Daily Archives: નવેમ્બર 18, 2014

એક દિ ભાઈ ચારો વધી જાશે .

એવું ભારતનાં પ્રાચીન ગ્રંથો કહે છે કે અત્યારે ચોથો યુગ કલિયુગ ચાલે છે  જેમાં મનુષ્યો સુખ શાંતિથી ભાઈ ચારાથી નહિ રહે  .
યહૂદી, ક્રિશ્ચિયન , ઇસ્લામ વગેરે કેટલાક ધર્મોના કહેવા પ્રમાણે એક શયતાન  નામનો એક શક્તિ શાળી અસંસારી પ્રાણી છે એ  બહુ શક્તિશાળી છે  .જે  સ્વર્ગ , માં પણ આવ જા કરી શકે છે  . તે માણસોને ઉંધા ચીતું સમજાવીને ધર્મ ચ્યુત  કરે છે ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે  શયતાન જેવું કોઈ પ્રાણી નથી  .પણ આખો એક યુગજ એવો હોય છે કે  જે યુગમાં અનીતિ અન્યાય બહુ હોય છે  . ક્રિશ્ચિયન ના એક સંપ્રદાય પ્રમાણે અત્યારે દુનિયામાં શયતાન નું રાજ્ય ચાલે છે  .એટલે અધર્મ અનીતિ અન્યાય  ,ખુબ છે  .હજી પણ આવું બધું ખુબજ ચાલશે  .પછી  ગોડ નું રાજ્ય આવશે એટલે  તે શયતાનને   પકડીને પૂરી દેશે અને અનીતિ આચરનારા માણસોનો પણ નાશ કરશે  .અને બધે શાંતિ શાંતિ પ્રસરી જશે  . તે વખતે  કોઈ માણસ  મરશે અને જે મૃત્યુ પામ્યા છે એ પણ સજીવન થઇ જશે    .તેને વૃધ્વસ્થા પણ નહિ આવે એ કદી બીમાર પણ નહિ પડે  અને કોઈ જાતની એને તકલીફ નહિ પડે   . અને પૃથ્વી ઉપર  સ્વર્ગ જેવી  સુખ સગવડો  થઇ જશે એમાં પણ જે ઉચ્ચકોટીના  મનુષ્યો હશે  એ  જે આકાશમાં સ્વર્ગ છે  ત્યાં વસવાટ કરશે .
એક ગુજરાતીમાં ભજન છે કે
ઉત્તર ખંડેથી સાયબો આવશે  ભેળા અર્જુનને ભીમ  કળજુગ ઉથાપી સતજુગ સ્થાપશે  .
હઝરત આદમ પહેલા સ્વર્ગમાં  ગોડના  ખાસ સેવક હતા  .પણ એને શયતાને લલચાવ્યા   શયતાન નાગનું રૂપ લઈને આવેલો  .
સ્વર્ગમાં અદન  નામે બગીચો  છે  .એમાં અનેક પ્રકારના સ્વાદિષ્ટ  ફળો વાળાં  વ્રુક્ષો છે  .એમાં એક ઝાડ  છે તેનાં  ફળો ખાવાની   ગોડે   મનાઈ ફરમાવેલી   એક દિવસ શયતાન  નાગનું રૂપ લઇ અને આદમ પાસે આવ્યો  .અને ગોડના હુકુમનું ઉલલ્ઘન કરવા લલચાવ્યો અને આદમ ને કીધું કે તું જો આ  ઝાડનું  ફળ  ખાતો તારામાં   અદ્ભુત  દિવ્યતા આવશે  .આદમ શયતાનના  બહેકાવવામાં  આવ્યો અને ફળ ખાધું   પછી ગોડે  એને સ્વર્ગમાંથી  કાઢી મુક્યો અને પૃથ્વી ઉપર મોકલી આપ્યો  .પણ એટલી ગોડે  દયા કરી  કે  આદમને  મનુષ્યો ઉત્પન્ન કરવાની છૂટ આપી  .   આપણે  સહુ  આદમના વંશજ છીએ એટલે આપણે  આદમી  અથવા આદમ જાદ  કહેવાઈએ છીએ  .
દરેક માણસો શાંતિ ઈચ્છે છે  . નિર્દોષ મનુષ્યો  સ્ત્રી બાળકો પુરુષો વગેરેને  ઠંડે કલેજે  નિર્દય રીતે મારી નાખનારાઓને પણ તમે પૂછો કે આવું ઘોર કૃત્ય  તમે શા માટે કરો છો તો તેઓ જવાબ આપશે કે શાંતિ માટે  .
હવે ગોડ  જે અત્યારે ચાલે છે એ શયતાનના રાજ્યને  ઉથલાવીને પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે  શું થશે  એ જાણવા માટે નીચે લખેલું ભજન સાંભળો  .
ભાઈ ચારો વધી જાશે એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે  જગતમાં ભાઈ ચારો વધી જાશે
હાઁ  નાત જાત ધર્મ ભેદ ભૂલી જઈને માનવી એકઠાં  થાશે હે ભાયું બેનું માનવી એકત્ર થશે  .એકત્ર થએલાં  માનવીના પછી નવાં  નવાં  શાસ્ત્રો લખાશે  એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે  .
હાઁ વાઘ બકરી બેય હાથ પકડીને પાણી પીવા  જાશે  ,સિહણનાં  બચ્લાં  કાકડી ખાશે  . ચિત્તાનાં  બચ્લાં માંડવી ખાશે
હેજી પડ બકરાનો ભોગ તજી ભવાની કેળાં  પપૈયાં  ખાશે આ જગમાં ભાઈ ચારો વધી જાશે
હવે ભગવાનને  જન્મ લેવા માટે સંસારમાં કોઈ  કોશલ્યા કે દેવકી જેવી માતા  નજરે ચડતી નથી    . એટલે
ધરતી ફાડી પ્રભુ પ્રગટ થાય તો આવા દિવસો દેખાશે
જગતમાં ભાઈચારો  વધી જાશે  .
હાઁ ” આતા “કહે આવા દિવસો આવવાની વાટડી  જોયા કરશે
એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે

ભાનુમતીના જોક

   આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ  સત્યકથા વાંચો

     એક ભાઈ પણ બહુ જોક કહે પણ એની વાઈફનું નામ ન દે. એક બોલકા બેને તે ભાઈને કીધું  આ હિંમત કાકા  ભાનુબેનના બહુ જોક કહે છે  .પણ તમે તમારી વાઈફના જોક કદી કેતા નથી   .પછી અમને એમ લાગે કે તમે તમારી વાઈફથી  ગભરાતા હશો  .
તે ભાઈ કહે, “ના! ના! એવું નથી. મારી વાઈફ પણ ભાનુબેનની જેમ સાંભળી લ્યે. પણ કશું મારી સામે બોલે નહિ.  આવતી વખતે હું એના જોક કહીશ.”

     ઘરે ગયા પછી એની વાઈફને કરગરીને કીધું કે, “આ ગુરુવારે સેન્ટરમાં  મને તારા જોક કહેવા દેજે.  તારા ધણીની કોઈ વાહ વાહ કહે એ તુને નથી ગમતું.? “

     બહુ હાથે પગે લાગીને સમજાવી  ત્યારે એ માની પણ શરત મુકી કે,  “ફક્ત એક જોક કહેજે.”

     ધણી કહે, “સાવ એક જોક કહેવો યોગ્ય ન કહેવાય.”

     પછી એની વહુ કહે, “તો બે જોક કહેજે.  પણ આથી  વધુ અર્ધો જોક પણ કહેતો નહિ .”

     ભાઈ કબુલ થયા  ગુરુવારે  એ જોક કહેવા બેઠા  અને તાનમાં   ને તાનમાં  બે જોક વાળું વચન યાદ નો રહ્યું; અને ત્રીજો જોક કહેવાઈ ગયો. એમના વાઈફ  ઉભા   થઇ  ગયા  અને  મંચ ઉપર જઈને  ભાઈ નો કાંઠલો  પકડ્યો અને બરાડીને બોલ્યાં,” મેર મુઆ !તને  બે જોક કહેવાનું કીધું હતું ને આ ત્રીજો કહેવા બેઠો ? ઘરે આવ્ય પછી તારી વાત છે.” આ ભાઈ ગયા એ ગયા પાછા સેન્ટરમાં આવ્યા નથી   .
મેં ભાનુમતીને  મારા જોક કહેવાનું કહ્યું . એ હવે તમે સાંભળો  .
ભાનુબેન કહે, “એક વખત આ તમારા કાકા  મને ચિત્રનું  પ્રદર્શન જોવા તેડી ગયા .  પ્રદર્શનના દરવાજામાં પ્રવેશ કર્યો, અને બોલ્યા  ” અહી નક્કામાં પૈસા બગડ્યા. આ જો તો ખરી  કેવું ગન્ધારું  અગ્લી ચિત્તર છે ?”

     હું ગઈ અને કીધું, ” એ ચિત્ર નથી. એ અરીસો છે અને એમાં તમારું મોઢું દેખાય છે!”

———-

ભાગ – ૨ 

       જયારે ભાનુંમતીએ મને કીધું કે, “એ  અરીસો  છે અને એમાં તમારું મોઢું  દેખાય છે; ચિત્ર નથી.” મેં કીધું  હું આવો કદરૂપો છું; એતો મને હવે ખબર પડી.”

    સાંભળ્યા પછી ભાનુ મતિ બોલી,” તમને તો એમ કે હું દેવાનંદ જેવો રૂપાળો હોઈશ. ઈ તો  દુવા દ્યો મારા માબાપને કે, તમારી હારે મને પરણાવી;  નહીતર તમે વાંઢા રહી જવાના હતા. કોઈ છોકરી તમારા મોઢા ઉપર થૂંકત  પણ નહિ.”

    પછી મેં કીધું, “એક દિ આપણે મોલમાં હતા અને તું મારાથી  આઘી હતી; ત્યારે એક છોકરીએ મને બકી ભરી અને તું જોઈ ગઈ ત્યારે તું  બોલી હતી કે, તમને તો રેઢા મુકવા જેવા નથી. રંડકયું   હડી કાઢીને   મારું મોઢું  ચાટવા આવેસ  (આવેછે) ને હવે કે છ કે તમે કદરૂપા છો ? “