

પરમેશ્વરે મનુષ્યોમાં જબરદસ્ત શક્તિ મુકેલી છે .પણ કોઈમાં વધુ તો કોઈમાં ઓછી હોય છે .આ શક્તિઓનો કઈ રીતે ઉપયોગ કરવો એ મનુષ્યના પોતાના હાથની વાત છે .પરમેશ્વરે મનુષ્યોને કેટલીક બાબતોમાં સ્વતંત્રતા બક્ષેલી છે .તેને પરાવલમ્બિત નથી રાખ્યા .પણ જેનામાં શક્તીજ નથી ,નિર્બળતા છે . તે કશું કરી નથી શકતો
अय आत्मा बल हिनें लभ्य એ સંસ્કૃત વાક્ય છે क़्म ज़ोरों की नहीं है दुनिया दुनिया ताकत वालो की .
બાળકોને પ્રેમ ખુબ આપવો .પણ ખોટાં લાડ લડાવવા ન જોઈએ ખોટાં લાડ બાળકોનું અહિત કરે છે . મા જનેતાનો દીકરા પ્રત્યેનો પ્રેમ અ વરણીય હોય છે મા દીકરા માટે જબરો ભોગ આપે છે .એના ઘણાં દૃષ્ટાંતો આપે સાંભળીયા હશે મેં તો ઘણા સાંભળિયા છે . છતાં પોતાના ચારિત્ર્યની રક્ષા માટે અથવા પોતાની ચારિત્ર્ય હીનતા છતી ન થઇ જાય અને પોતાની આબરૂ નો જાય ,એ માટે દીકરાનો ભોગ આપતા અચકાતી નથી . એના ઘણા દાખલા મેં સાંભળીયા આપે પણ છાપામાં વાંચ્યા હશે .
હું જુનાગઢ પાસેના બીલખા ગામમાં શ્રીમન નથુરામ શર્માના આશ્રમમાં સંસ્કૃત ભણવા મારા બાપાએ મુકેલો ,આ વખતે એક માણેક લાલ નાનજી ચંદારાણા નામના ટ્રષ્ટઈ આશ્રમમાંજ રહેતા હતા . મારા બાપા એને ઓળખાતા હતા . બાપાએ માણેક લાલ બાપાને વાત કરીકે મારા દીકરાને કથા વાર્તા લગ્ન ,નડતા ગ્રહોના જાપ કરી આપવા જોશ જોવો મૃતક પાછળ ગરુડ પુરાણ વાંચી આપવું એવી યજમાન વૃતિની ભણતર નથી ભણવી આવી યજમાન વૃતિ મારા પિતામહ કાનજી બાપાએ છોડીને બાબી દરબારની નોકરી કરવાનું પસંદ કરેલું .
મારા દીકરાને સંસ્કૃત સાહિત્ય .કાલીદાસ , ભભૂતિ , માઘ , વગેરેના કાવ્યો નાટકો શીખવા છે . યજમાન વૃતિ કરવા વાળા બીજા ઘણા બ્રાહ્મણો છે .
માણેકલાલ બાપાએ સંસ્કૃત ભણાવવા માટે બહુ ખુશી થઈને હા પાડી .મેં આશ્રમના ધારા ધોરણ પ્રમાણે સંધ્યા . દેવોની સ્તુતિઓ મહિમ્ન સ્તોત્ર જેવા સ્તોત્રો બહુ ઝડપથી શીખી લીધાં આ બધું હું એક દયારામ શાસ્ત્રી તરીકે ઓળખાતા ગુરુ પાસે શીખી લીધું . પછી મને એક પંડિત રઘુનંદન ઝા તરીકે ઓળખાતા બિહારના ન્યાય , વ્યાકરણ નાં આચાર્ય ની પદવી ધરાવતા વિદ્વાન ગુરુ પાસે ભણવા મુક્યો . ભારતમાં બિહાર ,બંગાળ , અને કાશ્મીરના બ્રાહ્મણો સંકોચ વિના માંસ અને માછલાં ખાય છે . અહી આશ્રમમાં આવું બધું ખાવાનું પંડિતજીએ બંધ કરેલું . બસ પછી લઘુ સિધ્ધાંત કોમુદી પંડિતજીએ મને ભણાવવાની શરુ કરી ,
नत्वा सरस्वती देवी शुध्धाम गुण्याम करोमि हम
पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदी આ પંડિતજી પાસેથી હું ચાર્વાક દર્શનના લખનાર બૃહસ્પતિ વિષે ઘણું જાણ્યું .અને બીજું બીજું પણ હું એમની પાસેથી ઘણું શીખ્યો . હું પંડિતજીનો માનીતો થઇ ગએલો . મારા પ્રશ્નોથી એ બહુ ખુશ રહેતા . એક વખત એને વાત કરી કે એક વિધવા માનો વધુ પડતો લાડમાં ઉછરેલો દીકરો હતો .એ છોકરો જયારે પોતાની 13 વરસની ઉમર વટાવી ગયો .પછી એ માથાભારે થવા માંડ્યો માનું કહ્યું તો ન માને પણ માને મારી પણ લ્યે આ છોકરો જ્યારે પંદરેક વરસનો થયો ત્યારે એની માં એના ત્રાસથી વાજ આવી ગઈ અને એને ઘરમાંથી કાઢી મુક્યો .આ છોકરો કોઈના ખેતરમાં ઘુસી જઈ કાચું અનાજ . ઝાડ ઉપર ચડીને પક્ષીના માળા માંથી ઈંડાં , બચ્ચાં ખાઈને પેટ ભરી લ્યે અને રાત્રીના વખતે જ્યાં ત્યાં જમીન ઉપર સુઈ જાય . પહેરેલે કપડે સ્નાન કરી લ્યે .પછી થોડી રખડ પતિ કરે એટલે કપડાં શરીર ઉપરજ સુકાય જાય .
એક વખત એ પક્ષીના ઈંડાં કે બચ્ચાં ખાવા માટે ખજુરીના ઝાડ ઉપર ચડ્યો . ઝાડ ખાસ્સું ઊંચું હતું . આ છોકરાની જેમ પક્ષીનાં બચ્ચાં ખાવા માટે એક કાળો સાપ પણ ખજુરીના મથાળે ઠેઠ પહોંચી ગએલો . છોકરે આ સાપને જોયો એટલે એક પળનો પણ વિચાર કર્યા વિના એક હાથે ખજૂરી પકડી રાખી અને બીજા હાથે સાપને પકડીને નીચે જમીન ઉપર ફેંકી દીધો .
નજીકમાં એક ઝાડ નીચે ઓટા ઉપર એક સન્યાસી બેઠા હતા તેણે છોકરાને ઝાડ ઉપર ચડતો હતો ત્યારથી તેણે ઠેઠ સાપને નીચે ફેંકી દીધો . અને બચ્ચાના રક્ષણ માટે છોકરાને ચાંચો મારતા પક્ષીને પણ હાથની ઝાપટ મારી નીચે ફેંકી દીધેલું આ બધું દૃશ્ય ઝાડ નીચે બેઠેલા સન્યાસીએ જોએલું . છોકરો જ્યારે ખજૂરી ઉપર ચડતો હતો ત્યારે તેને સન્યાસીએ રોક્યો નહિ અને બધો તમાશો જોયા કર્યા . ખજૂરી ઉપરથી નીચે ઉતરી છોકરાએ સાપને હાથમાં અને લીધો સાપના માથાથી નીચેનો ભાગ ખાવા માંડ્યો ધરાઈ રહ્યા પછી સાપને દુર ફેંકી દીધો અને પક્ષી લઈને ચાલતો થયો . ત્યારે સન્યાસીએ તેને પોતાની નજીક બોલાવ્યો . છોકરો સન્યાસીની પાસે ગયો . અને પક્ષી નીચે મૂકી બે હાથ જોડી સન્યાસીને પગે લાગ્યો . સન્યાસીએ એને આવા કૃત્ય બાબત કંઇજ પૂછ્યું નહિ પણ તું ક્યા રહે છે . તારા માબાપ શું ધંધો કરે છે વગેરે બધું પૂછ્યું .સન્યાસીને છોકરાની હિંમત , સાહસ ,અને શક્તિ ઉપર બહુ માન થઇ ગયું .સન્યાસીને વિચાર આવ્યો કે આ છોકરાની અમોઘ શક્તિ ખોટી રીતે વેડફાઈ રહી છે .
છોકરાને કીધું તું મને તારે ઘરે લઇ જઈશ ? છોકરો બોલ્યો હું દુરથી મારું ઘર બતાવીશ પણ તમારી સાથે હું ઘરે નહિ આવું . જો હું ઘરે આવું તો મારી માસાથે ઝઘડો થઇ પડે . સન્યાસીએ છોકરાને આશ્વાસન આપતા કીધું કે હું તારી તરફેણ કરીશ અને તારી માને તારી સાથે કોઈ ગેર વર્તણુક નહિ કરવા દઉં સન્યાસીને લઈને છોકરો ઘરે ગયો મા કશું બોલે એ પહેલાં સન્યાસીએ તેને અટકાવી .અને સન્યાસીએ છોકરાને પોતાની સાથે લઇ જવાની માગણી ભણવા કરી અને તેને એક આશ્રમ માં કે જ્યાં ખાવા પીવાનું કપડા અને રહે વાની અને ભણવાની સગવડ છે ત્યાં હું એને મૂકી દઈશ .છોકરો પણ ખુશી થયો અને એની માં પણ ખુશી થઇ .વખત જતા છોકરો મહાન વિદ્વાન થયો . પા એ જોવા માટે નતો એની માં રહી કે સન્યાસી તેઓ આ સંસાર છોડી દઈને પરલોક જતા રહેલા .
Like this:
Like Loading...
Related
છોકરાંવને આ વાત કહેવા જેવી નથી. પંડિત તો કોક જ થાય. બાકીના માથાભારે ગુંડા બની જાય.
શિસ્ત વિનાનું શિક્ષણ શા કામનું ?
પ્રિય સુરેશભાઈ
શક્તિ મનુષ્યોમાં પરમેશ્વરે મુકેલી છે .પણ એને યોગ્ય રીતે ઉપયોગ જો નો થાય તો તમે કહો છો એમ માથા ભારે અને ગુન્ડાજ થાય
નર્મદામાં પુર આવે ત્યારે ક્યારેક મોટા મોટા બ્રીજ તોડી નાખતી .એ શક્તિને યોગ્ય રીતે વાળી એટલે ઇલેક્ટ્રિક પણ પૈદા થઇ અને પાણીની છત થઇ . અને મત્સ્ય ઉદ્યોગ પણ ખીલ્યો .
શીસ્ત્તો બહુ જરૂરી છે . સન્યાસીના સંગથી અને એની શિખામણ થી એક પારાધી છોકરો મહાન વિદ્વાન બન્યો
એનામાં જબરદસ્ત શક્તિ , સાહસ હિંમત હતી અને એ છોકરાના સદભાગ્યે એને સન્યાસીનો ભેટો થયો . પણ જેનામાં કોઈ પ્રકારની શક્તિ નથી જે નીમાંલ્ય છે એ ને ગમેતેવો ગુરુ મળે તોય શું કામનો ?
મારે કાંઈ જ કહેવું નથી…બસ વાત ચાલુ રાખો….આજની વાત એક સદગુરુના પ્રવચન જેવી વાત છે.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
તમને મારી વાત સદગુરુના પ્રવચન જેવી લાગી આ ટૂંકું વાક્ય મને લખવા માટે આળસ નહિ આવવા દ્યે .
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
તમારા જેવા વિદ્વાનને મારી કોમેન્ટ ગમે છે એને હું મારું ગોરવ સમજુ છું .AC
विभुक्षिता किं न करोति पापम्,
क्षीणाः जनाः निष्करुणा भवन्ति।
त्वं गच्छ भद्रे प्रियदर्शनाय,
न गंगदत्तः पुनरेति कूपम्।।
उपरोक्त श्लोक का अर्थ लिखने से पूर्व एक छोटी सी कथा के माध्यम से ही इसे समझाने का प्रयत्न करताहूँ।
एक कुएँ में प्रियदर्शन नाम का साँप, भद्रा नाम की गोह तथा मेढकों का राजा गंगदत्त अपनी प्रजा के साथ रहते थे । तीनों परस्पर मित्रवत् व्यवहार करते थे। लेकिन जब प्रियदर्शन को भूख लगती थी तो वह एक मेंढक को खाकर अपनी क्षुधा शान्त कर लेता था। इसप्रकार गंगदत्त की प्रजा की संख्या दिन-प्रतिदिन घटती जा रही थी।
एक दिन ऐसा भी आया कि गंगदत्त की प्रजा के सभी मेंढक समाप्त हो गये। अब केवल गंगदत्त शेष रह गया।प्रियदर्शन को भूखसता रही थी और वह भूख के कारण निर्बलता अनुभव कररह था।
अब उसने गंगदत्त से क्या कहा-यह संस्कृत के कवि ने साँप के मन की व्यथा को अपने श्लोक में लिखा- ‘‘विभुक्षिता किं न करोति पापम्,’’ कि हे मित्र गंगदत्त! मैं बहुत भूखा हूँ और भूख से मेरे प्राण निकले जा रहे हैं। अतः ‘‘विभुक्षिता किं न करोति पापम्,’’ भूखा क्या पाप नही करता।
और ‘‘क्षीणाः जनाः निष्करुणा भवन्ति।’’
भूख से कमजोर व्यक्ति के मन में करुणा (दया) समाप्त हो जाती है। इसलिए मित्रवरगंगदत्त मैं अपनी भूख मिटाने के लिए तुम्हें खाना चाहता हूँ।
अब तो गंगदत्त के सामने प्रियदर्शनरूपी मौत साक्षात् सामने दिखाई दे रही थी। गंगदत्त ने जब प्रियदर्शन की बात सुनी तो उसके तो पाँव के नीचे सेजमीन ही खिसक गयी। किन्तु गंगदत्त मेंढकों का राजा था और बड़ा बुद्धिमान था। उसने प्रियदर्शन से कहा कि – ‘‘आप मेरे मित्र होकर मुझे खाना चाहते हैं तो खा लीजिए और अपनी क्षुधा शान्त कर लीजिए। परन्तु कल आप क्या खायेंगे?
प्रियदर्शन बोला- ‘‘मित्र! इसका तुम ही कोई उपाय बताओ जिससे कि कल को भी मेरे खाने का प्रबन्ध हो जाये।’’
अब गंगदत्त ने नीति से काम लिया और कहा-‘‘ मित्र तुम जानते हो कि मैं मेंढकों का राजा हूँ। पास के तालाब से मैं फिर अपनी प्रजा को ले आता हूँ । उनमें से तुम रोज एक मेंढक खा लिया करना और अपनी भूख मिटा लिया करना। परन्तु मैं इस कुएँ से बाहर कैसे निकल पाऊँगा।’’
प्रियदर्शन तो भूख से पागल था और अविवेकी भी हो गया था। इसलिए उसनेअपनी मित्र भद्रा को पास बुला कर कहा कि -‘‘हे बहन भद्रा! तुम अपनी पीठ पर बैठा कर गंगदत्त को कुएँ से बाहर तालाब तक ले जाओ।
अतः भद्रा ने गंगदत्त को अपनी पीठपर बैठाया और कुएँ से बाहर ले आयी।जैसे ही वह समीप के तालाब के पास पहुँची। उसकी पीठ पर बैठे गंगदत्त ने जोर की छलांग लगाई और तालाब में पहुँच कर बीच तालाब मेंसे बोला-
‘‘त्वं गच्छ भद्रे प्रियदर्शनाय,
न गंगदत्तः पुनरेति कूपम्।’’
हे भद्रा तुम अब प्रिय दर्शन के पास चली जाओ।गंगदत्त अब पुनः उस कुएँ में जाने वाला नही है।
अर्थात विपत्ति के समय धैर्य
और
बुद्धि-विवेक से काम लेना चाहिए।
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા કોમેન્ટને હું હર્ષ ભેર વધાવી લઉં છું .કેમકે એ કોમેન્ટમાં બહુ શીખવા જેવું ,સમજવા જેવું હોય છે . મને બહુજ ગમે છે . તમારી કોમેન્ટો આતાવાણીમાં હોય છેજ છતાં હું એની જુદી નોંધ રાખું છું .