સન્યાસી વેષમાં તસ્કર કળા

કેટલીક વખત ધુતારાઓ લોભીયાયોને  ફસાવવા  સન્યાસી જેવા ભગવા કપડા પહેરી ફરતા હોય છે .એમાં એને નજરે ચડે કે એક માણસ ગાયના શુકન લઈ .દુકાને જતો હોય ,પછી ઠગ આવા માણસની  હિલચાલ ઉપર દેખરેખ રાખે .એ કેવો માલદાર છે ,કેવો  અંધ શ્રદ્ધાળુ છે વગેરે માહિતી મેળવી લ્યે પછી એને અનુકુળતાએ મળે .સરસ હિન્દી બોલે . શેઠ મારી પાસે એક સોનાનો  હાર છે . એક શેઠાણીએ મને અર્પણ કર્યો છે મેં એની પાસે હરદ્વારની ટીકીટના પૈસા છેતરપીંડી  માગેલા  અને મેં એને વધુમાં કહેલું કે જો તમારી પાસે વધુ પૈસા હોય અને અને તમારું નામ રહે એવું દાન કરવું હોયતો .મારા આશ્રમમા મહેમાનો માટે નો એક ઓરડો બનાવવો છે તો એને મને આ  હાર આપી  દીધો ,અને બોલીકે  મેં સસ્તું સોનું હતું ત્યારે મારા ધણીએ મને ખરીદી આપ્યો છે .તે વખતે ચાલીસ હજારથી થોડા વધુ પૈસા આપવા પડેલા  .ઠગની  વાક્ઝાળમાં લોભિયો ફસાઈ જાય ,સન્યાસી એને હારમાંથી થોડું સોનું કાપી આપે જે સોની સાચું હોય .આ  સોનાની ધર્માદાના  કાંટે  ખાતરી   કર્યા  પછી મને પૈસા આપજે ઢેફું હતું  અને પોતે ક્યા ખરીદેલું મળશે એનું સરનામું આપે .હારનો કટકો લઈ લોભી ધર્માદાના કાન્ટે જાય  સાચું સોનું છે એની ખાતરી થઈજાય એટલે સન્યાસી પાસે આવે ,અને કહે મહારાજ હાલ આની કીમત જેટલા મારી પાસે રોકડા પૈસા નથી પણ ચાલીસ હાજર રોકડા છે  એ  હું તુર્ત આપી શકું એમ છું .ધર્માદાના કાંટા વાળા પાસે હું કીમત કરાવી જેટલી કીમત થશે એ પૈસા હું આપની આપી દઈશ મારે સન્યાસીને ઓછા પૈસા આપવાનું પાપ કરવું નથી અત્યારે સોનાનો જે ભાવ હશે  એ પ્રમાણે હું પૈસા આપી દઈશ ,લોભી મનમાં વિચારેકે  સન્યાસી હરદ્વાર જઈને પાછો આવે ત્યારે જોયું જાય .પછી નક્કી કરેલા પૈસા સન્યાસી વેષધારી ઠગને આપી હરખાતો હરખાતો  ઘરે જાય .અને ઠગ વહેલામાં વહેલીં તકે પોબારા ગણી જાય .

આવા પ્રકારની ઠગાઈ એક  છારે પણ કરેલી  ઘણે ભાગે આ છારો ગંગારામ મોતી હતો . . આ છેતરપીંડીમાં એક માણસનો સાથ પણ લેવો પડેલો .આ સાગરિત છારો નોતો પણ હતો સારા ઘરનો ગંગારામ આ માણસને ઓળખે  ગંગારામે એને કહ્યુકે તું કોઈ માણસને પકડી લાવે તો હું એને શીશામાં ઉતારું અને તુને પણ અર્ધો ભાગ આપીશ  સાગરિત બાપ કમાઈ વાળા નબીરાને એવા ઉંઠા  ભણાવ્યાં કે મારા એક ઓળખીતાનો દીકરો સોનાની ખાનમાં નોકરી કરે છે .તે સોનું મિશ્રિત માટીનું ઢેફું ચોરી લાવ્યો છે .એને આ ઢેફું વેચીને નાણાં ઉભાં કરવા છે .જો તું આ ઢેફું ખરીદેતો  તુને પુષ્કળ પૈસા મળે એમ છે આજ માણસ પાસેથી મેં  એક માણસને  ઢેફું અપાવેલું જોકે તે વખતે નાનું .ઢેફું હતું એટલે પાંચ હજારમાંખરીદેલું પણ એના એને છપ્પન હજાર ઉપજેલા  નબીરો મિત્રને ભરોસે દોઢ લાખના ખાડામાં પડી ગયો . જોકે આ બાબતમાં પોલીસ કેસ થએલો .  એ ડાયરાને ઝાઝાથી રામ રામ   કોઈએ આ કસબ શીખવાનો નથી .

એ ઢેફું લે તો તુને પુષ્કળ પૈસા મળે એમ છે .  આજ માણસ પાસેથી મેં   એક માણસને  સોનાનું ઢેફું અપાવેલું છે।એવખતે આ માણસ પાસે નાનું ઢેફું હતું .એ એને પાંચ હજારમાં ખરીદેલું અને તેત્રીસ હજાર ઉપજાવેલા .

2 responses to “સન્યાસી વેષમાં તસ્કર કળા

  1. pragnaju જાન્યુઆરી 10, 2013 પર 7:51 એ એમ (am)

    જન જાગરણ માટે ખૂબ જરુરી માહિતી
    ભગવા કપડા પહેરીને ઠગાઇથી ભગવા કપડાનું મહત્વ ઓછું નથી થતું
    ઘણા સાચા સંતને અન્યાય ન થવો જોઇએ.હંમણા બન્યું તેમ
    રાજકારણ પ્રેરીત આ ક્ષેપ– બાબા એ ભગવા કપડા નુ અપમાન કર્યુ છે.તેનો ખુલાસો- લોકો ને સ્વસ્થ બનાવાવા, દેશ માટે આદર ઉત્પન કરવો, લોકો માં દેશ માટે સ્વાભિમાન પેદા કરવુ એવા કાર્યો કરવા થી જો ભગવા કપડા નુ અપમાન થતુ હોત તો મને પણ આવુ અપમાન કરવુ ગમશે.તમને ન ગમે તો ભગવા વસ્ત્રો ધારણકરનારે શુ કરવું અને શું ન કરવું તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી સમજાવો ..ભુતકાળ ના આદરણીય શંકારાચાર્યએ કર્યો હતો

    • himmatlal જાન્યુઆરી 10, 2013 પર 9:43 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન

      તમારી વાત મને ઘણી ગમી .મને ઘણા ઠગ સાધુઓનો અનુભવ છે .મને બ્લોગમાં લાવનાર ભાઈ સુરેશ જાનીનો હું આભારી છું .કેમકે મારાજેવા માણસો કે જેને આવા કેટલાય અનુભવો છે .એવા બ્લોગમાં બહુ ઓછા હશે .અને મને લોકોને ચેતવણી આપવાની તક બ્લોગને લીધે મળી છે .

      એક દુરાચારી સાધુ વેશધારી ઠગ વિષે લખતાં મારી કલમ ઉપડતી નથી .એકજ નહિ બેત્રણ આવા સાધુનો પરિચય છે .હું નથી . માનતો કે બુદ્ધ,જૈન ,કેથોલિક ,સ્વામીનારાયણ વગેરે સંપ્રદાયના સાધુઓ બ્રહ્મચર્ય ન પાળી શકતા હોય . જરૂર એ અખંડ બ્રહ્મચારી હશેજ પણ બધા સોએ સો ટકા બ્રહ્મચારી હોય એવું મારે ગળે ઉતરવું મુશ્કિલ છે .એટલે મનેતો એવો વિચાર આવે છેકે જેને સાધુ થવું હોય એને પોતાના અંડકોષ કાઢવી નાખવાના .જે બળદને ખેતી કામમાં લેવાનો છે .એના અંડકોષ કાઢી નાખવામાં આવે છે . અમેરિકામાં પાલતું નર પશુના અંડ કોશ કાઢી નાખેલા હોય છે .કુતરા બિલાડા ઘોડા વગેરે

      સ્ત્રીના પડછાયાથી અભડાય જતા સાધુઓને શામાટે અંડકોષ રાખવા જોઈએ ?. “આજકાલના સાધુઓની કામ ક્રીડા જોઇને

      આખ્તા કર્યા વિનાનો છોડવો નાં કોઈને આખ્તા =જેના અંદ કોશ કાઢી નાખવામાં આવ્યા હોય . આખતા ફારસી શબ્દ છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: