પરગજુ ,પરોપકારી ,કાગડો અને કાગડી .

DSCN0251 DSCN0710

કોયલના ઈંડાને કાગડી અને કાગડો સેવે બચ્ચા નીકળ્યા પછી એને ઉછેરીને મોટા કરે   આ વાત માની  શકાય એવી છે ?ડાબી બાજુનું ચિત્ર નારી કોયલનું છે કવિ લોકોની કલ્પના પ્રમાણે કોયલનો રંગ કાળો હોય છે અને જે ટહુકા કરે છે પણ ખરેખર નર કોયલનો રંગ કાળો હોય છે અને જે ટહુકા કરે છે એ નાર કોયલ છે જમણી બાજુના ચિત્રમાં  નર માદ  લાંબો  પ્રવાસ ખેડી બંને કોયલ છે  મારી દીકરીના જમાઈ વિનોદ કુમાર કોયલને ગાંઠીયા  ખવડાવે છે

જ્યારે બર્ફીલા ઠંડા પ્રદેશમાં થી લાંબો પવાસ ખેડી પહેલી વાર લીલુડી નાઘેર , ગીર ગીર નાર અને બરડો  અને આમ્ર વનમાં આવી  ત્યારે એને આ પદેશ બહુ ગમી ગયો  એને લીલા લહેર થઇ ગયા  લોકોએ એના ગીતો બનાવીને ખુબ લાડ લદા વ્યા “કોયલડી ટહુકે છે લીલી નાઘેરમાં ” આવા જલસામાં  કોયલને વિચાર આવ્યો કે જો  આપને  બચ્ચા પેદા કરવાની અને એને ઉછેરવાની  વ્યાધિમાં પડી જઈએ તો  આપનાથી આવા જલસા ન થાય  અને બચ્ચા પેદા કરવા એ પણ એટલુજ  જરૂરી છે જેટલું  જરૂરી  જલસા કરવાનું છે  .

કોયલ ને વિચાર આવ્યો કે  જો આપના  બચ્ચા ઉછેરવાની જવાબ દારી કોઈ પક્ષી લ્યે તો આપના માટે  ભયો ભયો થઇ જાય  બચ્ચા ઉછેરવાની જવાબ દારી  માટે એને કાગડો અને એની ઘરવાળી કાગડી પસંદ પડી કેમકે  જેને ભોજન કરાવવાથી સ્વર્ગ માં વસતા  પિતૃઓને  જમવાનું મળીજાય છે વળી  આ લોકોની   જ્ઞાતિ માં  કાગ્ભુશુન્ડી  જેવા મહાત્મા થઇ ગયા  એટલે કાગડો અને કાગડી પરગજુ સહાનુભુતિ વાલા કહી શકાય  .એટલે કોયલ  કાગડી પાસે જઈને  પોતાના બચ્ચા  ઉછેરી દેવા માટે વિનંતી કરી  કાગડીએ જવાબ આપ્યો કે  અમે બંને હું અને મારો પ્રેમાળ પતિ કાગડો તારા બચચાને  અમારા બચ્ચા ની જેમ  પ્રેમથી ઉછેરી આપીશું  આવી  કાગદીની વાત સાંભળી  કોયલ અને એનો પતિ ખુ ખુશ થયા અને તે પાછીથી આજની ઘડી સુધી  કાગડો અને કાગડી  પોતાનું આપેલું વચન પાળે છે અને કોયલને બચ્ચા ઉછેરી આપે છે  .

એક  દુહો આપને વાંચવા આપું   “ઈંડા જે અ વરા તણા  તારે માળે  મૂકી દ્યે

ઈને સોળે  સાચવજે  ઈ કેવાય થાપણ   કાગડા

15 responses to “પરગજુ ,પરોપકારી ,કાગડો અને કાગડી .

  1. pragnaju ફેબ્રુવારી 11, 2014 પર 6:11 એ એમ (am)

    સંતાનોના ગુણ-અવગુણ એના માતાપિતાની ય ઓળખ આપ છે.! ગમે તેટલા ગોપિત રાખો, અપ્રગટ રાખો, છાના રાખો એ છતરાયા થવાના જ. પ્રકૃતિવિદનું એક બહુ જ જાણીતું અવલોકન છે. કોયલ પોતાના ઈંડા કાગડીના માળામાં મૂકી આવે છે. કાગડી એને પોતાના જ બચ્ચા સમજી ઉછેરે છે ને એક દિવસ એને કાને ‘કા..કા…’ને બદલે ‘કૂઉ…’ ગૂંજે છે. આ કિસ્સામાં ઈંડા છેતરે છે. ઓળખ તો કોચલુ તૂટે પછી જ બોલે છે. પણ કાગડીના માળામાં રહેવા છતાં, કોયલનું બચ્ચું કા… કા… નથી જ કરતું. એ પોતાની ઓળખ જાળવી રાખે છે.
    આ ઉદાહરણમાંથી એક તારણ કઢાયું છે કે, પેઢીના સંસ્કાર આગળ ઉતરે છે ને પેઢીની ઓળખ બને છે ને એને કારણે જ અસલના વખતમાં વર કરતાં ય ઘરનો મહિમા વઘુ હતો. ‘કોના સંતાન છે’ એ વાતનું વજન પડતું કે ઓછું થતું. મા-બાપની સિદ્ધિ કે મર્યાદા એમના સંતાનોની ઓળખ ઘડતી. જેના પરિવારમાં કોઈ રોગ હોય તો એ એના વંશમાં પણ અંશરૂપે ઉતરે એવી માન્યતાથી સંબંધ તોડાતા કે રોકાતા અને કેટલાય કિસ્સા એના અનુમોદનમાં ઘ્યાન પર લવાતા. વિજ્ઞાન પણ ‘જીનેટીક્સ’નું નવું શાસ્ત્રજ્ઞાન દ્રઢ કરી રહ્યુ છે. સંશોધનો ચાલે છે અને આ વંશાનુગત વારસાના સિદ્ધાંતોને ચકાસે છે.કાગડીનું બચ્ચું ટહૂકીને ના છેતરે. માણસ પાસે તો પોતે જે નથી તે દેખાડવાના હજાર કિમીયા છે.
    દુલા કાગ વાંચતા જ યાદ ગુંજે

    જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
    (તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
    ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
    (તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
    તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
    (પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
    કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
    ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
    આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
    મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!

  2. himmatlal ફેબ્રુવારી 11, 2014 પર 10:21 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન એક દુહો લખું છું
    સવરણે સવરણ નીપજે ક્વરણ ઉછરેલ કરણ
    કોયલ કસુર ન હોય મર દરીદરે સેવી દાદવા

  3. pragnaju ફેબ્રુવારી 11, 2014 પર 11:31 એ એમ (am)

    વાહ
    સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
    સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા’ણ,

  4. aataawaani ફેબ્રુવારી 11, 2014 પર 5:12 પી એમ(pm)

    ભલાં ભલાં પ્રજ્ઞાબેન
    તમારી કોમેન્ટ મને બે હદ ગમે છે।
    કોયલડી ને કાગ ઈને વાને વર્તારો નૈ
    ઈની જીભડી દ્યે જવાબ સાચું સોરઠી યો ભણે

  5. pragnaju ફેબ્રુવારી 11, 2014 પર 7:05 પી એમ(pm)

    મૂળ દોહો આ પ્રમાણે છે…
    કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ
    જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે
    આ ગમશે…
    કરવત, કાતર, કુજન, એ વહેરી જુદાં કરંત,
    સૂઈ, સુહાગો, સજ્જન, ભાંગ્યાં એ સાંધંત.

  6. aataawaani ફેબ્રુવારી 12, 2014 પર 6:44 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન
    સારું કર્યું તમે ખરો દુહો વાંચવા આપ્યો અને કાતર વાળી વાત દુહો ગમ્યો મને એક આવું આખું ભજન આવડે છે
    સુણ દરજીડા કાતર ગજને સોય તણા ગુણ હું કહું
    કાતર કેવી ભૂંડી ભારી તે પેટ વિષે રાખે પારી
    સાજ્યાં ભાંગ્યાં કરવા વારી વગેરે વર્ણન વારુ આખું ભજન કોઈ વખત હું બ્લોગમાં મુકીશ

  7. pravinshastri ફેબ્રુવારી 12, 2014 પર 9:02 પી એમ(pm)

    કુદરત પ્રેમી આતા અને સાહિત્ય જ્ઞાતા પ્રજ્ઞાબહેન પ્રતિભાવ ગાનમાં ભૂલ્યો કે શું લખવું વિચાર્યું હતું. કોમેન્ટ આપનારે આતા-પ્રિયજ્ઞાનો સંવાદ સૌ પ્રથમ વાંચવો જ રહ્યો.

    • aataawaani ફેબ્રુવારી 13, 2014 પર 6:29 એ એમ (am)

      પ્રિય પ્રવીણભાઈ
      હું એક કાતર ,ગજ .ને સોય .બાબત એક કવિતા મારા બ્લોગમાં મુકવાનો છું એ વું મેં પ્રજ્ઞા બેનને કહેલું પણ હવે તમ્નેજ કોમેનત આપવાની ઈ ચ્છા થઇ ગઈ જાણે કે તમે મને પ્રેરણા આપી હોય .
      આ કવિતા મારી માએ જ્યારે તેઓ તાજા પરણેલાં હતા અને બેટ દ્વારકા મારા બાપા સાથે રહેવા ગએલા ત્યારે કોઈ પાસેથી સાંભળેલી અને કંઠસ્થ કરેલી જે કવિતા આપના માટે વાંચવા આપું છું .
      સુણ દરજીડા કાતર ગજને સોય તણા ગુણ હું કહું
      અચરજ ઉપજે જોઈ જગતની રીત વિષે હું શું કહું
      કાતર કેવી ભૂંડી ભારી તે પેટ વિષે રાખે પારી
      સાજ્યાં ભાંગ્યાં કરવા વારી ….સુણ
      હવે ગજના ગુણ કહું છું જે છે બદ સલાહ કાતર ને દે છે પછી પોતે તો અળગો રે છે ……..સુણ
      જો સોય બિચારી સારી છે તૂટ્યાં સાજાં કરનારી છે તેથી દરજી ને બહુ પ્યારી છે ……….સુણ
      ગુણ ઓળખીને ગુણી જન ભાખે ગજ કાતરને હેઠાં નાખે સિર ઉપર સોય ધરી રાખે …….સુણ

  8. pragnaju ફેબ્રુવારી 13, 2014 પર 6:58 એ એમ (am)

    આ શ્રી પ્રવીણભાઇ ની વાત પ્રમાણે મુ શ્રી આતાજીની વાતમા ગાડી આડે પાટે જતી લાગે અને અમારા ભૂતકાળના બનાવો પર કહેવાઇ જાય જે અમારા પાગલપણાની દવાનું કામ કરે છે.આપ જેવા વિદ્વાન ન કેવળ આ સહન કરી માફ કરો છો પણ વાંચો અને સરાહો ત્યારે અમારી દીવાનગીની ફીકર ઓછી થાય….
    બાકી આદિ.શંકરાચાર્ય પ્રમાણે જર્જર દેહે કોઇને વાત સાંભળવાનો સમય જ નથી ત્યારે આપની પ્રેરણાથી આગળ વધીએ.
    પ્રથમ પંક્તિમાં કરવત, કાતર અને કુજનની વાત છે. જેમની પ્રવૃત્તિ ભેગાં થયેલાને જુદા કરી નાંખવાની છે અને બીજી પંક્તિમાં સોય, સુહાગો અને સજ્જનની વાત છે જે વિખૂટાં પડેલાંને એક કરે છે. આપણે સોય સુહાગો અને સજ્જનની પ્રવૃત્તિને બિરદાવી અનુસરવી જોઇએ એવો ભાવ બોધ આ પંક્તિઓમાંથી પ્રાપ્ત થાય છે.
    આ જગતમાં દરેકની સાથે કેટલીક સ્વભાવગત બાબતો વણાયેલી હોય છે. એવી સ્વભાવગત્ બાબતને પકડીને લોકહિતમાં સદ્વર્તન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે કરવતનો ગુણધર્મ લાકડુ વહેરવાનો છે. એવું જ કામ કાતરનું પણ છે. કાતર કાપડને વેતરીને એના ટુકડા કરી નાંખી એ પણ જોડાયેલાંને જુદાં કરી નાંખવાનું કામ કરે છે. ભેગાં હોય તેમને જુદાં કરવા એ નકારાત્મક એટલે કે ખરાબ પ્રવૃત્તિ ગણાય. ‘કુજન’ એટલે ખરાબ માણસ. આવા માણસો કુટુંબ, સમાજમાં કુસંપ કરાવવાનું કામ કરે છે. એકબીજાના કાન ફૂંકવા, કાગનો વાઘ કરવો કે નાની વાતને મોટું સ્વરૂપ આપી, રાઇનો પર્વત કરી યેનકેન પ્રકારે માણસોમાં તે ભાગલા કરાવે છે. આવા માણસો કુજન-દુર્જન કહેવાય. એથી અહીં એમની પ્રવૃત્તિને કરવત અને કાતર સાથે સરખાવવામાં આવી છે.
    સોય ફાટી ગયેલાં કપડાંને સાંધીને જોડવાનું કામ કરે છે, એવી જ રીતે વાસણ સાંધવામાં સુહાગોનો ઉપયોગ થાય છે. આ લોકોહિતમાં સોય અને સુહાગોની સાથે’સજ્જન’ ની પ્રવૃત્તિને જોડવામાં આવી છે. સજ્જન માણસો વિખુટાં થયેલાં, ઝગડેલા માનવીઓને એમની વચ્ચે સુલેહ સંપ કરાવવાનું ઉમદા કાર્ય કરે છે. કુટંુબમાં,સમાજમાં માણસો માણસો વચ્ચે ક્યારેક તો કજિયો થાય જ. જ્યારે આવું કંઇ થાય ત્યારે સજ્જન એકઠાં માણસ એમને સમજાવી-પટાવી એકઠાં કરવાનું કામ કરે છે માટે એવી ઉમદા પ્રવૃત્તિને જ અનુસરાય એવો ભાવ બોધ પ્રસ્તુત પંક્તિઓમાંથી મળે છે. આવા જ ભાવને વ્યક્ત કરતો એક બીજો દુહો પણ જાણીતો છે જે આ પ્રમાણે છે.
    ‘કજ્જલ તજે ન શ્યામતા, હીરો તજે નશ્વેત, દુરિજન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત’
    અર્થાત કાજળ એની કાળાશ છોડી શકતું નથી તેમજ દુર્જન એની દુષ્ટતા (વક્રતા) છોડી શકતો નથી. તો સામે પક્ષે જેમ હીરો છોડી એનું તેજ નથી છોડી દેતો તેમ સજ્જન અન્ય માણસોને હેત કરવાનું છોડી શકતો નથી. માણસે દુર્ગુણ ત્યજી સદ્ગુણી બનવું જોઇએ. આપણે ‘કુજન’ નહીં પણ સજ્જન બનવાનું છે. સુહાગા બનવાનું છે. માનવ જાતે જો સુખી અને સમૃદ્ધ થવું હોય તો આ સનાતન સત્યને સ્વીકારવું જ રહ્યું.

    • aataawaani ફેબ્રુવારી 17, 2014 પર 3:51 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન
      તમારાં જેવાં સ્નેહીઓનો મારી તંદુરસ્તી (શારીરિક અને માનસિક )ટકાવી રાખવામાં અને વધારવામાં કંઈ ઓછો ફાળો નથી ,
      जहाँ तक हो आताई दिलमे रख आला खयालोको हसद मगरूरी दिलमेंसे निकाल देने के काबिल है यारो मै इतना बरखुरदार हूँ है नेक दिल माशूक़ संग दिल फ़ितनागर माशूक़ हटा देने के क़ाबिल है

      • pragnaju ફેબ્રુવારી 17, 2014 પર 8:11 એ એમ (am)

        હંમણા સમાચારમા દિલ્હી વધુ આવે ત્યારે યાદ આવે
        दो गज जमीं के लिये तडपते खातेमुनशहेनशाहे
        मुघलिया बहादुरशाह जमीन का आखरी मस्कन.
        दिल्ली से अपने विदा होने को बहादुर शाह ज़फ़र ने इन शब्दों में बांधा है:
        जलाया यार ने ऐसा कि हम वतन से चले
        बतौर शमा के रोते इस अंजुमन से चले
        न बाग़बां ने इजाज़त दी सैर करने की
        खुशी से आए थे रोते हुए चमन से चले

        • himmatlal ફેબ્રુવારી 18, 2014 પર 8:56 એ એમ (am)

          जब बहादुर शाह ज़फर रंगून के जेलमे था जब उदास था उस वक्त उनका पहरेगिर जो अँगरेज़ था शायर था उसने ज़फर को कहा
          दम दमाए दम नहीं अब खैर मांगो जानकी
          ऎ ज़फ़र ठंडी पड़ी अब तेग हिन्दुस्तानकी जफरने जवाब दिया
          हिंदिओमे बू रहेगी जब तलक इमानकी
          तब तो लन्दन तक चलेगी तेग हिन्दुस्तानकी

  9. aataawaani ફેબ્રુવારી 13, 2014 પર 4:34 પી એમ(pm)

    પ્રિય પ્રવીણભાઈ
    તમારી વાર્તાઓ રસદા યક તો હોય છે પણ જ્ઞાન વર્ધક પણ કહેવાય મારા જેવાને ઘણું શીખવા મળે છે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: