રાત રહે જાહરે પાછલી ખટ ઘડી

#1સેન્ટ ર  માં એક કાળી ચામડી વાળી બાઈએ એક બીજી બાઈને મારા વિષે વાત  કરતાં  કીધું, કે હિમ્મત લટકાળી લલના ગોરી છોકરીયું  સાથેજ ફોટો પડાવે છે .મેં તેને કીધું ,અમારા આરાધ્ય દેવ લોર્ડ કૃષ્ણ  કાળા  રંગના છે .લે હું તારી સાથે ફોટો પડાવું  એમ કહી મેં  એને મારી બનાવેલી ખજૂરના ઠળીયની   માળા એને પહેરાવી ,છોકરી છોકરાને માળા પહેરાવે એને  વરમાળા કહેવાય અને છોકરો છોકરીને  માળા પહેરાવે એને વહુ માળા કહેવાય ? પછી  એ બાઈનો મારી સાથે ફોટો પાડ્યો પણ ફોટો પાડતાં  પહેલાં એણે મને  એના જાડા  હોઠ અને પહોળા  મુખથી  ચુંબન કર્યું .પણ એના વિશાળ મુખમાં મારી મૂછો અને દાઢી નો થોડો ભાગ એના મોઢામાં ઘુસી ગએલો એટલે એણે  પોતાની લાંબી જીભ મારા હોઠ ઉપર ફેરવી અને રાજી થઇ ,અને મને પણ ખુશી થઇ .આ પ્રસંગે હું એક પંજાબી ગીતની કડી લખું છું .लोकी आख्या मजनुनु तेरी लयली रंगदी  काली ,अगां मजनुने  जवाब दित्ता  तेरी अख्ख़  नहीं देखण वाली  चिट्टे वरख  कुरानदे  जिहड़ी  स्याही रंगदी काली जेडी मन डील (शरीर ) अरपवे  वो गोरी होवे या काली કોઈ વખત હું આ બાઈનો ફોટો મથાળે મુકીને કંઈક લખીશ .

#2એક વખત મારું પોતાનું બનાવેલું મારા અવાજમાં ગીત ઈન્ટરનેટ ઉપર www .glimpsesofindia .org પ્રસિદ્ધ થએલું .આ ગીત સામ્ભ લ્યા  પછી એક બેને મારો સંપર્ક સાધ્યો .પોતાની ઓળખાણ આપતાં  મને પોતાની ધાર્મિકતા વિષે વાત કરી ,પોતાને ઘણાં ભજનો આવડે છે। એવી વાત કરી, અને મને પૂછ્યું  તમને ક્યાં ભગવાનનું ગીત સાંભળવું છે એ હું તમને સંભળાવું . મારી પત્નીએ મને એવું કહી રાખ્યું છે કે  કોઈ  માણસ  તમારી આગળ પોતાની કથની સંભળાવે તો ધ્યાન દઈને સાંભળવું .તમે એને  પોતાનું દુ:ખ  સંભળાવવા યોગ્ય લાગ્યા હોય ત્યારેજ એ પોતાનું તમારી આગળ વાતો કરીને હૈયું હળવું કરતા હોય છે તો તમે એને જયારે એ પોતાની વાત કહેવાની   શરૂઆત કરેતો “મારી ઘંટડી વાગી કોક આવતું લાગે છે . હવે કોઈ વખત વાતો કરીશું એમ કહીને ફોન બંધ ન કરવો .કે  મારો બીજો ફોન આવતો લાગે છે .અથવા મારે બહાર જવાનો ટાઇમ થઇ ગયો .એવું બોલી છટકવું નહિ , આ બેને મને ભજનો તો સંભળાવ્યાં .અઠવાડિયામાં બે વખત એ મને  કંઈ ને કંઈ  સંભળાવે ,અને એપણ કલાકો સુધી . એક વખત મને એને એવી વાત પૂછી કે તમને કહેવા માટે મારી જીભ નથી ઉપડતી .અને મેં પણ ખુલ્લા દિલથી વાતો કરી .પછીતો ભજનો જતા રહ્યાં,  અને મારી પાસેથી શૃંગાર રસની વાતો ,ઓકાવી ,મને એની  ભક્તિની પોકાલ્તા1ની ખબર પડી ગઈ .એક વાત તમને કહી દેવી પડશે એટલે એમાં તમે ઘણું સમજી શકશો . મેં એને એક વખત કીધુકે હું બહુ ભણેલો નથી તો તે બોલી  તમે ઘણું ભણેલા છો ,અને ઘણાને ભણાવ્યા છે તમે તમારી જુવાનીમાં ઘણી છોકરીઓને ઉઠાં ભણાવ્યા છે . બીજી એક વાતમાંથી મેં કીધું કે  શાસ્ત્રોમાં જીવનની ચાર અવસ્થા કીધી છે .એમાં હું  હાલ ચોથી અવસ્થા સન્યસ્થ અવસ્થા ભોગવી રહ્યો છું .પણ ભગવાં ધારી નહિ ,અને સ્ત્રીઓથી ભાગ નારો નહિ  સ્ત્રીઓના પડછાયો પણ મારા ઉપર પડવો ન જોઈએ .એવો સન્યાસી નથી . તો તે બોલી તમારામાં એવું વશીકરણ છેકે   સ્ત્રીઓનો પડછાયો પકડો અને સ્ત્રી પકડાય જાય છે। આ બેન ના પરિચય થી એટલું જાણવા મળ્યું કે  આડમ્બરી  દંભી અને ઢોંગી  બગ ભગતથી  બચતું રહેવું .

#4 કૃષ્ણ બહુ નટખટ હતા તેની ગોપીઓની પજવણી  વગેરે લીલાઓ આપને જાણીએ છીએ .એ રાસડો  વાંચવા આપું ,   પહેલા એક દુહો લખું . કામણ ગારા કાનજી તે ગાંડાં  કિધાં  ગામ  ,ગોપીયું ફરે ગાંડીયું ,હવે ઘણું થયું ઘનશ્યામ        રાસડો ..દલની વાતડિયું ને મોઢેથી તું મેલને મોરલીયું  કાના કર્ય દલની વાતડિયું આભ જેવો મારો બાપ મેલ્યો માની ભીનીયું આંખડીયું  ભીનીયું ,આંખડીયું . પોળી પંસારી પ્રીતડીને મેલી ભોળિયું  બેનડીયું  ……કાના કર્ય 1 સાસુ સસરાને સુતારે મેલ્યા  સુતારે મેલ્યા  નણદુ  નાન ડિયું  નણ દુ  નાન ડી યુ ,એ એ ભાવભીના મેંતો  છોડીયાં  છાનાં  દેરને દેરાણીયુ . …કાના કર્ય  2સુરતી મેલીયું ગાયુ  કાનુડા  ભાંભરે વાછડીયુ    ઘમ્મર વલોણાં  ઊભલા ર્યાતાં ને ફૂટયું તાવડી યુ  માધા મારી ફૂટયું  તાવડી યુ …….કાનાકર્ય 3  તારે કાજે મેતો પરણ્યો  મેલ્યો ,પાળવી પ્રીતડી  યુ   પાળવી પ્રીતડી યુ  પ્રીતડી ને કાજે વિનવીતી  મને દિન ને રાતડીયુ ….કાના કર્ય 4 મોહન કર્ય મનની વાતડિયું .  બોલો કૃષ્ણ બલભદ્ર કી જય

3 responses to “રાત રહે જાહરે પાછલી ખટ ઘડી

  1. pragnaju માર્ચ 17, 2013 પર 7:13 એ એમ (am)

    કાળો રંગ /માન્યતાઓ, ધર્મ, અને અંધશ્રદ્ધાઓ

    પશ્ચિમ સમાજોમાં કાળો રંગ શોક અને વિરહનું પ્રતીક છે, ખાસ કરીને અંત્યેષ્ટિઓ અને સ્મારક સેવાઓ દરમિયાન કાળાં કપડાઓ પહેરવામાં આવે છે. કેટલીક પારંપરીક સમજોમાં, જેમ કે ગ્રીસ અને ઇટલીમાં, વિધવાઓ પતિની મૃત્યુબાદ તેમની બાકીની જીંદગીમાં કાળાં કપડાં પહેરે છે. બીજી તરફ, મોટી ભાગે આફ્રિકા અને એશિયાના ભાગોમાં સફેદ રંગને શોક અને અંત્યેષ્ટિઓના સમયે પહેરવામાં આવે છે.
    અંગ્રેજીમાં હેરાલ્ડ્રીમાં, કાળો રંગ અંધકાર, શંકા, અજ્ઞાનતા, અને અચોક્કસતાને બતાવે છે.[૩]
    નાઝી રહસ્યવાદમાં માનનારા લોકો દ્વારા કાળો સૂર્યનો ઉપયોગ એક ગુપ્ત પ્રતીક તરીકે કરવામાં આવે છે.
    ટાન્ઝાનિયા અને કેન્યાના માસી આદિવાસીઓમાં, કાળાં રંગને વરસાદી વાદળો સાથે જોડવામાં આવે છે, અને તેને જીવન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે.
    મૂળ અમેરિકનો તેને જીવન આપતી ભૂમિ સાથે જોડે છે.
    હિન્દુ દૈવમાં કૃષ્ણનો મતલબ “કાળો રંગનો” તેવો થાય છે.
    મધ્યયુગીન ખ્રિસ્તી પંથ જેને કાથરો તરીકે ઓળખાય છે તે કાળાં રંગને સંપૂર્ણતાના રંગ તરીકે જુએ છે.
    રસ્ટાફરી ચળવળમાં કાળાંને સુંદર તરીકે જોવામાં આવે છે.
    જાપાનની સંસ્કૃતિમાં, કાળા રંગને આદર સાથે જોડવામાં આવે છે, અને મૃત્યુ માટે સફેદ રંગને જોડવામાં આવે છે.
    પશુચિકિત્સા અને પ્રાણીઓના આશ્રયસ્થાનોમાં કાળાં કૂતરા તરફ પક્ષપાતી વલણ એક તેવી આશ્ચર્યવાળી ઘટના છે જેમાં અન્ય રંગના કૂતરાઓના કરતા કાળાં રંગના કૂતરાઓની દત્તક લેવા અંગે વધુ પસંદગી થાય છે.
    કાળી બિલાડીઓને સારા કે ખરાબ નસીબના માધ્યમ તરીકે માનવામાં આવે છે.
    કૃષ્ણ વિવરનુ કદ એક નાના કણ જેટલુ હોય છે છતા તેનુ દળ ઓછા મા ઓછુ એક લઘુગ્રહ જેટલું તો હોય જ છે.તે એવુ પ્રચંડ ગુરુત્વાકષૅ બળ ધરાવતો હોય છે કે પ્રકશનુ કિરણ તો શું પણ વિકિરણ પણ તેની પકડમથી છટકતુ નથી.તેને માટે બ્લેક હોલનો પલાયનવેગ કારણભુત છે. પલાયનવેગ રોકેટના દ્રષ્ટાંત દ્વારા સમજી શકાય છે.લઈશુ. રોકેટ આકશમાં ઊચુ જાય ત્યારે તેણે અમુક નિર્ધારિત વેગે ઊડવુ પડે છે.જો એ પ્રમણે ન થાય તો જમીન ઉપર પટકાઈ પડે.આ નિશ્ચિત વેગને પલાયનવેગ કહેવામાં આવે છે.પથ્વી માટે આ પલાયનવેગ એક સેકન્ડે ૩૪૦૦ કિમી જેટલો હોય છે.ન્યુટ્રોન તારાનો પલાયનવેગ એક સેકન્ડે ૧૯૨૩૬૦ કિમી જેટલો હોય છે.પ્રકાશના કિરણો એક સેકન્ડમા ૨૯૩૩૪૬ કિમી જેટલી ગતી ધરાવે છે,પણ બ્લેક હોલનો પલાયનવેગ તો ૩૦૦૦૦૦(ત્રણ લાખ)કિમી કરતા પણ વધારે હોય છે.પરિણામે પ્રકશના કિરણો પણ તેની પકડમાથી છટકી શકતા નથી અને અદ્રશ્ય બની રહે છે.
    આ ભજન અમે રોજ ગા ઇ એ
    રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
    સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
    નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
    ‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

    જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
    ભોગિયા હોય તેણે ભોગ તજવા;
    વેદિયા હોય તેણે વેદ વિચારવા,
    વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

    સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
    દાતાર હોય તેણે દાન કરવું;
    પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
    કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

    આપણે આપણા ધર્મ સંભાળવા,
    કર્મનો મર્મ લેવો વિચારી;
    નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
    ફરી નવ અવતરે નર ને નારી … રાત

    નરસિંહ મહેતા

    • હિમ્મતલાલ માર્ચ 17, 2013 પર 11:25 એ એમ (am)

      પ્રજ્ઞાબેન
      તમે મારા લખાણનો જવાબ સુંદર જ્ઞાનમાં વરુ દ્ધી થાય એવો લંબાણ પૂર્વક આપો છો . જે મને બહુજ ગમે છે . બાકી કેટલાક સ્નેહીઓ આવો જબાબ ઇંગ્લીશમાં આપે છે .જે મારા માટે અભાવો ઉત્પન્ન કરનારું નીવડે છે . સુરેશભાઈએ અગાઉ મારા બ્લોગમાં લખીજ નાખ્યું હતુંgo નો ઈંગ્લીશ પ્લીઝ પણ એવું વાંચવાનો કોને સમય છે તમે વિનોદભાઈ પટેલ અને બીજા ઘણા મિત્રો મારા લખાણનું વાક્ય ટાંકીને આપે છે એટલે મને ખબર પડે કે મારી મહેનત સફળ થઇ છે . બાકી બીજા એકજ નિશાળમાં અને એકજ શિક્ષક પાસે ભણ્યા હોય એવું એકાનજ ઢબનું લખે છે . આમ they thought ખજુર was pretty awesome . you should go see what they ‘re upto . maybi you ‘ll like their blog as much as they liked yours અને હું એમનું લાંબુ લખાણ માંડ માંડ ગોતીને વાંચું .અને છેલ્લે જોઉં તો એમાં મેં મને આવડે એવી કોમેન્ટ આપી દીધી હોય . એટલે હવે એવું liked જેવો ઈ મેલ વાંચીશ નહિ .અને કાઢી નાખીશ મને કોમેન્ટ નહિ આપો એની સામે મને જરાય વાંધો નથી .પણ હું આવી વેઠ કરીશ નહિ તમારો ઘણો આભાર

  2. Vinod R. Patel માર્ચ 17, 2013 પર 7:51 એ એમ (am)

    કામણ ગારા કાનજી તે ગાંડાં કિધાં ગામ ,ગોપીયું ફરે ગાંડીયું ,હવે ઘણું થયું ઘનશ્યામ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: