પરણેલા પરસોતમની પ્રેમિકા, પઠાણની પત્ની .

અમદાવાદના બેહરામપુરા વિસ્તારમાં પઠાણના છાપરાં છે। .આ લોકો ખરેખર પઠાણ નથી . પણ અફઘાન છે .અફઘાનીસ્તાનના મૂળ રહેવાસી .પણ આપણે આ લોકોને પઠાણ કહે છે .એટલે હું પણ તેનો પઠાણ તરીકે ઉલ્લેખ કરીશ ,પઠાણ ,જેલોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર જે વઝીરિસ્તાન કે એવા નામથી ઓળખાય છે .જે બ્રિટીશના સમયમાં બ્રિટીશના માથાનો દુ:ખાવો હતો ,અને હાલ પાકિસ્તાનના માથાનો દુ:ખાવો છે .તે લોકો બહુ જનુની ક્રુર હોય છે .જુના સમયમાં ગુજરાતમાં વસેલા હાલ વડનગર વિસનગર બાજુ વસેલા કે જેની અંદર પણ ખોખર વગેરે પેટા જાતિઓ છે .જુનાગઢના ,પાલનપુરના માણાવદર, બાંટવાના બાબી ઓના વડવાઓ મુળ આ પ્રદેશથી આવેલાનું મનાય છે .આ લોકોના નામની પાછળ ખાં અથવા ખાન નો પ્રત્યય લાગે છે . .તેલોકોમાં વિધવા વિવાહ થતો નથી .ખરેખર આ લોકો પઠાણ છે .એવું માનવામાં આવે છે .
બહેરામપુરા વિસ્તારના છાપરામાં વસતા અફઘાન લોકોનો ઈતિહાસ એવો છેકે ગ્રીક એલેક્ઝાન્ડર (સિકંદર )ના વખતમાં આલોકો ગ્રીસથી અફઘાનિસ્તાનમાં આવી વસેલા છે .તેઓનો ચામડીનો રંગ ગોરો હોય છે .ઈ .સ .1847 સુધી આલોકો ગ્રીકનો મૂળ ધર્મ પાળતા અને અફઘાનિસ્તાનમાં કાફર તરીકે ઓળખાતા એ લોકો જે વિસ્તારમાં રહેતા એ વિસ્તાર કાફીરીસ્તાન તરીકે ઓળખતો .જે હાલ નુરીસ્તાન તરીકે ઓળખાય છે .મને બહુ ઐતિહાસિક જ્ઞાન નથી કદાચ આમાં મારી કદાચ ભૂલ પણ થતી હોય મેં આવાત અમદાવાદના વાસણા ગામ નજી।ક આવેલ આઝમ મોઝમ સોસાયટીના ચોકીદારને ઘરે આવેલા તેના મેમાન કે જે અફઘાનિસ્તાનથી આવેલો હતો .તેની પાસેથી સાંભળેલી છે અને નેશનલ જીયોગ્રફીમાથી કોઈએ મને વાંચી સંભળાવેલી છે .
અગાઉ ઉલ્લેખ કરેલો એ બહેરામપુરા છાપરા પાસે એક પરસોતમ નામના જામનગર બાજુના રાજગર બ્રાહ્મણનું લાકડાનું પીઠું હતું .અહી પઠાણ લોકો લાકડાં ખરીદવા આવતા એમાં એક બાઈ પણ લાકડાં ખરીદવા આવતી .લાકડાં ખરીદવામાંથી બાઈનું પરસોતમ સાથે લફરું થઇ ગયું .પરસોતમ પણ ગરસીયાઓના સીધાં ખાઈ ખાઈને સો જાડેજાને ભારે પડે એવો થઇ ગએલો .બીજા પઠાણોને આ લફર બાબત કઈ પડી નોતી “એને પડ પાણા પગ ઉપર “એવો ધંધો કરવાની બહુ ઈચ્છા નોતી.પરસોતમની પ્રેમિકાનો ધણી પરસોતમથી અને પોતાની બાઈડીથી ગભરાતો . જેમ કુલટા સ્ત્રીઓના નબળા પતિઓ આપઘાત કરે છે .પણ આ કુલટાનો ધણી આપઘાત ન કરતાં ઘર છોડીને જતો રહ્યો .અને અમદાવાદના ખાસ બજારના ફૂટપાથ ઉપર પડી રહે ,બાજુનાં રેસ્ટોરાં વાળા તેને ખાવનું આપે તે ખાઈ પીને પડ્યો રહે .તે હંમેશા રાખોડી રંગની લુંગી અને ઝભો પહેરતો .તેને આ કુલટાથી થયેલો એક પંદરેક વરસનો દીકરો હતો .
કુલટાને એક વખત વહેમ પડ્યોકે પોતાના ધણીને કોઈ સાગરિત મળીજાય તો એ મારું અને પરસોતમનું ખૂન કરે .એના કરતા આપણેજ એને મારી નાખીએતો કેવું ? આવો દુષ્ટ વિચાર એણે પરસોતમને કહ્યો અને પરસોતમ કુલટાના ધણીને મારી નાખવા તૈયાર થઇ ગયો .પછી એક રાતેકુલટાએ એના દીકરાને તેના બાપને ફોસલાવીને ઘરે લઇ આવવા કહ્યું .બાપ ભોળવાઈ ગયોઅને ઘરે આવ્યો .એને ચા માં જેર નાખીને ચા પીડાવ્યો . ચા પીધા પછી થોડી વારમાં મરીગયો .તેના માથાના અને દાઢીના બાલ અકબંધ હતા .પરસોતમે તેના વાળ સાફ કરી નાખ્યા પછી માથામાં બંદુકની ગોળી જેવી ગોળી ધરબી દીધી અને પછી લાશને નગ્ન કરી સાબરમતી નદીમાં નાખી દીધી અને સાથે તે પહેરતો એ કપડાંનું પોટકું પણ નદીમાં નાખી દીધું આ વખતે ભરપુર નદીમાં પુર આવેલું નદીના સામેના કિનારે લાશ અને કપડાનું પોટકું નીકળી ગયા . આ અરસામાં એક સાધુ અને એક પોલીસવાળો પણ તણાઈ ગએલા લાશની શોધખોળ થવા માંડી આ વખતે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અમૃતલાલ ચોહાણ નામના પો .સબ ઇન્સ હતા લાશને ઓળખવા સાધુને બોલાવી લાવ્યા સાધુ બોલ્યો આ લાશ અમારા સાધુની નથી .પછી તપાસકર્તા ખાસ બજારના રેસ્ટોરાં વાળાઓએ કીધું કે આવા કપડાં પહેરનાર ફકીર ફૂટપાથ ઉપર પડ્યો રહેતો એ હમણાથી દેખાતો નથી લાશને દાકતરી તપાસમાટે સિવિલ હોસ્પીટલમાં મોકલી ડોકટરે કીધુકે આ માણસનું મૃત્યુ જેર પીવાથી થયું છે અને આ માથામાં ગોળીઓ છે .એ બંદુકથી અંદર નથી ગયું પણ ખુસેડી દેવામાં આવેલ છે .તપાસના અંતે એવી ખાતરી યથી કે આ પઠાણની લાશ છે અને પછી પોલીસને જાણવા મળ્યુકે પરસોતમે અને આ બાઈએ પઠાણનું ખૂન કરેલું છે .કોર્ટમાં કેસ ચાલ્યો અને પુરાવાના અભાવે છૂટી ગયાં પણ ભગવાનના દરબારમાં નો છુટ્યા
પરસોતમ અને એનો નાનોભાઈ સાડીઓ ,ઘરેણાં વગેરે વેચનાર ફેરીયાઓને બોલાવી તેનો સામાન લઈને ફેરીઓંને મારી નાખીને લાશનો નાશ કરી નાખતા એક વખત એક પાંચેક વરસના છોકરાએ લાશના હાથનો કાપી નાખેલો દીધો કકડો જોયો ,બાળકે એના બાપને વાત કરી બાપે પોલીસને ખબર આપી અને પોલીસે પરસોતમને બંને ભાઈઓને પકડી લીધા .કેસ ચાલ્યો મુદ્દતના દિવસે પોલીસ કોર્ટમાં લઇ આવે એમાં પરસોતમ જાજરુ ગયો પોલીસે એક હાથ કડી હાથમાં રહેવાદીધી અને બીજા હાથની હાથકડી છૂટી કરી , પરસોતમ જજરુમાથી પાછળના રસ્તે જ્યાંથી જાજરુનું ડબલું નીકળતું હોય ત્યાંથી નીકળી ગયો પોબારા ગણી ગયો અને જામનગરના લાલપર ગામે પોતાની બહેનના ઘરે પહોંચી ગયો અને લહેરથી રહેવા લાગ્યો અને આજકાલ કરતા બે વરસ થઇ ગયા એના નાના ભાઈને ફાંસીને સજાથી ગઈ અને પરસોતમને પણ એની ગેર હાજરીમાં જજે ફાંસીની સજા ફરમાવી દીધી
પર્સોતામની બેનને એનો ધણી કઈ કહી નો શકે અને એની બેન પણ એનો ધણી ઉંચે સાદે બોલે તો પરસોતમનો ડર બતાવે . એક કહેવત યાદ આવી ગઈ “પાદરનું ખેતર અને પગમાં વાળા નાર કભારજા અને ગામમાં સાળા “આવા સંજોગોમાં જિંદગી દોહ્યલી થઇ જતી હોય છે .એક વખત એની બેને પતિના વિરુદ્ધમાં પરસોતમ આગળ ફરિયાદ કરી ,પરસોતમે બનેવીને ધમકી આપીકે હું માણસને મારીનાખતા વાર નથી લગાડતો અને મારી નાખ્યા પછી લોહી વાળા હાથ પણ નથી ધોતો .બનેવીએ લાલપુર પોલીસને જન કરી કે અમદાવાદનો વોન્ટેડ ખૂની મારે ઘરે આવ્યો છે . પરસોતમને પકડી ગઈ અને અમદાવાદ પોલીસને ખબર આપી। . પોલીસ અમદાવાદથી આવી અને પોલીસ પરસોતમને શણગારીને લઇ ગઈ અને પછી ફાંસીને માંચડે માંચડે ચડાવી દીધો અને પર્સોતામની નાની દિકરી બાપ વગરની થઇ ગઈ અને તેની મા ધણી વગરની થઇ ગઈ

17 responses to “પરણેલા પરસોતમની પ્રેમિકા, પઠાણની પત્ની .

  1. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 4, 2013 પર 6:08 એ એમ (am)

    આતા…રામ રામ.
    આની મોઇરની તઇણ કથાયુ વાંચે ગો તો, તી મુને ઈમ કે હેવ તાં પાકું ચોરીયુ કરવાનું આવડે જાહે ! પણ તાં ઈ વાત પડતી મેલીને આંયાં આ કરુણ કથની માંડી !

    વાતુમાં મોણ નાંખ્યા વિના, શબ્દને ચોર્યા વિના, સુધરેલા મનખની બોલીમાં કૈયે તો; નગ્ન સત્યરૂપે લખેલી, આ કરુણ કથની વાંચી. અનીતિમય જીવનનો અંત કેવો હોય એ જાણવા મળ્યું. જેવો યાદ રહ્યો છે તેવો તુલસીનો દોહરો આંહી લખું:
    પરધન પથ્થર માનીયે, પરસ્ત્રી માત સમાન;
    ઈતના કીયે હરી ના મિલે, તો તુલસીદાસ જમાન.

    આજે તો આવી વાતુ યાદ કરવા કરાવવા વાળા બઉ થોડા રહ્યા છે. અમ પાહે આતા છે ઈ ઠીક થયું, કો‘ક ‘દિ પરધન કે પરનાર જોઈને મન ડગે તા‘ર આવી વાતુ યાદ આવે, આવા પરસોત્તમો (પુરુષોમાં ઉત્તમ ! આણે તો માળાએ પોતાનું નામ લજવ્યું !)નાં અંત યાદ આવે, અને કંઈ નહીં તો બીકનાં માર્યા ય બે ડગલાં પાછાં હટે જવાય તો નામ બોળાતાં બચે જાય ! આતાને ઘણી ખમ્મા.

  2. pragnaju જાન્યુઆરી 4, 2013 પર 8:42 એ એમ (am)

