Daily Archives: ઓગસ્ટ 12, 2015

સોરઠીયા રબારી

Rabari

અમારી બાજુના રબારીઓ  સોરઠીયા રબારી છે  .
રબારી  પોતાની ઇષ્ટ દેવી માતા નો ઉત્સવ મનાવતા હોય છે   . આ માતાનું નામ શું છે  . એની મને તો ખબર  નથી   .અને તમને પણ ખબર નહિ હોય  . મને ઝાઝું  પૂછતા હો તો  રબારી પોતાને પણ ખબર મહી હોય   .
ઉત્સવમાં જબરો જમણ વાર રાખે  અને એમાં  બધા રબારી ભાઈઓને  આમંત્રણ  આપેલું હોય   . ઉપરાંત  ગામ ઝાંપે  એક જુવાન  ઉભો હોય   , તે ગમે તે વટેમાર્ગુને  જમવા માટે બોલાવે   . અને આ જમણવાર આખો દિવસ ચાલે  એવું નહિ કે  અમુક સમયેજ  ખાવાનું હોય  , એટલે અમારી બાજુ એક  કહેવત  પ્રચલિત છે કે   “રબારીની પીણી ” ની જેમ આને ઘરે તો આખો દિવસ  ખાવાનું  ચાલ્યાજ કરતું હોય છે  . રબારીની માતાના આ ઉત્સવને  માતાનો કળશ
ભર્યો કહેવાય   . હવે તો આવું બધું ચાલતું હશે કે કેમ એ માતા  જાણે  અમારી બાજુ  લોકો સમ ત્યારે ” મને માતા પુગે ” એવું બોલે  . દેશીંગા ના દોસ્ત મામદ મકરાણીનો  દીકરો અબો  પણ મને માતા પુગે એવા સમ ખાતો  ભાગલા વખતે  કેટલાક મુસલમાન ભાઈઓ  ભાગલા વખતે વધુ  સુખ સાહ્યબી  મળશે   એવું ધારીને  પાકિસ્તાન જતા રહેલા  . એવી રીતે  અબો પણ પાકિસ્તાન જતો રહેલો  .  અબે  દેશીંગા હતો ત્યારે લાંબામાં લાંબી સફર
દેશીન્ગાથી દસ ગાઉં દુર  કરેલી   આ અબો  પાકિસ્તાન ગયો  , ત્યારે    ફ્રન્ટીયર  મેઈલમાં બેઠો  તે બેસીજ રહ્યો  . તે ઠેઠ  પેશાવર ઊતર્યો અને ત્યાંજ  સ્થિર થઇ ગએલો   . અબો મારા કરતા ઉમરમાં 8 વરસ નાનો  તેનો મિત્ર એક હેમતરામ કરીને વ્યાસ હતો  .(તરગાળો  , ભવાઈઓ ) અબો આ હેમાંત્રામને અવાર નવાર કાગળ  લખતો  . એક કહેવત યાદ આવી એ કહી દઉં ” ચોરની માને ભાંડ પરણે અને ભાંડની  માને  ભવાયો પરણે અને ભોવાયાની  માને
ભામણ  પરણે  ”
માતાનો કળશ  ભરાયો હતો  . એટલે ગામને ઝાંપે  એક જુવાન   વટે માર્ગુને જમવા બોલાવી રહ્યો હતો  . જમણવારમાં  ખુબ ઘી  ગોળ  ખુબ વાપરે  જમવામાં ફક્ત  ચોખા  મગ  અને ઘી ગોળ  બસ આટલુંજ હોય  .
જે ગામમાં  કળશ  ભરાયો હતો એ ગામના ઝાપેથી એક રબારી જુવાન પોતાની ઘરવાળીને તેડવા  પોતાના સાસરે  જઈ રહ્યો હતો   . તેને કળશ માં જમવા માટે બોલાવવામાં આવ્યો એ કહે   મને તમે એક ઘડામાં  ખાવનું આપો એટલે હું  હાલતાં ખાતો જઈશ  કેમકે હું  બહુ ઉતાવળમાં છું  . એને  ચોખા મગ ઘી ગોળ નો ઘડો  ભરી દીધો  .અને તેને  દોરડા  વતી  ગાળામાં લટકાળી દીધો  . એતો  માતાનું અને પોતાની ઘરવાળીનું  સ્મરણ કરતો જાય  દોથો
ભરીને  ખાતો જાય  અને  હાલ્યો  જાય વચ્ચે એને વિચાર આવ્યો કે  જો હું  એક હાથે ખાઈશ તો ક્યારે મારું પેટ ભરાશે  એટલે એણે  પોતાના  બન્ને    હાથ  ઘડામાં ઘાલ્યા  અને  દોથા ભર્યા  . હવે  ઘડામાંથી  હાથ નીકળે નહિ  . ઈતો બાપુ એમને એમ  ઘડામાં ફસાએલા હાથે  સાસરે પહોંચ્યો  . રીવાજ પ્રમાણે દરેકની સાથે   હાથ મેળવીને રામ રામી  કરવી જોઈએ પણ આના હાથ  ઘડામાં  ફસાઈ  ગએલા એટલે એ પોતાની કોની અડાડીને  રામ રામી
કરે   . કોઈએ  પ્રસન કર્યો નહિ કે આ આમ કેમ કોણી અડાડીને  રામ રામી કરે છે  ? અનુમાન કરી લીધું કે  આને આવી બાધા હશે  ,  ઘરના બધાં સુઈ ગયા પછી એની ઘરવાળી  એને મળવા આવી
એને થયું કે આ ઘડામાંથી હાથ કેમ કાઢતો નથી   . એના ધણીએ  હાથ ફસાયાની વાત કરી  ઘરવાળી બોલી   પિટીયા  ઘડાને  છીપરમાં પછાડીને ફોડી નાખ એટલે  તારા હાથ છુટા થઇ જશે  આમ સલાહ આપીને  ઈતો ઘરમાં ઘુસી ગઈ   .ચોમાસાના દિવસો હતા  વીજળી  ચમકારા કરતી  હતી   . એવામાં પોતાના સસરાનો બાપ  તાજીજ  હજામત  કરાવેલી  એ ઓસરીમાં સુતો હતો   . એનું માથું  વીજળીના  ચમકારામાં  ચમક્યું   . અને છીપર  સમજીને એના માથમાં  ઘડો
પછાડ્યો  . એટલે ઘડો ફૂટી  ગયો  અને  બાપડો ડોસો   પણ  મરી ગયો   . ઘરવાળીને   લઈને  ઘરે આવ્યો ત્યારે  સહુએ સગા વ્હાલના કુશળ  સમાચાર પૂછ્યા  ત્યારે બોલ્યો  બ્દુતો બરાબર છે  .પણ  મારા સસરાના  બાપના માથા ઉપર વીજળી પડી   .  વિજ્લીતો પડી પણ ભેગા ઘી ગોળ ચોખા અને મગ સોતી  પડી   . પણ મારે એટલું તો કહેવું પડશે કે  ઘરવાળી  બહુ હુશિયાર છે  .પેટ અવતાર લીધા જેવી સે  .