Daily Archives: નવેમ્બર 1, 2014

પરમેશ્વરે સ્ત્રીઓમાં અદ્ભુત પ્રેમ અને જબરદસ્ત સહન શક્તિ મૂકી છે .

વર્ષો પહેલાં મારો લેખ ગુજરાત ટાઈમ્સમાં તે હું આતાવાણીમાં મુકું છું .એમાં થોડોક ફેરફાર કરીશ .
સૌ પ્રથમ હું ગુજરાત ટાઈમ્સના સંપાદક મંડળને ધન્યવાદ આપું છું કે તેઓ નીડરતાથી લેખો છાપે છે .
ગુજરાત ટાઈમ્સમાં છપાએલો શ્રી હસમુખ દોશીનો પત્ર વાંચ્યો .એ લખાણની ઘણી વાતો મને ગમી ,ફક્ત એક વાત ન ગમી કે તેઓ વડીલોએ વિધવા વિવાહ ન કરવાનો કાયદો ઘડ્યો એને વ્યાજબી ઠેરાવે છે .
પુરુષ વિધુર બને તો કે જે કાયદો હિન્દુઓની અમુક જ્ઞાતિઓમાં છે ,પુરુષ વિધુર બને તો ફરીથી પરણે કંઈ વાંધો નહિ ,એ સુંદર વસ્ત્રો પહેરી ઠાઠ માઠથી ફરે કંઈ વાંધો નહિ ,એવો વિધુર પુરુષ શુભ કાર્યો કરવા જનારાઓને મળે કંઈ અપશુકન નો થાય ,
વિધવા સ્ત્રીથી સારાં કપડાં પહેરાય નહિ ,કપાળમાં ચાંદલો પણ નો કરાય ,કોઈ શુભ કાર્ય કરવા જતી વખતે વિધવાને સાથે નો રખાય કોઈ શુભ કાર્ય કરવા જતી વખતે વિધવા સ્ત્રી સામી મળે તો અપશુકન થાય, વાહ આવા કાયદા ? जलाके खाक करदो ऐसे कायदाઓકો. સ્ત્રીને બાળક નો થાય તો સ્ત્રીમાં ખામી છે એવું મનાય ,દેશીંગામાં વર્ષો પહેલા એક ભાઈ વિધુર બન્યો ,એને સંતાનો હતાં પણ એને ઘર સંભાળનાર સ્ત્રીની જરૂર હતી .એક સ્ત્રી કે જેને બાળકો નોતાં થતાં એવા કારણ સર એના ધણીએ છુટ્ટા છેડા કરેલા . આ સ્ત્રીને દેશીંગા વાળો વિધુર ઘરઘ્યો (પુનર્લગ્ન ) અને એ વિધુરને ઘરે આવ્યા પછી બાળકો થયાં ખ્રિસ્તીઓના એક સંપ્રદાયમાં સ્ત્રીથી મંચ ઉપર જઈને ધાર્મિક ભાષણ આપી નો શકાય .જુના વખતમાં હિન્દુઓની કેટલીક જાતી ઓમાં દીકરી જન્મે તો તેને દૂધથી ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી .આ ક્રૂર ક્રિયા માટે રૂપાળો શબ્દ દીકરીને દૂધ પીતી કરવામાં આવી શબ્દ વપરાતો દીકરીને ડૂબાડનાર વ્યક્તિ શબ્દ બોલે કે દીકરી આ ઘરે દીકરો થઈને અવતરજે
હદથી વધુ પ્રેમ ધરાવતી સ્ત્રી શક્તિની ઉપેક્ષા કરવામાં આવે છે , અમદાવાદમાં એક પંચમહાલ જીલ્લાનો માણસ કે જે મારી સાથે પોલીસ ખાતામાં હતો .કે મારા ગામમાં કોઈ જાન પરણવા આવી હોય એવું કોઈને યાદ નથી .વડીલોને પણ યાદ નથી .
એક વખત મેં છાપામાં વાંચેલું કે રાજસ્થાનમાં સ્ત્રીને પ્રસુતિ આવવાની હોય ત્યારે ઘરના વડીલ પુરુષો ઓસરીમાં બેઠા બેઠા હોકો ગુડગુડાવતા હોય આ વખતે દાયણ દીકરીનો જન્મ થાય ત્યારે વડીલોને સમાચાર આપેકે बापू बारात आइहे आने दू के विदा करदु અને વડીલ બોલે કે વિદાય કર દો તો દાયણ ((સુયાણી ) બાળકીને ગળે ટુંપો આપી મારી નાખે
હમણાં મેં એક છાપામાં વાંચ્યું કે એક ચાર વરસની બાળકીને તેના માબાપે જૈન સાધ્વીની દિક્ષા અપાવી
દક્ષિણ ભારતમાં દીકરીઓને દેવ દાસી તરીકે મંદિરોમાં આપવામાં આવે છે . આ કાર્ય વ્યાજબી લાગે છે ? નેપાળમાં ગામે ગામ એક બાળકીને દેવી બનાવી દેવામાં આવે છે .આવી દેવીને જમીન ઉપર ચલાય નહિ ,એને પુરુષ તેડીને જ્યાં જવું હોય ત્યાં લઇ જતો હોય છે . સિંધમાં કોઈ કોઈ જાતિના લોકોમાં દીકરીને કુરાને શરીફ સાથે લગ્ન કરવામાં આવે છે . કુરાન સાથે પરણેલી છોકરી કોઈ પુરુષ સાથે લગ્ન નજ કરી શકે ને ?સોરઠમાં આહેર જેવી જાતિઓમાં જ્ઞાતિના મુખીને નાત ઘલઢેરો કહેવામાં આવે છે એમ સિંધમાં નાતના વડીલોને વડેરો કહેવામાં આવે છે કુરાન સાથે જયારે છોકરીના લગ્ન થતાં હોય ત્યારે વડેરા ઉત્સવ માનવતા હોય છે .
ગોતમ બુદ્ધના ઘણા સિદ્ધાંતો મને બહુ ગમે છે .પણ પોતાના એક વરસના નાના દીકરાને અને પોતાની પત્નીને સુતાં મૂકી લોક કલ્યાણ કરવા હાલી નીકળ્યા એ મારા જેવા અજ્ઞાનીને નથી ગમ્યું .રામના ભાઈ લક્ષ્મણ પોતાની પત્નીને પોતાની માની સેવા કરવા મુકીને પોતે પોતાના ભાઈની જંગલમાં સેવા કરવા ગયા આ વાત મને નથી ગમી
જંગલમાં એને રાવણની બેન સુર્પણખા મળી એણે લક્ષમણ પાસે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો . લક્ષ્મણે એના નાક કાન કાપી નાખ્યા . એ અભાગણી અભાગણી સાથે સ્વપ્નમાં આતાએ લગ્ન કર્યાં એ વાત આપ આતાવાણીમાં વાંચી ગયા છો .
શ્રી મહેશ વોરા નામના એક ભાઈએ વિગતથી લખેલું કે ગૌતમબુદ્ધનું પગલું વ્યાજબી હતું એવું વિગતથી ગુજરાત ટાઈમ્સ માં લખેલું
મિત્રો આ મારું લખાણ ગુજરાત ટાઈમ્સ ના સૌજન્યથી