

દેવરખીભાઈ દેશીંગામાં જન્મેલા એક વિશિષ્ટ વ્યક્તિ હતા.તેને પરગજુ કહેવા પડે . તેણે વર્ષાઋતુમાં ભાદર નદીમાં નાહવા પડેલા ઘણા માણસોને ડૂબી જતા બચાવેલા છે .પણ એ બાબત કોઈની શાબાશીની કે બીજી કોઈ પ્રકારની આશા રાખ્યા વગર ,
कर्मण्येवा धिकरस्ते माँ फलेषु कदाचन એ શ્રીમ દ્ભગ વદ ગીતાના વાક્ય વિષે કશું જાણતા નોતા પણ તેમની વર્તણુક એ પ્રકારની હતી . હું તેમના બે દૃષ્ટાંત આપું છું .તે પહેલાં તેમના નામનો અર્થ કહું છું . દેવરખી એ દેવર્ષિનો અપભ્રંશ શબ્દ છે . દેવર્ષિ એ નારદ ઋષિનું નામ છે . વેદમાં અને લોકભાષા માં “ષ “અક્ષર નો ઉચ્ચાર ઘણી વખત “ખ ” કરવામાં આવે છે . એવી રીતે” મારખી ” એ મહાઋષિ શબ્દનું અપભ્રંશ છે . મહાઋષિ (મહર્ષિ ) એ વિશ્વામિત્ર ઋષિનું નામ છે .
ઉનાળામાં સુકીભઠ થઇ ગએલી ભાદરમાં જ્યારે નવા પાણીનું આગમન થઇ રહ્યું હોય એ પાણીને જે માણસ પહેલ વહેલું જુવે એ હર્ષની કિકિયારી કરતો દોડતો ગામ તરફ આવે . “પાણી આવેસ પાણી આવેસ” અને ગામના લોકો
દોડતા નદી તરફ પાણી જોવા આવે એમાં દેવરખી ભાઈ પણ હોય . જોત જોતામાં તો નદી બે કઠો કઠ થઇ ગઈ , હોય પાણી પુર જોસથી ધસતું આવતું હોય . અને આવા પાણીમાં બારથી પંદર વરસની ઉમરના નાદાન છોકરા પહેરેલાં કપડાં કાઢી નાખી નાગા પુગા પાણીમાં ખાબકે એક વખત એક રતિલાલ કરીને છોકરો નાહવા પડ્યો .આ રતિલાલ એ રૂગનાથ રૂઘા નો મોટો ભાઈ આ રૂઘા નું દરબારે ટીટો નામ પાડેલું આ રુઘાના અહિંસક સિદ્ધાંતો વિશેની રમુજી વાત મેં “આતાવાણી ” માં લખી છે . રુઘાનો નાનો ભાઈ મગન બી। એ સુધી ભણેલો બાકી રુઘો અને રતિલાલ ચાર ચોપડી ગુજરાતી ભણેલા . મગને એના આખા કુટુંબને કલકત્તા લઈ ગએલો હાલ એ કુટુંબ કલકત્તા વસે છે .
નદીમાં આવતા પાણીને જોવા માટે લોકો નદી કાંઠે ઉભા હોય અને છોકરાઓ નાહતા હોય . દેવરખી ભાઈ પણ પાણી જોવા માટે નદી કિનારે ઉભા હોય . પાણીમાં નાહતાં નાહતાં રતિલાલ ડૂબવા માંડ્યો . દેવરખી ભાઈએ આ દૃશ્ય જોયું . અને તેઓ પહેરેલે કપડે નદીમાં ખાબક્યા અને ડૂબતા રતિલાલને ઉચકી લીધો અને નદી કિનારે મૂકી દીધો .અને પોતે એમ ને એમ પલળેલે કપડે પાણી જોવા ઉભા રહી ગયા . એ નતો કપડાં બદલવા પોતાને ઘરે ગયા કે ન રતિલાલને લઈને એના બાપને સોંપવા અને બાપના મોઢેથી આભાર નો શબ્દ સંભાળવા રતિલાલને ઘરે ગયા .
