મારા દારૂડિયા ,ચડસી ,ગંજેરી , જુગારી ,શિકારી .વગેરે અનેક પ્રકારના ચાહકો છે. અને ભૂલથી પણ કીડી જેવું જંતુ ના મારી જાય એવી કાળજી રાખનારા પણ મિત્રો છે .અને હું એને દિલથી ચાહું છું .મને કોઈ પ્રત્યે નફરત કે ઈર્ષા થતી નથી. એક શેઅર તમને કહું છું.
दुनियाको नफरातोने दोज़ख बना दिया
जन्नतसा था जहान उसे जहन्नुम बनादिया મારા સદાચારી મિત્રો પણ છે .અને અહિંસક તો એવા છે કે મચ્છર મારવાની પણ એની ઈ ચ્છા થતી નથી .હું એને ચાહું છું અને એવી રીતે એ લોકો પણ મને બેહદ ચાહે છે.એક વખત મને ખરાબાતોમાં જવાવાળા મિત્રોએ મને કહ્યું કે हिम्मत लाल तू अपना वसीयत नामाबनाले મારા જે દારૂડિયા મિત્રો લખાનોવ .બનારસ .બાજુના હતા તે લોકોએ મારી સમાધી બનાવવાનું પણ નક્કી કરી દારૂડિયા મિત્રો મારા ખાટ્લા પાસે બેસી રહે .દારૂની પ્યાલી ઉપર પ્યાલી પી ધા કરે.સદાચારી મિત્રોએ પણ મને વસીયત નામું લખવાનું કહ્યું .દારૂડિયા મિત્રો માટે મેં આવી રીતે વસીયત નામું બનાવેલું અને સદાચારી મિત્રો માટે આવી રીતે વસીયત નામું બનાવ્યું.
મારા જાઉં જબ મૈ યારો માતમ નહિ મનાના ઉઠાકે જનાઝા મેરા પ્રભુ નામ કો સુનાના
લાકે ચિતાપે મુજકો ઉલ્ફતકે સાથ રખના કોઈ એક લડકી કે હાથો ચિતાપે આગ લગાના
પ્રભુ નામ લેતે લેતે સબ અપને ઘરકો જાના .માસૂમ લડ્કીયોકો અચ્છા ખાના ખીલાના
“અતાઈ “કો ભૂલ જાના સમજો વો થા ફસાના ઉલ્ફત્કો સાથ લેકે જન્નાતકો ચલા જાના
આવી રીતે મારાથી બે પ્રકારના વસીયત નામ બનાવાય ગયા મારા ખાટલા નજીક શરાબી મિત્રો બેઠેલા એ લોકો ઘડી ઘ્ગાડી મારા મોઢા સામું જોયા કરે ધીમે મારો શ્વાસ અટકી અટકીને ચાલવા માંડ્યો .દારૂડિયા મિત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યાકે .अब हिम्मत मरने वाला है ,चलो उसका जनाज़ा तैयार करे એક દારૂડિયો બોલ્યો .अब मरा नहीं है ज़िंदा है . સંભારીને . બીજો બોલ્યો.अरे जनाज़ा उठाव कबरास्तान जाते जाते मर जाएगा .અને પછી ઠાઠડી ઉપાડી અને કબરસ્તાન સુધી . જોયુતો હજુ મારો શ્વાસ ચાલતો હતો .એટલે એક દરુડીઓ બોલ્યો .अरे येतो अभीतक मरा नहीं है .अब क्या करना સાભરિને વધ્ધું પડતો ગણાતો દારૂડિયો બોલ્યો .अरे साले उसको दफ़न करदो दफ़न कर देनेके बाद वो मरही जाने वाला है वास्ते उसको संदुक्मे डालके दफ़न करदो
और अपने अपने घरको चले जाओ .એમ બોલી મારા બધાંજ પહેરેલા માના ખમીસ અને લેંઘો રહેવા દીધો .પણ એક સજ્જન શરાબી હતો .એ બોલ્યો કે उसकी पगड़ी रहने दो अगर उसको जन्नात्मे चैन नहीं आयातों वो पगादिके जरिये खुद कशी कर लेगा મારો થેલો પણ લઇ લીધો .પછી મને પેટીમાં પૂરી ને દાટી દીધો .પરલોકમાં ચિત્રગુપ્તને ખબર પડીકે એક માણસને જીવતો દફનાવાય ગયો છે એને અહી આવવાને તો હજુ દસ વરસની વાર છે ?ચિત્ર ગુપ્તે યમદેવને તાબડતોબ મને કબરમાંથી બહાર કાઢવા માટે મોકલ્યા યમ્દેવતા મારી સમાધી પાસે આવ્યા અને પોતાના પાડાને આજ્ઞા કરીકે કબર ખોદીને જેમાં હું હતો એ પેટી બહાર કાઢ !પાડે પોતાના કુન્ધાલા શીન્ગડાથી ખોદીને પેટી બહાર કાઢી યમરાજાએ મારી પેટી ખોલીતો એમાં મને યમરાજાએ મને જોયો ,અને મને પૂછ્યું એલા અહી કેમ આવ્યો છો ? મેં કીધું મહારાજ હું મારી ગયો છું એટલે અહી આવ્યો છું .યમરાજા કહે તું નથી મરી ગયો .જા ઘર ભેગો થઇજા મેં કીધું મહારાજ હું મારે ઘરે કેવીરીતે જાઉં મારી પાસે પૈસા નથી. બધું મારા શરાબી મિત્રોએ લઇ લીધું છે મારો આખો થેલોજ લઇ લીધો છે . આમારા થેલામાં મારા પૈસા મિત્રોના ફોન નંબર વગેરે બધુજ હતું .હવે મારે ઘક્રે જવું કઈ રીતે . મારી વાત સાંભરી યમરાજા બોલ્યા ચિંતા કરીશ નહિ હું તુને રાઈડ આપું છું .પાડાના શીગડામાં તારા બે પગ ઘાલીને પાડાની કાંધ ઉપર બેસીજા
મેં યમરાજને કહ્યું કે મહારાજ આ મારા ગામ ફીનીક્ષ માં ત્રફિક ની જબરી સમસ્યા છે.એક્સીડેન્ટ થાય તો પાડાને તો હોસ્પિટલ માં દાખલ કરે પણ તમને કોનો માઠો બેઠો છે કે તમને પોતાના ઘરે લઇ જાય .યમરાજા કહે હું પાડાને આકાશ માર્ગે ઉડાડીને લઈજૈશ . toto બહુ ગજબ થઇ જાય તોતો મીલીટરી વાલાને એવો વેમ પડે કે આ અલ કાયદા વાળાની નવી શોધ લાગે છે એટલે એ તોપને ભડાકે દ્યે યમરાજ બોલ્યા હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ એટલે કોઈ જોઈ નાં શકે .ચાલ હવે બહુ બોલ્યા વિના પાડાની કાંધ ઉપર બેસીજા .હું પાડાની કાંધ ઉપર બેઠો અને યમ રાજાએ પાડો ઉડાડ્યો અને પળવારમાં મારા દ્રાયવે. માં મૂકી દીધો . આવખતે મારા ઘરવાળા તુલસીને પાણી પીવડાવી રહ્યા હતા મને જોઇને પાણીનો લોટો ફેંકી દીધો અને ભૂત ભૂત ની બુમો પાડવા લાગ્યા આ વખતે મારા ઘરમાં ભજન ચાલી રહ્યા હતાં .ભૂત ભૂત નો અવાજ સાંભરી સૌ બહાર આવ્યા .એક માણસને મારી ચોટી કાપી આવવાનો વિચાર આવ્યો એટલે એની ઘરવાળી એ કીધું કે તમે કોટી કાપવા નો જાવ જો એની ચોટી તમારા હાથમાં હશે તો એ પછી આપના ઘરમાં આવી જશે તો મને એ વળગશે તો પછી તમારી શી વલે થશે . પછી એક સરમનું કરવા આવેલા ગોર્બપાએ કીધુકે આ ભૂત નથી ખરેખર હિંમત ભાઇજ છે જો ભૂત હોતને તો એને પદ છાયો નો હોત .પછીતો ઘરમાં લાપસીના આંધણ દેવાણા. સૌ જમ્યા બધા ખુશ થઇ ગયા મારા ઘરવાળાં વાળું ખુશ થયાં.
मर जाऊ जब मई यारो मातम नहीं मनाना उठाके जनाज़ा मेरा नगमा सुनाते जाना
लाके लहद में मुजको उल्फतके साथ रखना गंगाके जलके बदले आबे अंगूर छिड़कना
तुर्बत्पे मेरी आना शम्मा नहीं जलाना आबे अंगूर भरके सागार उछल देना
अताई को याद करना मदिरा से जाम भरना सागर बदल बदलके पि लेना और पिलाना
Like this:
Like Loading...
Related
ખૂબ સ રસ રમુજી વસીયતનામું
યાદ
હુએ હમ જો મર કે રુસ્વા, હુએ ક્યોં ન ગર્કે દરિયા
ન કહીં મજાર હોતા ન કભી જનાજા ઉઠતા
અમારા સ્નેહીને કેન્સર થયું અને ખબર પડી કે હવે થોડા મહીના જ બાકી છે તો તેમણે આનંદપૂર્વક વસીયતનામું બનાવ્યું જેથી મરણબાદ કોઇને તકલીફ ન પડેઅને જીવતાજીવ બારમું પણ કર્યું તેમણે અમને
ઇ મેઇલ કર્યો તેના મુદ્દ્દા
આપણને ખબર નથી કે આપણા મૃત્યુ બાદ આપણાં સંતાનો પૈકી કયા સંતાનની આર્થીક પરીસ્થીતી કેવી થશે, માટે આપણા વસીયતનામા દ્વારા આપણે discretionary trust બનાવીએ કે જેનાં ટ્રસ્ટીઓ આપણાં સંતાનોને તેમની આર્થીક પરીસ્થીતી પ્રમાણે ટ્રસ્ટની આવક તથા મુડી આપી શકે. આવા discretionary trustથી આપણી ભાવી પેઢીને પણ લાભ આપી શકાય છે. આવું discretionary trust બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે આપણે નીમેલા ટ્રસ્ટીઓ વીશ્વાસપાત્ર, સમજદાર અને નીષ્પક્ષી હોય. આવા discretionary trustનું અસ્તીત્વ આપણા અવસાન થયા પછી જ અમલમાં આવે છે. discretionary trust બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે તેની આવક તરીકે ડીવીડન્ડની આવક, વ્યાજની આવક, ભાડાની આવક જેવી આવકો જ થાય અને નહીં કે ધંધાની આવક. આવા discretionary trustને ઈન્કમ ટૅક્સની રાહત પણ મળે છે. સામાન્ય discretionary trust ઉપર તેની કરપાત્ર આવક પર મહત્તમ દરે ઈન્કમ ટૅક્સ ભરવાનો થાય છે, પરંતુ જો વસીયતનામાથી discretionary trust બનાવેલું હોય તો તેની કરપાત્ર આવક પર સામાન્ય દરે જ ઈન્કમ ટૅક્સ ભરવાનો થાય છે, કારણ કે વસીયતનામાથી બનાવેલા discretionary trust આવકવેરાના કાયદા મુજબ “વ્યક્તી” ગણાય છે. અને તેથી વ્યક્તીને મળતી બધી જ છુટ આવા discretionary trustને પણ મળે છે. તેની ઉપર વેલ્થ ટૅક્સ પણ ભરવાનો થતો નથી. આપણા ઈન્કમ ટૅક્સ એક્સપર્ટ પાસેથી આવા discretionary trustની વધુ માહીતી મળી શકે.
