Daily Archives: નવેમ્બર 25, 2014

ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે .

. હું મારા  ભાઈના બોલાવવાથી  અમેરિકા જવા માટે       મેં તે વખતના ડી એસ પી  ડેબુ (પારસી)  સાહેબ પાસે બે વરસની  રજા માગી   તેણે મને પૂછ્યું  આટલી લાંબી રજા શા માટે  જોઈએ છીએ મેં કીધું  સાહેબ મારે અમેરિકા જવું છે  . ત્યાં તમારું કોણ છે   ત્યાં મારો ભાઈ અને દીકરો છે  એ મને ત્યાં ફરવા માટે બોલાવે છે  . તેઓ બોલ્યા મેં સાંભળીયુ છે કે એક પોલીસનો દીકરો અમેરિકા છે એ તમારો દીકરો હશે  બરાબર મેં હા પાડી પછી તેઓ બોલ્યા  બે વરસની રજામાં તમને  થોડો પુરતો પગાર મળશે થોડો અર્ધો મળશે અને બાકીની રજા તમને વગર પગારે મળશે સમજ્યા ? મેં કીધું હા
મને ત્રણ મહિનાનો વિજીટર  વિસા મળ્યો   હું કુવેત થઈને અમેરિકા  ન્યુ યોર્કના  કેનેડી એર પોર્ટ ઉપર ઉતર્યો  1969 માર્ચની 19  તારીખ હતી    .અહીંથી મને માંરોભાઈ અને તેની વાઈફ એલીઝાબેથ  પોતાને ઘરે   ન્યુ યોર્ક શહેરથી 90 માઈ દુર  પોતાના ગામ મહોપેક લઇ ગયાં  ,મારા ભાઈનું ઘર સવાબે એકરની પ્રોપર્ટીમાં છે  . ઘરની આસપાસ  ઘાસનું  થોડું મેદાન છે  બાકીની જગ્યામાં  ઘાટું જંગલ છે  . ઝવેરચંદ  વાર્તા નાં વર્ણન  પ્રમાણે સસો ખાલ મેલે  એવી    ઘાટી ઝાડી  આ સમયે  કેનેડાના  મોન્ટ્રીયલ  શહેરમાં વિશ્વ મેળો હતો મને ઈંગ્લીશ જરા  પણ  બોલતા કે સમજતા નો આવડે  તેમજ અહીના રીવાજ થી સાવ અજાણ      મારા ભાઈના સસરા  પક્ષ ના  માણસો બધા અમેરિકાનો   હું જ્યાં મેમાન થાઉં  ત્યાં બધા મને પ્રેમથી આવકારે  સ્ત્રીઓ ભેટે બકીયું ભરે હું કોઈ સ્ત્રી મને ભેટવા આવે તો  ભડકીને આઘો જતો રહું   . મને સમજાવ્યો કે  આ દેશમાં  સ્ત્રીઓ પુરુષોને ભેટે છે એને બકીયું  ભરે છે  એ અહીની પ્રથા છે  . સ્ત્રી તમને બકી ભરે અને તમે ભાગો એ સ્ત્રીનું અપમાન તમે કરો છો એવું મનાય માટે તમારે  તમને બાથે વળગે  તો તમારે પણ બાથ ભીડવી  બાકી ભરેતો તમારે પણ સામી બાકી ભરવી  . પછી હું  બરાબર રિવાજનો જાણીતો થઇ ગયો  . તે લોકોની મદિરાની પ્યાલીઓને હું સફરજનના  રસની પ્યાલી અડાડીને  રસ પીવા માંડ્યો  .

આતાને મળ્યો એવોર્ડ

આતાના વ્હાલા વાચકો,

આનંદો……આનંદો……આનંદો……આનંદો……

    આપણા જાણીતા (બે)ખબર પત્રી શ્રી. ડો. કનક રાવળ પાઠવે છે…..બહુ જ ઉત્સાહ પમાડે તેવા સમાચાર.

એતાન શ્રી હિમ્મતલાલ જોશીની સેવામાં.
આપનો ક્રુપા પત્ર વાંચીને એક અન્ય અનામી મિત્રના પ્રતિભાવો અંહી પાઠવું છું. આ અદભુત સમાચાર તો વધાવી લેવા જેવા છે.

દેશિગાના રાજકુમાર
એક આદર્શ બ્રહ્મચારી
પુરવાર થઈ ગયા છે.

     તેમની સ્ત્રી-પુરુષોના સબંધોની વિગતો ઉપર બ્રહ્માજી સુધી પહોંચી ગઈ હતી એટલે તેઁમણે ચિત્રગુપ્તને સુચના આપી. પરિણામે કુમારશ્રીનું પારખું લેવાના આશયથી ચિત્રગુપ્તે એક આધુનિક અપ્સરાને નખરા કરી તેમને લોભાવવા મોકલી

Apsara

           પણ  તેના મન-વચન-કર્મથી કુમારશ્રી ચલિત ના થયા.

એટલે બ્રહ્માજીએ કુમારશ્રી ને “આદર્શ સર્વોચ્ચ બ્રહ્મચારી સેક્સાચાર્ય” નો ઈલ્કાબ આપ્યો.
DSCN0567