Daily Archives: ડિસેમ્બર 16, 2015

phoenix az u s a આતાના આંગણામાં મોર પરિવાર

our-peacock-family-grazing

અમેરિકાની ધરતી ઉપર મેં  પહેલ વહેલો  1969  માર્ચ 19 તારીખે પગ મુક્યો  અને પછી  phoenix  az  માં 1996  ફેબ્રુઅરી  માં રહેવાનું નક્કી કર્યું  .અહી મેં સસલાં પાળ્યાં એ વાત આપ વાંચી ગયા છો  .સસલાં કાઢ્યા  પછી  મોરલા પાળવાનું નક્કી કર્યું  . પણ મોર ખરીદતા  પહેલા  એને રહેવા માટે  વિશાળ  પાંજરું  હોવું જરૂરી છે  .  આ માટે  મેં  કેટલાક લોકોને પૂછ્યું  .  તો એવું  જાણવા  મળ્યુકે  $250  મજુરીના અને  ઝાળી વગેરે  જરૂરી  વસ્તુના પૈસા જુદા    .
મારા પડોશીના આંગણામાં  મોર પીંછ જેવા  પાતળા ચોરસા વાળા સળીયાનું  દસેક ફીટ લાંબુ ગૂંચળું  અને કેટલાંક અંગુઠા  જેવા  જાડા કેટલાક સળીયા  પડ્યા હતા  . મને વિચાર આવ્યો કે આ વસ્તુ હું ખરીદી લઉં તો પાંજરા માટે ઉપયોગ  માં લેવાય  મેં તે પાડોશીને પૂછ્યું  આ વસ્તુ  નો તું શું ઉપયોગ  કરવાનો છો ? તે બોલ્યો  હવે એનો મારે ઉપયોગ  નથી  એટલે આ વસ્તુ ઉકરડે જવાની વાટ જુવે છે    . મેં તેને કીધું  તું મને આપ  તો હું એનો ઉપયોગ  કરું એ કહે  તું  લઇ જતો હોય તો તારો આભાર    તો તું મારા ગરાજમાં મૂકી જા એ માણસ મારા ગરાજમાં મૂકી ગ્યો  . પણ મને જે  ચોરસા વાળું  ફીન્ડ્લું સીધું  કરવામાં મને જે મહેનત કરવી પડી છે  એની વાત થાય એમ નથી  ,
પછી હું હોમ ડીપોમાં જઈ જઈને  ચીકન નેટ ખરીદી લાવતો ગયો  લાકડાના  થાંભલા ધરમાં પડ્યા  હતા  ખીલાસરી પણ હતી  . થોડા દિવસમાં  મેં ઘર  ફરતે  વિશાળ    પાંજરું  બનાવી નાખ્યું અને મેં મારી જાતે મારો વાહો  થાબડ્યો  . અને  પોતાની જાતે શાબાશી મેળવી  અને ભાનુ મતિએ મારા આખા શરીરે  માલીશ કર્યું  અને શરીરનો થાક ઉતારી દીધો  ;અને બે મોટા ગ્લાસ કેસરિયાં દૂધ પીડાવ્યાં    . પાંજરાની  અંદર  દોઢ માથોડું ઉંચી  મોરને બેસવા માટે બેઠક  બનાવી અને  બીજે દિવસે  $25નું એક મોરનું બચું ખરીદી લાવ્યો    . બચ્ચું આખી રાત ઉન્ઘયું નહી  એટલે બીજે દિવસે  એક બીજું  બચ્ચું  ખરીદી લાવ્યો .  બચ્ચાને સથવારો મળવાથી  શાંતિથી ખાઈ પીએ અને  આરામ  કરે    ,
મોરના નાનાં બચ્ચા  હોય ત્યારે  જોવાથી  કયું બચ્ચું નર  છે અને કયું નારી છે એની ખબર પડતી નથી હોતી  , પણ બચ્ચા મોટા થાય ત્યારે  નર બચ્ચાની ડોક  થોડો વાદળી  રંગ પકડતી જતી હોય  છે  સદભાગ્યે  આ બચ્ચાં  નર  નારીની  જોડી  હતાં  ,
લોકોની એવી માન્યતા હોય છે કે  ઢેલ જ્યારે ગર્ભવતી  થવાની હોય ત્યારે મોર નાચતો  હોય  છે અને એની આંખમાંથી  આંસુ    આંસુના ટીપાં  ટપકે  , એ ટીપાં ઢેલ  ગળી જાય  એટલે ઢેલ ગર્ભવતી થાય  આમાં સત્ય શું છે મને  એની  ખબર છે  . કાપ જે માનતા હોય એ કદાચ સાચું પણ હોઈ શકે  .
જેના પાસેથી મેં મોર ખરીદ્યા એ કહેતો હતોકે  ઢેલ ઈંડાં મુકશે પણ એને સેવીને બચ્ચાં  ઉત્પન્ન કરવાની નથી  કરવાની  નથી  અમે ઢેલના ઈંડાને  કુક્ડીને  સેવવા માટે કુકડી ને  આપીએ છીએ પણ મારે ત્યાં ઢેલે સેવ્યાં અને  બચ્ચાં ઉત્પન્ન  કરી  આપ્યાં  //

 

સરદારનગર (ahmadabaad )પોલીસ લાઈનમાં મોરલો પાળ્યો .

