સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સરસ બળૂકો છંદ. આમ જ મણિયારો અને સનેડો પણ સમજાવજો.
પ્રિય સુરેશ ભાઈ
ગુરુની આજ્ઞા માથે ચડાવીને મણીયારા વિશે લખું છું . સનેડો એ સ્નેહનું અભૃશ છે . આથી વધારે હું જાણતો નથી ‘મણિયારા વિશેની વાત મેં ગુર્જરી ડાયજેસ્ટ મા લખેલી છે . એટલે હવે તમારા માનને ખાતર લખું છું એ ગુર્જરી ડાયજેસ્ટ ના સૌજન્ય થી છે . ટૂંકાવીને લખવી પડશે .ખરો શબ્દ મણિયારો નથી ,પણ માણીયારો છે . માણીયારો એટલે માન વાળો સ્વમાની . એક વાત એવી છે કે જે શબ્દ આપણી જીભે વધુ વધુ શબ્દ ચડતો હોય એને ભળતો શબ્દ બીજો હોય તેને આપણે બોલીયે છીએ બોલાય જવાય છે . એક દાખલો , કિલોગ્રામનું નવું તોલમાપ નીકળ્યું , ત્યારે દેશીંગાના લુહાર રૂડીમાં દુકાને તેલ લેવા જાય ત્યારે દુકાનદારને કહે દીકરા ગોકળીયા મને એક ખીલો તેલ દે ,એવીરીતે મણિયારો શબ્દ આપણી જીભ ઉપર તુરત ચડે મણિયારો એટલે બંગડીયું વેચવા વાળો કે એવો કોઈ ફેરિયો હવે આપ બુદ્ધિથી વિચાર કરો કે કોઈ બંગડી વાળો બઁગડીઓ વેચીને બીજે ગામ જવા જઈ રહ્યો હોય ત્યારે એના વિયોગમાં કોઈ યુવતી ઉદાસ થઈને રડી નો પડે .
મારી ઉંમર ચૌદેક વરસની હતી ત્યારે મરમઠની નિશાળેથી ભણી ને ઘરે આવી રહ્યો હતો . ત્યારે મરમઠ ગામની પછવાડેના મનજી આંબા ઝાલાવાડિયાના કુવા ઉપર ચાલતા કોસ ઉપર હાથ પગ ધોવા ગયો . ત્યાં એક સફેદ બગલાની પાંખ જેવા સફેદ કપડા પહેરેલો ઉઘાડ પગો ચારણ પણ હાથ પગ ધોતો હતો . એને મેં પૂછ્યું ગઢવી તમે સુંદર કપડા પહેર્યા છે . પણ પગરખા કેમ પહેરતા નથી ? તેણે જવાબ આપ્યો . શરીરનો સ્પર્શ પૃથ્વી માતા સાથે સીધો થતો હોય છે . અને એનાથી બુદ્ધિ અને યાદ શક્તિ ખીલતી હોય છે . જૈનાચાર્ય હેમચંદ્ર સુરી ઉઘાડ પગાજ હતા . વાતમાંથી વાત નીકળતાં
ગઢવીએ માણીયારાની વાત માંડી . મનજી બાપાએ વડલાનીચે ખાટલો ઢાળી દીધો અને અમને વિદ્યાર્થીઓને ગઢવીએ પોતાની પાસે ખાટલા ઉપર બેસાડ્યા .અને આજુબાજુના ખેતર વાળા ખેડૂતો અને મજૂરો પણ જમીન ઉપર ગઢવીની વાતો સાંભળવા બેસી ગયા . અને ડાયરો જામ્યો . અને ગઢવીએ વાર્તા માંડી કે
એક માળવાનો ફુટરો કુંવારો જવાન કચ્છી ગામડામાં એક કચ્છી જાડેજાને ઘેર મહેમાન બન્યો . બપોરા કરીને સૌ બેઠા છે . (બપોરા = લંચ ) અને ધ્રુબાંગ ધ્રુબાંગ બૂંગિયો વાગ્યો
ગામના ઢોર કોઈ લૂંટારા લઈ જતા હતા . નાના મોટા સૌ હાથ ચડ્યું એ હથિયાર લઈ ઢોર લૂંટારાઓ પાસેથી છોડાવવા ધિંગાણે ચડ્યું . ઘરના ધીંગાને ચડે અને મેમાન થી કેમ બેસી રહેવાય એટલે માળવીયો જુવાન પણ ધીંગાણે ચડ્યો . ધોરણે પાછા વળી લાવ્યા કંઈક જુવાનો મરાણા કૈંક ઘાયલ થયા . એમાં આ માળવાનો જુવાન પણ સખત રીતે ઘવાણો જુવાન છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે . ઘર ધણી ની જુવાન દીકરી આ માલવિયાં જુવાન ઉપર મોહિત થઈ ગએલી એના હ્ર્દયના ઉદગારો કેવા હોય એના વર્ણન વાળો રાસડો પિંગળ શાસ્ત્રના જ્ઞાન વગરના કવિએ બનાવ્યો છેકે માણીયારોતી હાલુ હાલું થઈ રહ્યો ને મુજા દલ ડા ઉદાસીન હોય રે ભેણ મુજો માલાવી માણીયારો
પ્રફુલ્લ દવે હાલારી મણિયારો કહે છે પ્રફુલ્લ દવે પહેલા દિવાળી બેન ભીલે ગાયું છે એ માણિયારો બોલે છે અને માલાવી માણીયારો બોલે છે . ગાયક કલાકારોની ભૂલો નો કઢાય એના માટે તાળીયુંજ પડાય। અનુપજલોટા (જળ લોટા) ” મે નહીં માખણ ખાયો” ગીત ગાય છે એમાં મારા જેવાને સૂરદાસની કળાનો છેદ ઉડાડી નાખ્યો દેખાય . આતા ના જય ગુજરાત
વાહ !
આ કયો છંદ………..?
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ
ડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો કોપરાં
ડોસીથી ચવાય નહીં ને ખાય છૈયાં-છોકરાં
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો ખજૂર
ડોસીને તો ભાવે નહીં ને ને લખાઈ ગયાં મજૂર
નાનું સરખું ગધેડું ને એનું લાંબું પૂંછ
વગર વાંકે બાયડીને મારે એની વાઢો મૂછ
નાનો સરખો રેંટિયો ને એની લાંબી ત્રાક
બાયલો હોય ઈ બાયડીને મારે વાઢો ઈનું નાક
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ
ડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ.
નબળો માટી બૈયર પર શુરો પાર્નેલનો કોઈ નહીં ધણી વાંઢાને બાયડીયું ઘણી બેન આવા બધા છંદોને અમારી બાજુ ઉખાણા છંદ કહે છે , બાયડીયું કાલાં ફોલતી વખતે કહેતીયું હોય છે
બે થંભ થંભાવ્યા બે કર નમાવ્યા મોરલી વાગીને મણધરપધાર્યા . બોલો આનો અરથ શું ?
કાંઠે હેમલો સેવિયો ચુને સેવી આગ સોપારીએ કરવત મેલાવીયા ઈ કઈ નારીને કાજ
અને આ
અમરેલીના ઊંચા ચૉરા, માથે મોટી ધજા;
ખાવાપીવાના ખેરસલ્લા, પણ જૈસી કૃષ્ણની મજા
ધૂળ ગામ ધોલેરા બંદરને છે બારાં
કાંઠા ઘઉંની રોટલી પાણી પીવાનાં ખારાં
નાટ્ય કાર મધુ રોયનું ગામ જામ ખંભાળિયા એની ઉખાણું ખૂબ ગામ ખંભાળિયું જેને પાદર ઘી (નદીની નામ ઘી છે ) ખાવું પીવું ખેર સલા લાંબા લાંબા દિ
એક નામના બે ગામ છે ઝાલાવાડમાં મોલડી પાણીની ખૂબ અછત એનો દુહો
મોલડીએ મેમાન અહૂરો આવીશ નૈ
ધરાઈને ખાજે ધાન પાણી માંગીશ નહીં
Saras…Chandra chhand..vishe..gamyu