहीन नेक बुजुर्ग औलिया अल्लाह थे | उनकी मज्लिशों मे बैठकर लोग खुदा को याद करते थे और मसाइल सुनते थे, इससे उनके दीन को तक्वियत पहुचती थी| जब वे ग़ुजर गए तो क़ौम मे परेशानी हुई कि अब न वो मज्लिस रही न वो मसाइल रहे, अब कहा बैठे ? उस वक्त शैतान ने उनके दिलों मे यह फूंक मारी कि इन बुजूर्गों की इबादतगाहों मे उनकी तस्वीर बनाकर अपने पास रखलों | जब उन तस्वीरों को देखोगे तो उनका जमाना याद आ जाएगा और वह क़ैफियत पैदा हो जाएगी| तो उन के पाँचों के मुजस्समें बनाए गए और उन पाँचों का नाम था 1 विद 2 सुवाअ 3 यग़ूस 4 नसर 5 यऊक | उनका कुरआन मे जिक्र है ये पाँच बुत बनाकर रखे गए ! उनका मक्सद सिर्फ तज़्कीर था की उन तस्वीरों के जरीए याद दिहानी हो जाएगी | उनको पूजना मक्सद नही था | शूरू मे जब तक लोगो के दिलों मे मारिफत रही, उन बुजूर्गों के असरात रहे |

    लेकिन जब दुसरी नस्ल आई तो उनके दिलों मे वह मारफत नही रही उनके सामने तो यही बुत थे | चूनांचे कुछ खुदा की तरफ मुतवज्जेह हुए और कुछ बुतों की तरफ मुतवज्जेह हुए | और जब तीसरी नस्ल आई तब तक शैतान अपना काम कर चुका था | उनके दिलों मे इतनी भी मारफत नही रही | उनके सामने बुत ही बुत रह गए | उन्ही को सज़्दा ,उन्ही को नियाज उन्ही की नजर यहा तक की शिर्क शुरू हो गया | फिर तो नजराने वसूल किए जाने लगे मैले उर्स न जाने क्या क्या खुरापात शुरू हो गई

    • aataawaani ઓગસ્ટ 11, 2016 પર 6:26 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞાબેન
      તમે હઝરત નૂહ અને પાંચ ઓલિયાઓ વિષે વિગતવાર લખ્યું મને ઘણું જાણવા મળ્યું . ખરું કહું તો તમારાં જેવાં મારી મગજ શક્તિ જે થોડી ઘણી છે , એ જાળવી રાખશે .

      • pragnaju ઓગસ્ટ 11, 2016 પર 3:34 પી એમ(pm)

        ધન્યવાદ આતાજી બાકી મને તો ભાનવગરની ગણતા અને અક્કલગરો ભેટ આપતા !
        કોમ્પ્યુટર ‘બાયનરી કોડ’ – ઝીરો અને વનના સિધ્ધાંત પર કાર્ય કરે છે. ઝીરો એટલે પાવર ‘ઓફ’ અને વન એટલે પાવર ‘ઓન’. કોમ્પ્યુટર પ્રોસેસર આ ઓન-ઓફ સ્વીચને અનુસરી ગણત્રીઓ કરે છે. આવું જ કાર્ય મગજમાં ‘ન્યુરોન્સ’ મારફતે થાય છે. મગજમાં અને શરીરના ચેતા તંત્રમાં અબજો ‘ન્યુરોન્સ’ની જાળ ફેલાયેલી છે અને તે બાયોઇલેક્ટ્રીકલ પલ્સીસ દ્વારા મગજ અને શરીરના અવયવો વચ્ચે સંદેશાની આપ-લે કરવાનું અને મગજ સંદેશાઓનું પ્રોસેસીંગ કરવાનું કાર્ય કરે છે. જ્યારે મોટું મગજ પ્રોસેસીંગનું કાર્ય કરે, ત્યારે નાનું મગજ તેને પ્રોસેસીંગ માટેનો ‘ડેટા’ પુરુ પાડવાનું કાર્ય કરે છે. એટલે એમ સમજોને કે નાનું મગજ એ કોમ્પ્યુટરની ‘મેમરી સ્ટોરેજ ડીવાઈસ’ છે. હવે જ્યારે કોઈ મેમેરી એક્સપર્ટ ‘યાદ શક્તિ’ વધારવાના નુસ્ખા સમજાવે ત્યારે ખરેખર તો એ મેમરી માટેનું એક ‘સોફ્ટવેર’ સમજાવે છે એવું થયું. એ સોફ્ટવેરના પ્રમાણે પ્રોગ્રામ ‘રન’ થાય એટલે તમારી ‘યાદશક્તિ’ વધી જાય. આવી જ વાત ‘પોઝીટીવ થિન્કીંગ’ ની છે. ‘પોઝીટીવ થીન્કીંગ’થી તમારી ‘મેમરી સ્ટોરેજ ડીવાઈસ’માં ‘પોઝીટીવ’ ડેટા’ નો સંગ્રહ થાય અને મગજમાં થતા પ્રોસેસીંગ વખતે, મગજને પોઝીટીવ ડેટા મળે અને કાર્ય કરવાની યોગ્ય દિશા મળે. મારા મગજના રોગમા પાવર ‘ઓન રહે છે એટલે કાંઇ ટાઇપ કરતા હોય અને ગીતની લીટી ગુંજે-ઉઘાડી આંખે ઝાંખુ દેખાય આ વાત કહી તો ડોકટરે ગાંડપણની દવા લખી આપી હતી ! અમારા એ કહે-‘ તું તો ગાંડાના ડૉ.ને ગાંડા કરે તેમ છે તેથી ગાંડપણની દવા લખી આપી છે અને મેં હજુ દવા લીધી નથી અને તપાસ કરી તો તે જ ગાંડપણ દવા કરે છે! પાગલપણાની વાત પ્રતિભાવમા લખીએ તો પ્રેમાળ કવિ-લેખકો અમને માફ કરે છે.મને અમેરિકી ગણિતજ્ઞ અને હોલિવૂડ ફિલ્મ ‘અ બ્યૂટિફુલ માઇન્ડ’ની વાર્તાના પ્રેરણાસ્રોત એવા જૉન નેસ અને તેમનાં પત્ની એલિસિયા મને પણ ખૂબ ગમે છે…

        • aataawaani ઓગસ્ટ 12, 2016 પર 1:39 એ એમ (am)

          પ્રિય પ્રજ્ઞાબેન
          તમારી પાસેથી યાદ શક્તિ બાબત મગજની રચના બાબત કમ્પ્યુટર બાબત ઘણું જાણવા મળ્યું .મગજ ની વાત ઉપરથી મને તમારાં ભાનુબેન યાદ આવયાં એને ડાયાબિટીસ વધી જવાથી ઇમરજન્સી હોસ્પિટલમાં દાખલ કર્યાં ત્યાં હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે હાર્ટનું નાનું ઓપરેશન કર્યું પછી ફેફસાનો ડોક્ટર કહે એના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે .એ કાઢવું પડશે .હું વિચારે ચડી ગ્યોકે આ એરિઝોનામાં પેટમાં પાણી નથી ભરાતું અને ફેફસામાં પાણી ક્યાંથી ઘુસી ગયું ? ચાલો ઠીક છે . તુંપણ કમાઈ લે પછી . ભાનુબેનના ફેફસાનું પાણી કાઢ્યું .પછી ભાનુબેનને છુટ્ટા કરવાની વિધિ ચાલતી હતી અમને તેડવા મારા મિત્ર મુકુંદ ભાઈ આવેલા હતા . આ વખતે એક ડોક્ટર આવ્યો એ કહે હું મગજનો સ્પેશિયાલિસ્ટ છું .તમારી વાઇફના મગજમાં લોહી પહોંચતું નથી એનું મગજ ખાલી છે . . એની મારે તપાસ કરવી પડશે . મેં કીધું તપાસ્યા વિના તુને કેવી રીતે ખબર પડી ગઈકે એનું મગજ ખાલી છે ? મેં કીધું એતો બહુ માથાભારે બાયડી છે . એણે તો અમારા બધાના મગજ ખાલી કરી નાખ્યા છે . .મુકુંદભાઈ કહે હિંમત ભાઈ મગજની પણ ભેગાભેગી સારવાર કરાવી લ્યો . મેકીધું લોક લજ્જાએ મેં હૃદય અને ફેફસાના બે ખોટાં ઓપરેશન કરાવ્યા . આ તમેતો મારા ખાસ મિત્ર છો એટલે તમારું હું નહીં માનું .
          એક વાત પહેલા કહેવાય ગઈ હશે . પણ ફરીથી થોડી રમૂજ ખાતર કહી દઉં . મારા પેટની સાર વાર માટે ડેવિડનું કહ્યું માની હું હોસ્પિટલમાં દાખલ થયો .એક પેટની સ્પેશિયાલિસ્ટ સ્ત્રી ડોક્ટરે મારુ ઓપરેશન કર્યું ઓપરેશન સફળ થયું . એક મહિના પછી મારી તપાસ કરવા ડોક્ટરે એની ઓફિસે બોલાવ્યો હું ગયો . મારા પેટની તપાસ કરી અને બોલી હવે બે મહિના પછી પાછા આવજો એને જવાબ આપતા પહેલા મેં પ્રશ્ન કર્યો . તું કુંવારી છો ?: ડોક્ટર જવાબ આપે એ પહેલાં તેની નર્સ બોલી શું લગ્ન કરવાનો વિચાર થઇ જાય છે ? મેં કીધું આવી મારા શરીરમાં છ જગ્યાએ નળિયું ખોસનારી કરાફાત બાયડી સાથે લગ્ન કરવાનો મારો દિ માઠો બેઠો છે ? હું એની પાસે આજે પાંચ વર્ષ થયા ગયો નથી . અને મારા પેટમાં દુ :ખ્યું નથી .

        • pragnaju ઓગસ્ટ 12, 2016 પર 4:59 એ એમ (am)

          મગજની મઝાની વાત-પ્રતિક્રિયઓનું ધ્યાન વિશ્રાંતિની પ્રતિક્રિયા-માનવ-મગજના ઇલેકિટ્રકલ તરંગો શાંતિનો નિર્દેશ આપે છે:- માનવ-મગજમાં સતત ઇલેકિટ્રકલ ગતિવિધિઓ ચાલુ હોય છે અને જુદી જુદી પ્રવૃત્તિ દરમ્યાન જુદા જુદા પ્રકારના ઇલેકિટ્રક તરંગો નોંધાય છે. આલ્ફા, બીટા, ડેલ્ટા અને થીટા આ ચાર પ્રકારના તરંગો સામાન્ય રીતે ઇલેકટ્રો ઇન્કેફેલોગ્રામ (ઇ.ઇ.જી) ની તપાસમાં નોંધાય છે. તંદુરસ્ત વ્યક્તિની જાગૃત અવસ્થા દરમ્યાન સામાન્ય રીતે બીટા તરંગો (દર સેકંડે ૧૪ થી ૨૨ આવૃત્તિવાળા) ઉદભવે છે. આંખ બંધ કરીને શાંતિથી બેસવાથી આલ્ફા તરંગો (૮ થી ૧૩ પ્રતિસેકંડ આવૃતિવાળા); ગાઢ નિદ્રામાં ડેલ્ટા તરંગો (૩ થી ૫ પ્રતિસેકંડ આવૃતિવાળા) આવે છે. એક વર્ષથી નાના બાળકમાં ડેલ્ટા તરંગો વધુ હોય છે, પછી જેમ એ મોટો થાય એમ થીટા તરંગો અને ત્યાર બાદ આલ્ફા તરંગોનં પ્રમાણ વધતું જાય છે. ઊંઘ દરમ્યાન થીટા અને ડેલ્ટા પ્રકારના તરંગો ઉપરાંત વચ્ચે વચ્ચે આંખના ડોળાના હલનચલન અને સ્વપ્ન સાથે સંકળાયેલ ઝડપી તરંગો પણ જોવા મળે છે. જયારે ધ્યાન કરતી વ્યક્તિમાં આલ્ફા તરંગોનું પ્રભુત્વ રહે છે અને ધ્યાન પૂરું થયા પછી પણ આ તરંગો મગજમાં ઉદભવ્યા કરે છે. આલ્ફા તરંગો સામાન્ય રીતે માનસિક શાંતિ અનુભવતા લોકોમાં જોવા મળે છે.
          જેવું તમારું મગજ કોઈ ‘ટાસ્ક’ કે ‘કામ’ પર સ્થીર થઈ જશે એવું જ મોબાઈલ સ્ક્રીન ઉપરનાં ગ્રાફીક્સ બદલાઈ જશે. આ ડેટા ઉપરથી તમે પોતે કોઈ કામમાં કેટલું ‘કોન્સન્ટ્રેશન’ રાખી શકો છો તેનું લેવલ તમે જાણી શકશો અથવા તમે તમારી જાતને કેટલાં પ્રમાણમાં ‘રિલેક્સ’ કરી ચુક્યા છો તે પણ જાણી શકશો. નવી ટેકનોલોજી બજારમાં મુકનાર PLX ડિવાઈસનાં પોલ બોયેરેમ્કુલ કહે છે કે ”બસ હવે ગણતરીનાં દિવસો બાકી છે. આવા ડિવાઈસ મેઈન સ્ટ્રીમ માર્કેટમાં પ્રવેશી જશે.” અત્યારે આ બ્રેઈન ડિટેક્ટર ”એક્સ વેવ્સ”ની કિંમત ૧૦૦ અમેરીકન ડોલર જેટલી છે. પોલ લોચેરોનકુલ કહે છે. ”આખા બ્રહ્માંડમાં સૌથી જટીલ ચીજ હોય તો તે માનવીનું મગજ છે. મગજશક્તિ એટલે કે ‘માઈન્ડ પાવર’ને દરરોજ ઉપયોગમાં લેવાય તેવી ટેકનોલોજીમાં પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે.” આ શોધનો ફાયદો એ છે કે વ્યક્તિ કે ઉપભોકતાં તેમની જરૃરીયાત મુજબ નવા હાર્ડવેર અને સોફટવેરનો વિકાસ કરી શકશે. મગજને ટ્રેઈનીંગ એકસરસાઈઝ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. ચોક્કસ સમયગાળામાં સ્ક્રીન ઉપર ઉછળતા બોલની ગતી વીધી તમે મગજથી કંટ્રોલ કરી શકશો. મગજને સતત કોઈ ચીજ પર સ્થીર કરવાની પ્રેક્ટીસ પણ આ ડિવાઈસથી થઈ શકશે. ડિઝાઈનર અને દીર્ઘદ્રષ્ટાઓ આટલેથી અટકવાનાં નથી.
          અમે ઘણાખરા માણીએ…8 Hour Healing Sleep Music Regenerate Your Cells | Delta … – YouTube
          Video for youtube 8 Hour Healing 528Hz LOVE frequency▶ 8:00:01

          Jan 9, 2016 – Uploaded by PowerThoughts Meditation Club
          8 Hour Healing Sleep Music ➤ Regenerate Your Cells | Delta waves | Solfeggio 528Hz … discovered, the …
          8 Hour Healing Sleep Music Cleanse Your Aura | Delta waves | 528Hz …
          Video for youtube 8 Hour Healing 528Hz LOVE frequency▶ 8:00:01

          Feb 9, 2016 – Uploaded by PowerThoughts Meditation Club
          8 Hour Healing Sleep Music ➤ Cleanse Your Aura | Delta waves … vMore than any sound previously discovered .

          રાજાશાહી હોય કે લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે મીલીટરી શાસન ઍલ્ફા નેતાના સહાયક, સમર્થક એવા બીટા નેતાને કાયમ સખત તણાવમાં જીવવું પડતું હોય છે,

  2. સુરેશ ઓગસ્ટ 11, 2016 પર 5:47 એ એમ (am)

    મસ્ત કલ્પના. ગમી ગઈ.
    એ બી.એમ.ડબલુ(!) માંગનારાનું નામ મને ખબર છે !

    સુરેશ જાની !!!

  3. Vimala Gohil ઓગસ્ટ 11, 2016 પર 1:48 પી એમ(pm)

    સુરેશ ભાઈ નામ આપ ના આપો પણ અમે ઓળખીએ એમને હોં….!!!!!

    • aataawaani ઓગસ્ટ 12, 2016 પર 1:48 એ એમ (am)

      પ્રિય વિમળા બેન
      તમારી હા તમે ઓળખી કાઢો એવાં છો . તમે મારા બ્લોગની વાર્તાનું રહસ્ય નોતું ગોતી કાઢ્યું ?

    • aataawaani ઓગસ્ટ 12, 2016 પર 5:58 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન
      વિજ્ઞાન કેટલું આગળ વધી રહ્યું છે . તે કલ્પનાતીત છે .અને આવા વિજ્ઞાન યુગમાં ઘણા લોકો આકાશમાં સ્વર્ગ નર્ક છે અને જુદા જુદા સંપ્ર દાયોના કેટલાય ધામો છે . મૃત્યુ પછી ફરીથી જન્મ થાય છે .એવું દૃઢપણે માને છે .

      • pragnaju ઓગસ્ટ 12, 2016 પર 7:17 પી એમ(pm)

        ‘ વિજ્ઞાન યુગમાં ઘણા લોકો આકાશમાં સ્વર્ગ નર્ક છે અને જુદા જુદા સંપ્ર દાયોના કેટલાય ધામો છે . મૃત્યુ પછી ફરીથી જન્મ થાય છે .એવું દૃઢપણે માને છે’ એમા અમે પણ ખરા…આટલું અનુભિતીમા-‘ગર્ભ અને ભૂગર્ભમાં તો લાચારી છે. તે બંને ફરજિયાત છે. તેના પર વ્યક્તિનું નિયંત્રણ નથી. પણ તે વચ્ચેનો સમય તેનો છે. તેના કાબૂમાં છે. તેને તે રખડવામાં પસાર કરી શકે છે કે યાત્રામાં પણ પલટાવી શકે છે. તે તેની પસંદગી છે. ગર્ભ-ભૂગર્ભ નિયતિ છે. જીવન-યાત્રા પુરુષાર્થ છે. પુરુષાર્થ કરી શકાય છે… જો પુરુષાર્થ ન બને, તો ભૂગર્ભ કેવળ અંધકારમય જગત છે. ચિતા કેવળ ભસ્મીભૂત કરનાર ઘટના છે. સોક્રેટીસને છેલ્લે પૂછવામાં આવ્યું કે તને ક્યાં દાટવા ? તેણે હસીને જવાબ આપેલ કે ‘મને તમે દાટી શકશો ખરા ?’ આ યાત્રાળુનો જવાબ છે.બાકી આ વિજ્ઞાન કહે…
        Life After Death – Documentary – YouTube
        Video for youtube life after death▶ 1:26:37

        Jan 11, 2012 – Uploaded by TheRevivalChannel
        Testimonies of people who had a glimpse of the after life and came back to talk about it.
        Today Show: Woman recounts life after death – 01/20/2010 – YouTube
        Video for youtube life after death▶ 4:25

        Jan 21, 2010 – Uploaded by SpatialVortex
        Recent: Today Show interview with a woman who had a near death experience. Book: “Evidence of the .

  4. dave joshi ઓગસ્ટ 12, 2016 પર 8:25 એ એમ (am)

    Aa Butsaaj nu men pehlan pan vanchun hatun ane kadach tame radio upar pan sambdavun hatun. Mane bah game chhe.Ganpati pase Undar chhe pan jyan tyan jai shake chhe. BMW badhi jagae fari shakti nath !

    Date: Thu, 11 Aug 2016 03:04:00 +0000
    To: bharatdarshan@hotmail.com

    • aataawaani ઓગસ્ટ 12, 2016 પર 4:54 પી એમ(pm)

      દિકરા તારી યાદ શક્તિ વખાણવી પડે મેં પહેલાં આતાવાણી માં લખેલી એ તારી વાત ખરી છે . રેડિયો ઉપર પણ બોલ્યો હઈશ પણ મને યાદ આવતું નથી . આ કવિતામાં જે કોમેન્ટો આવી છે . એ પણ વાંચવા જેવી છે . હું એક વખત લખાઈ ગયેલું લખાણ બીજી વખત ન લખાય એની કાળજી રાખું છું પણ આ બીજી વખત નવા ભાઈઓ બહેનો વાંચે એ માટે લખી નાખ્યું .

  5. pravinshastri ઓગસ્ટ 12, 2016 પર 3:05 પી એમ(pm)

    જે લેખમાં આતાજી, પ્રજ્ઞાજી જ્ઞાન વિજ્ઞાનની ચર્ચા કરતાં હોય ત્યાં કોઈ પણ જાતની પ્રવીણતા વગરના કોઈ પણ ડફોળશાસ્ત્રીએ ડખો કરવા જવું નહિ. બસ આખો લેખ ચાર પાંચ વખત વાંચવો જરૂરી છે.

    • aataawaani ઓગસ્ટ 12, 2016 પર 4:19 પી એમ(pm)

      ઈ તો તમારી વાત સાચી છે કે મારા લેખો ચાર પાંચ વખત વાંચવા પડે અને ત્યારેજ મેળ પડે . મારે અઘરા શબ્દોના અર્થ લખવા જોઈતા હતા . પણ હું ભૂલી ગયો જોકે આ કવિતામાં મેં અઘરા લાગે એવા શબ્દો વાપર્યા નથી . એક બુત સાજ શબ્દ છે . જેનો અર્થ મેં લખીજ નાખેલો છે આ શબ્દ મૂળ ફારસી ભાષાનો છે . બુતસાજ. મૂર્તિબનાવનાર

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: