शकिल के घर भूखे ब्राह्मण आये

એક દિવસ  આતા, સુરેશજાની ,અને બીજા બે બ્રાહ્મણો  વાપી થી તાપી પ્રવાસ કરતા હતા .અમારા કોઈ પાસે કેમેરો નહિ .એટલે સુંદર દૃશ્યો  કોઈ બીજાને બતાવી નો શકાય .એટલામાં સુરેસ્જાનીને  શકીલ મુનશી યાદ આવ્યા . અને વિચાર કર્યો કે તે કામકાજમાં બહુ બીઝી રહે છે .એટલે એને સાથે લેવાય એમ નથી . નહીતર એ સરસ ફોટા પાડે અને  સૌ ના ઈ મેલ ઉપર મોકલી આપે .  એવામાં એક ભાઈ બોલ્યા ,એને  કામ બહુ હોય છે પણ  એ આપણા ઉપરના  પ્રેમને લીધે લીધે કામનો ભોગ આપીને  આપણી  સાથે આવે ખરા . એવામાં આતા બોલ્યા .એલા ભાઈ એને પૂછી જોઈ એ  પૂછવામાં આપણું શું જાય છે .ઓલા સોનીને આપને કહીએ કે ભાઈ જરાક સોનું અમને આપને ,?એતો બ હુમાં બહુ  તો નાપાડે  આપણને બાંધી નો દ્યે . વખતે એવું સંભળાવે કે  દારૂના નશામાં તો નથી બોલતાને  સોનાં  કોઈદિ મફતમાં મળતા હશે ? એમ આપણે  શકીલને કહી જોઈએ . આવેતો ભલે નો આવે તો કંઈ   નઈ  ,બીજી વાત એ કે આપણને  ભૂખ પણ બહુ લાગી છે એટલે એને ત્યાં જમવાનો પણ બંદોબસ્ત થઇ જાય આપણે  અહી ક્યા રેસ્ટોરાં કે લોજ ગોતવા બેસીશું .

સાંજ પાડવા આવી હતી .બધા  શકીલને ઘરે ગયા . શકીલ  ઘરે એકલાજ હતા ઘરના સહુ મેમાન ગતિએ  સગાઓને ઘરે ગયાં  હતાં ..એ બધા વાળું ટાણે આવી જવાના હતા કેમકે શકીલને ઘરે નાનકડી પાર્ટી હતી વીસેક માણસો આવવાના હતાં .એ સહુના ભોજન માટે  શકીલે હલાલ કરીને 8 મુર્ગીઓ રાંધીને તૈયાર કરી રેફ્રીજેટર માં મૂકી હતી . શકીલે સૌ   બ્રાહ્મણ  મિત્રોને જોઈ બહુ ખુશી થયા   પધારો અતિથી  પધારો  હું તમારું સ્વાગત કરું  છું ,અને વધમાં કીધું કે આજે આપણે  પાર્ટી રાખી છે .સૌ ને મળવાનું થશે, અને આનંદ આવશે હવે તમે આવ્યા છો એટલે લાડુ, દાળ , શાક અને ખીચડી બનાવજો  તમને ભાવતી વસ્તુ , હવે ઘી વગેરેતો ઘરમાં છે પણ  લાડવા માટે ઘઉંનો કરકરો લોટ   શાક માટે કારેલા વગેરે લેવા જવું પડશે તમે બેસો હું જોઈતી વસ્તુ લઈને આવું છું . જરાક વાર લાગશે કેમકે મારે થોડુક  બીજું કામ પણ કરવાનું છે એમ કહી , શકીલ બજારમાં ગયો . શકીલના ગયા પછી આ ભૂખ્યા ડાંસ બ્રાહ્મણોને  વિચાર આવ્યો કે રેફરી જેટર માં કઈ  દૂધ હોયતો આપણે  પી એ અને જરાક ટેકો કરી લઈએ . રેફ્રીજે ટર  ખોલીને જોયું તો   કુક્ડી યોના શરીર થી આખું રેફરી જેટ ર ભરેલું . આ શું છે એ કોઈને ખબર પડે નહિ એમને  આતાને   અનુભવી સમજીને પૂછ્યું .કે આ શું છે આતાએ  ધડ દઈને જવાબ આપ્યો કે એ સુરણ  છે . કૂકડીના ટાંગા જોઈ કોકે આટાને પછ્યું આવું લાકડા વાળું સુરણ  કોઈ ડી ભાળ્યું નથી . આતાએ બહુ શાંતિથી જવાબ આપ્યો એતો ગિરનારનું પહાડી સુરાન છે ,એમાં ગુંદા નાં ઠલીયાની ની જેમ કથાન પદાર્થ હોય  આતા  એમ કહે ભાઈ મને ખબર નથી એ શું છે .તો પછી એ મુરખા ઠરે એટલે   પોતાની મુર્ખાઈને છાવરવા ગપ્પ ઠોકી  દીધી . પછી બ્રહ્મનો જે અસ્ફ્યા કે  20 માણસો માટેની કુકાડી યું આ ચાર બ્રા હ્મનો ણો  ઝાપટી ગયા . મેમાનો આવી પહોંચ્યા .   બ્રાહ્મ્ણો  લાડુ બનાવવાની તજવીજ કરવા માંડ્યા  બન્યું એવું કે બ્રાહ્મણોને ખાવાનો ખોરાક  પાર્ટીના સભ્યોને  ખાવો પડ્યો . અને  પછી  સૌ એ ઓલો અનુપ જલોટા ગાય છેને કે ” ભોલે ભંડારી   એક દિન કૃષ્ણ દર્શાન્કો બ્રીજ્મે  આ ગયે એમ આ પાર્ટી વાળાઓએ  ગીત ઉપાડ્યું કે “શકીલકે ઘર ભુકે બ્રાહ્મણ આયે મુરગીયાં  ખા ગયે . પછી બ્ બ્રાહ્મણો વિચાર કરવા માન્ડ્યાકે  હવે આપને પ્રાયશ્ચિત કરવું પડશે, એટલે ગંગા ના વા જવું પડશે  આતા બોલ્યા હૂતો   નળના પાણીને ગંગા જળ સમજીને નાહી લઈશ .હવે ગંગાનું પાણી નાવા જેવું ક્યા રહ્યું છે। હવેતો  ગંગાના પાણી થી નાવ  તો ચામડીનો રોગ થાય એવું છે .

20 responses to “शकिल के घर भूखे ब्राह्मण आये

  1. Atul Jani (Agantuk) માર્ચ 25, 2013 પર 10:40 પી એમ(pm)

    અપ્પીના ઘેર ગપ્પી આવ્યાં, સાંભળો ગપ્પી જી
    બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી

    કહેતા ભી દિવાના
    ઔર
    સુનતા ભી દિવાના

    શકીલજીની અને ભુદેવોની અને મેમાનોની જય હો

  2. અમિત પટેલ માર્ચ 26, 2013 પર 12:44 એ એમ (am)

    હળવદ અને લાડુ સાંભળેલા, પણ મુર્ગીઓ ?

  3. અશોક મોઢવાડીયા માર્ચ 26, 2013 પર 1:45 એ એમ (am)

    આ સો ટકા ગપ્પુ જ છે !!
    આ આતા ને સુજાની વાત તો (ભોજન વિષયક !) કદાચ માનવામાં આવેય ખરી ! (આમે અમારી બાજુ તો દાઢમાં બોલાય છે કે “આ” બધું મોંઘું કોણે કર્યું ?!) પણ ઈવડો ઈ શકિલ મે‘માનુને ચોખ્ખા ઘીનાં લાડવા ખવડાવે ઈ માન્યામાં આવે જ નહિ !!! 🙂 ઈ મારી આખી ચા ટસેડી જાય છે ને મને કોઈ દાડો અડધી ચાય પિવરાવતો નથી, મે‘માનુને લાડવા શું ધુળ ખવડાવવાનો ?! (અને બીજા મે‘માનુય એને ન્યાં મુર્ગી તો શું મુર્ગીની ટાંગ પણ શું ધુળ પામવાના ?! 🙂 )

    મને તો આ હોળીનું હોળૈયું લાગે છે ! 🙂 લ્યો તંઈ ભેળાભેળ બે‘ક ફાગ પણ થાવા દ્યો. બૂરા ન માનો, હોલી હૈ !!

    • Dipak Dholakia માર્ચ 26, 2013 પર 3:13 એ એમ (am)

      હોળીમાં બધું હાલે, પણ શકીલભાઈ કહેશે કે હા, આવું જ થયું હતું – તો?

      પણ વાર્તા બનાવવામાં આતા ગજબ છે!

      • અશોક મોઢવાડીયા માર્ચ 26, 2013 પર 3:22 એ એમ (am)

        માન.શ્રી.દીપકભાઈ, કાં તો લાડુ અને કાં તો….. પણ આપ જરૂર કોઈ લાલચમાં લપેટાઈને શકિલને ગાડે બેઠાં છો !! 🙂 અરે સાહેબ એ સ્વયં કહે તોએ હું ન જ માનું ! એમ તો ઘણી વખત એવું બન્યું છે કે અમો એને ઘરને દ્વારે જઈ ઘંટડી બજાવીએ અને એ સાહેબ અંદરથી જ રાડ પાડે કે, “હું ઘરે નથી !!”

        શું આપણે માની લેવાનું ?! જો કે એક રસ્તો છે, મને મનાવવાનો, મને એક વખત લાડુ ખવડાવે તો હું માનુ કે ઈવડા ઈએ આતા એન્ડ કું.ને લાડુ (કે ……!!) ખવડાવ્યા હશે ખરા ! 🙂 🙂

        બાકી આતાની કલ્પ્નાને (એટલે કે કલ્પ્નાશક્તિને ! 😉 ) સલામ. હોલી હૈ !

      • હિમ્મતલાલ માર્ચ 26, 2013 પર 7:20 એ એમ (am)

        દીપકભાઈ તમારી પ્રશંશાના પુષ્પ હું માથે ચડવું છું
        તમારું નામ આવે એટલે મને રાજકોટના ધોળકિયા દાકતર યાદ આવે . મારા માટે ઓછા પૈસા લઈને જે સારવાર કરી છે એ મારાથી ભુલાતી નથી .એની સારવારે મને જીવાડ્યો એમ કહું તો તે જરાય અતિશયોક્તિ નથી

    • હિમ્મતલાલ માર્ચ 26, 2013 પર 6:53 એ એમ (am)

      અશોક તી આ શકિલ ની ઓરખાણ કરાવી ઈ હારું કર્યું . હેવ આ શકીલ ને ઘેર નો જવાય ,ભલી વાપી જા ઈં પણ આ શકીલનું ઘર તારવે દેવાય અને તાપી જવાય , હું હોરીના ફાગ બોલાં ?

  4. pragnaju માર્ચ 26, 2013 પર 5:23 એ એમ (am)

    શકીલ વાંચી ક્લીક કરતા કદાચ
    मेरे हमनफस, मेरे हमनवा, मुझे दोस्त बनके दगा ना दे,
    मैं हूँ दर्द-ए-इश्क से जां-वलब, मुझे ज़िंदगी की दुआ ना दे।
    मेरे दाग-ए-दिल से है रौशनी, उसी रौशनी से है ज़िंदगी,
    मुझे डर है अये मेरे चारागर, ये चराग तू ही बुझा ना दे।

    मुझे छोड़ दे मेरे हाल पर, तेरा क्या भरोसा है चारागर,
    ये तेरी नवाज़िश-ए-मुख्तसर, मेरा दर्द और बढ़ा ना दे।

    मेरा अज्म इतना बलंद है के पराए शोलों का डर नहीं,
    मुझे खौफ आतिश-ए-गुल से है, ये कहीं चमन को जला ना दे।

    वो उठे हैं लेके होम-ओ-सुबू, अरे ओ ‘शकील’ कहां है तू,
    तेरा जाम लेने को बज़्म मे कोई और हाथ बढ़ा ना दे।
    …………..હશે એમ માન્યું પણ નીકળ્યું હૉળીનું નોનવેજ ગમતડું ! અમે થેંક્સ ગીવીંગમા ફ્લાવર પર ચોકલૅટ જેવૂં પ્રવાહી બનાવી તેના પર રૅડી ટર્કી બનાવી આમીન,બિસ્મીલાહ અને વૈદિક પ્રાર્થના કરી આરોગતા પણ

    ટર્કીનું પીછું ટોપીમા ખોસતા નહીં

  5. સુરેશ જાની માર્ચ 26, 2013 પર 5:29 એ એમ (am)

    એ આતા
    તમારા ફ્રિજમાં તમે રાખેલી ચીકનને આ શુદ્ધ બામણ અડેલોય નહીં – એનું વેર લેતા લાગો છો !!
    ————
    બાકી તમારી આ કલ્પનાને સો સલામ.( પાછી આ કોઈ કલ્પના બેન ની વાત ના માની લેતા !!! )

    • હિમ્મતલાલ માર્ચ 26, 2013 પર 7:12 એ એમ (am)

      મારા ફ્રીઝમાં કુકડિયું હતિયું ઈતો મારા પોટરની વહુએ રાખેલી એકવાર મારાથી ભૂલમાં ખવાઈ ગઈ તી એટલે મને બા ધતી તી બાકી હરામ છે જો અમારા ઘરમાં કોઈ માંસાહાર કરતુ હોય . એકદિ ફ્રિજમાંથી તમે મારે ઘેર આવ્યા તા ત્યારે એક કૂકડી ઓછી થઇ ગએલી હો મેં તમને પૂછ્યું તો તમે મને કીધું કે ઈ તો ભરર્ર કરતી ઉડી ગઈ .

  6. Vinod R. Patel માર્ચ 26, 2013 પર 9:33 એ એમ (am)

    “શકીલકે ઘર ભુકે બ્રાહ્મણ આયે મુરગીયાં ખા ગયે .

    વાહ ,આતાજી ખરી કલ્પના દોડાવી . હોળી-ધૂળેટીની ઠંડા પહોરની કમાલની મજાક .

    વાતને મલાવીને રજુ કરવાની કળા તમારી પાસેથી શીખવી જોઈએ .

  7. Shakil Munshi માર્ચ 28, 2013 પર 8:06 એ એમ (am)

    वो उठे हैं लेके होम-ओ-सुबू, अरे ओ ‘शकील’ कहां है तू,
    तेरा जाम लेने को बज़्म मे कोई और हाथ बढ़ा ना दे। [મારવાડી નો ભરોહો નઈ !]

    મુ.આતા પાયલાગણ, પહેલા તો હંધાય ને “હૅપી વાલી હોલી”, અને મોડો આવ્યા બદલ માફી, અરે આતા આ કાઠિયાવાડી પર ભરોહો રાખી કલ્પનાના ઘોડા પર સવાર થઈ મહેમાન બનવા બદલ ખુબ ખુબ આભાર.
    આતા આપણો કાઠિયાવાડી પરોણાગત માં પાછો પડે! [થોડા મારવાડી છયે], અરે માંગો તો માથું વાઢીને આપી દયે ! તમે ઓલા મારવાડીની વાતોમાં આવી પ્રોગ્રામ ફેરવતા નઈ ! એની દુકાને અરધી ચા માટે પણ ખાંડા ખખડાવા પડે છે ! 🙂 વર્ષોનો અનુભવ છે ! હમણાં ત્રણ દહાડા પહેલા એને ખબર પડી કે હુ જુનાણામાં આવ્યો છું દુકાન પર થી છું…… ! બોલો ! 🙂
    માટે તમ તમારે હંધાય મિત્રો હારે બિન્દાસ વાપી આવો અને અમને સેવાનો લાભ આપો. લાડવા પાક્કા ! 🙂

    • અશોક મોઢવાડીયા માર્ચ 28, 2013 પર 10:57 એ એમ (am)

      તો…ય ભડનું છોડિયું એમ નો ફાટ્યો કે ’અશોક’ને લાડવા ખવરાવીહ !!
      “અરે માંગો તો માથું વાઢીને આપી દયે !” — પણ તારૂં ખાલી ખોપરૂં બઉ બઉ તો આતાને પાણી પીવાના કામમાં આવે ! બાકી ઈની માલિપા કંઈ ખાવા જેવું તો હઈશે નઈ ! 🙂

      હેપ્પી વાલી હોલી ! ભાઈ તુંને પણ હેપ્પી હોલી. મુને લાડવા ભલે નો ખવરાવ્ય, પણ તારે મોંએ ’મારવાડી’ શબ્દ હાંભળું છું ત્યાં પેટ ભરાય જાય છે. આતા, ઈં તા આ શકિલ પણ ’યારો કા યાર’ છે હોં ! કો‘ક દિ મળશો ને તો આ અશોકનેય ભુલે જાહો ઈવો ઈ દિલદાર છે ! લ્યો તંઈ, આ ફેરે આપણે બેય ભેળાં થઈને ઈને ન્યાં ધામો નાખીશું. (વાડ વાંહે એરડો પણ પીહે !!)

    • હિમ્મતલાલ માર્ચ 28, 2013 પર 2:14 પી એમ(pm)

      પ્રિય શકીલ
      સુરતમાં મારી દીકરીનો દીકરો જય દીપ રહે છે .એટલે હવે દેશમાં આવું ,ત્યારે વાપી જરૂર આવીશ પણ તલના કે માંડવીના તેલના નાખેલા લાડવા ખાઈશ કેમકે હું દૂધ કે એની બનતી વસ્તુ ખાતો નથી .મીઠું કે મ રી મસાલો ખાતો નથી . પણ મારા ભેગો અશોક આવે તો ઈ મને મોઢે ક્યે કે આતા તમે શકીલને વધુ ખર્ચમાંથી બચાવ્યો અમને એમ કે આતા ભેગા જા એ તો શકીલને ઘરે જાએ તો ચુચ્વતા ઘીના લા ડ વાનો ધરવ કરીએ તો .એટલે તમ ભેગા હોઈ એ તો અમથી ઈમ થોડું કેવાય કે આતા ભલે તેલના લાડવા ખાય . અમારા સારું તો તારે ઘીના લાડવા બનાવવા પડશે . હવે મને શકીલના લાગણી ભર્યા પ્રેમની ખબર પડી .હવે હું દેશમાં આવું તો અશોકને ભલે ખુબ કામ હોય પણ ભેગો લઉં ખરો . જોકે અશોક સાત કામ પડતા મુકીને મારા ભેગો હાલી નીકરે એવી મને ખાતરી છે .

Leave a reply to સુરેશ જાની જવાબ રદ કરો