ચરણ સ્પર્શ કરવા જેવી સ્ત્રી શક્તિઓ

બ્રિટીશરોએ  વિશ્વમાં રાજ્ય કર્યું .એની કુશળતા ,ચાણક્ય નીતિ કેટલેક અંશે સચ્ચાઈ ને આભારી છે .આપણા ઉપર રાજ્ય કરી ગયા .એટલે આપને એને વખોડીએ એ વાત એક જુદી છે .આઝાદી અપાવવામાં  ગાંધીજીના અહિંસક હથિયારને આપણે  યશ આપીએ છીએ  બરાબર છે .પણ અંગ્રેજો પોતાને પણ આઝાદી આપીને છુટું થવું  હતું .ઘણા દેશોને આજાદ કર્યા  એમાં ક્યાં દેશે  ઉપવાસ કરીને અંગ્રેજોને  આઝાદી આપવા માટે મજબુર કર્યા .?કેટલાક  મારા જાત અનુભવો  હું લખવા માગું છું ..જયારે બીજું વિશ્વ યુદ્ધ જોર શોરથી ચાલી રહ્યું હતું બ। લશ્કરમાં  માણસોની જોર શોરથી ભરતી થઇ રહી હતી . દલાલો સાડાપાંચ થી થોડીક વધુ ઉંચી લાકડીયો લઇ શરેમાં ઘૂમતા હોય  કોઈ છોકરો મળે ,એને ભરતી થવા માટે લલચાવે ,એવું કહે કે  લશ્કરના સૈનિકોને મદદ કરનારા માણસો ને અમે નોકરી અપાવીએ છીએ .માણસ હા પાડે એટલે એની લાકડી વતી ઉંચાઈ  માપ લ્યે એને રેસ્ટોરામાં ખાવા લઇ જાય ,અને પછી રીક્રુ ટીંગ ની ઓફિ સે મોકલી આપે . હું ભરતી  થએલો માણાવદરથી  રેલ્વે સ્ટેશન ઉપર એક  રેલવેના  ભારખાનાના ડબા  જેવો  ડબો હતો  એમાં   યુનિફોર્મધારી  એક આર્મીનો ઓફિસર અને બે ચાર જણા નાના માણસો હતા .હું એ ડબ્બો જોવા ગયો મને  પ્રેમથી  આવકાર્યો , મને મારા પ્રશ્નોના જવાબમાં મને ઉઠા ભણાવવા માંડ્યા ,બધા દેશી માણસો હતા . મેં કીધું કે હું તો  લશ્કરમાં ભરતી થવા આવ્યો છું , લશ્કરના માણસોને  મજુરી જેવી મદદ કરવાની નોકરી કરવા હું  નથી આવ્યો . પછી ઓફિસર બોલ્યો  ,અમે તમને ખાલી તમે ગભરાય ન જાઓ માટે  મજુર ભરતીની વાત કરી .આતો લશ્કરના સૈનિક નિજ ભરતી કરવા અમે આવ્યા છીએ .પછી મેં ભરતી થવા માટે હા પાડી ,અણે  મેં કીધું કે હું મારી માને મળીને આવું છું તો ઓફિસર બોલ્યો હવે તમારાથી  ન જવાય . અરે અહીંથી સીધો હું જતો રહું તો મારા  માબાપને કેટલી ચિંતા થાય . પછી ઓફિસરને નાના માણસે સમજાવ્યો કે   જે માણસ રાજી ખુશીથી  ભરતી થઇ રહ્યો છે . એ પાછો આવ્યા વગર નહિ રહે . હું ઘરે ગયો માને બધી  વાત કરી  માં રોઈ પડી પણ પછી  પોતાના વહાલા દીકરાને સંમતિ આપી . મને રેલ્વેમાં બેસાડી દીધો .સાથે એક માણસ આવ્યો .અમો  અમદાવાદ પાંચ કુવા પાસે  આર્મીની ઓફિસે આવ્યા .ગોરા ઓફિસરે  મારી પુછ પરછ કરી , અને કીધું કે  હમણાં વડોદરા  તમારે ટ્રેનીંગ લેવા જવું પડશે . પછી તમને  દુનિયામાં  ગમે  ત્યાં   મોકલશે   ત્યાં તમે જવા તૈયાર છો  ? તમે રાજી ખુશીથી ભરતી થયા છો . તમને કોઈએ ભરતી થવા માટે દબાણ નથી કર્યું ને ? આ અંગેજ હતો અને માણાવદરમાં ભરતી કરનારા દેશી હતા, હું જયારે સક્કર (સિંધ)હતો .  