ભોળા શંકરના ભોળપણનો સોરઠના આંધળા વાણીએ પૂરે પૂરો લાભ લીધો.

એક બહુ નાના ગામમાં એક વાણીયો પોતાના ભાઈઓના કુટુંબ સાથે રહે  . તે જુવાન હતો  ,  પણ  જન્માંધ હોવાથી તેને કોઈ કન્યા પસંદ કરતી નોતી  એટલે તે કુંવારો હતો  .  આંધળો માણસ  કામ પણ શું કરી શકે  ,બિચારાને પરાધીનતાનો રોટલો ખાવો પડતો  આ બાબત એને ઘણું દુઃખ: થતું , પણ એને એ દુ:ખ   ભોગવ્યા વગર છૂટકો નોતો  . એક વખત એને સુરતી  લાલા પ્રવીન્કાંત  શાસ્ત્રીનો ભેટો થયો  .  વાણિયાનું નામ પ્રવીણ ચંદ  હતું  .પ્રવીણ ચંદે  શાસ્ત્રીને વાત કરી કે  ગુરુ મને આ મારા દુ :ખ માંથી  છુટકારો મળે એનો કોઈ માર્ગ બતાવો  . શાસ્ત્રીએ  ટીપણું ખોલ્યું અને  પ્રવિણચંદની  રાશી અને ગ્રહોની દશાનો  તાળો મેળવીને કીધું કે  તુને રાહુ નડે છે  . માટે એના તારે  મંત્ર જાપ કરાવવા પડશે  . અને આ જાપ માટે તું  શુદ્ધ પવિત્ર  ની :સ્પૃહી બ્રાહ્મણ   સુરેશ જાની છે   . તેની પાસે જા  એ તુને કંઈક  માર્ગ બતાવશે એ પણ મારી જે મ  તારી પાસેથી એક પૈસો નહિ લ્યે  . કેમકે એ મારી જેમ બ્લોગ ચલાવે છે એટલે પુષ્કળ ધન કમાય છે  .  એટલે એ પૈસાથી  ધરાય ગયા છે  .  પ્રવીણચંદ   સમર્થ  વિદ્વાન  સુરેશ જાની કે પાસ ગયા  .ઔર ઉસને  અપની  દર્દ ભરી કહાની સુનાઈ  . પરમ પૂજ્ય  શ્રી શ્રી શ્રી શ્રી 10008  ગુરુ સુરેશ  જાનીએ  પ્રવિણચંદને   કીધું કે   તું તપસ્યા કરવા માટે ગિરનારના ભરતવન   શેશાવન જા અને ત્યાં હું આ મંત્ર આપું છું એના જાપ કરવા બેસી જા  . આ જાપ કરવા માટે તું  તારે ખાસ માળાની જરૂર પડશે  . અને આ માળા લેવા માટે  તું  અઘોરનાદ  વાળા આતા બાપુ પાસે જા  એ તુને ખજૂરના  ઠળીયાની  મંત્ર સિદ્ધ  માળા આપશે   . પ્રવીણચંદે  સુરેશ જાનીને પૂછ્યું   . આ આતા બાપુનું અઘોરનાદ વિશેષણ  કેમ છે  ? સુરેશ જાની  એ કીધું   કે એનો  અવાજ  એવો ચમત્કારી છે કે  એ અવાજ(  પડકારો) કરે એટલે  સ્વર્ગમાંથી અપ્સરાઓ  મૃત્યુ લોકમાં આવીને નાટા રંભ   કરવા મંડી જાય   .પ્રવીન્ચંદે આતા બાપુ પાસેથી માળા લીધી અને જપ કરવા માટે  ભરત  વન  શેષ વનમાં પહોંચી ગયો અહી પહોંચવા માટે  એક અશોક મોઢવાડિયા નામના જુવાને મદદ કરેલી  .ભરત વનમાં પહોંચ્યા પછી  પ્રવીણ ચંદે તપસ્યા આરંભી એતો માળા ફેરવતો જાય।  એક માળા પૂરી થાય એટલે  આતા બાપુએ આપેલા ઓકના ડોડવા મુકજો જાય  એ એટલા માટે કે  શંકર  દાદાને  કહેવા થાય કે મેં  એટલી માળાનો જપ કર્યો  .
કૈલાસ લોકમાં એક સાંજે  માં પાર્વતી સાથે દાદા ટી વી જોતા હતા  એમાં ચેનલ 13 ઉપર દાદાએ પ્રવીણ ચંદ ને  તપ કરતો જોયો  . એટલે એમને તુર્ત યાદ આવ્યું કે  . એક મારો ભગત ઘોર તપસ્યા  કરી રહ્યો છે એટલે  દાદાએ પાર્વતી  માને વાત કરીકે  મારે પેલા ભગત કે જે કઠીન તપસ્યા  કરી રહ્યો છે એને દર્શન દેવા અને એને વરદાન આપવા જવું પડશે  . પાર્વતી માએ પૂછ્યું  કોણ છે એ ભગત  તો દાદા બોલ્યા એ વણિક પુત્ર છે  .  પાર્વતી મા કહે વરદાન આપતા પહેલા સો વખત  વિચાર કરજો કેમકે વણિક પુત્ર તમને કદાચ છેતરી જશે  . દાદા કહે મારે એને એકજ વચન આપવાનું છે  . એમાં મારે કંઈ છેતરવા જેવું નથી  .
દાદા તો પ્રવીણ ચંદ  પાસે આવ્યા  , અને પ્રવીણ ચંદ ને માળા ફેરવતો અટકાવીને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે  હું મહાદેવ છું અને તારી કઠીન  તપસ્યા થી અતિ પ્રસન્ન થયો  . છું અને તુને વરદાન આપવા આવ્યો છું   . હું તુને ફક્ત એકજ વરદાન આપીશ એટલે તું વિચાર કરીને એક વરદાન માગી લે  , પ્રવીણ ચંદ  કુંવારો હતો અને આંધળો  હતો  . અને ગરીબ હતો  . એને ખુબ વિચાર કર્યા પછી બોલ્યો  પ્રભુ   મારા સાતમાં નંબરના  દીકરાની પત્ની મારી પોતાની બીલ્ડીન્ગના સાતમે માળે સોનાની ગોળીએ  છાશ કરતી હું જોઉં   દાદા તથાસ્તુ કહી ને અંતર ધ્યાન  થઇ ગયા  બસ પછી થોડા વરસોમાં  વણિક પુત્રના લગન  થઇ  ગયા   . અને પોતાને લોટરી લાગી બહુ ધનાઢ્ય થયો  . જબરદસ્ત  બિલ્ડીંગ  બનાવી  સાત દીકરાનો બાપ બની  ગયો અને બીલ્દીન્ગ્ના સાતમે મજલે  સોનાની ગોળી માં છાશ કરતી પોતાના નાના  દીકરાની વહુને છાશ કરતા જોઈ કેમકે તેનો અંધાપો પણ દુર થઇ ગએલો   . કુશળ વાણીયાએ  એક વચનમાં  શંકર ને ખબર પણ નો પડી અને પોતે સાત  વચનો દાદા પાસેથી પડાવી લીધા ,  બોલો  વાણીયાની કુશળતા ની  જય

7 responses to “ભોળા શંકરના ભોળપણનો સોરઠના આંધળા વાણીએ પૂરે પૂરો લાભ લીધો.

  1. pragnaju જાન્યુઆરી 11, 2015 પર 6:49 એ એમ (am)

    સ રસ
    મને આ વાર્તા ગમે છે

    એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.

    ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.

    એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.

    વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે – આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?

    કોઈ કહે – આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?

    વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું – બોલ વાણિયા ! તું શું જાણે છે ?

    વાણિયો કહે – બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.

    ફોજદાર કહે – બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.

    વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.

    બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે – વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?

    વાણિયો કહે – સાહેબ !
    અહીંથી કાઠી કબકબ્યા ને
    ત્યાંથી કોળી હમહમ્યા.

    – પછી ?

    – પછી ઈનું ઈ.

    – પણ ઈનું ઈ શું ?

    – સાહેબ !
    અહીંથી કાઠી કબકબ્યા ને
    ત્યાંથી કોળી હમહમ્યા.

    – પણ પછી ?

    – પછી ?
    પછી તો સામસામી ખેંચાણી ને
    મારી આંખ મીંચાણી.

    એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો – અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.

    ન્યાયાધિશ કહે – ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?

    વાણિયો કહે –
    અહીંથી કાઠી કબકબ્યા ને
    ત્યાંથી કોળી હમહમ્યા
    સામસામી ખેંચાણી ને
    મારી આંખ મીંચાણી.

    ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.

    • aataawaani જાન્યુઆરી 11, 2015 પર 9:43 એ એમ (am)

      દ્વારકા પાસેના ગોપી તળાવમાં વાઘેર , મેર , અને વાણયો સ્નાન કરતા હતા . નરમ , ડરપોક ,વાણીયા હોય . એવી લોકોમાં સામાન્ય છાપ .એટલે એક મેરને અડપલું સુજ્યું . એણે વાણીયાને પાણીના છાંટા ઉડાડ્યા .એટલે વાણીયો ખીજાણો હોય એમ બોલ્યો એલા મને પાણી કેમ ઉડાલસ એમ કહે ને બોલ્યો તારી માને વાઘેર લઈ જાય ? મેર બોલ્યો . મારી માને વાઘેર શું લઇ જાય હું વાઘેરની માને લઇ જાઉં એમ છું .અને વાઘેરે મેરને મારવા લીધો અને મેર વાઘેરને મારવા માંડ્યો . આમ ઝાપા ઝપી થઇ પડી અને વાણીયો નિરાંતે નાહી લૂગડાં બદલાવી ભીનું પોતિયું નીચોવી અને ઘર ભેગો થઇ ગયો . . વાહ પ્રજ્ઞા બેન વાહ आपका जवाब आता की पास नही है आप ला जवाब हो .

  2. સુરેશ જાની જાન્યુઆરી 12, 2015 પર 6:46 એ એમ (am)

    હવે સુરેશ જાની એ વાણિયાને ગુરૂ બનાવવા તલપાપડ છે!

    • aataawaani જાન્યુઆરી 12, 2015 પર 10:41 એ એમ (am)

      ગુરુના ગુરુ સુરેશ જાનીને વાણીયો પોતે ગુરુ થવાની નાં પાડી દ્યે હો .

    • aataawaani જાન્યુઆરી 13, 2015 પર 6:55 એ એમ (am)

      પ્રિય સુરેશ ભાઈ
      ભોળા શંકર દાદાના બોળપણ નો લાભ લેનાર વાણીયો તો તમને એમ કહીને ઉભો રહે કે તમારા જેવા સમર્થનો ગુરુ થવાને હું લાયક નથી . પણ મારો બાળપણ નો મિત્ર રુઘો જૈન અહિંસક એની ખાસ ફિલો સોફી વાળો તમારો ગુરુ થવા માટે હા પાડે ખરો . રૂઘા વિષે મેં આતાવાણી માં લખ્યું છે . એ તમને એની અહિંસક ફિલોસોફી શીખવે ખરો .

  3. રીતેશ મોકાસણા જાન્યુઆરી 12, 2015 પર 7:28 એ એમ (am)

    રૂપક સાથેની વાર્તા ગમી. ઇસ્વીશન પૂર્વેની સાલથી વાણીયા( વણિક ) બુદ્ધિશાળીમાં ગણાય છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: