મારો રૂઘનાથ બાળપણનો મિત્ર મારાથી ઉમરમાં થોડો નાનો હશે .મારી ઓળખાણ મેં લખી છે .એમાં મારી સાથે તપ કરવા હાલી નીકળેલો તે આ રૂઘનાથ મારી સાથે એ થોડો વખત મરમઠ ભણવા આવતો પણ તેના બાપે ભણતા અટકાવ્યો અને મરમઠ વાળા મેમણ કરીમ શેઠની બીડીયું વાળવા મોકલી દીધો .તેના બાપ ધનજી ઉર્ફે પોલો આ મારા પોલાકાકા એવું કહેતા કે બીડીયું વાળવા વાળાના ઘરનાં નળિયાં હું સોનાના જોઉં છું .તેનો આગ્રહ હંમેશા વેપાર બાબત રહેતો .એ કહેતા કે લેખાં શીખો “જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર “આવું ગોખી રાખવું એ તમને કામ આવશે ,સિંદુ નદી બે હાજર માઈલ લાંબી છે। .એવું યાદ રાખવાની જરૂર નથી .તમારે એ નદીમાં તરવા જવું છે ?
એક વખત દેશીંગામાં જૈન સાધુ વિચરણ કરતા કરતા આવી પહોંચ્યા (રુઘનાથે)રુઘે એ સાધુનું પ્રવચન સાંભળ્યું .બીજે દિવસે મને વાત કરીકે મચ્છરને પણ મારી નો નખાય એને પણ જીવવાનો હક્ક છે .
મરમઠ થી ભણીને અમે સાથે ઘરે આવતા હોઈએ ત્યારે દેશીંગાની સીમ આવે ત્યારે અમો રસ્તે ન ચાલતાં બાવળની ઝાડીમાં ચાલીયે એક વખત અમો બંને જણા ઝાડી માંથી પસાર થતા હતા ત્યારે રુઘાએ એક કાકીડાને મકોડા ખાતાં જોયો મકોડાની લાઈન હાલી જતી હતી .એમાં થી કાકીડો વિણી વિણી ને મકોડા ખાતો હતો . રુઘને વિચાર આવ્યો કે જો આ એકજ કાકીડાને મારી નાખ્યો હોય તો એની વધારે ઉત્પતિ નો થાય અને કેટલા બધા જીવો મકોડા જેવા બચી જાય .કકીદાને મારી નાખવાની વાત મને રુઘાએ કરી મેં સખત ભાષામાં વિરોધ કર્યો .પણ એને મારી વાત ગળે ઉતરી નહિ .એણે તો કાકીડા જેવા ગરોળી વગેરે જીવડા ખાનારા પ્રાણીઓને મારી નાખવાનો વિચાર અમલમાં મુક્યો અને આવા પ્રાણીઓને મારી નાખવાનું ચાલુ કરી દીધું એક વખત રુઘો મારે ઘરે આવ્યો .અને જોયું તો ચકલી એના માળામાં બેઠેલાં બચ્ચાને જીવડાં ખવડાવી રહી હતી .અમારું કોઈનું ધ્યાન નોતું ત્યારે નિસરણી લઇ રુઘો ચકલીના માળા સુધી પહોંચ્યો અને માળામાંથી ત્રણ બચ્ચા કાઢી નીચે ફેંકી દીધાં અને પગ વડે ચગદી નાખ્યાં . આ વાત મારી માએ જાણી તેને ઘણું દુ:ખ થયું .અને રુઘને ઘરે ન આવવા તાકીદ કરી અને મને તેની સંગત છોડી દેવા સમજાવ્યો .રુઘાથી નાનો ભાઈ મગન હતો .પોલાકાકાને પણ દીકરા અને એક દીકરી સંતાનમાં હતાં .એ અરસામાં રાજકોટમાં જૈનોએ એવી સંસ્થા સ્થાપીકે જેમાં જૈન બાળકોને ભણવું રહેવું ખાવું પીવું કપડા લત્તાં સ્કુલ ફી વગેરે ઘણો ખર્ચો આપવાનો .ગરીબના છોકરાને બધી સગવડ મફત બાકીનાને આવક પ્રમાણે ખર્ચ આપવાનો .પોલાકાકાને ખર્ચ બચાવવા મગનને રાજકોટ તે સંસ્થામાં મુક્યો પોલા કાકાને મગનને ભણાવવામાં ખાસ રસ નોતો પણ ખર્ચ બચાવવાના હેતુથી મગનને રાજકોટ એ સંસ્થામાં મુકેલો મગન વગર ખર્ચે m .a
થઇ ગયો પછી એ કલકત્તા ગયો .ત્યાં એને સારી નોકરી મળી .આ વખતે પોલાકાકા સ્વર્ગવાસી થઇ ગયેલા .આ સિવાય મગને આખા કુટુંબને કલકત્તા તેડાવી લીધું અને પોતાની અટક માટલીયા હતી તે બદલાવી અને શાહ રાખી .દેશીંગા માં ચોરાનો જીર્ણોદ્ધાર કરીને રામ મંદિર નામ આપ્યું છે એ પોપટલાલ ધરમશી મગનના બાપ પોલાકાકાના કાકાના દીકરા ભાઈ થાય .આ વાત ભેગી એક વાત બહુ જાણવા જેવી છે એ હું આપને કહું છું .પોપટકાકાની એક બેન સુવાવડ કરવા દેશીંગા આવી તેણે દ્ક્રને જન્મ આપ્યો દીકરો પંદર દિવસનો થયો ત્યારે એ મારી ગઈ .નાના બાળકને ઉછેરવાનો સવાલ ઉભો થયો .આજ અરસામાં પોપટકાકાની વહુએ દીકરાને જન્મ આપ્યો .હતો એટલે પોપટકાકા ની વહુએ પોતાની નણંદ ના દીકરાને ઉછેરવાની જવાબદારી લઇ લીધી .આ અમેરિકન સ્ત્રી નોતી કે બાળકને ધાવણ પૂરું નો થાય અને બેબી ફૂડ ખવડાવવું પડે .વખત જતા આ દીકરો જુવાન થયો અને કોચીનમાં જબરો બીજ્નીસ ધરાવે છે .પોપટકાકા દેશીંગા છોડીને રાજકોટ જતા રહ્યા છે . અને હાલ તેઓ સ્વર્ગ વાસી છે .આતો ગરવા ગિરનારની છાયાનો પ્રદેશ .
ભેગાભેગી એક બીજી વાત કહી દઉં ઓખાના બરડિયા ગામના વાઘેર રવા સમા ના પડોશમાં બરડિયા ગામમાં એક માજોઠી (મુસલમાન ધર્મી કુંભાર )રહે તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો .અને અભાગિયા દીકરાના માબાપ મારી ગયા .દિકરો થોડોક મોટો હતો તેને ધાવણની જરૂર નોતી પણ એના સગા વહાલાં માંથી કોઈએ આ દીકરાનો હાથ જલ્યો નહિ .આ નાનકડા બાળક લાખાનો ઉછેર રવા અને તેની વહુએ કરેલ લાખો જીવ્યો ત્યાં સુધી પોતાના બાપના નામ તરીકે રવાનું નામ લખાવતો .
વાર્તારે વાર્તા ભાભો ઢોર ચારતા ભાભો ગો મરે ઢોર આવ્યાં ચરે હેવ બીજી વાતુ કાલુંનાદી કેડે આવજો હંધાયને રામરામ
Like this:
Like Loading...
Related
તમારા ગામની વાતું જાણીને ખુબ આનંદ થાય છે. મારા રમાબા અને ડોક્ટર ગોરધનદાદા આઝાદી પછીના સમય ગાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ સરકારી દવાખાનાઓમાં નોકરી માટે ફર્યા હતા. મારા બાળપણમાં સૌરાષ્ટ્રના વિવિધ ગામોની નાની નાની ઘટનાઓ તેમણે જણાવી હતી. આજે તમારા થકી ફરી આવી વાતો જાણવાની ખુબ મજા પડી.
તમારા ગામની નાની નાની વાતો અમુલ્ય ખજાનો છે
અહીંસા …દરેક પોતાની રીતે માને તેનો તમારો દાખલો આંખ ખોલનાર છે
આવું કરોડાધીપતિઓ બીજા પાસે હીંસા કરાવે તો હીંસા ન ગણાય તેવું માને!
તો કેટલાક કાયર લોકો પોતાને અહીંસક ખપાવે !
તો માનસિક અહીંસાતો દૂરની વાત રહી
સાચુ સમજાય તો અહિંસા ભારત દેશની જાન છે, ઓળખાણ છે, માન છે અને સન્માન છે
અને જ્યાં અહિંસા છે ત્યાં જૈન ધર્મ છે તેથી જ તમામ ધર્મો કરતાં જૈન ધર્મ અલગ તરી આવે છે
સાંપ્રત સમયમાં માનવી પાસે બધું છે પરંતુ માનસિક શાંતિ નથી. આ સંદર્ભમાં શાંતિની ઈચ્છા તમામ રાખે છે
પરંતુ ઈચ્છાની શાંતિ કોઇ રાખતું નથી. શાંતિ ઈચ્છતા માનવીઓએ પ્રથમ તેમની ઈચ્છાની શાંતિ કરવી જોઇએ.
ધાવણ ની વાતે યાદ
લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..
નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..
પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..
ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !
…અભાગિયા દીકરાના માબાપ મારી ગયા .દિકરો થોડોક મોટો હતો તેને ધાવણની જરૂર …’
બહુ સરસ
આપની આ વાત જેવી અનેક વાતોથી
સ્તનપાન અંગે તે દિનની ઊજવણી પણ કરવામા આવે છે.
સ્તનપાન નવજાત શિશુની મુખ્ય આવશ્યકતા છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તન પાન જ કરાવવુ જોઈએ. ઉપર થી આ સિવાય કોઈ પણ અન્ય પદાર્થ કે વસ્તુ કે પાણી પણ ન આપવા જોઈએ. વળી પ્રથમ બે વર્ષમાં શિશુનો શારીરીક અને ખાસ કરી માનસિક વિકાસ પણ ખૂબ ઝડપી રીતે થશે. આવા સમયે શિશુનું પોષણ યોગ્ય રીતે થાય તે ખૂબ જરુરી છે. સ્તનપાન આ તમામ જરુરીયાતો પ્રથમ છ માસ માટે પૂરી પાડે છે.
આમ કોઈપણ નવજાત શિશુની તંદુરસ્તી અને વિકાસ નો આધાર પ્રથમ છ માસ માં સફળ સ્તનપાન પર જ છે. સ્તનપાન એ પ્રાણી સહજ કુદરતી પ્રક્રિયા હોવા છતા કેટલાક નિયમો અને યોગ્ય પધ્ધતિ પૂર્વક ન કરાવાય તો તેના સંપૂર્ણ લાભ પ્રાપ્ય થતા નથી અને થોડા સમયમાં જ શિશુને સ્તનપાન સિવાય અન્ય દૂધ કે અન્ય ખોરાકની જરુરીયાત ઉભી થઈ જાય છે. આવુ કરવાના ખૂબ ગંભીર અને માઠા પરિણામો ઘણી વાર શિશુ એ ભોગવવા પડે છે. આ અંગે પ્રતિકાઓ છપાવી વહેંચતા …હવે તો સ્તનદૂધ દાનનું કામ ચાલે છે હજુ પણ આ અંગે ખૂબ પ્રચારની જરુર છે.
kasnbino rang tame vanchva aapyo aabhar ano javab bhulthi vinodbhaine moklai gayo chhe.
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
પ્રજ્ઞા બેન
આજે તો મેથી આજ્માઇન બીસ્કુત્ના દર્શન કર્યાં અને કૃતાર્થ થયો .રીત પણ વાંચી પણ જરાય યાદ નથી રહી .
કંઈ વાંધો નહિ .હવેતો હું ખાઈ પી ઉતર્યો છું . હવે તો હું બફેલુંજ ખાઉં છું .
આતાજી,
તમારા ભૂતકાળની વાતો વાંચવાની રંગત રહે છે . એક વાતમાંથી બીજી વાત નીકળતી જાય
અને એનો સિલસિલો રસ જમાવે એવો છે .
“જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર “ આવાં લેખાં શાળામાં અમે પણ ગોખેલાં
એ યાદ આવે છે .હવે તો શેર ગયા અને કિલો આવી ગયા છે .સમય સમય બળવાન છે .
પરિવર્તન એ જ જિંદગીનો એક નિયમ .
વિનોદ ભાઈ
મારું લખાણ તમને ગમે છે એ જાણી મને બહુ ખુશી થાય છે .
પહેલા સંગીતના રૂપમાં ભણાતું “એકડે એક બગડે બેય ” કને કંઈ નૈ ક કને કાનો કા “એ જેટલે રૂપિયે મણ તેના અઢી ગણે દોકડે શેર . આવીરીતે ગાઈને ભણાતું . કિલો બાબત ની એક રમુજ વાત યાદ આવી .એક શબ્દ હોય એને મળતોhe hemઆપનોaataahe વધુ પરિચિત શબ્દ બોલાય જવાતો હોય છે .
દેશીગા ના રૂડી માં લુવાર કોઈ વસ્તુ લેવા દુકાને જાય તો દુકાનદાર ને કહે “બસા ગોકરીયા મને એક ખીલો તેલ દે .મારાં (તમારાં નહિ હો ?)રાણીભાભી કુંભાર ના દીકરાની વહુઓ ચા આપે જો ચા સારો ન હોયતો એમ બોલે ગધેડાના મુતર જેવો સા સે .
પ્રિય પ્રજ્ઞા બેન તમે” કસુંબીનો રંગ ” વાંચવા આપ્યો મને રંગમાં લાવી દીધો .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
I can’t read your text font so pls give me your text font
માળું આ નવીન પ્રકારની “અહિંસક ફિલોસોફી” જાણીને તો ’તખત’ થઈ ગયો !
બાકી આપનાં લખાણોનાં માધ્યમે જૂના દિવસોનું ચિત્રણ મળે છે. બીડીયું વાળવાનું કામ કરતાં લોકોને મેં નાનપણમાં બહુ જોયા છે. અમારા પાડોશમાં ઘણાંખરા ઈ ધંધો કરવા વાળા રહેતા. ઈમાંથી કોઈનાં નળિયાં સોનાનાં ભાળ્યા નથી ! જો કે બીડીયું વેંચવા વાળાવને સોનાના નળિયાં થાય ખરા ! બાકી વેપાર બાબતે પોલાકાકા સાચા !
મારાં છોકરાંવ ભણતા ઈ નિહાળનો એક માસ્તર પણ ઈમ જ કે‘તો કે; પરથમ જૂનાણાનાં પાદરમાંથી કેટલી નદીયું વહે છે ઈ તો પાકું જાણો, મોસ્કો કઈ નદીને કાંઠે આવ્યું ઈ પછી શીખજો ! અર્થાત જ્ઞાનનો વિરોધ ન હતો, પણ જ્ઞાનનાં ઠેકડાનો વિરોધ હતો ! આપને વાંચવાથી જીવ હર્યોભર્યો થઈ જાય છે. લખાણમાંથી પહેલા વરસાદ પછીની પલળેલી માટીની ફોરમ આવે છે. આતા, અમે ગાતાં કે;
વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરાંવને સમજાવતા……ચપટીક ચપટીક બોર લાવતા રહેજો, છોકરાંવને સમજાવતા રહેજો. ચણિયાંબોરની ઋતુ આવી છે. બાપલીયા, ભાભા પાંહે છોકરાંવ આટલી આશા તો કરે જ ને ! ધન્યવાદ.
મારા ઉપર અઢળક હેત વરસાવતા મારા વહાલા અશોક
તમારા જેવા સ્નેહીઓના કારણે આ આતા ભાભા ચણીયા બોર વીણી લાવીને તમને ખવડાવતાજ રહેવાના છે .
દીકરાવ પાસે બીડિયું વળાવીને સોનાના નળિયાં જોવા વાળો પોલો કાકો જો મગનને રાજકોટ નો ભણવા મોકલ્યો હોત તો તેના ઘરના માટીના નળિયા પણ જોવા નો મળત .
અશોક મને ઉત્સાહ પ્રેરક શબ્દો વાળા લખાણ જેમ લખે છે . એમજ લખજે ..આ ઉમરે મને આવા ખોરાક્જ જીવંત રાખશે .કારણકે હાલ મને
ना दोलतकी ज़रूरत है ना शोहरतकी ज़रूरत है
“आता” को सिर्फ मुहबत की जरुरत है