સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 143,665 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ગિરનારમાં કુલ ૫૦૦૦ પગથિયાં છે. ૩૫૦૦ પગથિયાં ચડી જૈન યાત્રાળુઓ ભગવાન નૈમિનાથના ચરણે મસ્તક નમાવે છે. પછીનાં ૧૫૦૦ પગથિયાં ચડતાં અંબિકાનું પ્રસિદ્ધ મંદિર આવે છે. આ ઉપરાંત ગુરૂ ગોરખનાથ, દત્તાત્રેય, મા કાલકા વગેરે ટૂંકોએ તથા સહસાવન, ભરતવન, વગેરે જગ્યાઓએ યાત્રાળુઓ યાત્રા કરે છે. દરેક સ્થળોએ જતા યાત્રાળુઓને પુષ્કળ થાક લાગે છે એ વાત સાચી, પણ કષ્ટ સહન કરીને પૂર્ણ કરેલી યાત્રાના આનંદમાં સઘળો થાક ભૂલાઇ જાય છે. જૂનાગઢ-ગિરનારની મુલાકાતે આવનારા લોકોમાંથી ૯૫ ટકા લોકો ગિરનારની યાત્રા પગથિયાં ચડી પૂર્ણ કરે છે. બે ટકા યાત્રાળુઓ ડોળી દ્વારા ગિરનાર ચડે છે. અને પૈસા ન ખર્ચી શકનાર (ડોળીના) વૃદ્ધ અને અશક્ત હોય તેવા માંડ ત્રણ ટકા મુલાકાતીઓે તળેટીથી દર્શન કરી પાછા વળી જાય છે.
આતાજી,હવે ગિરનાર રોપવેને લીધે જુનાગઢ આવતા પર્યટકોની સંખ્યામાં વાર્ષિક ૨૦ લાખનો વધારો થવાનો અંદાજ છે. જેના થકી વાર્ષિક રૂા ૧૦૦ કરોડની આવક થશે. અને તેનાથી અનેકને રોજગારી પણ મળશે.
ગીરનાર વિશેની માહિતી તમારી પાસે ઘણી બધી છે .
હું ભરતવન શેષ વન હનુમાન ધારા પરબની જગ્યા વગેરે ઠેકાણે જઈ આવ્યો છું . પણ ગુરુ દત્તાત્રય ના શિખરથી આગળ કાલકા શિખર વગેરે ઠેકાણે ગયો નથી .
દાતારના શિખર થી ઝાડીમાંથી પસાર થઈને પગથીએ આવ્યો એ રીતે હનુમાન ધારાથી ઝાડીમાં થઈને ઠેઠ વડાલ ગએલો છું . પણ ઈ જવાની હવે જતી રહી .
આતાશ્રીના દરેક લેખમાં મને તો નવું જાણવા મળે જ છે એટલું જ નહિ પણ સાથે સાથે પ્રજ્ઞાબહેનની કોમેન્ટ પણ માહિતી પ્રધાન અને મારે માટે શૈક્ષણિક બની રહે છે.
પ્રજ્ઞા બેનનો મને પહેલ વહેલો પરિચય થયો . અને મેં એમની કોમેન્ટ વાચી હું તો એટલો બધો ખુશ થઇ ગયો કે કહેવાની વાત નહિ .એમની કોમેન્ટ મારા લખાણને લાગતીજ હોય છે .
ગીરનાર નો ભાગજ કહેવાય છે જે બીલખા આશ્રમથી ત્રણેક માઈલ દુર એક રામનાથનું મંદિર છે . તેની બાજુની ટેકરી ઉપર લાંબા વિશાળ ત્રણ પત્થરના ટુકડા છે જે હેડીમ્બાના માણીગા તરીકે ઓળખાય છે . માણીગાનો અર્થ તો તમે સમજી ગયા હશો .
આતાની વાતો ખુબ જ રસપ્રદ હોય છે અને તેમાં પ્રજ્ઞાબેને સારી એવી વધુ માહિતી પૂરી પાડી. હું એકવાર ગુરુ દત્તાત્રેયનાં શિખર પર ગયેલો છું. અંબાજી પછી નીચે ઉતારવનું અને પાછું ઉપર ચઢવાનું. અંબાજી અને ગુરુ શિખરની વચ્ચે પહોચીએ ત્યારે “સાપે છછુંદર” ગળ્યા જેવી હાલત થાય. બેઉ બાજુ ઉંચાઈ જોઇને ક્યાં ફસાઈ ગયા એવી લાગણી થાય. તેમાં પણ નીચે ઉતરતી વખતે જેવો પગથીયા પર પગ ઉતરવા મુકો કે માથામાં કરંટ જેવો લાગે. તે જમાનામાં પગ દુખતા હોય ત્યારે કેરોસીન લોકો લગાડતા.
પ્રિય વિપુલ ભાઈ
મને પણ જ્યારે હું ગીરનાર ચડીને ઉતર્યો હોઉં અને પછી કોઈક બિલ્ડીંગ નાં પગથીયા જોઉં તો ધ્રુજી ઉઠતો . મને એમ થતું કે આ પગથીયાં ચડવાં પડશે ?
પ્રજ્ઞા બેન કોમેન્ટ અહાહા તો મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરે એવી લખે છે .
રસપ્રદ વાતો !!! આતાશ્રી હજી હમણા જ તમારા બ્લોગ વાંચવા નુ ચાલુ કર્યુ છે. એવુ લાગે છે કે મોજ અને જ્ઞાન ની ઋતુ આવી.