સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ઘરડા ગાંડા કાઢે તો ઘરડા ગાડા પળ વાળે તે વાર્તા વાંચી હશે
અમારા રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું.
માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. પાછલી ઉંમરે સુખી થવાના .
સૂ શ્રી વિનોદભાઇના સંકલનનો આ લેખ ફરી ફરી માણશો
ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ ! પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ? ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ શામ.
પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.
પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી. પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.
જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી. સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે. ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !
ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.
પ્રજ્ઞાબેને એમના અભિપ્રાયમાં જે લખ્યું છે એ પછી ઘડપણ વિષે વધુ કશું કહેવાનું રહેતું નથી.
નરસિંહ મહેતાએ પણ ગાંયું … આ ઘડપણ કેણે મોકલ્યું …ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ…..
પ્રિય વિનોદ ભાઈ
તમારા જેવા યુવાનો મને ક્યાં ઘરડો થવા દ્યે એમ છે ,
“ઘરડા થયાકે દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા .” આ પોસ્ટ વાંચી ત્યારથી નરસિંહ ભજનના શબ્દો ગુંજવા લાગ્યા કે:”ઘડપણ કોણે .મોકલ્યુ રે…” આગળ શબ્દો જ મનમાં ના આવે!!!!!
અહીં શ્રી વિનોદ સાહેબનો પ્રતિભાવ જોતાજ યાદ આવી ગયું.
આભાર સાહેબ.
પ્રિય વિમલાબેન
તમારા જેવી બહેનોના આશિષ ઘડપણ ને મારી નજીક નહિ આવવા દ્યે .
ડોન્ટ વરી. બી હેપ્પી !
પ્રિય સુરેશભાઈ
તમારા જેવા સ્નેહીઓ જ મને નિશ્ચિંત રાખે છે .
પ્રિય પ્રજ્ઞાબેન
તમારા તરફથી ગુણવંત શાહનો લેખ વાંચવા મળ્યો . આ ઉપરથી મને એમ લાગે છે કે હું વૃદ્ધ છું .પણ ઘરડો જરાય નથી .
ગઈકાલે મારી ઇન્સ્યુરન્સ કંપનીની બાઈએ મારો ઇંટર્વ્યું લીધો (ફોન ઉપર ) પછી મને પૂછ્યું તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ? મેં એને જે જવાબ આપ્યો એ હું અહી લખવા માગતો નથી .
બે દિવસ પહેલા એક વિદ્યાબેન નાયક (અનાવિલ )મને જમવાનું આપવા આવ્યા બપોરે બારેક વાગ્યે . આ દિવસે સાંજે એક શીરી નામની અમેરિકન બાઈ મને મળવા આવવાની હતી . વિદ્યાબેને જ્યારે ડોલ બેલ માર્યો ત્યારે હું એને શીરી સમજેલો મને નવાઈ લાગી કે શીરી વહેલી કેમ આવી ? હું બોલ્યો શીરી હું હમણાજ બારણું ઉઘાડું છું . મેં બારણું ખોલ્यु અને વિદ્યાબેન બોલ્યા આ બીજી શીરી છે . સાંભળીને હું તો શરમાઈ ગયો .
आता न बुतखाने जाता न बूत परस्ती करता है
बुताँ को घर बुला करके इबादत उसकी करता है
ابھیتک مككمل بوت بنا نہیں جہاں میں
کیونکہ تراشگر نے سوچا،
اے بوت تجھے میں اور نكھارتا
گر تجھے خریدنا میرے اوقات میں ہوتا
اور جب اوقات بنی تو اس نے سوچا
اب میں كھريدنےكي اوقات میں ہوں
تو تراشنےكي مشقت کیوں کرو!
پتھر ہوتا تو بوت پرستی سے خوش ہو گیا ہوتا
عجب شكھش ہے وہ کسی بات سے خوش نہیں ہوتا
અભના મુક્કમલ મુજ્હે
પ્રજ્ઞાબેન મને અક્ષરો બરાબર ઘડ પડતા નથી . અભના મુક્કમલ મુજે એવું કૈઈક વંચાય છે જે હું સમજી નથી શક્યો .ઓકત શબ્દ એ કેવીરીતે લાગુ પડ્યો એ હું સમજી નો શક્યો .
તમે મને ઉર્દુ વાંચવા આપો છો એ સારી વાત છે મારો અભ્યાસ વધે છે . હવે જરા મોટા અક્ષરો લખવા કૃપા કરશો ..
ابھیتک مككمل بوت بنا نہیں جہاں میں
کیونکہ تراشگر نے سوچا،
اے بوت تجھے میں اور نكھارتا
گر تجھے خریدنا میرے اوقات میں ہوتا
اور جب اوقات بنی تو اس نے سوچا
اب میں كھريدنےكي اوقات میں ہوں
تو تراشنےكي مشقت کیوں کرو!
پتھر ہوتا تو بوت پرستی سے خوش ہو گیا ہوتا
عجب شكھش ہے وہ کسی بات سے خوش نہیں ہوتا
अभीतक मुक्कमल बूत बना नहीं जहाँ में
क्योकि तराशगिर ने सोचा ,
ऍ बूत तुझे मैं और निखारता
गर तुझे खरीदना मेरे औकात में होता और,
जब औकात बनी तो उसने सोचा अब मैं खरीदनेकी औकात में हूँ
तो तराशनेकी मशक्कत क्यूँ करू ?
તરાશ ગીર (મૂર્તિ બનાવનાર )ને અને તમને ધન્યવાદ
આતાજી મારા પટેલબાપા રોઝી સાથેનાના લફરામાં કેમ પડવુ તે શીખ્યા છે. જેમ જેમ પટેલબાપાની ઉમ્મર વધતી જાય છે તેમ તેમ એમની ગુંલાટો પણ વધતી જાય છે. સલામત રહે જવાની, બુઢાપા તો સો સો કોષ દૂર હૈ.
પટેલબાપાની જુવાનીને અને તમારી જુવાની વધતી રહે .