दर्दे दिलके वास्ते पैदा किया इन्सानको

પરમેશ્વરે મનુષ્યોને ઉત્પન્ન કર્યાં ,બીજાં પ્રાણીઓ ક।રતાં ઘણી વિશેષતાઓ આપી ,ઘણી સ્વતંત્રતાઓ આપી ,અને પરાધીનતામાંથી મુક્તિ આપી .પણ આ પરમેશ્વરે ભેટ આપેલી .સ્વતાન્ત્રતામાંથી મનુષ્ય સ્વચ્છંદી બન્યો ,પરમેશ્વરની અદ્ભુત કૃતિઓને નુકસાન કરવા માંડ્યો .પરિણામે મનુષ્ય વિકૃત માનસનો બન્યો ,અને પરિણામે દુ:ખી દુ:ખી થઇ રહ્યો છે . એક ભજનમાં કીધું છેકે ભાઈ તું નિર્દયીનો સંગ ન કરતો પણ જવું ક્યાં ?બધે અભિમાની ,ઈર્ષાળુ દંભી અભિમાની લોકોજ વધારે દેખાય છે .હવે કૃપા કરીને ભજન વાંચો અને મારી ક્ષતિ ઉપર મારું ધ્યાન દોરો
બેલીડા બેદર્દનો સંગ કેમ કરીએ બેદર્દ બોલે મોઢે મીઠા બોલ એની વાતુંમાં વ્રહ્માંડ (બ્રહ્માંડ )ડોલે …બેલીડા બેદર્દનો સંગ કેમ કરીએ
એ …. હંસોને બગલો એકજ રંગા બેઠા સરોવર પારજી વાન બેઉનો એકછે પણ આહાર એકજ નઈ …બેલીડા બેદર્દ નો સંગ કેમ કરીએ
એ ….શ્યામ મોઢે ચણોઠડી ઈતો હેમની હારે તોલાયજી વજન બેઉનો એક છે એની કિમત એકજ નઈ ….બેલીડા
એ ….કાગોને કોયલ એકજ રંગા ઈતો બેઠાં આંબલીયાની ડાળ જી વાન બેઉનો એક છે . પણ બોલી એકજ નઈ ….બેલીડા
એ ….ભગવા ધારી સાધુડા ઈતો ગંગા ના ‘વા જાયજી લૂગડાં બેઉનાં એક છે પણ મનડા એકજ નઈ ….બેલીડા
ચિત્તા ,વરુ .વાઘ ખાનગી વાતો ભેગા થઈ કરી ર્યા છે
મનુષ્યો આપણા કરતાં વધારે ક્રૂર થઈ ગયા છે

7 responses to “दर्दे दिलके वास्ते पैदा किया इन्सानको

  1. અશોક મોઢવાડીયા નવેમ્બર 26, 2012 પર 11:25 પી એમ(pm)

    આતા, રામ રામ.
    કોઈએ કંઈ દૂભવ્યા કે શું ? આજ આતાને ’ઈર્ષાળુ દંભી અભિમાની’ લોક કીં વધારે દેખાણા ?! જો કે આતાની વાત સાચી છે. પણ આતા જેવો દયાળુ જીવ તો દૂભવનારનેય આશીષ આપે એવો છે.

    અને બીજી વાત, નમ્રતાથી જણાવું તો, આપે ટાંકેલું ભજન ’રતનદાસ’ના નામાચરણ વાળું, “બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,” એ લાગે છે. સૌને વાંચવા માટે આખું ભજન નીચે જણાવું છું.

    બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,
    બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
    કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી,
    રંગ બેઉનો એક જ છે, ભાઈ ! રંગ બેઉનો એક જ છે, પણ બોલી એક જ નાંય …
    બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
    હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી,
    રંગ બેઉનો એક જ છે , ભાઈ ! રંગ બેઉનો એક જ છે,પણ ચારો એક જ નાંય…
    બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
    શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે,
    તોલ બેઉનો એક છે, ભાઈ ! તોલ બેઉનો એક જ છે,એનું મૂલ એક જ નાંય…
    બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
    ગુરુ પ્રતાપે ભણે રતનદાસ, સંત ભેદુને સમજાય જી,
    ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ..
    બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..

    (http://www.anand-ashram.com/tag/%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8/)

    આભાર.

  2. pragnaju નવેમ્બર 27, 2012 પર 8:43 એ એમ (am)

    હવે કૃપા કરીને ભજન વાંચો અને મારી ક્ષતિ ઉપર મારું ધ્યાન દોરો …આ અંગે અશોકે ખૂબ સુંદર વાત તરફ ધ્યાન દોર્યું.તેમના સૌજન્યથી અમારા બ્લોક પર રીબ્લોગ કરવાની ઈચ્છા છે
    ત્યારે ‘બધે અભિમાની ,ઈર્ષાળુ દંભી અભિમાની લોકોજ વધારે દેખાય છે .’તે અંગે જણાવવાનું કે દેખાય તે સારું છે જો રાવણ સાધુ સ્વરુપે આવે તો હુ હુ થાય! નાનપણમા કાંઇક આવું ગાતા શિયાળો વહી જાય છે, ટાઢમાં હુ હુ થઈ જાય છે ત્યારે આ હુ હુ વિષે ખ્યાલ ન હતો.પછી ભણવાના માધ્યમનો પ્રશ્ન આવતો તો આ રીતે ગુજરાતી માધ્યમ અંગે રજુઆત થતી- ગુજરાતી ભાષા અને અસ્મિતાનો કપરો કાળ છે.અંગ્રેજી માધ્યમનું વાવાઝોડું જ નહીં, ‘હુહુ’ (ખારા ઝેર જેવો પવન) ગુજરાતના શિક્ષણજગતને કડવું ઝેર કરી નાંખે છે ! સાથે આ હુ હુ ની ભિષણતા વિગતે વર્ણવાતી!! અમારે દરિયા કિનારે રહેવાનું થયુ હતું ત્યારે અનુભવ પણ થયો હતો.
    લગભગ બે-ત્રણ વર્ષ પહેલા ગિરનાર’ પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે અમદાવાદ ખાતે થયું હતું.
    સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર
    ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.
    `ગિરનાર’ પુસ્તકમાં (લેખક: સંજય ચૌધરી) પવિત્ર તેમ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા પર્વત ગિરનારની પરિક્રમા વિશેનું વિશિષ્ટ પ્રવાસવર્ણન કરવામાં આવેલું છે. પુસ્તકમાં ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ ધરાવતા લેખોનો સંગ્રહ છે. ગિરનાર આરોહણ દરમ્યાન માર્ગમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોનું અનોખી રીતે અવલોકન કરીને લેખકે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે. સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો ધરાવતા મહાન પર્વત ગિરનારનાં વિવિધ સ્થળો વિશે ઝીણવટથી માહિતી પૂરી પાડવામાં આવેલી છે. ગિરનાર અને ગીર જંગલની વિપુલ વન્ય સંપત્તિ – છોડ, ઝાડ અને વેલાઓ અંગે એક આખું પ્રકરણ છે. ગીર જંગલમાં વન્ય જીવોના સંવર્ધન વિશે થયેલા પ્રયત્નો, તેમાં મળેલી સફળતા, સિંહ, દીપડા અને અન્ય વન્ય જીવો અંગેના આંકડા આપવામાં આવ્યા છે. ગિરનારને કેન્દ્રમાં રાખીને ગુજરાતી સાહિત્યમાં લખવામાં આવેલી વિવિધ પ્રકારની સાહિત્યિક, ધાર્મિક અને લોકસાહિત્યની કૃતિઓ વિશે સંદર્ભ સહિત વિસ્તારથી છણાવટ કરવામાં આવેલી છે. પુરાણા કાળથી અસ્તિત્વ ધરાવતું નગર `ગિરિનગર’, જેનું અત્યારે નામ જુનાગઢ છે, તેના વિવિધ શાસકો – મૌર્ય, ગુપ્ત, શક, રાજપુત, મુસ્લિમ, મુગલ, બાબી યુગની વિગતવાર સચોટ માહિતી આપવામાં આવેલી છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અનેરું મહત્ત્વ ધરાવતા અને નવાબના દીવાન ભુટ્ટો દ્વારા જૂનાગઢનાં પાકિસ્તાન સાથે કરવામાં આવેલા અયોગ્ય જોડાણમાંથી તેને મુક્ત કરવા માટે રચાયેલી આરઝી હકૂમતની લડત અંગેની માહિતી એક પ્રકરણમાં જણાવવામાં આવેલી છે. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત તથા આઝાદી પૂર્વે જૂનાગઢમાં પ્રર્વતતી હિન્દુ-મુસ્લિમ સહજ એકતાનું નિરુપણ કરતી ગુજરાતી નવલકથા `હુ હુ’નું વિવેચન પુસ્તકના અંતિમ પ્રકરણમાં કરવામાં આવેલું છે.
    આજે હુ હુ પુસ્તકના રસ દર્શનની મઝા માણી.
    યાદ આવ્યું. હુ.હુ.આવડે સે તમને આપડી બોલી મા… આયા ઠબકારો તય ?
    આ હુ હુ વિષે કાંઇક વધુ…
    શ્રી વિષ્ણુપુરાણનો અધ્યાય ૧૦ નો દ્વિતીય અંશ હુ હુ થી શરુ થાય!
    वरुणो वसिष्ठो नागश्च सहजन्या हुहु रथः ।
    रथाचित्रस्तथा शुक्रे वसन्त्याषाढसंज्ञके ॥८॥
    इन्द्रो विश्वावसुः स्त्रोत एलापुत्रस्तथांगिराः ।
    प्रम्लोचा च नभस्येते सर्पिश्चार्के वसन्ति वै ॥९॥ विवस्वानुग्रसेनश्च भृगुरापूरणस्तथा । …તેમાંની કથા બુરાઈ પર અચ્છાઇની જીત ના રુપમા વર્ણવાઇ છે. શાપને કારણે ગંધર્વોના રાજા હુ હુ ગજેન્દ્ર અને દિવાલા મુનિ મગર થાય છે.ગંગા નદીમા ગજેન્દ્ર સ્નાન કરવા જાય છે ત્યાં મગર ગજેન્દ્રનો પગ પકડી લે છે. બેઉ વચ્ચે યુધ્ધ થાય છે.ગ્રાહથી ઝડપાતાં વેંત ગજેન્દ્ર જાગ્રત થઇ જાય છે.એ બેબાકળો બનતો નથી.પણ પોતાનામાં રહેલ સમગ્ર શક્તિને ગ્રાહ સામે કેન્દ્રિત કરીને ઝૂઝે છે. અહીં ગ્રાહ શબ્દ કેવળ ‘ગ્રાહ’નો જ દ્યોતક નથી, એ વગર કહ્યે જ સમજાઇ જાય તેવી વાત છે. વાસ્તવનું,સત્યનું ભાન , આ ગ્રાહ જ કરાવે છે, ગજેન્દ્રને !સપાટીની સલામતી એ ભ્રમણા છે; અને ભીતરનો ગ્રાહ છે એ જ સત્ય છે, એમ આપણને પણ આપોઆપ સમજાઇ જાય છે. પુરુષાર્થને પૂરેપૂરો પ્રગટાવવા માટે ગજેન્દ્રને કોઇ ગ્રાહ જોઇએ. માનવમનના ઘડનારાએ મશ્કરી જ કરી છે ને, જાણે માનવમનની !મૃત્યુ આવે ત્યારે જ જીવનની કિંમત સમજાત ! પણ સહેજ ઊંડાણથી જોઇએ તો, એમાં મશ્કરી પણ નથી; નક્કર વૈજ્ઞાનિક સત્ય છે.વળી છેવટની ગણતરીએ તો પોતે એકલો જ છે, અને પોતાને એકલાને જ ઝૂઝવાનું છે, એનું પ્રથમ ભાન ગજેન્દ્રને આ આખરી ઘડીએ જ થાય છે. હુ હુના પુરાણ પરથી મુવીના હુ હુ પર આવીએ.
    ગબ્બર- અરે ઓ સામ્બા
    સામ્બા-જી,સરદાર
    ગબ્બર-કેટલી ગોલી છે આમાં ?
    સામ્બા.૬ સરદાર
    ગબ્બર-હુહુ હુહુ…આદમી ૩,ગોલી ૬,બહુ નાઇન્સાફી થઇ રે!
    અને
    જાણીતું હુ હુ ગીત
    चोरुस:ओ~लल लल हुहु हुहु हुहु हु हुआ हुआ हुआ हो हो
    लत:जुनली रात मा
    चोरुस:हो हो
    लत:अरे औंअस औंअस आज को जुनली रात मा
    चोरुस:ओ कैली ?
    क्या हो
    ओ माइली
    के हो
    हेय साइली
    आहा
    लत:हो कान्च,अरे औंअस औंअस आज को जुनली रात मा
    आज को जुनली रात मा
    धर्ती पर है आसमाँ
    कोई रे बन के चाँदनी
    उतरा मन के आंगना
    चंदा रे तू जा न जा
    रफ़ि:आज को जुनली रात मा
    धर्ती पर है आसमाँ
    कोई रे बन के चाँदनी
    उतरा मन के आंगना
    लत:चंदा रे तू जा न जा
    बोथ:आज को जुनली रात मा
    लत:(चूके मन को इक अन्जाना
    ले उड़ा मुझको मस्तान)-२
    चुनरी ? की धड़कने लगा जिया
    आज को जुनली रात मा …
    लत:(अरे औंअस औंअस,आज को जुनली रात मा)-२
    रफ़ि:(किया है नैनों के काजल ने
    जीवन भर का वादा पल में)-२
    मिलन धुन पे तिरकने लगा जिया
    आज को जुनली रात मा …
    लत:(प्यार ने सौ सौ रूप रचाया
    सब कहीं जाके तुम को पाया)-२
    रफ़ि:थाम लो मुझको की बस में नहीं जिया
    बोथ:आज को जुनली रात मा
    અને છેવટે
    હાહા હીહી હુહુ કરી રહ્યા હતા.
    દુતિયે હુહુઙ્કજાતિકેના તિ સો કિર દિટ્ઠમઙ્ગલિકો માનવસેન કોધવસેન ચ ”હુહુ”ન્તિ કરોન્તો વિચરતિ,
    તસ્મા હુહુઙ્કજાતિકોતિ વુચ્ચતિ. ”હુહુક્કજાતિકો”તિપિ પઠન્તિ, તેન સદ્ધિં આગતાતિ…
    હુ હુની પરિભાષા હુ હુ,હુહુનો અર્થ હુહુ
    -हुहु हुक-दुत ” मानसिक शक्ति અને કોમ્પ્યુટ્રર હુ હુ વિષે કોકવાર.

  3. aataawaani નવેમ્બર 27, 2012 પર 11:35 એ એમ (am)

    ગોરા લોકોના ગુલામો પ્રત્યેના ક્રુરતા ભર્યા વર્તાવની વાત ઘણી જાણીતી છે ગુલામોનું વેચાણ પણ અરબો મારફત ભારતમાં પણ થતું . આપણા દેશમાં ગુલામ પ્રત્યેનો માનવીય વર્તાવની વાત હું લખું છું .

    મારા જન્મ સ્થળના ગામ દેશીંગા થી નજીકના ગામ સરડીયાના દેવીસિંહ નામના ભાટ દરબારને પોરબંદર બાજુનો એક કુંભાર સાલમીન નામનાં એક બાર તેર વરસના નીગ્રો ગુલામને મફત આપી ગયો .કુંભાર સાલમીનને વેંચીને પૈસા ઉભા કરી શકત .પણ પોતાના દીકરા જેવા સાલમીન ને તે દુ:ખી થાય એ પસંદ નોતું .એટલે તેણે સાલમીનને દેવીસીન્ગને મફત આપેલો .સાલમીન જયારે વૃદ્ધ થયો ત્યારે ગામ લોકો એક વડીલ તરીકે બહુ માન જાળવતા .સાલમીન જયારે જુવાન હતો ત્યારે એના લગ્ન કરવાનું નક્કી કરેલું .પણ સાલમીને એવું કહીને લગ્ન કરવાની નાં પાડેલી કે મારી પ્રજા તમને નડશે સાલમીનને એક રૂપાળી મુસલમાન છોકરીને પણ બતાદેલી .જમીન બાબતે ભાટો અને કન્ટોલ ગામના સઈદો વચ્ચે ધિંગાણું થયું .એમાં ભાટ દરબારો તરફથી સાલમીન ધીંગાણું ખેલ્યો એમાં એ કામ આવ્યો મતલબકે મરાણો ભાટ દરબારોએ એનું સ્માંરક્ રચ્યું જે હાલ સાલમીન બાપાના ઓટા ના નામે ઓળખાય છે .

  4. રીતેશ મોકાસણા જાન્યુઆરી 26, 2016 પર 6:51 એ એમ (am)

    આતા, તમે તો ગુજરાતનું ગુગલ છો. કેટલી બધી વાતો ભરેલી છે મનમાં !!

    • aataawaani જાન્યુઆરી 26, 2016 પર 7:36 એ એમ (am)

      थोड़े समय बाद मेने एक बात जो पाटिल साहबकी अधूरी कथा है वो में आतावाणीमे लिखूं गा
      इक बातका मुझे अफ़सोस है की मेरा लैप टॉप मुझे गुजराती लिपिमे लिखने नही देता .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: