અમદાવાદ પોલીસમાં ભરતી થતી હતી ,એમાં રાઘવન અને ઈંદર નામના બે જુવાનો એકજ દિવસે ભરતી થયા .સમય જતાં બંને જણા વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ પણ ..બંનેના વચ્ચે સ્વભાવમાં ઘણું અંતર રાઘવન બીજી સારી નોકરી ન મળવાના કારણે લાચારીથી પોલીસમાં ભરતી થઈ ગએલો .જયારે ઇંદર શોખથી પોલીસમાં ભરતી થએલો .રાઘવનને કોઈને ખોટી રીતે હેરાન કરવા ,પોતાની કામગીરી બતાવવા નિર્દોષ લોકો ઉપર ખોટા કેસ કરવા .એ ઇંદર માટે બહુ સામાન્ય વાત હતી .ઇંદર શરાબ ,ગાંજો ,ચડસ ,વગેરે દુર્વ્યસનોને રવાડે ચડી ગએલો જયારે રાઘવન ચા,બીડી ,પાનનું પણ સેવન કરતો નહિ .રાઘવન અને ઇંદર ઉમરમાં ,ઊંચાઈમાં લગભગ સરખા હતા .પણ તાકાતમાં રાઘવન ઇંદર કરતાં ઘણો ચડિયાતો હતો .નિશાનબાજીમાં રાઘવનને ઇંદર કરતાં વધારે માર્ક મળેલા .સમય જતાં ઇંદર પોલીસ સબ .ઇન્સ .બની ગયો અને રાઘવન માંડ હેડ .કોન્સ .સુધી પહોંચ્યો .ઇંદરના લોકો ઉપર ખોટા કેસસિવાય કશુંજ કરવાનો કરવા બાબત ઘણું સમજાવતા બાબત સમજાવતા તો તે તેવા એક દાખલો આપું છું .એક ફૂટ પાથ (સાઈડ વોક )ઉપર બેસી લોકોના જોડા સાંધવાનું કામ કરતો હતો .ઇનદરે આ જુતી સાંધનાર માણસના સામાનમાં ઇન્દરે પોતાના ખાસ માણસ મારફત ગાંજાની પડીકી મુકવી દિધી અને પછી તેના સામાનની પંચ મારફત જડતી લેવડાવી એટલે સામાનમાં ગાંજો નીકળ્યો .પછી એના ઉપર કેસ કર્યો .જુતી રીપેર કરનાર ભગત માણસ હતો .એને ચા સુધાનું વ્યસન નોતું .પણ એ નિર્દોષને સજા થઈ ગઈ .
ઇંદર સબ .ઇન્સ .બન્યા પછી એ વૈશ્યા ગામી બની ગયો .એની પત્નીઝાંઝી વૃત નિયમ કરવાવાળી સાધ્વી ,વફાદાર સ્ત્રી હતી .અને અતિ સુંદર પણ હતી .તેને પોતાની જાતિના કાયદા મુજબ પરદામાં રહેતી .લોકોમાં બહુ ઓછું હળતી ભળતી .રાઘવન અને એની પત્ની ઝાંઝી સાથે બહુ સારા સબંધો હતા .રાઘવન ઝાંઝીને પોતાની સગી બહેનથી વધુ ચાહતો .ઝાંઝીની રાઘવન સાથેની માયા ઇન્દરને પણ ગમતી .
ઇંદર બડાઈ ખોર માણસ હતો .પોતાની વૈશ્યાઓ સાથેના સબંધોની વાતો એ છડે ચોક બધાને કહેતો .ઝન્ઝી આગળ પણ પોતાના ગામીના પરાક્રમોની વાતો કહેતા અચકાતો નહિ .ઝાંઝી એની વાતોથી વાજ આવી ગએલી .પણ તે પોતાનો જીવ બાળવા સિવાય કશું કરી શક્તિ નોતી .રાઘુવન એને પોતાના મિત્રને દાવે આવા હલકા ધંધા ન કરવા બાબત ઘણું સમજાવતો ,પણ એ કોઈનું માનતો નહિ .બીજા લોકો પણ એને આવાં હલકાં કામ ન બાબત સમજાવતા પણ એ તેવા લોકોને ઉદ્ધાતાઈ ભર્યા જવાબ આપતો .ઝાંઝીને પણ એવું કહેતોકે નર તો ભમર છે, તે ગમે તે ફૂલ ઉપર બેસે .કે “
એક દિવસ ઝાંઝીએ રાઘવનને પોતાને ઘરે બોલાવ્યો .રાઘવન એના ઘરે ગયો।આ વખતે ઇંદર ઘરે નોતો, રાઘવનને જોઈ ઝાંઝી પોકે પોકે રડવા લાગી .રાઘવને એને શાંત પાડી .આંસુ લુંન્છ્યા .અને પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું .ઝાંઝી બોલી ભાઈ તમે ઇન્દરને સમજાવો કે એ આવા ધંધા કરવામાં થી પાછો ફરે અને સન્માર્ગે વળે ,રાઘવને કહ્યું કે બેન મેં એને સમજાવવામાં બાકી નથી રાખ્યું .પણ એ લાતો આ નાટક છે અને તારી સન ઠેકાણે નું ભૂત વાતો થી નહિ માને .એને ઠેકાણે લાવવા માટે અઘરો માર્ગ લેવો પડશે અને એમાં તમારા સહકારની ઘણી જરુર પડશે .ઝંઝી બોલી એની સાન ઠેકાણે લાવવા મા અને ઝાંઝીને પગે ટે હું બધુંજ કરવા તૈયાર છું .રાઘવન બોલ્યો .આપણે એક નાટક કરવું પડશે .
અને એટલું યાદ રાખજો કે એ નાટક હશે .બસ પછી બાપુ સુધરી ગયા અને ઝંઝીને પગે પડ્યા।
રાઘવન કહે એની પાસે રીવોલ્વોર ન હોય ત્યારે એ જયારે ઘરે આવે ત્યારે આપણે એકજ પથારીમાં ખુલ્લા શરીરે સુતાં એને દેખાડીએ .આ વખતે મારી પત્ની પણ ઘરમાં સંતાએલી હાજર હશે .બસ પછી તખ્તો ગોઠવાય ગયો .ઇંદર જયારે પરેડ કરવા ગયો।આ વખતે ત્યારે સાથે રીવોલ્વોર સાથે નહિ લઇ ગએલો .આ વખતે એ જયારે આવ્યો ત્યારે અમો બંનેને ખુલ્લા શરીરે બાથોડા લેતાં એક બીજાને જોરથી kiss કરતાં જોયા .આવું દૃશ્ય જોઈ ઇંદર બેભાન જેવો થઇ ગયો .ત્યારે ઝંઝી બોલી “કે જેમ નર ભમર છે .એ ગમેતે ફૂલ ઉપર બેસે તેમ ફૂલ પણ ગમેતે ભમર ને પોતાના ઉપર બેસવા દ્યે રાઘવન તારો મિત્ર છે છતાં તું આટલો બધો હાફળો ફાફ્લો થઇ ગયો તો તું ગમે તેવી ગંદી વૈશ્યા પાસે જાય છે ,તો મારી શી દશા થતી હશે ?આ તો નાટક છે .અને તારી શાન ઠેકાણે લાવવા કર્યું છે જો હવે તારે સુધારી જવું જોઈ એ રાઘવનની સ્ત્રી પણ અહી હાજર છે . રાઘવન મારો ભાઈ છે અને રહેવાનો છે,પછી બાપુને ગુરુ બોધ લાગી ગયો .અને ઝાંઝીને પગે પડ્યા અને બદ્ધા દુર્વ્યસનો ધીમે ધીમે છૂટી ગયાં