Daily Archives: સપ્ટેમ્બર 7, 2014

सिव ,मिल ,यूनिट सखर सिंद ,(सिंध ) दाखिल हो गया हिम्मत रिन्द .(आज़ाद , मस्त .)

DSCN0932

મેં સિંધુ નદીના સાતબેલા ટાપુમાં  જે છોકરીને સલામ કરેલી તે છોકરી આવી હતી   .

 
 મારી મિલ્ટ્રીમાં  સિંધ હૈદરાબાદમાં ભરતી થયો. અને મને સિવ, મિલ, યુનિટ સખર સિંધમાં  મોકલવામાં આવ્યો. ત્યાં સુધીની વાત આપે વાંચી છે.વચ્ચે મેં રુસ્તમીનો અનુભવ કીધો.
સખરમાં  મને યુનિફોર્મ આપ્યો અને એક લાકડાની પેટી આપી,આવી પેટી મેં બીજી હજી સુધી જોઈ નથી.એ પેટીનું અર્ધુ ઢાંકણું બંધજ હોય,અને અર્ધું છુટું પડતું હોય, જે ગોઠવવાનું  હોય.અને આગળ નકુચો હોય જ્યાં તાળું  મારવાનું હોય  છે.
એક લાંબી બેરેક હતી.જે વડોદરાની બેરેક કરતા સુઘડ  નવી હતી.અહી બે વિભાગ હતા.દરેક વિભાગમાં સામસામાં  મચ્છરદાની સાથેના   ખાટલા હતા. જેમાં મને એક ખાટલો આપવામાં આવ્યો.એક વિભાગમાં હિંદુ, શીખ,ક્રિશ્ચિયન વગેરે રીક્રુટો  રહેતા  , અને બીજા વિભાગમાં મુસલમાનો  રહેતા મુસલમાનોમાં ગમેતે સંપ્રદાયનો  હોય  શિયા, સુન્ની,દેવબંદી,નજદી , વહાબી કે કાદીયાની ઉર્ફે  એહ્મદિયા.દરેક વિભાગો વચ્ચે એક પ્લાટુન કમાન્ડરનો ખાટલો હોય.
સવારે પરેડ કરવાની  પછી ભણવા જવાનું જ્યાં હથોડી ,  છીણી  , કરવત, ડ્રીલ  ,  કાનસ  ,
 કેવી રીતે ચલાવવી  એ શીખવાનું  પછી બીજા ક્લાસમાં રોમન ઉર્દુ  શીખવા જવાનું.
જમવામાં વડોદરા કરતાં  ઘણું સારું હતું.રસોડાં હિંદુના અને મુસલમાનોના જુદાં હતાં.રમજાન મહિનામાં મુસલમાનનું રસોડું દિવસના બંધ રહેતું અને રાતના ચાલુ થતું.
મચ્છરો  ન કરડે એની ખુબ તકેદારી રાખવામાં આવતી.સાંજ સવાર ખમીસની બાય  લાંબી રાખવાની  જો એમાં ભૂલ કરો તો તમારે સખત પરેડ કરવી પડે એવી સજા થાય રાતના બેરેકથી બહાર ખાટ્લા રાખીને સુવાનું પણ મચ્છરદાની  ઢાંકેલી  હોવી જોઈએ .રાતના ઓફિસરો  ચેક કરવા નીકળે  જેની મચ્છરદાની  બરાબર ઢાંકેલી  ન હોય તો  બપોરે સખ્ત પરેડ કરવાની સજા  ભોગવવી પડે  અને સજા પણ કેવી ?એક એક ખભા ઉપર છ છ ઇંટો મુકીને  દોડવાનું
એક વખત રાતના મચ્છરદાની  ચેક કરવા ઓફિસરો નીકળ્યા. હું એ લોકોનો ચાલવાનો અવાજ સાંભળી ગયો. એટલે મેં મચ્છરદાની ઢાંકી લીધી.પણ મારી જોડે વારો ઘસ ઘસાટ ઊંઘતો હતો.એની મચ્છરદાની ખુલ્લી હતી. પણ એનું નામ લખવાને બદલે  ભૂલથી નામ લખવા વાળાએ  મારું નામ લખી લીધું.એટલે મારે  ધોમ તડકામાં સખત  દોડવું  પડ્યું .  હું બેભાન થઈને પડી જવાની તૈયારીમાં હતો.પણ સદનસીબે  મારી સજાનો ટાઈમ  પૂરો થયો. હું મારી જાત તો મારું ખોટું સરનામું હોવાથી મારા માબાપને ખબર પણ  ન પડત  કે હું મૃત્યુ  પામ્યો છું.
 
 
સિંધુ નદીના બેટ વાળી છોકરીને સલામ કરી એ વાત કહેવાઈ ગઈ છે એટલે નથી લખતો  .
સખર પાસે સિંધુ નદીના બેટના એક  ટાપુનું નામ બખર  છે જેના ઉપરથી રેલ્વે પસાર થાય છે , ત્યાં મિલ્ટ્રીનું   થાણું છે  ત્યાં એક વખત આર્મીના જવાનો નાટક ભજવતા હતા  તે જોવા માટે અમને લઇ ગેલા ત્યાં એક જવાન સ્ત્રીનું પાત્ર ભજવતો હતો .એના બનાવતી સ્તનનો એક ભાગ નીચે પડી ગયો  .અને બધાને હસવાનું મળ્યું એક વખત બલુચિસ્તાનના  કોઇટા શહેરમાં અમને લઈ ગયા કોઈતાનો ઈંગ્લીશ પ્રમાણે ક્વેટા ઉચાર થાય છે। અહી મેં આર્ય સમાજ કોલેજ જોઈ  . અહી ભણેલો અફ્ઘનીસ્તાનનો હાઝારા સંપ્રદાય નો મુસલમાન છોકરો અમારી યુનીટમાં હતો તે શુદ્ધ  ગાયત્રી મંત્ર બોલી શકતો હતો ..
એક વખત અમારી બેરેક પાસેથી સખરના  જજ તેની પત્ની સાથે ચાલતા જતા હતા  મારા ખાટ્લા નજીકની  બારી પાસે આવીને મારા સામેના ખાટલા વાળો ક્પુરારામ કરીને છોકરાએ જજની સ્ત્રીની મશ્કરી કરી  .જજ પાછા વળીને અમારા સુબેદારને મળ્યા ,અને પોતાની સ્ત્રીની મશ્કરીની ફરિયાદ કરી. સુબેદાર જજને લઈને બેરેકની અંદર આવ્યા અને જજને કહ્યું કે તમે હવે ક્યાં જવાને મશ્કરી કરી એ જવાન બતાડો  .જજે મને દેખાડીને કીધું કે આ કપુરારામ મારી હમ શકલ હતો  .આ વખતે આઘો પાછો થઇ ગએલો  .સુબેદારે અને મારા પ્લાટુન કમાન્ડરે કીધું કે આ છોકરો એવો નથી  .પછી કાપુરારામને  ગોતીને જજને બતાડ્યો જજ કહે હા આજ હતો  અને જજે મારી માફી માગી સુબેદારે જજને કીધું કે અમે આને  સજા કરીશું  .જજ પોતાના રસ્તે ગયા સુબેદાર પોતાને ઘરે ગયો  .અને કપુરારામ પોતાના ખાટલા ઉપર ગયો .નતો કોઈએ સજા કરી કે ન કોઈએ સજા ભોગવી  .કપુરારામ કાંગડા જીલ્લાનો હતો અને પંજાબી ભાષા બોલતો અહી મને પંજાબી અને  સિંધી ભાષા શીખવા મળી .હું કામ શીખતો ત્યાં એક પંજાબી શીખ માસ્તર હતો અને એક સિંધી માસ્તર હતો  .બીજા માસ્તરો હતા પણ તે મને બહુ યાદ નથી   .સિંધી માસ્તરને બધા ચાચો કહેતા .
બેરેકના છેડે એક મસીદ હતી સમય મળ્યે મુસલમાન ભાઈઓ નમાજ પઢવા જતા  એંસી ટકા મુસલમાન વાળા સિંધમાં મસીદ કે પીરની દરગાહ ઓછી જોવા મળતી  .                   દક્ષિણ ભારતમાં  દીકરીઓને  દેવદાસી તરીકે  મંદિરોમાં મોકલી દેવામાં આવતી જૈનોમાં ભિખ્ખુની  બનાવવામાં આવતી  આવે છે .હિન્દુની કેટલીક જાતિઓમાં  જુના વખતમાં અને હજી પણ છાના છાપતા  દીકરીઓને  દૂધ પીતી કરી દેવામાં આવે છે  .અથવાતો માનભર જીવવા નથી દેતા।  સિંધમાં  અમુક મુસલમાનો  દીકરીને   કુરાન સાથે પરણાવવામાં આવે છે  .કુરાન સાથે પરણેલી છોકરી  બીજા સાથે ન પરણી શકે .
મારો એક સિંધી મિત્ર ઘણી વખત એવું બોલે  કે શમ્સ તબ્રેજ મારદે  શીખ  ઓર અંગ્રેજ  મેં એને કીધું હીન્દુનું કેમ કંઈ નથી કેતો તો તે કહે હિન્દુતો મરેલાજ  પડ્યા છે  .
સખર અને તેની બાજુમાં એક શહેર છે જેનું નામ જેકોબાબાદ છે  .કહેવાય છે કે તે જેકબ નામના અંગ્રેજે વસાવેલું છે . સિંધી લોકો એને જેક્માબાદ કહે છે આ વિસ્તારમાં ઉનાળામાં સખત ગરમી પડે છે .આ સખત ગરમીના કારણ બાબત  સિંધી લોકો એવું કહે છે કે  જુના વખતમાં શમ્સ તબ્રેજ નામનો સુફી ઓલિયો થઇ ગયો  .સુફી લોકો ખુદાને  પોતાની માશુક હોય એવું સંબોધન કરે છે .તેઓ  બહુ કર્મ કાંડમાં માનતા નથી  ખુદા  આઠમા આકાશ ઉપર વસે છે  .એવું એ નથી માનતા પણ ખુદા  હર જગ્યાએ  રહે છે .
हज़रत नियाज़ की एक गजल है जो आबिदा परविनके आवाजमें मैंने सुनी है  .
यारको हमने जा  ब  जा  देखा  कही जाहिर  कही छुपा देखा  શાયર ઇકબાલનો એક શેર છે કે
बिठाके अर्श पे रख्खा है तूने अय वाइज़
खुदा क्या वो है जो बन्दों से  एह्तराज  करे
એક વખત શમ્સ તબ્રેજ રસ્તાની બાજુમાં કોઈ ઠેકાણે પડયાં તા એટલામાં એક જનાજો નીકળ્યો શમ્સ તબ્રેજે  લોકોને પૂછ્યું  . ये   क्या जारहा है  लोगोने जवाब दिया बापू ये शह्जादेका  जनाज़ा है   ये ज़िंदा नहीं हो सकता ? बापू ये तो मर चूका है  तब्रेज्ञ बोला  जनाज़ा  मेरे पास ले आओ   बापूके पास जनाज़ा रख्खा  बापू बोले  ख़ुदा के  हुकुम से  जिन्दा हो जा   जिन्दा  नहीं हुवा  फिर बापू बोले मेरे हुकुम से जिन्दा  होजा   એટલે શાહજાદો જીવતો થઇ ગયો અને ચાલીને પોતાને બંગલે ગયો  બાદશાહે જાણ્યું કે શમ્સ તબ્રેજે  મારા દીકરાને જીવતો કર્યો છે  .એટલે તે હરખનો માર્યો  શમ્સ તબ્રેજ ને  મળવા ગયો  જાણીને  મુલ્લાઓ એ બાદશાહ ને  કીધું કે   માણસને  જીવતો કરવો એતો ખુદાનુજ કામ છે  શમ્સ તબ્રેજે  ખુદા કરે એવું કામ કર્યું માટે એને સજા  થવી જોઈએ  અને પછી શમ્સ તબ્રેજને   જીવતા ચામડી ઉતારવાની સજા કરી એટલે જ્લ્લાદોએ  શમ્સ  તબ્રેજની  જીવતા ચામડી  ખેંચી કાઢવામાં આવી  શમ્સ તબરેજ  પોતાની ચામડી  પોતાના ખભા ઉપર મૂકી  કસાઈને ઘરે ગયો  અને કસાઈને  કીધું મને બહુ ભૂખ લાગી છે માટે મને  ખાવાનું આપ  કસાઈએ  એને ખાવા માટે  માણસનો ટુકડો આપ્યો  આ ટુકડો લઇ  એ ભાડ ભૂંજા  પાસે ગયો અને માંસના ટુકડાને  શેકી આપવા  કહ્યું  બાદશાહની બીકે  ભાડ્ભુંજે  શેકી આપવાની નાં પાડી  . એટલે  શમ્સ તબ્રેજે  સુરજને કીધું  ए  शम्स  में भी  शम्स हु इ मेरे मांसके  टुकड़ेको  शेक दे  सुन कर सूरज निचे आया  लोगोका कहना है की   बनाव सखर की पास बना है  इसी लिए  सखरमे ज्यादा गर्मी है
 
 
સખરની  સિવ ,મિલ , યુનિટની  સાથે સાથે સિંધનો  હાલતાં ચાલતાં જે અનુભવ થયો છે એ લખું છું  .
તમે કોઈ બી વાહન જુવો એમાં પૈડાં ફરતા હોય છે  .પછી એ બાબા ગાડી હોય કે  મિલ્ટ્રીની   ટેંક હોય  .પણ  જે સિંધમાં બળદ ગાડાં જોયાં એમાં ધરી સાથે પૈડાં  જોડેલા હોય ,  એટલે ગાડું  ચાલે એટલે ધરી અને પૈડાં બધું સાથેજ ચાલે  ,સિંધી મુસલમાન સ્ત્રીઓ  ઘેર દાર ઘાઘરા પહેરે અને હિંદુ  સ્ત્રીઓ  લેંઘા પહેરે  જે આપને જોયું છે  .
સિંધી મુસલમાનોમાં એક “હુર “જાતી થાય છે  . બ્રિટીશ રાજ્ય કાળ દરમ્યાન કેટલીક  હિંદુ  કે મુસલમાન જાતિઓ માની કેટલીકને ગુન્હેગાર  જાતી તરીકે જાહેર કરેલી  જેવીકે છારા , કેકાડી  , બાવરી વાઘરી  , સિંધના હુર વગેરે  ,ફારસી ,અરબી ,અને ઉર્દુમાં  બે પ્રકારના “હ ” હોય છે  .અને  હુર એટલે અપ્સરાનો  “હ ” જુદો હોય છે  ,અને આ સિંધી હુરનો હ  જુદો લખાય છે  .આપણાં સંસ્કૃત  હરિ વગેરેમાં અને સિંધી હુર માં સરખો  એકજ જાતનો “હ” લખાય જયારે અરબી ભાષાના હરામ ,  હલાલ  , માં જે “હ” હોય છે એ   (હુર )માયલો ” હ” હોય છે   .
હુર બહુ  લુટારુ હોય છે  .એ માણસનું  ખૂન કરતાં અચકાતા નથી  .જયારે  છારા  , કેકાડી  . વગેરે જાતિઓમાં ચોરી  લુંટ કર્યાના અનેક દાખલા  મળે  પણ ખૂન કર્યાના દાખલા નથી સાંભળવા  મળતા  .
યહુદિઓમા  રાબાઈ , પારસીયોમાં  મોબેદ , હિંદુઓમાં  ગોર ,પુરોહિત  ,હોય છે એમ  આ હુર લોકોના પીર હોય છે  .જે પીર પાઘારો તરીકે ઓળખાય છે  .પણ ઈંગ્લીશ ભાષાના     ગોટાળા  મુજબ ” પીર  પગારો ” કહેવાય છે  , પીર પાઘારો નો ઇતિહાસ એવો છે કે  બે ભાઈઓ પીર હતા એમાં  હુર લોકોએ પાઘડી વાળો  પીર પસંદ કર્યો  .અમારી બાજુના  વિસ્તારમાં અને કચ્છમાં પણ “ળ “નો ઉચ્ચાર  “ર ” કરે છે  . પાઘડીનું ટૂંકું  પાઘ  છે  . એટલે આ પાઘડી વાળો  પીર  , પીર પાઘારો તરીકે ઓળખાય છે  . આ પીરના દર્શને હુર સ્ત્રીઓ પુષ્કળ  ઘરેણાં પહેરીને જાય  ,અને દર્શન દીદાર  કરતી વખતે બધાંજ ઘરેણાં  પીરને અર્પણ  કરી આવે છે  .
 સિંધમાં પ્રાચીન સંસ્કૃતિ કે  ઈંગ્લીશ પ્રમાણે  મોહન્જો  દડો  કહેવાય છે એને સિંધી ભાષામાં મું એ જો ડેરો   કહેવાય છે  . જેનો અર્થ થાય છે  . મરેલા ઓની   નગરી   .