રાખમાં કે માટીમાં મળી જનાર આપણા દેહમાંથી મૃત્યુ બાદ કામમાં આવી શકે તેટલાં અંગોનું દાન (જેવું કે ચક્ષુદાન, કીડનીદાન, ફેફસાદાન, આંતરડાદાન, હૃદયદાન, લીવરદાન, પેનક્રીયાસદાન, દેહદાન વગેરે) કરતા જવાની ઈચ્છા હોય તો તેની સ્પષ્ટ સુચના તબીબી વસીયતનામામાં કરી દઈએ. ચાલો, અંગોના દાન માટે આપણે “શતાયુ” સંસ્થામાં આપણું નામ નોંધાવીએ. (૧લે માળે, “સમુદ્ર”, ક્લાસીક ગોલ્ડ હોટલ પાસે, સરદાર પટેલ નગર પાસે, સી. જે. રોડ, અમદાવાદ. વેબ સાઈટ: http://www.shatayu.org.in ઈમેઈલ: info@shatayu.org.in ). ફોન (૦૭૯) ૬૬૧૮૯૦૦૦ (આ પુસ્તીકાના લેખકે પોતાનાં અંગોના દાન માટે આ સંસ્થામાં પોતાનું નામ નોંધાવ્યું છે.) મારા શરીરનાં વધારેમાં વધારે શક્ય અવયવો જેવાં કે આંખો, ચામડી, લીવર, પેન્ક્રીયાસ, કીડની, બોનમૅરો વગેરે વગેરે જરુરીયાતવાળા યોગ્ય દરદીને યોગ્ય રીતે મળી શકે એ માટે વીશ્વાસુ હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સમ્પર્ક કરી દાન કરી દેવાં. બાકીનું શરીર પણ મૅડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને શીક્ષણ માટે દાન કરી દેવું.
અવારનવાર પહાડોમાં મુસાફરી કરતો હોવાથી જો દુરના પ્રદેશોમાં મને અકસ્માત થાય અને અવયવદાન કે દેહદાન પણ અશક્ય થઈ જાય તો તેવા સંજોગમાં મારા દેહના અગ્નીસંસ્કારને બદલે ભુમીસંસ્કાર કરવા (મૃતદેહને દાટવો) અને તે પર એક વૃક્ષ રોપવું.
જો ઉપરનાં કારણો સીવાય અલગ પરીસ્થીતીમાં મારું મૃત્યુ થાય તો પણ ચક્ષુદાન અને દેહદાન તો કરવું જ કરવું.
આનો અર્થ એમ નથી કે હું ભૌતીક અને નાશવંત શરીરને ધીક્કારું છું. આખી જીન્દગી મેં મારા પાર્થીવ શરીરને સાચવી રાખવા અને એનો અંત લંબાવવા ભરપુર કોશીશો કરી છે. મારા દેહને અને પૃથ્વી પરના આ જીવનને મેં શ્રેષ્ઠ અને એકમાત્ર જીવન ગણ્યું છે. મૃત્યુ નીશ્વીત છે; પણ એનો સમય નીશ્વીત નથી. એટલે આ શરીરના એક-એક અંગને બીમારી અને પીડામાંથી બચાવવા હું હંમેશાં ઝઝુમ્યો છું. હવે આ રીતે મારા અવયવોનું દાન કરી અવયવની જીન્દગી લંબાવવાનું મને સાર્થક લાગે છે.
શબના નીકાલ માટે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી જો કોઈ પણ રીત હોય તો તે ભુમીદાહની રીત છે. એમાં પણ ખરાબાની જમીન મળી શકે તો ઉત્તમ. જો આ ભુમીદાહની રીત પસંદ હોય તો તેનો પણ આપણે તબીબી વસીયતનામામાં ઉલ્લેખ કરી દઈશું.
હું નાનો બારેક વરસનો હતો, ત્યારે બાવળના ,લીમડાના ગુંદ ખાવાનો શોખીન હતો .બાવળના કે લીમડાના થડમાં છેદ કરો એટલે બીજે દિવસે નરમ નરમ ગુંદ પૈદા થાય .આવા ગુંદને બે ચાર દિ ન કાઢીલ્યો તો આવો ગુંદ કઠણ થઇ જાય ,અને ખાવાની મજા આવે .પણ આટલી ધીરજ પોસાય નહિ .જો ધીરજ રાખવા જઈએ તો કોક વેલો ઉઠીને ગુંદ લઈલ્યે ,અને આપણી છેદ કરવાની મેનત માથે પડે . એક દિ મને વિચાર આવ્યો કે જો ઉંચી ડાળ ઉપર કાપો કર્યો હોય, તો કોઈની નજર નો પડે , એટલે કોઈ લઇ નો શકે ,અને આપણે એકલા એકલા ખાઈએ .અને પછી તો બાપુ વિચાર અમલમાં મુક્યો .લીમડાનું ઝાડ દરબારગઢમાં હતું .એટલે બહુ સાવચેતી પણ રાખવી પડે . મોકો જોઈ હું લીમડાના ઝાડ ઉપર ચડ્યો . અને ઉંચી ટગલી ડાળે પહોંચ્યો , અને કાપો કરવા માંડ્યો, લીમડો બહુ બટકણો હોયછે .એની ડાળ જલ્દી ભાંગી જતી હોય છે .એટલે મારા વજન અને કાપ કરવાને કારણે ડાળ ભાંગી .હું ડાળ ભેગો નીચે પડ્યો .મારા પડવાના અવાજ ના કારણે બપોરની નિંદ્રાધીન બાપુના નોકરો જાગીગયા .મને બેભાન અવસ્થામાં જોયો. મારા બાપને ખબર આપી .મારા બાપા આવ્યા. અને પછીતો માણસોનું ટોળું ભેગું થઇ ગયું .અને મને આઠ માઈલ દુર દિવાન ભાઈ વૈદ્યને ત્યાં લઇ જવામાટે તૈયારી કરી .એટલામાં એક વડીલ આવ્યા .એણે સલાહ આપીકે આને દાકતર પાસે લઇ જશો તો દાકતર એક કાઢશે, અને આઠ ઘાલશે .માટે દાકતર પાસે લઇ જવાનું માંડી વાળો .મારી પાસે ઘણાય ઉપાય છે .એમ કહી એ બોલ્યો.કોક ધમા ડોહાની હાટડી એથી ખોરું નાળિયર લઇ આવો, અને ભીમડા ચમારના કુંડનું પાણી લઇ આવો .અને ભેગા ભેગો એક ફાટલો જોડો લેતા આવજો . બધી વસ્તુ આવી .અને જાણકાર વડીલે ધરાર ખોરા નાળીયેરનું પાણી મને પીવડાવ્યું .અને ચમારના કુંડનું પાણી માથા ઉપર રેડ્યું .અને મારું મોઢું દબાવી રાખી ,ઉકરડેથી લઇ આવેલા ગંધારા ફાટલા જોડાને સુન્ઘાડ્યો .માથા ઉપર ચમારના કુંડના પાણીની ધારા વાડી ચાલુજ હતી .થોડી વારે હું ભાનમાં આવ્યો .મારી માએ બકાદીયું ભરીને શીરો બનાવેલો .જે મને ખવડાવ્યો ,અને માણસો જે ભેગા થએલા એ સૌને થોડો થોડો શીરો ખાવા આપ્યો . અને જાણકાર વડીલને મારા ઘરના અને બીજા સૌ એ શાબાશી આપી .