ગામ લોકોએ રતિલાલના બાપ ધનજી ભાઈ ઉર્ફે પોલા ભાઈને કીધું કે આજ જો દેવરખીએ રતીયાને દ્બ્તો નો બચાવ્યો હોત તો રતીયો તણાઈ જવાનો હતો .
એક વખત જુણેજ ગામનો કડવો મેર કુતિયાણા નજીકના કોઈ ગામે પોતાના સગાને ત્યાં ભર ચોમાસે સગાને કોઈ કામમાં મદદ કરવા અથવા મહેમાન ગતી માણવા ગએલો . અને પછી જુણેજ પોતાને ગામ આવવા પાછો ફર્યો . સગાઓએ રોકાઈ જવા ઘણો સમજાવ્યો કેમકે કુતિયાણા પાસેની મોટી ભાદર ભરપુર પાણીથી વહેતી હતી .અને આ ભાદર અને દેશીંગા પાસેની નાની ભાદર કડવાને પાર કરવાની હતી .
કડવાને મૃત્યુ પોકારતું હશે એટલે કડવે કોઈનું માન્યું નહિ અને હાલતો થઇ ગયો . કડવો પહેરેલે કપડે મોટી ભાદરમાં પડ્યો અને નદી પાર કરી ગયો .અને પછી દેશીંગાને માર્ગે ચાલવા માંડ્યો . આ રસ્તે લગભગ ત્રણ માઈલ સુધી પાણી બહુ ઊંડું ન હોય બહુ બહુ તો ગળા સમાણું હોય . પણ પછી દેશીંગા આવે ત્યારે ત્યાની નાની ભાદર વેગવાળા પાણીથી વહેતી હોય . આવા પાણીમાં ઉતરવાનું જોખમ ભાગ્યેજ કોઈ લ્યે એક પ્રસંગ યાદ આવ્યો જે કહું છું . મયુર કન્ડોરીયાના દાદા વિરા ભાઈના બાપ કરસન ભાઈ કે જે મુજફ્ફર દરબાર નાં મિત્ર ભોજબાપાના દિકરા આ કરસન ભાઈ નદીકાંઠા નાં ખેતર ગએલા અને ઘેર પાછા આવવું હતું . પણ તેઓએ ભરપુર વહેતી ગાંડી તુર નદી ઊતરવાનું મૂર્ખાઈ ભર્યું સાહસ ન કરતાં બાવળના ઝાડ ઉપર ચડી જઈને ભૂખ્યા રહીને બે રાતો વિતાવી એક કાળો નાગ પણ જીવ બચાવવા કરસન ભાઈ બેઠા હતા , એ બાવળ ઉપર કારણ ભાઈથી નજીક બેસીને વિશ્રાંતિ લીધી . એ માણસ નોતો કે વિના કારણ કોઈને મારી નાખે . . કરસન ભાઈ પછી પાણી ઉતર્યું અને ઘર ભેગા થયા . આ પ્રસંગની વાત કરસન ભાઈ કરતા હોય કે હું નાગ બાપાને કહેતો હતો કે બાપા તમારે કરડવું હોય તો ખુશીથી કરડજો પાણીમાં બૂડી જઈને મરવા કરતાં તમારા ઝેરથી હું મારીશ એ મને વધારે ગમશે . આં આતો નાગ જેને હિંદુ લોકોએ દેવ ની કક્ષા માં મુક્યા છે એ વિનાકારણ કદી કોઈને વિના કારણ પજવે નહિ . અને આજ વિશ્વાસે હું નાગ દેવતાને મારા ખુલ્લા હાથ થી આસાની થી પકડી લઉં છું .
થાકેલો અને ભૂખ્યો કડવો દેશીંગાનાં નદી કાંઠે આવેલા પાદરીયા પીપરા પાસે નદી ઉતરવાના વિચારમાં ઉભો રહ્યો . નદીના આ કાંઠે પાણી જોવા ઉભેલા લોકોએ કડવાને કીધું કે થોડી વારમાં અમો હુડી વાળાને મોકલીએ છીએ એ તુને નદી પાર કરાવીને ગામમાં લઇ આવશે .હુડી એ ચાર તુમ્બડાને દોરડા વડે ગૂંથીને બનાવી હોય જેમાં વચ્ચે એક માણસ બેસે અને પોતાના પગની મદદથી પાણી તરે જે માણસને પાર ઉતારવો હોય એ માણસ હુડીના પાછળની દોરી પકડીને આવે પાણીમાં પગ પછાડતો પછાડતો . એનું જે સામાન હોય એ હુડી વાળો પોતાના માથા ઉપર મુકે અને એને એક હાથે પકડી રાખે અને બીજા હાથ અને બે પગ વડે પાણી કાપીને નદી કિનારે આવે .
પણ કડવો કોઈનું માન્યો નહિ . અને મગરૂરીથી બોલ્યો મોટી ભાદર તરીને હું અહી સુધી આવ્યો છું તો આ તમારી ભાદર્દી મને શું કરી શકવાની હતી .પણ કડવાને ક્યા ખબર હતી કે આ ભાદરડીજ તુને ભરખી જવાની છે .
કડવો નદીમાં ખાબક્યો નદી વચ્ચે આવ્યો . થાકેલો અને ભૂખ્યો કડવો ડૂબવા માંડ્યો આ ડૂબતા કડવાને દેવરખી ભાઈએ જોયો .પણ દેવરખી ભાઈ જેનું નામ એ કંઇ જાલ્યો રહે . ઇતો પહેરે કપડે કડવાને બચાવવા નદીમાં પડ્યા અને ડૂબતા કડવાને ઉચકી લીધો . અને મહામુસીબતે નદી પાર કરી રહ્યા હતા . પણ ઘભરએલો કડવો બચવા માટે વલખાં મારતો હતો . એ દેવરખી ભાઈનું માથું દબાવી એના ખભા ઉપર ચડી બેઠો . ક્યાં સવાછ ફીટ ઉંચો કડવો અને ક્યાં આ પાંચ ફીટ બે ઇંચના દેવરખી ભાઈ હવે દેવરખી ભાઈ ને ડૂબવાનો વારો આવ્યો . પછી ન છુટકે પોતાનો જીવ બચાવવા કડવાને પડતો મુકવો પડ્યો . અને માંડ દેવરખી ભાઈ બચી શક્યા। અને કડવો તણાઈ ગયો . બીજે દિવસે પાણી ઉતર્યું અને કળવાની લાશ ઠાકોરના તળ પાસે દેખાણી . જુણેજ કડવાના મૃત્યુના માઠા સમાચાર એના સગા વ્હાલાઓને આપવામાં આવ્યા . સગાઓએ આવીને ક્ડવાની લાશનો અગ્નિ સંસ્કાર કર્યો
आगाह अपनी मौतसे कोई बशर नही , सामान सो बरस्का पलकी खबर नहीं .
आगाह = जानकार बशर = मनुष्य
Like this:
Like Loading...
Related
વાહ આતાજી નામ સ્થળ જુદા પણ આ તો અમારા અનુભવની વાત.અમારા સૂરત જીલ્લામા વરસાદની હેલી થાય
અને જંગલમાંથી તણાઇ આવતા લાકડા કાઢવા આદિવાસી જુવાનીઆ તાપીમા કુદે !તેમા કોઇ બુડી મરતો નથી જોયો અને ગામના કોતરમા ઉતરવાનું સાહસ કર્યું તો કડવા જેવું થાય!
ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूखा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु।
થી આશીસ આપતા અમને પંડીતે
ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु
કહી ભૂલ સુધારવાનું કહ્યું ત્યારે અમે કહ્યું અમે વેદગાન આ રીતે કરીએ છીએ.
યાદ ભવાયા ગાતા હતા
રંગલો: તા થૈયા થૈયા થઈ થઈ
રંગલી: તા થૈયા થૈયા થઈ થઈ
આવી આવી ભાદરવાની રેલ
કે ભાદર ગાજે છે
એમાં મનુ તણાતો જાય
કે ભાદર ગાજે છે
નાખો નાખો કનુભાઈ દોર
કે ભાદર ગાજે છે
તાણો તાણો તો તૂટી જાય
કે ભાદર ગાજે છે
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે
એમાં મનુને રમવા મેલોને
એને નાકે ઓલી નથડી પહેરાવો રે
પછી મનુને રમવા મેલોને
એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે
પછી મનુને રમવા મેલોને
એને તગતગતું કાપડું ચડાવો રે
પછી મનુને રમવા મેલોને
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે
એમાં મનુને રમવા મેલોને
आगाह अपनी मौत से कोई बशर नहीं
सामान सौ बरस के हैं कल की ख़बर नहीं
આગળ ગાઇએ
आ जाएँ रोब-ए-ग़ैर में हम वो बशर नहीं
कुछ आप की तरह हमें लोगों का डर नहीं
इक तो शब-ए-फ़िराक़ के सदमे हैं जाँ-गुदाज़
अंधेर इस पे ये है कि होती सहर नहीं
क्या कहिए इस तरह के तलव्वुन-मिज़ाज को
वादे का है ये हाल इधर हाँ उधर नहीं
रखते क़दम जो वादी-ए-उल्फ़त में बे-धड़क
‘हैरत’ सिवा तुम्हारे किसी का जिगर नहीं
છેલ્લે રમુજ
અમારા ગોરને ફળો ભાવે નહીં તેથી કાજુ બદામના પ્રસાદનો આગ્રહ રાખે.!
કોઈ પૂછે તો કહે ગીતામા કહ્યું છે કે माँ फलेषु कदाचन
પ્રજ્ઞાબેન, આપના ગોરામહારાજે ગીતાના કૃષ્ણબોધને જીવનમાં સાચી રીતે ઉતાર્યો લાગે છે.
પ્રિય વિમલા બેન ગોહિલ
મારી માની યાદ શક્તિ ગજબની હતી .અમારા ઘરમાં એક “શ્રવણ ની પિતૃ ભક્તિ ” નામની એક ચોપડી હતી . એ ચોપડી અક્ષરે અક્ષર મા બોલી જતાં હજારો ગીતો એને મોઢે હતાં . એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી બલકે હજાર કરતાં પણ વધારે હશે .એથી વધારે નવાઈની વાત એ છે કે એક ઉર્દુ ગજલ
અજબ હૈરાન હું ભગવાન તુઝે કયો કર રીજાવું મેં
મા આખી ગજલ બોલતાં
હૈરત ઈલાહાબાદીનો શેર મા બોલતાં હૈરત કલ્કી ખબર નહિ એમ લખે છે મા પલકી ખબર નહિ એમ બોલતા
આ આખી ગજલ પ્રજ્ઞા બેન વ્યાસે મને કોમેન્ટ આપી એમાં લખી છે .
સાચી વાત લાગે છે .
આતાજી આ ઉમ્મરે તમને આટલું બધું યાદ કઈ રીતે રહે છે, હું તો એંસીમા એક ઓછો છું તો પણ બધું ભૂલી જાઉં છું. કોઈ ફાકી બાકી હોય તો મને મોકલજો !!!
પ્રિય દાવડા ભાઈ
મારો મોટો દીકરો પણ તમારી જેમ કહે છે કે તમને આટલું જુનું યાદ કેમ રહે છે .
મારી માની યાદ શક્તિ મારા લોહીમાં ઉતરી આવી હોય તો કહેવાય નહિ . બાકી કોઈ ફાકી બાકી મેં ખાધી નથી .
અને હવે મારી શારીરિક અને માનસિક શક્તિ ટકાવી રાખવાનો યશ હું તમારા જેવા ઉત્સાહ પ્રેરકને મિત્રોને આપું છું .
આતાજી ,આપની ક્ર્માવાર ઘટના સહિતની દરેક વિસ્તૃત પોસ્ટ વાંચીને દાવાડા સાહેબ જેવો જ સવાલ
થતો, દાવાડા સાહેબના સવાલેથી અમને પણ જવાબ મળી ગયો.
આભાર આપની સાથે સાહેબનો પણ.
દેવરખી ભાઈ મેઘવાળે દેશીંગાની ભાદર નદીમાં ડૂબી જતા કેટલાય માણસોને બચાવ્યા છે …..SUNDAR KARYA.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
tmaro ghano aabhaar do .chandrvdn bhaai