આભડ છટ ” દાળ શાક મીઠા વિનાના હોય તો નો અભડાય રોટલીનો લોટ દુધથી અથવા શ્રી ફળના પાણી થી બાંધો તો નો અભડાય .

swasticaOm

હું જયારે બીલખા સંસ્કૃત ભણતો ત્યારે પ્રારંભમાં  સંધ્યા અમુક દેવ દેવતાઓના સ્તોત્રો ભણાવનારા દયારામ શાસ્ત્રી હતા  . હું ભણતો એ વાતને વર્ષો વીતી ગ્યાં  .પછી તો હું અમદાવાદમાં નોકરી પણ કરવા મન્ડેલો  .દયારામ ગુરુજીને તે વખતના બિલખા દરબાર  રાવત વાળાએ  ગુરુજીને વિશાળ જગ્યા ભેટ આપેલી  .આ જગ્યામાં ગુરુજીએ પોતાને રહેવા માટે સારું કહી શકાયevu મકાન બાંધેલું અને યાર્ડમાં ઘણા ફૂલ ઝાડ પણ વાવેલાં હું જયારે તેમને મળવા ગએલો ત્યારે તેમના પત્ની  સ્વર્ગમાં જતા રહેલાં  અને દીકરા અને દીકરી પોત પોતાની રીતે બીજે ગામ રહેતા હતાં એટલે ગુરુજી એકલા રહેતા હતા  . એક કામ વાળી 55 વરસની ઉમરની રાખેલી  એ બધું ઘર કામ કરતી  મીઠું નાખ્યા વગરનું શાક દાળ પણ બનાવી આપતી અને ગાયના દુધથી લોટ બાંધીને રોટલી પણ બનાવી આપતી   . શાક વગેરેમાં  ગુરુજી અભડાય ન જાય એટલા માટે પોતે જાતે મીઠું નાખી લ્યે   . ગુરુજીનો મારા ઉપર એટલો બધો પ્રેમ કે કહેવાની વાત નહિ   ,આગ્રહ કરી કરીને જમાડે અને વધારે રોકાય જવા માટે આગ્રહ કરે  .
કામવાળી રાધાબેન મને પૂછે  ભાઈ તમે તો મારા હાથની રસોઈ જમો તો વાંધો નથીને  ? મેં કીધું બેન  મેં આભડ છટ ઉપર વિજય મેળવી લીધો છે  . એટલે આભડ  છટ મારાથી દુર ભાગે છે  . સાંભળીને ગુરુજી તાડૂક્યા    મને  કહે તું  તારે ઘરે જેમ કરતો હોય એમ કરજે પણ મારે ઘરે હું તુને નહિ વટલવા  દઉં  . .
ગુરુજી રાધાબેન સાંભળે એમ  મને કહે આ રાધા બેન બહુ પવિત્ર  હૃદય  વાળાં  છે  . એને માતાજી  સરમાં(શરીર માં પ્રવેશ કરવો )આવે છે ત્યારે એ ધુણે છે અને કોઈ એને પગે પડીને વિનંતી  કરે તો એની મનો કામના પૂર્ણ કરે છે   .  તું અહી હોય દરમ્યાન જો એમને ઓથાર આવે તો તું એના પગમાં પડી જજે અને તારે જે કઈ  માગવું હોય એ માગી લેજે   . મેં કીધું ભલે ગુરુજી  .
એક વખત ગુરુજી  યાર્ડમાં ફૂલ લેવા ગયા હતા  . જતા પહેલાં મને  એક ચોપડીયોનો કબાટ દેખાડીને  મને કીધું  કે  આમાંથી તારે જે જોઈએ એ ચોપડી વાંચજે    . મેં કીધું ભલે ગુરુજી  . અને ગુરુજી ફૂલ લેવા ગયા   .
રાધા બેને મને કીધુકે  ચોપડીઓ પછી વાંચજો  .હમણાં  બેસો  મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે  . તમને કંપની આપવા હું  રોકાણી છું   . પછી મેં ચોપડી પડતી મૂકી અને એમની વાતો સાંભળવા  બેઠો  . મેં કીધું રાધા બેન  ગુરુજી આવશે તો મને ખીજાશે કહે શે કે મેં તુને  ચોપડી વાંચવાનું કીધું અને તું  આ બેનને  ખોટી કરીને રોકી રાખી  . રાધાબેન કહે  ગુરુજી બગીચામાં  જાય છે  , ત્યારે એને  સમય નું ભાન નથી રહેતું  એતો છોડવાઓ સાથે વાતો કરવા પણ મંડી જાય    અને ત્યાં આરામ ખુરસી પડી છે એના ઉપર બેસી જાય અને ઝોકાં પણ મારી લ્યે  .
રાધાબેને થોડીક વાતો કર્યા પછી  . ઓચિંતા  ધ્રુજવા માંડ્યા  .  . મને તુર્ત ખ્યાલ આવી ગયો કે  રાધા બેનને  માતા  સરમાં આવ્યાં  લાગે છે એટલે હૂતો એમના ચરણમાં માથું નમાવ્યું અને પીંડી ગોઠણ  દબાવવા માંડ્યો  અને એથી પણ ઉચે જઈને   ઘાઘરા  નીચે હાથ ઘાલીને  સાથળો  દબાવવા મંડ્યો  . એમાં હું  માતા પાસે વરદાન માગવાનું ભૂલી ગયો  . એટલામાં ગુરુજી આવ્યા  .  અને મને કહે એ હમેંશા  વિદ્યાર્થી ઉપર ખીજાય   ત્યારે બોલે હે માળા  લંઠ  એલા માતાજી જ્યારે રાધાબેનને  સરમાં ત્યારે એને પગે લાગવાનું હોય  અને કાઈ  વરદાન માગવાનું હોય આતો તું   પગે લાગવાને બદલે   કયાનો ક્યા પહોંચી ગયો  . આતો સારું થયું  હું આવી પહોંચ્યો  નહીતર તારા હાથ ક્યાં નાં ક્યાં પહોંચી જાત  .
આ મારા પરમ પ્રિય ગુરુજી   વિષે મેં “આતાવાણી ” માં સાનઢા  નાં તેલ વિષે વાત લખી છે  .

6 responses to “આભડ છટ ” દાળ શાક મીઠા વિનાના હોય તો નો અભડાય રોટલીનો લોટ દુધથી અથવા શ્રી ફળના પાણી થી બાંધો તો નો અભડાય .

  1. pragnaju માર્ચ 20, 2015 પર 5:50 એ એમ (am)

    માતાજી આવ્યા ?.શું આવું ખરેખર બની શકે? થોડાં સમય અગાઉ સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકે તો બ્રહ્માંડનું સર્જન પણ ઇશ્વર દ્વારા નહિં થયું હોવાનો દાવો કરી ઇશ્વરના અસ્તિત્વ અંગે જ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ત્યારે ઇશ્વર પામર માનવીના નશ્વર દેહમાં આવે એ વાતમાં તમે વિશ્વાસ ધરાવો છો? હું ઇશ્વરના અસ્તિત્વમાં ચોક્કસ વિશ્વાસ ધરાવું છું. હું પ્રાર્થનામાં પણ શ્રદ્ધા રાખું છું અને અનિયમિતપણે પણ તે કરતો રહું છું. હું મંદિરોમાં પણ જાઉં છું. મેં પણ ઘણી વાર સાંભળ્યું અને પ્રત્યક્ષ જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ધૂણે છે, તેમના શરીરમાં માતાજી આવે છે.
    એક બહેનના ઘરે ગયાનું યાદ આવે છે જેમના શરીરમાં કાળકામા આવતા. એમના ઘેર ભક્તોની ભીડ સદાયે લાગી રહેતી. આ બહેનના સંદર્ભમાં એક ખાસ વાત મેં સાંભળી હતી. કાળી ચૌદસની રાતે તેઓ સાવ જુદૂ જ રૂપ ધારણ કરતા. તે એક પગ આખો અને બીજો અડધો વાળી ખાસ રીતે બેસતા અને તેમની જીભ એ રાતે એટલી બધી બહાર નિકળી જતી કે જોનાર તેમનું આ રૌદ્ર ભયાનક સ્વરૂપ જોઈને ડરી જાય.સામાન્ય એવો કોઈ માણસ પોતાની જીભ આટલી બહાર ન કાઢી શકે. એ રાત્રે તેઓ માથાના વાળ છૂટ્ટા રાખતા અને કપાળે મોટ્ટો લાલ ચાંદલો કરતા. કાળકા માનું સાક્ષાત સ્વરૂપ જ જોઈ લ્યો! તેમનું આખુ શરીર એ વખતે ધ્રુજતું હોય અને તેઓ પોતાનું માથુ અતિ ઝડપથી ગોળ ગોળ ફેરવતા જાય. પોચા હ્રદયની કોઈ વ્યક્તિનું એક બહેનનું આવું વિકરાળ સ્વરૂપ જોવાનું કામ નહિં! આ રાતે તેમનું ઘર તો ભક્તોની ભીડથી ભરેલું જ હોય પણ તેમના પાડોશીઓના ઘેર પણ ભક્તો કતારમાં બેઠા હોય.
    મારી સખી અંબામા અને ગણપતિની ભક્ત અને નવરાત્રિ તેમજ ગણેશોત્સવ દરમ્યાન તેના ઘેર તે વિધીવત દેવી અને બાપ્પાની સ્થાપના અને ઉપાસના કરે અને આ પર્વો ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવે.મેં ઘણી વાર તેના ઘેર આ ઉત્સવો દરમ્યાન આરતીમાં હાજરી આપી છે.તે દેવી અને બાપા બન્નેની આરતી ચોપડીમાંથી વાંચ્યા વગર મોઢે જ ગાય અને પછી સંસ્કૃતમાં શ્લોકો પણ ઉચ્ચારે.અને આરતીને અંતે એ ધૂણે. ધૂણે એટલે રીતસર માથુ જોર જોરથી ગોળ ગોળ ઘૂમાવી તેના શરીરમાં પવન આવ્યો હોય તેમ વર્તે. તે ધૂણે ત્યારે અમારે બધાએ બાજુમાં ખસી જઈ તેને જગા કરી આપવી પડે એટલી પ્રચંડ તાકાત લગાડી તે ધૂણે અને ઘૂમે. મારા સગાઓમાં પણ એકના જણાવ્યા મુજબ તેમના શરીરમાં મેલડીમા તો બીજાના કહેવા મુજબ તેમના દેહમાં ભુવનેશ્વરીમા પ્રવેશે છે.પપ્પાના એક મિત્ર ઇચ્છે ત્યારે પોતાના શરીરમાં આશાપુરામાને બોલાવી શકે છે.આ બધી વ્યક્તિઓને તેમના શરીરમાં ભગવાન આવે ત્યારે તેમનાથી ઘણી મોટી વયના લોકો પણ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ યાચે. આ બધી વ્યક્તિઓ જેમના શરીરમાં માતાજી આવે છે તેમના હાથ સતત ધ્રૂજતા હોય ક્યારેક આંખો ગોળ ગોળ ફરતી હોય અને તેઓ ઘણી વાર તો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી સામે વાળાને તમાચો લગાવી દે અથવા ઘણી વાર એવા જૂના પ્રસંગો કહી સંભળાવે જ્યાં તેઓ પોતે હાજર નહોતા. મારું મન આ બધી વાતો સાચી હોય એ માનવા તૈયાર થતું નથી.
    આજે હું દ્રઢપણે માનું છું કે માનવ જેવા તુચ્છ જીવના શરીરમાં પરમાત્મા પ્રવેશે એ વાતમાં બિલકુલ તથ્ય નથી. માણસ ઇચ્છે ત્યારે તેના શરીરમાં આવી જાય એટલો સસ્તો છે ઇશ્વર? સર્વગુણસંપન્ન પરમાત્મા પામર માનવીના દેહમાં એ દ્રષ્ટીએ પણ પ્રવેશે નહિં. મારા મતે આ એક માનસિક અવસ્થા છે જ્યારે વ્યક્તિ એવું માનવા માંડે છે કે તેના શરીરમાં દૈવી શક્તિ પ્રવેશી છે અને તેની અસર એટલી પ્રભાવક હોય છે કે તે વ્યક્તિનું શરીર પણ તેને સાથ આપવા માંડે અને તેનામાં વધારાની શક્તિ આવી જાય. આ વિષય પર મેં ક્યાંક વાંચેલું કે કેટલીક વ્યક્તિઓ બીજાઓનું ધ્યાન ખેંચવા કે માન અને મહત્વ મેળવવા માટે પણ આવું વર્તન જાણી જોઈને કરતી હોઈ શકે.પોતાની કોઈ ક્ષતિ કે લઘુતા ગ્રંથિથી પીડાઈને પણ વ્યક્તિના મનનો એક ભાગ તેને આમ કરવા પ્રેરતો હોઈ શકે. મનુષ્યના મનની પ્રચંડ તાકાત વિષે તો તમે જાણતા જ હશો.માતાજી આવ્યા હોય એ વખતે આ સુષુપ્ત તાકાત કામ કરવા માંડે એમ બની શકે. જ્યારે આવી વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને લોકોને છેતરવા માટે પરમેશ્વરની પોતાની કાયામાં પ્રવેશના ગપગોળા ફેંકી…
    એક ઠગ યાદ છે ને જે પોતાના શરીરમાં માતાજી આવે છે એવું તૂત ચલાવી લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી ગયેલો અને પછી તમારા જેવા પોલીસે તેની ધરપકડ કરેલી લોકોએ શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા રાખી કોઈ મનુષ્યને જ ભગવાન માની બેસવાની ભૂલ કરવી જોઈએ નહિં.
    અમારા મૌલા ચાચાએ ખજુર આપી કહેલી વાતમા તથ્ય લાગે,,,અલ્લાહ આપણા બધાના દિલોને સત્યના માર્ગે વાળી દે અને બધાને ધીરજ અને સંતોષની સદબુધ્ધિ આપે.ખુદા એ શખ્સ પર રહેમત ઉતારે

  2. aataawaani માર્ચ 20, 2015 પર 6:45 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન

    આ બાબત હું વધુ લખતા અચ્કાણો બાકી હું ઘણો આગળ વધી ગયો હતો . એ પણ ધુણનારીની પ્રેરણાથી મારી મરજીથી નહિ .
    તમે મને એક વાત યાદ અપાવી .
    હવે મેં મારા સરપ પકડવાના ધંધાની વાત બ્લોગમાં જાહેર કરી દીધી છે . એટલે આપ સહુ જાણો છો .
    હું અમદાવાદની એલીસબ્રીજ પોલીસ લાઈનમાં રહેતો હતો ત્યારે મારી સાપ પકડવાની કળાના કારણે આખા પોલીસ ખાતામાં ડી એસ પી સુધા મને અંગત રીતે ઓળખે .
    નવરાત્રીના દિવસોમાં એલીસબ્રીજ પોલીસલાઈનનાં માતાજીના મંદિર પાસે હવન કરે અને એમાં જે વધુ પૈસા આપે એ માતાજીની આરતી ઉતારે .એક નંદા બા કરીને પોલીસ પત્ની ધુણે અને ધૂણતા ધૂણતા ઓલી બાઈ કે જેણે ચડાવો કરીને આરતી ઉતારવાનો લાભ લીધો હોય એના હાથમાંથી આરતી આંચકીને પોતે આરતી ઉતારવા મંડી જાય .
    એક વખત મને પોલીસ પત્નીઓએ કીધું કે કાકા આ નંદાબાની ચરબી ઉતારી નાખો . નંદાબા એવા માથા ભારે કે એના ધણીનું પણ ગાંઠે નહિ .
    એક વરસ નવરાત્રીના દિવસોમાં મેં હાંસોલ ગામની સીમમાંથી નદી કિનારેથી નાગ પકડ્યો .અને આરતી વખતે મારી સાથે લાવ્યો . અને જેવી નંદબા એ કોક પાસેથી આરતી આંચકીને ઉતારવાની શરુ કરી અને તેજ વખતે મેં મારી થેલીમાંથી સાપ કાઢીને નંદાબાને દેખાડ્યો અને નંદાબા આરતીની થાળી ફેંકીને જે ભાગ્યાં કે પાછાં કોઈ વરસ નવરાત્રીમાં દેખાણાજ નહિ .

  3. pravinshastri માર્ચ 21, 2015 પર 6:33 એ એમ (am)

    આતા, આપે જીવનમાં જે જે કર્યું તે ધૂણતા માતાજીની પ્રેરણાથી જ કર્યું. તમારા હસ્તે માતાજીના સાથળ સૂધી મુસાફરી કરી તે પણ એના મૂક આદેશથી જ કરી. આવા માતાજીઓ અમેરિકામાં છે?

    • aataawaani માર્ચ 21, 2015 પર 10:32 એ એમ (am)

      આવા જેના શરીર માં માતાઓ પ્રવેશ કરે એવી ધૂણ નારીઓ અમેરિકામાં હોય તો હું ગાંઠનું નાણું ખર્ચીને પણ હું સાથળો થી પણ ઉંચે પહોંચી જઈને મારા અને એમના કલ્યાણ કરી લઉં . હો .

  4. રીતેશ મોકાસણા માર્ચ 23, 2015 પર 7:31 એ એમ (am)

    સૃષ્ટિમાં ઘણા પ્રસંગો અને ઘટનાઓ સામે પ્રશ્નો જન્મે છે. ગાંડા કાઢતા વ્યક્તિ ને નજર અંદાઝ કરાતા તે ડાહ્યો બની જાય. ઈશ્વર (ગોડ) સિવાય કોઈના શરણે માથું નમાવ્યું કે કયારેક હતાશાનો ભોગ બનવાની તૈયારી રાખવાની.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: