સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,436 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
પહેલાના વખતમા રામાયણ નું અર્થગઠન જાણ્યું…બીજા દેશોમા તો અન્ય પંથવાળાએ રામાયણ ધાર્મિક લાગણી દુભાય તેવી લખી ! આધ્યાત્મિક રામાયણ ખૂબ સુંદર પણ સામાન્ય જનને સમજવામા અઘરી પડે
અને સાંપ્રતસમયે તો પ્રચાર માધ્યમમા ગમે તે પ્રચાર થઇ શકે ત્યારે જાગ્રત સમાજે પ્રેરણા મળે અને શ્રધ્ધાપૂર્વક જીવનનો આધાર બને તેમ પ્રયાસ કરવો જોઇએ
કાલ જારણમ સ્નેહ સાધનમ
ક્ટુકવર્જનમ ગુણનિવેદનમ
પધ્ધતિ અમને સારી લાગે છે
પ્રિય પ્રજ્ઞા બેન
હજારો વર્ષ પૂર્વે લખેલી રામાયણ આજની ઘડી સુધી લોકોને વાંચવી , સાંભળવી ગમેછે . એજ રામાયણનો ચમત્કાર છે .
આ ગામથી ગીતાની કવિતા લખનાર હરિહર ભટ્ટ છે , જેને હું સારીરીતે ઓળખતો એટલુંજ નહિ . એના દીકરા દીકરી જમાઈ બધાને હું સારી રીતે ઓળખતો તેની પાઠ્ય પુસ્તકમાં પ્રસિદ્ધ થએલી કવિતા “એકજ દે ચિનગારી મહાનલ ” તમે વાંચી હશે . તેના બે દીકરા અમેરિકામાં છે .દીકરીની દીકરી અમેરિકા છે .
આવી રામાયણ કદી નો’તી વાંચી.મજા આવી ગઈ. આવી જ અરજણ ગીતા ( ગામઠી ભાષામાં ) પણ કોઈકે લખી છે.
અરજણ ગીતા
ધરતયડો કે’ છે :
’ધરમછેતરમાં ને કરુછેતરમાં
ઇ ઘડીકમાં બાઝી મરે,
હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,
(એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,
ભેળાં થઇને સું કરે –
હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’
અરજણીયો કે’ છે :
નાનાએ મારવા ને મોટાએ મારવા,
ને મારવાનો ના મળે આરો,
કરહણિયા ! મારવાનો ના મળે આરો,
એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,
ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?
કરહણિયા ! હું તો નથી લડવાનો…
કરહણિયો કે’ છે :
અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,
ને માર્યો ના કો’થી મરાય ;
અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;
એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,
તારા બાપનું સું જાય ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
મલક હંધોય તારી કરવાનો ઠેકડી
ને હું તો કહી કહીને થાક્યો
આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?
ઊંધા તે પાનિયાનો પાક્યો
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
મરેશ તો જા’શ ઓલ્યા હરગે,
અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,
અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
આવો તે લાગ શીદ ચૂકે ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
જીણે વાસનામાં મેલ્યો પૂળો
અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
પસે તું તે કઇ વાડીનો મૂળો ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
કરમની વાત હંઘી આપડા હાથમાં
ને ફળની નઇં એકે કણી,
અરજણિયા ફળની નઇં એકે કણી.
ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
ઓલ્યા દલ્લી તે શહેરના ધણી
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
ફળની તું કર્ય મા ફકર્ય
અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
ઇ નથ્થ તારા બાપનો નોકર
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અરજણિયો કે છે :
ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.
ને ગન્યાંન લાદયું મને હાચું ;
કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.
તું મારો મદારી ને હું તારો માંકડો
તું નચાવે ત્યમ હું નાચું
કરહણિયા ! હું તો હવે લડવાનો…
હંજયડો કે’ છે :
જોગી કરહણિયો ને ભડ અરજણિયો
ઇ બેઉ જ્યાં થાયે ભેળા
ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં… !
આ ગામથી ગીતાની કવિતા લખનાર હરિહર ભટ્ટ છે , જેને હું સારીરીતે ઓળખતો એટલુંજ નહિ . એના દીકરા દીકરી જમાઈ બધાને હું સારી રીતે ઓળખતો તેની પાઠ્ય પુસ્તકમાં પ્રસિદ્ધ થએલી કવિતા “એકજ દે ચિનગારી મહાનલ ” તમે વાંચી હશે . તેના બે દીકરા અમેરિકામાં છે .દીકરીની દીકરી અમેરિકા છે .
આજે મારે એક સિરીયસ વાત કરવાની છે. આપણા આ આતાજી પોલીસની નોકરીને રામ રામ કરીને અમેરિકામાં ભરાણાં. આવીને પ્રિન્ટિંગ પ્રેસમાં મજૂરી કરી; અને નિવૃત થઈને કોડીની કમાણી વગરનો બ્લોગ શરૂ કર્યો.
હવે જ્યારે એઓ શ્રી એ જ્યારે અમેરિકામાં પગલાં પાડ્યા તે વખતે એમને જો માર્કેટિંગ માઈન્ડનો એકાદ ભગત મળી ગયો હોત અને સપ્તાહો કરવા માંડી હોત તો ટંકશાળ પડી હોત. એઓ પણ વિમાન અને ક્રુઝમાં જ્ઞાનયજ્ઞો કરતા હોત.
આનું નામજ નસીબ. તમને કેવા માણસો મળે અને તમને ક્યાં પહોંચાડે એ પણ પ્રારબ્ધની વાત કહેવાય.