2157310848_3dac0e39a8_o

મારી બદલી માધુપુરા પોલીસ સ્ટેશનમાંથી સરદારનગર પોલીસ્સ્તેશનમાં થઇ
સરદારનગર ભાગલા વખતે  સિંધમાંથી  આવતા શરણાર્થીઓ  માટે નવું વસાવેલું છે . .એ હસોલ ગામના  ખેડૂતોના ખેતરો અને આંબા વાડિયું  બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટીશરોએ ખરીદેલછે .અહી બાવળ  .બોરડીના ઝાળાં ઘણાં
અ ને  મચ્છરોનો પણ ત્રાસ , આ એરપોર્ટ અને  હાંસોલ ગામ  વચ્ચેનો વિસ્તાર
આ વખતે  એરપોર્ટ  ઇન્ટરનેશનલ  નોતું  .અહી પોલીસની  બદલી થાય તો બદલી રોકવા માટે  પોલીસ આકાશ પાતાળ કરે કેમકે અહી પોલીસોને  નોકરી કરવાનું ન ફાવે અહી પોલીસનો પણ ચા પી જાય  એવા  સિંધી લોકોની  વસ્તી
ना अहलहै  वो अहले पोलिसोकी ननज़रमे  खाना और खिलाना (ऑफिसरोको )जिसको नही आता
મારી બદલી  અહી સજા તરીકે થએલી  એક રાજારામ  નામના નિર્દોષ પોલીસને બચાવવા જતાં થએલી(મને અહી કાઢ્યો ) પણ રાજારામ મારો ઉપકાર માને છે  .રાજારામ મારી જેમ રીટાયર્ડ  થઇ i ગયા પછી મને મળેલો  ત્યારે  મને  કહેતો હતો કે આ હું જે પેન્શન મેળવું છું એ તમારા પ્રતાપ્માં  મેળવું છું  .
હું સરદારનગરમાં  રહેવા આવ્યો  . એટલે મેં તુર્ત  મચ્છરદાનીઓ અને એને બાંધવા માટે  પાતળી વાંસની લાકડીયો  ખરીદી લીધી અને આ મિલ્ટ્રીના  જવાને  તાત્કાલિક  જંગલમાં મંગલ  ખડું કરી દીધું  .
હું સિંધમાં રહેલો  એટલે સિંધી ભાષા  કામ ચલાવ મને આવડતી અને અહી આવ્યા પછી વધારે પ્રેકટીશ થઇ  . હું સિંધી ભાઈયો અને બહેનો સાથે સિંધીમાં વાત કરવા લાગ્યો  . અને અચો સાઈ અચો એમ મને આવકાર મળવા લાગ્યા  . કોઈ પોલીસે કોઈ સિંધીનું નામ લખ્યું હોય તો  તે નું નામ કઢાવવા માટે મારી પાસે આવે  અને મને કહે  પોલીસ ખે ચે હિનીજો નાં  કઢી  છડે  ,  અસી  પાંણમેં  ભાવર અયુ  . કચ્છી ભાષામાં નામને નાંલો કહે સિંધીમાં નામને નાં  કહે  . આનો અર્થ  એવો થાય કે આ પોલીસે આનું નામ લખ્યું છે એ કઢાવી નખાવજે  આપણે તો આપસમાં ભાઈઓ છીએ  .
હું બ્રિટીશ આર્મીમાં હોવાને કારણે ઘણું શીખ્યો છું  . એમાંનું એક  પરિસ્થિતિને અનુકુળ થવાની ટેવ  અને દુ :ખમાં છુપાએલું સુખ  શોધી કાઢવાની ટેવ  આવી બધી કેળવણી લઈને હું  ઘડાએલો  છું અને એટલે આ બ્લોગનાં મહાસાગરમાં  સેલારા મારું છું  .  અને તમારા સૌ ભાઇઓબહેનો પ્રેમ અને ઉત્સાહ  મેળવતો હું બ્લોગ જગતમાં ટકી રહ્યો છું  . બાકી  આપ  જુવો છો એમ  ઘણા બ્લોગરો  અદૃશ્ય  થવા માંડ્યા છે  . ये है ब्लॉग जगतका मेला सब चला चालिका खेला  . અહી નું ઝાડી જંગલ જોઈ  મને રાખ્વનો વિચાર આવ્યો .  અને આ મારા વિચારને    મારી  સુખ દુ :ખમાં  સાથ આપનારી  કેશોદ  , દેશીંગા  , અને અમદાવાદ  અને  એરિઝોનાના  રણ સુધી ખભે ખભો મિલાવીને સાથ આપનારી  મારી પત્ની ભાનુમતી અને દેવ જોશી જેવા દીકરાઓની સમ્મતિ મળી  .  અને  મેં  બકરીઓ પાળવાનું નક્કી    કર્યું  અને કુતરા બકરીઓને હેરાન ન કરે  એ માટે જાતે ચરાવવાનું નક્કી  કર્યું  .  આ સ્થળનો  ઘાસ વગેરેનો સરકાર તરફથી કોન્ટ્રાક અપાતો આ  કોન્ટ્રાક  ડાયાભાઈ  પટેલ એક ભેંસો રાખનાર  બ્રાહ્મણ  અને એક તાજમામદ નામનો અફઘાનિસ્તાનનો માણસ રાખતો  અને આ ઘાસની ચોકી રાખવા માટે  ચોકીદાર રાખવામાં આવતો  .
પણ આતો જમાદારની બકરીયું એને ચરતી અટકાવાય નહી  એક દુ:ખીરામ નામનો  ઉપીનો કુણબી  ચોકીદાર હતો  આપણે ગુજરાતીઓ  ઉપીનો કે બીહારનો હોય એને ભૈયા  કહીએ છીએ  પછી એ ભલે ગમેતે જાતિનો  હોય  આવી રીતે  તાજ મામદ  જેવા લોકોને આપણે  પઠાણ  સમજીએ છીએ  પણ ખરું જોવા જાઓતો  જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે  જે પટી છે  ,  એમાં વસનારી  જાતી છે  , એ પોતાના નામની પાછળ  ખાન  નો પ્રત્યાય લગાડે છે અને જે લોકો  જુના વખતમાં  ભારતમાં  આવી વસેલા છે  . એ લોકોપણ પોતાને ખાન કહેવડાવે છે ,  આમીર ખાન સલમાન ખાન  શાહરૂખ ખાન  વગેરેના વડવાઓ  આ પ્રદેશથી આવેલા છે  .  અફઘાનિસ્તાનના કોઈ માણસના  નામની પાછળ  ખાન નો  પ્રત્યાય  લાગેલો જોવા નહિ મળે  . તાજમામદ ગોરી ચામડીનો  હતો  . એ જર્મન કે રશિયન પ્રજા જેવા ગોરા રંગનો  હતો।  એના કહેવા પ્રમાણે એના વડવાઓ સિકંદરના વખતથી  અફઘાનિસ્તાનમાં આવેલા છે  અને એ લોકોનો ધર્મ પણ પ્રાચીન સમયના ગ્રીક લોકોના ધર્મ જેવો  મૂર્તિ પૂજક  હતો  . 1847ની સાલ પછી નાં લોકો મુસલમાં ધર્મી બન્યા આ પહેલા આ લોકો કાફિર  તરીકે ઓળખાતા  અને જે વિસ્તારમાં આ લોકોની વસ્તી હતી  એ વિસ્તાર કાફીરીસ્તાન  તરીકે ઓળખાતો  હાલ આ વિસ્તાર નુરીસ્તાન તરીકે ઓળખાય છે  .  આપ સહુને આ વાતની ખબર હશે  કેમકે આ વાત વરસો પહેલા  નેશનલ  જીયોગ્રફીમાં આવેલી
તાજમાંમદ અમારી બકારીયોને ચરતી જોઈ  ચરાવનાર દેવ જેવાને ધમકી આપે કે बच्चे लोग ए बकरिया  तुम  लोग  घर ले जाओ  वरना  में  बकरिया  डिब्बेमे पुर्र दूंगा  .
80 વરસની ઉમરનો તાજ મામદ ઘોડા  ઉપર આવતો તેની આંખ નબળી હતી  .  છોકરાઓ  એને દેખાવ પૂરતા    બકરી હાન્ક્વાનો દેખાવ કરે  .  ભાનુમતી  બકરીયું ચરાવતી હોય  અને તાજ્મામદને  જુવે એટલે પોતે આઘી પાછી થઇ જાય, મેં જુનના વરસાદી માહોલમાં  ઢેલડ યુ  ઈંડા મુકવા આવે  .  એક વખત મેં  ઈંડામાંથી તાજુજ નીકળેલું બચું મેં પકડી લીધું અને  એને ઉછેરીને મોટું કરયુ    ખાસ  ભાનુમતી બચ્ચાની  કાળજી  રાખતી  એને ઉધઈ  વગેરે ખવડાવતી આ જીવ હિંસાને એ પાપ માનતી નહિ  . બકરીનું દૂધ પણ પીવડાવતી  વખત જતા એ મોટો મોર થઇ ગએલો પણ એને હજી રંગીન આવ્યા નોતાં  એ ઘર નજીકના આંબા ઉપર બેસી રહે તો  ખાવા પીવા માટે એ આંબા ઉપરથી નીચે ઉતરે  અથવા  કોઈ અજાણ્યું માણસ  ઘ્યાર પાસે આવે તો એના ઉપર હુમલો કરવા નીચે ઉતરે  .  ઈ ચાંચો ન મારે પણ પોતાના પગથી હુમલો કરે  . લોકો કુતરાથી ન દરે એટલા આ ભાનુબાના મોરથી ડરે આ મોર વાળી કથા તો તમને ભાનુમતી  પાસેથી સાંભળવાની  મજા આવે હવે પછીની વાત  હું મારા એરિજોના વાળા મારા મોર પરિવારની વાત કરીશ  .  .