દેશીંગા દરબાર મુજફ્ફરખાન નો અંગ્રેજ અધિકારી સાથેનો વાર્તાlલાપ

Shri-symbol.svgDSCN1038

મારો પરમ સ્નેહી મિત્ર ક્રિશchris   મારા દાંત  વાળું  અને  બીજું bracelet  બ્રેસલેટ પહેરીને મારા લીવીંગ રૂમમાં સરસ્વતી દેવીની પિત્તળની બાલી ટાપુમાં બનેલી મૂર્તિ પાસે ઉભો છે  . આ ક્રિશ મને અનેક રીતે મદદ ગાર છે   . અને    એની વાઈફ  Priscilla
પણ  મારી બહુ કાળજી લ્યે છે  . આવા મિત્રોને લીધે હું દીકરાઓથી હજારો  માઈલ દુર એકલો રહું છું   . પણ મને એકલતા સાલતી નથી  .

મુજફ્ફરખાન  બાપુની  વાત કરતા પહેલાં મારા દાંતની  વાત કરી દઉં  . થોડા  દિવસ પહેલાં મેં મારો એક દાંત  મારા હાથે  ખેંચી કાઢેલો   ,એ વાત  આપ જાણો છો  , ગઈ કાલે હું મિત્રને ઘરે જમવા ગએલો  ત્યાં  મારો એક હલતો દાંત  રોટલી ચાવતાં નીકળી પડ્યો  . અને  જીભને આન્ટીએ  આવ્યો   . હું વિચારમાં પડી ગ્યોકે  આશું  રોટલીમાં કાંકરો ? कबाब में हड्डी ? પણ દાંતે જાતે પડી જઈને   ડેંટશની   અને મારી  મહેનત  બચાવવાનો ઉપકાર  કરેલો  .  આ દાંત મેં ખજૂરના ઠળીયાની બ્રીસ્લેટ  બનાવી છે  .એમાં ગોઠવ્યો છે  . કોઈ વખત  તમને દેખાડીશ  .  સાંભળવા પ્રમાણે  દાંત પડ્યા પછી  ડોકટરો   બીજી તકલીફ ઉભી ન થાય  એટલા દવા આપતા હોય છે   . પણ જાતે દાંત ખેંચી  કાઢનારને   દવાની જરૂર નહી  પડતી હોય   .
 હવે  બાપુની અંગ્રેજ અધિકારી  સાથેની વાત  , આપણા લોકો   ગોરા લોકોથી બહુ અંજાય ગએલા   . ગોરી ચામડી વાળા  ને  જોયા નથી કે  વાહે વાહે ફર્યા નથી  . અમેરિકામાં  આપણા કેટલાક યુવકો  બધા નહી   . ગોરી લલનાઓને ભાઠે  ભરાય છે અને પછી ભાઠા ખાય છે   . એલીઝાબેથ  જેવી સન્નારી તો   ભાગ્યેજ  જોવા મળે   .
એક વખત  સરદારગઢનાં  દરબાર  બતકોનો શિકાર કરવા  દેશીના આવ્યા અહીની નદી અને રત્નાગર સરોવરમાં  શિયાળામાં બતકો  આવતી હવે બતકોય નથી અને બગલાય નથી  દેખાતા   .
દેશીંગાના   ડેડક તમ્બુ તાણ્યા  અને તેમાં  રાજકોટથી  આવેલો ગોરો અધિકારી એના ગોરા નોકર સાથે આવેલો  આ રાજકોટના  અધિકારીને ગુજરાતીમાં     પ્રાંત  સાહેબ કહેતા મુજફ્ફરખા બાપુ એને મળવા  ગયા  . ગોરો હિન્દી બોલતો હતો  .અંગ્રેજો  કેટલા   સમયની  કીમત  સમજનારા હોય છે  . એવી  ગોરો બાપુ આગળ ડંફાશ મારતો હતો  .  એણે વટ બતાવવા  બાપુને કીધું  . देखो दरबार में अभी मेरा नोकरको  में गाव  में दुकनसे  एक बस्तु लानेके लिए भेजता हुँ उसको वहाँ जानेमे तीन मिनिट लगेगी और वापस आनेकी  टीन  मिनिट लगेगी  और दो मिनिट  वास्तु ढुंढ़नेमे  लगेगी  आठ  मिनिटमे वो वापस आ जाएगा  . અને બરાબર આઠ  મીનીટમાં  નોકર  પાછો આવી ગયો  . બાપુ  બોલ્યા   , हमारे लोग भी   बराबर समय का पालन करते है  हमको भी समय की कीमत है  . देखो में मेरे नोकरको  मेरा हुक्का लाने गढ़  में  भेजता हुँ उसको भी आने जानेकी छे मिनिट  लगेगी  और दो मिनिट  हुक्का  ढुंढ़नेकी  लगेगी  और वोह भी आठ मिनिटमे हुक्का लेके आ जाएगा।    बापूने चाँद खः को  बुलाया और उसको बोला  चांदखा जा मेरा हुक्का गढ़से ले आ    ચાંદ ખા  ને  મારા જેવા ગામડિયા લોકો સાણખા  કહેતા  એક  મુર્તજાખા  દરબાર હતા  તેને ગામડિયા  મુતર  ખાં બાપુ   કહેતા  આ મેં મારે કાનોકાન સાંભળેલું  છે  .  જોક નથી  . બરાબર આઠ મિનીટ થઇ ગઈ હતી અને બાપુએ ચાંદખા  ને જોયો  . બાપુ તાનમાં આવી ગયા અને ગોરાને કીધું   देखा मेरा नौकर  बराबर आठ मिनिटमे आ गया  .  બાપુએ  ચાંદખાંને  પૂછ્યું  . मेरा हुक्का कहाँ है   ? ચાંદખાં  બોલ્યો   . બાપુ હું હજી  હોકો લેવા ગયો નથી મારા પગરખા  ગોતું છું  .

9 responses to “દેશીંગા દરબાર મુજફ્ફરખાન નો અંગ્રેજ અધિકારી સાથેનો વાર્તાlલાપ

  1. pragnaju એપ્રિલ 27, 2015 પર 11:23 એ એમ (am)

    આપની જાતે જ દાંત પાડવાની વાત પરથી યાદ આવે ..
    દંત વૈદ્ય શ્રી લાભશંકરભાઇએ રાજકોટમાં દંતચિકિત્‍સાલય અને નિલકંઠ ઔષધાલય તથા નીલકંઠ ફાર્મસી શરૂ કરી. તેમણે સંશોધન ચાલુ રાખ્‍યા. તેના ફળ સ્‍વરૂપે જાલંધર બંધ યોગમાં સિદ્ધિ મેળવી તે યોગ દ્વારા સેવા કાર્ય આગળ ચલાવ્‍યું અને પોતાના અનુભુત યોગો તૈયાર કરી જનતાના ઉપયોગ માટે સમાજમાં મુકયા.જાલંધર બંધ યોગ પદ્ધતિથી દાંત ખેંચવા તથા દંતની શું માવજત અને ઉપયોગિતા વિશે તેમણે જણાવ્‍યું કે, ‘‘જેમાં દર્દીને કોઇ જાતની તકલીફ-કષ્‍ટ વગર એકજ બેઠકમાં પાંચ દાંત કાઢી શકાય છે. તેવી જ રીતે સતત પાંચ દિવસમાં રપ દાંત કાઢી દર્દીને રોગ મુકત કરી શકાય છે. તેમાં ઇંજેકશન આપવું કે અન્‍ય દવાની જરૂર પડતી નથી. ”
    અહીં તો દંત ચિકિત્સા ખૂબ મોંઘી છે તો આપની દોરવણી નીચે દંત સારવાર પોષણક્ષમ્ય બનાવી શકાય !
    ત્યારે ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ. આપતા મિત્સુહિરોએ કહ્યું…
    કશુંય ન હોવાપણાની ભાષાને
    બટકાં ભરવાથી ચેતજો
    તમારા દાંત ભાંગી જશે.
    એને આખેઆખી ગળી જાઓ…
    અને પડેલા દાંતના દાગીના બનાવવાનું તો શીખવા જેવું છે. આપની આ વિદ્યાનો વીડીયો ઉતારી મૂકશો.આપણે ત્યાં રસ્તા પર દાંતની સારવારના વીડીયો જુઓ
    Street Dentist by Qurrat-ul-Ain SiddiquI – YouTube
    Video for youtube street dental treatment▶ 9:00
    http://www.youtube.com/watch?v=fSDy9Qd70Aw
    May 31, 2011 – Uploaded by QurratFilms
    Like other forms of quackery, street dentistry is also thriving in Karachi city. … of tooth problems’, ‘dental treatment with money back guarantee’, દાંત કાઢવા જેવી આ વાત નથી બતાવવાના જુદા અને ચાવવાના જુદા રાખવાવાળાને દાંત માટે મારી નાંખવામા આવે છે!
    मेरा हुक्का कहाँ है ? યાદ આવે
    हर वक्त का साथी है मेरा हुक्का,
    मुझे सुकून और ताजगी देता है,
    मेरी ठिठुरन को आंच देता हुक्का,
    हर कश में मुझे आवाज़ देता है,
    गुड़-गुड़ से संगीत निकाले हुक्का,
    उम्र -दराजी में मुझे प्यार देता है,
    मेरी तन्हाई दूर करता मेरा हुक्का,
    अपने छोड़े, पर साथ देता है हुक्का.

  2. vimala એપ્રિલ 28, 2015 પર 12:15 પી એમ(pm)

    આતજી આપના દાંત વિષે વાંચતા મને પણ પ્રજ્ઞાબેનની જેમ રાજકોટના વૈદ્ય શ્રી લાભશંકર યાદ આવ્યા. અમદાવાદમાં
    મારા ઍક મામાના મિત્ર જેને અમે મામા જ કહેતા, તે હરીમામા પાસે જાલંધર પધ્ધતિથી મેં ચાર દાંત કઢાવેલ.
    હસતા-હસાવતા દાંત ખેંચી કાઢાતાને કહેતા કે: “ઘરે જઈને શીરો ખાજે”
    સસ્તી અને સલામત પધ્ધતિ હતી ઍમની.
    હા,બાકી દાંતનુ બ્રિસ્લેટ બનાવવા વાળા આપના કસબને જરૂર જોવો છે.

    દરબારના નોકારનુ દેશી સમય પાલન વખાણવા લાયક તો ખરું જ.

    • aataawaani એપ્રિલ 28, 2015 પર 8:17 પી એમ(pm)

      પ્રિય વિમલાબેન તમારી કોમેન્ટ મને ગમી .
      વષો પહેલા મારે સરકારી કામ માટે મારે ખુરજા( મધ્ય પ્રદેશ કે ઉત્તર પ્રદેશ ) જવાનું થયું અહી રોડ પાસે એક માણસ દાંત માટેની કશીક જાહેર ખબર કરતો હતો એની સામે લોકોનું ટોળું ઉભેલું હતું તેણે જાહેર કર્યું કે કોઈને દાંત કઢાવવો હોય તો આવો એક માણસ તેની પાસે ગયો . જાહેર ખબર વાળાએ પોતાની એકજ આંગળી દાંત નીચે ભરાવીને દાંત કાઢી નાખ્યો આ મેં નજરે જોએલી વાત છે .

      • aataawaani એપ્રિલ 28, 2015 પર 8:46 પી એમ(pm)

        પ્રિય વિમલાબેન
        મારી બ્રેસલેટ , માળાઓ . બનાવવાની કળા જોવા જરૂર પધારો હું તમારું ભાવ ભીનું સ્વાગત કરીશ . . એક બ્રેસલેટ તમને ભેટ આપીશ . પણ દાંત વાળી નહિ હો બીજી
        ચણા ની માળા બનાવી છે એપણ આપીશ એક કોફીના કાચા દાણા ની માળા બનાવી હતી મારા મિત્ર ક્રિશ માટે . ક્રિષ્ના દીકરા એ જોઈ અને પોતાના ગળામાં પહેરી લીધી .
        મારો મોટો દીકરો કહે મને ચણાની માળા બનાવતા શીખવો મેં કીધું તુને શીખવું તો ખરો પણ તું કરી નહિ શકે તુને બહુ કંટાળો આવશે ,
        એક મારા માટે ખાવાનું લઈઆવનાર બાઈને મેં ખજૂરના ઠ ળિયા ની માળા દેખાડી એ બોલી મને બહુ ગમે છે . માળા હું રાખું ? મેં હ્ર્ખુડા એ બે માળા દેખાડી અને કીધું તારે જોઈએ એ એક લઇ લે એણે બેય માળા ઠોકરડી લીધી અને બોલી એક મારા માટે અને એક મારા દીકરા માટે . આ છોકરીનો ફોટો મેં “આતાવાણી” માં મુક્યો છે .

        • pragnaju એપ્રિલ 30, 2015 પર 1:49 પી એમ(pm)

          આ સિવાય ૧૦૮ મણકાની માળા બનાવો…
          મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા ૧૦૮ મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે ૧ મિનિટમાં ૧૫ વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય ૨૪ કલાકમાં ૨૧,૬00 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના ૧૨કલાક જો બાદ કરી લઈએ તો દિવસના ૧૨ કલાકમાં મનુષ્ય ૧૦,૮૦૦ વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું ૧00ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો ૧૦૮ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું ૧00ગણું ફળ મળે. તે ગણતરીએ (૧૦૮ x ૧00 = ૧૦૮00) માળામાં ૧૦૮ મણકા પરોવવામાં આવ્યા હતા. ૧૦૮ મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.

          ૧૦૮ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ ૨૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી ૨૭ નક્ષત્રોના મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે ૧૦૮ મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.

          માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.આપણા હવાઇ ટાપુ માં રુદ્રાક્ષના ઝાડનું વન છે

        • aataawaani એપ્રિલ 30, 2015 પર 5:25 પી એમ(pm)

          પ્રિય પ્રજ્ઞા એન તમે  માળા વિશેની  સરસ માહિતી આપી  .. મારા બાપ આટલું બધું જ્ઞાન  તમે તમારા મગજમાં ક્યે ઠેકાણે ભરી રાખ્યું છે  .? મેં એક માળા  મારા મિત્ર ક્રિશને   ક્રિશ્ચિયન નાં નિયમો પ્રમાણેની માળા  બનાવી આપી છે  . એરીજોનામાં  અનેક પ્રકારના ખજુર  થાય છે   . પણ લોકો  તેનો ઉપયોગ નથી કરતા    એના ફૂલો આવતા હોય  ત્યારેજ તેને કાપી નાખે છે  .એક જાતનો ખજુર   થાય છે  . તે  પક્ષીઓ  ખાય છે  એના ઠળિયા  એક સરખા અને સુંદર હોય છે  . ખાસ કરીને હું આ ઠળિયા ની  હું માળા બ્રેસલેટ પટા વગેરે બનાવું છું  . મારા ઘર સામેના  પાડોશીને આ જાતની ખજૂરી છે  . જો એને કાપી નાખવામાં વાર થાય તો ખજુર  તૈયાર થઇ જાય છે પછી એ કપાવી નાખે છે  . આ ખજુર હું  મારા ઘરે મુકવા માટે મજુરને કહું છું  . હું તો આ ખજૂરને ખાઉં છું  . આ જાતના ખજૂરમાં ઠળીયો અને છાલ હોય  છે ગર્ભ  બહુ ઓછો હોય છે  . હવે  હું આ ખજુર તૈયાર થશે એટલે હું  108  મણકાની  માળા  બનાવીશ   .  મારા આંગણામાં  મેં સારી જાતનો ખજુર ખાઈને  એના ઠળિયા  વાવ્યા છે  . આવી છ ખજુરીઓ છે    . કોઈ કોઈ માં ફૂલ આવે છે પણ ફળ  થતાં નથી  .      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Thursday, April 30, 2015 1:49 PM Subject: [આતાવાણી] Comment: “દેશીંગા દરબાર મુજફ્ફરખાન નો અંગ્રેજ અધિકારી સાથેનો વાર્તાlલાપ” #yiv2706815429 a:hover {color:red;}#yiv2706815429 a {text-decoration:none;color:#0088cc;}#yiv2706815429 a.yiv2706815429primaryactionlink:link, #yiv2706815429 a.yiv2706815429primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2706815429 a.yiv2706815429primaryactionlink:hover, #yiv2706815429 a.yiv2706815429primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2706815429 WordPress.com | | |

        • aataawaani એપ્રિલ 30, 2015 પર 5:24 પી એમ(pm)

          પ્રિય પ્રજ્ઞા એન
          તમે માળા વિશેની સરસ માહિતી આપી ..
          મારા બાપ આટલું બધું જ્ઞાન તમે તમારા મગજમાં ક્યે ઠેકાણે ભરી રાખ્યું છે .?
          મેં એક માળા મારા મિત્ર ક્રિશને ક્રિશ્ચિયન નાં નિયમો પ્રમાણેની માળા બનાવી આપી છે .
          એરીજોનામાં અનેક પ્રકારના ખજુર થાય છે . પણ લોકો તેનો ઉપયોગ નથી કરતા એના ફૂલો આવતા હોય ત્યારેજ તેને કાપી નાખે છે .એક જાતનો ખજુર થાય છે . તે પક્ષીઓ ખાય છે એના ઠળિયા એક સરખા અને સુંદર હોય છે . ખાસ કરીને હું આ ઠળિયા ની હું માળા બ્રેસલેટ પટા વગેરે બનાવું છું . મારા ઘર સામેના પાડોશીને આ જાતની ખજૂરી છે . જો એને કાપી નાખવામાં વાર થાય તો ખજુર તૈયાર થઇ જાય છે પછી એ કપાવી નાખે છે . આ ખજુર હું મારા ઘરે મુકવા માટે મજુરને કહું છું . હું તો આ ખજૂરને ખાઉં છું . આ જાતના ખજૂરમાં ઠળીયો અને છાલ હોય છે ગર્ભ બહુ ઓછો હોય છે . હવે હું આ ખજુર તૈયાર થશે એટલે હું 108 મણકાની માળા બનાવીશ . મારા આંગણામાં મેં સારી જાતનો ખજુર ખાઈને એના ઠળિયા વાવ્યા છે . આવી છ ખજુરીઓ છે . કોઈ કોઈ માં ફૂલ આવે છે પણ ફળ થતાં નથી .

  3. રીતેશ મોકાસણા એપ્રિલ 29, 2015 પર 10:39 પી એમ(pm)

    લેખને અંતે ખુબ હસવું આવ્યું. આને હું મારા હાસ્ય લેખમાં ચોક્કસ સમાવીશ, થોડી બીજી રીતે.

  4. aataawaani એપ્રિલ 30, 2015 પર 8:07 એ એમ (am)

    મારી વાતોની કદર થઇ અને મારા લખાણની કિમત વધી એથી મને બહુ ખુશી થઈ , ધન્યવાદ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: