Daily Archives: સપ્ટેમ્બર 11, 2015

રહિમન ખાન ખાના

વિકિપિડિયા પર રહીમ વિશે જાણવા અહીં ક્લિક કરો

  આપે રહીમના  દોહા  વાંચ્યા હશે   . આજે હું  રહીમ વિષે થોડી વાત પણ લખીશ  , અને  પ્રસંગોપાત  દોહરા પણ લખીશ  અને આપને વાંચવા આપીશ  .

धन्य रहीम जल कूपको लघु जिय पियत अघाय
उदधि बड़ाई कौन है जगत   पियासो   जाय

         રહીમ અકબરના વજીર  બહેરામ્ખા નો દીકરો હતો   . એ સંસ્કૃત ભાષાનો પણ વિદ્વાન હતો  રહીમ  ઉર્ફે રહિમન  ખાન ખાના  નામથી પણ ઓળખાતો   , રહિમન ની વધી રહેલી લોક પ્રિયતા  એની પ્રતિષ્ઠાની   કેટલાક   વિઘ્ન સંતોષી  લોકોને ઈર્ષા થતી  . એક વખત આવા ઈર્ષાળુ   લોકોની ઈર્ષાએ  માજા મૂકી અને એને કાફર  કહીને વગોવ્યો   . પ્રસિદ્ધ ઉર્દુ શાયર  મિર્ઝા ગાલીબની પણ આવી દશા થએલી એનો એક શેર

ग़ालिब  बुरा न मान  अगर वाइज़ बुरा कहे
ऐसा भी है कोई जिसे सब अच्छा कहे ?

       રહિમન દાનેશ્વરી પણ હતો  . સવારમાં નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી  એ પૈસાની  કોથળી લઇ  પોતાના ઘરના ઓટલા ઉપર આગળ  બેસીને  કોઈ બી માણસ લાંબો  હાથ કરે એને  પોતાનું માથું  નીચું રાખી   અમુક પૈસા આપી દેતો  . લોકો એ  રહિમન  ને  કીધું તું  કે તું  લોકોને એના સામે જોયા વગરજ  કેમ  દાન આપે છે ? ત્યારે  રહીમને ઉત્તર આપ્યો કે

देने वाला कोई और  है  भेजत है  दिन रेन
लोक भरम मुझ पर करे तासो निचे नैन

        ઈર્ષાળુ લોકોના ત્રાસના કારણે કજિયાનું કાળું મોઢું કરી  દિલ્હી છોડી દીધું  અને  તે કાશી  કે જેનું નામ અકબરે બનારસ  રાખ્યું છે  . ત્યાં રહેવા જતો રહ્યો  . અને છુપી રીતે રહેવા લાગ્યો  .અને મધુ કરી   કરીને  પોતાનો નિર્વાહ કરવા લાગ્યો  . મધુકરી  એટલે  એક થેલીમાં  લોકોને ઘરેથી  તૈયાર રાંધેલું જમવાનું લઇ આવે।  કોઈ પ્રકારની આભડ   છટનો ભય  રાખ્યા વગર અને પછી આ  ખાદ્ય પદાર્થ  ભરેલી થેલીને
ગંગામાં ઝબોળી લેવાની કે જેથી કરી  ખોરાક પવિત્ર થઇ જાય

      એક વખત  કોઈ  જરૂરિયાત મંદ ને  પૈસાની જરૂર પડી  અને પૈસા રહીમ પાસેથી મળશે એ આશાએ  તે માણસ દિલ્હી આવ્યો ત્યારે ખબર પડી કે રહીમ  દિલ્હી છોડી જતો રહ્યો છે તે ક્યા ગયો છે એની કોઈને ખબર નથી   , પછી કોઈ રહીમના ઓળખીતા  સજ્જન માણસે  રહીમ કાશીમાં રહે છે  . કાશીમાં એનું કોઈ સ્થાયી  સ્થળ નથી જ્યાં ત્યાં  પડી રહે છે  પછી એ  દયાળુ  માણસે  રહીમના ચહેરાની ઓળખાણ આપી  . એટલે આ લોકો  કાશી આવ્યા અને મહા  મુસીબતે રહીમને  ગોતી કાઢ્યો  .  અને રહીમને મળ્યા  . અને રહીમ પાસે પૈસાની માંગણી કરી  ત્યારે રહીમે દોહરો કીધો

मांगे घटत रहीम पद  करो किता बढ़ी काम
तीन पैर वसुधाकरी तउ  वामन नाम

અને વધુમાં કીધું કે 

यह रहीम घर घर फायर मांगी मधु करी खाय   ,
यारो यारी छोड़ दो वो रहीम अब नाही

એટલે માગવા આવનાર લોકોએ  સામે  દોહરો કીધો કે.

हिमन वो नर मरचुके जो कही मांगन ज्जय
उनसे पहले वो मुवे जिस मुख निकसि नाय
रहिमन दातादरिद्र तर  ताऊ याशिवे योग
ज्यु सरितन सुखी परे कुंवा खानवत लोग

       પછી રહીમને દયા આવી અને માગવા આવેલા લોકોને  પોતાના પ્રશંશક અને ધનાઢ્ય  ઉદાર   માણસ ઉપર ચિઠ્ઠી  લખી આપી અને આ લોકોને જરૂર પ્રમાણે  પૈસા આપવાનું કીધું  .