સક્કારને  સ્થાનિક લોકો સખર  કહે છે . સખરના પાદરમાં  સિંધુ નદી વહે છે . જેનું પાણી  ચા માં વધુ ભેંસનું દૂધ નાખ્યું હોય અને જેવો રંગ હોય  એવા રંગનું અને ઠંડુ . માબાપના સંસ્કારની ખાસ કરીને મારી મન એવી ગહરી અસર હતી કે  લશ્કરના માણસોની ખરાબી મારામાં નહોતી પ્રવેશી શકી મેં કોઈ  સ્મેં દસ રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી ત્રીને  હીણી  નજરથી જોઈ નોતી  .મારીઆવી  વાતો સાંભળીને કોઈ બ્લોગર કે વાંચનાર ઇનામ આપવાનો નથી પણ મારા નિજાનંદ માટે સત્ય વાત કહું છું . સિંધુ નદીનાં એક બેટમાં  સાતબેલા  નામે  હિન્દુનું  ધાર્મિક સ્થળ છે . હાલ આ જગ્યાએ મસ્જીદ બનાવી છે એવું સંભળાય છે સાતબેલામાં  રવિવારે મેળા જેવું  થતું .ત્યાં એક જુવાન ખુબ સુરત છોકરી ઉભી હતી . મેં એને  મિલ્ટ્રી ની અદાથી સલામ કરી  છોકરી હસી પડી એનો બાપ મારી પાસે આવ્યો . બ્રિટીશના વખતમાં  આર્મીના માણસ  સામે  દાદાગીરી નો ચાલે  મને  નામૃતાથી પૂછ્યું . મારી દીકરીને તમે સલામ શામાટે કરી  મેં જવાબ આપ્યો કે  મેં તારી દીકરીને સલામ નથી કરી પણ એને બનાવનાર  પરમેશ્વરનું રૂપ મેં તારી દીકરીમાં જોયું ,એટલે  મેં એ કર્તરને સલામ કરી .લડાઈ જોરથી ચાલી રહી હતી .લોકો મારા માબાપને  ભડકાવવા માડયા  મારા ઉપર કાગળો આવવા માન્ડ્યાકે ગમે તેમ કરીને તું ઘર ભેગો થઇ જા  મેં કામમાં ડા ડોડાઈ આદરી  કેમેય મને કાઢી મુકે છે . ?પરિક્ષા લેવા ગોરો આવે એ લેલર નામે ઓળખાતો , હું જો પાસ થાઉં તો મારો પગાર વધે અને પછી મને યુદ્ધ મોરચે કે ગમે ત્યાં મોકલે . મેં મનમાં વિચાર કર્યો કે પાસ થવું હાથની વાત નથી પણ નાપાસ થવું એ હાથની વાત છે . લેલર મને  દાખલા તરીકે હથોડી દેખાડે અને પૂછે આ શું છે ? હું જવાબ આપું કે એ પેન્સિલ છે . આવા બધા સવાલોના જવાબ હું  ઉંધા આપું .લેલર જરાય ઉશ્કેરા વિના શાંતિથી બોલ્યો  તું આમ કેમ કરે છે તારો માસ્તર કહે તું હોશિયાર છોકરો છે। પછી એણે મને દસ રૂપિયાની નોટ આપી  મેં નોટ ખિસ્સામાં મૂકી એટલે  અને કીધું હવે તું સાચા જવાબ આપજે , મેં નોટ ખિસ્સામાં મૂકી એટલે લેલર સવાલ પૂછવા માંડ્યો . ફરીથી હું ઉલટા જવાબ આપવા માન્યો પછી એક પાટિયામાં લખ્યું કે આ માનસ ભરોસા પાત્ર નથી  લેલ્રના દસ રૂપિયા ખાઈ ગયો છે અને એની કહ્યું નથી કરતો . આ પાટિયું મારા હાથમાં પકડાવીને પછી માણસો વચ્ચેર ફેરવ્યો લેલ્રરની  જગ્યાએ દેશી માણસ હોત તો પાસ છો એમ કહેને આગળ ધકેલી દ્યે .

હવે જે મુખ્ય વામારે ગામનું કે કોઈ વ્યક્તિનું નામ આપવું નથી .ત કહેવી છે એ  શરુ કરું છું .  એક ગામમાં બે કેદુતો શેઢા પાડોસી હતા એક છોકરી  થોડે દુર ઘાસના મેદાનમાં  પોતાની ભેંસો  ચરાવતી હતી જોડે બીજી છોકર્રીયું  પણ પોત પોતાની ભેંસો ચરાવતી  હતી  એક છોકરીના ખેતર પાસે  એક બીડમાં એક આધેડ વયનો ખેડું ભેંસો પોતાની ભેંસો ચરાવતો હતો . આ ખેડૂતની લા પરવાઈથી  તેની ભેંસો  છોકરીના ખેતરમાં  ઘુસી ગઈ . પોતાના ખેતરમાં ભેંસોને  પોતાનો  મોલ  ખાતાં  જોઈ એટલે છોકરી એકદમ દોડી અને પોતાના ખેતરમાં ઘુસેલી ભેંસોને કાઢી અને ભેંસોના માલિકને    ગાળો દેવા માંડી અમારી બાજુ છોકરીયો પણ  ભીભાત્સ ગાળો બોલતી હોય છે . ભેસો વાળો  ગુન્હામાં હતો એટલે સામે કઈ દલીલ કરતો નોતો કે   મારીભુલ થઇ મને માફ કર  એવી વિનતિ  પણ કરતો નોતો  બસ નિરાંતે ગાળો ખાતો તો અને હસતો તો  બીજી છોક્ રી ઓએ એવું અનુમાન કર્યું કે  ભેંસ વાળા એ  છોકરી પાસે બીભત્સ માગની કરી હશે એટલે છોકરી ગાળો દ્યે છે .. થોડી વારે  છોકરી પોતાની મૂળ જગ્યાએ આવી અને ભેંસો વાળો પોતાને ઘરે જતો રહ્યો . બીજી છોકરીયું  ગાળો દેનાર છોકરીને ચીડવવા માંડી કે તારી પાસે ઓલે બીભત્સ મગની કરી તો તારે અમને બોલાવવી હતીયુંને આપને બધી ભેગી થઈને એને ખુબ મારત . છોકરી કહે  મારી પાસે એને કોઈ બીભત્સ માગની કરી નથી એની ભેંસો મારા ખેતરમાં ઘુસેલી એટલે હું એની સાથે ઝઘડો કરતી હતી અને ગાળો દેતી હતી , છોકારીયું કહે હવે ખોટું બોલમાં એને તારી આબરૂ  પાડવી  હતી  .છોકરીએ બહુ દલીલ કરી પણ એનું કોઈએ  સાંભળીયુ   નહિ  . નિર્દોષ છોકરીને બહુ આઘાત લાગ્યો , પોતા તરફ લોકોને  આંગળી  ચિંધ ણું  થયું . હવે હું કોઈને મોઢું નહિ બતાવી શકું . એને કુવામાં પડી  મોત વહાલું કર્યું . એની ભેસો રેઢી  ઘરે પોંચી છોકરીના બાપે છોકારીયુંને પોતાની દીકરી બાબત  પૂછ્યું . છોકરિયુએ  બહુ ગોળ ગોળ જવાસ્બ આપ્યો અને ભેસ વાળા વિષે વધારીને વાત કરી બાપ બહુ ગુસ્સે ભારનો અને ભેસ્વાલાને ઘરે ગયો ભયભીત  ભેંસ વાળો ઘરમાં ઘુસી ગએલો  છોકરીનો બાપ અને તેના મિત્રો મારી નાખવા માટે તૈયાર હતા . ભેસો વાળાના ઘરના પણ ભય ભીત હતા .છોકરીનો બાપ  મારી નાખવા તૈયાર હતો  ગામના પોલીસ પટેલે સમજાવીને પાછા કાઢ્યા  દરમ્યાનમાં  છોકરીએ આપ ઘાટ કર્યો છે એ ખબર પડી . એટલે છોકરી પક્ષના લોકોમાં વધુ ઉશ્કેરટ ફેલાણો   ભેસો વાળો ઘરમાં પૂરેલો હતું તેની વહુ અને ઘરના સૌ સત્ય શું છે વાત જાણવા પ્ર્ત્યાસ કર્યો પછી ચૂક્રીના બાપને વાત કરીકે  તમે જે સભ્લીયું છે એ સત્ય નથી . સાચી વાત આમ છે એમ કહીને ભેંસો ખેતરમાં ઘુસી ગયેલી  એ બાબત છોકરી ગાળો દેતી હતી . સમજદાર લોકોને વાત ગળે ઉતરી કેમકે ભેસો વાળો ભગત જેવો હતો . કોઈને  કદિ  ભૂલથી હોય તો માફી દેનારો હતો . લોકોને વિશ્વાસ બેઠો કે આ નિર્દોષ છે . આ છોકરી કેવી કે પોતાની ખોટી બસ્દ્નામી પણ સહન નકારી શકી  હવે આવી દેવીઓને પગે લાગવાનું મન થાય કે નહિ .

બીજો કિસ્સો એક એવો છેકે એક છોકરી બુપર બળાત્કાર થયો એમાં એનો કંઈ  દોષ નહિ પણ લોકો આંગળી ચીંધે કે આ છોકરી ઉપર બળાત્કાર થયો છે એવું પણ એ ના સાખી શકી અને આપ ઘાટ કર્યો હવે આવી દેવીઓની ચરણરજ માથે ચડાવાય કે નહિ .?

2 responses to “ચરણ સ્પર્શ કરવા જેવી સ્ત્રી શક્તિઓ

  1. pragnaju માર્ચ 18, 2013 પર 7:19 પી એમ(pm)

    અમારા દાદાજી કહેતા તે જાણીતી વાત યાદ આવી
    એકવાર ભગવાન કૃષ્ણનું માથું દુખતું હતું. રાજવૈદ ધનવન્તરીએ જાતજાતના લેપ લગાડ્યા, પણ માથું ઊતરતું જ નહોતું. ત્યાં નારદ આવ્યા. તેમણે કહ્યું, ‘ભગવન, તમે તો સવર્જ્ઞ છો. તમારા માથાના દુખાવાનું ઔષધ તમે જાણતા જ હશો.’ ભગવાને જવાબ આપ્યો. ‘ઔષધ તો હું જાણું છું પણ તે મેળવવું બહુ મુશ્કેલ છે.’ નારદે કહ્યું, ‘તમે મને ઔષધનું નામ જણાવો, હું આકાશપાતાળ ગમે ત્યાંથી એ લઈ આવીશ.’ કૃષ્ણે નારદને ચેતવ્યા, ‘નારદ, આ બહુ સહેલું કામ નથી.’ નારદે ઉત્સાહ બતાવ્યો, ‘ભગવન, તમે ઔષધનું નામ કહો તો ખરા. પછી જુઓ કેટલી ઝડપથી હું ઔષધ લઈ આવું છું.’

    ભગવાન કૃષ્ણે જણાવ્યું, ‘જેના જીવનનું પ્રયોજન હું જ છું એવા કોઈ મારા ચાહનારની ચરણરજ લઈ આવો. તે મારા માથે ને કપાળે લગાડીશ કે તરત માથાનો દુખાવો મટી જશે.’ નારદ હસી પડ્યા, ‘આવી ચરણરજ લાવવાનું તો બહુ સહેલું છે. ચપટીમાં લાવ્યો સમજો.’ નારદ સીધા ઊપડ્યા દેવલોકમાં અને ઈન્દ્રની ચરણરજ માગી. ઈન્દ્રે પૂછ્યું કે મારી ચરણરજની શી જરૂર પડી. નારદે કારણ જણાવ્યું. તરત જ ઈન્દ્રે ચરણરજ આપવાની ના પાડી. તેમણે કહ્યું, ‘ભગવાન કૃષ્ણને માથે મારી ચરણરજ ચડે તો હું પાપમાં પડું. મારે નરકમાં સબડવું પડે.’ એક પછી એક બધા દેવોને નારદ મળ્યા. કોઈ તેમની ચરણરજ આપવા તૈયાર નહોતું. કારણકે પોતાની ચરણરજ ભગવાન કૃષ્ણના માથે ચડે તો પોતાને પાપ લાગે અને ચોક્કસ નરક મળે. નરકમાં જવાની કોઈની તૈયારી નહોતી.

    નારદ થાકી ગયા. ચરણરજનો ઉપયોગ જાણ્યા પછી કોઈ ચરણરજ આપવા તૈયાર નહોતું. છેલ્લે નારદને કૃષ્ણની બાળસખી રાધા યાદ આવ્યા. તે રાધા પાસે પહોંચ્યા. અને ચરણરજ માગી. ચરણરજ માગવાનું કારણ પણ બતાવ્યું. રાધાએ તરત જ મુઠ્ઠી ભરી પોતાની ચરણરજ પોતાની સાડી ફાડી તેના કટકામાં બાંધી આપી અને કહ્યું, ‘મુનિશ્રી, જલ્દી જલ્દી ભગવન્ પાસે પહોંચો અને તેમનું દુ:ખ મટાડો.’ નારદે બધા દેવોની વાત કરી અને પૂછ્યું, ‘રાધા, તને નરકમાં જવાનો ડર નથી લાગતો?’ રાધાએ જવાબ આપ્યો, ‘મુનિશ્રી, મારા માટે સ્વર્ગ કે નરક કશાનો અર્થ નથી. મારા અસ્તિત્વનું પ્રયોજન ભગવન્ છે. તેમના માટે હું કંઈ પણ કરું.’

    • હિમ્મતલાલ માર્ચ 19, 2013 પર 12:33 એ એમ (am)

      પ્રજ્ઞા બેન તમે સુંદર વાત કહી .
      જેને હું ચાહું છું જે મને અતિ પ્રિય છે એના ભલા માટે હું નરકમાં જાઉં કે સ્વર્ગમાં કઈ ફર્ક પડતો નથી ‘
      મરના ભલા હૈ ઉસકા જો અપને લીએ જીએ
      જિન્દા રહા જો મર ચુકા ઈન્સાન કે લીએ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: