
એક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા રૂપિયાની જરૂર હતી .આ બ્રાહ્મણઠેઠ ઝાલા વાડ ના કોઈ ગામડેથી આવેલો .બાપુના બંગલા આગળ આવીને ઉભો . નોકરે રાવત બાપુને ખબર આપ્યા કે એક બ્રાહ્મણ આપને મળવા માગેછે . બાપુએ બાહ્મણ ને પોતાના બંગલામાં અંદર બોલાવ્યો .અને મળવાનું કારણ પૂછ્યું . બ્રાહ્મણે પોતાની દિકરીના કન્યાદાન માટે કરિયાવર અને મોટી જાનના જમણ વાર માટે ખર્ચ કરવો પડશે ,એ માટે મારે થોડા પૈસાની જરૂર છે ? બ્રાહ્મણે કીધું બસ્સો રૂપિયાની જરૂર છે .બાપુએ તુરત પૈસા આપવાની વ્યવસ્થા કરી આપી .અને બ્રાહ્મણ ને પ્રણામ કરી વિદાય આપી .પૈસા લઇ બ્રાહ્મણ ઘરે આવ્યો .પત્નીને વાત કરી .બ્રાહ્મણ બિલખા ગયો .એ પછી બ્રાહ્મણી ને વિચાર આવેલો કે ખોટા વહેવારમાં તણાય જઈ લગ્નમા આટલો બધો ખર્ચ કરવો એના કરતાં આર્યસમાજ વિધિથી લગ્ન કરાવીએ તો બહુ ખર્ચો નો થાય ,અને જે પૈસા બચે એમાંથી દિકરીને કરિયાવર કરીએ અને વધે એ પૈસા આવતે વર્ષે દિકરો કોલેજમાં જશે એ ખર્ચમાં વાપરીએ ,માટે તમે બીલખા જઈને રાવત વાળા બાપુને વાત કરો ,કેમકે બાપુ પાસે આપણે દિકરીના લગ્ન ના ખર્ચ માટે પૈસા માગેલા અને આપણે આપણી મરજીથી બીજા કામ માટે પૈસા વાપરીએ એ અન્યાય કહેવાય ,બ્રાહ્મણ બીલખા આવ્યો અને બાપુને બધી બીનાની વાત કરી , બાપુએ કીધું કે દિકરાની કોલેજ માટે વધુ ખર્ચ થશે .માટે આ બીજા પાંચસો રૂપિયા વધુ લઇ જાઓ એમ કહી બાપુએ બીજા પાંચસો રૂપિયા આપ્યા . શ્રીમન્નથુ રામ નો આશ્રમ ખરેખર બીલખા રાજ્યની હદમાં નોતો પણ અમરુવાળા દરબારના ગામ નવા ગામની હદમાં હતો .એક દિવસ અમરુ વાળા એ આશ્રમના સત્તાવાળાઓને હુકમ કર્યોકે તમારા આશ્રમની નામની આરસની તકતીમાંથી બીલખા નામ કાઢી નાખી નવાગામ નામ લખો . એટલે તકતીમાંથી બીલખા નામ કાઢી નાખી .નવાગામ ની તકતી ગોઠવી , પછી ભારત સ્વતંત્ર થયો ,રજવાડાં ભૂંસી ગયાં ,એટલે કાઢી નાખેલી બીલખા ગામની તકતી ફરીથી જોઈન્ટ કરી દીધી હાલ જો કઈ બીજો ફેરફાર ન થયો હોયતો એ ચોટાડેલી તકતી જોવા મળશે .
એક વખત એક મસ્તાન નાગોબાવો બીલખા આવ્યો . અને એ ક વડલાના ઝાડ નીચે મૃગચર્મ વિછાવી જમાવટ કરી આ બાવો જયારે ગામમાં જાય ત્યારે લંગોટી પહેરે બાકી દિગંબર રહે .બાવો એક હથિયાર તરીકે કુહાડી રાખતો કોઈ પ્રશ્ન કરે કે બાપુ તુમતો ત્યાગી હો ત્તુંમ્કો ફારસી રાખનેકી ક્યાજરૂરત હૈ બાવો જવાબ આપ્ તો કે મહાદેવ ભી ત્રિશુલ રખતે થે . બાવા એ જે ઝાડ નીચે આસન જમાવેલું એ ઝાડ ઉપર મોટો મધપુડો હતો .આ મધપુડા માંથી મધ લેવા એક પારાધી આવ્યો ,અને સીધો ઝાડ ઉપર ચડવા માન્ડ્યો બાવાએ તેને ઝાડ ઉપર મધ લેવા જતા અટકાવ્યો પણ પરાધી માન્યો નહિ ,અને બાવાને બિભત્સ ગાળો આપી .અને ઝાડ ઉપર ચડવા માંડ્યો બાવે એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના પારધીની કમરમાં કુવાડી ઝીંકી દિધી પરાધી નીચે પડ્યો .બાવે” પડ્યા ઉપર પાટુ ” એ ન્યાએ વધારે કુહાડીઓના વધારે ઘા ઝીંકી પારધીને મારી નાખ્યો . એ જમાનામાં બિલખા જેવાં નાના રજવાડાં ઓને હાઈ કોર્ટ સુધી કેસ ચલાવવાની સત્તા હતી .બાવાને પકડીને પોલીસ લઈ ગઈ , જયારે પોલીસ પકડીને બાવાને લઇ જતી હતી .ત્યારે બાવો બોલ્યો પૂજા કરનેકે લિએ મેરે શીવ લિંગ ભી સાથ લે ચલો . બાવાએતો જેલને શિવાલયમાં ફેરવી નાખી ,શંખ નાદ ઘંટારવ શરુ કરી દીધો . કોર્ટમાં કેસ ચાલ્યો બાવે ગુન્હો કબુલ કરી લીધો . પણ ડોકટરે અસ્થિર મગજનો છે એવું સરટિ ફિકેટ આપ્યું . જજે ન્યાય કર્યોકે બાવો અસ્થિર મગજનો હોવાથી એના બોલવા ઉપર ભરોસો નો રખાય એમ કહી બાવાને છોડી મુક્યો , બાવો કુહાડી, ખપ્પર,મૃગચર્મ લઈને રવાના થયો .અને પોતાની મૂળ જગ્યાએ આવી ગયો .આપના કનક રાવળ નાં દાદા મહાશંકર બાપા નથુરામ શર્માના શિષ્ય હતા હું મહાશંકર બાપાને સારી રીતે ઓળખાતો ,અને એમના ચિત્રકાર પુત્ર કલાગુરુ રવિ શંકર રાવળ પણ ઓળખું અને આ કરા ને પણ ઓળખું .
એક વખત લુંન્ત્ફાતનો ભય હતો ત્યારે આશ્રમમાં ચોકી કરવાની જરૂર ઉભી થઇ . આશ્રમ માં વજશી ભગત કડછા મેર અને ગીગોભગત ચુંવાળિયા કોળી એમ બે ચોકીદારો હતા અને ત્રણ બંદુકો હતી , પણ બેમાંથી એકેય ચોકીદારને એકેય બંદુક વાપરતા આવડે નહિ . દેશીંગા દરબાર પાસે આ વી બંદુક હતી . દરબાર નવરંગ ખાં નો દીકરો અબ્દુલ હમીદખા ઉર્ફે દાદાબાપુ મારો ખાસ મિત્ર એટલેહું સીમમાં જઈને દાદાબાપુ સાથે ભડાકા કરતો એટલે મને બંદુક વાપરતાં આવડે , એટલે મેં આશ્રમમાં ચોકી દારી કરી .મારી સાથે મારો મિત્ર ચાપરડા ગામનો પ્રાણ શંકર રહેતો , અમને ચોકીદારીના બદલામાં પીવા માટે વધારે દૂધ અને વહેલી સવારે પ્રાર્થના કરવાની માફી મળતી એક વખત રાવત વાળા બાપુનો બાપુના જન્મ દિવસના છડી પોકારનાર માંદો પડ્યો એટલે મેં બાપુની છડી પણ છડીદારના યુનિફોર્મ માં પ કારી સોનેકી છડી રુપેકી મસાલ રાવત વાળા બાપુને ઘણી ખમ્મા … ખાસ છડી દાર ને તો ઘણા શબ્દો બોલવા પડતા ,પણ મને આટલાજ શબ્દો શીખવેલા .
દારને તો
Like this:
Like Loading...
Related
સ્વ .મેઘાણીની કોઈ વાર્તા વાંચતા હોઈએ એવો આતાજીની આ ભૂતકાળની સ્મૃતિ
કથા વાંચીને અહેસાસ થયો .
સોનેકી છડી રુપેકી મસાલ દેશીન્ગા વાળા આતા બાપુને ઘણી ખમ્મા …