    આપની ઐતિહાસિક સંદર્ભવાળી વાત અત્યાર સુધી જાણી ન હતી!
    આવા કરુણ સત્યનો સ્વીકાર કરવો પડે…
    પ્રતિભાવમા આ.અશોકભાઇનું તારણ માણવાની પણ મઝા આવી
    જુનાગઢ-ગીરનારના અઘોરી બાવાની વાત આવે ત્યારે લાશનો ઉલ્લેખ આવે! અને વાંચતા બીક લાગે…
    આજે આ વાર્તા યાદ આવે છે.
    ………………………………….
    “તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?”
    એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષપહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટેગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવી એણે કહ્યું:
    “ઇ બધું આવું, ભાઇ !આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પૉ’રના ગપાટા હાલે છે; પણ હું તો ઢાંકને ડુંગરે ડાંગનો ટેકો લઇ ને જ્યારે ચલમ ચેતવું છું, ત્યારે મને ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે.હજાર વરસ તો મારી આંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની ફૂંક જેવો ધૂંધળીંનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે.”
    “વાત તો કહો !”
    ‘અરે વાત કેવી ? ઇ તો ટાઢા પો’રના ! બે ઘડી ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે ! આ તો વે’લાંની વાતું, મોઢામોઢ હાલી આવે, એના કંઇ આંકડા થોડા માંડેલ છે ?”
    એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા લાલચટક વ્બન્યા, એને ડાંગને ટેકે અજવાળી રાતે વાત માંડી…
    ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો: જાતનો કોળી. આ વાંસાવડ દીમનો રે’તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસોવરસ બજરનાં પડતલ વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દ્યે. પાછો આવીને બજર વાવવા માંડે.
    ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડ્યા. જેવું ધ્યાનતેવું દિલનું ગજું: જેવું અન્ન તેવો ઓડકાર: ધૂંધાનેતો ગિરનારનું જ ધ્યાનરાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટીગઇ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો.કોઇક ટૂક ઉપર બેસીને ધૂણી ધખાવીતપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે : “ધૂંધળીનાથ ! ધૂંધળીનાથ !નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો.”
    ‘અહાલેક !’ શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તો જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનથ, શાંતિનાથ,એવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઇ ગયા. ગુરુ બોલ્યા:”જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી એને આપો. “(સાફી=ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટૂકડો રાખવામાં આવે છે તેને ‘સાફી’ કહે છે.)
    જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ. બીજાને ચલમ આપે.પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. નવનાથોએ ખુલાસો કર્યો :”ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામ કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ.”
    અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે “ધૂંધળીનાથ ! બાર વરસ બીજાં: આબુમાં જઇ ધૂણી પ્રગટો ! જાવ બાપ ! ચોરાસી સિદ્ધને પંગતમાં તમારી વાટ જોવાશે.”
    આબુની અવધિ પણ પૂરી થઇ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યાં. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી.પણ નવેય નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે :
    ”આનાથી તપ જીરવાશે નહિ. એ હલકું દૂધ છે;
    કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે.”
    તેજની જીવતજ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એમનું આવવું થયું.
    ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં.ગુરુના ચરણમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભ્ર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઇને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.
    ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્ય; પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું:”રાણાજી ! બાર વરસે પાછો આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશ મા. બાર વરસે પાછો આવું છું.”
    બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઇબહાર નીકળ્યાં. બેમાંથી એક ઘરાણેલૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં પણ તેજની વિભૂતિ કાંઇ મેલે લૂગડે ઢાંકી રહે ? ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ?મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો.બાર વરસનો બાળકો દોટ દઇને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બાર વરસના બાળકે માથું મૂંડાવી ભગવા પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજારાણી ખોબો ખોબો આંસુ પાડતાં ચિતોડગઢ પાછં વળ્યાં.
    ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું. આંહીં તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું:”બાપ, હું આ ડુંગરમાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને આંહીં સદાવ્રત રખજો. ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઇ પૂરજો.” એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું.
    વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઇ ગઇ ? નગરીમાં ઝોળી ફેરવે, પન કોઇએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવાં લોક વસતાં’તાં.પણ સત્તર-અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો: સમજુ હતો: એણે એક્કેક ચેલાને એક્કેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં જઇ ભારીઓ વેચો અને આપમહેનતથી ઉદર ભરો ! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહિ. જાઓ જંગલમાં
    બીજો દી, ત્રીજો દી, અને ચોથો દી થતાં તો કુહાડા મેલી-મેલીને બધાચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણાકુળનું બીજ,એમાં ફેર ન પડે. પ્રભાતને પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તો આશ્રમ વાળીચોળી, ઝાડવાને પાણી પાઇ, સિદ્ધનાથ વનમાં ઊપડી જાય. સાંજે બળતણની બારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહિ જેવું નીપજે. તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલા ટીપી આપે. એ હતી કુંભારની ડોશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઇ ડોશી લળી લળી હેત ઢોળે છે.
    આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યાં. માથું છોલાઇને જીવાત પડી. સુંવાળી કાયા ખરીને ! કેટલુંક સહેવાય ? દુ:ખ તો ચિત્તોડની મોલાતમાં કોઇદિવસ દીઠું નહોતું. અને આંહીં એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યે ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. આંખો ઉઘાડીને ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે ? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ વાળ્યો; ગુરુંર પટાવી લીધા.
    ઘણાં વરસનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાતરાની લે’રેલે’રે એની ઉજાગરભરી આંખો મળી ગઇ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્ય છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપરનું ઓઢણ સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઇને જોયું, માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વછૂટે છે.
    “કાંઇ નહિ, બાપુ ! ગૂમડું થયું છે.” સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.
    “સિદ્ધનાથ !” ગુરુની ભ્રૂકુટિ ચડી: “જોગ પહેર્યો છે એ ભૂલીશ મા.અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુદુહાઇ છે.”
    સિદ્ધનાથ ધીરો રહીને વાતો કહેતો ગયો. તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠ્યું. અડતાળીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતો હોય તેવું રૂપ બંધાઇ ગયું. હૈયામાંથી ‘હાય !હાય !’એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા: ‘અરે હાય હાય ! જગતનાં માનવી ! દયા પરવારી રહ્યાં ! મારો બાલ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે ! અને મારી તપસ્યા ! ભડકે ભડકે પ્રલેકાર મચાવીદઉં ! મારે તપસ્યાને શું કરવી છે ! સિદ્ધનાથ !બચ્ચા ! દોડ, ઓલી કુંભારણને ચેતાવ. માંડ ભાગવા. પાછું વાળીને ન જોવે હો : આજ હું પ્રેહપાટણને પલટાવું છું.”
    એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ !ત્રાહિ ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે “ગુરુદેવ !ગુરુદેવ ! તપસ્યનાં પુણ્ય એમ નથી ખોવાં. અરે બાપુ! માનવીઓ તો બધાંય માટીનાં. એનાં પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ.ગજબ કરો મા! લાખ્ખોની હત્યા, નિસાસા, કલ્પાંત: કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?”
    પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું:ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી. ડુંગર ડોલ્યા.દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું:”સિદ્ધનાથ ! હવે કમાનમાંથી તીર છૂટે છે. દોડ; દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહિ તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા !”
    સિદ્ધનાથે દોટ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી, છોકરાંને આંગળીએ લઇ ડોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે :”ઓ ધરતી મૈયા !
    પટ્ટણ સો દટ્ટણ ! અને માયા, સો મિટ્ટી !”
    એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળાં તૂટી પડ્યાં. મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઇ ગઇ.એક પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઇ ગઇ.
    ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે !
    આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલીગયો. નવ નાથ અને ચોરાસી સિદ્ધોએ અવાજ દીધો કે “આજથી એની ચલમસાફી બંધ કરો !” કંઇક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો. સિદ્ધિઓ વિના એ-નો એ રાંક ધૂંધો કોળી થઇ ગયો. “ભાઇ ! ગમે તેવો તોય કોળીનું દૂધ ના ?”
    આં અહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાછત શી રીતે થાયએ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિ. અરેરે !ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાનાં છોકરાં કલ્લોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઇ હોંકારો દેવા પણ હાજર નહિ? હું સિદ્ધનાથ: ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઇક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઇશ, મારાં તપ સંઘરીશ:ને એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું.
    એ…દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે.ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે.અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઇ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાંનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઇ જોઇને બેય માનવી રોવે છે. જોગી સિદ્ધનાથે બેયને જોયાં,બોલાવ્યાં, પૂછ્યું:”કોણ છો?”
    “આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારો બેટો નાગજણ જેઠવો.”
    “કેમ કરીને બચી નીકળ્યાં ?”
    “રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હ્તો.”
    “બચ્ચા નાગજણ !હું તારી જ વાત જોતો હતો. તું આવ્યો, બાપ? મારી દુવા છે તને કે :
    જેસો લંકેશ તેસો ઢંકેશ,
    દુશ્મન માર વસાવ દેશ.
    [જેવો લંકાનો સ્વામે રાવણ હતો તેવો જ તું આ ઢંક—આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢંક(ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે, બેટા, ફરી વાર આંહીં આપણે નગર વસાવીએ.]
    ઢંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિસિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ: બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થાતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે; સરજવું દોહ્યલું છે, બાપ ! સિદ્ધનાથએ સરજી જાણ્યું.
    પણ કાળનો આવવો છે ના ! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા.
    “કેમ, બચ્ચા ?” જોગીએ પૂછ્યું.
    “શી”
    “આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ !”
    “હા.”
    “તો બસ, મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”
    “નાગાજણ !” ગુરુએ નિસાસો નાખ્યો :”એવો અરથ લીધો ?આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”
    “આપનું વેણ છે.”
    “વેણેવેણ સાચું કરવું છે ?”
    “હા.”
    “તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા ! સોનાની લંકા રોળાણી હતી.”
    “ફિકર નહિ.”
    “તને ભાગ્ય ભુલાવે છે, રાજા ! પણ ખેર, હવે પૂરું કરીશ. નાગાજણ !ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવણ(શાલિવાહન) ગોહિલ: એને ઘેર સોનદેવ સતી : એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઇ જાય, બોલાવું?”
    “બોલાવો.”
    “અધર્મ નહિ કર્ય ને ?”
    “મા-જણી બોન માનીશ.”
    “શાલિવાહન સાથે વેર પાલવશે ?”
    “રે ગુરુદેવ !હું નાગાજણ: હું જેઠવો :ઝૂઝી જાણું છું.”
    પછી તો સિદ્ધનાથે તપોબળ છોડ્યાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીનો પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી, જોગી આઘેરો ઊભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યા: “બોન, મને તારો મા-જણ્યો ભાઇ માનજે.
    અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ !”
    રોજ બોલાવે. રોજ ઓળીપો કરાવે,પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો:”બોન, કંઇક કાપડાની કોર માગી લે.”
    “ટાણે માગીશ, ભાઇ !”
    કહીને રાણી ચાલી ગઇ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યાં. કોઇ કહે કે એ તો શાલિવાહન :એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.
    આંહીં તો ઢાંક લંકા જેવા ઝગરા કરે છે. છત્રીસ-છત્રીસ તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને લઇને ચડતો ગયો. ચડીચડીને એણે આગમ ભાખ્યાં. જુગજુગની ભવિષ્યવાણી કાઢી, ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતીપડતી થાશે એનો કાળલેખ ઉકેલી-ઉકેલી સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.
    “નાગાજણ !હવે તો મને રજા દે, બચ્ચા ! ગુરુ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઇને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે,બાપ !તારી સન્મતિ થાજો ! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પંથ ચૂકીશ મા ! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?”
    જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રી અને વળી ચિતોડગઢનું કુળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ:વીરભદ્ર જેવો એ મહાજતિ મોકળી લટે અહાલેક !અહાલેક ! બોલતો, દુનિયાને જગાડતો, કોઇ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.
    નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઇને બેસી રહ્યો.
    શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં દેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નહી; એક શિલા પણ ચસ દેતી નથી.
    “કોઇ નાગાજણનું મસ્તક લાવી આપે ? હું એ એક માથું લઇને પાછો જાઉં.”શાલિવાહન રાજાએ સાદ પાડ્યો.
    એક ચારણને કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો. ચારન ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઇઓ ચાલતી હોય તોય ચારન, ફકીર કે સાધુને કોઇ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ: એનો એવો ભરોસો, ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.
    અને કાળમુખા ચારણે જઇને નાગાજણના દસોંદીને જગાડ્યો.”આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ.”
    તે દિવસે તો, ભાઇ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને ! કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજનનું શીશ માંડ્યું. શાલિવાહનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે “લાવ તારા રાજાનું માથું.”
    દસોંદી શું મોં લઇને જાત! પણ નાગાજણને કાને વાત પહોંચી અને લલકારી ઊઠ્યો:”અરે, મારો દસોંદી ! એનાં વેણ માથી તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રી માથું મેલીને નિર્ભય બની સૂઇ જાય; બોલાવો એ ચારણને.”
    દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એને ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી.”આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગધ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?”દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો:”હવે તો માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે. ચારણ! આ માથું લઇને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જોગમાયા રાણીમાને—મારી બોનને—કહેજે ભાઇનું જુદ્ધ જોવા બહાર નીકળે.”
    એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઇ પદ્યું થાળીમાં. લઇને દસોંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.
    આંહીં નાગાજણનું કબંધ(ધડ) ઊઠ્યું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે :માથે જાને રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.
    વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું.રાજા ભાગ્યો, પાછળ કબંધે દોટ દીધી શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.
    એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલવ પાથર્યો. તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઇ આપવા જતો હોય એમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે :”બોન, માગી લે.”
    “વીરા મારા ! તે દી વેણ દીધું’તું કે કાપડની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરાતન શમાવી લે, ભાઇ !”
    શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.
    હજારો લાશો રગદોળાઇ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ પાસે બેસીને જોગંદરે આંસુડાં તપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.
    “આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઇ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તો રાતને ટાઢે પો’રે ડોબાં ચારીએ અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ.”
    એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીત માંડી રહ્યો. ધરતીની સીમાડા ઉપર કોઇ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ, કોઇ અબધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતો.

    • himmatlal aataa જાન્યુઆરી 4, 2013 પર 11:13 એ એમ (am)

      પ્રિય સુરેશભાઈ

      હવેતો પોલીસ ડાયરીના પાનાં તમારા જેવા પોલીસનું પણ કરી નાખે ,એવા ભૈબંધના ઉત્સાહથી માંડ્યા છે .ખુલવા .એટલે આતા કઈ કઈ અજબ ગજબની વાતું વહેતી કરશે . એટલે તમે અને અશોક જેવા બીજા ભાઈ બંધોએ આંખો સતેજ રાખવી પડશે .

      • himmatlal aataa જાન્યુઆરી 4, 2013 પર 12:04 પી એમ(pm)

        પ્રિય ભુપેન્દ્રસિંહ ભાઈ (એલા બાપુ કહેવાય )હું ન્યુ જર્સીમાં પણ રહેલો છું .અને તમે અહી આતાના ફડાકા સાંભળવા આવી શકો છો .જેમ સુરેશ જાની આવ્યા હતા અહી .એટલેકે ન્યુ જર્સી હતો ત્યારનો એક જેવો તુક્કો કહું .એક વખત હું એક પાર્ટીમાં ગયો .અમેરિકન મિત્રને ત્યાં અહી મને એક ઓળખીતી 65 વરસની ઉમરની બાયડી મળી .તમને ઉમર એ ટલા માટે ઉમર કીધીકે તમને એવું ન લાગેકે આતા આટલી મોટી ઉમરે ગર્લ ફ્રેંડુ .કરવા માંડી ગયા . એ બાઈને ખબર હતીકે હું દારૂ નથી પીતો .પણ એ દારૂના નિશામાં મને વોડકા નો પ્યાલો આપી ગઈ મેં પાણી સમજીને ઘૂંટડો ભર્યો .અને આઘો જઈને કોગળો કરી નાખ્યો મેં જયારે પાર્ટી પૂરી થઇ ત્યારે પૂછ્યું એ દવા હતી ?તો એ બોલી એ વાડકા હતો મેં કીધું વાડકા માતો દેશમાં ઘણુય ખાધું છે .અહીતો હું દીશુમાં ખાવા આવ્યો છું .

      • jjkishor જૂન 11, 2013 પર 6:30 એ એમ (am)

        અરે ચશ્માના નંબરું કઢાવીનેય વાંચશું….તમતમારે લખ્યે જાવ બાપલા.

  3. અમિત પટેલ જાન્યુઆરી 4, 2013 પર 5:06 પી એમ(pm)

    અફઘાન-ભારતીયોની વાતો જાણી ખુબ આશ્ચર્ય થયું. મને થોડો ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતના રાજા-રજવાડાઓના સૈન્યમાં અફઘાની, મકરાણી, બલોચી, પઠાણ અને સીદી (આફ્રીકન) લોકો ફરજ બજાવતા હતા.

  4. jjkishor જાન્યુઆરી 4, 2013 પર 6:36 પી એમ(pm)

    આતાજીના ખજાનાની એક ઑર જણસ !! કોઈને યાદ આવે છે એક ફિલ્મ જેમાં એક કુટુંબ રણના મારગેથી પસાર થાય તેને લુંટીને લાશ કુવામાં નાખી દેતા !! છેલ્લે ઘર છોડીને જતો રહેલો એમનો જ દીકરો વેપારી થઈને આવેલો તેનેય લુંટીને……ને પછી કુવામાં !! ફિલ્મનું નામ તો ભુલી ગયો છું.

    આતાજીની યાદશક્તીના ઝબકારા વાક્યેવાક્યે અનુભવાય છે. યાદ છે આતા, મેં આપને હંધુંય ક્યાંક લખી રાખવા જણાવ્યું હતું તે ? ધન્ય ધન્ય.

    દીદીએ મેકેલી ધૂંધળીનાથવાળી વારતા મેઘાણીભાઈની તો નૈં ? જરુર વાંચેલી છે. શબ્દોની તાકાત તો જુઓ, ગુજરાતીભાષાનું ગૌરવ આમાં કેવું છલકાય છે !!

  5. aataawaani જાન્યુઆરી 6, 2013 પર 7:20 એ એમ (am)

    હા જુગલકીશોર ભાઈ તમે મને લખી રાખવાનું કીધું હતું એ યાદ છે અને એટલેજ હું કમ્પ્યુટર પાસે લખાવીને “આતા વાણી “માં સાચવી રાખું .

  6. aataawaani જાન્યુઆરી 6, 2013 પર 6:19 પી એમ(pm)

    પ્રજ્ઞાબેન હું દોઢેક વરસ પહેલાં ક્રુઝમાં ગએલો ત્યારે એક હિપ્નોટીઝમ કરનાર માણસે માનવામાં ન આવે એવું કામ કરી બતાવેલું .
    પહેલા એ માણસે પ્રેક્ષ્કોમાંથી થોડા માણસોને બોલાવ્યા હું પણ ગએલો .મ્યુઝીક વાળા નક્કી કર્યા પ્રમાણે વિચિત્ર અવાજ પૈદા કરે પોતે પણ પોતાના બુલંદ અવાજ થી બોલે પહેલા એવું બોલ્યોકે બધા આંખો વિન્ચી જાઓ . બધા છોકરા છોકરીઓ ફટાફટ આંખો વીચી ગયા .હું અ ને એક બીજો ખુલ્લી આંખે બેસી રહ્યા .એટલે અમને બેઉને એણે ઉઠાડી મુક્યા .પછી તમે કહોછો એમ એ કહે એમ એની આજ્ઞાનું પાલન કરવા માંડ્યા ડાબી બાજુ સુઈ જાઓ ઉભા થઇ જાઓ બેસી જાઓ .વગેરે હુકુમો કરવા લાગ્યઓ કુલ વીસેક જેટલા માણસો હતા .
    બોલવાની પણ ખુબ અસર થતી હોય છે .મારાથી નાની બેન જયારે દસબાર વરસની છોકરી હતી ત્યારે ઢોરનું છાણ લેવા માટે ઢોરની પાછળ રખડે જયારે ગોવાળ નિશ્ચિત જગ્યાએ ઢોરોને બેસાડી જમવા માટે ઘરે જાય અને છાણ લેવા આવેલા છોકરાં પોતાના છાણનો એક ઠેકાણે ઢગલો કરી જમવા જાય ત્યારે એવા સમ દઈને જાય કે મારા ઢગલા માંથી જે કોઈ છાણ લઇ લેશે એને શંકર દાદા હાથ ધોણું કરશે (ઝાડા થઇ જશે ) મારી નાનીબેન નું હું અવારનવાર ધ્યાન રાખતો .એક મનીયો કરીને છોકરો મારી બેન સાથે છાણ લેવા બાબત ઝઘડો કરતો મારી બેને મારી આગળ ફરિયાદ કરી એટલે મેં મારીબેનને કીધું કે મનીયાના ઢગલામાંથી છાણ લઇ તું તારા ઢગલાભેગું કરી દે . બેને કહ્યું કે એ સમ દઈને ગયો છે .એટલે એનું છાણ હું લઇ લઉં તો મને ઝાડા થઈજાય .મેં બેનને ખીજાઈને દબાણ કર્યું એટલે એને છાણ લઇ લીધું પણ પછી એને ઝાડા થઇ ગએલા .હાલ આ મારી બેનની ગ્રેટ ગ્રાન્ડ ડોટર કોલેજમાં ભણવા જાય છે .અને મનીયો પુનામાં ધંધો કરેછે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: